SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રોણે પૂછ્યું : “તારા વિદ્યાગુરુ કોણ છે ?' એકલવ્ય કહ્યું : “મારા ગુરુ પ્રસન્ન એવા દ્રોણાચાર્ય છે.” “એ દ્રોણ ક્યા ?” એમ દ્રોણાચાર્ય મનમાં ચિંતવવા લાગ્યા. તે સમયે એ ધનુર્ધારી એકલવ્ય પૂર્વ વૃત્તાંત કહી દ્રોણાચાર્યની મૃત્તિકામય મૂર્તિ બતાવી. ત્યાં પોતાની પ્રતિમાને જોઇને “આ અર્જુનથી શ્રેષ્ઠ ન થાઓ' એવું ધારી, દ્રોણે ગુરુદક્ષિણામાં તેનો જમણો અંગૂઠો માંગી લીધો. એકલવ્ય હર્ષથી પોતાનો તે અંગૂઠો કાપી આપીને ભક્તિથી ગુરુને નમસ્કાર કર્યો. પછી તેણે નિઃશંક થઇને અંગુલી વડે ધનુર્વેદનો અભ્યાસ કરવા માંડ્યો. અમુગ્ધ બુદ્ધિવાળા દ્રોણે અર્જુનને રાધાવેધ અને ભીમ તથા દુર્યોધનને ગદાયુદ્ધ શીખવ્યું. નકુલ, સહદેવ અને યુધિષ્ઠિર અસ્ત્રવિદ્યામાં નિપુણ થયા અને અશ્વત્થામા પોતાના તેજથી કર્ણ અને અર્જુન જેવો થયો. • પાંડવો તેમજ કૌરવોને પરસ્પર ઇષ્યભાવ : કોઇક સમયે દ્રોણાચાર્યની આજ્ઞાથી ભીખે પુત્રોની યુદ્ધકળા જોવા માટે માંચાની રચના કરાવી. તેમાં ધૃતરાષ્ટ્ર, દ્રોણ અને ભીષ્મ વગેરે આવીને બેઠા. પછી ધર્મકુમાર યુધિષ્ઠિર વગેરે સર્વ અસ્ત્રધારી કુમારો ત્યાં આવ્યા. સર્વ શસ્ત્રોમાં ચતુર અને રણરંગવાળા તેઓએ પોતાનો અભ્યાસ બતાવી લોકોને વિસ્મય પમાડ્યો. એ અવસર પામીને પરસ્પર વિરોધ કરતા ભીમ અને દુર્યોધનને દ્રોણના કહેવાથી અશ્વત્થામાએ અટકાવ્યા. પછી દ્રોણગુરુએ દષ્ટિથી પ્રેરેલો મહાવીર અર્જુન ભુજાસ્ફોટ વડે આકાશને ગજાવતો અને માંચડાઓની ભીંતોને ફાડતો ઊભો થયો. અર્જુને બાણો એવી રીતે છોડ્યા કે જેથી સૂર્યના રથના અશ્વો પણ ત્રાસ પામ્યા અને આકાશ ગ્રહ વગરનું શૂન્ય થઈ ગયું. પછી અર્જુને કરેલો રાધાવેધ અને વૃક્ષના પત્રની મધ્યમાં કરેલ ચિત્રલેખન જોઇ સર્વ રાજાઓ પ્રશંસા કરતા હર્ષથી મસ્તક ધુણાવવા લાગ્યા. અર્જુનની આવી પ્રશંસા સહન ન થવાથી દુર્યોધને ભૂસંજ્ઞા વડે કર્ણને ઊભા થવા સૂચવ્યું. એટલે તે કોપસહિત ગાઢ મેઘની જેમ ગર્જના કરતો માંચા ઉપરથી ઊભો થયો અને પછી ધનુષ્યને ધ્રુજાવતા અને અત્યંત ભુજાસ્ફોટ કરતા કણે પોતાની ધનુર્વિદ્યામાં હસ્તલાઘવતા મંડપમાં મળેલા રાજાઓને બતાવી. તેના આવા શીદ્યવેધીપણાથી સંતુષ્ટ થયેલા દુર્યોધને અર્જુનના વૈરી તે કર્ણને ચંપાનગરી આપી. તેવામાં ત્યાં સૂત સારથી આવ્યો. કણે પિતૃભક્તિથી તેને નમસ્કાર કર્યો. તે રાજાની પાસે આવીને બેઠા. તે વખતે બળવાન ભીમ સહિત ક્રોધ પામેલા અર્જુને દુર્યોધનને કહ્યું કે, “આ હીન આચારવાળા કર્ણને તે ચંપાનગરી કેમ આપી ? હે કુલાધમ ! હું તારો તે અન્યાય શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૨૯
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy