Book Title: Anga Agam Jain History Series 1
Author(s): Bechardas Doshi
Publisher: 108 jain Tirth Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/001311/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 'જૈન સાહિત્યનો બૃહદ ઈતિહાસ ભાગ - ૧ (6) ( , , , RE पंचम आगम वाचना वीर निर्वाण १००० - देवधिमणि दामाश्रमण "શO" G T અંગ આગન : પ્રકાશક: શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ પાલીતાણા-અમદાવાદ-મુંબઈ Page #2 -------------------------------------------------------------------------- ________________ ऊवायनातनायनाचिसश्संगमालावयायवाचायनाकसवम्यान उमाद लिपिवद्यानन्य टोबाआडवामिगअमावअनिविविनामवलियन्यवयायपिया मापिनारायणसिवनिताधामयानानामावयाचकपीवमपिनागत सातवारकागनाहानवमापाझपाधिजगात्मदिनम्नश्यकशुकासिवान वंगमानवयविषययामासारडोसmaझणयनाधानियापुरवायासन नाशिककमानाडिमानानानादरमानासयमकाम्मानिध्यवाउदव निकायगिमायानवान्मानपशिनायनामायदैनिार्थवसनानिखिवधायनाम साधारजनननुहानशानिछााण सविधानावतवाक्षिणायनादवामवबानि न्यनमनिलामपनिाकनवानादनावटीमार्यवयायधनायायनासयात्र ममयानश्मामामुपाकमनचकमानाचमानिकविमानचीमावर्यमुसमा प्रन्ययमधिगाकार्यनोगामाच्छदेनशानकलायज्ञमकैनवविकलाईऽनाम्नमाम किनमणिदीपालामकलापकाविवादायारामपाधतर्मनासविधायय नानावनामासंगावधानामाथिचिया मिनर्वसनुजधासक गावही पापदावायमगंजममवामिविधायमानलवणावमारामपिनारामकल बमाइल्यपनीवावासमासदतवामिलाम्वधिनादाधिकाधकाचनमा कसागसवामानशान्तिानाशपनियासिविधीजीवानायकायमखालण्यतमा सायनामियानाइखामादद्यानिवामासिवसुयाचीचमणानिमणिणिभयानमा मानानाडातम्यानहनादादसणार्दियोसकिणयामासकाझायासह सुवमायवाहनाचवमाकााद्यावाजिबाहदिरमामालिमारनामरणमसाराज फलडवाशमानपमानाडालायचाचालानानानटनटनटायावरकोनानकाशा केसम्मानजितानकादयनानवमान मिजामाबयामामानाबादणंसुदा मुलगाइसवाइवानोनचमहानिबद्धधीशकिमामनिमासुकवरणाविना नविदना दिमममासस्याकुमारासरवमवनाचमुसामावकमाविलवेनि या: नबगाना नस्वामिकमाझवनिक असमाजभिसामाझियामिवायएमसभिवान कलाचाचनमामिमाराश्मिमनसीरूसणारसवालिन कलकासचिम वभिनयपदिखिनासवासानिमगादाववासरोधमाश्सीजामानाला स्यकल्याणमिडियादाननेसमामायनेविससाखाजायभासदनंददायनमय मिकमेडलाउजयविशिस्वावस्वकारशारखापताविकोपश्सवमन्कादायनपान ha ucaldaia For Private Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ सुखनायबाहिनावमाकााद्याहाबिद्याहविरम जावनानाचसाधनसामालिमबाग लालनपवनानामयानानिमयविदाजमा नकगानिमालयिणानसनपझिायनशा ययागिधिमाथिकानधनयमपान उनकाअयानिनिमायबर फुलaneyवायूमानवमानाडालायचत केशसम्मान जितानकादयनामवमान नकायसवादवानीमचमहामानव नविनाविमडमनासस्याऊमाचार मिडायनियवानाधारूपमिनिमा बनवियुग्मंगायाममानिकन्या यताशिविलयन्यानuncfarmपकंपनि नस्वमासिकारुपावतिकडनमा कधाचनमामेमावाविमसनमा वसभिश्वामिनाउपवासामनिस यकवाणमिडियायममममामा मिकमेडलाउडयाशिस्वावस्व यसमपावधियावउमम॥४ मनशास्वामिताकतने नामाथाबदितनाकधालायडर नागनानिलकिनधिशा कातिनामिनशान मावयवाटयमधिया।मनिजल्याइयट साकसमासादायवीवानाकालाकार दायामामूदानापानलछानिशानापान तिमझाविवमहानारनाकछिनोटा रासायसुजातासन्महाविवाद जरामर्काकारणम्माचमइमवाद नानिमायावदमवावालिसंगासद अखनमायाद्याचदक्षिणकोसयर उटा कमदिनानामिनावरंगाणार अशावखनापश्यदणामवनामिकाशि दारवधुधोयविरमाच्या विद्यमान मामधामपिगनयमहाधिकाक्य दिसायाविनामऽसिमातवटा दिपज्ञानयानवमायापिविकाशनी काशविमर्थगयामाकमा उपयनिकलनासहिसाब यिसनाधिसास्वापाडयनिसमाव अमाधयियनका इटीनालाकणयालयादवचमी कावर्मावलावालयनवालावास शेवगनायवदिमदालीयों लालायवळगाजमापासाम ব্যাব্রিাহ্মীর্লিনারি मिमिवपनदनानारूने किंवझालाक्षिकसन्यावामामा नपाननसबंटायाभवाचन दासगारदारा For Privates Personalrespune गायनाननायनाधिराजयसँगमाता लविवधानत्यदीवाजासाभिराजदसावा Page #4 -------------------------------------------------------------------------- ________________ अधीक्षणयामासकायासह लिनापजामरणमंसारान सुखतवाद्याधामणकराडमयर प्पटाकदिनीनधार्मिचावरेबाणीय बगनानटनटनटायाचमकामानकला माकाबयामामछानाहावया किमामेलिनाक्काचराणाधिना वचनाचमुसामावकमी निवेनि एकाधिामणग्राममार 113०१६चनाकालानन:सबारमा यिमनामधिमास्वापाजियागानिसनाव उमाविकुमका बसायझियामिवधपकासचिरवानसटि गानसशालिनी अलकाकविमलंग रझुवासमेखमाश्मीजाधानतिजा मावाड्युनामदनंददासदेशमग्या वापनाकिश्तवमफादासनवानर नानामिवावाकालिनानामिय झिसमियमदनानारूने मिवझालाक्षिकसम्याचमाया नपातनखटायधोमक न्यागामानिमारहाणगी हरमा REEEE सिपमुखमघालामामायतार्थपानी सितवासबकायालयानणयामा कतामरूपायावादमाडायलिया। पडिजवानिधानणाविषिश्वासष्टालि यापिकाणावयाचश्नकाला नमयदा हवालाजानाधाता मिहायाधक ठानकोत:गिस्तार नयानिायाजाना पनिखसीदवासवर्मिमायकांदकामान समाविनामादिंडकायादववंडापि दिनानिमायासमापनासबकायम सयजमावायडयद्याविना विमानवाधिकार्यचायवाहकमि जियमजसायपमहाजनपुरा मारवाशादिलानागावाः ददायखातयामकाक्षर सुकत्यिमझतामणिमालामकि वारंवादसेनापमपनीयम पिपंचवविनानियतीकवताव का प्रवासबावादकसयासनावात्यनिधि सिधानमनपतिाकाटारमसबजकरचाका समाधवनारसुसमाविसुरवासारवास शाया लायवधानानामासयबंद आदिवाधिदयमाबाधा नरिवलसकमिवलि पातालप्रयानास्वायर कासवाचायणनामसवामयान जमाव सुनावतानधिमाधावादमा नारचलिगच्याकमायपिया उलाननववल्लानामयानामिविशवश्वमा मारशाचुरुयोजनपितागत ल कामानिमालयिानसन्नताकाध्यम नायोस्कशुकासिवानbafersध्याणिधिलाधिकानयनायवधीमrom दोसनमायाnincastinenment SYFTERIE Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ ગ્રંથશ્રેણી નં. ૧૭ જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ : ભાગ - ૧ અંગ આગમ શુભાશિષ પ. પૂ. આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ પ. પૂ. આચાર્ય શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ શ્રુતોપાસના પૂ. આચાર્ય શ્રી વિજયસોમચંદ્રસૂરિજી મહારાજ સહયોગ શ્રી નવજીવન જૈન શ્વે. મૂ. સંઘ-મુંબઇ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જિનાલય ૨૫ વર્ષ - રજતમહોત્સવના સ્મૃતિમાં વિ.સં.૨૦૬૦ ફાગણ સુદ ૨ રવિવાર પ્રકાશક શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ (શ્રી સમવસરણ મહામંદિર) પાલીતાણા-અમદાવાદ-મુંબઇ Page #6 -------------------------------------------------------------------------- ________________ सव्वे पाणा सव्वे भूता सव्वे जीवा सव्वे सत्ता ण हंतव्वा ण अज्जावेतव्वा ण परिघेत्तव्वा, ળ પતિાવેયા, ન વેયવ્યા... एस धम्मे सुद्धे णितिए सासए समेच्च लोयं खेत्तण्णेहिं पवेदिते । ? 1 (આવા સૂત્ર) કોઈ પણ પ્રાણી, કોઈ પણ જંતુ, કોઈ પણ જીવ, કોઈ પણ અસ્તિત્વધારીને મારવો ન જોઈએ, પીડવો ન જોઈએ, ગુલામ ન બનાવવો જોઈએ, સતાવવો ન જોઈએ, દુઃખી ન કરવો જોઈએ.............. આ ધર્મ શુદ્ધ છે, નિત્ય છે, શાશ્વત છે, જીવલોકને જાણીને ક્ષેત્રજ્ઞો - કેવલજ્ઞાનીઓ દ્વારા કહેવાયેલો છે. (આચારાંગસૂત્ર) Page #7 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૧ અંગ આગમ લેખક પં. બેચરદાસ દોશી અનુવાદક ડૉ. રમણીક શાહ શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ પાલીતાણા-અમદાવાદ-મુંબઇ Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય કા બૃહદ્ ઇતિહાસ’ની ગુજરાતી આવૃત્તિના માનદ સંપાદકો ડૉ. નગીન શાહ ડૉ. રમણીક શાહ પ્રકાશક : શ્રી૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ, ૧૧૦, મહાકાન્ત, વી.એસ.હોસ્પીટલ પાસે, અમદાવાદ-૬. પ્રકાશન વર્ષ : ગુજરાતી આવૃત્તિ : પ્રથમ સંસ્કરણ વિ. સં. ૨૦૬૦, ઈ.સ.૨૦૦૪ નકલ : ૨૦OO મૂલ્ય ઃ રૂા. ૨૪૦| લેસર ટાઈપ સેટીંગ : મયંક શાહ, લેસર ઈમ્પ્રેશન્સ ૨૧૫, ગોલ્ડ સૌક કોમ્પ્લેક્ષ, ઑફ સી. જી. રોડ, નવરંગપુરા, અદાવાદ-૯. મુદ્રક ઃ કે. ભીખાલાલ ભાવસાર માણિભદ્ર પ્રિન્ટર્સ ૩, વિજયહાઉસ, પાર્થ ટાવર, નવા વાડજ, અમદાવાદ-૧૩. Page #9 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ बन श्रुत नलोभऽणना छन्द्रधनुषी सप्तरंगोनी ज्ञान दुनियाभा...। सुंधर माला प्रसरावता, प्रभु वयनो मने प्रसु उपदेशोना प्रभाशभूत सप्त ग्रंथोना पावन प्रेरठ सूरिमांधव.. પ. પૂ. આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ પ. પૂ. આચાર્ય શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ श्री १०८ वन तीर्थदर्शन भवन ट्रस्ट Page #10 -------------------------------------------------------------------------- ________________ Page #11 -------------------------------------------------------------------------- ________________ 'શ્રી ભીડભંજન પાર્શ્વનાથાય નમઃ धनधोर मा उलिहाभां, साया सहारा छो तभे, निर्धन-धनि उत्तभ-अधभ सौने गारो छो तभे, भुल्ने उगारी लो, सुभाडी हो सशानां शाभां, हे भीऽभग्न पार्श्वप्रभु, रहेज सप्टा भुषस्भरशभा 'શાસન સમ્રાટુ શ્રી વિજય નેમિ-વિજ્ઞાન-સૂરસૂરિભ્યો નમઃ श्री नव वन मैन श्वे.भू.पू. संधना मांगो भिराभान श्री भीमशन पाश्र्वनाथ घाटानी ૨૫ મી સાલગિરિ રજત મહોત્સવ प्रतिष्ठान :- सं. २034, Fगा सु६ - 3, गुरुवार, ता. १/3/96 २४ महोत्सव नि :- सं. २०६०, गया सुह - 3, सोमवार, ता. २३/२/०४ Page #12 -------------------------------------------------------------------------- ________________ Page #13 -------------------------------------------------------------------------- ________________ - शलाशिष माहित्यमा मास मामिला Anan 304 NEHIFIENE HIर विधानामत भनिन५३५HIncisinnFARH "साहित्मges UMEIA"नाम १०७ मा Earnitinोह गुरा पायपास साMantra पल -१.८ ASEN Mqaat Rain engyur innu ne an भा.रमPUnc पारा साहित्यना . VER"M- 99#hinा नयियो । समना सामान interviराय ARMein Yeu mun ajal Famu पासनासापाय/Bintin ५५. Erin यन विधयाना in Hum GRAधारा ५१५ र Raut ल M• राय १२२ -शाना वि-२०FOHEN-Y394 11411412 gore Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભીડભંજન પાર્શ્વનાથાય નમઃ શ્રી ભીડભંજનપાર્શ્વનાથ જિનાલય રજત મહોત્સવ સ્મૃતિ ધન્ય ઘડી ધન્ય પળ : અમારા શ્રી સંઘનું પરમ સૌભાગ્ય છે કે અમારી શ્રી નવજીવન સોસાયટીના આંગણે જિનાલયનું નિર્માણ થયું. તેમાં ૫.પૂ. શાસનસમ્રાટ્ આચાર્ય શ્રી વિજય નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર જિનશાસનશણગાર પ.પૂ.આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા., પ.પૂ.પંન્યાસજી શ્રી જયચંદ્રવિજયજી ગણિ મ. (હાલ પૂ. આચાર્ય મ.), પૂ. મુનિ શ્રી સોમચંદ્રવિજય મ. (હાલ આચાર્ય મ.સા.) આદિની નિશ્રામાં વિ. સં. ૨૦૩પ ફાગણ સુદ ૩ ગુરુવાર તા. ૧-૩-૭૯ના ધન્ય દિવસે શ્રી ભીડભંજન પાર્શ્વનાથજી આદિ ગાદી ઉપર પ્રતિષ્ઠિત થયા. જાણે અધિષ્ઠાયક દેવ જાગૃત થયા અને શ્રી સંઘની દિનપ્રતિદિન અભિવૃદ્ધિના મંડાણ થયા. પાર્થપ્રભુની મહેર, સંઘમાં લીલાલહેર : દાદા શ્રી ભીડભંજન પાર્શ્વનાથની ભક્તિએ ભક્તોની ભીડ ભાંગી, નવજીવન સોસાયટી નવ-જીવન પામી, શ્રી સંઘે સહુના સાથસહકારથી દયાળદાદાની પૂર્ણ કૃપા, પૂજય ગુર્ભાગવતોની પ્રેરણા તેમજ જિનાલયના જીર્ણોદ્ધાર-નિર્માણમાં રાહયોગ, આયંબિલશાળા નિર્માણ, હૃતોપાસના, સાધર્મિક ભક્તિ, પાલીતાણામાં સામુદાયિક ચાતુર્માસ, અભયદાન, જીવદયા અનુકંપાદિ અનેકવિધ ક્ષેત્રોમાં યથાશક્તિ યોગદાન કર્યું. Page #15 -------------------------------------------------------------------------- ________________ ઓચ્છવંરગવધામણા, પ્રભુપાર્શ્વને નામે ઃ દયાળુદાદાને ગાદીનશીન કર્યાને ૨૫-૨૫ વર્ષો આંખના પલકારામાં વીતી ગયા. જે પૂજ્ય ગુરુભગવંતોની નિશ્રામાં પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો, યોગાનુયોગ તેજ પૂજય ગુરુભગવંતોની નિશ્રામાં વિ. સં. ૨૦૬૦ મહા વદ ૧૪ થી ફાગણ સુદ ૩ સોમવારના તા ૨૪-૨-૦૪ સુધી પંચાહ્નિકા શ્રી જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ ઉજવવા નિર્ણય થયો. પ્રભુભક્તિના અનુષ્ઠાનો, વિવિધ પૂજનો, સ્વામિવાત્સલ્ય, સાધર્મિક ભક્તિ, જીવદયા, અનુકંપાદિ કાર્યો રંગેચંગે કરવા સહુ તૈયાર થયા. સંભારણું રજતમહોત્સવનું : રજત મહોત્સવની સ્મૃતિ જીવંત રાખવા પૂજ્યશ્રીની પ્રેરણાથી શ્રી સંઘ શ્રુતભક્તિ સ્વરૂપે ‘જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ -૧’ નું નવલુ નજરાણું લોકાર્પણ કરતાં ખૂબ ખૂબ ધન્યતા અનુભવે છે. • શ્રી નવજીવન જૈન શ્વે.મૂ.પૂ.સંઘ, મુંબઈ — Page #16 -------------------------------------------------------------------------- ________________ Page #17 -------------------------------------------------------------------------- ________________ આગમ દરિયો, અમૃત ભરિયો... દૂર દૂર દેખાઈ રહ્યો છે દરિયો ... કેવો છે તેનો ઘૂઘવાટ ? ? ? કેવા ઉછળી રહ્યા છે, આકાશને આંબી જતા પાણીના તરંગો ?! . કેવી અગાધ-ગંભીર છે તેની ઊંડાઈ ? ? ? લાગતું નથી તેનો પાર પામી શકાય ? લાગતું નથી તેનું માપ માપી શકાય ? લાગતું નથી તેનું પૂર્ણ પાન કરી શકાય? લાગતું નથી તેના પેટાળમાંથી અમૂલ્ય રત્નો મેળવી શકાય ? છતાં ય લાગે છે.. અવલોકનથી આનંદ અનુભવી શકાય, દિલથી દિલજાન દોસ્તી કરી શકાય, મનથી મઝા માણી શકાય, તે જ રીતે જિનાગમ અને જૈન સાહિત્યના સાગરનો પાર, અલ્પબુદ્ધિ આપણે ક્યાંથી પામી શકવાના ? શ્રુતસાગરમાં ડૂબકી માર્યા વગર, તેનું મંથન કર્યા વિના, આગમ-સાહિત્યના અમૃતને, રત્નોને, રહસ્યોને ક્યાંથી જાણી શકવાના? છતાં ય તેના આછા આછા અવલોકનથી, સમુદ્રકિનારે લટાર લગાવતા રહેવાથી, કંઈક જાણકારીની અનુભૂતિનો અહેસાસ તો અવશ્ય થશે જ થશે... ભારતીય વાલ્મયને પૂર્વના પ્રાજ્ઞ જૈનાચાર્યોએ સમયે સમયે પોતાની પ્રતિભાના વૈભવથી સમૃદ્ધ બનાવવા અપૂર્વ યોગદાન આપેલ છે. આગમ, જૈનદર્શન કે પ્રકરણો જ નહિ પરંતુ ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, કોશ, જ્યોતિપ, વૈદ્યક આદિ એવો કોઈ વિષય બાકી નહિ હોય કે જેને તે મહાપુરુષોએ પોતાની અનોખી કલમથી કંડાર્યો નહીં હોય... આવા અણમોલ ગ્રંથોની નામાવલિની, તેમાં નિરૂપિત વિષયોની, તેના કર્તા, તેનો રચનાકાળ, તે ગ્રંથોનું શ્લોકપ્રમાણ વગેરેની સંપૂર્ણ કહી શકાય તેવી નોંધ તૈયાર કરી આજથી ૧૮ વર્ષ પૂર્વે કેટલાક સાક્ષરોએ “જૈન સાહિત્ય કા બૃહદ્ ઇતિહાસ”ના નામે સાત ભાગમાં પ્રકાશિત કરી. Page #18 -------------------------------------------------------------------------- ________________ (૨) પરમ પૂજય મોટા મહારાજશ્રી (પ.પૂ.આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા.) તથા પરમ પૂજય ગુરુદેવશ્રી (પ. પૂ. આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.) એ વિચાર્યું કે આ સાતે ભાગ જો ગુજરાતી ભાષામાં પ્રકાશિત થાય તો ખૂબ જ ઉપયોગી થશે. . તેથી શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીઓને પ્રેરણા કરી – મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ ગાંધીએ પ્રો. શ્રી રમણીકભાઈ શાહ તથા પ્રો. શ્રી નગીનભાઈ શાહ પાસે ગુજરાતી કરાવ્યું. જુદાજુદા શ્રી સંઘોએ પૂજ્યશ્રીની વાતને સ્વીકારી સંપૂર્ણ સહયોગ આપ્યો. તેની ફળશ્રુતિરૂપે આ સાતે ભાગ ગુજરાતીમાં પ્રકાશિત થઈ રહ્યા છે. જિનાગમ તથા જૈન સાહિત્યથી સુપરિચિત વિદ્ધર્ય પૂજય સૂરિભગવંતો, પૂજ્ય પદો, પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતો, સાક્ષર વિદ્વાનો તેમજ સુપ્રસિદ્ધ ગ્રંથાગાર-જ્ઞાનભંડારના સંચાલકો વગેરેને અમે અંતરથી વિનંતી કરીએ છીએ કે આપ સૌ તરફથી સલાહ-સૂચન-માર્ગદર્શન મળે તો પરિશિષ્ટમાં નીચેની હકીકતો સમાવી શકાય : (૧) આ સાતે ભાગોમાં કોઈ ગ્રંથનો ઉલ્લેખ કદાચ રહી ગયો હોય તો તેનું લિસ્ટ મૂકવું. (૨) છેલ્લા કેટલાક વર્ષોમાં જે કંઈ પ્રાકૃત-સંસ્કૃત જૈન સાહિત્યનું નવસર્જન થયું હોય તે બધું લેવું. (૩) આજ દિન સુધી જે કોઈ ગ્રંથોના સંશોધન-સંપાદન-પ્રકાશન ન થયા હોય તેની નોંધ ઉમેરવી. (૪) જે કોઈ વિદ્વાનો અપ્રકટ ગ્રંથોના સંશોધન-સંપાદન કરી રહ્યા હોય તે ઉમેરવું. આ કાર્ય સહુના સાથ-સહકારથી જ સંભવી શકે તેમ છે. એનાથી અનેક જિજ્ઞાસુઓને સાચું માર્ગદર્શન મળશે.. કેટલાય અપ્રકાશિત ગ્રંથોના સંપાદન માટે નવી દિશાસૂઝ મળશે... પ્રાંતે, અમારી એવી અંતરની અભિલાષા ખરી... પોતાનું સંપૂર્ણ જીવન સમર્પણ કરી આપણા પૂર્વપુરુષો આરાધનાસાધનાના સારસ્વરૂપ જે જ્ઞાન ખજાનો મુકી ગયા છે, તે ખજાનાની માત્ર નોંધસ્વરૂપ આ સાતે ભાગ હાથમાં આવતા એવો શુભ સંકલ્પ કરીએ કે રોજ આખા દિવસમાંથી માત્ર ૧૦ મિનિટ આ રત્નનિધિનું અવશ્ય વાંચન કરવું... Page #19 -------------------------------------------------------------------------- ________________ (૩) જૈના નિરીક્ષણથી નિર્તનત નવલી જ્ઞાનિધિ નીરખી નીરખી નિજાનંદની અનુભૂતિ કરીએ. એજ ૫.પૂ.આ. શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ. ના ગુરુબંધુ પૂ.ગુરુદેવ(પ.પૂ.આ.શ્રી વિ.સં.૨૦૬૦, મહા.સુ.૧૬, બુધવાર (સંસારી બેન મહારાજ સાધ્વીજી શ્રીયશસ્વિનીશ્રીજી જન્મદિન સુવર્ણ વર્ષ) વિજય-અશોકચંદ્રસૂરીશ્વરજી મ.)ના ગોવાલિયાટેંક, મુંબઈ ચરણકિંકર સોમચંદ્ર વિ. Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય (ગુજરાતી આવૃત્તિ) શાસન-સમ્રાટ્ શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા., ૫.પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી સ્થપાયેલી પ્રસિદ્ધ જૈન સંસ્થા શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ દ્વારા જૈન ધર્મ, સંસ્કૃતિ અને સાહિત્યના સંરક્ષણ અને સંવર્ધનની અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. સંસ્થાએ આ પહેલાં ગ્લોરી ઓફ જૈનીઝમ, ૧૦૮ તીર્થદર્શનાવલી, એસેન્સ ઓફ જૈનીઝમ જેવા વિવિધ મહત્ત્વપૂર્ણ ગ્રંથોનું પ્રકાશન કરેલ છે. સંસ્થાએ સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી જેવી મહત્ત્વની ભાષાઓમાં અનેક પ્રકારના જૈન સાહિત્યના જે ગ્રંથો પ્રકાશિત કરેલ છે તેની સૂચિ આ ગ્રંથના અંતે આપેલ છે. તે જોતાં જ સંસ્થાની પ્રકાશન પ્રવૃત્તિનું મહત્ત્વ જણાઈ આવશે. ભગવાન મહાવીરની ૨૬મી જન્મ-શતાબ્દી પ્રસંગે પૂજ્ય આચાર્ય ભગવંતોએ જૈન ધર્મના વિશ્વકોશ જેવા કોઈ અત્યંત મહત્ત્વપૂર્ણ સાહિત્યના પ્રકાશનની અભિલાષા વ્યક્ત કરી. તે સમયે જૈન વિશ્વકોશના પ્રકાશન અંગે ભારતમાં અને ભારત બહાર કેટલીક યોજનાઓ બની, અમે તેમાં સહકાર આપવા નિર્ણય કર્યો. પરંતુ વાત આગળ વધી નહીં. જૈન વિશ્વકોશની આવી જ એક મિટીંગ વખતે જાણીતા જૈન વિદ્વાન ડૉ. નગીનભાઈ શાહે સૂચન કર્યુ કે જૈન વિશ્વકોશ હાલ કરી શકાય કે નહીં પરંતુ એક મોટું કાર્ય— જૈન સાહિત્યના બૃહદ્ ઇતિહાસનું— કરવા જેવું છે. શ્રી પાર્શ્વનાથ જૈન શોધ સંસ્થાન, વારાણસી દ્વારા ઇ.સ. ૧૯૬૬ થી ૧૯૮૧ દરમ્યાન હિન્દી ભાષામાં ૭ ભાગમાં લખાયેલ “જૈન સાહિત્ય કા બૃહદ્ ઇતિહાસ’’ ના ગુજરાતી અનુવાદનું પ્રકાશન કરવાની તેમણે સૂચના કરી. મિટીંગમાં હાજર રહેલા શ્રી પાર્શ્વનાથ જૈન શોધ સંસ્થાનના પૂર્વનિયામક ડૉ. સાગરમલજી જૈને તરત જ આ કાર્ય કરવાની અનુમતિ આપી. Page #21 -------------------------------------------------------------------------- ________________ પૂજય આચાર્ય ભગવંતો સાથે આ અંગે વાત કરતાં તેઓએ અત્યંત પ્રસન્નતાપૂર્વક આ કાર્ય તત્કાળ હાથ ધરવા આજ્ઞા કરી. સંસ્થાએ અનુવાદની યોજના બનાવી, ગુજરાતી આવૃત્તિના સંપાદન-અનુવાદનનું કાર્ય દર્શનશાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન અને લાદ ભારતીય વિદ્યામંદિરના પૂર્વ-નિયામક ડો. નગીનભાઈ શાહ તથા પ્રાકૃત ભાષા-સાહિત્યના જાણીતા વિદ્વાન અને ગુજરાત યુનિવર્સિટીના પ્રાકૃત-પાલિ વિભાગના પૂર્વ અધ્યક્ષ ડૉ. રમણીકભાઈ શાહને સોંપ્યું. આ રીતે પૂજય આચાર્ય ભગવંતોના આશીર્વાદથી જૈન સાહિત્યના બૃહદ્ ઈતિહાસના ૭ ભાગોના અનુવાદનું કાર્ય ચાલુ થયું. ભાગ ૧, ૨ અને ૪ના ગુજરાતી અનુવાદ-ગ્રંથો આ સાથે પ્રસિદ્ધ થઈ રહ્યા છે. બાકીના ભાગો પણ ટૂંક સમયમાં જ પ્રકાશિત થશે. વળી આ બધા ભાગોનો અંગ્રેજી અનુવાદ પણ પ્રકાશિત કરવાની અમારી ભાવના છે. આ પ્રસંગે અમે પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજય આચાર્ય શ્રી વિજય સોમચંદ્રસૂરિજી મહારાજ તથા અન્ય મુનિ ભગવંતોનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. ગુજરાતી આવૃત્તિના માનદ સંપાદકો ડો. નગીનભાઈ શાહ અને ડૉ. રમણીકભાઈ શાહનો આ અનુવાદ કાર્ય હાથ ધરવા માટે આભાર માનીએ છીએ. શ્રી પાર્શ્વનાથ શોધ સંસ્થાન, વારાણસી તથા તેના પૂર્વનિયામક ડૉ. સાગરમલજી જૈનનો અનુવાદનું પ્રકાશન કરવાની પરવાનગી આપવા માટે આભાર માનીએ છીએ. ભાગ-૧ના પ્રકાશનમાં આર્થિક સહ્યોગ આપવા બદલ શ્રી નવજીવન જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મુંબઈનો આભાર માનીએ છીએ. ઉત્તમ છાપકામ માટે લેસર ઇમ્પશન્સવાળા શ્રી મયંક શાહ તથા માણિભદ્ર પ્રિન્ટર્સવાળા શ્રી કનુભાઈ ભાવસાર અને સુંદર સચિત્ર ટાઈટલ ડિઝાઈન માટે કીંગ ઇમેજ પ્રા. લી.ના ડાયરેક્ટર શ્રી જીવણભાઈ વડોદરિયાનો આભાર માનીએ છીએ. તા. ૨૨-૨-૨૦૦૪ –અનિલભાઈ ગાંધી, મેનેજીંગ ટ્રસ્ટી, શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ અમદાવાદ Page #22 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય (ગુજરાતી આવૃત્તિ) ભગવાન મહાવીરની ૨૬મી જન્મ શતાબ્દી પ્રસંગે શાસન-સમ્રાટ્ શ્રી નેમિવિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર ૫.