________________
ગાથા૧૮૪ થી ૧૮૫
૪૯૯ ગાથાર્થ - (થા) જેમ (નમ સુવર્ણ (નિતમ્ ) અગ્નિથી તપ્ત થયું થકું પણ હવે તેના નવમાd) સુવર્ણપણાને ન પરિત્યનતિ) છોડતું નથી તેથી તેમ (જ્ઞાન) જ્ઞાની (વયતતઃ 10 કર્મના ઉદયથી તપ્ત થયો થકો પણ (જ્ઞાનિત્વમ) જ્ઞાનીપણાને ન નફાતિ) છોડતો નથી. – (4) આવું (જ્ઞાન) જ્ઞાની (નાનાતિ) જાણે છે, અને જ્ઞાન અજ્ઞાની (જ્ઞાનતમોડવછન્નર) અજ્ઞાન-અંધકારથી આચ્છાદિત હોવાથી (શાત્મસ્વમાવ) આત્માના સ્વભાવને (ઝનીન) નહિ જાણતો થકો (... 4) રાગને જ (માત્માન) આત્મા (મનુ માને છે.
ટીકા :– જેને ઉપર કહ્યું તેવું ભેદવિજ્ઞાન છે તે જ તેના ભેદવિજ્ઞાનના) સભાવથી જ્ઞાની થયો થકો આ પ્રમાણે જાણે છે – જેમ પ્રચંડ અગ્નિ વડે તપ્ત થયું થકું પણ સુવર્ણ સુવર્ણત્વ છોડતું નથી તેમ પ્રચંડ કર્મોદય વડે ઘેરાયું થકું પણ (અર્થાત્ વિધ્ધ કરવામાં આવતાં છતાં પણ) જ્ઞાન જ્ઞાનત્વ છોડતું નથી, કેમ કે હજાર કારણો ભેગાં થવા છતાં સ્વભાવને છોડવો અશક્ય છે; કારણ કે તેને છોડતાં સ્વભાવમાત્ર વસ્તુનો જ ઉચ્છેદ થાય, અને વસ્તુનો ઉચ્છેદ તો થતો નથી કારણ કે સન્ના નાશનો અસંભવ છે. આવું જાણતો થકો જ્ઞાની કર્મથી આક્રાંત (ઘેરાયેલો, આક્રમણ પામેલો) હોવા છતાં પણ રાગી થતો નથી, દ્વેષી થતો નથી, મોહી થતો નથી, પરંતુ શુદ્ધ આત્માને જ અનુભવે છે. અને જેને ઉપર કહ્યું તેવું ભેદવિજ્ઞાન નથી તે તેના અભાવથી અજ્ઞાની થયો થકો, અજ્ઞાન-અંધકાર વડે આચ્છાદિત હોવાથી ચૈતન્યચમત્કારમાત્ર આત્મસ્વભાવને નહિ જાણતો થકો, રાગને જ આત્મા માનતો થકો, રાગી થાય છે, દ્વેષી થાય છે, મોહી થાય છે, પરંતુ શુદ્ધ આત્માને બિલકુલ અનુભવતો નથી. માટે એમ સિદ્ધ થયું કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (અનુભવ) થાય
ભાવાર્થ – જેને ભેદવિજ્ઞાન થયું છે તે આત્મા જાણે છે કે “આત્મા કદી જ્ઞાનસ્વભાવથી છૂટતો નથી. આવું જાણતો હોવાથી તે, કર્મના ઉદય વડે તપ્ત થયો થકો પણ, રાગી, દ્વેષી, મોહી થતો નથી પરંતુ નિરંતર શુદ્ધ આત્માને અનુભવે છે. જેને ભેદવિજ્ઞાન નથી તે આત્મા, આત્માના જ્ઞાનસ્વભાવને નહિ જાણતો થકો, રાગને જ આત્મા માને છે તેથી તે રાગી, દ્વેષી, મોહી થાય છે પરંતુ કદી શુદ્ધ આત્માને અનુભવતો નથી. માટે એ નક્કી થયું કે ભેદવિજ્ઞાનથી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થાય છે.