________________
ગાથા-૧૬૮
ગાથા-૧૬૮
अथ रागाद्यसङ्कीर्णभावसम्भवं दर्शयति
पक्के फलम्हि पडिए जह ण फलं बज्झए पुणो विंटे ।
-
૨૮૧
जीवस्स कम्मभावे पडिए ण पुणोदयमुवेदि । । १६८ ।। पक्के फले पतिते यथा न फलं बध्यते पुनर्वृन्तैः ।
जीवस्य कर्मभावे पतिते न पुनरुदयमुपैति । । १६८ ।।
यथा खलु पक्कं फलं वृन्तात्सकृद्धिश्लिष्टं सत् न पुनर्वृन्तसम्बन्धमुपैति तथा कर्मोदयजो भावो जीवभावात्सकृद्धिश्लिष्टः सन् न पुनर्जीवभावमुपैति । एवं ज्ञानमयो रागद्यसङ्कीर्णो भावः सम्भवति।
હવે રાગાદિ સાથે નહિ મળેલા ભાવની ઉત્પત્તિ બતાવે છે :
ફળ પક્વ ખરતાં, વૃંત સહ સંબંધ ફરી પામે નહીં,
ત્યમ કર્મભાવ ખર્ચે, ફરી જીવમાં ઉદય પામે નહીં. ૧૬૮.
ગાથાર્થ :– [યથા] જેમ પવ ] પાકું ફળ પતિ] ખરી પડતાં [પુનઃ] ફરીને [i] ફળ [વૃન્તઃ] ડીંટા સાથે [ ન વધ્યતૅતુ જોડાતું નથી, તેમ [નીવવા જીવને [ર્મમા] કર્મભાવ પતિ] ખરી જતાં (અર્થાત્ છૂટો થતાં) [પુનઃ] ફરીને [પ્રયત્ ન ઉત્પત્તિ] ઉત્પન્ન થતો નથી (અર્થાત્ જીવ સાથે જોડાતો નથી).
ટીકા :– જેમ પાકું ફળ ડીંટાથી એકવાર છૂટું પડ્યું થકું ફરીને ડીંટા સાથે સંબંધ પામતું નથી, તેમ કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ જીવભાવથી એકવાર છૂટો પડ્યો થકો ફરીને જીવભાવને પામતો નથી. આ રીતે જ્ઞાનમય એવો, રાગાદિક સાથે નહિ મળેલો ભાવ ઉત્પન્ન થાય છે.
ભાવાર્થ :– જો જ્ઞાન એકવાર (અપ્રતિપાતી ભાવે) રાગાદિકથી જુદું પરિણમે તો ફરીને તે કદી રાગાદિક સાથે ભેળસેળ થઈ જતું નથી. આ રીતે ઉત્પન્ન થયેલો, રાગાદિક સાથે નહિ મળેલો જ્ઞાનમય ભાવ સદાકાળ રહે છે. પછી જીવ અસ્થિરતારૂપે રાગાદિકમાં જોડાય તે નિશ્ચયદૃષ્ટિમાં જોડાણ છે જ નહિ અને તેને જે અલ્પ બંધ થાય તે પણ નિશ્ચયદૃષ્ટિમાં