પૂ આચાર્ય ભગવંત શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી સ્થપાયેલી પ્રસિદ્ધ જૈન સંસ્થા શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ દ્વારા જૈન સાહિત્ય વિષયક કોઈ વિશિષ્ટ પ્રકાશન કાર્ય હાથ ધરવાની ઇચ્છા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ ગાંધીએ વ્યક્ત કરી ત્યારે અમે તેમને શ્રી પાર્શ્વનાથ જૈન શોધ સંસ્થાન, વારાણસી દ્વારા ઇ.સ. ૧૯૬૬ થી ૧૯૮૧ દરમ્યાન હિન્દી ભાષામાં ૭ ભાગમાં લખાયેલ “જૈન સાહિત્ય કા બૃહદ્ ઇતિહાસ’' ના ગુજરાતી અનુવાદનું પ્રકાશન કરવાની સૂચના કરી. તેમણે પૂજય આચાર્યશ્રી સાથે મંત્રણા ક૨ી અનુવાદની યોજના બનાવી, ગુજરાતી આવૃત્તિના સંપાદન-અનુવાદનનું કાર્ય અમને સોંપ્યું. ભારતનાં જ નહિ, જગતના પ્રાચીન ધર્મોમાં જૈન ધર્મનું પણ એક વિશિષ્ટ મહત્ત્વપૂર્ણ સ્થાન છે એ હવે વિશ્વભરના ધર્મ-દર્શનોના અભ્યાસીઓમાં સર્વસ્વીકૃત હકીકત બની ગઈ છે. અહિંસા, અનેકાન્ત અને અપરિગ્રહના પ્રણેતા ભગવાન મહાવીરના ઉપદેશની આજના યુગને જેટલી જરૂર છે તેટલી ક્યારેય ન હતી. આવા જૈન ધર્મને સમજવા માટે જરૂર છે જૈન ધર્મના સાહિત્યનો પરિચય કરવાની. જૈનોનું સાહિત્ય એટલું વિશાળ છે કે કાળના થપેડાં ખાતાં ખાતાં ય જેટલું બચ્યું છે તે જગતના ધાર્મિક સાહિત્યમાં મહત્ત્વ ધરાવે તેટલું છે. આ સાહિત્યનો પરિચય આપવાનો – તેનો બૃહદ્ ઈતિહાસ લખવાનો – સંકલ્પ સ્વ. આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મ. અને પદ્મશ્રી પંડિત સુખલાલજી જેવાની પ્રેરણાથી કેટલાક ગુજરાતી અને હિંદીભાષી જૈન સાક્ષરો અને અગ્રણીઓએ આજથી ચાલીસેક વર્ષ પૂર્વે કર્યો અને આ ભગીરથ કાર્યની શરૂઆત થઈ. તેના પરિણામસ્વરૂપે હિંદી ભાષામાં ભાગ-૧થી ૭માં ‘જૈન સાહિત્ય કા બૃહદ્ ઈતિહાસ'' નામે ગ્રંથશ્રેણી પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન, વારાણસીથી પ્રકાશિત થઈ. તેના સંપાદક-ગણ અને લેખક-ગણમાં તત્કાલીન પ્રસિદ્ધ જૈન વિદ્વાનો પં. બેચરદાસ દોશી, પં. દલસુખભાઈ માલવણિયા, Page #23 -------------------------------------------------------------------------- ________________ ડૉ. મોહનલાલ મેહતા, ડે. ગુલાબચન્દ્ર ચૌધરી, પ્રા. હીરાલાલ કાપડિયા, પં. અંબાલાલ શાહ વગેરે સંકળાયેલા હતા. આ હિંદી ગ્રંથોની ગુજરાતી આવૃત્તિની આજના સંદર્ભમાં તાતી જરૂર પરમપૂજય આચાર્યવર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. અને પ.પૂ. આચાર્યવર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા. અને બન્ને ગુરુદેવોને અનુસરી, પ.પૂ.આચાર્ય શ્રી વિજય સોમચંદ્રસૂરિજી મ. સા.ની પારખુ નજરને જણાઈ અને તેઓશ્રીએ શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટના નેજા નીચે આ કાર્ય કરાવવા વિચારી ગુજરાતી આવૃત્તિના સંપાદન-અનુવાદનનું કાર્ય અમને સોપ્યું. આ સાતેય ભાગોનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે : (૧) પ્રથમ ભાગમાં પ્રારંભમાં પં. દલસુખભાઈ માલવણિયાની વિસ્તૃત પ્રસ્તાવના છે, જેમાં તેમણે જૈન સાહિત્યનું મહત્ત્વ અને આ ઈતિહાસની યોજના સમજાવી આગમોનું વિસ્તૃત વર્ગીકરણ કરી, ઐતિહાસિક-પૌરાણિક પુરાવાઓના આધારે આગમોના સમય-નિર્ધારણનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે. ત્યારબાદ પં. બેચરદાસજીએ અંગઆગમોનો વિસ્તૃત પરિચય કરાવ્યો છે. ભગવાન મહાવીર સ્વામીના પ્રત્યક્ષ ઉપદેશને તેમના ગણધરોએ ઝીલી લઈ વિવિધ સૂત્ર રૂપે ગૂંથી લઈ બાર અંગો – દ્વાદશાંગી – ની રચના કરી હતી. આ રીતે પ્રત્યક્ષ ભગવાન મહાવીરની જ વિશ્વકલ્યાણ વાંછતી વાણી આ ગ્રંથોમાં પડઘાય છે. આવા અંગગ્રંથોમાંથી અંતિમ અંગ દષ્ટિવાદ લુપ્ત થયેલ છે પરંતુ માનવજાતના સદ્દભાગ્યે બાકીના અગિયાર અંગો પેઢી દર પેઢી સ્વાધ્યાયરત આચાર્ય-ભગવંતોની પરંપરા દ્વારા આપણા સુધી પહોંચ્યાં છે. પ્રસ્તુત ગ્રંથમાં આ અંગોનો તુલનાત્મક પરિચય તેમાનાં અનેક વિષયોની છણાવટ સાથે કરાવવામાં આવ્યો છે. (૨) ભાગ રમાં અંગો સિવાયના આગમગ્રંથોનો પરિચય આપવામાં આવ્યો છે. અંગઆગમોની રચના શ્રમણ ભગવાન મહાવીરના ગણધરો અર્થાત મુખ્ય શિષ્યોએ કરી હતી તો અંગબાહ્ય આગમોનું નિર્માણ ભિન્ન ભિન્ન સમયે અન્ય ગીતાર્થ વિરોએ કરેલ છે. તેમાં ૧૨ ઉપાંગ, ૪ મૂલસૂત્ર, ૬ છેદસૂત્ર, ૨ ચૂલિકાસૂત્ર અને ૧૦ પ્રકીર્ણકો મળી ૩૪ ગ્રંથોનો સમાવેશ થાય છે. પ્રસ્તુત ભાગમાં આ ૩૪ ગ્રંથોનો વિગતવાર પરિચય કરાવવામાં આવ્યો છે. ગ્રંથના રચનાકાર, સમય, ભાષા, વિષયસામગ્રી તથા તેમાંથી પ્રાપ્ત થતી ભારતીય સંસ્કૃતિની લાક્ષણિકતા આદિના ઉહાપોહ સાથે વિદ્વાન લેખકોએ અહીં પ્રત્યેક ગ્રંથનું વિહંગાવલોકન કરાવ્યું છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ (૩) ભાગ ૩માં આ બધા આગમગ્રંથો પરના વ્યાખ્યા-સાહિત્યનો અર્થાત ટીકાસાહિત્યનો સાંગોપાંગ પરિચય આપવામાં આવ્યો છે. આગમિક વ્યાખ્યાઓ પાંચ વર્ગમાં વિભાજિત કરાય છે: ૧. નિર્યુક્તિઓ, ૨. ભાણો, ૩. ચૂર્ણિઓ, ૪. સંસ્કૃત ટીકાઓ અને ૫. પ્રાદેશિક લોકભાષાઓમાં વિરચિત વ્યાખ્યાઓ કે બાલાવબોધો. આ ભાગમાં નિર્યુક્તિઓ અને પ્રસિદ્ધ નિર્યુક્તિકાર ભદ્રબાહસ્વામી, વિવિધ ભાષ્યો અને ભાગ્યકારો, નંદી વગેરેની ચૂર્ણિઓ અને વિશિષ્ટ ચૂર્ણિકાર જિનદાસગણિ તથા અગત્સ્યસિંહગણિ, અનેકવિધ સંસ્કૃત ટીકાઓ અને મુખ્ય ટીકાકારો જેવા કે હરિભદ્રસૂરિ, શીલાંકસૂરિ, શાંતિસૂરિ, અભયદેવસૂરિ, મલયગિરિ વગેરેનો પરિચય આપવામાં આવ્યો છે તથા વિવિધ પ્રાંતીય ભાષાઓ જેવી કે ગુજરાતી, રાજસ્થાની, હિંદી વગેરેમાં બાલાવબોધ નામે ઓળખાતી ટીકાઓનો પરિચય કરાવવામાં આવ્યો છે. (૪) આ ભાગમાં કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણોનો પરિચય આપવામાં આવ્યો છે. જૈન દર્શનનું પરમ અંગ છે તેનો કર્મવાદ. કર્મવાદસંબંધી જેટલું સૂક્ષ્મ ચિંતન જૈન દાર્શનિકોએ કર્યું છે તેટલું જગતના અન્ય કોઈ ધર્મ-દર્શન કર્યું નથી. જૈનાચાર્યોએ કર્મનો અર્થ, કર્મબંધના કારણો, કર્મબંધની પ્રક્રિયા, કર્મનો ઉદય અને ક્ષય, કર્મપ્રકૃતિ અર્થાત્ કર્મસ્વભાવ, કર્મોની સ્થિતિ આદિ વિષયક મબલખ ગ્રંથો – પ્રકરણો રચ્યા છે. શ્વેતાંબર અને દિગંબર બંને પરંપરાના આવા અનેક ગ્રંથોનો પરિચય અહીં પૂર્વાર્ધમાં આપવામાં આવ્યો છે. ઉત્તરાર્ધમાં અનેક આગમિક પ્રકરણો અને તેના રચયિતાઓ જેવાકે કુંદકુંદાચાર્ય અને તેમના પ્રવચનસાર આદિ, જિનભદ્રગણિ અને તેમના ક્ષેત્રસમાસ અને સંગ્રહણી આદિ, હરિભદ્રસૂરિ અને તેમના જંબુદ્વીપસંગ્રહણી આદિ, નેમિચંદ્રસૂરિ અને તેમના પ્રવચનસારોદ્ધાર, ધર્મદાસગણિ અને તેમની ઉપદેશમાલા, મલધારી હેમચંદ્રસૂરિ અને તેમની ઉપદેશમાલા – આ રીતે આગમના સારરૂપ પ્રકરણો ઉપરાંત દ્રવ્યાનુયોગ, ધર્મોપદેશ, યોગ, અધ્યાત્મ, અનગાર અને સાગારનો આચાર, વિધિવિધાન, કલ્પ, મંત્ર, તંત્ર, પર્વ, તીર્થ ઈત્યાદિ વિષયક પ્રકરણોનો પરિચય કરાવવામાં આવ્યો છે. (૫) ભાગ ૫માં જૈન ગ્રંથકારોએ રચેલાં લાક્ષણિક (તાંત્રિક-વૈજ્ઞાનિકશાસ્ત્રીય) વિષયોને લગતા સાહિત્યનો પરિચય છે. જૈન મુનિઓ-આચાર્યોપંડિતોએ પ્રાચીનકાળથી જ પોતાના સમયમાં સમાજોપયોગી શાસ્ત્રોને લગતા વિષયોમાં પણ પોતાની લેખિની ચલાવી છે તેનો પુરાવો અહીં આપેલા ૨૭ Page #25 -------------------------------------------------------------------------- ________________ (૯) વિષયોની યાદી જ આપે છે : ૧. વ્યાકરણ, ૨. કોશ, ૩. અલંકાર, ૪. છન્દ, ૫. નાટક, ૬. સંગીત, ૭. કલા, ૮. ગણિત, ૯. જ્યોતિષ, ૧૦. શકુન, ૧૧. નિમિત્ત, ૧૨. સ્વમ, ૧૩. ચૂડામણિ, ૧૪. સામુદ્રિક, ૧૫. રમલ, ૧૬ , લક્ષણ, ૧૭. આમ, ૧૮. અર્ધ, ૧૯. કોઇક, ૨૦. આયુર્વેદ, ૨૧. અર્થશાસ્ત્ર, રર. નીતિશાસ્ત્ર, ૨૩. શિલ્પશાસ્ત્ર, ૨૪. રત્નશાસ્ત્ર, ૨૫. મુદ્રાશાસ્ત્ર, ૨૬. ધાતુવિજ્ઞાન અને ૨૭. પ્રાણીવિજ્ઞાન. (૬) આ વિશાળ ભાગમાં જૈન કાવ્યસાહિત્યનો પરિચય આપવામાં આવ્યો છે. જૈન કવિઓએ પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ અને પછીની વિવિધ દેશી ભાષાઓમાં અઢળક સાહિત્યની રચના – છેક પ્રાચીનકાળથી માંડી આજ સુધી કરી છે. તેમાંની અનેક રચનાઓ કાળબળે નાશ પામી છે અને અનેક હજુ હસ્તપ્રતોમાં છુપાયેલી છે. અહીં પ્રકટ-અપ્રકટ સેંકડો કૃતિઓનો પરિચય આપવામાં આવ્યો છે જેમાં પૌરાણિક મહાકાવ્યો – ત્રેસઠ મહાપુરુષોના જીવનચરિત્રોને વણી લેતાં ત્રિષષ્ઠિશલાકાપુરષચરિત્રો; તીર્થકરો, ચક્રવર્તીઓ, વસુદેવો અન્ય મહાપુરુષો અને સતીઓ ઈત્યાદિના ચરિત્રો; વસુદેવહિંડી, તરંગવતી, કુવલયમાલા, ઉપમિતિભવપ્રપંચાકથા જેવી મહાકથાઓ; હેમચંદ્રાચાર્ય વિરચિત દયાશ્રયમહાકાવ્ય, દ્વિસંધાનમહાકાવ્ય, હમ્મીરમહાકાવ્ય જેવા ઐતિહાસિક કાવ્યો; પ્રબંધચિન્તામણિ, પ્રભાવક ચરિત, પ્રબંધકોશ, પુરાતનપ્રબંધસંગ્રહ જેવા પ્રબંધો; તિલકમંજરી, યશસ્તિલકચમ્પ, કુવલયમાલા જેવા ચપૂકાવ્યો; મુદ્રિતકુમુદચન્દ્ર જેવા નાટકો વગેરે અનેક સંસ્કૃતપ્રાકૃત રચનાઓનો પરિચય અહીં પ્રાપ્ત થાય છે. (૭) ભાગ ૭ માં દક્ષિણ ભારતીય ભાષાઓમાં રચાયેલાં જૈન સાહિત્યનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે. તેમાં ક્રમે ત્રણ વિભાગોમાં કન્નડ - કર્ણાટકની ભાષા), તામિલ (તામિલનાડુની ભાષા) અને મરાઠી (મહારાષ્ટ્ર-વિદર્ભની ભાષા)ના જૈન સાહિત્યનો પરિચય છે. સાતેય ભાગોના અનુવાદની યોજના આ પ્રમાણે છે– (૧) અંગઆગમ - પં. બેચરદાસ દોશી – અનુ. ડૉ. રમણીક શાહ (૨) અંગબાહ્યઆગમ - ડૉ. જગદીશ ચન્દ્ર જૈન તથા મોહન લાલ મેહતા - અનુ. ડો, રમણીક શાહ આગમિક વ્યાખ્યાઓ – મોહન લાલ મેહતા - અનુ. ડો. રમણીક શાહ કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ - મોહન લાલ મેહતા અને પ્રો. હીરાલાલ કાપડિયા - અનુ. ડો. નગીન શાહ Page #26 -------------------------------------------------------------------------- ________________ (10) (૫) લાક્ષણિક સાહિત્ય - ૫. અંબાલાલ પ્રે. શાહ- અનુ. ડો. રમણીક શાહ (૬) જૈન કાવ્ય-સાહિત્ય - ડૉ, ગુલાબચંદ ચૌધરી - અનુ. ડૉ. નગીન શાહ (૭) કન્નડ, તામિલ અને મરાઠી જૈન સાહિત્ય - ૫. કે. ભુજબલી શાસ્ત્રી, ટી.પી. મીનાક્ષી સુન્દરમ્ પિલ્લે, ડો. વિદ્યાધર જેહરાપુરકર અનુ. ડૉ. રમણીક શાહ આધુનિક ભારતીય સાહિત્યમાં સન્માનપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરનાર પ્રસ્તુત ગ્રંથરાજનો ગુજરાતી અનુવાદ ગુજરાતના વિશાળ જૈન અને જૈનેતર સમાજને જૈન સાહિત્યનો સર્વાગપૂર્ણ પરિચય આપવા સમર્થ છે. પ્રસ્તુત ભાગ ૧ “અંગઆગમનો અનુવાદ ડૉ. રમણીક શાહે કરેલ છે. આ ભાગના મૂળ લેખક પં. બેચરદાસજી દોશી હતા. અને વિસ્તૃત પ્રસ્તાવના લેખક પં. દલસુખભાઈ માલવણિયા હતા. આ બંને મહાનુભાવોનું ઋણ સ્વીકારી તેમના પ્રત્યે સાદર કૃતજ્ઞતા જ્ઞાપિત કરીએ છીએ. આવા મહત્ત્વપૂર્ણ અને બૃહત્કાય ગ્રંથનું પ્રકાશન હાથ ધરવા માટે પ્રેરક આચાર્ય ભગવંત શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા. નો તથા પ. પૂ. આચાર્ય શ્રી સોમચંદ્રસૂરિજી મ.સા.નો જૈન સમાજ સદાકાળ ઋણી રહેશે. શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીગણનો અને પ્રકાશન કાર્ય અંગેની સઘળી વ્યવસ્થા કાળજીપૂર્વક ગોઠવી આપનાર મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ ગાંધીનો અમે આ તકે આભાર માનીએ છીએ. અમદાવાદ તા. ૨૬-૧-૨૦૦૪ નગીન શાહ રમણીક શાહ (ગુજરાતી આવૃત્તિના માનદ સંપાદકો) Page #27 -------------------------------------------------------------------------- ________________ ૩. પ્રસ્તાવના પ્રસ્તુત પુસ્તકમાં જૈન શ્વેત જૈન શ્રમણો અને શાસ્ત્રલેખન અચેલક પરંપરા અને શ્રુતસાહિત્ય શ્રુતજ્ઞાન અક્ષરશ્રુત અને અનક્ષરશ્રુત સભ્યશ્રુત અને મિથ્યાશ્રુત સાદિક, અનાદિક, સપર્યવસિત તથા અપર્યવસિત શ્રુત ગમિક-અગમિક, અંગપ્રવિષ્ટ-અનંગપ્રવિષ્ટ અને કાલિક ઉત્કાલિક શ્રુત અંગગ્રંથોનો બાહ્ય પરિચય આગમોની ગ્રંથબદ્ધતા અચેલક પરંપરામાં અંગવિષયક ઉલ્લેખો અંગોનું બાહ્ય રૂપ નામ-નિર્દેશ આચારાદિ અંગોનાં નામોનો અર્થ અંગોનું પદ-પરિમાણ પદનો અર્થ અંગોનો ક્રમ અંગોની શૈલી અને ભાષા પ્રકરણોનો વિષયનિર્દેશ પરંપરાનો આધાર પરમતોનો ઉલ્લેખ વિષય-વૈવિધ્ય જૈન પરંપરાનું લક્ષ્ય પૃષ્ઠ ૧-૫૫ ૫૭-૮૨ ૬૦ ૬૧ ૬૩ ૬૪ ૬૭ ૭૩ ૭૯ ૮૩-૧૦૬ ૮૪ ૮૫ ૮૬ ८८ ૯૧ ૯૩ ૯૯ ૧૦૧ ૧૦૨ ૧૦૩ ૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦૫ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭-૧૬૭ ૧૧૧ ૧૧૨ ૧૧૪ ૧૧૫ (૧૨) અંગગ્રંથોનો અંતરંગ પરિચય: આચારાંગ .... વિષય અચલકતા અને સચેલકતા આચારના પર્યાયો પ્રથમ શ્રુતસ્કંધનાં અધ્યયનો દ્વિતીય શ્રુતસ્કંધની ચૂલિકાઓ એક રોચક કથા પદ્યાત્મક અંશ : આચારાંગની વાચનાઓ આચારાંગના કર્તા અંગસૂત્રોની વાચનાઓ દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ મહારાજા ખારવેલ આચારાંગના શબ્દો બ્રહ્મચર્ય અને બ્રાહ્મણ ચતુર્વર્ણ સાત વર્ગો અને નવ વણતરો શસ્ત્રપરિજ્ઞા આચારાંગમાં ઉલિખિત પરમતો નિગ્રંથસમાજ આચારાંગનાં વચનો સાથે મળતાં વચનો આચારાંગના શબ્દો સાથે મળતા શબ્દો જાણઈ-પાસઇનો પ્રયોગ ભાષાશૈલીના રૂપમાં વસુપદ વેદ આમગંધ આસ્રવ અને પરિગ્નવ વર્ષાભિલાષા મુનિઓનાં ઉપકરણો મહાવીર-ચર્યા કેટલાંક સુભાષિતો ૧૨૦ ૧ ૨૧ ૧૨ ૨ ૧૨૩ ૧૨૪ ૧૨૫ ૧૨૭ ૧૨૮ ૧૨૯ ૧૨૯ ૧૩૧ ૧૩૨ ૧૩૩ ૧૩૬ ૧૪૦ ૧૪૧ ૧૪૩ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૧૪૯ ૧૫૦ ૧૫૧ ૧૫ર ૧૫૩ ૧પ૪ Page #29 -------------------------------------------------------------------------- ________________ (૧૩) ૧૫૬ ૧૫૬ ૧૫૭ ૧૫૭ ૧૫૮ ૧૫૮ ૧૫૮ ૧૫૯ ૧૫૯ ૧૬૦ દ્વિતીય શ્રુતસ્કંધ આહાર ભિક્ષા માટે યોગ્ય કુળો ઉત્સવ સમયે ભિક્ષા ભિક્ષા માટે જતી વેળાએ રાજકુળોમાં માખણ, મધ, મધ અને માંસ સમ્મિલિત સામગ્રી ગ્રાહ્ય જળ અગ્રાહ્ય ભોજન શઐષણા ઈર્યાપથ ભાષાપ્રયોગ વસ્ત્રધારણ પારૈષણા અવગ્રહૈષણા મળમૂત્રવિસર્જન શબ્દશ્રવણ અને રૂપદર્શન પરક્રિયાનિષેધ મહાવીર-ચરિત મમત્વમુક્તિ વિતરાગતા અને સર્વજ્ઞતા ૧૬૦ ૧૬૧ ૧૬૨ ૧૬૨ ૧૬૩ ૧૬૩ ૧૬૩ ૧૬૩ ૧૬૪ ૧૬૪ ૧૬૭ ૪. સૂત્રકૃતાંગ સૂત્રકૃતની રચના નિયતિવાદ અને આજીવિક સંપ્રદાય સાંખ્યમત અજ્ઞાનવાદ કર્મચયવાદ બુદ્ધનું શૂકરમાંસ-ભક્ષણ ૧૬૮-૨૦૯ ૧૭૨ ૧૭૩ ૧૭૪ ૧૭૫ ૧૭૫ ૧૭૮ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ ૧૮૦ ૧૮૧ ૧૮૧ ૧૮૩ - ૧૮૬ ૧૮૭ ૧૮૮ ૧૯૦ ૧૦ ૧૯૨ ૧૯૨ (૧૪) 'હિંસાનો હેતુ જગત-કર્તુત્વ સંયમધર્મ વેયાલિય ઉપસર્ગ સ્ત્રી-પરિજ્ઞા નરક-વિભક્તિ વીરસ્તવ કુશીલ વીર્ય અર્થાતુ પરાક્રમ ધર્મ સમાધિ માર્ગ સમવસરણ માથાતથ્ય ગ્રંથ અર્થાત પરિગ્રહ આદાન અથવા આદાનીય ગાથા બ્રાહ્મણ, શ્રમણ, ભિક્ષુ અને નિગ્રંથ સાત મહાઅધ્યયનો પુંડરીક ક્રિયા સ્થાન બૌદ્ધદષ્ટિએ હિંસા આહારપરિજ્ઞા પ્રત્યાખ્યાન આચારશ્રુત આદ્રકુમાર નાલંદા ઉદક પેઢાલપુર ૧૯૩ ૧૯૫ ૧૯૫ ૧૯૬ ૧૯૭ ૧૯૭ ૧૯૭ ૧૯૮ ૨૦૦ ૨૦૧ ૨૦૨ ' , " ૨૦૩ in. ૨૦૪ ૨૦૫ ૨૦૬ * ૨૦૬ Page #31 -------------------------------------------------------------------------- ________________ (૧૫) સ્થાનાંગ તથા સમવાયાંગ શૈલી વિષય-સંબદ્ધતા વિષય-વૈવિધ્ય પ્રવ્રુક્યા વિર લેખન-પદ્ધતિ અનુપલબ્ધ શાસ્ત્રો ગર્ભધારણ ભૂકંપ નદીઓ રાજધાનીઓ વૃષ્ટિ ૨૧૦-૨૧૧ ૨૧૩ ૨૧૫ ૨૧૫ ૨૧૬ ૨૧૮ ૨૧૮ ૨૧૯ ૨૨૦ ૨૨૦ ૨૨૦ ૨૨૦ ૨૨૧ ૨૨૨-૨૪૭ ૨૨૪ ૨૨૫ ૨ ૨૫ ૨ ૨૭. ૨૨૮ ૨૨૯ વ્યાખ્યાપ્રાપ્તિ મંગલ પ્રશ્નકાર ગૌતમ પ્રશ્નોત્તર દેવગતિ કાંક્ષામોહનીય લોકનો આધાર પાર્થાપત્ય વનસ્પતિકાય જીવની સમાનતા કેવલી શ્વાસોચ્છવાસ જમાલિનચરિત શિવરાજર્ષિ પરિવ્રાજક તાપસ ૨૩૦ ૨૩૧ ૨૩૨ ૨૩૨ ૨૩૩ ૨૩૩ ૨૩૪ ૨૩૫ ૨૩૬ ૨૩૭ સ્વર્ગ દેવભાષા Page #32 -------------------------------------------------------------------------- ________________ (૧૬) ૨૩૭ ૨૩૯ ૨૩૯ ૨૩૯ ૨૪૦ ૨૪૦ ૨૪૧ ૨૪૧ ૨૪૧ ૨૪૧ • • • • ગોશાલક વાયુકાય અને અગ્નિકાય જરા અને શોક સાવદ્ય અને નિરવદ્ય ભાષા સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ દેવો સ્વમ કોણિકનો મુખ્ય હાથી કંપ નરકસ્થ અને સ્વર્ગસ્થ પૃથ્વીકાયિક વગેરે જીવો પ્રથમતા-અપ્રથમતા કાર્તિક શેઠ માકંદી અનગાર યુગ્મ પુદ્ગલ મદ્રક શ્રમણોપાસક પુદ્ગલ-જ્ઞાન યાપનીય માસ વિવિધ ઉપસંહાર ૨૪૨ ૨૪૨ ૨૪૨ ૨૪૨ ૨૪૩ ૨૪૩ ૨૪૪ ૨૪૪ ૨૪૪ ૨૪૭ - જ્ઞાતાધર્મકથા કારાગાર શૈલક મુનિ શુક પરિવ્રાજક થાવસ્યા સાર્થવાહી ચોખ્ખા પરિવ્રાજિકા ચીન તથા ચીનાઓ ડૂબતી નૌકા ઉદકજ્ઞાત વિવિધ મતાનુયાયીઓ ૨૪૮-૨૫૪ ૨૪૯ ૨૪૯ ૨૫૦ ૨૫૧ ૨૫૧ ૨૫૧ ૨૫૧ ૨૫૨ ૨૫૨ Page #33 -------------------------------------------------------------------------- ________________ (૧૭) દયાળુ મુનિ પાંડવ-પ્રકરણ ૨૫૩ ૨૫૩ ૨૫૪ સુંસુમાં ઉપાસકદશા મર્યાદા-નિર્ધારણ વિખકારી દેવો માંસાહારિણી સ્ત્રી તથા નિયતિવાદી શ્રાવક આનંદનું અવધિજ્ઞાન ઉપસંહાર ૨૫૫-૨૫૮ ૨૫૬ ૨૫૬ ૨પ૭ ૨૫૭ ૨પ૭ ૨૫૯-૨૬૩ ૨૬૦ ૨૬૦ અન્નકૃતદશા દ્વારકા-વર્ણન ગજસુકુમાલ દયાશીલ કૃષ્ણ કૃષ્ણનું મૃત્યુ અર્જુનમાળી અને યુવક સુદર્શન અન્ય અંતકૃતો ૨૬ર ૨૬૨ ૨૬૩ ૧૦. ૨૬૪-૨૬૬, ૨૬૫ અનુત્તરૌપપાતિકદશા જાલિ વગેરે રાજકુમારો દીર્ધસેન વગેરે રાજકુમારો ધન્યકુમાર ૨૬૫ ૧૧. પ્રશ્નવ્યાકરણ અસત્યવાદી મત હિંસાદિ આગ્નવ અહિંસાદિ સંવર ૨૬૭-૨૭૧ ૨૬૮ ૨૬૯ ૨૭૦ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૨. ૨૭૦-૨૭૯ ૨૭૩ ૨૭૪ વિપાકસૂત્ર મૃગાપુત્ર કામધ્વજા અને ઉઝિક અભગ્નસેન શકટ બૃહસ્પતિદત્ત નંદિવર્ધન ઉંબરદત્ત તથા ધનવંતરિ વૈદ્ય શૌરિક માછીમાર દેવદત્તા અંજૂ સુખવિપાક વિપાકનો વિષય અધ્યયન-નામો ૨૭૫ ૨૭૫ ૨૭૫ ૨૭૬ ૨૭૭ ૨૭૭ ૨૭૭ ૨૭૮ ૨૭૮ ૨૭૯ ૨૭૯ ૨૮૦ પરિશિષ્ટ દષ્ટિવાદ ૨૮૧-૨૮૩ પરિશિષ્ટ અચેલક પરંપરાના પ્રાચીન ગ્રંથોમાં સચેલકસમ્મત અંગાદિગત અવતરણોનો ઉલ્લેખ ૩. ૨૮૪-૨૮૫ પરિશિષ્ટ આગમોનું પ્રકાશન તથા સંશોધન અનુક્રમણિકા ૨૮૭-૩૨૬ સહાયક ગ્રંથોની સૂચિ ૩૨૭-૩૨૮ Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના પં. દલસુખ માલવણિયા અધ્યક્ષ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અમદાવાદ. પ્રસ્તુત ઇતિહાસની યોજના અને મર્યાદા વૈદિક ધર્મ અને જૈન ધર્મ પ્રાચીન યતિ–મુનિ–શ્રમણ તીર્થકરોની પરંપરા આગમોનું વર્ગીકરણ ઉપલબ્ધ આગમોનું અને તેમની ટીકાઓનું પરિમાણ આગમોનો સમય આગમ- વિચ્છેદનો પ્રશ્ન મૃતાવતાર Page #36 -------------------------------------------------------------------------- ________________ (૨) પ્રસ્તુત ઇતિહાસની યોજના અને મર્યાદા: પ્રસ્તુત ગ્રંથ “જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસની મર્યાદા શું છે, તે સ્પષ્ટ કરવું આવશ્યક છે. આ માત્ર જૈન ધર્મ કે દર્શન સંબંધી સાહિત્યનો ઇતિહાસ નહિ હોય, પરંતુ જેનો દ્વારા વિરચિત સમગ્ર સાહિત્યનો ઈતિહાસ હશે. સાહિત્યમાં એવો ભેદ કરવો કે આ જૈનોનું લખેલું છે અને આ જૈનેતરોનું, ઉચિત તો નથી, પરંતુ વિવશ થઈને જ એવું કરવું પડ્યું છે. ભારતીય સાહિત્યના ઇતિહાસમાં જૈનો દ્વારા લખાયેલા વિવિધ સાહિત્યની ઉપેક્ષા થતી આવી છે. જો એમ ન હોત તો આ પ્રયત્ન જરૂરી ન હોત. ઉદાહરણ રૂપે સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં જ્યારે પુરાણો પર લખવાનું હોય કે મહાકાવ્યો પર લખવાનું હોય ત્યારે ઇતિહાસકાર ઘણુંખરું હિન્દુ પુરાણોથી જ સંતોષ માની લે છે અને આ જ હાલત મહાકાવ્યોની પણ છે. આ ઉપેક્ષાના કારણોની ચર્ચા જરૂરી નથી, પરંતુ જે ગ્રંથોનો વિશેષ અભ્યાસ થતો હોય તેમના પર લખવાનું ઇતિહાસકારને માટે સરળ હોય છે એ એક મુખ્ય કારણ છે. “કાદમ્બરી' ભણનારા-ભણાવનારા ઘણા છે, એટલા માટે તેની ઉપેક્ષા ઇતિહાસકાર કરી શકતો નથી. પરંતુ ધનપાલની “તિલકમંજરી'ના વિષયમાં ઘણુંખરું ઉપેક્ષા જ કરવામાં આવી છે કેમ કે તે પાઠ્યપુસ્તક નથી. પરંતુ જે વિરલ વ્યક્તિઓએ તે વાંચેલ છે તેઓ તેના પણ ગુણ જાણે છે. ઇતિહાસકારને તો એટલી ફુરસદ ક્યાંથી હોય કે તે એક એક ગ્રંથ પોતે વાંચે અને તેનું મૂલ્યાંકન કરે? થાય છે. મોટા ભાગે એવું જ કે જે ગ્રંથોની ચર્ચા વધુ થઈ હોય તેમને જ ઇતિહાસ-ગ્રંથમાં સ્થાન મળે છે, બીજા ગ્રંથોની પ્રાય: ઉપેક્ષા થાય છે. “યશસ્તિલક' જેવા ચંપૂની ઘણાં વર્ષો સુધી ઉપેક્ષા જ થતી રહી પરંતુ ડૉ. હિંદકીએ જ્યારે તે વિષયમાં આખું પુસ્તક લખી નાખ્યું ત્યારે તેની ઉપર વિદ્વાનોનું ધ્યાન ગયું. આ જ પરિસ્થિતિ જોઈને જ્યારે આ ઇતિહાસની યોજના બની રહી હતી ત્યારે ડૉ. એ. એન. ઉપાધ્યનું સૂચન હતું કે ઇતિહાસની પહેલાં વિભિન્ન ગ્રંથો કે વિભિન્ન વિષયો પર અભ્યાસલેખો લખાવવામાં આવે. એટલે ઇતિહાસની સામગ્રી તૈયાર થશે અને ઇતિહાસકાર માટે ઇતિહાસ લખવાનું સરળ બનશે. તેમનું આ બહુમૂલ્ય સૂચન યોગ્ય જ હતું પરંતુ ઉચિત એમ સમજવામાં આવ્યું કે જ્યાં સુધી આવા લેખો તૈયાર ન થઈ જાય ત્યાં સુધી હાથ પર હાથ ધરી બેસી રહેવું પણ ઠીક નથી. આથી નિશ્ચય થયો કે મધ્યમમાર્ગે જૈન સાહિત્યનો ઈતિહાસ અનેક વિદ્વાનોની મદદથી Page #37 -------------------------------------------------------------------------- ________________ લખવામાં આવે. તેમાં ગહન ચિંતનપૂર્વક સમીક્ષા કદાચ સંભવિત ન હોય તો પણ ગ્રંથનો સામાન્ય વિષય-પરિચય આપવામાં આવે, જેથી કેટલા વિષયના કયા કયા ગ્રંથો છે – તેની તો જાણ વિદ્વાનોને થઈ જ જશે અને પછી જિજ્ઞાસુ વિદ્વાનો પોતાના રસના ગ્રંથો જાતે વાંચવા લાગશે. આ વિચારને સ્વ. ડૉ. વાસુદેવશરણ અગ્રવાલે ગતિમાન કર્યો અને એવો નિશ્ચય થયો કે ઈ.સ. ૧૯૫૩માં અમદાવાદમાં ભરાનારા પ્રાચ્યવિદ્યા પરિષદના સંમેલનના અવસરે ત્યાં વિદ્વાનોની ઉપસ્થિતિ હશે, આથી તે અવસરનો લાભ ઉઠાવી એક યોજના વિદ્વાનો સમક્ષ મૂકવામાં આવે. આ જ વિચાર લઈને યોજનાનું પૂર્વરૂપ વારાસણીમાં તૈયાર કરવામાં આવ્યું અને અમદાવાદમાં ઉપસ્થિત નીચેના વિદ્વાનો સાથે પરામર્શ કરી તેને અંતિમ રૂપ આપવામાં આવ્યું - ૧. મુનિશ્રી પુણ્યવિજયજી ૨. આચાર્ય જિનવિજયજી ૩. પં. સુખલાલજી સંઘવી ૪. પં. બેચરદાસજી દોશી ૫. ડૉ. વાસુદેવશરણ અગ્રવાલ ૬. ડો. એ. એન. ઉપાધ્ય ૭. ડૉ. પી. એલ. વૈદ્ય ૮. ડૉ. મોતીચંદ્ર ૯. શ્રી અગરચંદ નાહટા ૧૦. ડૉ. ભોગીલાલ સાંડેસરા ૧૧. ડૉ. પ્રબોધ પંડિત ૧૨. ડૉ. ઈન્દ્રચંદ્ર શાસ્ત્રી ૧૩. પ્રા. પદ્મનાભ જૈની ૧૪. શ્રી બાલાભાઈ વીરચંદ દેસાઈ – જયભિખ્ખું ૧૫. શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા અહીં એ બતાવવું પણ જરૂરી છે કે વારાસણીમાં યોજનાસંબંધી વિચાર જ્યારે ચાલી રહ્યો હતો ત્યારે તેમાં સંપૂર્ણ સહયોગ પં. શ્રી મહેન્દ્રકુમારજીનો હતો અને તેમની પ્રેરણાથી પંડિતદ્વય શ્રી કૈલાશચંદ્રજી શાસ્ત્રી તથા શ્રી ફૂલચંદ્રજી શાસ્ત્રી પણ સહયોગ આપવા માટે તૈયાર થઈ ગયા હતા. પરંતુ યોજનાનું પૂર્વરૂપ જયારે તૈયાર થયું ત્યારે આ ત્રણે પંડિતોએ નિર્ણય કર્યો કે અમારે અલગ થઈ જવું જોઈએ. આથી તેમના સહયોગથી અમે વંચિત જ રહ્યા–એનું દુ:ખ સૌથી અધિક મને છે. અલગ, Page #38 -------------------------------------------------------------------------- ________________ થઈને તેમણે પોતાની જુદી યોજના બનાવી અને તે આનંદનો વિષય છે કે તેમની યોજના અંતર્ગત પં. શ્રી કૈલાશચંદ્ર દ્વારા લિખિત “જૈન સાહિત્ય કા ઇતિહાસ: પૂર્વપીઠિકા શ્રી ગણેશપ્રસાદ વર્મી જૈન ગ્રંથમાલા, વારાણસીથી વીરનિ. સં. ૨૪૮૯માં પ્રકાશિત થયેલ છે. જૈનો દ્વારા લિખિત સાહિત્યનો જેટલો વધુ પરિચય કરાવવામાં આવે તેટલો સારો જ છે. એ પણ લાભ છે કે વિવિધ દૃષ્ટિકોણથી સાહિત્યની સમીક્ષા થશે. આથી અમે એ યોજનાનું સ્વાગત જ કરીએ છીએ. અમદાવાદમાં વિદ્વાનોએ જે યોજનાને અંતિમ સ્વરૂપ આપ્યું તથા તે સમયે જે લેખકો નિશ્ચિત થયા તેમાંથી કેટલાકે જ્યારે પોતાનો અંશ લખીને આપ્યો નહિ ત્યારે તેટલો અંશ બીજા પાસે લખાવવો પડ્યો છે, પરંતુ મૂળ યોજનામાં પરિવર્તન કરવાનું ઉચિત સમજવામાં આવ્યું નથી. અમને આશા છે કે અમે યથાસંભવ તે મૂળ યોજના અનુસાર ઈતિહાસનું કાર્ય આગળ વધારીશું. “જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ જે કેટલાક ભાગોમાં પ્રકાશિત થવાનો છે તેમાં આ પ્રથમ ભાગ છે. જૈન અંગગ્રંથોનો પરિચય પ્રસ્તુત ભાગમાં મારે જ લખવાનો હતો પરંતુ થયું એમ કે પાર્શ્વનાથ વિદ્યાશ્રમે પં. બેચરદાસજીને બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જૈન આગમોના વિષય ઉપર વ્યાખ્યાન આપવા માટે આમંત્રિત કર્યા. તેમણે આ વ્યાખ્યાનો વિસ્તૃત રૂપે ગુજરાતીમાં લખ્યાં પણ હતાં. આથી એ ઉચિત સમજવામાં આવ્યું કે તે જ વ્યાખ્યાનોને આધારે પ્રસ્તુત ભાગ માટે અંગગ્રંથોનો પરિચય હિન્દીમાં લખવામાં આવે. ડૉ. મોહનલાલ મેહતાએ આ વાત સહર્ષ સ્વીકારી લીધી અને એ રીતે મારો ભાર હળવો થયો. ડૉ. મેહતાએ લખેલ “અંગ ગ્રંથોનો પરિચય પ્રસ્તુત ભાગમાં મુદ્રિત છે. પં. શ્રી બેચરદાસજીનું આગમોનું અધ્યયન ગહન છે, તેમની શોધખોળ પણ સ્વતંત્ર છે અને આગમોના વિષયમાં લખનારાઓમાં તેઓ અગ્રદૂત જ છે. તેમના જ વ્યાખ્યાનોના આધારે લખાયેલ પ્રસ્તુત અંગ-પરિચય જો વિદ્વાનોને અંગઆગમના અધ્યયન પ્રતિ આકર્ષિત કરી શકશે તો યોજકો આ પ્રયાસને સફળ માનશે. વૈદિકધર્મ અને જૈનધર્મઃ વૈદિકધર્મ અને જૈનધર્મની તુલના કરવામાં આવે તો જૈનધર્મનું જે રૂપ તેના પ્રાચીન સાહિત્યમાં ઉપલબ્ધ થાય છે, તે વેદમાં ઉપલબ્ધ થતા વૈદિક ધર્મથી અત્યધિક માત્રામાં સુસંસ્કૃત છે. વેદના ઇન્દ્ર આદિ દેવોનું રૂપ અને જૈનોના આરાધ્યનું સ્વરૂપ જોવામાં આવે તો વૈદિકદેવ સામાન્ય મનુષ્યથી અધિક શક્તિશાળી છે પરંતુ વૃત્તિઓની દષ્ટિથી હીન જ છે. માનવસહજ ક્રોધ, રાગ, દ્વેષ વગેરે વૃત્તિઓનું વૈદિક દેવોમાં સામ્રાજય છે Page #39 -------------------------------------------------------------------------- ________________ (૫) તો જૈનોના આરાધ્યોમાં આ વૃત્તિઓનો અભાવ જ છે. વૈદિકોના આ દેવોની પૂજ્યતા કોઈ આધ્યાત્મિક શક્તિના કારણે નહિ પરંતુ વિવિધ પ્રકારના અનુગ્રહ અને નિગ્રહની શક્તિના કારણે છે, જ્યારે જૈનોના આરાધ્યો આવી કોઈ શક્તિના કા૨ણે પૂજ્ય નથી પરંતુ વીતરાગતાના કારણે આરાધ્ય છે. આરાધકમાં વીતરાગ પ્રત્યે જે આદર છે તે તેને તેમની પૂજા માટે પ્રેરિત કરે છે, જ્યારે વૈદિક દેવોનો ડર આરાધકના યજ્ઞનું કારણ છે. વૈદિકોમાં ભૂદેવોની માન્યતા તો હતી, પરંતુ તેઓ કાળક્રમે સ્વાર્થી બની ગયા હતા. તેમને પોતાના પુરોહિતપણાની રક્ષા કરવાની હતી. પરંતુ જૈનોના ભૂદેવ વીતરાગ માનવો છે. તેમને યજ્ઞાદિ કરીને કમાણીનું કોઈ સાધન ઊભું કરવાનું ન હતું.ધાર્મિક કર્મકાંડમાં વૈદિકોમાં યજ્ઞ મુખ્ય હતો જે અધિકાંશ હિંસા કે પશુ-વધ વિના પૂર્ણ થતો નહિ. જ્યારે જૈન ધર્મમાં ક્રિયાકાંડ તપસ્યારૂપ છે—અનશન અને ધ્યાનરૂપ છે, જેમાં હિંસાનું નામ નથી. આ વૈદિક યજ્ઞો દેવોને પ્રસન્ન કરવા માટે કરવામાં આવતા જ્યારે જૈનોમાં પોતાના આત્માના ઉત્કર્ષ માટે જ ધાર્મિક અનુષ્ઠાન થતાં. તેમાં કોઈ દેવને પ્રસન્ન કરવાની વાતને કંઈ સ્થાન ન હતું. તેમના દેવો તો વીતરાગ હતા, જે પ્રસન્ન પણ ન થતા અને અપ્રસન્ન પણ ન થતા. તેઓ તો માત્ર અનુકરણીયના રૂપમાં આરાધ્ય હતા. વૈદિકોએ વિવિધ પ્રકારના ઇન્દ્રાદિ દેવોની કલ્પના કરી હતી, જે ત્રણેય લોકમાં હતા અને તેમનો વર્ગ મનુષ્યવર્ગથી જુદો હતો અને મનુષ્ય માટે તેઓ આરાધ્ય હતા. પરંતુ જૈનોએ જે એક વર્ગના રૂપમાં દેવો માન્યા છે તેઓ માનવવર્ગથી જુદા વર્ગના હોવા છતાં પણ તેમનો તે વર્ગ સહુ મનુષ્યો માટે આરાધ્ય કોટિમાં નથી. મનુષ્ય દેવોની પૂજા ભૌતિક ઉન્નતિ માટે ભલે કરે પરંતુ આત્મિક ઉન્નતિ માટે તો તેનાથી કોઈ લાભ નથી એવું મંતવ્ય જૈન ધર્મનું છે. આથી એવા જ વીતરાગ મનુષ્યોને જૈન ધર્મે માન્યા કે જે દેવોના પણ આરાધ્ય છે. દેવો પણ તે મનુષ્યોની સેવા કરે છે. સારાંશ એ છે કે દેવો નહિ પરંતુ માનવની પ્રતિષ્ઠા વધારવામાં જૈન ધર્મ અગ્રણી છે. દેવ કે ઇશ્વર આ વિશ્વનો નિર્માતા કે નિયંતા છે એવી કલ્પના વૈદિકોની જોવા મળે છે. તેના સ્થાને જૈનોનો સિદ્ધાંત છે કે સૃષ્ટિ તો અનાદિકાળથી ચાલી આવે છે, તેનું નિયંત્રણ કે સર્જન પ્રાણીઓનાં કર્મથી થાય છે, બીજા કોઈ કારણે નહિ. વિશ્વના મૂળમાં કોઈ એક જ તત્ત્વ હોવું જરૂરી છે—એ વિષયમાં વૈદિક નિષ્ઠાને જોવામાં આવે તો તે વિવિધ પ્રકારની છે. અર્થાત્ તે એક તત્ત્વ કયું છે એ વિષયમાં વિવિધ મતો છે, પરંતુ એ બધા મતો એ વાતમાં તો એકમત છે કે વિશ્વના મૂળમાં કોઈ એક જ તત્ત્વ હતું. આ વિષયમાં જૈનોનું સ્પષ્ટ મંતવ્ય છે કે વિશ્વના મૂળમાં કોઈ એક તત્ત્વ નહિ પરંતુ તે તો Page #40 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તત્ત્વોનું સંમેલન છે. વેદ પછી બ્રાહ્મણકાળમાં તો દેવો ગૌણ બની ગયા અને યજ્ઞો જ મુખ્ય બની ગયા. પુરોહિતોએ યજ્ઞક્રિયાનું એટલું મહત્ત્વ વધાર્યું કે યજ્ઞ જો ઉચિત વિધિથી થાય તો દેવતા માટે એ અનિવાર્ય થઈ ગયું કે તેઓ પોતાની ઈચ્છા ન હોય તો પણ યજ્ઞને પરાધીન થઈ જાય. એક રીતે આ દેવો ઉપર માનવોનો વિજય હતો, પરંતુ એમાં પણ દોષ એ હતો કે માનવનો એક વર્ગ–બ્રાહ્મણવર્ગ જ યજ્ઞવિધિને પોતાના એકાધિપત્યમાં રાખવા લાગ્યો હતો. તે વર્ગની અનિવાર્યતા એટલી વધારી દેવામાં આવી હતી કે તેમના વિના અને તેમના દ્વારા કરવામાં આવેલા વૈદિક મંત્રપાઠ તથા વિધિવિધાન વિના યજ્ઞની સંપૂર્તિ થઈ જ શકતી નહિ. પરંતુ જૈન ધર્મમાં તેનાથી વિપરીત જોવા મળે છે. જે પણ ત્યાગ-તપસ્યાનો માર્ગ અપનાવે તે ભલે શૂદ્ર પણ કેમ ન હોય, ગુરુપદ પ્રાપ્ત કરી શકતો હતો અને માનવમાત્રનો સાચો માર્ગદર્શક પણ બનતો હતો. શૂદ્ર વેદપાઠ કરી જ શકતો નહિ પરંતુ જૈન શાસ્ત્રપાઠમાં તેના માટે કોઈ બાધા ન હતી. ધર્મમાર્ગમાં સ્ત્રી અને પુરુષનો સમાન અધિકાર હતો, બંનેય સાધના કરીને મોક્ષ પામી શકતા હતા. | વેદાધ્યયનમાં શબ્દનું મહત્ત્વ હતું, આથી વેદમંત્રોના પાઠની સુરક્ષા થઈ, સંસ્કૃત ભાષાને પવિત્ર માનવામાં આવી, તેને મહત્ત્વ મળ્યું. પરંતુ જૈનોમાં પદનું નહિ પદાર્થનું મહત્ત્વ હતું. આથી તેમનામાં ધર્મના મૌલિક સિદ્ધાંતોની સુરક્ષા થઈ પરંતુ શબ્દોની સુરક્ષા થઈ નહિ. પરિણામ સ્પષ્ટ હતું કે તેઓ સંસ્કૃતને નહિ પરંતુ લોકભાષા પ્રાકૃતને જ મહત્ત્વ આપી શક્તા. પ્રાકૃત પોતાની પ્રકૃતિ અનુસાર હંમેશા એકરૂપ રહી જ શકી નહિ, તે બદલાતી જ ગઈ, બદલાતી જ ગઈ. જ્યારે વૈદિક સંસ્કૃત તે જ રૂપમાં આજે વેદોમાં ઉપલબ્ધ છે. ઉપનિષદોની પહેલાંના સમયમાં વૈદિક ધર્મમાં બ્રાહ્મણોનું પ્રભુત્વ સ્પષ્ટરૂપે જણાઈ આવે છે, જ્યારે જ્યારથી જૈન ધર્મનો ઇતિહાસ જ્ઞાત છે ત્યારથી તેમાં બ્રાહ્મણ નહિ પરંતુ ક્ષત્રિય વર્ગને જ નેતા માનવામાં આવેલ છે. ઉપનિષદકાળમાં વૈદિક ધર્મમાં બ્રાહ્મણો સમક્ષ ક્ષત્રિયોએ પોતાનું મસ્તક ઉઠાવ્યું અને તે પણ વિદ્યાના ક્ષેત્રમાં. પરંતુ તે વિદ્યા વેદ ન હોતાં આત્મવિદ્યા હતી અને ઉપનિષદોમાં આત્મવિદ્યાનું જ પ્રાધાન્ય થઈ ગયું છે. એ વાત બ્રાહ્મણ વર્ગ ઉપર સ્પષ્ટરૂપે ક્ષત્રિયોનાં પ્રભુત્વની સૂચના આપે છે. વૈદિક અને જૈન ધર્મમાં આ રીતનો વિરોધ જોઈને આધુનિક પશ્ચિમના વિદ્વાનોએ પ્રારંભમાં એમ લખવાનું શરૂ કર્યું કે બૌદ્ધ ધર્મની જ માફક જૈન ધર્મ પણ વૈદિક ધર્મના વિરોધ માટે ઊભો થયેલો એક ક્રાંતિકારી નવો ધર્મ છે અથવા તે બૌદ્ધ ધર્મની એક શાખા માત્ર છે. પરંતુ જેમ જેમ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના મૌલિક સાહિત્યનું વિશેષ Page #41 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન વધ્યું, પશ્ચિમી વિદ્વાનોએ જ તેમનો ભ્રમ દૂર કર્યો અને હવે સમજદાર પશ્ચિમી વિદ્વાનો અને ભારતીય વિદ્વાનો પણ એ ઉચિત જ માને છે કે જૈન ધર્મ એક સ્વતંત્ર ધર્મ છે – તે વૈદિક ધર્મની શાખા નથી. પરંતુ આપણે ત્યાંના કેટલાક અધકચરા વિદ્વાનો હજુ પણ પેલા જૂના પશ્ચિમી વિદ્વાનોનું અનુકરણ કરીને એમ લખી રહ્યા છે કે જૈન ધર્મ તો વૈદિક ધર્મની શાખામાત્ર છે અથવા વેદધર્મના વિરોધમાં ઊભો થયેલો નવો ધર્મ છે. જો કે અમે પ્રાચીનતાના પક્ષપાતી નથી, પ્રાચીન હોવા માત્રથી જ જૈન ધર્મ સારો નથી થઈ જતો પરંતુ જે પરિસ્થિતિ છે તેનું યથાર્થરૂપે નિરૂપણ જરૂરી હોવાથી એમ કહી રહ્યા છીએ કે જૈન ધર્મ વેદના વિરોધમાં ઊભો થયેલ નવો ધર્મ નથી. અન્ય વિદ્વાનોનું અનુસરણ કરીને અમે એમ કહેવા માટે બાધ્ય છીએ કે ભારત બહારના પ્રદેશમાં રહેનાર આર્ય લોકો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે જે ધર્મ સાથે ભારતમાં તેમની ટક્કર થઈ હતી તે ધર્મનું જ વિકસિત રૂપ જૈન ધર્મ છે – આમ હોવું અધિક સંભવિત છે.જો વેદમાંથી જ આ ધર્મનો વિકાસ થયો હોત કે માત્ર વૈદિક ધર્મનો વિરોધ જ કરવાનો હોત તો જેમ અન્ય વૈદિકોએ વેદનું પ્રામાણ્ય માનીને જ વેદવિરોધી વાતોનું પ્રવર્તન કર્યું, જેમ કે ઉપનિષદના ઋષિઓએ, તેવી જ રીતે જૈન ધર્મમાં પણ થાત, પરંતુ આમ થયું નથી. તેઓને તો નાસ્તિક જ ગણવામાં આવ્યા – વેદનિંદક જ ગણવામાં આવ્યા છે – તેમણે વેદપ્રામાણ્ય ક્યારેય સ્વીકૃત કર્યું જ નથી. આવી પરિસ્થિતિમાં તેને વૈદિક ધર્મની શાખા ગણી શકાય નહિ. સત્ય તો તે છે કે વેદને માનનારા આર્યો જેમ જેમ પૂર્વ તરફ આગળ વધે છે તેમ તેમ તેઓ ભૌતિકતાથી દૂર ખસીને આધ્યાત્મિકતામાં અગ્રેસર થતા રહ્યા છે. આમ કેમ થયું? આનાં કારણોની જ્યારે શોધ કરવામાં આવે છે ત્યારે એ જ ફલિત થાય છે કે જેમ જેમ સંસ્કારી પ્રજાના પ્રભાવમાં આવ્યા તેમ તેમ તેમણે પોતાની માન્યતા બદલી છે–એ જ બદલાતી માન્યતાનું ગુંજન ઉપનિષદોની રચનામાં જોઈ શકાય છે. ઉપનિષદોમાં કેટલીક વેદ-માન્યતાઓનો વિરોધ તો છે છતાં પણ તે વેદના અંગો બન્યા અને વેદાંત કહેવાયાં, એ એક બાજુ વેદનો પ્રભાવ અને બીજી બાજુ નવી સૂઝનો સમન્વય જ તો છે. વેદનું અંગ બનીને વેદાંત કહેવાયાં અને એક રીતે વેદનો અંત પણ કરી દીધો. ઉપનિષદો બની ગયા પછી દાર્શનિકોએ વેદને એક બાજુ રાખી ઉપનિષદોના સહારે જ વેદની પ્રતિષ્ઠા વધારવાનું શરૂ કર્યું. વેદભક્તિ રહી પરંતુ નિષ્ઠા તો ઉપનિષદોમાં જ વધી. એક સમય એવો પણ આવ્યો કે વેદનો શબ્દમાત્ર રહી ગયો અને અર્થ નગણ્ય બની ગયો. તેના અર્થનો ઉદ્ધાર મધ્યકાળમાં થયો તે પણ વેદાંતના અર્થને અગ્રસર કરીને જ થયો. આધુનિક સમયમાં પણ દયાનંદ જેવાઓએ પણ એ સાહસ નથી કર્યું કે વેદના મૌલિક હિંસાપ્રધાન અર્થની પ્રતિષ્ઠા કરે. વેદના હાસનું આ કારણ પૂર્વ ભારતની પ્રજાના સંસ્કારોમાં નિહિત છે અને જૈન ધર્મના પ્રવર્તક Page #42 -------------------------------------------------------------------------- ________________ મહાપુરુષો જેટલા પણ થઈ ગયા છે તેઓ મુખ્યત્વે પૂર્વ ભારતનું જ પ્રદાન છે. જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે સહજપણે જ અનુમાન થાય છે કે પૂર્વ ભારતનો આ ધર્મજ જૈન ધર્મના ઉદયનું કારણ બની શકે છે, કે જેણે વૈદિક ધર્મને પણ નવું રૂપ આપ્યું અને હિંસક તથા ભૌતિક ધર્મને અહિંસા અને આધ્યાત્મિકતાનો નવો પાઠ ભણાવ્યો. જ્યાં સુધી પશ્ચિમી વિદ્વાનોએ માત્ર વેદ અને વૈદિક સાહિત્યનું અધ્યયન કર્યું હતું અને જ્યાં સુધી સિંધુ સંસ્કૃતિને પ્રકાશમાં લાવનાર ખોદકામ થયું ન હતું ત્યાં સુધી – ભારતમાં જે કંઈ સંસ્કૃતિ છે તેનું મૂળ વેદમાં જ હોવું જોઈએ – એવું પ્રતિપાદન તેઓ કરતા રહ્યા. પરંતુ જ્યારથી મોહન-જો-દરો અને હડપ્પાનું ખોદકામ થયું છે ત્યારથી પશ્ચિમના વિદ્વાનોએ પોતાનો મત બદલ્યો છે અને વેદ ઉપરાંત વેદથી પણ ચડિયાતી વેદપૂર્વકાલીન ભારતીય સંસ્કૃતિ હતી – એવા પરિણામ પર પહોંચ્યા છે. અને હવે તો તે તથાકથિત સિંધુ સંસ્કૃતિના અવશેષો પ્રાયઃ સમગ્ર ભારતવર્ષમાં જોવા મળે છે – એવી પરિસ્થિતિમાં ભારતીય ધર્મોના ઇતિહાસને તે નવા પ્રકાશમાં જોવાનો પ્રારંભ પશ્ચિમી અને ભારતીય વિદ્વાનોએ કર્યો છે અને કેટલાય વિદ્વાનો એ પરિણામ પર પહોંચ્યા છે કે જૈન ધર્મ વૈદિક ધર્મથી સ્વતંત્ર છે, તે તેની શાખા નથી અને ન તો માત્ર તે તેના વિરોધમાં ઊભો થયેલ છે. પ્રાચીન યતિ-મુનિ-શ્રમણ : મોહન-જો-દરોમાં અને હડપ્પામાં જે ખોદકામ થયું તેના અવશેષોનું અધ્યયન કરીને વિદ્વાનોએ તેની સંસ્કૃતિને સિંધુ સંસ્કૃતિ નામ આપ્યું હતું અને ખોદકામમાં સહુથી નિમ્ન સ્તરમાં મળેલા અવશેષો વૈદિક સંસ્કૃતિથી પણ પ્રાચીન સંસ્કૃતિના અવશેષો છે એવું પ્રતિપાદન કર્યું હતું. સિંધુ સંસ્કૃતિની જેવી જ સંસ્કૃતિના અવશેષો હવે તો ભારતના અનેક ભાગોમાં મળ્યા છે – તે જોતાં તે પ્રાચીન સંસ્કૃતિનું નામ સિંધુ સંસ્કૃતિ અવ્યાપ્ત બની જાય છે. વૈદિક સંસ્કૃતિ જો ભારત બહારથી આવનારા આર્યોની સંસ્કૃતિ છે તો સિંધુ સંસ્કૃતિનું યથાર્થ નામ ભારતીય સંસ્કૃતિ જ હોઈ શકે. અનેક સ્થળે થયેલાં ખોદકામમાં જે વિવિધ પ્રકારની મહોરો મળી છે તેમના પર કોઈ ને કોઈ લિપિમાં લખાણ પણ મળ્યું છે. તે લિપિ સંભવિત છે કે ચિત્રલિપિ હોય. પરંતુ દુર્ભાગ્યે તે લિપિનું યથાર્થ વાચન હજી સુધી થઈ શક્યું નથી. એવી સ્થિતિમાં તેની ભાષાના વિષયમાં કંઈ પણ કહેવું સંભવિત નથી અને તે લોકો પોતાના ધર્મને શું કહેતા હતા તે કોઈ લિખિત પ્રમાણ દ્વારા જાણવાનું સંભવિત નથી. પરંતુ જે અન્ય સામગ્રી મળી છે તેના પરથી વિદ્વાનોનું અનુમાન છે કે તે પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં યોગનું સ્થાન અવશ્ય હતું. એ તો આપણે સારી રીતે જાણીએ છીએ કે વૈદિક આર્યોમાં Page #43 -------------------------------------------------------------------------- ________________ (૯) વેદ અને બ્રાહ્મણકાળમાં યોગની કોઈ ચર્ચા મળતી નથી. તેમાં તો યજ્ઞને જ મહત્ત્વનું સ્થાન મળ્યું છે. બીજી બાજુ જૈન-બૌદ્ધમાં યજ્ઞનો વિરોધ હતો અને યોગનું મહત્ત્વ. આવી પરિસ્થિતિમાં જો જૈન ધર્મને તથાકથિત સિંધુ સંસ્કૃતિ સાથે પણ સંબદ્ધ કરવામાં આવે તો તે ઉચિત ઠરશે. હવે પ્રશ્ન એ છે કે વેદકાળમાં તેનું નામ શું રહ્યું હશે? આર્યોએ જેમની સાથે યુદ્ધ કર્યું તેમને દાસ, દસ્યુ જેવાં નામો આપ્યાં છે. પરંતુ તેનાથી આપણું કામ સરતું નથી. આપણે તો તે શબ્દ જોઈએ જેનાથી તે સંસ્કૃતિનો બોધ થતો હોય, જેમાં યોગપ્રક્રિયાનું મહત્ત્વ હોય. આ દાસ-દસ્યઓ પુરોમાં રહેતા હતા અને તેમના પુરોનો નાશ કરીને આર્યોના નાયક ઈન્દ્ર પુરંદરની પદવી પ્રાપ્ત કરી હતી. એ જ ઈન્દ્ર યતિઓ અને મુનિઓની પણ હત્યા કરી હતી તેવો ઉલ્લેખ મળે છે (અથર્વ, ર. ૫. ૩). અધિક સંભવિત એ જ છે કે આ મુનિ અને યતિ શબ્દો તે મૂળ ભારતના નિવાસીઓની સંસ્કૃતિના સૂચક છે અને આ જ શબ્દોની વિશેષ પ્રતિષ્ઠા જૈન સંસ્કૃતિમાં પ્રારંભથી જ જોવામાં પણ આવે છે. આથી જો જૈન ધર્મનું પ્રાચીન નામ યતિધર્મ કે મુનિધર્મ માનવામાં આવે તો તેમાં આપત્તિની કોઈ વાત નહિ હોય. યતિ કે મુનિધર્મદીર્ઘકાળના પ્રવાહમાં વહેતો વહેતો અનેક શાખા-પ્રશાખાઓમાં વિભક્ત થઈ ગયો હતો. એ જ હાલ વૈદિકોનાં પણ હતાં. પ્રાચીન જૈન અને બૌદ્ધ શાસ્ત્રોમાં ધર્મોના વિવિધ પ્રવાહોને સૂત્રબદ્ધ કરીને શ્રમણ અને બ્રાહ્મણ આ બે વિભાગોમાં વહેંચવામાં આવેલ છે. તેમાં બ્રાહ્મણ તો તેઓ છે કે જે વૈદિક સંસ્કૃતિના અનુયાયીઓ છે અને બાકીના બધાનો સમાવેશ શ્રમણોમાં થતો હતો. આથી આ દૃષ્ટિએ આપણે કહી શકીએ કે ભગવાન મહાવીર અને બુદ્ધના સમયમાં જૈન ધર્મનો સમાવેશ શ્રમણવર્ગમાં થતો હતો. ઋગ્વદ (૧૦.૧૩૬.૨)માં “વાતરશના મુનિ'નો ઉલ્લેખ થયો છે, જેનો અર્થ છે નગ્ન મુનિ. અને આરણ્યકોમાં આવતાં તો “શ્રમણ” અને “વાતરશના”નું એકીકરણ પણ ઉલ્લિખિત છે. ઉપનિષદોમાં તાપસ અને શ્રમણોને એક બતાવવામાં આવ્યા છે (બૃહદા ૦૪. ૩. ૨૨). આ બધાનો એક સાથે વિચાર કરીએ તો શ્રમણોની તપસ્યા અને યોગની પ્રવૃત્તિ સમજાય છે. ઋગ્વદના વાતરશના મુનિ અને યતિ પણ તેઓ જ હોઈ શકે છે. આ દૃષ્ટિએ પણ જૈન ધર્મનો સંબંધ શ્રમણ-પરંપરા સાથે સિદ્ધ થાય છે અને આ શ્રમણ-પરંપરાનો વિરોધ બ્રાહ્મણ-પરંપરાથી ચાલ્યો આવે છે, તેની સિદ્ધિ ઉક્ત વૈદિક તથ્યથી પણ થાય છે કે ઇન્દ્ર યતિઓ અને મુનિઓની હત્યા કરી તથા પતંજલિના તે વક્તવ્યથી પણ થાય છે જેમાં કહેવામાં આવ્યું છે કે શ્રમણો અને બ્રાહ્મણોનો શાશ્વત વિરોધ છે (પાતંજલ મહાભાષ્ય ૫. ૪. ૯). જૈન શાસ્ત્રોમાં પાંચ પ્રકારના શ્રમણો ગણાવવામાં આવ્યા છે તેમાં એક નિગ્રંથ શ્રમણોનો પ્રકાર છે – આ Page #44 -------------------------------------------------------------------------- ________________ (૧૦) જ જૈન ધર્મના અનુયાયી શ્રમણો છે. તેમનો બૌદ્ધ ગ્રંથોમાં નિગ્રંથ નામે પરિચય કરાવવામાં આવ્યો છે – આનાથી તે મતની પુષ્ટિ થાય છે કે જૈન મુનિ કે યતિને ભગવાન બુદ્ધના સમયમાં નિગ્રંથ કહેવામાં આવતા હતા અને તેઓ શ્રમણોના એક વર્ગમાં સામેલ હતા. સારાંશ એ છે કે વેદકાળમાં જૈનોના પૂર્વજો મુનિઓ કે યતિઓમાં સામેલ હતા. તે પછી તેમનો સમાવેશ શ્રમણોમાં થયો અને ભગવાન મહાવીરના સમયમાં તેઓ નિગ્રંથ નામે વિશેષપણે પ્રસિદ્ધ હતા. જૈન નામ જૈનોની જેમ બૌદ્ધોને માટે પણ પ્રસિદ્ધ રહ્યું છે કેમ કે બંનેમાં જિનની આરાધના સમાન રૂપે થતી હતી. પરંતુ ભારતમાંથી બૌદ્ધ ધર્મના પ્રાયઃ લોપ પછી માત્ર મહાવીરના અનુયાયીઓને માટે જૈન નામ રહી ગયું જે આજ સુધી ચાલુ છે. તીર્થકરોની પરંપરાઃ જૈન પરંપરા અનુસાર આ ભારતવર્ષમાં કાળચક્ર ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં વિભક્ત છે. પ્રત્યેકમાં છ આરા હોય છે. અત્યારે અવસર્પિણી કાળ ચાલી રહ્યો છે. તેની પહેલાં ઉત્સર્પિણી કાળ હતો. અવસર્પિણી સમાપ્ત થતાં ફરી ઉત્સર્પિણી કાળચક્ર શરૂ થશે. એ રીતે અનાદિકાળથી આ ચક્ર ચાલી રહ્યું છે અને અનંતકાળ સુધી ચાલશે. ઉત્સર્પિણીમાં બધા ભાવો ઉન્નતિ પામે છે અને અવસર્પિણીમાં હૃાસ. પરંતુ બંનેમાં તીર્થંકરોનો જન્મ થાય છે. તેમની સંખ્યા પ્રત્યેકમાં ૨૪ની માનવામાં આવી છે. તદનુસાર પ્રસ્તુત અવસર્પિણીમાં અત્યાર સુધીમાં ૨૪ તીર્થંકરો થઈ ચૂક્યા છે. અંતિમ તીર્થકર વર્ધમાન મહાવીર થયા અને પ્રથમ તીર્થકર ઋષભદેવ. આ બંનેની વચ્ચેનું અંતર અસંખ્ય વર્ષોનું છે. અર્થાતુ જૈન પરંપરા અનુસાર ઋષભદેવનો સમય ભારતીય જ્ઞાત ઇતિહાસકાળમાં આવતો નથી. તેમના અસ્તિત્વકાળની યથાર્થતા સિદ્ધ કરવાનું આપણી પાસે કોઈ સાધન નથી. આથી આપણે તેમને પૌરાણિકકાળ અંતર્ગત મૂકી શકીએ. તેમની અવધિ નિશ્ચિત કરતા નથી. પરંતુ ઋષભદેવનું ચરિત્ર જૈન પુરાણોમાં વર્ણિત છે અને તેમાં જે સમાજનું ચિત્રણ છે તે એવો છે કે તેને આપણે સંસ્કૃતિનો ઉષ:કાળ કહી શકીએ. તે સમાજમાં રાજા ન હતો, લોકોને લખતાં-વાંચતાં, ખેતી કરતાં અને હથિયાર ચલાવતાં આવડતું નહિ. સમાજમાં હજુ સુસંસ્કૃત લગ્નપ્રથાએ પ્રવેશ કર્યો ન હતો. ભાઈ-બહેન પતિ-પત્નીની માફક વ્યવહાર કરતા અને સંતાનોત્પત્તિ થતી. આ સમાજને સુસંસ્કૃત બનાવવાનો પ્રારંભ ઋષભદેવે કર્યો. અહીં આપણને ઋગ્વદના યમ-યમી સંવાદની યાદ આવે છે. તેમાં યમી જે યમની બહેન છે તે યમ સાથે સંભોગની ઇચ્છા કરે છે પરંતુ યમે તેની વાત માની નહિ અને Page #45 -------------------------------------------------------------------------- ________________ (૧૧) બીજા પુરુષની શોધ કરવા કહ્યું. આમાંથી એવો અણસાર મળે છે કે ભાઈ-બહેનનું પતિ-પત્ની બની રહેવું કોઈ કાળે સમાજમાં માન્ય હતું પરંતુ તે પ્રથા પ્રત્યે ઋગ્વદના સમયમાં અરુચિ સ્પષ્ટ જણાય છે. ઋગ્વદનો સમાજ ઋષભદેવકાલીન સમાજથી આગળ વધેલો છે – એમાં સંદેહ નથી. કૃષિ વગેરેનું તે સમાજમાં પ્રચલન સ્પષ્ટ છે. આ દૃષ્ટિએ જોવામાં આવે તો ઋષભદેવના સમાજનો કાળ ઋગ્વદથી પણ પ્રાચીન થઈ જાય છે. કેટલો પ્રાચીન તે કહેવું સંભવિત નથી, આથી તેની ચર્ચા કરવી નિરર્થક છે. જે રીતે જૈન શાસ્ત્રોમાં રાજપરંપરાની સ્થાપનાની ચર્ચા છે અને ઉત્સર્પિણી અને અવસર્પિણીકાળની વ્યવસ્થા છે તેવી જ રીતે કાળની દૃષ્ટિએ ઉન્નતિ અને હાસનું ચિત્ર તથા રાજપરંપરાની સ્થાપનાનું ચિત્ર બૌદ્ધ પરંપરામાં પણ મળે છે. તે માટે દીઘનિકાયના ચક્કવત્તિસુત્ત (ભાગ ૩, પૃ. ૪૬) તથા અગ્ન...