________________
વસુદેવ વિના બધા દશાહએ દીક્ષા લીધી. મહાનેમિ તથા રથનેમિ વગેરે યદુપુત્રો પણ દીક્ષા લઇ તીવ્ર તપ કરવા લાગ્યા. • થાવસ્યા પુત્રની દીક્ષા :
દ્વારિકા નગરીમાં સ્થાપત્યા (થાવસ્યા) નામે સાર્થવાહી રહેતી હતી. તેનો પુત્ર સ્થાપત્યા સૂનુ (થાવસ્ત્રાપુત્રો હતો. તે પુત્રે બત્રીશ પ્રિયાઓની સાથે પાણિગ્રહણ કર્યું હતું અને સ્ત્રીઓની સાથે વિવિધ પ્રકારના સુખો ભોગવતાં તેણે ઘણા દિવસો સુખપૂર્વક વ્યતીત કર્યા. એક વખત શ્રી નેમિનાથ પ્રભુની દેશના સાંભળીને તે થાવસ્ત્રાપુત્ર ક્ષણવારમાં વિષયસુખથી વિમુખ થઇ ગયા અને પોતાની માતા પાસે આવીને વિવિધ આગ્રહથી દીક્ષા સ્વીકારવા માટે અનુજ્ઞા આપવા પ્રાર્થના કરી. એટલે મુક્તાફલથી ભરેલો થાલ લઈ માતાએ કૃષ્ણ પાસે આવીને પોતાના પુત્રનો દીક્ષા લેવાનો આગ્રહ જણાવ્યો. કૃષ્ણ તેની સાથે આવીને થાવચ્ચપુત્રને સંસારની તૃષ્ણા વધે તેવા વચનો કહ્યા. પણ અતિવિરક્ત હોવાથી તે થાવસ્ત્રાપુત્ર પોતાની ભાવનામાં મક્કમ રહ્યા અને કૃષ્ણનું વચન માન્ય કર્યું નથી. તેથી હર્ષ પામીને કૃષ્ણ તે સ્થાપત્યા પુત્રની સાથે દીક્ષા લેવાની ઇચ્છાવાળા જે આત્માઓ હોય તેઓને જાણ કરવા માટે પોતાની નગરીમાં આઘોષણા કરાવી, તેથી વ્રત લેવાની ઇચ્છાવાળા એક હજાર પુરુષો ત્યાં એકઠા થયા. કૃષ્ણ તે સર્વનો થાવસ્ત્રાપુત્રની સાથે દીક્ષા મહોત્સવ
ક્ય. થાવસ્ત્રાપુત્ર મુનિ તે સર્વમુનિઓની સાથે શ્રુતજ્ઞાનધારી થયા. જીવાજીવાદિ તત્વને જાણનારા તે થાવસ્ત્રાપુત્ર મુનિને પ્રભુએ સૂરિપદે સ્થાપિત કર્યા. ત્યારબાદ તે હજાર મુનિઓની સાથે તેઓ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. • થાવાપુત્ર, શુકપરિવ્રાજક, શૈલકસૂરિ આદિનું સિદ્ધિગમન :
થાવસ્ત્રાપુત્ર આચાર્ય વિહાર કરતા કરતા એક વખત શૈલક નામના નગરમાં પધાર્યા. ત્યાં શૈલક નામના રાજાને તેમણે પ્રતિબોધ આપીને અણુવ્રતધારી કર્યો. ત્યાંથી વિહાર કરી એ આચાર્ય મહારાજ સૌગંધિકપુરીનાં ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં એક સુદર્શન નામના તાપસભક્ત તે પ્રસિદ્ધ આચાર્ય મહારાજને નમસ્કાર કર્યા. તે શેઠે તેમની પાસેથી જીવદયામય ધર્મ સાંભળીને આગ્રહપૂર્વક ગ્રહણ કર્યો. “ચિંતામણિ રત્નને કોણ ન ઇચ્છે ?'
સુદર્શનનો પૂર્વનો ગુરુ શુક નામે એક સંન્યાસી હતો, તે એક હજાર શિષ્ય સાથે દેશાંતરમાંથી ફરતો ફરતો તે નગરમાં આવ્યો. ત્યાં સુદર્શન શેઠને જુદી રીતનો થઈ ગયેલો જોઈ તેણે કહ્યું, “હે શિષ્ય ! કયા પાંખડી ગુરુ પાસેથી તે આ ધર્મ સ્વીકાર્યો?” તે બોલ્યો, “સ્થાપત્યાસૂનુ (થાવસ્ત્રાપુત્ર) મારા ગુરુ છે. તેથી પોતાના
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૦૫