Book Title: Aayurved Nibandhmala Part 02
Author(s): Tilakchand Tarachand Vaidya
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 379
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો તે વૃક્ષના રૂપમાં થતું નથી, પણ જાળને રૂપમાં થાય છે. તેનાં પાતરાં લંબગોળ, જાડાં અને બરડ થાય છે. તેની ડાળી સાથે ઝીણા ઝીણા પણ કઠણ અને અવળા તથા ચપટા કાંટા થાય છે. તેનાં ફળ મરી જેવડાં પાંચદશના ઝૂમખાના રૂપમાં આવે છે. તે ફળ રંગે લીલાં અને સુંવાળાં થાય છે. જેઠ માસની આખરે તે પાકે છે ત્યારે કાળાં જાંબલી રંગનાં દેખાય છે. એક કંથારનું મૂળિયું ઘસીને ચોપડવાથી બદ, ગાંઠ અથવા ગોડને અંદરથી પકાવી ફિડી નાખે છે અથવા તેને વેરી નાખે છે. રસ ઉપર પડયું હોય તે રસને પિગળાવે છે. પાસાનું શળ તથા સાંધાના શૂળને મટાડે છે. બાળકને પહાડિયે રતવા થયો હોય ત્યારે તેને આ મૂળ ઘસીને પાવાથી તે મટે છે. જો કે મરીકંથાર ઘણું ગરમ છે, પણ દાહક નથી. એનાં પતરાં વાટીને લેપડી કરી વળગાડી હોય તે નાસૂરને સારાં કરે છે. ૧૪. કાળિયે સરેસ –આ સરેસના ઝાડને કઈ “કાંટી” ના નામથી ઓળખે છે. એનું મોટું વૃક્ષ થાય છે. એનું થડ કાળું અને ખરબચડું થાય છે. એનાં પાતરાં લંબચોરસ આમલીનાં પાતરાંના આકારમાં પણ એક ઈંચ લાંબાં અને અડધો ઈંચ પહેળાં થાય છે. એની શિંગ એક ઇંચ પહેળી, પાતળી અને છ થી બાર ઇંચ લાંબી થાય છે અને તે પાકીને સુકાય ત્યારે સફેદ થાય છે. આ ઝાડ માણસને માટે અતિ ઉપયોગી છે. એ ઝાડના થડમાં એક ગજને ખાડે છેદીએ એટલે પિચી રૂ જેવી છાલ આવે છે, તે પિચી છાલને લઈ, વાટી, વસ્ત્રગાળ ચૂર્ણ કરી રાખવી. કોઈને વાગ્યું હોય, માથું ફૂટયું હેય, કપાઈ ગયું હોય અને લેહી નીકળતું હોય, તે આ ચૂર્ણ દાબી દેવાથી લેહી નીકળતું બંધ થાય છે અને તે એકજ પાટે રુઝાઈ જાય છે. જે એનાં બીજનો હાર કરી નાનાં છોકરાંના ગળામાં પહેરાવીએ, તે નાના છોકરાને For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418