SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ આ લોકમાં પ્રત્યક્ષ રીતે વધ, બંધનાદિકને કરનારી અને પરલોકમાં નરક આપનારી “ચોરી' સબુદ્ધિવાળા પુરુષે ત્યજી દેવી જોઇએ. રાજા ચોરી કરનારને કાન, નાક કે હાથપગ કપાવી નાખવારૂપ દંડ કરે છે અને પરલોકમાં ચંડાળ કુળમાં જન્મ થાય છે. ધર્મરૂપ વૃક્ષમાં અગ્નિરૂપ અને સર્વ વિદ્વાન પુરુષોને નિંદનીય શિકાર છે. જે પુરુષો નિરપરાધી જંતુઓની હિંસા કરે છે, તેઓ દુઃખ, દારિદ્રય, પીડા અને દુર્ગતિ પામે છે. આવા સાત વ્યસનો સેવનારા શાંતન રાજાના તે ચારે પુત્રો અનુક્રમે તે પાપકર્મના ઉદયથી કોઢ રોગવાળા થયા. તેઓને લઇને જંગલોમાં ભમતો રાજા કોઇપણ સ્થાને સુખ પામ્યો નહીં. અને દુઃખી બનેલા રાજાને મરવાનો વિચાર આવ્યો. તેથી તે એક મોટા પર્વત ઉપર ચડ્યો. ત્યાં તેની તલાટીની ભૂમિમાં એક મોટું જિનાલય તેણે જોયું. તરત પર્વત ઉપરથી ઉતરીને પોતાના કુટુંબ – પરિવાર સાથે તે ચૈત્યમાં ગયો. ત્યાં અભુત રૂપવાળો અને સર્વ તેજનો સાર હોય એવો એક ઉત્તમ પુરુષ પ્રભુના ચરણમાં નમસ્કાર કરતાં તેણે જોયો. તેને જોતાં રાજાને વિશેષ શુભ ભાવના પ્રગટ થઈ અને તેણે ભાવપૂર્વક પ્રભુને પ્રણામ કર્યા. રાજાએ ભગવંતને કરેલા નમસ્કાર માત્રથી તે સમયે ત્યાં હાજર રહેલા ધરણેન્દ્ર ખુશ થઈને રાજાને કહ્યું કે, હું ધરણેન્દ્ર નાગકુમારનો ઇન્દ્ર છું અને તારી જિનભક્તિથી ખુશ થયો છું. માટે હે ભદ્ર ! તું ઇચ્છિત વર માગ. રાજાએ કહ્યું, “હે પુણ્યાત્મા ! તમારું દર્શન જ મને સંપત્તિનું દર્શક થયેલું છે. હું વરદાન પછી માંગીશ, પણ પહેલાં તો મને કહો કે, જેમ જેમ મારા પુત્રો થતા ગયા, તેમ તેમ સર્વ સંપત્તિનો નાશ થતો ગયો, તેનું કારણ શું છે ? • શાંતન રાજાના પુત્રોના પૂર્વભવો : ધરણેન્દ્ર અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી, તેમના પૂર્વભવને જાણીને કહ્યું, ‘પૂર્વભવમાં આ તારો મોટો પુત્ર કોઈ મહાઇટવીમાં ક્ષય નામે ભીલ હતો. ક્રૂર, હિંસા કરનારો તે એક વખતે તીર્થે જતા કોઈ સંઘને લૂંટીને પાછો વળી માર્ગમાં શિકાર માટે મૃગને શોધવા લાગ્યો. ત્યાં ધ્યાનમાં સ્થિર “શ્રીસંયમ નામના મુનિને જોઇને પૂછયું કે, “અહીંથી હરણ ક્યાં ગયું ?' પણ તે દયાળુ મુનિ કાંઈ ન બોલ્યા, ત્યારે “તે મૃગ તું જ છો.' એમ કહી તે ભીલે તેમની ઉપર બાણ છોડ્યું. એટલે મો નમ:' એમ બોલતા તે મહર્ષિ તત્કાળ પ્રાણરહિત થયા. ત્યાંથી આગળ ભટકતાં તે ભીલને તે જ દિવસે કોઇ સિંહે માર્ગમાં જ મારી નાખ્યો. તે અવસરે તે પોતાના પાપનો પશ્ચાત્તાપ કરવા લાગ્યો કે, “અરે ! મેં પાપીએ નિરપરાધી મુનિને શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૦૬
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy