Book Title: Samaysara Siddhi 6
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 571
________________ પપ૩ શ્લોક-૧૨૯ હોય છે. પૂર્ણ ન હોય ત્યાં એ ભાવ આવે પણ છે એ બંધનું કારણ. અહીં તો શુદ્ધ આત્મતત્ત્વનો અનુભવ થાય છે અને તે શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ. આહાહા..! થાય છે. તમે વિજ્ઞાનતઃ હવ) “ભેદવિજ્ઞાનથી જ થાય છે. એમ કીધું. (મેવવિજ્ઞાનત: પવ) એમ છે ને ? “વ' છે ને વ’ ? (મેવવિજ્ઞાનતઃ વ) નિશ્ચય પડ્યો છે. તમે વિજ્ઞાનતઃ 4) જેને આત્માની અનુભવની પ્રાપ્તિ થાય એને ભેદવિજ્ઞાનથી જ થાય. રાગની સહાયથી કે પુણ્ય-પાપ, દયા, દાનની સહાયથી થાય એમ નથી. આહા..હા...! હવે આવું હોય તો ખળભળાટ થાય કે નહિ ? તમારા પેલા કપિલ કોટડિયાને ખળભળાટ(થઈ ગયો). બધાને ક્રિયાકાંડમાં ધર્મ મનાવવો છે એટલે ખળભળાટ. ખળભળાટ થઈ ગયો. એ અનાદિનું છે, ઈ કંઈ નવું નથી, બાપુ ! આહાહા...! અહીં તો ઈ કીધું, તે શુદ્ધ આત્મતત્ત્વનો અનુભવ “ભેદવિજ્ઞાનથી જ થાય છે. બીજો કોઈ ઉપાય જ નથી, બીજી કોઈ એની વિધિ નથી, બીજી કોઈ એની રીત નથી. આહા...હા...! આચાર્યોએ તો સૂર્યની જેમ ચોખ્ખી વાત મૂકી દીધી. દુનિયાને બેસે કે ન બેસે. માણસને બેસે (કે) ન બેસે. આહા...હા.! વાત તો જુઓ ! “સર્પદ્યતે' તે શુદ્ધાત્માનો અનુભવ (મેવિજ્ઞાનતઃ પવ) આહાહા..! ગજબ વાત છે ! પહેલેથી શરૂઆત તે ઠેઠ (સુધી) પરથી જુદું સ્વના અનુભવથી જ ધર્મ – સંવર થાય છે. આ..હા...! જેટલો પરથી ભેદ કરીને અભેદમાં આવે એટલો ધર્મ. આગળ હજી ભેદ રહી જાય એનાથી પછી જુદો પડે એટલો ધર્મ. એ જેટલો રહે એટલો આસ્રવ. આહા..હા..! (મેવિજ્ઞાન: વ) છે ને એમાં શબ્દ ? ( મેવિજ્ઞાન: વ) મૂળ શ્લોક(ની) ત્રીજી લીટી છે. ભેદવિજ્ઞાન જ. આહા..હા..! આ “જ’માં તો એકાંત થઈ જાય. ભગવાનનો માર્ગ અનેકાંત છે. એકાંત છે એટલે ભેદવિજ્ઞાનથી થાય અને અભેદથી ન થાય એનું નામ અનેકાંત છે. આહા..હા...! લોકો કહે, ભગવાનનો માર્ગ તો “જ” એકાંત હોય નહિ. અહીં પૂરો એકાંત કીધો. ભેદવિજ્ઞાનથી જ મુક્તિ થાય, એકાંત છે. સમ્યફ એકાંત, નિશ્ચયનય (છે). આહાહા..! હવે આ બધા થોથા કરીને બેસે. સામાયિક કર્યા, પોસા કર્યા, પડિકસ્મણા કર્યા, એ બધા) થોથા કર્યા. એ તો મિથ્યાત્વના પોષક છે. આહા...હા...! નાનામાં નાની રાગની ક્રિયા કે કંપનની ક્રિયા થાય) એની એકતાબુદ્ધિ તે મિથ્યાત્વ છે. અને નાનામાં નાનું પહેલું ભેદજ્ઞાન એ કંપન અને રાગથી ભિન્ન પડેલું ભેદવિજ્ઞાન મુક્તિનું કારણ છે. આહાહા...! એમાં છે કે નહિ ? આહા..હા...! કેવો શ્લોક મૂક્યો છે ! “સમ્પ્રદ્યતે સંવર સાક્ષાછુદ્ધાત્મતત્ત્વરી વિનોપનમા/ જ મે વિજ્ઞાન પ્રવ તરમા’ એમ પાછું. આહાહા...! સાક્ષાત સંવરની – ધર્મની પ્રાપ્તિ થાય) એ શુદ્ધ આત્મતત્ત્વના અનુભવથી (થાય) અને તે શુદ્ધ આત્મતત્ત્વનો અનુભવ ભેદજ્ઞાનથી થાય છે. આહાહા...! ભેદવિજ્ઞાનથી સંવર થાય છે અને આત્માના સ્વભાવની અભેદતાથી સંવર થાય છે. પરથી ભિન્નતા થઈ

Loading...

Page Navigation
1 ... 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599