________________
તેઓના ઘરદેરાસરમાં સાંઢણી ઉપર બેઠેલા આ કાકજી સાહેબ તથા રબારીનું જૂનું ભીંતચિત્ર આજે પણ છે.
તેથી પુન્યને કરાવનારી..! પાપને તોડાવનારી...! આ છે પુન્ય પાપની બારી...!
અહીં સાંઢણીના બે પગની વચમાં થઈને જે કોઈ પસાર થાય તે પુન્યશાળી મુક્તિગામી કહેવાય છે. ઘણા યાત્રિકો આની ખાત્રી કરે છે.
હવે ઉતાવળ છે. ચાલો... બધા દર્શન કરતાં જજો . હું ફક્ત મૂળનાયક ભગવાનનું નામ કહેતો જઇશ... તમારે ‘નમો જિરાણ” કહેવાનું.
જિનાલયોની શ્રેણિ હવે ડાબી બાજુની લાઇનમાં આવેલા (૧) વિમલનાથ, (૨) અજીતનાથ, (૩) સહસ્ત્રફણા પાર્શ્વનાથ, (૪) નલિન મનોહર દેરી, (૫) ધર્મનાથ, (૬) ચંદ્રપ્રભસ્વામી, (૭) પાર્શ્વનાથ, (૮) સુમતિનાથ, (૯) શાંતિનાથ, (૧૦) સહસ્ત્રફણા પાર્શ્વનાથ અને (૧૧) કુમારપાળ રાજાએ બનાવેલા દેરાસરમાં પણ ‘નમો જિણાણું' કહીને વંદના કરીએ. વળી જમણી બાજુની લાઈનમાં રહેલા (1) ચંદ્રપ્રભસ્વામી, (૨) સંભવનાથ, (૩) પાર્શ્વનાથ, (૪) ચંદ્રપ્રભસ્વામી, (૫) સંભવનાથ, (૬) અજિતનાથ, (૭) પાર્શ્વનાથ, (૮) ઋષભદેવ, (૯) ધર્મનાથ, (૧૦) મહાવીર સ્વામી, (૧૧) સો થાંભલાવાળા ચૌમુખજીનું દેરાસર સં. ૧૯૮૬માં જોધપુરવાળા મનોતમલ્લ જયમલ્લજીએ કરાવ્યું. (૧૨) કપડવંજવાળાના ઋષભદેવ અને (૧૩) પદ્મપ્રભુસ્વામીના જિનાલયમાં દર્શન-વંદન કરીએ. ‘નમો જિણાણું.” અચલગચ્છીય સુથરીના શ્રાવકનું જિનાલય અને કલ્યાણસાગરસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત શાંતિનાથનું જિનાલય પણ છે.
ગુિરુવંદના આગળ જતાં જમણી બાજુ સાવ રસ્તા ઉપર ગુરુ મૂર્તિની દેરી આવી. તેમાં શત્રુંજય ગિરિરાજના અદ્ભૂત મહિમાને વર્ણવતા, શ્રી શત્રુંજય માહાભ્ય ગ્રંથના રચયિતા શ્રી ધનેશ્વરસૂરિજીની ગુરુમૂર્તિ છે. ગુરુના ચરણકમળમાં ‘મર્થીએણ વંદામિ કહીને તેમને વંદના કરીએ. ગુરુમૂર્તિનું આ શિલ્પ દર્શનીય છે.
વીર વિક્રમશીનો પાળીયો ઃ હવે આગળ વધી રહ્યા છીએ. સામે જમણી બાજુ ફૂલવાળાની નજીકમાં કુમારપાળના મંદિરની સામે, લીંબડાની ડાળ નીચે વીર વિક્રમશીની પરાક્રમગાથાની સ્મૃતિ કરાવતો વિક્રમશીનો પાળીયો દેખાય છે. જે વિક્રમશીની કથાને યાદ કરાવે છે.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૯૬