સુત્ત (ભાગ ૩, પૃ. ૬૩) જોવા જોઈએ. જૈન પરંપરાના કુલકરોની પરંપરામાં નાભિ અને તેમના પુત્ર ઋષભનું જે સ્થાન છે લગભગ તેવું જ સ્થાન બૌદ્ધ પરંપરામાં મહાસમ્મતનું છે (અચ્ચમ્મસુત્તદીધો અને સામયિક પરિસ્થિતિ પણ બંનેમાં લગભગ લગભગ સમાન રૂપે ચિત્રિત છે. સંસ્કૃતિના વિકાસનો તેને પ્રારંભકાળ કહી શકાય. આ બધાં વર્ણનો પૌરાણિક છે, તે જ તેમની પ્રાચીનતાનાં પ્રબળ પ્રમાણ ગણી શકાય. હિંદુ પુરાણોમાં ઋષભચરિતે સ્થાન મેળવ્યું છે અને તેમનાં માતા-પિતા મરુદેવી તથા નાભિનાં નામો પણ તે જ છે જે જૈન પરંપરા માને છે અને તેમનાં ત્યાગ અને તપસ્યાનું પણ તે જ રૂપ છે જેવું જૈન પરંપરામાં વર્ણિત છે. આશ્ચર્ય તો એ છે કે તેમને વેદવિરોધી માનવા છતાં પણ બુદ્ધની માફક વિષ્ણુના અવતારરૂપે માનવામાં આવ્યા છે.' આ એ વાતનું પ્રમાણ છે કે ઋષભનું વ્યક્તિત્વ પ્રભાવક હતું અને જનતામાં પ્રતિષ્ઠિત પણ. એમ ન હોત તો વૈદિક પરંપરામાં તથા પુરાણોમાં તેમને વિષ્ણુના અવતારરૂપે સ્થાન ન મળત. જેન પરંપરામાં તો તેમનું સ્થાન પ્રથમ તીર્થંકરના રૂપમાં નિશ્ચિત કરવામાં આવ્યું છે. તેમની સાધનાનો ક્રમ યજ્ઞ ન હોતાં તપસ્યા છે – આ એ વાતનું પ્રમાણ છે કે તેઓ મુખ્યરૂપે શ્રમણ પરંપરા સાથે સંબદ્ધ હતા. શ્રમણ પરંપરામાં યજ્ઞ દ્વારા દેવમાં નહિ પરંતુ પોતાના કર્મ દ્વારા પોતાનામાં વિશ્વાસ મુખ્ય છે. પં. શ્રી કૈલાશચંદ્ર શિવ અને ઋષભના એકીકરણની જે સંભાવના પ્રકટ કરી છે અને જૈન તથા શૈવ ધર્મનું મૂળ એક પરંપરામાં શોધવાનો જે પ્રયાસ કર્યો છે તે સર્વમાન્ય ૧. History of Dharmasastra, Vol. V, pt. II, p. 995; નૈ. સી. રૂ. પૂ., પૃ. ૨૨૦. ૨. નૈ. સી. . પૂ., પૃ. ૨૦૭. Page #46 -------------------------------------------------------------------------- ________________ (૧૨) હોય કે ન હોય પરંતુ એટલું તો કહી શકાય કે ઋષભનું વ્યક્તિત્વ એવું હતું કે જે વૈદિકોને પણ આકર્ષિત કરતું હતું અને તેમની પ્રાચીનકાળથી એવી પ્રસિદ્ધિ રહી કે જેની ઉપેક્ષા કરવી સંભવિત ન હતી. આથી ઋષભચરિતે એક અથવા બીજા પ્રસંગમાં વેદોથી માંડી પુરાણો અને અંતમાં શ્રીમદ્ ભાગવતમાં પણ વિશિષ્ટ અવતારોનાં વર્ણનમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આથી જ ડૉ. જેકોબીએ પણ જૈનોની આ પરંપરામાં કે જૈન ધર્મનો પ્રારંભ ઋષભદેવથી થયો છે – સત્યની સંભાવના માની છે.' ડૉ. રાધાકૃષ્ણને યજુર્વેદમાં ઋષભ, અજિતનાથ અને અરિષ્ટનેમિનો ઉલ્લેખ હોવાની વાત કરી છે પરંતુ ડૉ. શુબિંગ માને છે કે તેવી કોઈ સૂચના તેમાં નથી. પં. શ્રી કૈલાશચંદ્ર ડૉ. રાધાકૃષ્ણનનું સમર્થન કર્યું છે. પરંતુ આ વિષયના નિર્ણય માટે અધિક સંશોધનની આવશ્યકતા છે. એક એવી પણ માન્યતા વિદ્વાનોમાં પ્રચલિત છે કે જૈનોએ પોતાના ૨૪ તીર્થકરોની નામાવલિની પૂર્તિ પ્રાચીનકાળમાં ભારતમાં પ્રસિદ્ધ તે મહાપુરુષોના નામો લઈને કરી છે કે જેઓ જૈન ધર્મને અપનાવનારા વિભિન્ન વર્ગોના લોકોમાં માન્ય હતા. આ વિષયમાં અમે તેટલું જ કહેવા માગીએ છીએ કે આ મહાપુરુષો યજ્ઞોની - હિંસક યજ્ઞોની પ્રતિષ્ઠા કરનારા ન હતા પરંતુ કરુણાની અને ત્યાગ-તપસ્યાની તથા આધ્યાત્મિક સાધનાની પ્રતિષ્ઠા કરનારા હતા – એમ માનવામાં આવે તો આમાં આપત્તિનો કોઈ પ્રશ્ન ઉઠતો નથી. જૈન પરંપરામાં ઋષભથી માંડી ભગવાન મહાવીર સુધી ૨૪ તીર્થકર માનવામાં આવે છે. તેમાંના કેટલાકનો જ નિર્દેશ જૈનેતર શાસ્ત્રોમાં છે. તીર્થકરોની જે કથાઓ જૈન પુરાણોમાં આપવામાં આવી છે તેમાં એવી કથાઓ પણ છે જે અન્યત્ર પણ પ્રસિદ્ધ છે પરંતુ નામાંતરથી. આથી તેમના પર વિશેષ વિચાર ન કરતાં અહીં તે જ તીર્થકરો પર વિશેષ વિચાર કરવાનો છે કે જેમનું નામસામ્ય અન્યત્ર ઉપલબ્ધ છે અથવા જેમના વિષયમાં વિના નામે પણ નિશ્ચિત પ્રમાણો મળી શકે છે. બૌદ્ધ અંગુત્તરનિકાયમાં પૂર્વકાળે થનારા સાત શાસ્તા વીતરાગ તીર્થકરોની વાત ભગવાન બુદ્ધ કરી છે – ૧. 4. સા. ૬. પૂ, પૃ. 4. 2. Doctrine of the Jainas, p. 28, fn 2. ૩. વૈ. સ. રૂ. ૫, પૃ. ૨૦૮. 8. Doctrine of the Jainas, p. 28. Page #47 -------------------------------------------------------------------------- ________________ (૧૩) "भूतपुव्वं भिक्खवे सुनेत्तो नाम सत्था अहोसि तित्थकरो कामेसु वीतरागो.... मुगपक्ख....अरनेमि...कुद्दालक....हत्थिपाल...जोतिपाल अरको नाम सत्था अहोसि तित्थकरो कामेसु वीतरागो। अरकस्स खो पन, भिक्खवे, सत्थुनो अनेकानि सावकसतानि अहेसुं" (ભાગ ૩, પૃ. ૨૫૬-૨૫૭) આ જ પ્રસંગમાં અરકસુત્તમાં અરકનો ઉપદેશ કેવો હતો, તે પણ ભગવાન બુદ્ધ વર્ણવેલ છે. તેમનો ઉપદેશ હતો કે “અપ્પ / કવિતં મનુસ્સાનં પરિd, તદુવં વહિવુમવું बहुपायासं मन्तयं बोद्धव्वं कत्तब्बं कुसलं, चरितब्बं ब्रह्मचरियं, नत्थि जातस्स अमरणं" (પૃ. ૨૫૭) અને મનુષ્ય જીવનની આ નશ્વરતા માટે ઉપમા આપી છે કે સૂર્યના ઊગી નીકળવાથી જેમ તૃણાસ્ત્રમાં સ્થિત (ઘાસ વગેરે પર પડેલ) ઝાકળબિંદુ તરત જ નાશ પામે છે તેવી જ રીતે મનુષ્યનું આ જીવન પણ શીધ્ર મરણાધીન હોય છે. આ રીતે આ ઝાકળબિંદુની ઉપમા ઉપરાંત પાણીના પરપોટા અને પાણીમાં દંડરાજિ વગેરેનું પણ ઉદાહરણ આપીને જીવનની ક્ષણિકતા બતાવવામાં આવી છે (પૃ. ૨૫૮). અરકના આ ઉપદેશની સાથે ઉત્તરાધ્યયનગત “સમયે યમ મા પમાયા' ઉપદેશ તુલના કરવાલાયક છે (ઉત્તરા. ૧૦). તેમાં પણ જીવનની ક્ષણિકતા ઉપર ભાર આપવામાં આવ્યો છે અને અપ્રમાદી બનવાનું કહેવામાં આવેલ છે. તેમાં પણ કહ્યું છે : कुसग्गे जह ओसबिन्दुए थोवं चिट्ठइ लंबमाणए । एवं मणुयाण जीवियं समयं गोयम मा पमायए ॥ અરકના સમય વિષયમાં ભગવાન બુદ્ધે કહ્યું છે કે અરક તીર્થકરના સમયમાં મનુષ્યોનું આયુષ્ય ૬૦ હજાર વર્ષનું હતું, પ00વર્ષની કુમારિકા પતિને યોગ્ય માનવામાં આવતી હતી. તે સમયના મનુષ્યોને માત્ર પ્રકારની પીડા થતી હતી – ઠંડી, ગરમી, ભૂખ, તરસ, મૂત્ર અને મળવિસર્જન. આ ઉપરાંત કોઈ રોગાદિની પીડા હતી નહિ. આટલું મોટું આયુષ્ય અને આટલી ઓછી પીડા છતાં પણ અરકનો ઉપદેશ જીવનની નશ્વરતાનો અને જીવનમાં બહુ દુઃખનો હતો. ભગવાન બુદ્ધ દ્વારા વર્ણવાયેલ આ અરક તીર્થંકરની વાતનો અઢારમા જૈન તીર્થકર અરની સાથે કંઈ મેળ બેસે છે કે નહિ તે વિચારણીય છે. જૈન શાસ્ત્રોના આધારે અરનું આયુષ્ય ૮૪,૦૦૦ વર્ષ માનવામાં આવેલ છે અને તેમની પછી થનારા મલ્લિ તીર્થકરનું આયુષ્ય પપ,૦૦૦ વર્ષ છે. આથી પૌરાણિક દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તો અરકનો સમય અર અને મલ્લિની વચ્ચે આવે છે. આ આયુષ્યના ભેદને ન માનવામાં આવે તો એટલું કહી જ શકાય કે અર કે અરક નામે કોઈ મહાન વ્યક્તિ Page #48 -------------------------------------------------------------------------- ________________ (૧૪) પ્રાચીન પુરાણકાળમાં થયા હતા જેમને બૌદ્ધ અને જૈન બંનેએ તીર્થકરનું પદ આપ્યું છે. બીજી વાત એ પણ ધ્યાન આપવા યોગ્ય છે કે આ અરકની ય પહેલાં બુદ્ધના મતે અરનેમિ નામે એક તીર્થંકર થયા છે. બુદ્ધે બતાવેલા અરનેમિ અને જૈન તીર્થકર અર વચ્ચે પણ કંઈક સંબંધ હોઈ શકે છે. નામસામ્ય આંશિક રૂપે છે જ અને બંનેની પૌરાણિકતા પણ માન્ય છે. બૌદ્ધ થેરગાથામાં એક અજિત થેરના નામે ગાથા છે - मरणे मे भयं नत्थि निकन्ति नत्थि जीविते । सन्देहं निक्खिपिस्सामि सम्पजानो पटिस्सतो ।। - થેરગાથા ૧. ૨૦. તેની અટ્ટકથામાં કહેવામાં આવ્યું છે કે તે અજિત ૯૧ કલ્પની પહેલાં પ્રત્યેકબુદ્ધ થઈ ગયા છે. જૈનોના બીજા તીર્થંકર અજિત અને આ પ્રત્યેકબુદ્ધ અજિત યોગ્યતા અને નામ ઉપરાંત પૌરાણિકતામાં પણ સામ્ય ધરાવે છે. મહાભારતમાં અજિત અને શિવનું ઐક્ય વર્ણિત છે. બૌદ્ધોના, મહાભારતના અને જૈનોના અજિત એક છે કે જુદા તે કહેવું મુશ્કેલ છે. પરંતુ એટલું તો કહી જ શકાય કે અજિત નામે વ્યક્તિએ પ્રાચીન કાળમાં પ્રતિષ્ઠા મેળવી હતી. બૌદ્ધ પિટકમાં નિઝ્મથ નાતપુત્તનું નામ કેટલીય વાર આવે છે અને તેમના ઉપદેશની કેટલીય વાતો એવી છે કે જેના વડે નિગ્ગથ નાતપુત્તની જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર સાથે અભિન્નતા સિદ્ધ થાય છે. આ વિષયમાં સર્વપ્રથમ ડૉ. જેકોબીએ વિદ્વાનોનું ધ્યાન દોર્યું હતું અને હવે તો એ વાત સર્વમાન્ય થઈ ગઈ છે. ડૉ. જેકોબીએ બૌદ્ધ પિટક દ્વારા જ ભગવાન પાર્શ્વનાથના અસ્તિત્વને પણ સાબિત કર્યું છે. ભગવાન મહાવીરના ઉપદેશોમાં બૌદ્ધ પિટકોમાં વારંવાર ઉલ્લેખ આવે છે કે તેમણે ચતુર્યામનો ઉપદેશ આપ્યો છે. ડૉ. જેકોબીએ આ પરથી અનુમાન કર્યું છે કે બુદ્ધના સમયમાં ચતુર્યામનો પાર્શ્વનાથ દ્વારા અપાયેલો ઉપદેશ જેવો સ્વયં જૈન ધર્મની પરંપરામાં માનવામાં આવેલ છે તેવો જ પ્રચલિત હતો. ભગવાન મહાવીરે તે ચતુર્યામના સ્થાને પાંચ મહાવ્રતનો ઉપદેશ આપ્યો હતો. આ વાત બુદ્ધ જાણતા ન હતા. આથી જ પાર્શ્વનો ઉપદેશ હતો તેને મહાવીરનો ઉપદેશ કહેવામાં આવ્યો. બૌદ્ધ પિટકના આ ભૂલભરેલા ઉલ્લેખથી જૈન પરંપરાને માન્ય પાર્થ અને તેમના ઉપદેશનું અસ્તિત્વ સિદ્ધ થઈ જાય છે. આ રીતે બૌદ્ધ પિટક દ્વારા આપણને પાર્શ્વનાથના અસ્તિત્વના વિષયમાં પ્રબળ પ્રમાણ મળે છે. - સોરેન્સને મહાભારતના વિશેષ નામોનો કોશ બનાવ્યો છે. તેમાં જોવાથી જાણ થાય છે કે સુપાર્શ્વ, ચંદ્ર અને સુમતિ એ ત્રણ નામો એવાં છે જે તીર્થંકરોનાં નામો સાથે Page #49 -------------------------------------------------------------------------- ________________ (૧૫) સામ્ય ધરાવે છે. વિશેષ વાત એ પણ ધ્યાન દેવાયોગ્ય છે કે આ ત્રણે અસુર છે અને એ વાત પણ આપણે જાણીએ છીએ કે પૌરાણિક માન્યતા અનુસાર અહંતોએ જે જૈન ધર્મનો ઉપદેશ આપ્યો છે તે વિશેષ કરીને અસુરોને માટે હતો. અર્થાત વૈદિક પૌરાણિક માન્યતા અનુસાર જૈન ધર્મ અસુરોનો ધર્મ છે. ઇશ્વરના અવતારોમાં જેવી રીતે ઋષભને અવતાર માનવામાં આવેલ છે તેવી જ રીતે સુપાર્શ્વને મહાભારતમાં કુપથ નામના અસુરના અંશાવતાર માનવામાં આવ્યા છે. ચંદ્રને પણ અંશાવતાર માનેલ છે. સુમતિ નામક અસુર માટે કહેવામાં આવ્યું છે કે વરુણ પ્રાસાદમાં તેમનું સ્થાન દૈત્યો અને દાનવોમાં હતું. તથા એક સુમતિ નામના ઋષિનો પણ મહાભારતમાં ઉલ્લેખ છે જેને ભીષ્મના સમકાલીન બતાવવામાં આવ્યા છે. જે રીતે ભાગવતમાં ઋષભને વિષ્ણુના અવતાર માનવામાં આવ્યા છે તેવી જ રીતે અવતારના રૂપમાં તો નહિ પરંતુ વિષ્ણુ અને શિવનાં જે સહસ્ત્ર નામો મહાભારતમાં આપવામાં આવ્યાં છે તેમાં શ્રેયસ, અનંત, ધર્મ, શાંતિ અને સંભવ–આ નામો વિષ્ણુનાં પણ છે અને એવાં જ નામો જૈન તીર્થકરોનાં પણ મળે છે. સહસ્ત્ર નામોના અભ્યાસથી એમ માલુમ પડે છે કે પૌરાણિક મહાપુરુષોનો અભેદ વિષ્ણુ સાથે અને શિવ સાથે કરવો–એ પણ તેનું એક પ્રયોજન હતું. પ્રસ્તુતમાં આ નામોથી જૈન તીર્થકરો અભિપ્રેત છે કે નહિ તે વિચારણીય છે. શિવના નામોમાં પણ અનંત, ધર્મ, અજિત, ઋષભઆ નામો આવે છે જે તે તે તીર્થકરોનાં નામો પણ છે. શાંતિ વિષ્ણુનું પણ નામ છે એ પહેલાં જ કહેવામાં આવ્યું છે. મહાભારત અનુસાર તે નામના એક ઈન્દ્ર અને ઋષિ પણ થયા છે. તેમનો સંબંધ શાંતિ નામે જૈન તીર્થંકર સાથે છે કે નહિ તે વિચારણીય છે. વીસમા તીર્થંકરના નામ મુનિસુવ્રતમાં મુનિને સુવ્રતનું વિશેષણ માનવામાં આવે તો સુવ્રત નામ રહે છે. મહાભારતમાં વિષ્ણુ અને શિવનું પણ એક નામ સુવ્રત મળે છે. નામસામ્ય ઉપરાંત જે આ મહાપુરુષોનો સંબંધ અસુરો સાથે જોડવામાં આવે છે તે એ વાત માટેતો પ્રમાણ બને જ છે કે તેઓ વેદવિરોધી હતા. તેમનું વેદવિરોધી હોવું તેઓ શ્રમણ પરંપરા સાથે સંબદ્ધ હોવાની સંભાવનાને દઢ કરે છે. આગમોનું વર્ગીકરણ: સાંપ્રત સમયમાં આગમરૂપે જે ગ્રંથો મળે છે અને માન્ય છે તેમની યાદી નીચે આપવામાં આવે છે. તેમનું વર્ગીકરણ કરીને આ સૂચિ આપી છે કેમ કે ઘણુંખરું તે જ રૂપમાં વર્ગીકરણ સાંપ્રત સમયમાં માન્ય છે – 9. Cazda zul alè gall - Prof. Kapadia-A History of the Canonical Literature of the Jainas, Chap. II. Page #50 -------------------------------------------------------------------------- ________________ (૧૬) ૧૧ અંગ–જે શ્વેતાંબરોના બધા સંપ્રદાયોને માન્ય છે તે છે - ૧ આયાર (આચાર), ર સૂયગડ (સૂત્રકૃત), ૩ ઠાણ (સ્થાન), ૪ સમવાય, ૫ વિયાહપત્તિ (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ), ૬ નાયાધમ્મકહાઓ (જ્ઞાતધર્મકથા), ૭ ઉવાસ-દસાઓ (ઉપાસકદશા), ૮ અંતગડદસાઓ (અન્નકૂદશા:), ૯ અનુત્તરોવવાઇયદસાઓ (અનુત્તરૌપપાદિકદશા), ૧૦ પહાવાગરણાઈ (પ્રશ્નવ્યાકરણાનિ), ૧૧ વિવાગસુર્ય (વિપાકશ્રુતમ્) (૧૨ દૃષ્ટિવાદ, જે વિચ્છિન્ન થયેલ છે). ૧૨ ઉપાંગ–જે શ્વેતાંબરોના ત્રણ સંપ્રદાયોને માન્ય છે - ૧ ઉવવાય (ઔપપાતિક), ૨ રાયપાસેeઇજ્જ (રાજપ્રસેનજિતુક) અથવા રાયપસેણિય (રાજપ્રશ્નીય), ૩ જીવાજીવાભિગમ, ૪ પણવણા (પ્રજ્ઞાપના), ૫ સૂરપણત્તિ (સૂર્યપ્રજ્ઞપ્તિ), ૬ જંબુદીવપષ્ણત્તિ (જબૂદીપપ્રજ્ઞપ્તિ), ૭ ચંદપષ્ણત્તિ (ચન્દ્રપ્રજ્ઞપ્તિ), ૮-૧૨ નિરયાવલિયાસુયખંધ (નિરયાવલિકાશ્રુતસ્કન્ધ:), ૮ નિરયાવલિયાઓ (નિરયાવલિકા:), ૯ કમ્પવડિસિયાઓ (કલ્પાવતંસિકા:), ૧૦ પુફિયાઓ (પુષ્પિકા), ૧૧ પુફચૂલાઓ (પુષ્પચૂલા), ૧૨ વહિદસાઓ (વૃષ્ણિદશા:). ૧૦ પ્રકીર્ણક–જે માત્ર શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયને માન્ય છે - ૧ ચઉસરણ (ચતુ શરણ), ૨ આઉરપચ્ચખાણ (આતુરપ્રત્યાખ્યાન), ૩ ભત્તપરિન્ના (ભક્તપરિજ્ઞા), ૪ સંથાર (સંસ્તાર), પતંડુલવેયાલિય (તસ્કુલવૈચારિક), ૬ ચંદવેઝ (ચન્દ્રવેધ્યક), દેવિંદWય (દેવેન્દ્રસ્તવ), ૮ ગણિવિજ્જા (ગણિવિદ્યા), ૯ મહાપચ્ચખાણ (મહાપ્રત્યાખ્યાન), ૧૦ વીરત્યય (વીરસ્તવ). ૬ છેદ–૧ આયારસા અથવા દશા (આચારદશા), ૨ કપ્પ (કલ્પ), ૩યવહાર (વ્યવહાર), ૪ નિસીહ (નિશીથ), ૫ મહાનિસીહ (મહાનિશીથ), ૬ જયકમ્પ (જીતકલ્પ). આમાંથી છેલ્લાં બે સ્થાનકવાસી અને તેરાપંથીને માન્ય નથી. ૨ ચૂલિકાસૂત્ર–૧ નન્દી, ૨ અણુયોગદારાઈ (અનુયોગદ્વારાણિ). ૪મૂલસૂત્ર–૧ ઉત્તરઝાયા (ઉત્તરાધ્યાયા), ૨ દસયાલિય (દશવૈકાલિક), ૩ આવસ્મય (આવશ્યક), ૪ પિણ્ડનિજુત્તિ (પિપ્પનિયુક્તિ). આમાંથી છેલ્લે સ્થાનકવાસી અને તેરાપંથીને માન્ય નથી. ૧. દશાશ્રુતમાંથી જુદુ પાડવામાં આવેલ એક બીજું કલ્પસૂત્ર પણ છે. તેના નામસામ્યથી ભ્રમ પેદા ન થાય એટલા માટે આનું બીજું નામ બૃહકલ્પ રાખવામાં આવ્યું છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ (૧૭) આ જે યાદી આપવામાં આવી છે તેમાં એકના બદલે ક્યારેક ક્યારેક બીજું પણ આવે છે, જેમ કે પિંડનિર્યુક્તિના સ્થાને ઓધનિયુક્તિ. દસ પ્રકીર્ણકોમાં પણ નામભેદ જોવા મળે છે. છેદમાં પણ નામભેદ છે. ક્યારેક ક્યારેક પંચકલ્પને આ વર્ગમાં સામેલ કરવામાં આવે છે.૧ પ્રાચીન ઉપલબ્ધ આગમોમાં આગમોનો જે પરિચય આપવામાં આવ્યો છે તેમાં આવો પાઠ છે :-‘‘રૂદ વસ્તુ સમળેનું માવયા મહાવીરેનું આશરેળું ત્તિસ્થરેખં... મે दुवालसंगे गणिपिडगे पण्णत्ते, तं जहा - आयारे सूयगडे ठाणे समवा वियाहपन्नत्ति नायाधम्मकहाओ उवासगदसाओ अंतगडदसाओ अणुत्तरोववाइयदसाओ पण्हावागरणं विवागसुए दिट्टिवाए । तत्थ णं जे से चउत्थे अंगे समवाए त्ति आहिए तस्स णं अयमट्ठे પળત્તે’’ (સમવાય અંગનો પ્રારંભ) સમવાયાંગ મૂળમાં જ્યાં ૧૨ સંખ્યાનું પ્રકરણ આવે છે ત્યાં દ્વાદશાંગનો પરિચય ન આપતાં એક કોટિ સમવાય પછી તે આપવામાં આવે છે. ત્યાંનો પાઠ આ પ્રમાણે શરૂ થાય છે—જુવાનસંગે ખિપિલને પત્રત્તે, તે નહીં આયારે.... વિદ્ગિવાર્ । સે છે તું આયારે? આયારે ખં સમળાળું....'' ઇત્યાદિ ક્રમથી એક એકનો પરિચય આપવામાં આવ્યો છે. પરિચયમાં ‘‘ઝંડ્યાદ્ પમે... અંગક્રયા રોજ્વે....'' ઇત્યાદિ આપીને દ્વાદશ અંગોના ક્રમને પણ નિશ્ચિત કરી દીધો છે. પરિણામ એ આવ્યું કે જ્યાં ક્યાંય અંગોની ગણતરી કરવામાં આવી ત્યાં પૂર્વોક્ત ક્રમનું પાલન કરવામાં આવ્યું. અન્ય વર્ગોમાં જેવો વ્યુત્ક્રમ દેખાય છે તેવો દ્વાદશાંગોના ક્રમમાં જોવા મળતો નથી. C બીજી વાત ધ્યાન દેવાની એ છે કે ‘તસ્સ નં અયમટ્ટે પત્તે’’(સમવાયનો પ્રારંભ) અને ‘અંગકયાર્ પહમે’—ઇત્યાદિમાં ‘ઞ’ (અર્થ) શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે તેનું વિશેષ પ્રયોજન છે. જે આવી પરંપરા સ્થિર થઈ છે કે ‘અથૅ માસફ અરહા’ (આવનિ૰૧૯૨) તેના જ કારણે પ્રસ્તુતમાં ‘૬’—‘અર્થ’ શબ્દનો પ્રયોગ છે. તાત્પર્ય એ છે કે ગ્રંથરચના—શબ્દરચના તીર્થંકર ભગવાન મહાવીરની નથી પરંતુ ઉપલબ્ધ આગમોમાં જે ગ્રંથરચના છે, જે શબ્દોમાં આ આગમો ઉપલબ્ધ છે તેમાંથી ફલિત થનારો અર્થ કે તાત્પર્ય ભગવાન દ્વારા પ્રણીત છે. આ શબ્દો પણ ભગવાનના નથી પરંતુ આ શબ્દોનું તાત્પર્ય જે સ્વયં ભગવાને બતાવ્યું હતું તેનાથી જુદુ નથી. તેમના જ ઉપદેશના આધારે ‘‘મુર્ત્ત શ્રૃત્તિ ળહી નિકળં’” (આવનિ૰૧૯૨) – ગણધરો સૂત્રોની રચના કરે છે. સારાંશ એ છે કે ઉપલબ્ધ અંગઆગમોની રચના ગણધરોએ કરી છે . એવી પરંપરા છે. ૧. જુઓ – Prof. Kapadia–A History of the Canonical Literature of the Jainas, Chap. II. Page #52 -------------------------------------------------------------------------- ________________ (૧૮) આ રચના ગણધરોએ પોતાના મનથી નહિ પરંતુ ભગવાન મહાવીરના ઉપદેશના આધારે કરી છે, આથી આ આગમોને પ્રમાણ માનવામાં આવે છે. ત્રીજી વાત જે ધ્યાન દેવાની છે તે એ છે કે આ દ્વાદશ ગ્રંથોને “અંગ' કહેવામાં આવે છે. આ જ દ્વાદશ અંગોનો એક વર્ગ છે જેનો ગણિપિટકનામથી પરિચય આપવામાં આવ્યો છે. ગણિપિટકમાં આ બાર ઉપરાંત અન્ય આગમગ્રંથોનો ઉલ્લેખ નથી. એ પરથી એમ પણ સૂચિત થાય છે કે મૂળ રૂપે આગમો આ જ હતાં અને તેમની જ રચના ગણધરોએ કરી હતી. “ગણિપિટક’ શબ્દ દ્વાદશ અંગોના સમુચ્ચયને માટે તો પ્રયુક્ત થયો જ છે પરંતુ તે પ્રત્યેકને માટે પણ પ્રયુક્ત થતો હશે એવું સમવાયાંગના એક ઉલ્લેખ પરથી પ્રતીત થાય છે – ““તિË fપડ મારવૂતિયા વMા સત્તાવણં મમ્ફયના પત્તા તં નહીં-માયારે સૂર્યદેવને '” (સમવાય પ૭મો). અર્થાત્ આચાર વગેરે પ્રત્યેકની જેમ અંગ સંજ્ઞા છે તેવી જ રીતે પ્રત્યેકની “ગણિપિટક" એવી પણ સંજ્ઞા હતી એવું અનુમાન કરી શકાય છે. વૈદિક સાહિત્યમાં “અંગ” (વેદાંગ) સંજ્ઞા સંહિતાઓ, જે મુખ્ય વેદ હતા, તેમનાથી જુદા કેટલાક ગ્રંથો માટે પ્રયુક્ત છે. અને ત્યાં “અંગ”નું તાત્પર્ય છે–વેદોના અધ્યયનમાં સહાયભૂત વિવિધ વિદ્યાઓના ગ્રંથો. અર્થાત વૈદિક વાદ્યયમાં “અંગ'નો તાત્પર્યાર્થ મૌલિક નહિ પણ ગૌણ ગ્રંથો એવો છે. જૈનોમાં “અંગ” શબ્દનું આ તાત્પર્ય નથી. આચાર આદિ અંગગ્રંથો કોઈના સહાયક કે ગૌણ ગ્રંથો નથી પરંતુ આ જ બાર ગ્રંથોથી બનનાર એક વર્ગના એકમ હોવાથી “અંગ” કહેવામાં આવ્યા છે એમાં સંદેહ નથી. આમાંથી આગળ જતાં શ્રુતપુરુષની કલ્પના કરવામાં આવી અને આ દ્વાદશ અંગોને તે શ્રુતપુરુષના અંગરૂપ માનવામાં આવ્યા. અધિકાંશ જૈન તીર્થકરોની પરંપરા પૌરાણિક હોવા છતાં પણ ઉપલબ્ધ સમગ્ર જૈન સાહિત્યનો જે આદિસ્રોત સમજવામાં આવે છે તે જૈનાગમ રૂપ અંગસાહિત્ય વેદ જેટલું પ્રાચીન નથી, તે માન્ય હકીકત છે. છતાં પણ તેને બૌદ્ધ પિટકનું સમકાલીન તો માની શકાય. 9. Doctrine of the Jainas, p. 73. ૨. નંદીચૂર્ણિ, પૃ. ૪૭, કાપડિયા-કેનોનિકલ લિટરેચર, પૃ. ૨૧. ૩. “ સાહિત્ય નૈનસાહિત્ય | સમાનીન હી હૈ”—એવું ૫. કૈલાશચંદ્ર જ્યારે લખે છે ત્યારે તેનો અર્થ આ જ થઈ શકે છે. જુઓ – જૈન સા. ઇ. પૂર્વપીઠિકા, પૃ. ૧૭૭. Page #53 -------------------------------------------------------------------------- ________________ (૧૯) ડૉ. જેકોબી વગેરેનું તો કહેવું છે કે સમયની દૃષ્ટિએ જૈનાગમનો રચનાસમય જે પણ માનવામાં આવે પરંતુ તેમાં જે તથ્યોનો સંગ્રહ છે તે તથ્યો એવાં નથી કે જે એ જ સંગ્રહકાળનાં હોય. એવાં કેટલાંય તથ્યો તેમાં સંગૃહિત છે જેમનો સંબંધ પ્રાચીન પૂર્વ પરંપરા સાથે છે. આથી જૈન આગમોના સમયનો વિચાર કરવો હોય ત્યારે વિદ્વાનોની આ માન્યતા અવશ્ય ધ્યાનમાં રાખવી પડશે. જૈન પરંપરા અનુસાર તીર્થંકરો ભલે અનેક હોય પરંતુ તેમના ઉપદેશમાં સમાનતા હોય છે અને તે તે કાળે જે પણ અંતિમ તીર્થંકર હોય તેમનો જ ઉપદેશ અને શાસન વિચાર તથા આચાર માટે પ્રજામાં માન્ય થાય છે. આ દૃષ્ટિએ ભગવાન મહાવીર અંતિમ તીર્થંકર હોવાથી તેમનો જ ઉપદેશ અંતિમ ઉપદેશ છે અને તે જ પ્રમાણભૂત છે. બાકીના તીર્થંકરોનો ઉપદેશ ઉપલબ્ધ પણ નથી અને જો હોય તો પણ તે ભગવાન મહાવીરના ઉપદેશની અંદર સમાઈ ગયો છે – એમ માનવું જોઈએ. 3 અહીં એ સ્પષ્ટતા કરવી જરૂરી છે કે ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો તેને સૂત્રબદ્ધ કર્યો છે ગણધરોએ. એટલા માટે અર્થોપદેશક અથવા અર્થરૂપ શાસ્ત્રના કર્તા ભગવાન મહાવીરને માનવામાં આવે છે અને શબ્દરૂપ શાસ્ત્રના કર્તા ગણધરો છે. અનુયોગદ્વારગત (સૂ. ૧૪૪, પૃ. ૨૧૯) સુત્તાગમ, અત્યાગમ, અંતરાગમ, અણંતરાગમ આદિ જે લોકોત્તર આગમોના ભેદો છે તે પરથી પણ આનું જ સમર્થન થાય છે. ભગવાન મહાવીરે એ સ્પષ્ટ સ્વીકાર્યું છે કે તેમના ઉપદેશનો સંવાદ ભગવાન પાર્શ્વનાથના ઉપદેશ સાથે છે તથા એ પણ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે પાર્શ્વ અને મહાવીરના આધ્યાત્મિક સંદેશમાં મૂળમાં કોઈ ભેદ નથી, કેટલાક બાહ્યાચારમાં ભલેને ભેદ જણાતો હોય. ૧. Docrine of the Jainas, p. 15. ૨. આ જ દૃષ્ટિએ જૈન આગમોને અનાદિ-અનંત કહેવામાં આવ્યા છે—‘રૂત્ત્વાં ટુવાસતાં गणिपिडगं न कयाइ नासी, न कयाइ न भवइ, न कयाइ न भविस्सइ, भुवि च भवइ च, भविस्सइ य, धुवे निअए सासए अक्खए अव्वए अवट्ठिए निच्चे' નંદી સૂ. ૫૮,સમવાયાંગ, સૂ. ૧૪૮. 3. अत्थं भासइ अरहा सुत्तं गंधंति गणहरा निउणं । सासणस्स हियट्ठाए तओ सुत्तं पवत्तइ ॥ – આવશ્યકનિર્યુક્તિ. ગા. ૧૯૨; ધવલ ભા. ૧, પૃ. ૬૪ અને ૭૨.. ૪. Docrine of the Jainas, p. 29. . Page #54 -------------------------------------------------------------------------- ________________ (૨૦) જૈન પરંપરામાં આજ શાસ્ત્ર માટે “આગમ' શબ્દ વ્યાપક બની ગયો છે પરંતુ પ્રાચીન કાળમાં તે “શ્રુત' અથવા “સમ્યક શ્રત' નામે પ્રસિદ્ધ હતું. તેનાથી જ શ્રુતકેવલી’ શબ્દ પ્રચલિત થયેલો, નતો આગમકેવલી કે સૂત્રકવલી. અને સ્થવિરોની ગણનામાં પણ શ્રુતસ્થવિરને સ્થાન મળ્યું છે તે પણ “શ્રુત' શબ્દની પ્રાચીનતા સિદ્ધ કરે છે. આચાર્ય ઉમાસ્વાતિએ “શ્રુત’ના પર્યાયોનો સંગ્રહ કરી આપ્યો છે. તે આ પ્રમાણે છે:-શ્રત, આપ્તવચન, આગમ, ઉપદેશ, ઐતિહ્ય, આમ્નાય, પ્રવચન અને જિનવચન. આમાંથી આજે “આગમ શબ્દ જ વિશેષ પ્રચલિત છે. સમવાયાંગ વગેરે આગમો પરથી જણાઈ આવે છે કે સર્વપ્રથમ ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો હતો તેની સંકલના ‘દ્વાદશાંગો'માં થઈ અને તે “ગણિપિટકએટલા માટે કહેવામાં કે ગણિને માટે તે જ શ્રુતજ્ઞાનનો ભંડાર હતો.' સમયના પ્રવાહમાં આગમોની સંખ્યા વધતી જ ગઈ, જે ૮૫ સુધી પહોંચી ગઈ છે. પરંતુ સામાન્ય રીતે શ્વેતાંબરોના મૂર્તિપૂજક સંપ્રદાયોમાં તે ૪૫ અને સ્થાનકવાસી તથા તેરાપંથમાં ૩ર સુધી સીમિત છે. દિગંબરોમાં એક સમય એવો હતો કે જ્યારે તે સંખ્યા ૧૨ અંગ + ૧૪ અંગબાહ્ય = ૨૬ માં સીમિત હતી. પરંતુ અંગજ્ઞાનની પરંપરા વીરનિર્વાણના ૬૮૨ વર્ષ સુધી જ રહી અને તે પછી તે આંશિક રૂપે ચાલતી રહી–એવી દિગંબર પરંપરા છે. આગમની ક્રમશઃ જે સંખ્યાવૃદ્ધિ થઈ તેનું કારણ એ છે કે ગણધરો ઉપરાંત અન્ય પ્રત્યેકબુદ્ધ મહાપુરુષોએ જે ઉપદેશ આપ્યો હતો તેને પણ પ્રત્યેકબુદ્ધ કેવલી હોવાને કારણે આગમમાં સમાવિષ્ટ કરવામાં કોઈ આપત્તિ આવી શકતી ન હતી. એ જ રીતે ગણિપિટકના જ આધારે મંદબુદ્ધિ શિષ્યોના હિત માટે શ્રુતકેવલી આચાર્યોએ જે ૧. નંદી સૂ. ૪૨. ૨. સ્થાનાં, તૂ. ૨૬. ૩. તત્વાર્થમાણ, ૨. ર૦. ૪. સર્વપ્રથમ અનુયોગદ્વાર સૂત્રમાં લોકોત્તર આગમમાં દ્વાદશાંગ ગણિપિટકનો સમાવેશ કરાયો છે અને આગમના અનેક પ્રકારના ભેદ કરવામાં આવ્યા છે—જૂ. ૧૪૪, પૃ. ૨૧૮. ૫. “યુવાનો પો'–સમવાયાં, તૂ. ૨ અને ૨૩૬; ની ખૂ. ૪૨ વગેરે. ૬. ગધવતા, પૃ. ૨૫; ધવલ બા. , પૃ. ૨૬; મેટા–નીવાંઢ, T. રૂદ્૭, ૩૬૮, વિશેષ માટે જુઓ–ામથુરા 1 જૈન ટર્શન, પૃ. રર-ર૭. ૭. નૈ. સા. રૂ. પૂર્વીડિશ, પૃ. ૧૨૮, વરૂ, વરૂ૮ (આમાં સકળ શ્રુતજ્ઞાનના વિચ્છેદનો ઉલ્લેખ છે. તે સંગત લાગતો નથી) Page #55 -------------------------------------------------------------------------- ________________ (૨૧) ગ્રંથો બનાવ્યા તેમનો સમાવેશ પણ, આગમની સાથે તેમનો અવિરોધ હોવાથી અને આગમાર્થની જ પુષ્ટિ કરનારા હોવાથી, આગમોમાં કરી લેવામાં આવ્યો. અંતમાં સંપૂર્ણ દશપૂર્વના જ્ઞાતા દ્વારા ગ્રથિત ગ્રંથો પણ આગમમાં સમાવિષ્ટ એટલા માટે કરવામાં આવ્યા છે તે પણ આગમને પુષ્ટ કરનારા હતા અને તેમનો આગમ સાથે વિરોધ એટલા માટે પણ થઈ શકતો નહિ કે તે નિશ્ચિત રૂપે સમ્યફદૃષ્ટિ હતા. નીચેની ગાથા વડે આ જ વાતની સૂચના મળે છે : सुत्तं गणधरकधिदं तहेव पत्तेयबुद्धकधिदं च । सुदकेवलिणा कधिदं अभिण्णदसपूव्वकधिदं च ॥ - મૂલાચાર ૫. ૮૦ આ પરથી કહી શકાય કે કોઈ ગ્રંથના આગમમાં પ્રવેશને માટે આ માપદંડ હતો. આથી વાસ્તવિક રીતે જયારથી દશ પૂર્વધરો રહ્યા નહિ ત્યારથી આગમની સંખ્યામાં વૃદ્ધિ થવાનું અટકી ગયું હશે એમ માની શકાય છે. પરંતુ શ્વેતાંબરોના આગમરૂપે માન્ય કેટલાક પ્રકીર્ણકગ્રંથો એવા પણ છે જે તે કાળ પછી પણ આગમમાં સમ્મિલિત કરી લેવામાં આવ્યા છે. તેમાં તે ગ્રંથોની નિર્દોષતા અને વૈરાગ્યભાવની વૃદ્ધિમાં તેમનો વિશેષ ઉપયોગ – એ જ કારણો હોઈ શકે છે અથવા કર્તા આચાર્યની તે કાળે વિશેષ પ્રતિષ્ઠા પણ કારણ હોઈ શકે છે. જૈનાગમોની સંખ્યા જયારે વધવા લાગી ત્યારે તેમનું વર્ગીકરણ પણ જરૂરી બની ગયું. ભગવાન મહાવીરના મૌલિક ઉપદેશનો ગણધરકૃત સંગ્રહ દ્વાદશ “અંગ' કે ગણિપિટકમાં હતો, આથી તે પોતે એક વર્ગ બની જાય અને તેનાથી બીજાને જુદા પાડવામાં આવે તે જરૂરી હતું. આથી આગમોનું જે પ્રથમ વર્ગીકરણ થયું તે અંગ અને અંગબાહ્ય તેવા આધાર પર થયું. એટલા માટે આપણે જોઈએ છીએ કે અનુયોગ (ભૂ. ૩)ના પ્રારંભમાં “અંગપવિઠ્ઠ' (અંગપ્રવિષ્ટ) અને “અંગબાહિર' (અંગબાહ્ય) એવા શ્રુતના ભેદ પાડવામાં આવ્યા છે. નંદિ (સૂ. ૪૪)માં પણ આવા જ ભેદ છે. અંગબાહિરને માટે ત્યાં “અણંગપવિટ્ટ' શબ્દ પણ પ્રયોજાયો છે (સૂ. ૪૪ના અંતમાં). અન્યત્ર નંદિ (સૂ. ૩૮)માં જ “અંગપવિઠ્ઠ” અને “અણંગપવિઠ્ઠ–એવા બે ભેદ કરવામાં આવ્યા છે. ૧. આ જ ગાથા જયધવલામાં ઉદ્ધત છે–પૃ. ૧૫૩. આ જ ભાવ વ્યક્ત કરતી ગાથા સંસ્કૃતમાં દ્રોણાચાર્યે ઘનિર્યુક્તિની ટીકામાં પૃ. ૩પર ઉદ્ધત કરી છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ (૨૨) આ અંગબાહ્ય ગ્રંથોની સામાન્ય સંજ્ઞા ‘પ્રકીર્ણક’ પણ હતી એવું નંદીસૂત્રના આધારે પ્રતિત થાય છે. અંગ શબ્દને ધ્યાનમાં રાખીને અંગબાહ્ય ગ્રંથોની સામાન્ય સંજ્ઞા ‘ઉપાંગ’ પણ હતી, એવું નિરયાવલિકાસૂત્રના પ્રારંભિક ઉલ્લેખ પરથી પ્રતીત થાય છે અને એ પણ પ્રતીત થાય છે કે કોઈ એક સમય એવો હતો જ્યારે નિરયાવલિયાદિ પાંચ જ ઉપાંગ માનવામાં આવતા હશે. સમવાયાંગ, નંદિ, અનુયોગ તથા પાક્ષિકસૂત્રના સમય સુધી સમગ્ર આગમના મુખ્ય વિભાગો બે જ હતા અંગ અને અંગબાહ્ય. આચાર્ય ઉમાસ્વાતિના તત્ત્વાર્થસૂત્રભાષ્ય ના આધારે પણ એ જ ફલિત થાય છે કે તેમના સમય સુધી પણ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એવા જ વિભાગો પ્રચલિત હતા. - છે સ્થાનાંગ સૂત્ર (૨૭૭)માં જે ચાર પ્રજ્ઞપ્તિઓને અંગબાહ્ય કહેવામાં આવેલ છે તે · ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, જંબૂઠ્ઠીપપ્રજ્ઞપ્તિ અને દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ. આમાંથી જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિને છોડીને બાકીની ત્રણ કાલિક છે—એવો પણ ઉલ્લેખ સ્થાનાંગ (૧૫૨)માં છે. અંગ ઉપરાંત આચારપ્રકલ્પ (નિશીથ), (સ્થાનાંગ, ૪૩૩; સમવાયાંગ ૨૮), આચારદશા (દશાશ્રુતસ્કંધ), બંધદશા, દ્વિગૃદ્ધિદશા, દીર્ઘદશા અને સંક્ષેપિતદશાનો પણ સ્થાનાંગ (૭૫૫)માં ઉલ્લેખ છે. પરંતુ બંધદશા વગેરે શાસ્ત્રો અનુપલબ્ધ છે. ટીકાકારના સમયમાં પણ આ જ સ્થિતિ હતી, જેથી તેમણે કહેવું પડ્યું કે આ કયા ગ્રંથો છે તે અમે જાણતા નથી. સમવાયાંગમાં ઉત્તરાધ્યયનનાં ૩૬ અધ્યયનોનાં નામ આપવામાં આવ્યા છે (સમ. ૩૬) તથા દશા-કલ્પ-વ્યવહાર આ ત્રણના ઉદ્દેશનકાળની ચર્ચા છે. પરંતુ તેમની છેદસંજ્ઞા આપવામાં આવી નથી. પ્રજ્ઞપ્તિનો એક વર્ગ અલગ હશે એવું સ્થાનાંગ પરથી જણાઈ આવે છે. કુવલયમાલા (પૃ. ૩૪)માં અંગબાહ્યમાં પ્રજ્ઞાપના ઉપરાંત બે પ્રજ્ઞપ્તિઓનો ઉલ્લેખ છે. ‘છેદ’ સંજ્ઞા ક્યારથી પ્રચલિત થઈ અને છેદમાં પ્રારંભમાં કયાં કયાં શાસ્રો સમ્મિલિત હતાં તે પણ નિશ્ચયપૂર્વક કહી શકાતું નથી. પરંતુ આવશ્યકનિર્યુક્તિમાં સર્વપ્રથમ ‘છેદસુત્ત’નો ઉલ્લેખ મળે છે. તેનાથી પ્રાચીન ઉલ્લેખ હજુ સુધી મળ્યો નથી. १. एवमाइयाई चउरासीइं पइन्नगसहस्साइं ..... अहवा जस्स जत्तिया सीसा उप्पत्तियाए... चउव्विहाए બુદ્ધીણ્ વવેઞ તસ્ય તત્તિઞારૂં પળરસહસ્સારૂં...'' – નંદી, સૂ. ૪૪ ૨. તત્ત્વાર્થસૂત્રમાષ્ય, ૨. ૨૦. ૩. आव ० नि ૦ ૭૭૭; કેનોનિકલ લિટરેચર, પૃ. ૩૬માં ઉદ્ધૃત. Page #57 -------------------------------------------------------------------------- ________________ (૨૩) આ પરથી અત્યારે એટલું તો કહી જ શકાય કે આવશ્યક નિર્યુક્તિના સમયમાં છેદસુત્તનો વર્ગ જુદો થઈ ગયો હતો. કુવલયમાલા જે તા. ૭-૩-૭૮૯ ઈ.સ.માં સમાપ્ત થઈ, તેમાં જે વિવિધ ગ્રંથો અને વિષયોનું શ્રમણો ચિંતન કરતા હતા તેમાંના કેટલાકનાં નામ ગણાવાયાં છે. તેમાં સૌ પ્રથમ આચારથી માંડી દષ્ટિવાદ સુધીના અંગોનાં નામો છે. ત્યારપછી પ્રજ્ઞાપના, સૂર્યપ્રજ્ઞપ્તિ તથા ચંદ્રપ્રજ્ઞપ્તિનો ઉલ્લેખ છે. ત્યારપછી આ ગાથાઓ છે – अण्णाइ य गणहरभासियाइं सामण्णकेवलिकयाई । पच्चेयसयंबुद्धेहिं विरइयाइं गुणेति महरिसिणो । कत्थइ पंचावयवं दसह च्चिय साहणं परूवेंति । पच्चक्खमणुमाणपमाणचउक्कयं च अण्णे वियारेति ।। भवजलहिजाणवत्तं पेम्ममहारायणियलणिद्दलणं । कम्मट्ठगंठिवज्जं अण्णे धम्म परिकहेंति ॥ मोहंधयाररविणो परवायकुरंगदरियकेसरिणो । णयसयखरणहरिल्ले अण्णे अह वाइणो तत्थ ।। लोयालोयपयासं दूरंतरसण्हवत्थुपज्जोयं । केवलिसुत्तणिबद्धं णिमित्तमण्णे वियारंति ॥ णाणाजीवुप्पत्ती सुवण्णमणिरयणधाउसंजोयं । जाणंति जणियजोणी जोणीणं पाहुडं अण्णे ॥ ललियवयणत्थसारं सव्वालंकारणिव्वडियसोहं । अमयप्पवाहमहुरं अण्णे कव्वं विइंतंति ।। बहुतंतमंतविज्जावियाणया सिद्धजोयजोइसिया । अच्छंति अणुगुणेता अवरे सिद्धंतसाराई॥ કુવલયમાલાગત આ વિવરણમાં એક તો એ વાત ધ્યાન આપવા યોગ્ય છે કે અંગો પછી અંગબાહ્યોનો ઉલ્લેખ છે. તેમાં અંગો ઉપરાંત જે આગમોનાં નામો છે તે માત્ર પ્રજ્ઞાપના, ચંદ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્યપ્રજ્ઞપ્તિનાં છે. તે પછી ગણધર, સામાન્ય કેવલી, પ્રત્યેક બુદ્ધ અને સ્વયં સંબુદ્ધ દ્વારા ભાષિત કે વિરચિત ગ્રંથોનો સામાન્ય રીતનો ઉલ્લેખ છે. તે ક્યા હતા તેમના નામપૂર્વક ઉલ્લેખ નથી. બીજી વાત એ ધ્યાન દેવા યોગ્ય છે કે ૧. ૨. વયમાતા, પૃ. ૩૪ I વિપાકનું નામ આમાં નથી આવતું, એ લેખકની પોતાની કે લિપિકારની અસાવધાનીનું કારણ છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ (૨૪) આમાં દશપૂર્વ કૃત ગ્રંથોનો ઉલ્લેખ નથી. ગણધરનો ઉલ્લેખ હોવાથી શ્રતકેવલીનો ઉલ્લેખ સૂચિત થાય છે. બીજી બાજુ કર્મ, મંત્ર, તંત્ર, નિમિત્ત આદિ વિદ્યાઓના વિષયમાં ઉલ્લેખ છે અને યોનિપાહુડનો નામપૂર્વક ઉલ્લેખ છે. કાવ્યોનું ચિંતન પણ મુનિઓ કરતા હતા એ પણ બતાવાયું છે. નિમિત્તને કેવલિસૂત્રનિબદ્ધ કહેવામાં આવ્યું છે. કુવલયમાલાના બીજા ઉલ્લેખથી એમ ફલિત થાય છે કે લેખકના મનમાં માત્ર આગમગ્રંથોનો જ ઉલ્લેખ કરવાનું અભિષ્ટ નથી. પ્રજ્ઞાપના વગેરે ત્રણ અંગબાહ્ય ગ્રંથોનો જે નામોલ્લેખ છે તે અંગબાહ્યોમાં તેમની વિશેષ પ્રતિષ્ઠાનો દ્યોતક છે. ધવલા જે તા. ૮-૧૦-૮૧૬ ઈ. સ.ના દિવસે સમાપ્ત થઈ હતી, તેનાથી પણ એ જ સિદ્ધ થાય છે કે તે કાળ સુધી આગમના અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ એવા બે વિભાગ હતા. પરંતુ સાંપ્રત કાળમાં શ્વેતાંબરોમાં આગમોનું જે વર્ગીકરણ પ્રસિદ્ધ છે તે ક્યારે શરૂ થયું, અથવા કોણે શરૂ કર્યું – એ જાણવાનું નિશ્ચિત સાધન ઉપલબ્ધ નથી. શ્રીચંદ્ર આચાર્ય (લેખનકાળ ઈ. સ. ૧૧૧૨થી પ્રારંભ) “સુખબોધા સામાચારી'ની રચના કરી છે. તેમાં તેમણે આગમના સ્વાધ્યાયની તપોવિધિનું જે વર્ણન કર્યું છે તેનાથી જાણવા મળે છે કે તેમના સમય સુધી અંગ અને ઉપાંગની વ્યવસ્થા અર્થાત્ અમુક અંગનું અમુક ઉપાંગ એવી વ્યવસ્થા બની ચૂકી હતી. પઠનક્રમમાં સર્વપ્રથમ આવશ્યકસૂત્ર, ત્યાર પછી દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન પછી આચાર વગેરે અંગો ભણવામાં આવતાં. બધા અંગો એક સાથે જ ક્રમથી ભણાવતાં હોય એવું પ્રતીત થતું નથી. પ્રથમ ચાર આચારાંગથી સમવાય સુધી ભણ્યા પછી નિસીહ, જીયકપ્પ, પંચકપ્પ, કપ્પ, વવહાર અને દસાર ભણવામાં આવતાં. નિસીહ વગેરેની છેદસંજ્ઞા હોવાનો અહીં ઉલ્લેખ નથી પરંતુ આ બધાને એક સાથે રાખ્યા છે તે વાત તેમના એક વર્ગની સૂચના તો આપે જ છે. આ છેદગ્રંથોના અધ્યયન પછી નાયધમ્મકહા (છઠ્ઠું અંગ), ઉવાસગદસા, અંતગડદસા, અણુત્તરોવવાયદસા, પણહાવાગરણ અને વિપાક – આ અંગોની વાચના થતી હતી. વિરાગ પછી એક પંક્તિમાં ભગવાઈનો ઉલ્લેખ છે પરંતુ તે પ્રક્ષિપ્ત હોય એવું લાગે છે કેમ કે ત્યાં કંઈ પણ વિવરણ આપ્યું નથી (પૃ. ૩૧). આનું વિશેષ વર્ણન આગળ જતાં “ળિગોણુ ય પંચમ વિવહિપન્નત્તિ' (પૃ. ૩૧) આવા શબ્દોથી શરૂ થાય છે. વિપાકની પછી ઉવાંગની વાચનાનો ઉલ્લેખ છે. તે આ પ્રમાણે છે – ઉવવાઈ, રાયપણઇય, જીવાભિગમ, પન્નવણા, સૂરપન્નત્તિ, ૧. ધવલા, પુસ્ત# ૧, પૃ. ૨૬. ૨. સુખબોધા સામાચારીમાં “નિસીહં સમત્ત એવો ઉલ્લેખ છે અને ત્યારપછી જીયકમ્પ વગેરેથી સંબંધિત પાઠના અંતમાં “#qવવારસાસુવિઘંધો સમૂત્તો' એવો ઉલ્લેખ છે. આથી જયકપ્પ અને પંચકમ્પની સ્થિતિ સંદિગ્ધ બને છે– પૃ. ૩૦. Page #59 -------------------------------------------------------------------------- ________________ (૨૫) જંબૂદીવપન્નત્તિ, ચંદપન્નત્તિ. ત્રણ પન્નત્તિઓના વિષયમાં ઉલ્લેખ છે કે ‘તો પન્નત્તિઓ જાતિમાઓ સંષટ્ટ ૨ ઝીર' (પૃ. ૩૨). તાત્પર્ય એવું જણાય છે કે આ ત્રણેની તે તે અંગની વાચનાની સાથે પણ વાચના કરી શકાય છે. બાકીના પાંચ અંગો માટે લખ્યું છે કે ‘સેક્ષાળ પંચદ્દમંશાનું મયંતરેળ નિયાવલિયા મુયવસ્તુંધો વંñ ।' (પૃ. ૩૨). આ નિરયાવલિયાના પાંચ વર્ગો છે—નિરયાવલિયા, કપ્પવર્ડિસિયા, પુલ્ફિયા, પુચૂલિયા અને વીદસા. ત્યારબાદ ‘ડ્વાળિ પન્ના' (પૃ.૩૨) એવા ઉલ્લેખ સાથે નંદી, અનુયોગદ્વાર, દેવિન્દત્યઅ, તંદુલવિયાલિઅ, ચંદાવેય, આઉરપચ્ચક્ખાણ અને ગણિવિજ્જાનો ઉલ્લેખ કરીને ‘વમાડ્યા’ લખ્યું છે. આ ઉલ્લેખ પરથી એમ સિદ્ધ થાય છે કે પ્રકીર્ણકોમાં ઉલ્લિખિત ઉપરાંતનાં બીજાં પણ હતાં. અહીં એ પણ ધ્યાન આપવા જેવી વાત છે કે નંદી અને અનુયોગદ્વારને સાંપ્રતકાળે પ્રકીર્ણકથી જુદા ગણવામાં આવે છે પરંતુ અહીં તેમનો સમાવેશ પ્રકીર્ણકમાં છે. આ પ્રકરણના અંતમાં ‘વાહિરોવિહિક્ષમત્તો' એવું લખ્યું છે તેનાથી એ પણ જાણવા મળે છે કે ઉપાંગ અને પ્રકીર્ણક બંનેની સામાન્ય સંજ્ઞા કે વર્ગ અંગબાહ્ય હતો. તે પછી ભગવતીની વાચનાનો પ્રસંગ ઉઠાવાયો છે. એ વાત ભગવતીનું મહત્ત્વ સૂચિત કરે છે. ભગવતી પછી મહાનિસીહનો ઉલ્લેખ છે અને તેનો ઉલ્લેખ નિસીહાદિ છેદગ્રંથો સાથે નથી—એથી સૂચિત થાય છે કે તે પછીની રચના છે. મતાંતર આપ્યા પછી અંતમાં એક ગાથા આપવામાં આવી છે જેના વડે સૂચના મળે છે કે કયા અંગનું ઉપાંગ કયું છે— "उ०रा०जी० पन्नवणा सू० जं०चं०नि०क०क०पु०पु०वह्निदसनामा | आयाराइउवंगा नायव्वा आणुपुव्वीए – સુખબોધા સામાચારી, પૃ. ૩૪. શ્રીચંદ્રના આ વિવરણ પરથી એટલું તો ફલિત થાય છે કે તેમનાં સમય સુધી અંગ, ઉપાંગ, પ્રકીર્ણક એટલા નામો તો નિશ્ચિત થઈ ચૂક્યા હતાં. ઉપાંગોમાં પણ કયા ગ્રંથો સમાવિષ્ટ છે તે પણ નિશ્ચિત થઈ ચૂક્યું હતું, જે સાંપ્રતકાળે પણ તેમ જ છે. પ્રકીર્ણકવર્ગમાં નંદી-અનુયોગદ્વાર સામેલ હતા જે પાછળ જતાં જુદા થઈ ગયાં. મૂલસંજ્ઞા કોઈની પણ નથી મળતી જે આગળ જતાં આવશ્યકાદિને મળી છે. יון જિનપ્રભે પોતાના ‘સિદ્ધાન્તાગમસ્તવ’માં આગમોનું નામપૂર્વક સ્તવન કર્યું છે પરંતુ વર્ગીકરણ કર્યું નથી. તેમનો સ્તવનક્રમ આ પ્રમાણે છે—આવશ્યક, વિશેષાવશ્યક, દસવૈકાલિક, ઓથનિર્યુક્તિ, પિંડનિર્યુક્તિ, નંદી, અનુયોગદ્વાર, ઉત્તરાધ્યયન, ઋષિભાષિત, આચારાંગ વગેરે અગિયાર અંગો (આમાંના કેટલાંકને અંગ સંજ્ઞા આપવામાં આવી છે), ઔપપાતિક વગેરે ૧૨ (આમાં કોઈને પણ ઉપાંગ કહેવામાં Page #60 -------------------------------------------------------------------------- ________________ (૨૬) આવ્યું નથી), મરણસમાધિ વગેરે ૧૩ (આમાંથી કોઈને પણ પ્રકીર્ણક કહ્યું નથી), નિશીથ, દશાશ્રુત, કલ્પ, વ્યવહાર, પંચકલ્પ, જીતકલ્પ, મહાનિશીથ—આટલાં નામો પછી નિર્યુક્તિ વગેરે ટીકાઓનું સ્તવન છે. ત્યારપછી દષ્ટિવાદ અને અન્ય કાલિક, ઉત્કાલિક ગ્રંથોની સ્તુતિ કરવામાં આવી છે. ત્યારપછી અંગવિદ્યા, વિશેષણવતી, સન્મતિ, નયચક્રવાલ, તત્ત્વાર્થ, જ્યોતિષ્કરેંડ, સિદ્ધપ્રાકૃત, વસુદેવહિંડી, કર્મપ્રકૃતિ વગેરે પ્રક૨ણ ગ્રંથોનો ઉલ્લેખ છે. આ સૂચિ પરથી એક વાત તો સિદ્ધ થાય છે કે ભલે જિનપ્રભે વર્ગોના નામ નથી આપ્યા પરંતુ તેમના સમય સુધી કયા ગ્રંથોનો કોની સાથે ઉલ્લેખ થવો જોઈએ એવો એક ક્રમ તો બની ગયો હશે. એટલા માટે આપણને મૂલસૂત્રો અને ચૂલિકાસૂત્રોના નામ એક સાથે જ મળે છે. આ જ વાત અંગ, ઉપાંગ, છેદ અને પ્રકીર્ણકને પણ લાગુ પડે છે. આચાર્ય ઉમાસ્વાતિ ભાષ્યમાં અંગની સાથે ઉપાંગ શબ્દનો નિર્દેશ કરે છે અને તેમને ઉપાંગ શબ્દથી અંગબાહ્ય ગ્રંથ અભિપ્રેત છે. આચાર્ય ઉમાસ્વાતિએ અંગબાહ્યની જે સૂચિ આપી છે તે પણ જિનપ્રભની સૂચિનું પૂર્વરૂપ છે. તેમાં પ્રથમ સામાયાકાદિ છ આવશ્યકોનો ઉલ્લેખ છે, ત્યારપછી ‘‘શનૈતિક, ઉત્તરાધ્યાયા:, વશા: જ્વવ્યવહારો, નિશીથ, કૃષિમાષિતાન્યેવાવિ’-આ જાતનો ઉલ્લેખ છે. આમાં જે આવશ્યકાદિ મૂલસૂત્રોનો તથા દશા આદિ છેદગ્રંથોનો એક સાથે નિર્દેશ છે, તે તેમના વર્ગીકરણની પૂર્વસૂચના આપે જ છે. ધવલામાં ૧૪ અંગબાહ્યોની જે ગણના કરવામાં આવી છે તેમાં પણ પ્રથમ છ આવશ્યકોનો નિર્દેશ છે, ત્યારપછી દશવૈકાલિક અને ઉત્તરાધ્યયનનો અને ત્યારપછી કપ્પવવહાર, કપ્પાકપ્પિય, મહાકપ્રિય, પુંડરીય, મહાપુંડરીય અને નિસીહનો નિર્દેશ છે. તેમાં માત્ર પુંડરીય, મહાપુંડરીયનો ઉલ્લેખ એવો છે જે નિસીહને અન્ય છેદોથી જુદું પાડે છે. નહિ તો આ પણ મૂળ અને છેદના વર્ગીકરણની સૂચના આપી જ રહેલ છે. આચાર્ય જિનપ્રભે ઈ.સ. ૧૩૦૬માં વિધિમાર્ગપ્રપા ગ્રંથની સમાપ્તિ કરી છે. તેમાં પણ (પૃ. ૪૮થી) તેમણે આગમોના સ્વાધ્યાયની તપોવિધિનું વર્ણન કર્યું છે. ક્રમથી નીચેના ૫૧ ગ્રંથોનો તેમાં ઉલ્લેખ છે—૧ આવશ્યકર,૨ દશવૈકાલિક, ૩ ઉત્તરાધ્યયન, ૪ આચારાંગ, ૫ સૂયગડાંગ, ૬ ઠાણાંગ, ૭ સમવાયાંગ, ૮ નિસીહ, ૯-૧૧ દસા “अन्यथा हि अनिबद्धमङ्गोपाङ्गशः समुद्रप्रतरणवद् दुरध्यवसेयं स्यात् -" तत्त्वार्थभाष्य, १. ૨૦. ૨. ‘‘મોહનિન્ગુત્તી આવયં વેવ ઝળુપવિટ્ટા''—વિધિમાńપ્રવા, પૃ. ૪૬. ૧. Page #61 -------------------------------------------------------------------------- ________________ (૨૭) કમ્પ-વવહાર', ૧૨ પંચકપ્પ, ૧૩જીયકપ્પ, ૧૪ વિવાહપન્નત્તિ, ૧૫ નાયાધમ્મકહા, ૧૬ ઉપાસગદસા, ૧૭ અંતગડદસા, ૧૮ અનુત્તરોવવાઇયદસા, ૧૯ પહાવાગરણ, ૨૦ વિવાગસુય (દિવાસો યુવાતમાં તે વોfછa) (પૃ. ૫૬). આની પછી આ પાઠ પ્રાસંગિક છે–“રૂલ્ય ય વિવરવાપરિયાતિવાસો કયારપj વરિષ્ના વાડ઼જ્ઞા પાર્વ चउवासो सूयगडं । पंचवासो दसा-कप्प-ववहारे । अट्ठवासो ठाण-समवाए । दसवासो भगवई । इक्कारसवासो खुड्डियाविमाणाइपंचज्झयणे । बारसवासो अरुणोववायाइपंचज्झयणे । तेरसवासो उट्ठाणसुयाइचउरज्झयणे । चउदसाइअट्ठारसंतवासो कमेण कमेण आसीविसभावणा-दिट्ठिविसभावणा-चारणभावणा-महासुमिणभावणा-तेयनिसग्गे । મૂવીવાસી વિટ્ટીવાયં સંપુત્રવીસવાસો વ્યયુગો ઉત્ત” | (પૃ. પ૬). ત્યારબાદ “ ઇ ૩વં'' એવું લખીને જે અંગનું જે ઉપાંગ છે તેનો નિર્દેશ આવી રીતે કરવામાં આવેલ છે – અંગ ઉપાંગ આચાર ૨૧ ઓવાય સૂયગડ ૨૨ રાયપાસેણય ઠાણ જીવાભિગમ સમવાય ૨૪ પષ્ણવણા ભગવાઈ ૨૫ સૂરપણ્યત્તિ નાયા (ધમ્મ). ૨૬ જંબૂદીવપષ્ણત્તિ ઉવાસગદસા ૨૭ ચંદપષ્ણત્તિ ૮-૧૨ અંતગડદસાદિ ૨૮-૩૨ નિરયાવલિયા સુયખંધ (૨૮ “કપ્રિયા ૨૯ કપૂવડિસિયા ૩૦ પુફિયા, ૩૧ પુફચૂલિયા, ૩૨ વણિહદસા) a ww ૨૩ com ૧. દસા-કપ્પ-વવહારનો એક શ્રુતસ્કંધ છે એવી સામાન્ય માન્યતા છે. પરંતુ કોઈના મતે કમ્પ-વવહારનો એક સ્કંધ છે–વિધિમાર્ગપ્રપા, પૃ. ૫૨. ૨.શ્રીચંદ્રની સુખબોધા સામાચારીમાં તેના સ્થાને નિરયાવલિયાનો નિર્દેશ છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ (૨૮) આચાર્ય જિનપ્રભે મતાંતરનો પણ ઉલ્લેખ કર્યો છે કે ““મઇ પુળ વં૫ત્તિ सूरपण्णत्तिं च भगवईउवंगे भणंति । तेसिं मएण उवासगदसाईण पंचण्हमंगाणं उवंगं નિરયાવત્રિયાસુવિંધો’’–પૃ. ૧૭. આ મતનું ઉત્થાન આ કારણે થયું હશે કે જ્યારે ૧૧ અંગો ઉપલબ્ધ છે અને બારમું અંગ ઉપલબ્ધ જ નથી તો તેના ઉપાંગની આવશ્યકતા નથી. આથી કરી ભગવતીના બે ઉપાંગો માની ૧૧ અંગ અને ૧૨ ઉપાંગની સંગતિ બેસાડવાનો આ પ્રયત્ન છે. અંતમાં શ્રીચંદ્રની સુખબોધા સામાચારીમાં મળતી ગાથા ઉદ્ભૂત કરીને “૩ાવિદી’ની સમાપ્તિ કરી છે. ત્યારપછી “સંપર્ય પUMI'—એ ઉલ્લેખ સાથે ૩૩ નંદી, ૩૪ અનુયોગદારાઇ, ૩પ દેવિંદWય, ૪૬ તંદુવેયાલિય, ૩૭ મરણસમાહિ, ૩૮ મહાપચ્ચખાણ, ૩૯ આઉરપચ્ચખાણ, ૪૦સંથારય, ૪૧ ચંદાવિન્ઝય, ૪ર ભત્તપરિણા, ૪૩ ચઉસરણ, ૪૪ વીરસ્થય, ૪૫ ગણિવિજા, ૪૬ દીવસાગરપણત્તિ, ૪૭ સંગહણી, ૪૮ ગચ્છાયાર, ૪૯ દીવસાગરપત્તિ, ૫૦ ઇસિભાસિયાઇં–આ બધાનો ઉલ્લેખ કરીને “પUવિહીની સમાપ્તિ કરી છે. આનાથી સૂચિત થાય છે કે તેમના મતમાં ૧૮ પ્રકીર્ણકો હતા. અંતમાં મહાનિસીહનો ઉલ્લેખ હોવાથી કુલ ૫૧ ગ્રંથોનો જિનપ્રભે ઉલ્લેખ કર્યો છે.' જિનપ્રભે સંગ્રહરૂપ જોગવિહાણ નામક ગાથાબદ્ધ પ્રકરણનું પણ ઉદ્ધરણ પોતાના ગ્રંથમાં આપ્યું છે–પૃ. ૬૦. આ પ્રકરણમાં પણ સંખ્યાંક આપીને અંગોના નામ આપવામાં આવ્યા છે. યોગવિધિક્રમમાં આવસ્મય અને દસયાલિયનો સર્વપ્રથમ ઉલ્લેખ કર્યો છે અને ઓઘ તથા પિંડનિર્યુક્તિનો સમાવેશ એમાં જ થાય છે એવી સૂચના પણ આપી છે (ગાથા ૭, પૃ. ૫૮). ત્યારપછી નંદી અને અનુયોગનો ઉલ્લેખ કરીને ઉત્તરાધ્યયનનો નિર્દેશ કર્યો છે. તેમાં પણ સમવાયાંગ બાદ દસા-કપ્પ-વવહારનિસીહનો ઉલ્લેખ કરીને તેમની જ “છેદસૂત્ર' એવી સંજ્ઞા પણ આપી છે–ગાથા ૨૨, પૃ. ૫૯. ત્યાર પછી જયકપ્પ અને પંચકપ્પ (પણકખ)નો ઉલ્લેખ હોવાથી પ્રકરણકારના સમય સુધી સંભવ છે કે તેમને છેદસૂત્રના વર્ગમાં સમ્મિલિત ન કરવામાં આવ્યા હોય. પંચકલ્પ પછી ઓવાઇય વગેરે ચાર ઉપાંગોની વાત કહીને વિવાહપણત્તિથી માંડી વિવાગ અંગોનો ઉલ્લેખ છે. ત્યારપછી ચાર પ્રજ્ઞપ્તિસૂર્યપ્રજ્ઞપ્તિ વગેરે નિર્દિષ્ટ છે. ત્યાર પછી નિરયાવલિયાનો ઉલ્લેખ કરીને ઉપાંગદર્શક ૧. ગચ્છાચાર પછી – “ફુન્ના પણ If” એવો ઉલ્લેખ હોવાથી કેટલાક અન્ય પણ પ્રકીર્ણકો હશે જેનો ઉલ્લેખ નામપૂર્વક કરવામાં આવ્યો નથી–પૃ. ૫૮. Page #63 -------------------------------------------------------------------------- ________________ (૨૯) પૂર્વોક્ત ગાથા (નં. ૬૦) નિર્દિષ્ટ છે. ત્યારપછી દેવિંદત્થય વગેરે પ્રકીર્ણકની તપસ્યાનો નિર્દેશ કરીને ઇસિભાસિયનો ઉલ્લેખ છે. એ મત પણ ઉલ્લિખિત છે કે જેના અનુસાર ઇસિભાસિયનો સમાવેશ ઉત્તરાધ્યયનમાં થઈ જાય છે (ગાથા ૬૨, પૃ. ૬૨). અંતમાં સામાચારીવિષયક પરંપરાભેદને જોઈને શંકા ન કરવી જોઈએ એવો પણ ઉપદેશ છે (ગાથા ૬૬). જિનપ્રભના સમય સુધી સાંપ્રતકાળમાં પ્રસિદ્ધ વર્ગીકરણ સ્થિર થઈ ગયું હતું તેનો ડુપુરાવો ‘વાયાવિહો’ના ઉત્થાનમાં તેમણે જે વાક્ય આપ્યું છે તેનાથી મળે છે—‘વં कप्पतिच्चाइविहिपुरस्सरं साहू समाणियसयलजोगविही मूलग्गन्थ नन्दिअणुओगदारઉત્તરાયળ-ફસિમાપ્તિય-બંગ-૩વંગ-પાય-છેયાર્થગામે વાડ્બ્બા'' —પૃ. ૬૪. આનાથી એ પણ પત્તો લાગે છે કે ‘મૂલ’માં આવશ્યક અને દશવૈકાલિક એ બે જ સામેલ હતા. આ સૂચિમાં ‘મૂલગ્રંથ’ એવો ઉલ્લેખ છે પરંતુ પૃથક્ રૂપે આવશ્યક અને દશવૈકાલિકનો ઉલ્લેખ નથી—તેનાથી આની સૂચના મળે છે. જિનપ્રભે પોતાના સિદ્ધાન્તાગમસ્તવમાં વર્ગોના નામની સૂચના નથી આપી પરંતુ વિધિમાર્ગપ્રપામાં આપી છે. એનું કારણ એ પણ હોઈ શકે કે જ્યારે તેમણે વિધિમાર્ગપ્રપા લખી ત્યારે તેમની જ તે સૂઝ હોય. જિનપ્રભનો લેખનકાળ સુદીર્ઘ હતો તે તેમના વિવિધ તીર્થકલ્પની રચનાથી જણાઈ આવે છે. તેની રચના તેમણે ઈ.સ. ૧૨૭૦માં શરૂ કરી અને ઈ.સ.૧૩૩૨માં તેને પૂર્ણ કરી એ વચ્ચે તેમણે ઈ.સ.૧૩૦૬માં વિધિમાર્ગપ્રપા લખી છે. સ્તવન સંભવ છે કે તેનાથી પ્રાચીન હશે. ઉપલબ્ધ આગમો અને તેમની ટીકાઓનું પરિમાણ : સમવાય અને નંદીસૂત્રમાં અંગોની જે પદસંખ્યા આપી છે તેમાં પદથી શું અભિપ્રેત છે તે ઠીક ઠીક સમજાતું નથી અને ઉપલબ્ધ આગમોમાં પદસંખ્યાનો મેળ પણ નથી. દિગંબર ખ઼ડાગમમાં ગણિતના આધારે સ્પષ્ટીકરણ કરવાનો જે પ્રયત્ન છે તે પણ કાલ્પનિક જ છે, તથ્યની સાથે તેનો કોઈ સંબંધ દેખાતો નથી. આથી હવે ઉપલબ્ધ આગમોનું શું પરિમાણ છે તેની ચર્ચા કરવામાં આવે છે. આ સંખ્યાઓ હસ્તપ્રતિઓમાં ગ્રંથાગ્ર રૂપે નિર્દિષ્ટ થઈ છે. તેનું તાત્પર્ય હોય છે—૩૨ અક્ષરોના શ્લોકો. લિપિકાર પોતાનું લેખન પારિશ્રામિક લેવા માટે ગણીને મોટા ભાગે અંતમાં આ સંખ્યા આપે છે. ક્યારેક ગ્રંથકાર પોતે પણ આ સંખ્યાનો નિર્દેશ કરે છે. ૧. જૈ. સા. સં. ઇ., પૃ. ૪૧૬. ૨. નૈ. સા. રૂ. પૂર્વીાિ, પૃ. ૬૨૬; પત્નુંડાગમ, પુ. ૨૩, પૃ. ૨૪૭-૨૬૪. ૩. ક્યારેક ક્યારેક ધૂર્ત લિપિકારો સંખ્યા ખોટી પણ લખી નાખે છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ (૩૦) અહીં આપવામાં આવનારી સંખ્યાઓ ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટના વોલ્યુમ ૧૭ના ૧-૩ ભાગોમાં આગમો અને તેમની ટીકાઓની હસ્તપ્રતોની જે સૂચિ છપાઈ છે તેના આધારે છે–આનાથી બે કાર્ય સિદ્ધ થશે-શ્લોકસંખ્યાના બોધ ઉપરાંત કયા આગમની કેટલી ટીકાઓ લખાઈ છે તેની પણ જાણ થશે. ૧. અંગ (૧) આચારાંગ ૨૬૪૪, ૨૬૫૪ નિયુક્તિ ૪૫૦ ચૂર્ણિ ૮૭૫૦ વૃત્તિ ૧૨૩૦૦ દીપિકા (૧) ૯OO૦, ૧૦૦૦૦, ૧૫000 " (૨) ૯૦૦૦ અવચૂરિ પર્યાય (૨) સૂત્રકૃતાંગ ૨૧૦૦ (પ્રથમ શ્રુતસ્કંધની ૧૦૦૦) નિર્યુક્તિ ૨૦૮ ગાથા નિર્યુક્તિ મૂળ સાથે ૨૫૮૦ નિર્યુક્તિ]૧૨૮૫૦, ૧૩૦૦૦, ૧૩૩૨૫ વૃત્તિ (૧૪૦૦૦ હર્ષકુલકૃત દીપિકા (૧) ૬૬૦૦, ૮૬૦૦, ૭૧૦૦ ૭૦૦૦ (આ સંખ્યા મૂળ સાથેની છે) સાધુરંગકૃત દીપિકા ૧૩૪૧૬ પાર્જચંદ્રકૃત વાર્તિક (ટબો) ૮૦૦૦ ચૂર્ણિ પર્યાય (૩) સ્થાનાંગ ૩૭૭૦, ૩૭૫૦ ટીકા (અભયદેવ) ૧૪૨૫૦, ૧૪૫૦૦ સટીક ૧૮૦૦૦ દીપિકા (નાગર્ષિગણિ) સાથે ૧૮૦૦૦ બાલાવબોધ સ્તબક ૧૯૦૦૦ પર્યાય બોલ Page #65 -------------------------------------------------------------------------- ________________ (૩૧) (૪) સમવાય ૧૬૬૭, ૧૭૬૭ વૃત્તિ ૩પ૭૫, ૩૭૦૦ પર્યાય (૫) ભગવતી ૧૬OO૦, ૧૫૮૦૦ વૃત્તિ ૧૮૬ ૧૬, ૧૯૭૭૬ " અવચૂર્ણિ ૩૧૧૪ છે પર્યાય (૬) જ્ઞાતાધર્મ ૫૫૦૦, ૬૦૦૦, પ૨૫૦, પ૬૨૭ પ૭પ૦, ૬૦૦૦ , વૃત્તિ ૩૭૦૦, ૩૮૧૫, ૪૭૦૦ સવૃત્તિ ૯૭પપ બાલાવબોધસહ ૧૮૨૦૦ (૭) ઉપાસકદશા ૯૧૨, ૮૭૨, ૮૧૨ ” વૃત્તિ ८४४ (૮) અન્નકૃત ૯૦૦ ” વૃત્તિ (ઉપાઠ અત્તo અનુત્ત) ૧૩૦૦ ” તબક (૯) અનુત્તરપપાતિક ૧૯૨ વૃત્તિ ૪૩૭ (૧૦) પ્રશ્નવ્યાકરણ ૧૨૫૦ વૃત્તિ ૪૬૩૦, પ૬૩૦, ૪૮૦૦, ૫૦૧૬ સ્તબક પર્યાય (૧૧) વિપાક વૃત્તિ ૧૨૫૦ ૧૦૦૦, ૯૦૯, ૧૧૬૭ » સ્તબક ૨. ઉપાંગ (૧) ઔપપાતિક 0) વૃત્તિ (૨) રાજપ્રશ્નીય ” ૧૧૬૭, ૧૫૦૦ ૩૪૫૫, ૩૧૩૫, ૩૧૨૫ ૨૫૦૯, ૨૦૭૯, ૨૧૨૦ ૩૬૫૦, ૩૭૦૦, ૩૭૯૮ વૃત્તિ Page #66 -------------------------------------------------------------------------- ________________ (૩) જીવાભિગમ "" (૪) 23 27 પ્રજ્ઞાપના "" ,, "" ,, (૫) સૂર્યપ્રજ્ઞપ્તિ 33 "" (૬) જમ્બુદ્રીપપ્રજ્ઞપ્તિ 29 ,, 99 "" વૃત્તિ સ્તબક પર્યાય 23 (૭) ચન્દ્રપ્રજ્ઞપ્તિ ૨૦૫૮ "" ટીકા 22 ટીકા પ્રદેશવ્યાખ્યા સંગ્રહણી પર્યાય ટીકા "" વિવરણ. ૯૫૦૦ (૮-૧૨) નિરયાવલિકા (૫) ૧૧૦૯ ટબાસહ ૧૫૦૦૦ ચૂર્ણિ (કરણ) ૨૦૨૩, ૧૮૨૩, ૧૮૬૦ વિવૃત્તિ (બ્રહ્મ) ૩. પ્રકીર્ણક (૧) ચતુઃશરણ "" (૩૨) ૪૭૦૦, ૫૨૦૦ ૧૪૦૦૦ "" ૭૯૮૯, ૮૧૦૦, ૭૭૮૭ ૧૪૦૦૦, ૧૫૦૦૦ ટીકા ૬૦૫, ૬૫૦, ૭૩૭, ૬૩૭ ટબો ૧૧૦૦ પર્યાય બાલાવબોધ "" ૪૪૫૮, ૪૧૪૬ (હીર૦) ૧૪૨૫૨ (શાન્તિ) ,, 99 વિષમપદ (૨) આતુરપ્રત્યાખ્યાન ગાથા ૮૪ વિવરણ ૮૫૦ ટબો ગાથા ૬૩ અવસૂરિ ટબો Page #67 -------------------------------------------------------------------------- ________________ (૩૩) (૩) ભક્તપરિજ્ઞા ગા. ૧૭૩ ગ્રન્થાઝ ૧૭૧ અવસૂરિ (૪) સંસ્મારક ગાથા ૧૨૧ વિવરણ અવચૂરિ બાલાવબોધ (૫) તન્દુલવૈચારિક ૪૦૦ બાલાવબોધ (૬) ચન્દ્રાવેધ્યક ગાથા ૧૭૪ ગા.૧૭૫ (૭) દેવેન્દ્રસ્તવ ગા૩૦૭, ગા૦૨૯૨ (૮) ગણિવિદ્યા ગા૮૬, ગાળ૮૫ (૯) મહાપ્રત્યાખ્યાન ગા૦૧૪૩, ગા.૧૪૨ (૧૦) વીરસ્તવ ગા૦૪૩, ગા૦૪૨ (૧૧) અંગચૂલિકા (૧૨) અંગવિદ્યા ૯OO. (૧૩) અજીવકલ્પ ગાથા ૪૪ (૧૪) આરાધનાપતાકા ૯૯૦ (રચના સં. ૧૦૭૮) (૧૫) કવચદ્વાર - ગા૦૧ ૨૯ (૧૬) ગચ્છાચાર ૧૬૭ વિવૃત્તિ પ૮૫૦ (વિજયવિમલ) વાનરર્ષિ અવચૂરિ (૧૭) જબૂસ્વામિસ્વાધ્યાય ટબો (પદ્મસુન્દર) (૧૮) જ્યોતિષ્કરંડક ટીકા ૫૫૦૦ Page #68 -------------------------------------------------------------------------- ________________ (૧૯) તીર્થોદુગાલિક (૨૦) દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ (૨૧) પર્યન્તારાધના "" "" (૨૨) પિંડવિશુદ્ધિ "" ,, 17 3" "" (૨૩) મરણવિધિ (૨૪) યોનિપ્રામૃત (૨૫) વંકચૂલિકા (૨૬) સારાવલી (૨૭) સિદ્ધપ્રાભૂત ગાથા ૪. છેદસૂત્ર (૧) નિશીથ "" "" "" (૩૪) ગા૦ ૧૨૫૧, ગા૦ ૧૨૩૩ ગ્રન્થાત્ર ૧૫૬૫ 37 બાલાવબોધ "1 99 ટીકા ૪૪૦૦ સુબોધા ૨૮૦૦ દીપિકા ૭૦૩ બાલાવબોધ અવચૂર્ણિ ૧૨૧ પર્યાય (૨) મહાનિશીથ ૪૫૪૪ 39 ટબો (૩) વ્યવહાર ૭૪ ૨૪૫ ૩૦૦ ૮૧૨ નિર્યુક્તિ-ભાષ્ય ગા૦ ૬૪૩૯ ગ્રન્થામ્ર ૮૪૦૦ ટિપ્પણક ૭૭૦૫ (?) ચૂર્ણિ (પ્રથમ ઉ૦) ૫૩૯૫ વિંશોદ્દેશકવ્યા નિર્યુક્તિ-ભાષ્ય ૫૨૦૦, ગા૦૪૬૨૯ Page #69 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર (૩૫) ટીકા પ્રથમ ખંડ (ઉ. ૧-૩ ૧૬૮૫૬ પીઠિકા ૨૩૫૪ પીઠિકા ઔર ઉ૦૧ ૧૦૮૭૮ ઉ૦ ૩ ૨૫૬૫ ઉ૦ ૧૦ ૪૧૩૩ ઉ૦ ૧-૧૦ ૩૭૬ ૨૫ દ્વિતીય ખંડ ૧૦૩૬૬ ચૂર્ણિ ૧૦૩૬૦ પીઠિકા ૨૦૦૦ પર્યાય (૪) દશાશ્રુત ૧૩૮૦ નિર્યુક્તિ ગાઇ ૧૫૪ ચૂર્ણિ ૨૨૨૫, ૪૩૨૧, ૨૧૬૧, ૨૩૨૫ (?) ટીકા (બ્રહ્મ) ૫૧૫૨ '' ટિપ્પનક પર્યાય કલ્પસૂત્ર (દશાશ્રુતનો અંશ) ૧૨૧૬ સહવિષૌષધિ (જિનપ્રભ) ૨૨૬૮ અવચૂર્ણિ કિરણાવલી (ધર્મદાસ) ૮૦૧૪ (?) પ્રદીપિકા (સંઘવિજય) ૩૨૦૦ દિીપિકા (જયવિજય) ૩૪૩ર કલ્પદ્રુમકલિકા (લક્ષ્મીવલ્લભ) અવચૂરિ ટિપ્પણક વાચનિકાસ્નાય ટબો નિર્યુક્તિ-સંદેહવિષષધિસહ ૩૦૪૧ વૃત્તિ (ઉદયસાગર) ટિપ્પણ (પૃથ્વીચન્દ્ર) Page #70 -------------------------------------------------------------------------- ________________ (૩૬) કલ્પસૂત્ર દુર્ગપદનિયુક્તિ ૪૧૮ કલ્પાન્તર્વાચ્ય (કલ્પસમર્થન) ૨૭૦૦ પર્યુષણાલિકાવ્યાખ્યાન પર્યુષણ પર્વવિચાર મંજરી (રત્નસાગર) પ૬૯૫ (?) લતા (સમયસુન્દર) ૮૦૦૦. સુબોધિકા (વિનયવિજય) ૫૪૦૦ કૌમુદી (શાન્તિસાગર) ૩૭૦૭, ૯૫૩૮ (?) જ્ઞાનદીપિકા (જ્ઞાનવિજય) (૫) બૃહત્કલ્પ ૪૦૦, ૪૭૩ લઘુભાષ્ય સટીક (પીઠિકા) પદ00 ઉ0 ૧-૨ ૯૫૦૦ ૨-૪ ૧૨૫૪૦ લઘુભાષ્ય ૬૬૦૦ ટબો ચૂર્ણિ ૧૪૦૦૦, ૧૬૦૦૦ વિશેષચૂર્ણિ ૧૧૦૦૦ બૃહભાષ્ય ૮૬૦) પર્યાય (૬) પંચકલ્પ ” ચૂર્ણિ ૩૧૩૫ બૃહભાષ્ય ૩૧૮૫ (ગા) ૨૫૭૪) પર્યાય જીતકલ્પ ગાય ૧૦૩, ૧૦૫ વિવરણલવ (શ્રીતિલક) " ટીકા ૬૭૭૩ ચૂર્ણિ (સિદ્ધસેન) પર્યાય (૮) યતિજીતકલ્પ ” વિવૃત્તિ પ૭૦૦ Page #71 -------------------------------------------------------------------------- ________________ (૩૭) પચૂલિકા સૂત્રો (૧) નન્દી ૭૦૦ . વૃત્તિસહ ૮૫૩૫ ચૂર્ણિ ૧૪OO વિવરણ (હરિ) ૨૩૩૬ ” (મલય) ૭૭૩૨, ૭૮૩૨ દુર્ગપદવ્યાખ્યા (શ્રીચન્દ્ર) પર્યાય વિરાવલિ (નન્દીગતા) અવચૂરિ ટબો બાલાવબોધ (૨) અનુયોગદ્વાર ૧૩૯૯, ૧૬૦૪, ૧૮00, ૨૦૦૫ વૃત્તિ (હેમ) પ૭૦૦, ૬૦૦૦ વાર્તિક ૬–મૂલસૂત્ર (૧) ઉત્તરાધ્યયન ૨૦૦૦, ૨૩૦૦, ૨૧૦૦ સુખબોધા (દેવેન્દ્ર=નેમિચન્દ્ર) ૧૪૯૧૬, ૧૪૨૦) ૧૨૦૦૦, ૧૪૪૨૭, ૧૪૪૫૨, ૧૪૦૦૦ અવસૂરિ વૃત્તિ (કીર્તિવલ્લભ) ૮૨૬૦ અક્ષરાર્થ ' લવલેશ ૬૫૯૮ વૃત્તિ (ભાવવિજય) ૧૪૨૫૫ દીપિકા (લક્ષ્મીવલ્લભ) દીપિકા ૮૬૭૦ બાલાવબોધ ૬૨પ૦ ટબો ૭000 (પાર્શ્વચન્દ્ર) કથા પ૦૦૦ (પદ્મસાગર), ૪પ૦૦ નિર્યુક્તિ ૬૦૪ બૃહવૃત્તિ (શાન્તિસૂરિ) ૧૮૦૦૦ બૃહવૃત્તિપર્યાય અવચૂર્ણિ (જ્ઞાનસાગર) પ૨૫૦ Page #72 -------------------------------------------------------------------------- ________________ (૨) દશવૈકાલિક 19 13 "" 39 11 37 ,, 29 (૩) આવશ્યક 23 : : : : : : : : ::::: ૭૦૦ નિર્યુક્તિ ૫૫૦ વૃત્તિ (હરિ) વૃત્તિ 37 ટીકા (સુમતિ) ૨૬૫૦ ટીકા ૩૦૦૦ ટીકા ૨૮૦૦ અવસૂરિ ૨૧૪૩ ટબો (કનકસુંદ૨) ૧૫૦૦ ચૈત્યવંદન-લલિતવિસ્તરા ૧૨૭૦ પંજિકા (૩૮) "" ટબો (દેવકુશલ) ૩૨૫૦ વૃત્તિ (તણપ્રભ) અવસૂરિ (કુલમંડન) બાલાવબોધ અવસૂરિ પર્યાય ટબો નિર્યુક્તિ ૨૫૭૨,૩૫૫૦, ૩૧૦૦, ૩૩૭૫, ૩૧૫૦ પીઠિકા-બાલાવબોધ "" ,, શિષ્યહિતા (હરિ) ૧૨૩૪૩ વિવૃત્તિ (મલય૰) લઘુવૃત્તિ (તિલકાચાર્ય) નિર્યુક્તિ-અવસૂરિ (જ્ઞાનસાગર) ૯૦૦૫ "" 39 ,, ,, બાલાવબોધ દીપિકા લઘુવૃત્તિ ૧૩૦૯૦ પ્રદેશવ્યાખ્યા (હેમચન્દ્ર) ૪૬૦૦ (?) વિશેષાવશ્યકભાષ્ય ગા ૪૩૧૪, ગા ૩૬૭૨, ગ્રન્થાષ્ર ૫૦૦૦, ગા૦ ૪૩૩૬ Page #73 -------------------------------------------------------------------------- ________________ "" 27 ,, (૪) પિંડનિર્યુક્તિ "" "" 97 (૫) ઓધનિર્યુક્તિ 33 17 ', (૬) પાક્ષિકસૂત્ર "" "" "" 33 "" (૩૯) વૃત્તિ સ્વોપશ વૃત્તિ (કોટ્યાચાર્ય) ૧૩૭૦૦ વૃત્તિ (હેમચન્દ્ર) ૨૮૦૦૦, ૨૮૯૭૬ ૭૬૯૧ શિષ્યહિતા (વીરગણિ=સમુદ્રઘોષ) વૃત્તિ (માણિક્યશેખર) અવસૂરિ (ક્ષમારત્ન) ૧૪૬૦, ગા૦ ૧૧૬૨, ગા૦ ૧૧૫૪, ગા ૧૧૬૫, ગા૦ ૧૧૬૪ ટીકા (દ્રોણ૦) સહ ૭૩૮૫, ૮૩૮૫ ટીકા (દ્રોણ૦) ૬૫૬૪ અવસૂરિ (જ્ઞાનસાગર) ૩૪૦૦ વૃત્તિ (યશોદેવ) ૨૭૦૦ અવસૂરિ ૬૨૧, ૧૦૦૦ આગમો અને તેમની ટીકાઓના પરિમાણના ઉપરોક્ત નિર્દેશથી એ વાત જાણી શકાય છે કે આગમસાહિત્ય કેટલું વિસ્તૃત છે. ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, કલ્પસૂત્ર તથા આવશ્યકસૂત્ર-આટલાની ટીકાઓની સૂચિ પણ ખાસી લાંબી છે. સહુથી વધુ ટીકાઓ લખાઈ છે કલ્પસૂત્ર અને આવશ્યકસૂત્ર ૫૨. આનાથી આ સૂત્રોનું વિશેષ પઠન-પાઠન સૂચિત થાય છે. જ્યારથી પર્યુષણમાં સંઘ સમક્ષ કલ્પસૂત્રનાં વાચનની પ્રતિષ્ઠા થઈ છે, ત્યારથી આ સૂત્રનો અત્યધિક પ્રચાર થયો. આવશ્યક તો નિત્યક્રિયાનો ગ્રંથ હોવાથી તેના પર અધિક ટીકાઓ લખવામાં આવે તે સ્વાભાવિક છે. આગમોનો સમય ઃ આધુનિક વિદેશી વિદ્વાનોએ એ વાત માની છે કે ભલે દેવર્ષિએ પુસ્તક-લેખન કરીને આગમોનું સુરક્ષા-કાર્ય આગળ વધાર્યું પરંતુ તેઓ, જેવું કેટલાક જૈન આચાર્યો પણ માને છે, તેમના કર્તા નથી. આગમો તો પ્રાચીન જ છે. તેઓએ તેમને અત્રતત્ર વ્યવસ્થિત કર્યાં. આગમોમાં કેટલોક અંશ પ્રક્ષિપ્ત હોઈ શકે છે પરંતુ તે પ્રક્ષેપના કારણે સમગ્ર આગમસાહિત્યનો સમય દેવર્ષિનો સમય થઈ જતો નથી. તેમાં કેટલાય ૧ ૧. જુઓ—સેક્રેડ બુક્સ ઓફ ધ ઈસ્ટ, ભાગ ૨૨ની પ્રસ્તાવના, પૃ. ૩૯માંનું જેકોબીનું કથન Page #74 -------------------------------------------------------------------------- ________________ (૪૦) અંશો એવા છે જે મૌલિક છે. આથી સમગ્ર આગમસાહિત્યનો રચનાસમય એક નથી. તે તે આગમનું પરીક્ષણ કરીને કાળનિર્ણય કરવો જરૂરી છે. સામાન્ય રીતે વિદ્વાનોએ અંગ-આગમોનો કાળ, પ્રક્ષેપો છોડીને, પાટલિપુત્રની વાચનાના કાળને માન્યો છે. પાટલિપુત્રની વાચના ભગવાન મહાવીર પછી છઠ્ઠા આચાર્ય ભદ્રબાહુના સમયમાં થઈ અને તેમનો કાળ છે ઈ.સ. પૂ. ૪થી શતાબ્દીનો બીજો દશક.' ડૉ. જેકોબીએ છંદ વગેરેની દૃષ્ટિએ અધ્યયન કરીને એવો નિર્ણય ર્યો હતો કે કોઈ પણ હાલતમાં આગમોનો પ્રાચીન અંશ ઈ.સ.પૂ. ૪થી શતાબ્દીના અંતથી માંડી ઈ.સ.પૂ. ૩જી શતાબ્દીના પ્રારંભથી પ્રાચીન ઠરતો નથી. આમ બધી રીતે આપણે એટલું તો માની જ શકીએ કે આગમોનો પ્રાચીન અંશ ઈ.પૂર્વનો છે. તેમને દેવર્ધિના કાળ સુધી લાવી શકાશે નહિ. આગમોનો લેખનકાળ ઈ.સ. ૪પ૩ (મતાંતરે ઈ.સ. ૪૬૬) માનવામાં આવે છે. વલભીમાં તે સમયે કેટલાં આગમો લેપબદ્ધ કરવામાં આવ્યાં તેની કોઈ સૂચના મળતી નથી પરંતુ એટલી તો કલ્પના કરી શકાય છે કે અંગ-આગમોનું પ્રક્ષેપો સાથેનું આ અંતિમ સ્વરૂપ હતું. આથી અંગોના પ્રક્ષેપોની આ જ અંતિમ મર્યાદા હોઈ શકે છે. પ્રશ્નવ્યાકરણ જેવા સર્વથા નૂતન અંગની વલભી-લેખન સમયે કઈ સ્થિતિ હતી તે એક સમસ્યા જ બની રહેશે. તેનો હલ હમણાં તો કંઈ દેખાતો નથી. કેટલાક વિદ્વાનો આ લેખનના કાળનું અને અંગ-આગમોના રચનાકાળનું સંમિશ્રણ કરી નાખે છે અને આ જ લેખનકાળને રચનાકાળ પણ માની લે છે. આ તો એવી જ વાત થઈ કે જેવી રીતે કોઈ હસ્તપ્રતનો લેખનકાળ જોઈને તેને જ રચનાકાળ પણ માની લે. આમ માનવાથી તો સમગ્ર વૈદિક સાહિત્યના કાળનો નિર્ણય જે નિયમોના આધારે કરવામાં આવ્યો છે તે નહિ થાય અને હસ્તપ્રતોના આધારે જ કરવો પડશે. સાચી વાત તો એ છે કે જેવી રીતે વૈદિક સાહિત્ય શ્રત છે તેવી જ રીતે જૈન આગમોનો અંગ વિભાગ પણ શ્રત છે. આથી તેના કાળનિર્ણય માટે તે જ નિયમોનો ઉપયોગ જરૂરી છે જે નિયમોનો વૈદિક વાયના કાળનિર્ણયમાં ઉપયોગ કરવામાં આવે છે. અંગ-આગમો ભગવાન મહાવીરનો ઉપદેશ છે અને તેના આધારે તેમના ગણધરોએ અંગોની રચના કરી છે. આથી રચનાનો પ્રારંભ તો ભગવાન મહાવીરના સમયથી જ માની શકાય છે. તેમાં જે પ્રક્ષેપો હોય તેમને અલગ કરી તેમનો સમયનિર્ણય અન્ય આધારો દ્વારા કરવો જોઈએ. ૧. ડોક્ટીન ઓફ ધ જૈન્સ, પૃ. ૭૩. ૨. સેક્રેડબુક્સ ઓફ ધ ઈસ્ટ, ૨૨, પ્રસ્તાવના પૃ. ૩૧થી; ડોક્ટીન ઓફ ધજૈન્સ, પૃ. ૭૩, ૮૧. Page #75 -------------------------------------------------------------------------- ________________ (૪૧) આગમોમાં અંગબાહ્ય ગ્રંથો પણ સામેલ થયા છે અને તે તો ગણધરોની રચના નથી. આથી તેમના સમયનું નિર્ધારણ જેવી રીતે અન્ય આચાર્યોના ગ્રંથોનો સમય નિર્ધારિત કરવામાં આવે છે તેવી રીતે જ થવું જોઈએ. અંગબાહ્યોનો સંબંધ વાચનાઓ સાથે પણ નથી અને સંકલન સાથે પણ નથી. તેમાં જે ગ્રંથોના કર્તાની નિશ્ચિત રૂપે જાણકારી છે તેમનો સમય કર્તાના સમય વડે નિશ્ચિત થવો જોઈએ. વાચના, સંકલના અને લેખન જે આગમોના થયાં તેમની સાથે જોડી આ અંગબાહ્ય ગ્રંથોના સમયને પણ અનિશ્ચિત કોટીમાં નાખી દેવો તે અન્યાય છે અને તેમાં સચ્ચાઈ પણ નથી. અંગબાહ્યોમાં પ્રજ્ઞાપનાના કર્તા આર્યશ્યામ છે. આથી આર્યશ્યામનો જે સમય છે તે જ તેનો રચનાસમય છે. આર્યશ્યામને વીરનિર્વાણ સંવત ૩૩૫માં યુગપ્રધાન પદ મળ્યું અને તેઓ ૩૭૬ સુધી યુગપ્રધાન રહ્યા. આથી પ્રજ્ઞાપના આ જ સમયની રચના છે, તેમાં સંદેહને સ્થાન નથી. જેવી રીતે ષટ્રખંડાગમ વગેરે ગ્રંથો છે તેવી રીતે પ્રજ્ઞાપના આદિથી અંત સુધી એક વ્યવસ્થિત રચના છે. તો એવું શું કારણ છે કે તેનો રચનાકાળ જે તેના કર્તાનો કાળ છે તે જન માનવામાં આવે અને તેના કાળને વલભીના લેખનકાળ સુધી ખેંચવામાં આવે? આથી પ્રજ્ઞાપનાનો રચનાકાળ ઈ.સ.પૂ. ૧૯૨થી ઈ.સ.પૂ. ૧૫૧ વચ્ચેનો નિશ્ચિત માનવો જોઈએ. ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ અને જંબૂઢીપપ્રજ્ઞપ્તિ–આ ત્રણે પ્રજ્ઞપ્તિઓ પ્રાચીન છે તેમાં પણ સંદેહને સ્થાન નથી. દિગંબર પરંપરાએ દૃષ્ટિવાદના પરિકર્મમાં આ ત્રણે પ્રજ્ઞપ્તિઓનો સમાવેશ કર્યો છે અને દૃષ્ટિવાદના અંશનો અવિચ્છેદ પણ માન્યો છે. આથી એ જ વધુ સંભવિત છે કે આ ત્રણે પ્રજ્ઞપ્તિઓ વિચ્છિન્ન ન થઈ હોય. તેમનો ઉલ્લેખ શ્વેતાંબરોના નંદી વગેરેમાં પણ મળે છે. આથી એ તો માની જ શકાય છે કે આ ત્રણેની રચના શ્વેતાંબર-દિગંબરના મતભેદોની પહેલાં જ થઈ ચૂકી હતી. આ દૃષ્ટિએ તેમની રચનાસમય વિક્રમના પ્રારંભની પછી આવી શકે નહિ. બીજી વાત એ પણ છે કે સૂર્ય-ચંદ્રપ્રજ્ઞપ્તિમાં જે જ્યોતિષની ચર્ચા છે તે ભારતીય પ્રાચીન વેદાંગોની જેવી છે. પાછળથી જે જ્યોતિષનો વિકાસ થયો છે તે તેમાં નથી. આવી પરિસ્થિતિમાં તેનો સમય વિક્રમ પૂર્વે જ હોઈ શકે છે, પછી નહિ. છેદસૂત્રોમાં દશાશ્રુત, બૃહત્કલ્પ અને વ્યવહારસૂત્રોની રચના ભદ્રબાહુએ કરી હતી. તેમની ઉપર પ્રાચીન નિર્યુક્તિ-ભાષ્ય વગેરે પ્રાકૃત ટીકાઓ પણ લખાઈ છે. આથી તેમના વિચ્છેદની કોઈ કલ્પના કરવી ઉચિત નથી. ધવલામાં કલ્પ-વ્યવહારને ૧. અત્યારે ઉપલબ્ધ ચંદ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્યપ્રજ્ઞપ્તિમાં કોઈ તફાવત જણાતો નથી. Page #76 -------------------------------------------------------------------------- ________________ (૪૨) અંગબાહ્ય ગણાવવામાં આવ્યાં છે અને તેમના વિચ્છેદની ત્યાં કોઈ ચર્ચા નથી. ભદ્રબાહુનો સમય ઈ.સ.પૂ. ૩૫૭ની આજુબાજુ નિશ્ચિત છે. આથી તેમના દ્વારા રચાયેલ દશાશ્રુત, બૃહત્કલ્પ અને વ્યવહારનો સમય પણ તે જ હોવો જોઈએ. નિશીથ આચારાંગની ચૂલા છે અને કોઈ કાળે તેને આચારાંગથી પૃથફ કરવામાં આવેલ છે. તેના પર પણ નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ વગેરે ટીકાઓ છે. ધવલા (પૃ. ૯૬)માં અંગબાહ્ય રૂપે તેનો ઉલ્લેખ છે અને તેના વિચ્છેદની કોઈ ચર્ચા તેમાં નથી. આથી તેના વિચ્છેદની કોઈ કલ્પના કરી શકાતી નથી. ડૉ. જેકોબી અને શુબિંગ અનુસાર પ્રાચીન છેદસૂત્રોનો સમય ઈ.સ.પૂ. ૪થીનો અંત અને ૩જીનો પ્રારંભ માનવામાં આવેલ છે તે ઉચિત જ છે. જીવકલ્પ આચાર્ય જિનભદ્રની કૃતિ હોવાથી તેનો પણ સમય નિશ્ચિત જ છે. તે સ્વતંત્ર ગ્રંથ નથી પરંતુ પૂર્વોક્ત છેદગ્રંથોના સારરૂપ છે. આચાર્ય જિનભદ્રના સમયના નિર્ધારણ માટે વિશેષાવશ્યકની જેસલમેરની એક પ્રતિના અંતમાં જે ગાથા આપવામાં આવી છે તે ઉપયોગી સાધન છે. તેમાં શક સંવત ૧૩૧નો ઉલ્લેખ છે. તદનુસાર ઈ.સ. ૬૦૯ બને છે. આનાથી એટલું સિદ્ધ થાય છે કે જિનભદ્રનો સમય તે પછી તો કોઈ પણ સ્થિતિમાં ઠરાવી શકાય નહિ. ગાથામાં જે શકસંવતનો ઉલ્લેખ છે તે સંભવ છે કે તે પ્રતિના કોઈ સ્થળે રાખવા માટેનો છે. આથી સ્પષ્ટ છે કે તે તે સમય પૂર્વે રચાઈ ગયું હતું. આથી તેની આજુબાજુનો સમય જતકલ્પની રચના માટે પણ માની શકાય મહાનિશીથનું જે સંસ્કરણ પ્રાપ્ત છે તે આચાર્ય હરિભદ્ર દ્વારા ઉદ્ધાર કરાયેલ છે. આથી તેનો સમય પણ આચાર્ય હરિભદ્રના સમય સાથે ગણાશે. આચાર્ય હરિભદ્રના સમયનું નિર્ધારણ અનેક પ્રમાણો વડે આચાર્ય જિનવિજયજીએ કર્યું છે અને તે છે ઈ.સ. ૭૦૦થી ૮૦૦ની વચ્ચેનો. મૂલસૂત્રોમાંનાં દશવૈકાલિકની રચના આચાર્ય શäભવે કરી છે અને તે સાધુઓના નિત્ય સ્વાધ્યાયના કામમાં આવે છે તેથી તેનો વિચ્છેદ સંભવિત ન હતો. અપરાજિતસૂરિએ સાતમ-આઠમી શતાબ્દીમાં તેની ટીકા પણ લખી હતી. તે પહેલાં નિર્યુક્તિ, ચૂર્ણિ વગેરે ટીકાઓ પણ તેના પર લખવામાં આવી છે. પાંચમી-છઠ્ઠી શતાબ્દીમાં થનારા આચાર્ય પૂજયપાદે (સર્વાર્થસિદ્ધિ, ૧. ૨૦) પણ દશવૈકાલિકનો ઉલ્લેખ કર્યો છે અને તેને પ્રમાણ માનવું જોઈએ એવું પણ કહ્યું છે. તેના વિચ્છેદની કોઈ ચર્ચા તેમણે કરી નથી. ધવલા (પૃ. ૯૬)માં પણ અંગબાહ્યરૂપે દશવૈકાલિકનો ઉલ્લેખ છે અને તેના વિચ્છેદની કોઈ ચર્ચા નથી. દશવૈકાલિકમાં ચૂલાઓ બાદમાં ૧. ડોક્ટીન ઓફ ધ જૈન્સ, પૃ. ૮૧. Page #77 -------------------------------------------------------------------------- ________________ (૪૩) જોડવામાં આવી છે તે નિશ્ચિત છે પરંતુ તેનાં જે દસ અધ્યયનો છે, જેમના આધારે તેનું નામ નિષ્પન્ન થયું છે, તે તો મૌલિક જ છે. આવી પરિસ્થિતિમાં તે દસ અધ્યયનોના કર્તા તો શય્યભવ છે અને જે સમય શય્યભવનો છે તે જ તેનો પણ છે. શય્યભવ વીર નિ. સં. ૭૫થી ૯૦ સુધી યુગપ્રધાનપદ ઉપર રહ્યા છે, આથી તેમનો સમય ઈ.સ.પૂ. ૪૫૨થી ૪૨૯ છે. આ જ સમય વચ્ચે દશવૈકાલિકની રચના આચાર્ય શય્યભવે કરી હશે. ઉત્તરાધ્યયન કોઈ એક આચાર્યની કૃતિ નથી પરંતુ સંકલન છે. ઉત્તરાધ્યયનનો ઉલ્લેખ અંગબાહ્યરૂપે ધવલા (પૃ.૯૬) અને સર્વાર્થસિદ્ધિ (૧. ૨૦)માં છે. તેના પર નિર્યુક્તિ-ચૂર્ણિ ટીકાઓ પ્રાકૃતમાં લખાઈ છે. એ જ કારણે તેની સુરક્ષા પણ થઈ છે. તેનો સમય વિદ્વાનોએ માન્યો છે તે છે ઈ.સ.પૂર્વ જી-૪થી શતાબ્દી. આવશ્યકસૂત્ર તો અંગાગમો જેટલું જ પ્રાચીન છે. જૈન નિગ્રંથો માટે પ્રતિદિન કરવાની આવશ્યક ક્રિયા સંબંધી પાઠ તેમાં છે. અંગોમાં જ્યાં સ્વાધ્યાયનો ઉલ્લેખ આવે છે ત્યાં ઘણુંખરું એમ લખેલું હોય છે કે ‘સામાડ્યાપિ પ્રાસં’િ (ભગવતીસૂત્ર ૯૩, જ્ઞાતા ૫૬, ૬૪; વિપાક ૩૩); ‘સામાથમાયારૂં ચોદ્દસપુારૂં' (ભગવતીસૂત્ર ૬૧૭, ૪૩૨; જ્ઞાતા ૦૫૪, ૫૫, ૧૩૦). આનાથી સિદ્ધ થાય છે કે અંગોની પણ પહેલાં આવશ્યકસૂત્રનું અધ્યયન કરવામાં આવતું હતું. આવશ્યકસૂત્રનું પ્રથમ અધ્યયન સામાયિક છે. આ દૃષ્ટિએ આવશ્યકસૂત્રના મૌલિક પાઠો કે જેના પર નિર્યુક્તિ, ભાષ્ય, વિશેષાવશ્યકભાષ્ય, ચૂર્ણિ વગેરે પ્રાકૃત ટીકાઓ લખવામાં આવી છે તે અંગો જેટલા પ્રાચીન હશે. અંગબાહ્ય આગમના ભેદ આવશ્યક અને આવશ્યકવ્યતિરિક્ત–એ પ્રમાણે કરવામાં આવ્યા છે. તેનાથી પણ તેનું મહત્ત્વ સિદ્ધ થાય છે. આવશ્યકના છ અધ્યયનોનાં નામો ધવલામાં અંગબાહ્યમાં ગણાવાયાં છે. આવી પરિસ્થિતિમાં આવશ્યકસૂત્રની પ્રાચીનતા સિદ્ધ થાય જ છે. આવશ્યક નિત્યપ્રતિ કરવાની ક્રિયા છે આથી જ્ઞાનવૃદ્ધિ અને ધ્યાનવૃદ્ધિ માટે તેમાં સમયે સમયે ઉપયોગી પાઠો વધતા ગયા છે. આધુનિક ભાષાના પાઠો પણ તેમાં જોડવામાં આવ્યા છે, પરંતુ મૂળ પાઠો કયા હતા તેનું તો પૃથક્કરણ પ્રાચીન પ્રાકૃત ટીકાઓના આધારે ક૨વાનું સરળ છે અને તેવું પં. શ્રી સુખલાલજીએ પોતાના ‘પ્રતિક્રમણ’ ગ્રંથમાં કર્યું પણ છે. આથી તે પાઠોના જ સમયનો વિચાર અહીં પ્રસ્તુત છે. તે પાઠોનો સમય ભગવાન મહાવીરના જીવનકાળ આસપાસ નહિ તો તેમના નિર્વાણની નજીક કે પછીની પ્રથમ શતાબ્દીમાં તો રાખી જ શકાય છે. ૧. ડોક્ટ્રીન ઓફ ધ જૈન્સ, પૃ. ૮૧. ૧ Page #78 -------------------------------------------------------------------------- ________________ પિંડનિર્યુક્તિ દશવૈકાલિકની ટીકા છે અને તે આચાર્ય ભદ્રબાહુની કૃતિ છે. વધુ સંભવિત એ છે કે આ ભદ્રબાહુ બીજા ભદ્રબાહુ હોય. જો એવી સ્થિતિ સિદ્ધ થાય તો તેમનો સમય પાંચમી શતાબ્દી ઠરે છે. નંદીસૂત્ર દેવવાચકની કૃતિ છે. આથી તેનો સમય પાંચમી-છઠ્ઠી શતાબ્દી હોઈ શકે છે. અનુયોગદ્વારસૂત્રના કર્તા કોણ છે તે કહેવું મુશ્કેલ છે પરંતુ એટલું કહી શકાય કે તે આવશ્યકસૂત્રની વ્યાખ્યા છે આથી તેની પછીનું તો છે જ. તેમાં કેટલાય ગ્રંથોનો ઉલ્લેખ છે. એમ કહી શકાય કે તે વિક્રમ પૂર્વેનો ગ્રંથ છે. આ ગ્રંથ એવો છે કે સંભવિત છે કે તેમાં કંઈ પ્રક્ષેપ થયા હોય. તેની એક સંક્ષિપ્ત વાચના પણ મળે છે. પ્રકીર્ણકોમાં ચઉસરણ, આઉરપચ્ચખ્ખાણ અને ભત્તપરિત્રા-આ ત્રણ વીરભદ્રની રચનાઓ છે એવો એક મત છે. જો તે મત સાચો હોય તો તેમનો સમય ઈ.સ. ૯પ૧ બને છે. ગચ્છાચાર પ્રકીર્ણકનો આધાર છે–મહાનિશીથ, કલ્પ અને વ્યવહાર. આથી આ કૃતિ તેમની પછીની હોય તેમાં સંદેહ નથી.' વાસ્તવિકતા એ છે કે એક એક ગ્રંથ લઈને તેનું બારીકાઈથી અધ્યયન કરીને તેનો સમય નિર્ધારિત કરવાનું હજુ બાકી છે. આથી જયાં સુધી એમ ન બને ત્યાં સુધી ઉપર જે સમયની ચર્ચા કરવામાં આવી છે તે કામચલાઉ સમજવી જોઈએ. કેટલાય વિદ્વાનો આ ગ્રંથોના અધ્યયનમાં લાગે ત્યારે યથાર્થ અને સર્વગ્રાહી નિર્ણય પર આવી શકાશે. જ્યાં સુધી એવું નહિ બને ત્યાં સુધી સમય બાબતમાં ઉપર જે લખાયું છે તે માનીને આપણે આપણા સંશોધનકાર્યને આગળ વધારી શકીએ. આગમ- વિચ્છેદનો પ્રશ્નઃ વ્યવહારસૂત્રમાં વિશિષ્ટ આગમ-પઠનની યોગ્યતાનું જે વર્ણન છે (દશમ ઉદ્દેશક) તે પ્રસંગે નિર્દિષ્ટ આગમ તથા નંદી અને પાક્ષિક સૂત્રમાં જે આગમ-સૂચિ આપવામાં આવી છે તથા સ્થાનાંગમાં પ્રાસંગિક રૂપે જે આગમોનો ઉલ્લેખ છે – ઈત્યાદિના આધારે શ્રી કાપડિયાએ શ્વેતાંબર મત અનુસાર અનુપલબ્ધ આગમોની વિસ્તૃત ચર્ચા કરી છે. આથી અહીં વિસ્તાર અનાવશ્યક છે. નીચેના અંગઆગમોનો અંશ શ્વેતાંબર અનુસાર સાંપ્રતકાળમાં અનુપલબ્ધ છે ૧ આચારાંગનું મહાપરિજ્ઞા અધ્યયન, ર જ્ઞાતાધર્મની કેટલીક કથાઓ, ૩ પ્રશ્નવ્યાકરણનું તે રૂપ જે નંદી, સમવાયાંગ વગેરેમાં નિર્દિષ્ટ છે તથા દૃષ્ટિવાદ – ૧. કાપડિયા-કેનોનિકલ લિટરેચર, પૃ. પર. ૨. એજન, પ્રકરણ ૪. Page #79 -------------------------------------------------------------------------- ________________ (૪૫) આટલા અંશો તો અંગોમાંથી વિચ્છિન્ન થઈ ગયા તે સ્પષ્ટ છે. અંગોનાં જે પરિમાણો નિર્દિષ્ટ છે તે જોતાં અને જો તે વસ્તુસ્થિતિનાં બોધક હોય તો માનવું જોઈએ કે અંગોનો જે ભાગ ઉપલબ્ધ છે તેના કરતાં ઘણો વધુ વિલુપ્ત થઈ ગયો છે. પરંતુ અંગોનાં જે પરિમાણ બતાવવામાં આવ્યાં છે તે વસ્તુસ્થિતિનાં બોધક છે તેવું લાગતું નથી કારણ કે અધિકાંશનાં ઉત્તરોત્તર બમણાં બમણાં બતાવવામાં આવ્યાં છે, પરંતુ યથાર્થમાં તેવા જ સ્વરૂપમાં હોય તેવી સંભાવના નથી. માત્ર મહત્ત્વ દર્શાવવા ખાતર આમ કહી દેવામાં આવ્યું હોય તે વધુ સંભવ છે. આવી જ વાત દ્વીપ-સમુદ્રોનાં પરિમાણમાં પણ જોવામાં આવે છે. તે પણ ગાણિતિક સચ્ચાઈ હોઈ શકે છે પણ વાસ્તવિકતા સાથે તેનો કોઈ મેળ નથી. દિગંબર સંપ્રદાય જે ધવલા ટીકામાં નિર્દિષ્ટ છે તદનુસાર ગૌતમ પાસેથી સકળ શ્રત (દ્વાદશાંગી અને ચૌદ પૂર્વો) લોહાર્યને મળ્યું, તેમની પાસેથી જંબૂને. આ ત્રણેય સકળ શ્રુતસાગરના પારગામી હતા. તેમની પછી ક્રમથી વિષ્ણુ વગેરે પાંચ આચાર્યો થયા જે ચૌદ પૂર્વધર હતા. અહીં એ સમજી લેવું જોઈએ કે જ્યારે તેમને ચૌદ પૂર્વધર કહ્યા છે તો તેઓ બાકીના અંગોના પણ જ્ઞાતા હતા જ. અર્થાત તેઓ પણ સકળ શ્રતધર હતા. ગૌતમ વગેરે ત્રણ પોતાના જીવનના અંતિમ વર્ષોમાં સર્વજ્ઞ પણ થયા અને આ પાંચ ન થયા, એટલો જ આ બંને વર્ગોમાં ભેદ છે. તે પછી વિશાખાચાર્ય વગેરે અગિયાર આચાર્યો દસ પૂર્વધર થયા. તાત્પર્ય એ છે કે સકળ શ્રુતમાંથી માત્ર દસ પૂર્વ અંશના તેઓ જ્ઞાતા હતા, સંપૂર્ણના નહિ. ત્યારબાદ નક્ષત્ર વગેરે પાંચ આચાર્યો એવા થયા જે એકાદશાંગધારી હતા અને બારમા અંગનાં ચૌદ પૂર્વોના અંશધર જ હતા. એક પણ પૂર્વ તેમને સંપૂર્ણપણે જ્ઞાત ન હતું. ત્યારપછી સુભદ્ર વગેરે ચાર આચાર્યો એવા થયા જે માત્ર આચારાંગને સંપૂર્ણ રૂપમાં પરંતુ બાકીના અંગો અને પૂર્વોના એક દેશને જ જાણતા હતા. ત્યારબાદ સંપૂર્ણ આચારાંગના ધારણ કરનાર પણ કોઈ ન થયા અને માત્ર બધા અંગોના એક દેશને તથા બધા પૂર્વેના એક દેશને જાણનારા આચાર્યોની પરંપરા ચાલી. આ જ પરંપરા ધરસેન સુધી ચાલી છે.' આ વિવરણ પરથી એટલું સ્પષ્ટ થાય છે કે સકળ શ્રતધર હોવામાં દ્વાદશાંગીનું જ્ઞાન જરૂરી છે. અંગબાહ્ય ગ્રંથોનો આધાર આ જ દ્વાદશાંગી હતી, આથી સકળ શ્રુતધર હોવામાં અંગબાહ્ય મહત્ત્વના નથી. તે પણ સ્પષ્ટ થાય છે કે આમાં ક્રમશઃ અંગધરો અર્થાત અંગવિચ્છેદની જ ચર્ચા છે. ધવલામાં જ આવશ્યક વગેરે ચૌદ અંગબાહ્યોનો ઉલ્લેખ છે, પરંતુ તેમના વિચ્છેદની ચર્ચા નથી. આનાથી એમ ફલિત થાય છે કે ૧. ધવલા, પુ. ૧, પૃ. ૬૫-૬૭; જયધવલા, પૃ. ૮૩. ૨. ધવલા, પુ. ૧, પૃ. ૯૬. Page #80 -------------------------------------------------------------------------- ________________ (૪૬) ઓછામાં ઓછું ધવલાના સમય સુધી અંગબાહ્યોના વિચ્છેદની કોઈ ચર્ચા દિગંબર સંપ્રદાયમાં હતી જ નહિ. આચાર્ય પૂજ્યપાદે શ્રુતવિવરણમાં સર્વાર્થસિદ્ધિમાં અંગબાહ્ય અને અંગોની ચર્ચા કરી છે પરંતુ તેમણે આગમવિચ્છેદની કોઈ ચર્ચા કરી નથી. આચાર્ય અકલંક કે જે ધવલાની પહેલાં થઈ ગયા તેમણે પણ અંગ કે અંગબાહ્ય આગમવિચ્છેદની કોઈ ચર્ચા કરી નથી. આથી ધવલાની ચર્ચા ઉપરથી આપણે એટલું તો કહી શકીએ છીએ કે ધવલાકારના સમય સુધી દિગંબર સંપ્રદાયમાં અંગવિચ્છેદની વાત તો હતી પરંતુ આવશ્યક વગેરે અંગબાહ્યના વિચ્છેદની કોઈ માન્યતા હતી નહિ. આથી એ સંશોધનનો વિષય છે કે અંગબાહ્યના વિચ્છેદની માન્યતા દિગંબર પરંપરામાં ક્યારથી ચાલી. ખેદ એ વાતનો છે કે ૫. કૈલાશચંદ્રજીએ આગમવિચ્છેદની ઘણી મોટી ચર્ચા પોતાની પીઠિકામાં કરી છે પરંતુ આ મૂળ પ્રશ્નની છણાવટ કર્યા વિના જ દિગંબરોની સાંપ્રતકાલીન માન્યતાનો ઉલ્લેખ કરી દીધો છે અને તેનું સમર્થન પણ કર્યું છે. હકીકત તો એ છે કે આગમની સુરક્ષાનો પ્રશ્ન જયારે આચાર્યો સમક્ષ હતો ત્યારે દ્વાદશાંગ રૂપ ગણિપિટકની સુરક્ષાનો જ પ્રશ્ન હતો કેમ કે તે જ મૌલિક આગમો હતા. અન્ય આગમ ગ્રંથો તો સમય અને શક્તિ અનુસાર બનતા રહે છે અને લુપ્ત થતાં રહે છે. આથી આગમવાચનાનો પ્રશ્ન મુખ્ય રૂપે અંગોના વિષયમાં જ છે. તેમની જ સુરક્ષા માટે કેટલીય વાચનાઓ કરવામાં આવી છે. આ વાચનાઓ વિષયમાં પં. કૈલાશચંદ્ર જે ચિત્ર ઉપસ્થિત કર્યું છે (પીઠિકા પૃ. ૪૯૬થી) તે પર અધિક વિચાર કરવાની આવશ્યકતા છે. તે યથાસમય કરવામાં આવશે. અહીં તો અમે વિદ્વાનોનું ધ્યાન એ વાત તરફ ખેંચવા ઇચ્છીએ છીએ કે આગમો પુસ્તકાકાર રૂપે લખવામાં આવતાં હતાં કે નહિ, અને તે ઉપરાંત પણ શ્રુત વિચ્છેદની જે વાત છે તે લિખિત પુસ્તકોની છે કે મૃત શ્રુતની? આગમો પુસ્તકો રૂપે લખવામાં આવતા હતા. તેનું પ્રમાણ અનુયોગદ્વારસૂત્ર જેટલું તો પ્રાચીન છે. તેમાં આવશ્યકસૂત્રની વ્યાખ્યાના પ્રસંગે સ્થાપના-આવશ્યકની ચર્ચામાં પોત્થકમ્મને સ્થાપના-આવશ્યક કહેલ છે. એ જ રીતે શ્રુત વિષયમાં સ્થાપના-શ્રુતમાં પણ પોત્થકમ્પને સ્થાપના-શ્રુત કહેલ છે (અનુયોગદ્વાર સૂત્ર ૩૧, પૃ. ૩૨ અ). દ્રવ્યશ્રુતના ભેદરૂપે જ્ઞાયકશરીર અને ભવ્ય શરીર ઉપરાંત જે દ્રવ્યશ્રુતનો ભેદ છે તેમાં સ્પષ્ટરૂપે લખ્યું છે કે “પત્તપહિર્નાિહિય' (સૂત્ર ૩૭) તે પદની ટીકામાં અનુયોગદ્વારના ટીકાકારે લખ્યું છે-“પત્રણ तलतास्यादिसंबन्धीनि, तत्संघातनिष्पन्नास्तु पुस्तकाः, ततश्च पत्रकाणि च पुस्तकाच, तेषु ૧. અનુયોગની ટીકામાં લખ્યું છે-“અથવા પો€ પુરત તન્વેદ સંપુટi Jતે તત્ર વર્ષ तन्मध्ये वर्तिकालिखितं रूपकमित्यर्थः । अथवा पोत्थं ताडपत्रादि तत्र कर्म तच्छेदनिष्पन्नं રૂપમ્' પૃ. ૧૩ અ. Page #81 -------------------------------------------------------------------------- ________________ (૪૭) लिखितं पत्रकपुस्तकलिखितम् । अथवा 'पोत्थय'ति पोतं वस्त्रं पत्रकाणि च पोतं च, तेषु लिखितं पत्रकपोतलिखितं ज्ञशरीरभव्यशरीर-व्यतिरिक्तं द्रव्यश्रुतम्। अत्र च पत्रकादिलिखितस्य કૃતસ્ય બાવકુતરાત્વત્ દ્રવ્યશ્રુતત્વમેવ વયમ્ !” પૃ.૩૪. આ શ્રુતચર્ચામાં અનુયોગદ્વારને ભાવકૃતરૂપે કયું શ્રુત વિવક્ષિત છે તે પણ આગળની ચર્ચાથી સ્પષ્ટ થઈ જાય છે. આગળ લોકોત્તર નોઆગમ ભાવકૃતના ભેદમાં તીર્થંકરપ્રણીત દ્વાદશાંગ ગણિપિટક આચાર વગેરેને ભાવભૃતમાં ગણેલ છે. આથી શંકાને કોઈ સ્થાન ન રહેવું જોઈએ અને તે સ્પષ્ટ થઈ જવું જોઈએ કે અનુયોગદ્વારના સમયમાં આચાર વગેરે પુસ્તકરૂપમાં લખાવા લાગ્યાં હતાં. અંગ આગમો પુસ્તકમાં લખવામાં આવતાં હતાં પરંતુ પઠન-પાઠન પ્રણાલીમાં તો ગુરુમુખેથી જ વાચના લેવી જોઈએ એવો નિયમ હતો. તેનો ભંગ કરવાનું સારું ન ગણાતું. આથી પ્રથમ ગુરુમુખે ભણી પુસ્તકમાં લેખન કે તેનો ઉપયોગ કરવામાં આવતો હશે એવું અનુમાન થાય છે. વિશેષાવશ્યકભાષ્યમાં વાચનાના શિક્ષિત વગેરે ગુણોનાં વર્ણનમાં આચાર્ય જિનભદ્ર “ગુરુવીયન વાય’—ગુરુવચનોપગતનું સ્પષ્ટીકરણ કર્યું છે કે “આ વોરિતં પત્થયાતો વા'—ગા ૦ ૮૫૨. તેની સ્વકૃત વ્યાખ્યામાં લખ્યું છે કે ગુરુનિર્વાવિત, ન ઘર્યા ધારિત, સ્વતંત્રે વાડધીતં પુત”—વિશેષા સ્વોપજ્ઞ વ્યાખ્યા ગાઠ ૮૫ર. આનું તાત્પર્ય એ છે કે ગુરુ કોઈ બીજાને ભણાવતા હોય અને તે ચોરીથી સાંભળીને કે પુસ્તકમાંથી શ્રતનું જ્ઞાન લેવું તે ઉચિત નથી. તે તો ગુરુમુખ દ્વારા તેમની સંમતિથી સાંભળીને જ લેવું જોઈએ. આનાથી એ પણ સ્પષ્ટ થાય છે કે અનુયોગદ્વારની પહેલાં ગ્રંથો લખવામાં આવતા પરંતુ તેમનું પઠન સર્વપ્રથમ ગુરુમુખે થવું જરૂરી હતું. આ પરંપરા જિનભદ્ર સુધી તો માન્ય હતી જ એમ પણ કહી શકાય. ગુરુમુખે સાંભળીને પોતાની સ્મૃતિનો ભાર હળવો કરવા માટે કંઈક નોંધરૂપ (ટિપ્પણરૂપ) આગમો પ્રારંભમાં લખવામાં આવતા હશે. આ પણ કારણ છે કે તેનું મૂલ્ય એટલું ન હોઈ શકે જેટલું મૃતધરની સ્મૃતિમાં રહેલા આગમોનું હોય. આ બધાં અનુમાનો જ છે. પરંતુ જ્યારે આગમો પુસ્તકોમાં લખવામાં આવ્યાં હતાં છતાં પણ વાચનાઓનું મહત્ત્વ માનવામાં આવ્યું, ત્યારે તેનાથી એ જ અનુમાન થઈ શકે છે જે સત્યની નજીક છે. ગુરુમુખ દ્વારા વાચનામાં જે આગમ મળે તે જ આગમ પરંપરાગત કહેવાશે. પુસ્તક દ્વારા ભણીને મેળવેલ જ્ઞાન, કે પુસ્તકમાં લખેલ આગમ એટલું પ્રમાણભૂત નહિ માનવામાં આવે જેટલું ગુરુમુખ દ્વારા ભણેલ. આ જ ગુરુપરંપરાની વિશેષતા છે. આથી પુસ્તકમાં જે કંઈ પણ લખાયેલું હોય પરંતુ મહત્ત્વ તો તેનું છે કે જે વાચકની સ્મૃતિમાં હોય. આથી પુસ્તકોમાં લિખિત હોવા છતાં પણ તેનાં પ્રામાણ્યને જો મહત્ત્વ ન મળ્યું તો તેનું મૂલ્ય પણ ઓછું થયું. આ જ કારણે પુસ્તકમાં લખાયેલા ૧. અનુયોગદ્વાર - સૂત્ર ૪૨, પૃ. ૩૭ અ. ૨. અનુયોગદ્વારમાં શિક્ષિત, સ્થિત, જિન વગેરે ગુણોનો નિર્દેશ છે. તેમની વ્યાખ્યા જિનભદ્ર કરી છે. -અનુ. સૂ. ૧૩ Page #82 -------------------------------------------------------------------------- ________________ (૪૮) રહેવા છતાં પણ જ્યારે જ્યારે સંઘને માલમ થયું કે શ્રતધરોનો હ્રાસ થઈ રહ્યો છે, ત્યારે શ્રુતસંકલનના પ્રયત્નની જરૂર પડી હશે અને વિભિન્ન વાચનાઓ થઈ હશે. હવે આગમવિચ્છેદના પ્રશ્નનો વિચાર. આગમવિચ્છેદના વિષયમાં પણ બે મત છે. એક મત અનુસાર શ્રુત વિનષ્ટ થયું છે જ્યારે બીજા અનુસાર સુત્ત નહિ પરંતુ શ્રતધરો–પ્રધાન અનુયોગધરો વિનષ્ટ થયા છે. આ બંને માન્યતાઓનો નિર્દેશ નંદીચૂર્ણિ જેટલો તો પ્રાચીન છે જ. આશ્ચર્ય તો તે વાતનું છે કે દિગંબર પરંપરાના ધવલા (પૃ.૬૫)માં તથા જયધવલા (પૃ.૮૩)માં બીજા પક્ષને માનવામાં આવ્યો છે અર્થાત્ શ્રતધરોના વિચ્છેદની ચર્ચા મુખ્યરૂપે કરવામાં આવી છે અને શ્રતધરોના વિચ્છેદમાંથી શ્રુતનો વિચ્છેદ ફલિત થતો માનવામાં આવેલ છે. પરંતુ આજનો દિગંબર સમાજ શ્રુતનો જ વિચ્છેદ માને છે. તેનાથી પણ સિદ્ધ થાય છે કે પુસ્તકમાં લખેલા આગમોનું એટલું મહત્ત્વ નથી જેટલું શ્રતધરોની સ્મૃતિમાં રહેલા આગમોનું છે. જે રીતે ધવલામાં શ્રતધરોના વિચ્છેદની વાત કહેવામાં આવી છે તે જ રીતે તિત્વોગાલી પ્રકીર્ણકમાં શ્રુતના વિચ્છેદની ચર્ચા કરવામાં આવી છે. તે આ પ્રમાણે પ્રથમ ભગવાન મહાવીરથી ભદ્રબાહુ સુધીની પરંપરા આપવામાં આવી છે અને સ્થૂલભદ્ર ભદ્રબાહુ પાસે ચૌદ પૂર્વની વાચના લેવા ગયા તે વાતનો ઉલ્લેખ છે. એવો ઉલ્લેખ છે કે દસ પૂર્વધરોમાં અંતિમ સર્વમિત્ર હતા. તે પછી નિર્દિષ્ટ છે કે વીરનિર્વાણના ૧૦૦૦ વર્ષ પછી પૂર્વોનો વિચ્છેદ થયો. અહીં એ ધ્યાન આપવું જરૂરી છે કે આ જ ઉલ્લેખ ભગવતીસૂત્રમાં (૨.૮) પણ છે. તિત્વોગાલીમાં ત્યારપછી નીચે મુજબ શ્રુત વિચ્છેદની ચર્ચા કરવામાં આવી છેઈ.સ. ૭૨૩ = વીરનિર્વાણ ૧૨૫૦માં વિવાહપ્રજ્ઞપ્તિ અને છ અંગોનો વિરચ્છેદ ઈ.સ. ૭૭૩ = " ૧૩00માં સમાવાયાંગનો વિચ્છેદ ઈ.સ.૮૨૩ = " ૧૩પ૦માં ઠાણાંગનો ઈ.સ. ૮૭૩= " ૧૪00માં કલ્પ-વ્યવહારનો ” ઈ.સ.૯૭૩ = ” ૧૫૦૦માં દશાશ્રુતનો ઈ.સ.૧૩૭૩= ?” ૧૯૦૦માં સૂત્રકૃતાંગનો ઈ.સ. ૧૪૭૩= " ૨૦૦૦માં વિશાખમુનિના સમયમાં નિશીથનો વિચ્છેદ ઈ.સ. ૧૭૭૩= " ૨૩૦૦માં આચારાંગનો વિચ્છેદ ૧. નન્દીચૂર્ણિ, પૃ. ૮. Page #83 -------------------------------------------------------------------------- ________________ (૪૯) દુસમાના શ્રતમાં દુખસહ મુનિ થઈ ગયા બાદ એવું કહેવામાં આવ્યું છે કે તેઓ જ અંતિમ આચારધર હશે. તેમની પછી અનાચારનું સામ્રાજય થશે. તેમની પછી નિર્દિષ્ટ છે કે – ઈ.સ. ૧૯૯૭૩= વીરનિ. ૨૦૫૦૦માં ઉત્તરાધ્યયનનો વિચ્છેદ ઈ.સ. ૨૦૩૭૩= " ૨૦૯૦૦માં દશવૈકાલિકસૂત્રનો” ઈ.સ. ૨૦૪૭૩= ૨૧OOOમાં દશવૈકાલિકના અર્થનો વિચ્છેદ, દુપ્પસહ મુનિના મૃત્યુ પછી. ઈ.સ. ૨૦૪૭૩= પર્યંત આવશ્યક, અનુયોગદ્વાર અને નંદીસૂત્ર અવ્યવચ્છિન્ન રહેશે. – તિત્વોગાલી ગાવ ૬૯૭-૮૬૬. તિત્વોગાલીય પ્રકરણ શ્વેતાંબરોને અનુકૂળ ગ્રંથ છે એવું તેના અધ્યયનથી પ્રતીત થાય છે. તેમાં તીર્થકરોની માતાઓના ચૌદસ્વપ્રોનો ઉલ્લેખ છે, ગાથા ૧૦૦, ૧૦૨૪; સ્ત્રીમુક્તિનું સમર્થન પણ તેમાં કરવામાં આવ્યું છે ગા૫૫૬; આવશ્યકનિર્યુક્તિની ઘણી ગાથાઓ તેમાં આવે છે, ગા. ૭૦થી, ૩૮૩થી વગેરે; અનુયોગદ્વાર અને નંદીનો ઉલ્લેખ અને તેમનાં તીર્થપર્યન્ત ટકી રહેવાની વાત; દસ આશ્ચર્યની ચર્ચા ગા૦૮૮૭થી; નંદીસૂત્રગત સંઘસ્તુતિનું અવતરણ ગા૮૪૮થી છે. આગમોના ક્રમિક વિચ્છેદની ચર્ચા જે રીતે જૈનોમાં છે તે જ રીતે બૌદ્ધોના અનાગત વંશમાં પણ ત્રિપિટકના વિચ્છેદની ચર્ચા કરવામાં આવી છે. આનાથી પ્રતીત થાય છે કે શ્રમણોની આ એક સામાન્ય ધારણા છે કે શ્રુતનો વિચ્છેદ ક્રમશઃ થાય છે. તિત્વોગાલીમાં અંગવિચ્છેદની ચર્ચા છે. આ વાત વ્યવહારભાષ્યના કર્તાએ પણ માની "तित्थोगाली एत्थ वत्तव्वा होइ आणुपुव्वीए । जे तस्स उ अंगस्स वुच्छेदो जहिं विणिद्दिट्ठो॥" - વ્ય. ભા. ૧૦. ૭/૪ આ પરથી જાણી શકાય છે કે અંગવિચ્છેદની ચર્ચા પ્રાચીન છે અને તે દિગંબરશ્વેતાંબર બંને સંપ્રદાયોમાં ચાલી છે. આમ હોવા છતાં પણ જો શ્વેતાંબરોએ અંગોના અંશને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કર્યો અને તે અંશ આજ આપણને ઉપલબ્ધ છે–એમ માનવામાં આવે તો તેમાં શું ખોટું છે? Page #84 -------------------------------------------------------------------------- ________________ (૫૦) વધુ એક વાતનું પણ સ્પષ્ટીકરણ જરૂરી છે કે દિગંબરોમાં પણ ધવલા અનુસાર બધા અંગોનો સંપૂર્ણરૂપે વિચ્છેદ માનવામાં આવ્યો નથી પરંતુ એમ માનવામાં આવ્યું છે કે પૂર્વ અને અંગના એકદેશધરો થયા છે અને તેમની પરંપરા ચાલી છે. તે પરંપરાના વિચ્છેદનો ભય તો પ્રદર્શિત કરવામાં આવ્યો છે પરંતુ તે પરંપરા વિચ્છિન્ન થઈ ગઈ એવો સ્પષ્ટ ઉલ્લેખ ધવલા કે જયધવલામાં પણ નથી. ત્યાં સ્પષ્ટરૂપે એમ કહેવામાં આવ્યું છે કે વીરનિર્વાણના ૬૮૩ વર્ષ બાદ ભારતવર્ષમાં જેટલા પણ આચાર્યો થયા છે તે બધા “બ્લેસિમં પુત્રીનેતધારયા ગાલા' અર્થાત્ સર્વ અંગ-પૂર્વના એકદેશધરો થયા છે–જયધવલા, ભા. ૧, પૃ. ૮૬; ધવલા પૃ. ૬૭. તિલોયપષ્ણત્તિમાં પણ શ્રુતવિચ્છેદની ચર્ચા છે અને ત્યાં પણ આચારાંગધારી સુધીનો સમય વીર નિ. ૬૮૩ બતાવવામાં આવેલ છે. તિલોયપષ્ણત્તિ અનુસાર પણ અંગશ્રુતનો સર્વથા વિચ્છેદ માન્ય નથી. તેને પણ અંગપૂર્વના એકદેશધરોના અસ્તિત્વમાં સંદેહ નથી. તેના અનુસાર પણ અંગબાહ્યના વિચ્છેદનો કોઈ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો નથી. વસ્તુતઃ તિલોયપષ્ણત્તિ અનુસાર શ્રુતતીર્થનો વિચ્છેદ વીર નિ. ૨૦૩૧૭માં થશે અર્થાત્ ત્યાં સુધી શ્રુતનો એકદેશ વિદ્યમાન રહેશે જ (જુઓ, ૪. ગા. ૧૪૭૫૧૪૯૩). તિલોયપણત્તિમાં પ્રક્ષેપની માત્રા અધિક છે છતાં પણ તેનો સમય ડૉ. ઉપાધ્યેએ જે નિશ્ચિત કર્યો છે તે માનવામાં આવે તો તે ઈ.સ. ૪૭૩ અને ૬૦૯ની વચ્ચેનો છે. તદનુસાર પણ તે સમય સુધી સર્વથા શ્રતવિચ્છેદની ચર્ચા હતી નહિ. તિલોયપણત્તિનું જ અનુસરણ ધવલામાં થયું માની શકાય છે. એવી જ વાત જો શ્વેતાંબર પરંપરામાં પણ બની હોય તો તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી. તેમાં પણ સંપૂર્ણ નહિ, પરંતુ અંગઆગમોનો એકદેશ સુરક્ષિત રહ્યો હોય અને તેને જ સંકલિત કરી સુરક્ષિત રાખવામાં આવ્યો હોય તો તેમાં અસંગતિ ક્યાં છે? બંને પરંપરાઓમાં અંગ-આગમોનું જે પરિમાણ બતાવવામાં આવ્યું છે તે જોતાં શ્વેતાંબરોના અંગ-આગમો એકદેશ જ સિદ્ધ થાય છે. આ આગમો આધુનિક દિગંબરોને માન્ય હોય કે ન હોય તે એક જુદો પ્રશ્ન છે. પરંતુ શ્વેતાંબરોએ જે અંગો સંકલિત કરી સુરક્ષિત રાખ્યાં છે તેમાં અંગોનો એક અંશ–મોટો અંશ—વિદ્યમાન છે એટલી વાતમાં તો શંકાને કોઈ સ્થાન ન હોવું જોઈએ. સાથોસાથ જ એ પણ સ્વીકારવું જોઈએ કે તે અંગોમાં યત્રતત્ર પ્રક્ષેપ પણ છે અને પ્રશ્નવ્યાકરણ તો નવું જ બનાવવામાં આવેલ છે. આ ચર્ચાના પ્રકાશમાં જો આપણે નિમ્ન વાક્ય કે જે ૫. કૈલાશચંદ્ર શાસ્ત્રીએ પોતાની પીઠિકામાં લખ્યું છે તેને નિરાધાર કહીએ તો અનુચિત માનવામાં નહિ આવે. Page #85 -------------------------------------------------------------------------- ________________ (૫૧) તેમણે લખ્યું છે– “કૌર મેં મહાવીરનિર્વાણ સે ૬૮૩ વર્ષ * પશ્ચાત્ અંશે +1 જ્ઞાન પૂર્ણતયા નઈ રો યા ' પીઠિકા, પૃ. ૫૧૮. તેમનો આ મત સ્વયં ધવલા અને જયધવલાના મતોથી વિરુદ્ધ છે અને પોતાની કલ્પનાના આધારે જ ઊભો કરવામાં આવ્યો છે. શ્રુતાવતાર - શ્રુતાવતારની પરંપરા શ્વેતાંબર-દિગંબરોમાં એક જેવી છે પરંતુ પં. કૈલાશચંદ્રજીએ તેમાં પણ ભેદ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આથી અહીં પહેલાં બંને સંપ્રદાયોમાં આ જ વિષયમાં કેવા પ્રકારનું ઐક્ય છે, સૌ પ્રથમ તેની ચર્ચા કરી પછી પંડિતજીના કેટલાક પ્રશ્નોનું સમાધાન કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. ભગવાન મહાવીર શાસનના નેતા હતા અને તેમના અનેક ગણધરો હતા એ બાબતમાં બંને સંપ્રદાયોમાં કોઈ મતભેદ નથી. ભગવાન મહાવીર કે અન્ય કોઈ તીર્થકર અર્થનો જ ઉપદેશ આપે છે, સૂત્રની રચના નથી કરતા એમાં પણ બંને સંપ્રદાયો એકમત છે. શ્રુતાવતારનો ક્રમ બતાવતાં અનુયોગદ્વારમાં કહેવામાં આવ્યું છે– "अहवा आगमे तिविहे पण्णत्ते । तं जहा अत्तागमे अणंतरागमे परंपरागमे । तित्थगराणं अत्थस्स अत्तागमे, गणहराणं सुत्तस्स अत्तागमे अत्थस्स अणंतरागमे, गणहरसीसाणं सुत्तस्स अणंतरागमे अत्थस्स परंपरागमे । तेण परं सुत्तस्स वि अत्थस्स वि णो अत्तागमे, णो અંતર પરંપરાને ” અનુયોગદ્વાર સૂ. ૧૪૪, પૃ. ૨૧૯. આનું જ પુનરાવર્તન નિશીથચૂર્ણિ (પૃ.૪) વગેરેમાં પણ કરવામાં આવેલ છે. પૂજ્યપાદકૃત સર્વાર્થસિદ્ધિ ગ્રંથમાં આ વિષયમાં જે લખવામાં આવ્યું છે તે આ પ્રમાણે છે-“તત્ર સર્વર પર પરમાવિન્યવત્તજ્ઞાનવિભૂતિવિશેષેણ અર્થત કામ દ્દિષ્ટ: I ...