________________
દેવોએ ઉદ્ઘોષણા કરી કે.. આ ગિરિ હવે “પુંડરીકગિરિ' કહેવાશે. આ રીતે શત્રુંજયનું પુંડરીકગિરિ નામ પ્રસિદ્ધિ પામ્યું.
| | તિ પુંડરીરિ: નાત્રિ પુંડરીવાસ્વામી તથા /
[ (૬) “સિદ્ધશેખર' નામનું આલંબન પદ્મનૂપ “હે સ્ત્રી! તું શા માટે રડે છે? તને શું દુઃખ છે?” લક્ષ્મીપુરી નગરીના રાજા લક્ષદેવની પ્રીતિમતી નામની રાણીથી ઉત્પન્ન થયેલ પદ્મ નામનો પરોપકારી કુમાર, મધ્યરાત્રિએ સ્ત્રીનું રૂદન સાંભળી રાજમહેલમાંથી બહાર નીકળી, રૂદનને અનુસારે નગરની બહાર જંગલમાં આવી પહોંચ્યો. ત્યાં તેણે એક સ્ત્રીને રડતી જોઇ, રડવાનું કારણ પૂછ્યું.
તે સ્ત્રી બોલી : “હું રાજ્યની અધિષ્ઠાત્રી દેવી છું. વિઘ્નો દૂર કરીને રાજ્યનું રક્ષણ કરું છું. આ રાજયના મંત્રીપુત્ર પુન્યવાન અને સ્વરૂપવાન છે. તેને એક યોગી છળથી આ વનમાં લાવ્યો છે. એને અગ્નિકુંડમાં હોમીને તે યોગી સુવર્ણપુરુષ સાધશે. તે મંત્રીપુત્રને કષ્ટમાંથી ઉગારનાર કોઈ નથી, તેથી હું રહું છું.”
પદ્રકુમારે પૂછયું : “તે યોગી અને મંત્રીપુત્ર ક્યાં છે ?' દેવી બોલી : “આ બાજુ વૃક્ષોની ગીચ ઝાડીમાં છે.'
આ સાંભળી રાજપુત્ર વેગથી ત્યાં ગયો અને યોગીને પડકાર કરી, અગ્નિકુંડમાં હોમી દીધો. તેથી તે સુવર્ણપુરુષ બની ગયો. કહેવત છે કે “ખાડો ખોદે તે પડે.” પછી રાજપુત્રે પાણી છાંટીને અગ્નિ ઠંડો કર્યો. સુવર્ણપુરુષ લઇને એકાંતમાં રાખી દીધો.
આ બાજુ, રાજાને સમાચાર મળ્યા કે મંત્રીપુત્રને કોઇ યોગી લઇ ગયો છે. રાજપુત્ર પણ ક્યાંય ચાલ્યો ગયો છે. તેથી રાજા ખૂબ દુઃખી થયો. તેણે રાજપુત્ર ને મંત્રીપુત્રના સમાચાર આપનારને સો ગામનો ગરાસ આપવાનું જાહેર કર્યું. ત્યારે કોઇક કઠિયારાએ આવીને કહ્યું કે, “મેં રાજપુત્ર તથા મંત્રીપુત્રને જોયા છે.” તત્કાળ રાજા તેને આગળ કરીને જંગલ તરફ ચાલ્યો. ત્યાં માર્ગમાં બંને કુમારો મળ્યા. બધા આનંદિત થયા. કઠિયારાને કહ્યા પ્રમાણે દાન આપ્યું. આ પ્રસંગથી વૈરાગ્ય પામેલા રાજાએ પદ્મકુમારને રાજ્ય ઉપર બેસાડી, સંયમ લઇ, આત્મકલ્યાણ સાધ્યું.
પદ્મરાજા જૈનધર્મી હતો. એણે શત્રુંજયનો મહિમા સાંભળ્યો. આથી સુવર્ણપુરુષના સાંનિધ્યે અપાર જનસમુદાય યુક્ત સંઘ ભેગો કરી શત્રુંજયની યાત્રા કરી. ત્યાં ભવ્ય સ્નાત્રપૂજાદિ મહોત્સવ કર્યો. તે વખતે ત્યાં બિરાજમાન ધર્મઘોષઆચાર્ય બે કરોડ સાધુઓની સાથે મોક્ષમાં ગયા તથા ગિરિધ્યાનના પ્રભાવે રાજાના ૫૦૦
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૫૬