SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ આ મહાકુંડ સર્વતીર્વાવતાર નામથી પ્રખ્યાત છે. પૂર્વે ઉત્સર્પિણીકાલમાં આ ગિરિ ઉપર કેવળજ્ઞાની નામના પહેલા તીર્થંકર પાસે સૌધર્મપતિ આવ્યા હતા. તેમણે તીર્થંકરદેવની ભક્તિ માટે આ કુંડમાં ગંગા, સિંધુ અને પહદ વિગેરે તીર્થોનાં જળ નિર્માણ કર્યા હતા. તેથી આ કુંડનાં જલથી પ્રભુનો સ્નાત્રાભિષેક કરવાથી પાપ નાશ છે, મુક્તિફળની પ્રાપ્તિ થાય છે. પ્રભુનાં ચરણને પ્રક્ષાલન કરવાથી પવિત્ર થયેલા આ કુંડનાં જલથી અતિ દારૂણ વિષની પીડા નાશ પામે છે તથા અનેક પ્રકારની આધિ ક્ષય પામે છે. કાંતિ, કીર્તિ, બુદ્ધિ અને ધૃતિ વૃદ્ધિ પામે છે. જો કે ઘણો કાળ થવાથી આ કુંડ જીર્ણ થયો છે, તો પણ તેનો પ્રભાવ વિશેષ છે.' આ પ્રમાણે કુંડનો પ્રભાવ જાણીને ભરતેશ્વરે વદ્ધકિરત્ન પાસે તે કુંડ સજ્જ કરાવ્યો. ત્યારથી તે પ્રભાવિક કુંડ “ભરતકુંડ' નામથી વિખ્યાત થયો. ત્યાં તે રાત્રિ પસાર કરી, પ્રાતઃકાલે સંઘસહિત ભરતેશ્વર પહેલા શિખર ઉપર આવ્યા.તે વખતે ભરત પ્રત્યેના સ્નેહથી પ્રેરાયેલા સૌધર્મપતિ - ઇન્દ્ર સંઘને જોવાની ઇચ્છાથી ત્યાં આવ્યા અને ભરત તથા ઇન્દ્ર પરસ્પર આનંદથી ભેટી પડ્યા. શ્રીનાથગણધરની સાથે બંનેએ ગિરિરાજના મુખ્ય શિખરની સ્પર્શના કરી, રાયણ વૃક્ષને પ્રદક્ષિણા દીધી. તે વૃક્ષની નીચે મણિમય મંડલ ઉપર ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીની પાદુકા - જે ઇન્દ્ર પોતે કરાવેલી હતી તે બતાવી. એટલે ભારતે પાદુકાને નમસ્કાર કર્યા. સાક્ષાત્ અનંતજ્ઞાનથી ઉજજવલ શ્રી ઋષભદેવને મનમાં ચિંતવી તે પ્રભુનાં ચરણના પ્રતિકરૂપ તે સ્થાનને ભરતેશ્વરે પ્રણામ કર્યા તથા ભક્તિથી ચંદનબરાસ વડે પાદુકાને વિલેપન કરી, પારિજાત અને ગુલાબના પુષ્પોથી પૂજા કરી. ૦ પ્રથમ ઉદ્ધાક : ભરત મહારાજ રે ( શત્રુંજય તીર્થ ઉપર રૈલોક્યવિભ્રમ જિનપ્રાસાદ ઈન્દ્ર મધુરવાણીથી કહ્યું કે, “કાલના પ્રભાવે મનુષ્યો ઉત્તરોત્તર હીન ગુણવાળા થતા જાય છે, તેથી આ ગિરિ પર પ્રભુની મૂર્તિ વિના કોઇ તેની શ્રદ્ધા કરશે નહીં. પ્રભુનાં ચરણથી પવિત્ર થયેલો આ ગિરિરાજ સ્વયં તીર્થરૂપ છે, તો પણ લોકોની ભાવનાથી વિશેષ પ્રકારે શુદ્ધિ માટે અહીં શ્રી જિનેશ્વરનો એક ભવ્ય પ્રાસાદ થવો જોઇએ. જે જે તીર્થકરો જે જે કાલમાં વિદ્યમાન હોય, તે તે કાલે તે તે તીર્થકરોની મૂર્તિઓ પ્રતિષ્ઠિત થાય છે. હાલ શ્રી ઋષભદેવ સ્વામી જયવંતા વર્તે છે. માટે તેઓની મૂર્તિસહિત આ તીર્થાધિરાજ પર વિનીતા નગરીના ચૈત્ય જેવું એક જિનમંદિર તમે શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૯૮
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy