________________ શ્રી શત્રુંજય તીર્થ...! શ્રી સિદ્ધાચલ તીર્થ...!! શ્રી વિમલાચલ તીર્થ...!!! તારે તે તીર્થ...! અનાદિકાળથી જીવાત્મા જન્મ-મરણના ફેરા ફરી રહ્યો છે. તે ભૂમાગથી બચવા માટે તીર્થ એ ઉત્તમ આલંબન છે. પંદર કર્મભૂમિઓમાં આ જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં જ આ શાશ્વત તીર્થ છે. જ્યાં કાંકરે કાંકરે અનંત-અનંત આત્માઓ કર્મ ખપાવીને મોક્ષે ગયા છે. આ તીર્થક્ષેત્રનો મહિમા અપરંપાર છે. એ માટે પૂર્વે યુગાદિ પ્રભુ શ્રી -&ષભદેવસ્વામીના શ્રી પુંડરિકગાગધરે, ભવ્યજીવોના હિત માટે, સવા લાખ શ્લોક પ્રમાણ ‘શ્રી શત્રુંજય માહાસ્ય’ રચ્યું હતું. ત્યારબાદ ભગવાન શ્રી મહાવીરસ્વામીની આજ્ઞાથી શ્રી સુધર્માસ્વામી ગણધરે, મનુષ્યોને અલ્પ આયુષ્યવાળા જાણીને તેમાંથી સંક્ષેપ કરી, ચોવીશ હજાર શ્લોક પ્રમાણ કર્યું. ત્યારબાદ સકલવિધામંડન - શિલાદિત્ય રાજા - પ્રતિબોધક, ચન્દ્રગચ્છવિભૂષણ, પૂજ્યપાદ આચાર્ય શ્રી ધનેશ્વરસૂરીશ્વરજી મહારાજાએ 10 હજાર શ્લોક પ્રમાણ ગ્રંથ રચ્યો. તેના હાલ 9 હજાર શ્લોકો મળે છે. તેમાં વર્ણવેલ શત્રુંજય મહાતીર્થની દિવ્યતા - અલૌકિક મહાનતાનું વર્ણન સાંભળીએ તો પણ થાય કે, અહાહાહા...! કેવો મહાન છે ગરવો ગિરિરાજ...!! આ ગિરિરાજ ઉપર સિદ્ધરસની કે પીકાઓ છે. ગુફાઓમાં રત્ન-મણિ-માણેકના, દેવોથી અધિષ્ઠિત - પૂજાતા પરમાત્મા છે. આ તીર્થ માટે દેવાધિદેવ શ્રી મહાવીરસ્વામી ભગવાને દેશનામાં ફરમાવેલ કે, જેણે શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરી નથી અને ત્યાં બિરાજમાન શ્રી ઋષભદેવ પ્રભુને પૂજ્યા નથી, તે પોતાનો જન્મ ફોગટ હારી ગયો છે. બીજા તીર્થોમાં સેંકડોવાર યાત્રા કરવાથી જે પુન્ય થાય છે, તેટલું પુન્ય આ ગિરિરાજની એક વખત યાત્રા કરવાથી થાય છે. ( આ તીર્થરાજનું માહાભ્ય શ્રી કેવલીભગવાન પણ જાણવા છતાં કહેવા સમર્થ થતા નથી. સ્તવનની આ કડી આવે છે... से गिरिवरना गुरा घायशासे, नाशीसे नवि छठेवाय; पूष्णे गिरिराषने रे... જાણો પાર કરી નવિ શકે એ, મૂક-ગુગ ને ન્યાય... પૂજો ગિરિરાજને રે... આવા મહાન શત્રુંજય તીર્થાધિરાજનું માહાત્મ્ય આ ગ્રંથમાં છે. 5. વજસેન 5 Tejas Printers AHMEDABAD M.2 67620