________________
૪૧
કળશ-૧૫૨ મને છૂટો કરો. ત્રણમાં મારે ભાગે જે આવતું હોય એ મારે ભાગે આવે એનો ચોથો ભાગ મને આપો, પણ મને દુકાનથી છૂટો કરો. આહા...હા...!
બાપુ ! તારે ક્યાં જાવું છે ? કોનું કરવું છે ? એને માટે નિવૃત્તિ તો લેવી પડશે ને એણે ? આ..હા...હા..કારણ કે પોતાનું સ્વરૂ૫) પરથી નિવૃત્ત સ્વરૂપ જ છે. આહાહા...! વિશેષ કહેશે, લ્યો !
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
કારતક વદ ૬, ગુરુવાર તા. ૦૧-૧૨-૧૯૭૭.
કળશ-૧પપ પ્રવચન–૧૬૪
“કળશટીકા ૧૫૫ (કળશ). નીચે છે. ધર્મીને આ લોક અને પરલોકનો ભય ન હોય. ધર્મી એને કહીએ કે જેણે આત્મા આનંદ અને જ્ઞાનસ્વરૂપ છે એમ જાણ્ય), અનંત શક્તિવાળો અને એક એક શક્તિ અનંત સ્વભાવવાળી ! એવી અનંત શક્તિનું પૂર એકરૂપ દ્રવ્ય જે વસ્તુ (છે) એનો અનુભવ કર્યો. એને રાગથી ભિન્ન પાડી અને સ્વભાવનો અનુભવ કરવો, સ્વભાવની દૃષ્ટિ કરવી, સ્વભાવની સન્મુખ થવું એનું નામ સમ્યક્દૃષ્ટિ – ધર્મી છે. આહા...હા...! આવી વ્યાખ્યા છે.
એ ધર્મીને આ રીતે જ્યારે પોતાનું સ્વરૂપ આનંદ અને જ્ઞાન છે એ જ્યાં ભાનમાં આવ્યું, અનાદિથી તો એ પુણ્ય-પાપ અને પુણ્ય-પાપના ફળને પોતાના માનતો નહતો) એ તો અજ્ઞાની છે. એને પોતાની શક્તિવાળું તત્ત્વ છે. એની એને ખબર નથી. એથી સ્વરૂપ જે ત્રિકાળી છે એને ભૂલી અને વર્તમાન પર્યાય – અવસ્થા અને રાગ-દ્વેષ (થાય છે) એને પોતાનું માનતો નહતો), એ જીવ મિથ્યાદષ્ટિ અજ્ઞાની છે. આહાહા...! ચાહે તો સાધુ થયો હોય, બાહ્યથી ત્યાગ કર્યો હોય, પણ અંતરમાં જેને રાગના – દયા, દાન, વ્રતના પરિણામ (થાય છે) એની સાથે એકતાબુદ્ધિ (વર્તે છે) એને ભિન્ન વસ્તુની ખબર નથી. એને આત્મધર્મ કેમ થાય ? એની એને ખબર નથી, એ અજ્ઞાની છે. અને ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં જેણે આત્મા – વસ્તુ અનંત શક્તિ સંપન્ન છે) અને એક એક શક્તિ અનંત પ્રભુતાના સામર્થ્યવાળી (છે) એવી અનંતી શક્તિઓનું સામર્થ્ય એકરૂપ આત્મા (છે) એનું જેને ભાન, વેદન – અનુભવ, જ્ઞાન થયું છે તેને સમ્યફદૃષ્ટિ – ધર્મની પહેલી શ્રેણી કહેવામાં આવે છે. આવી વાતું છે !
એ જીવને “ઇહલોક પરલોક પર્યાયરૂપ તે જીવનું સ્વરૂપ નથી;.” નીચે આવ્યું છે ને ? આ લોકનું આ શરીર અને પરલોકમાં શરીર મળે એ કંઈ જીવનું સ્વરૂપ નથી. એથી જીવના સ્વરૂપના અસ્તિત્વની હયાતીના ભાનવાળો જીવ શરીર અને પરગતિનો એને ભય હોતો