________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ભાગે લઈ ધાવડીના રસમાં ઘૂંટી મધ સાથે બે વાલ આપવાથી પ્રમેહ મટે છે, તેમજ ઝાડો ઘણું મટે છે.
૪. બદમ (બદ) કળીચૂને તથા સંચેરો એકેક ટાંક મિશ્ર કરી પાટે બાંધે તે બદ ગળી જઈ પાણી થઈ જાય છે.
૫. સાડીને વાટી ગાંઠ પર બાંધવાથી બદ ઓગળી જાય છે.
૬. નળિયાને શેક કરે તથા કુંવારનાં લાબાં બાંધવાં જેથી ગાંઠ ઓગળી જાય છે.
૭. ઊનવા માટે–વેવડીને રસ સાકર નાખી પીવાથી ઊનવા મટી જાય છે. અથવા ગળજીભીને રસ સાકર નાખી પીવાથી ઊનવા મટે છે.
૪૧-વૈદ્ય પ્રાણલાલ દોલતરામ-કપડવણજ ૧. પ્રથમ દાહ થતો હોય તે વખતે ત્રિફળાના કવાથમાં શુદ્ધ ચંદનનું તેલ ટીપાં ૪૦ નાખી બે વખત પીવા આપવું. જેથી દાહ શાંત થાય છે. પછી ચંદ્રપ્રભા આપવાથી પ્રમેહ મટે છે.
૨. સુવર્ણ માક્ષિક ભસ્મ એક ભાગ, ગળોસત્વ એ ભાગ, ખેરીગુદ આઠ ભાગ અને સાકર અગિયાર ભાગ, મિશ્ર કરી રોજ બે વખત ૦ ૦ તેલ આપવાથી પ્રમેહ મટે છે. ૩. વસંતકુસુમાકર રસથી પણ પ્રમેહ મટે છે.
કર-વૈદ્ય છગનલાલ આત્મારામ-સુરત પ્રમેહાવટીઃ-ચિનીકબાલા તાલે ૧, મોટી એલચીના દાણું તેલ ૧, સોનાગેરુ તોલા ૨, એનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી તેમાં સુખડનું તેલ તેલા ૨ મેળવી વાટી તેમાં સમાય તેટલું મધ મેળવી વટાણા જેવડી ગળી વાળી, દિવસમાં ત્રણ વખત પાણી સાથે એક એક ગેબી આપવાથી પ્રમેહ મટે છે.
For Private and Personal Use Only