Book Title: Aayurved Nibandhmala Part 02
Author(s): Tilakchand Tarachand Vaidya
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 405
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ર શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે છેડાં સાફ કરી જે બીજ નીકળે તેને એક થાળીમાં ભરી બે દિવસ સૂરજના તાપમાં રાખવાં જેથી તેમાં હવા હશે તે ઊડી જશે. ત્યાર બાદ તે બીજને એક મજબૂત બૂચવાળી શીશીમાં ભરી રાખવાં. ૧૪. જાયફળનું તેલઃ-જાયફળનું ચૂર્ણ તલા ૫ અને તલનું તેલ તેલા ૪૦ એ બેઉને એક લોખંડના વાસણમાં નાખી સારી પેઠે ગરમ કરી ઉકાળવું. બરાબર ગરમ થાય ત્યારે નીચે ઉતારી ગાળી બાટલીમાં ભરી રાખવું. ૧૫. પ્રદરારિ ચૂર્ણ એરંડના સૂકા લાકડાની વાની(રાખ) તથા આમળાનું ચૂર્ણ એ બન્ને સમભાગે લઈ એક કલાક સુધી, ખરલ કરી રાખી મૂકવું. * ૧૬. બાળકોને થતી આંચકી –નાના બાળકથી માંડી દશેક વર્ષનું બાળક થાય ત્યાં સુધીમાં અવારનવાર સસણીમાંથી આ દરદ ઓચિંતું હુમલો કરે છે. તેમાં બાળકનું શરીર ખેંચાય અગર તણાઈ જાય છે, આંખ ઊંચી ચડી જાય છે, મોઢે ફીણ આવે છે તથા વખતે દાંત બંધાઈ જાય છે. આ દેશમાં આંચ કીની આ સંજ્ઞા છે. મેટે ભાગે જેમાં બચ્ચાંને અવારનવાર સસણી થઈ તાવ ભરાઈ આવે છે, તેને વખતસર પૂર્ણ રીતે ઈલાજ કરવામાં ન આવે, તે તેનાં ફેફસાં મજબૂત નહિ બને ત્યાં સુધી આ દરદને હુમલો થાય છે અને તે વખતે પેશાબ બંધ થાય છે. છ માસના બચ્ચાને કુલાવેલે ટંકણખાર વાલ ૧ માતાના ધાવણ સાથે તાણ, ખેંચ નરમ પડે ત્યાં સુધી દર કલાકે આપવાથી ચમત્કારિક રીતે એક થી બે કલાકની અંદર બચું સાવધ થાય છે. જ્યારે આંચકી આવે તે જ વખતે બે ભમરની બરોબર વચ્ચે મછઠના કકડાને ગરમ કરી, હાથને સ્થિર રાખી મધ્ય ભાગે ડામ દે. મજીઠના અભાવે કેટલાક માણસે કપડાની કસથી પણ ડામ દે છે જેથી સારી અસર થાય છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418