Book Title: Aayurved Nibandhmala Part 02
Author(s): Tilakchand Tarachand Vaidya
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 397
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જ પાવાથી બંધ થાય છે. આ ગોળી નાનાં બાળક, ગર્ભિણી સ્ત્રી અને ઘરડાં માણસને આપવી નહિ. – ધીરજરામ દલપતરામ–સુરત ૧ બે આનીભાર ચિનીકબાલા ઝીણી વાટી સૂતી વખતે ધીમાં ચાટવાથી ઊડી ગયેલી ઊંઘ પાછી આવે છે. આ સિનીબાલા અંગ્રેજી સલ્ફનલ જેટલું કામ કરે છે. ૨. શેકેલી ભાંગનું ચૂર્ણ દરદીને માફક આવે તેટલું મધ અથવા ઘી સાથે ચટાડવાથી ઊંઘ આવે છે. -યતિથી રવિહંસજી દીપહં રાજી-સુરત ૧. હંમેશાં પીવાની ચા -તળશીનાં પાતરાં, કલારનાં પાતરાં, બીલીનાં પાતરાં, લજામણી ને આંબાનાં કુમળાં પાતરાં સરખે વજને લઈ શીળે સૂકવી તેને ભૂકે કરે. ચા પીનારા લેઓએ એ ભૂકાને પરદેશી ચાને ઠેકાણે વાપરવાથી ભૂખ લગાડે છે, વાયુ હઠાવે છે, લોહીને સુધારે છે ને એકદરે ત્રણે પ્રકૃતિનાં માણસોને આસાનીથી માફક આવે છે. ૨. દેશી પેઈનકિલર-લીંબુનો રસ શેર ૧, આદુને રસ શેર છે, સિંધવ તેલ ૧, હિંગ તેલો , સંચળ તેલ ૧, સાકર શેર ૧, એ બધી વસ્તુ એકત્ર કરી તેને ઉકાળતાં ત્રણ જેશ આપી, તેને ગાળી લઈ સારા બૂચની બાટલીમાં ભરી રાખવું. એ ભરેલે મસાલે ઠરી જાય એટલે યુક્તિથી ઉપરનું પાતળું પાણી નિતારી લઈ, બીજી સ્ટોપર બાટલીમાં ભરી લેવું. આ એસડ ઝાડા બંધ કરવા માટે વાપરવું હોય ત્યારે તેમાં કપૂર મેળવી વાપરવું. પેટમાં દુખા મટાડવા સારુ વાપરવું હોય તે કપૂર વિના પાવું. એનાથી અજીર્ણ તથા મરડે મટે છે, વાયુની તથા પિત્તની શાંતિ થાય છે ને ઝાડા બંધ થાય છે. ભૂખ લગાડે છે ને રુચિ ઉત્પન્ન કરે છે. • –વૈદ્ય ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી-સુરત બંધાણીને અફીણું છોડાવવા માટે –રાતી કરેણનાં મૂળ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418