Book Title: Aayurved Nibandhmala Part 02
Author(s): Tilakchand Tarachand Vaidya
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 386
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ૧૯૭૩ મદ, તજ, સુવા, વાયવડિંગ, વાકુંભા, ઇંદ્રજવ, કરમાણ અજમે, પીપર, પીપળીમૂળ, વચકાવળી, જાયફળ, જાવંત્રી, અલગ, કડુ, કરિયાતું, કોલમ, પાનની જડ, સંચળ, સિંધવ, દિકામાલી, શેકેલે કાચકે, ફણસ ફાફડે, મરડાશિંગ, એલચી, અજમે, અનીસુ, સૂઠ, સેનામકઈ, ગુલાબનાં ફૂલ, હીમજી હરડે, કેશર, ગણીનાં બીજ, અતિવિષની કળી, વરિયાળી, જેઠીમધ, હરડેદળ, કુલાવેલે ટંકણખાર, જવખાર, સુરોખાર અને કાકડાશિંગ એ રીતે ૪૧ વસાણાં સમભાગે લઈ, તેને ખાંડી કપડછાણ કરી, કુદનાના રસમાં દૂધપાક જેવું થાય એટલે રસ નાખી તેને ઘૂંટવું. ઘૂટતાં ઘૂંટતાં ગળી વાળવી અથવા અડધા અડધા તેલાની સોગઠી બનાવી તેને તડકે ખૂબ સૂકવવી. જે સૂકવવામાં કસર રહેશે તે ફૂગ વળી સડી જશે. જરૂર પડે ત્યારે તેમાંની એક ગેળી પાણીમાં વાટીને પાવી અથવા છોકરાઓને જે ઘસારો પા પડે છે તેની ખટપટ કાઢી નાખી આ સોગટીમાંથી એક રતી અથવા રતીપૂર પાણીમાં ઘસીને દરરોજ અથવા બીજે થે જ પાવામાં આવે તો ઝાડા વધારે થતા હશે અથવા બંધકેષ હશે તે નિયમસર થશે. કૃમિ, સસણી, વરાધ, વાવળી તથા તાવને મડાડી ભૂખ લગાડશે એટલે બાળકને ધાવવાની રુચિ થશે. તેમ બાળકના શરીરમાં કઈ પણ જાતની ઉપાધિ થતી અટકશે. ૩૩. હરસ મલમ વરખી હતાલ તેલા બે, પાનમાં ખાવાને ઊંચી જાતને કા તેલા બે, બારીક વાટી સે પાણીએ ધોયેલા ઘીમાં મેળવી રાખી મૂકો. એ મલમ ચોપડવાથી આગ મળતી નથી, પાકેલા મસા રુઝાઈ જાય છે અને લેહી પડતું નહિ હોય એવા મસા કરમાઈ જાય છે. ૩૪. પડકશૂરાને ઘસારે અથવા ઉકાળે કલાકે કલાકે અને થી બે તોલા સુધી પાવાથી ઝાડા તથા ઊલટીને બંધ કરે છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418