SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થસ્થાનમાં આપણું વર્તન (૧) આ તીર્થસ્થાન છે. પવિત્રભૂમિ છે. અત્રે દેવાધિદેવની ભક્તિમાં અસંખ્ય દેવીદેવતાઓ હાજરાહજૂર છે. (૨) તીર્થની આમન્યા જળવાય તેમ મર્યાદાથી વર્તવું. આ હીલ સ્ટેશન નથી, પણ ધર્મસ્થાનક છે. (૩) બહેનોએ ખુલ્લે માથે ફરવું નહિ. (૪) ભાઇઓએ સ્ત્રીઓના ખભે હાથ રાખીને ફરવું નહિ. (૫) ઠઠ્ઠા-મશ્કરી કે ગંદી વાતો કરવી નહિ. (૬) બ્રહ્મચર્યનું નિર્મળ પાલન કરવું. (૭) રાત્રિભોજન કરવું નહિ. (૮) આઇસ્ક્રીમ, ઠંડા પીણાં, કંદમૂળ જેવી અભક્ષ ચીજો ખાવી નહિ. (૯) શરાબ, જુગાર જેવા વ્યસનો સેવવા નહિ. (૧૦)તીર્થના કમ્પાઉન્ડમાં સિગારેટ, બીડી પીવી નહિ. (૧૧)પાન-મસાલા, તમાકુ ચાવવા નહિ. ગમે ત્યાં પિચકારી મારવી નહિ. (૧૨)બાંકડાઓ પર અવિવેકથી બેસવું નહિ. (૧૩)રેડિયો, ટેપ, ટી.વી. વગેરેનો ઉપયોગ કરવો નહિ. (૧૪)કાગળીયાના ડૂચા, કચરો વગેરે ગમે ત્યાં ફેંકવો નહિ. (૧૫)ક્રિકેટ, બેડમીન્ટન કે પત્તા રમવા નહિ. (૧૬)જિનાલય, દેવસ્થાન, ભોજનશાળા, પ્રવચનગૃહ કે ધર્મશાળાની રૂમો વગેરેમાં ચંપલ કે જુત્તાં પહેરીને જવું નહિ. (૧૭)ધર્મશાળાની રૂમો, ગાદલા, રજાઇ વગેરેનો બેદરકારીથી ઉપયોગ ન કરવો. (૧૮)વ્યવસ્થા અંગે કોઇપણ જાતની ફરિયાદ હોય તો પેઢી પર મળવું અથવા ફરિયાદ પેટીમાં કાગળ નાખવો. (૧૯)કર્મચારીઓ માટેની ભેટ રકમ બક્ષીસબોક્ષમાં નાંખવી. (૨૦)M.C.વાળી બહેનોએ દેવસ્થાનમાં દાખલ થવું નહિ. તેમજ તીર્થસ્થાનમાં ક્યાંય આભેડછેટ આવે તે રીતે વર્તવું નહિ. (૨૧)ઠંડા તથા ગરમ પાણીનો ઉપયોગ બેફામ રીતે ન કરવો. *** શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦૪૬૨
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy