SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં મળીને એકાણું નારદો આ શત્રુંજયગિરિની ઉપર સિદ્ધિને પામ્યા છે. રામ પ્રમુખ ત્રણ ક્રોડ રાજર્ષિઓ આ ગિરિરાજ ઉપર આવી શ્રી યુગાદિપ્રભુના ધ્યાનથી કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા છે. આ મહાતીર્થમાં અસંખ્ય ઉદ્ધારો, અસંખ્ય પ્રતિમાઓ અને અસંખ્ય ચૈત્યો થયેલા છે. હે ઇન્દ્ર આ રીતે શત્રુંજયગિરિરાજનાં માહાભ્યને અનુસરીને રૈવતગિરિરાજનું માહાભ્ય કહ્યું. હવે બાકીના ઉદ્ધારની વાત શુદ્ધ મનથી તું સાંભળ ! શત્રુંજયનો મહિમા • સવારે ઉઠીને શત્રુંજયની સ્તુતિ કરવાથી સર્વ પાપોનો નાશ થાય. અન્ય તીર્થોને વિષે હજારો યાત્રા કરવાથી જેટલું પુણ્ય થાય તેટલું પુણ્ય આ તીર્થની યાત્રા કરવાથી થાય. (ઉપદેશ પ્રસાદ) • તીર્થોદ્દભાવના તથા તીર્થોન્નતિના કારણે શત્રુંજય ઉપર જેવો તેવો સંયમી પણ પૂજનીક છે. (શત્રુંજય માહા.) • ભરત ચક્રવર્તીએ જિર્ણોદ્ધાર કરાવ્યા પછી ૧૦ લાખ ખેચરોએ એવો અભિગ્રહ કર્યો કે અમો સર્વદા અહીં જિન પૂજા કરશું. (પુંડરીક ચરિત્ર) • દેવદત્ત જ્યારે પુંડરીક ગણધરના હાથે સંયમ લે છે તે વખતે તેમની સાથે ૧૦,૦૦૦ જૈન શ્રાવકો સંયમ લે છે. • ભરત ચક્રવર્તીએ શત્રુંજયની તળેટીમાં ૨૨ યોજનાના વિસ્તારવાળું પાંચ કરોડ ઘરો વસાવીને નગર બનાવેલું. તેમાં ૨૫ લાખ જિનાલયો, પાંચ લાખ પૌષધશાળા અને પાંચ કરોડ બ્રાહ્મણો શ્રાવકો વસાવેલા. (પુંડરીક ચરિત્ર) • પાર્શ્વનાથ ભ.ના ભાઈ હસ્તિસેને સંઘ કાઢેલ તે વખતે રાયણ વૃક્ષમાંથી દૂધ ઝરેલ. • ૫00 વર્ષ પહેલાં દેવમંગલ મણિએ ચંદનતલાવડી પાસે અઠમ કરેલ તે વખતે કપર્દિ યક્ષે આદિમનાથની રત્નમય પ્રતિમા બનાવે. તેથી ત્રીજા ભવે મોક્ષે ગયેલ. ૧. ભગવાન શ્રી મહાવીર પ્રભુ, સૌધર્મઇન્દ્રને ઉદ્દેશીને શત્રુંજય મહાતીર્થનું માહાભ્ય ફરમાવી રહ્યા છે, એ સંબંધ ચાલુ છે. શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૧૬
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy