Book Title: Samaysara Siddhi 6
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 554
________________ પ૩૬ સમયસાર સિદ્ધિ-૬ આસવભાવ કર્મનું કારણ છે;” લ્યો ! જે કંઈ આસવભાવ છે એ નવા કર્મનું કારણ છે. આહા..હા..! કર્મ નોકર્મનું કારણ છે. કર્મ છે એ શરીર પ્રાપ્ત થાય તેનું કારણ છે. આહા..! ક્રમ મૂક્યો ક્રમ. આહાહા...! આ તો ભઈ, શાંતિથી, ધીરજથી વિચારે ને મનન કરે ત્યારે સમજાય એવી વાત છે. આ.હા...! આ તો અધ્યાત્મભાષા (છે), દિગંબર સંતોની ઊંડાણની (વાતો છે). આહા...! રાગ-દ્વેષ અને મોહ જેનું મૂળ છે એવા શુભાશુભ યોગ એમ કીધું હતું. આહાહા... અને એ શુભાશુભ યોગની એકત્વબુદ્ધિ મિથ્યાત્વ છે. આ..હા...હા.! અહીં એ જ કહ્યું, બીજી રીતે કહ્યું કે, “આત્મા અને કર્મના એકપણાનો અધ્યાસ....” શુભાશુભ ભાવનું મૂળ રાગ-દ્વેષ-મોહ છે એમાં એકત્વબુદ્ધિ હતી. આહા..હા...! ધીરાનું કામ છે. વીતરાગનો ધર્મ અલૌકિક છે. આહા..હા...! લોકો તો બહારથી માની બેઠા એટલે આ લોકોને રુચે નહિ. લાખ, બે લાખ ખર્ચે, જાત્રા કાઢે, રથ-ગજરથ કાઢે, લાખો માણસ ભેગા થાય એટલે જાણે ધર્મ થઈ ગયો. ધર્મ એમાં નથી, એ રીતે ધર્મ નથી. અહીં તો કર્મ રોકે, ઈ આસ્રવભાવના કારણને રોકે તો કર્મનું કારણ છે તો કર્મ ન થાય. આસવભાવ સેવે છે તો એ કર્મનું કારણ છે. આસવભાવ સેવે છે એ ન સેવે તો એને કર્મબંધન ન થાય, એમ કહ્યું છે. શુભ-અશુભ ભાવ બેય આસ્રવના કારણ છે અને ઈ કર્મના કારણ છે. એનાથી કર્મ બંધાય છે. છે કે નહિ એમાં ? આ.હા..! કર્મ નોકર્મનું કારણ છે;” કર્મ છે એ શરીરનું કારણ છે. કર્મથી શરીર મળશે. નોકર્મ સંસારનું કારણ છે. શરીર એ સંસારનું કારણ છે. જોયું ? નિમિત્ત-નિમિત્ત સંબંધ લીધો. નહિતર સંસારનું મૂળ કારણ મિથ્યાત્વ છે. આ..હા...! પણ અહીં તો કર્મમાં એને ઉપાડીને નિમિત્ત-નિમિત્ત સંબધ બતાડવો છે. નોકર્મ એટલે શરીર સંસારનું કારણ છે. “માટે સદાય આ આત્મા, આત્મા ને કર્મના એકપણાના અધ્યસાથી...” જોયું ? “આત્મા ને કર્મના એકપણાના અધ્યાસથી મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિયોગમય આત્માને માને છે.” જોયું ? આ.હા...! મિથ્યાત્વને, અજ્ઞાનને, અવિરતિને અને કષાયને, શુભાદિ જોગને એકપણાના અભ્યાસથી આત્માને માને છે. આહાહા...! એ આત્મા નથી, શુભજોગ એ આત્મા નથી, છતાં એ આત્માના છે એમ માને છે એ મિશ્રાદષ્ટિ છે. આહા..હા...! આસવભાવ કર્મનું કારણ, કર્મ નોકર્મનું કારણ. જુઓ ! અહીં એકબીજાના નિમિત્ત કારણ આપ્યા, હોં ! નિમિત્તકારણ. “અને નોકર્મ સંસારનું કારણ...” શરીર છે, આ પાંચ ઇન્દ્રિયોનો વિષય સેવશે અને એને કારણે સંસાર છે. આહા..હા..! “માટે – સદાય આ આત્મા, આત્મા ને કર્મના એકપણાના અધ્યાસથી. આત્મા અને કર્મના એકપણાની) બુદ્ધિના અધ્યવસાયથી મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિયોગમય આત્માને માને છે. અનાદિથી સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છે અને એ જાણતો નથી. આત્મા તો જ્ઞાતા-દૃષ્ટા આનંદકંદ પ્રભુ છે. એકલો

Loading...

Page Navigation
1 ... 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599