________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
કરતાં, તે નેત્રને શોષી નાખે છે અને સાચે બેસ્યા જેવી પીડા તથા બળતરા વગેરે મોટી પીડા થાય છે, તેને હતાધિમન્થ નામને નેત્રરોગ કહે છે અને તે અસાધ્ય છે. વાયુ કમથી કઈ કેઈ વખત ભ્રકુટિમાં આવે છે અને કઈ વખતે નેત્રમાં આવે છે અને પછી ઘણી જાતની તીવ્ર પીડા ઉત્પન્ન કરે છે. આ રોગને વાતવિપર્યય કહે છે. જે આંખ ઊઘડતી નથી અને પોપચાં કઠણ તથા સૂકાં થાય છે અને તેમાં ઘણી બળતરા થાય છે તથા તે ડહોળાયેલી મલિન દેખાય છે અને તે આંખ ઉઘાડતાં અથવા ફાડતાં રેગીને ઘણું મુશ્કેલ લાગે છે, તે રોગને શુષ્કાક્ષિપાક કહે છે. ગળું, કાન, મસ્તક, હડપચી અને ગરદનની પાછળની નસોમાં કિંવા બીજી જગ્યાએ રહીને વાયુ જ્યારે ભ્રકુટિમાં કિવા નેત્રમાં તેદભેદાદિ પીડા ઉત્પન્ન કરે છે, ત્યારે તેને અન્યતેવાત કહે છે. વચ્ચે જરા આસમાની અને આસપાસ લાલ રંગનાં થયેલાં એવાં આખાં નેત્ર પાકે છે; એટલે તેમના પર પીળા રંગના ફેલ્લા ઊઠે છે. તેમાં બેડી બળતરા થઈ જે ચઢે છે અને નેત્રમાંથી પાણી ટપકડ્યા કરે છે. ઘણા ખાટા પદાથે ખાવાથી આ વ્યાધિ થાય છે માટે તેને અદૂષિત કહે છે. જે રોગીના નેત્રમાંથી રગે વેદનારહિત અથવા વેદનાયુક્ત થઈ લાલ રંગની થાય છે અને તે ઘડીએ-પળે વિશેષ લાલ થતી જાય છે, તેને શિરોત્પાત કહે છે. મૂર્ખતાથી શિરોત્પાત રેગની ઉપેક્ષા કરતાં આંખમાંથી લાલ રંગનાં સ્વચ્છ આંસુ ગળે છે અને રેગીથી નેત્ર ઉઘાડી જોવાતું નથી, તેને શિરોમહર્ષ કહે છે. હવે આંખની કાળી કીકી પર થનારા રેનાં લક્ષણે નીચે પ્રમાણે આપ્યાં છે
સત્રશુકનાં લક્ષણ-નેત્રના કાળા ભાગ પર એટલે કીકી પર જે ફૂલ પડે છે કિંવા થાય છે, તે આંખની અંદર ઊંડું બેઠેલું અને તેની અંદર સેયથી છિદ્ર પાડ્યું હોય તેવું દેખાય છે, તેને
For Private and Personal Use Only