ત) સાક્ષાત્ શિષ્ય: વૃદ્ધચતિશયદ્ધિયુ, જળધ: કૃતવનિમરનુમૃતપ્રન્થરન–અપૂર્વનક્ષણન્ !” – સર્વાર્થસિદ્ધિ ૧. ૨૦. સ્પષ્ટ છે કે પૂજ્યપાદના સમય સુધી ગ્રંથરચનાના વિષયમાં શ્વેતાંબર-દિગંબરો વચ્ચે કોઈ મતભેદ નથી. એ પણ સ્પષ્ટ છે કે માત્ર એક જ ગણધર સૂત્રની રચના કરતા નથી પરંતુ અનેક ગણધરો સૂત્રરચના કરે છે. પૂજ્યપાદને તો એ જ પરંપરા માન્ય છે જે શ્વેતાંબર સમ્મત અનુયોગમાં આપવામાં આવી છે તે સ્પષ્ટ છે. આ જ પરંપરાનું સમર્થન આચાર્ય અકલંક અને વિદ્યાનંદે પણ કર્યું છે "बुद्ध्यतिशयद्धियुक्तैर्गणधरैः अनुस्मृतग्रन्थरचनम्-आचारादिद्वादशविधमङ्गપ્રવિણમુને ” – રાજવાર્તિક ૧. ૨૦. ૧૨, પૃ. ૭૨. “ “તસ્થાપ્યર્થતઃ सर्वज्ञवीतरागप्रणेतृकत्वसिद्धेः, 'अर्हद्भाषितार्थं गणधरदेवैः ग्रथितम्' इति वचनात् ।" Page #86 -------------------------------------------------------------------------- ________________ (૫૨) તત્ત્વાર્થશ્લોકવાર્તિક પૃ. ૬. ‘‘દ્રવ્યશ્રુતં ત્તિ દાવા, વચનાત્મમાતોપદેશરૂપમેવ, તÉજ્ઞાનં तु भावश्रुतम् तदुभयमपि गणधरदेवानां भगवदर्हत्सर्वज्ञवचनातिशयप्रसादात् स्वमतिશ્રુતિજ્ઞાનાવરળવીર્યાન્તરાયક્ષયોપશમાતિશયાન્ન ઉત્પદ્યમાન થમાક્ષાયત્ત ન ભવેત્ ?'' એજન, પૃ. ૧. આ રીતે આચાર્ય પૂજ્યપાદ, આચાર્ય અકલંક અને આચાર્ય વિદ્યાનંદ આ બધા દિગંબર આચાર્યો સ્પષ્ટરૂપે માને છે કે બધા ગણધરો સૂત્રરચના કરે છે. આવી પરિસ્થિતિમાં આ આચાર્યોના મત અનુસાર એ જ ફલિત થાય છે કે ગૌતમ ગણધર અને અન્ય સુધર્મા વગેરેએ પણ ગ્રંથ૨ચના કરી હતી. માત્ર ગૌતમે જ ગ્રંથરચના કરી હોય અને સુધર્મા વગેરેએ ન કરી હોય એવું ફલિત થતું નથી. આ પરિસ્થિતિ વિદ્યાનંદ સુધી તો માન્ય હતી એવું પ્રતીત થાય છે. આવો જ મત શ્વેતાંબરોનો પણ છે. પં. કૈલાશચંદ્ર એમ લખ્યું છે કે ‘‘હૅમને રૂસ વાત જો લોનના ચાહા જી ઐસે વિયંવર परंपरा के अनुसार प्रधान गणधर गौतमने महावीर की देशना को अंगो में गूंथा वैसे श्वेतांबर परंपरा के अनुसार महावीर की वाणी को सुनकर उसे अंगो में किसने निबद्ध किया ? किन्तु खोजने पर भी हमें किसी खास गणधर का निर्देश इस संबंध में नहीं मिला।" પીઠિકા, પૃ. ૫૩૦. આ વિષયમાં પ્રથમ એ બતાવવું જરૂરી છે કે અહીં પં. કૈલાશચંદ્રજી આ વાત માત્ર ગૌતમે જ અંગરચના કરી હતી’–એવા મંતવ્યને માનીને જ કરી રહ્યા છે અને આ મંતવ્ય ધવલામાંથી તેમને મળ્યું છે કે જ્યાં એમ કહેવામાં આવ્યું છે કે ગૌતમે અંગજ્ઞાન સુધર્માને આપ્યું. આથી એમ ફલિત કરવામાં આવ્યું કે સુધર્માએ અંગગ્રંથન કર્યું ન હતું, માત્ર ગૌતમે કર્યું હતું. - અમે ઉપર જે પૂજ્યપાદ વગેરે ધવલાથી પ્રાચીન આચાર્યોનાં અવતરણો આપ્યાં છે તેનાથી તો એવું જ ફલિત થાય છે કે ધવલાકારે પોતાનું આ નવું મંતવ્ય પ્રચલિત કર્યું છે, જે – જેમ પંડિત કૈલાશચંદ્રે માન્યું છે – સાચું હોય તો. આથી ધવલાકારના વાક્યની સંગતિ બેસાડવી હોય તો આ વિષયમાં બીજો જ રસ્તો લેવો પડશે અને એમ માનવું પડશે કે ધવલાકાર પ્રાચીન આચાર્યોથી પૃથક્ મતાંતર ઉપસ્થિત કરી રહ્યા છે, જેનો કોઈ પ્રાચીન આધાર નથી. આ માત્ર તેમનો જ ચલાવેલો મત છે. અમારો મત તો એ જ છે કે ધવલાકારના વાક્યની સંગતિ બેસાડવા માટે બીજો જ માર્ગ લેવો જોઈએ, નહિ કે પૂર્વાચાર્યોના મતની સાથે તેમની વિસંગતિનો. હવે તે જોવામાં આવે કે શું શ્વેતાંબરોએ કોઈ ગણધર વ્યક્તિનું નામ સૂત્રના રચયિતા રૂપે આપ્યું છે કે નહિ, જેની તપાસ તો પં. કૈલાશચંદ્રે કરી પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. Page #87 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકનિર્યુક્તિની ગાથા છે— (૫૩) " "एक्कारस वि गणधरे पवायए पवणयस्स वंदामि । સળં ધરવંસ વાયાવંસ પવયાં | || ૮૦ ’' આની ટીકામાં આચાર્ય મલધારીએ સ્પષ્ટરૂપે લખ્યું છે— ‘“गौतमादीन् वन्दे । कथं भूतान् प्रकर्षेण प्रधानाः आदौ वा वाचकाः प्रवाचकाः પ્રવચનસ્ય બાળમસ્ય ।’' પૃ. ૪૯૦,૧ —વિશેષા. ૧૦૬૨ આ જ નિર્યુક્તિની ગાથાની ભાષ્યગાથાઓની સ્વોપજ્ઞ ટીકામાં જિનભદ્રે પણ લખ્યું છે – ― "यथा अर्हन्नर्थस्य वक्तेति पूज्यस्तथा गणधराः गौतमादयः सूत्रस्य वक्तार इति पूज्यन्ते મતાબ્વે '' પ્રસ્તુતમાં ગૌતમાદિનો સ્પષ્ટ ઉલ્લેખ હોવાથી ‘શ્વેતાંવરોં મેં સાધારળ રૂપ સે ગળધરો જા છેવ હૈ વિન્તુ બ્રાસ નામ નહીં મિલતા’—આ પંડિતજીનું કથન નિર્મૂળ સિદ્ધ થાય છે. અહીં એ પણ બતાવી દેવું જરૂરી છે કે પંડિતજીએ પોતાની પીઠિકામાં જે ‘તવનિયમનાળ’ ઇત્યાદિ નિર્યુક્તિની બે ગાથાઓ વિશેષાવશ્યકમાંથી ઉદ્ધૃત કરી છે (પીઠિકા, પૃ. ૫૩૦ની ટિપ્પણી) તેમની ટીકા તો પંડિતજીએ જરૂર જોઈ હશે—તેમાં આચાર્ય હેમચન્દ્ર સ્પષ્ટરૂપે લખે છે– ‘‘તેન વિમલબુદ્ધિમયેન પટેન ગળધરા નૌતમાઢ્યો’’—વિશેષા. ટીકા, ગા. ૧૦૯૫, પૃ. ૫૦૨. આમ હોવા છતાં પણ પંડિતજીને શ્વેતાંબરોમાં સૂત્રના રચિયતા રૂપે ખાસ ગણધરોના નામનો ઉલ્લેખ ન મળ્યો—આ એક આશ્ચર્યજનક ઘટના જ છે અને જો પંડિતજીનો મતલબ એવો હોય કે કોઈ ખાસ એટલે કે એક જ વ્યક્તિનું નામ નથી મળતું તો બતાવી દેવું જરૂરી છે કે શ્વેતાંબર અને દિગંબર બંને મત અનુસાર જ્યારે બધા ગણધરો પ્રવચનની રચના કરે છે ત્યારે કોઈ એકનું જ નામ તો મળી શકે નહિ. આવી પરિસ્થિતિમાં તેનો આધાર લઈ પંડિતજીએ શ્રુતાવતારની પરંપરામાં બંને સંપ્રદાયોના ભેદને માનીને જે કલ્પનાજાળ ગૂંથી છે તે નિરર્થક છે. પં. કૈલાશચંદ્રજી માને છે કે શ્વેતાંબર-વાચનાગત અંગજ્ઞાન સાર્વજનિક છે. ‘“ન્તુિ दिगम्बर - परम्परा में अंगज्ञान का उत्तराधिकार गुरु-शिष्य परम्परा के रूप में हि प्रवाहित ૧. આ પુસ્તક પંડિતજીએ જોયેલ છે આથી તેનું અવતરણ અહીં આપવામાં આવેલ છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ (૫૪) होता हुआ माना गया है। उसके अनुसार अंगज्ञान ने कभी भी सार्वजनिक रूप नहीं તિયા !” – પીઠિકા, પૃ. ૫૪૩. અહીં પંડિતજીનું તાત્પર્ય બરાબર સમજાતું નથી. ગુરુ પોતાના એક જ શિષ્યને ભણાવતા હતા અને પછી પાછા તે ગુરુ બની પોતાના શિષ્યને – આ પ્રકારની પરંપરા દિગંબરોમાં ચાલી છે–શું પંડિતજીનો આવો અભિપ્રાય છે? જો ગુરુ અનેક શિષ્યોને ભણાવતા હશે તો તો અંગજ્ઞાન શ્વેતાંબરોની માફક સાર્વજનિક બની જશે અને જો એવો અભિપ્રાય હોય કે એક જ શિષ્યને, તો શાસ્ત્રવિરોધ પંડિતજીના ધ્યાનની બહાર ગયેલ છે–એમ કહેવું પડે છે. પખંડાગમની ધવલામાં પરિપાટી અને અપરિપાટીથી સકલ શ્રુતના પારગામીનો ઉલ્લેખ છે. તેમાં અપરિપાટીથી– પરિવારવા પુખ સુદ્રપાર' સંજ્ઞહિસ્સા” (ધવલા, પૃ. ૬૫)નો ઉલ્લેખ છે તેનું સ્પષ્ટીકરણ પંડિતજી કઈ રીતે કરશે? અમને તો એમ સમજાય છે કે યુગપ્રધાન કે વંશપરંપરામાં જે ક્રમપૂર્વક આચાર્યો-ગણધરો થયા અર્થાત્ ગણનાયકો થયા તેમનો ઉલ્લેખ પરિપાટીક્રમે સમજવો જોઈએ અને ગણના મુખ્ય આચાર્ય ઉપરાંત જે શ્રતધરો હતા તેઓ પરિપાટીક્રમ સાથે સંબદ્ધ ન હોવાથી અપરિપાટીમાં ગણવામાં આવ્યા. આમ અપરિપાટીમાં હજારોની સંખ્યામાં સકળ શ્રતધરો હતા. તો આ અંગશ્રુત શ્વેતાંબરોની માફક દિગંબરોમાં પણ સાર્વજનિક હતું જ એમ માનવું પડે. અહીં એ પણ સ્પષ્ટ કરી દેવું જરૂરી છે કે જયધવલામાં એ સ્પષ્ટ લખ્યું છે કે સુધર્માએ માત્ર એક જંબૂને જ નહિ પરંતુ પોતાના અનેક શિષ્યોને અંગોની વાચના આપી હતી- “તદ્દવસે વેવ સુહમ્મરિયો ગંબ્સાનિયામળવાપમારિયાનું વળવુવાનો ધારૂક્ષ વતી નાવો ” – જયધવલા, પૃ. ૮૪. અહીં સ્પષ્ટરૂપે જંબૂએ પોતાના શિષ્ય એવા એક નહિ પરંતુ અનેક આચાર્યોને દ્વાદશાંગ ભણાવેલ છે–એવો ઉલ્લેખ છે. આ પરથી શું આપણે કલ્પના ન કરી શકીએ કે સંઘમાં શ્રતધરોની સંખ્યા ઘણી મોટી રહેતી? આવી સ્થિતિમાં શ્વેતાંબર-દિગંબરોમાં જે વિષયમાં ક્યારેય તફાવત રહ્યો નથી તે વિષયમાં તફાવતની કલ્પના કરવી ઉચિત નથી. પ્રાચીન પરંપરા અનુસાર શ્વેતાંબર અને દિગંબર બંનેમાં આ જ માન્યતા ફલિત થાય છે કે બધા ગણધરો સૂત્રરચના કરે છે અને પોતાના અનેક શિષ્યોને તેની વાચના આપે છે. એક વાત એવી પણ છે કે અંગજ્ઞાન શ્વેતાંબરોમાં સાર્વજનિક થઈ ગયું અને દિગંબરોમાં નહિ–તેનાથી પંડિતજીનું વિશેષ તાત્પર્ય શું એવું છે કે માત્ર દિગંબર પરંપરામાં જ ગુરુ-શિષ્ય પરંપરાથી જ અંગજ્ઞાન પ્રવાહિત થયું છે અને શ્વેતાંબરોમાં નહિ? જો એવું જ તેમનું મંતવ્ય હોય, જે તેમના આગળ ઉદ્ધત કરેલાં અવતરણથી સ્પષ્ટ છે, તો તેમનું આમ કહેવું પણ ઉચિત જણાતું નથી. અમે આચાર્ય જિનભદ્રના અવતરણો દ્વારા એ સ્પષ્ટ કર્યું જ છે કે તેમના સમય સુધી આ જ પરંપરા હતી કે શિષ્યને Page #89 -------------------------------------------------------------------------- ________________ (૫૫) ગુરમુખે જ અને તે પણ તેમની અનુમતિથી જ, ચોરીથી નહિ, શ્રુતનો પાઠ લેવો જરૂરી હતો અને આ જ પરંપરા વિશેષાવશ્યકના ટીકાકાર હેમચંદ્ર પણ માની છે. એટલું જ નહિ આજ પણ આ પરંપરા શ્વેતાંબરોમાં પ્રચલિત છે કે યોગપૂર્વક, તપસ્યાપૂર્વક, ગુરુમુખથી જ શ્રુતપાઠ શિષ્ય લેવો જોઈએ. એવું થાય ત્યારે જ તે તેનો પાઠ કહેવાશે. આવી સ્થિતિમાં શ્વેતાંબર-પરંપરામાં તે સાર્વજનિક થઈ ગયો અને દિગંબર-પરંપરામાં ગુરુશિષ્ય પરંપરા સુધી સીમિત રહ્યો–પંડિતજીનું આ કથન ક્યાં સુધી સંગત છે? સાર્વજનિકનું તાત્પર્ય એવું હોય કે ઘણા સાધુઓએ મળીને અંગોની વાચના નિશ્ચિત કરી આથી શ્વેતાંબરોમાં તે વ્યક્તિગત ન રહેતાં સાર્વજનિક બની ગયાં. આ રીતે સાર્વજનિક થઈ જવાથી જ દિગંબરોએ અંગશાસ્ત્રને માન્યતા ન આપી હોય એ વાત અમારી સમજની તો બહાર છે. કોઈ એક વ્યક્તિ કહે તે જ સત્ય અને અનેક મળી તે સચ્ચાઈ પર મહોર મારે તો તે સત્ય નહિ–એવું માનનાર તે કાળનો દિગંબર સંપ્રદાય હશે–એવું માનવા માટે અમારું મન તો તૈયાર નથી. આના સમર્થનમાં કોઈ ઉલ્લેખ પણ નથી. આજ દિગંબર સમાજ જે કોઈ કારણસર શ્વેતાંબર સમ્મત આગમોને ન માનતો હોય તેની શોધ કરવી જરૂરી છે પરંતુ તે કારણ એ તો ન હોઈ શકે કે અંગો સાર્વજનિક બની ગયાં હતાં, એથી તે દિગંબર સમાજમાં માન્ય રહ્યાં નહિ. આમ પંડિતજીનું એમ લખવું કે ““ઉસને રૂક્ષ વિષય નનનન શ્રી સ્મૃતિ ો પ્રમાણ નહીં માના” નિરાધાર છે, કોરી કલ્પના છે. અંતે તો જેમના માટે પંડિતજીએ જન-જન શબ્દનો પ્રયોગ કર્યો છે તે હતા કોણ? શું તેઓએ પોતાના ગુરુઓ પાસેથી અંગજ્ઞાન લીધું ન હતું? પોતાની કલ્પનાથી જ અંગોનું સંકલન કરી નાખ્યું હતું? અમારો તો વિશ્વાસ છે કે જેમને પંડિતજીએ “જન-જન' કહ્યા છે તેઓ કોઈ આચાર્યના શિષ્યો જ હતા અને તેમણે પોતાના આચાર્ય પાસેથી શીખેલ શ્રુત જ ત્યાં રજૂ કર્યું હતું. એટલા માટે તો કહેવામાં આવ્યું છે કે જેને જેટલું યાદ હતું તેણે તેટલું ત્યાં ઉપસ્થિત કર્યું. Page #90 -------------------------------------------------------------------------- ________________ Page #91 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ અંગ આગમ જૈન શ્વેત જૈન શ્રમણો અને શાસ્ત્રલેખન અચેલક પરંપરા અને શ્રુત સાહિત્ય શ્રુતજ્ઞાન અક્ષરશ્રુત અને અનક્ષરશ્રુત સભ્યશ્રુત અને મિથ્યાશ્રુત સાદિક, અનાદિક, સપર્યવસિત અને અપર્યવસિત શ્રુત ગમિક-અગમિક, અંગપ્રવિષ્ટ-અનંગપ્રવિષ્ટ અને કાલિક-ઉત્કાલિક શ્રુત ૧ Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકરણ જૈન શ્રત મહાન લિપિશાસ્ત્રી શ્રી ઓઝાજીનો નિશ્ચિત મત છે કે તાડપત્ર, ભોજપત્ર, કાગળ, શાહી, કલમ વગેરેનો પરિચય આપણા પૂર્વજોને પ્રાચીન કાળથી જ હતો. આમ હોવા છતાં પણ કોઈ ભારતીય અથવા એશિયાઈ ધર્મ-પરંપરાના મૂળભૂત ધર્મશાસ્ત્રો અધિકાંશપણે રચનાના સમયે જ તાડપત્ર કે કાગળ પર લિપિબદ્ધ થયાં હોય તેવું પ્રતીત થતું નથી. આજથી પચીસસો વર્ષ અથવા તેનાથી બમણા સમય પહેલાંના જિજ્ઞાસુઓ પોતપોતાના ધર્મશાસ્ત્રો આદર અને વિનયપૂર્વક પોતપોતાના ગુરુઓ દ્વારા મેળવી શકતા હતા. આ રીતે પ્રાપ્ત થનારા શાસ્ત્રોને તેઓ કંઠાગ્ર કરતા અને કંઠાગ્ર પાઠો વારંવાર સ્મરણ કરી યાદ રાખતા. ધર્મવાણીનું શુદ્ધ ઉચ્ચારણ સુરક્ષિત રહે તેનું તેઓ બરાબર ધ્યાન રાખતા. ક્યાંય કાનો, માત્રા, અનુસ્વાર, વિસર્ગ વગેરે નિરર્થક રૂપે પ્રવેશી ન જાય કે નીકળી ન જાય, તેની પણ તેઓ પૂરેપૂરી સાવધાની રાખતા. અવેસ્તા અને વેદોના વિશુદ્ધ ઉચ્ચારણોની સુરક્ષાનું આવેસ્તિક પંડિતો અને વૈદિક પુરોહિતોએ પૂરું ધ્યાન રાખ્યું છે. તેનું સમર્થન વર્તમાનમાં પ્રચલિત અવેસ્તા ગાથાઓ અને વેદ-પાઠોની ઉચ્ચારણ-પ્રક્રિયા વડે થાય છે. જૈન પરંપરામાં પણ આવશ્યક ક્રિયાકાંડના સૂત્રોની અક્ષરસંખ્યા, પદસંખ્યા, લઘુ અને ગુરુ અક્ષરસંખ્યા વગેરેનું ખાસ વિધાન છે. સૂત્રનું કેવી રીતે ઉચ્ચારણ કરવું, ઉચ્ચારણ કરતી વેળાએ કયા-કયા દોષોથી દૂર રહેવું-ઇત્યાદિનું અનુયોગદ્વાર આદિમાં સ્પષ્ટ વિધાન કરવામાં આવ્યું છે. આનાથી પ્રતીત થાય છે કે પ્રાચીન કાળમાં જૈન પરંપરામાં પણ ઉચ્ચારણવિષયક કેટલી સાવધાની રાખવામાં આવતી હતી. વર્તમાનકાળે પણ વિધિજ્ઞો આ જ રીતે પરંપરા અનુસાર સૂત્રોચ્ચારણ કરે છે અને યતિ વગેરેનું પાલન કરે છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૫૯ જૈન શ્વેત આ રીતે વિશુદ્ધ રીતિથી સંચિત શ્રુતસંપત્તિ ગુરુ પોતાના શિષ્યોને સોંપતા તથા શિષ્યો ફરી પોતાની પરંપરાના પ્રશિષ્યોને સોંપતા. આ રીતે શ્રુતની પરંપરા ભગવાન મહાવીરના નિર્વાણ પછી લગભગ એક હજાર વર્ષ સુધી નિરંતર પ્રવાહના રૂપમાં ચાલતી રહી. મહાવીર-નિર્વાણના લગભગ એક હજાર પછી અર્થાત્ વિક્રમની ચોથી-પાંચમી શતાબ્દીમાં જ્યારે વલભીમાં આગમોને પુસ્તકારૂઢ કરવામાં આવ્યાં ત્યારથી કંઠાગ્રપ્રથા ધીરે-ધીરે ઓછી થવા લાગી અને હવે તો તે બિલકુલ મંદ થઈ ગઈ છે. જે કાળે કંઠાગ્ર પૂર્વ શાસ્ત્રોને યાદ રાખવાની પ્રથા ચાલુ હતી તે કાળે આ કાર્યને સુવ્યવસ્થિત તથા અવિસંવાદી રૂપે સંપન્ન કરવા માટે એક વિશિષ્ટ તથા આદરણીય વર્ગ વિદ્યમાન હતો જે ઉપાધ્યાયના રૂપમાં ઓળખાતો હતો. જૈન પરંપરામાં અરિહંત વગેરે પાંચ પરમેષ્ઠી માનવામાં આવે છે. તેમાં આ વર્ગનું ચોથું સ્થાન છે. આ રીતે સંધમાં આ વર્ગની વિશેષ પ્રતિષ્ઠા છે. ધર્મશાસ્ત્રો શરૂઆતમાં લખવામાં આવ્યાં ન હતાં પરંતુ કંઠાગ્ર હતાં તથા સ્મૃતિ વડે સુરક્ષિત રાખવામાં આવતાં હતાં, આ તથ્ય પ્રમાણિત કરવા માટે શાસ્ત્રો માટે વર્તમાનકાળે પ્રયોજાતા શ્રુતિ, સ્મૃતિ તથા શ્રુત શબ્દો પૂરતા છે. વિદ્વજ્જગત જાણે છે કે બ્રાહ્મણ પરંપરાના મુખ્ય પ્રાચીન શાસ્ત્રોનું નામ શ્રુતિ છે અને તે પછીના શાસ્ત્રોનું નામ સ્મૃતિ છે. શ્રુતિ અને સ્મૃતિ – આ બંને શબ્દો રૂઢ નથી પરંતુ યૌગિક છે અને સર્વથા અન્વર્થક છે. જૈન પરંપરાના મુખ્ય પ્રાચીન શાસ્ત્રોનું નામ શ્રુત છે. શ્રુતિ તથા સ્મૃતિની માફક જ શ્રુત શબ્દ પણ યૌગિક છે. આથી આ નામોવાળા શાસ્ત્રો સાંભળી સાંભળીને સુરક્ષિત રાખવામાં આવ્યા છે, એવું સ્પષ્ટપણે ફલિત થાય છે. આચારાંગ વગેરે સૂત્રો ‘સુર્ય મે’ વગેરે વાક્યોથી શરૂ થાય છે. આનો અર્થ એ જ છે કે શાસ્ત્રો સાંભળેલાં છે અને સાંભળતાં સાંભળતાં ચાલતાં આવ્યાં છે. પ્રાચીન જૈન આચાર્યોએ શ્રુતજ્ઞાનનું જે સ્વરૂપ બતાવ્યું છે તથા તેના વિભાગો કર્યા છે તેના મૂળમાં પણ આ ‘સુર્ય’ શબ્દ રહેલો છે, એમ માનવામાં કોઈ વાંધો નથી. વૈદિક પરંપરામાં વેદો સિવાય અન્ય કોઈ પણ ગ્રંથને માટે શ્રુતિ શબ્દનો પ્રયોગ થયો નથી, જ્યારે જૈન પરંપરામાં સમસ્ત શાસ્ત્રો માટે, પછી ભલે તે પ્રાચીન હોય કે અર્વાચીન, શ્રુત શબ્દનો પ્રયોગ પ્રચલિત છે. આ રીતે શ્રુત શબ્દ મૂળમાં યૌગિક હોવા છતાં પણ હવે રૂઢ બની ગયો છે. પહેલાં જેમ કહેવામાં આવ્યું છે તેમ, હજારો વર્ષ પૂર્વે પણ ધર્મોપદેશકોને લિપીઓ તથા લેખન-સાધનોનું જ્ઞાન હતું. તેઓ લેખનકળામાં નિપુણ પણ હતા. આમ હોવા Page #94 -------------------------------------------------------------------------- ________________ ૬૦ અંગઆગમ છતાં જે જૈન ધર્મશાસ્ત્રોને સુવ્યવસ્થિત રાખવાની વ્યવસ્થા કરનારા હતા અર્થાત્ જૈન શાસ્ત્રોમાં કાનો-માત્રા જેટલું પણ પરિવર્તન ન થાય તેનું સતત ધ્યાન રાખનારા મહાનુભાવો હતા, તેમણે આ શાસ્ત્રોને સાંભળી સાંભળી યાદ રાખવાનો મહાન માનસિક ભાર કેવી રીતે ઉપાડ્યો હશે? અતિ પ્રાચીન કાળથી ચાલી આવનારી જૈન શ્રમણોની ચર્યા, સાધના અને પરિસ્થિતિનો વિચાર કરવાથી આ પ્રશ્નનું સમાધાન આપમેળે થઈ જાય છે. જૈન શ્રમણો અને શાસ્ત્રલેખનઃ જૈન મુનિઓની મન, વચન અને કાયા વડે હિંસા ન કરવી, ન કરાવવી તથા કરનારનું અનુમોદન ન કરવું એવી પ્રતિજ્ઞા હોય છે. પ્રાચીન જૈન મુનિઓ આ પ્રતિજ્ઞાનું અક્ષરશઃ પાલન કરવાનો પ્રયત્ન કરતા. જે મેળવવામાં હિંસાની જરા પણ સંભાવના રહેલી હોય તેવી વસ્તુઓને તેઓ સ્વીકારતા નહિ. આચારાંગ વગેરે ઉપલબ્ધ સૂત્રો જોતાં તેમની આ ચર્યા સ્પષ્ટપણે માલુમ પડે છે. બૌદ્ધ ગ્રંથો પણ તેમના માટે રીપતપસી’ (દીર્ઘતપસ્વી) શબ્દનો પ્રયોગ કરે છે. આ રીતે અત્યંત કઠોર આચાર-પાલનને કારણે આ શ્રમણો ધર્મરક્ષાના નામે પણ પોતાની ચર્યામાં અપવાદની આકાંક્ષા રાખનારા ન હતા. આ જ કારણ છે કે તેઓએ હિંસા તથા પરિગ્રહની સંભાવનાવાળી લેખનપવૃત્તિ અપનાવી નહિ. જો કે ધર્મપ્રચાર તેઓને ઈષ્ટ હતો, પરંતુ તે માત્ર આચરણ અને ઉપદેશ દ્વારા જ. હિંસા તથા પરિગ્રહની સંભાવનાને કારણે વ્યક્તિગત નિર્વાણના અભિલાષી આ નિઃસ્પૃહ મુમુક્ષુઓએ શાસ્ત્ર-લેખનની પ્રવૃત્તિની ઉપેક્ષા કરી. તેઓની આ અહિંસાપરાયણતાનું પ્રતિબિંબ બૃહત્કલ્પ નામના છેદસૂત્રમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થયું છે. તેમાં સ્પષ્ટ વિધાન છે કે પુસ્તક પાસે રાખનારો શ્રમણ પ્રાયશ્ચિત્તનો ભાગી બને છે (બૃહત્કલ્પ, ગા. ૩૮૨૧-૩૮૩૧, પૃ. ૧૦પ૪-૧૦૫૭). આ ઉલ્લેખથી એ પણ સિદ્ધ થાય છે કે કેટલાક સાધુઓ પુસ્તકો રાખતા પણ હશે. આથી એમ કહી શકાતું નથી કે ભગવાન મહાવીરની પછી હજાર વર્ષ સુધી કોઈ પણ આગમગ્રંથ પુસ્તકરૂપે લખાયો જ ન હોય. હા, એમ કહી શકાય કે પુસ્તકલેખનની પ્રવૃત્તિ વિધાનરૂપે સ્વીકૃત ન હતી. અહિંસાના આચારને રૂઢ સ્વરૂપે પાળનારા પુસ્તકો નહિ લખતા હોય, પરંતુ જેમને જ્ઞાન ઉપર વિશેષ પ્રેમ હોય તેઓ પુસ્તકો અવશ્ય રાખતા હશે. આવું માનવાથી જ અંગ ઉપરાંતના સમગ્ર વિશાળ સાહિત્યની રચના સંભવિત થઈ શકે છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્વેત બૃહત્કલ્પમાં એમ પણ બતાવવામાં આવ્યું છે કે પોતાની પાસે પુસ્તક રાખનાર શ્રમણમાં પ્રમાદ-દોષ પેદા થાય છે. પુસ્તક પાસે હોવાથી ધર્મ-વચનોનાં સ્વાધ્યાયનું આવશ્યક કાર્ય અટકી જાય છે. ધર્મ-વચનો કંઠસ્થ રાખીને તેમનું વારંવાર સ્મરણ કરવું તે સ્વાધ્યાયરૂપ આંતરિક તપ છે. પુસ્તકો પાસે રહેવાથી આ તપ મંદ થવા લાગે છે તથા ગુરુમુખેથી પ્રાપ્ત સૂત્ર-પાઠોને ઉદાત્ત-અનુદાત્ત વગેરે મૂળ ઉચ્ચારણોમાં સુરક્ષિત રાખવાનો શ્રમ ભારરૂપ જણાવા લાગે છે. પરિણામે સૂત્ર-પાઠોના મૂળ ઉચ્ચારણોમાં પરિવર્તન થવાનો પ્રારંભ થઈ જાય છે. આનું પરિણામ એ આવે છે સૂત્રોનાં મૂળ ઉચ્ચારણો યથાતથ રહી શકતાં નથી. ઉપર્યુક્ત તથ્યોને ધ્યાનમાં લેતાં ઘણુંબધું સ્પષ્ટ થઈ જાય છે કે પહેલાંથી જ અર્થાત્ ભગવાન મહાવીરના સમયથી જ ધર્મ-પુસ્તકોના લેખનની પ્રવૃત્તિ વિશેષપણે કેમ ન ચાલી અને મહાવીર પછી હજાર વર્ષ પછી આગમોને પુસ્તકારૂઢ કરવાનો વ્યવસ્થિત પ્રયત્ન કેમ કરવો પડ્યો. મહાવીરના નિર્વાણ પછી શ્રમણસંઘના આચારમાં શિથિલતા આવવા લાગી. તેના જુદા જુદા સંપ્રદાયો થવા લાગ્યા. અચેલક અને સચેલક પરંપરાઓ શરૂ થઈ. વનવાસ ઓછો થવા લાગ્યો. લોકસંપર્ક વધવા લાગ્યો. શ્રમણો ચૈત્યવાસી પણ બનવા લાગ્યા. ચૈત્યવાસની સાથે સાથે તેઓમાં પરિગ્રહ પણ પ્રવેશ્યો. આમ થવા છતાં પણ ધર્મ-શાસ્ત્રોના પઠન-પાઠનની પરંપરા પહેલાંની જેમ જ ચાલુ હતી. વચમાં દુષ્કાળ પડ્યા. આનાથી ધર્મ-શાસ્ત્રો કંઠસ્થ રાખવાનું વધુ મુશ્કેલ થવા લાગ્યું. કેટલુંક ધર્મદ્યુત નાશ પામ્યું અથવા તેના જાણકારો ન રહ્યા. જે ધર્મશ્રુતને સુરક્ષિત રાખવાની ભક્તિરૂપ વૃત્તિવાળા હતા તેઓ તેને પુસ્તકબદ્ધ કરી સંચિત રાખવાની પ્રવૃત્તિ આવશ્યક ગણી. આ સમયે શ્રમણોએ જીવનચર્યામાં અનેક અપવાદો સ્વીકાર્યા, આથી તેમને આ લખવાલખાવવાની પ્રવૃત્તિનો અપવાદ પણ આવશ્યક જણાયો. ભગવાન મહાવીરના નિર્વાણથી લગભગ એક હજાર વર્ષ પછી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ પ્રમુખ સ્થવિરોએ શ્રુતને જ્યારે પુસ્તકબદ્ધ કરી વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે અંશતઃ લુપ્ત થઈ ચૂક્યું હતું. અચેલક પરંપરા અને શ્રુતસાહિત્ય ઃ ૬૧ સંપૂર્ણ અપરિગ્રહ-વ્રત સ્વીકાર કરવા છતાં પણ માત્ર લજ્જા-નિવારણ માટે જીર્ણશીર્ણ વસ્રને અપવાદરૂપે સ્વીકાર કરનારી સચેલક પરંપરાના અગ્રણી દેવર્ધિગણિ ૧. વૈદિક સાહિત્ય વિશેષ પ્રાચીન છે. તે વિષયે લખવા-લખાવવાની પ્રવૃત્તિનું પણ પુરોહિતોએ પૂરું ધ્યાન રાખ્યું છે. એમ હોવા છતાં પણ વેદોની શ્ર્લોકસંખ્યા જેટલી પ્રાચીનકાળમાં હતી તેટલી વર્તમાનકાળમાં પણ નથી. Page #96 -------------------------------------------------------------------------- ________________ અંગઆગમ ક્ષમાશ્રમણે ક્ષીણ થતાં જતાં શ્રુત-સાહિત્યને સુરક્ષિત રાખવા માટે કેવી રીતે પુસ્તકારૂઢ કરવાનો પ્રયત્ન કર્યો તે જ રીતે સર્વથા અચેલક અર્થાત્ શરીર તથા પીંછ અને કમંડળ સિવાય બીજા બધા બાહ્ય પરિગ્રહને ચારિત્રની વિરાધના સમજનારા મુનિઓએ પણ પખંડાગમ વગેરે સાહિત્યને સુરક્ષિત રાખવા માટેનો પ્રયત્ન શરૂ કર્યો. એમ કહેવામાં આવે છે કે આચાર્ય ધરસેન સોરઠ (સૌરાષ્ટ્ર) પ્રદેશમાં આવેલ ગિરનારની ચંદ્રગુફામાં રહેતા હતા. તેઓ અષ્ટાંગ મહાનિમિત્તશાસ્ત્રમાં પારંગત હતા. તેમને એમ લાગ્યું કે હવે શ્રુત-સાહિત્યનો વિચ્છેદ થઈ જાય તેવો ભયંકર સમય આવી પહોંચ્યો છે. આ જાણીને ભયભીત થયેલા પ્રવચનપ્રેમી ધરસેને દક્ષિણ પ્રદેશમાં વિચરતા મહિમા નગરીમાં એકત્રિત થયેલા આચાર્યોને એક પત્ર લખી મોકલ્યો. પત્ર વાંચીને આચાર્યોએ આંધ્ર પ્રદેશના બેન્નાતટ નગરના વિશેષ બુદ્ધિમાન બે શિષ્યોને આચાર્ય ધરસેન પાસે મોકલી આપ્યા. આવેલા શિષ્યોની પરીક્ષા કર્યા પછી તેમને ધરસેને પોતાની વિદ્યા અર્થાત્ શ્રુત-સાહિત્ય ભણાવવાનું શરૂ કર્યું. ભણતાં-ભણતાં અષાઢ શુક્લ એકાદશીનો દિવસ આવી પહોંચ્યો. આ દિવસે બરાબર બપોરે તેમનું અધ્યયન પૂરું થયું. આચાર્ય બંને શિષ્યો પર બહુ પ્રસન્ન થયા અને તેમાંના એકનું નામ ભૂતબલી અને બીજાનું નામ પુષ્પદંત રાખ્યું. તે પછી બંને શિષ્યોને પાછા મોકલ્યા. તેમણે સોરઠથી પાછા જતાં અંકલેસર (અંકુલેશ્વર અથવા અંકલેશ્વર) નામક ગામમાં ચાતુર્માસ કર્યો. ત્યાર પછી આચાર્ય પુષ્પદંત વનવાસ માટે ગયા અને આચાર્ય ભૂતબલી દ્રમિલ (દ્રવિડ)માં ગયા. આચાર્ય પુષ્પદંતે જિનપાલિત નામના શિષ્યને દીક્ષા આપી. પછી વીસ સૂત્રોની રચના કરી તથા જિનપાલિતને ભણાવી તેને દ્રવિડ દેશમાં આચાર્ય ભૂતબલી પાસે મોકલ્યો. આચાર્ય પુષ્પદંત અલ્પાયુ છે તથા મહાકર્મ-પ્રકૃતિ પ્રાભૃત સંબંધી જે કંઈ શ્રુત-સાહિત્ય છે તે તેમના મૃત્યુ બાદ રહેશે નહિતેમ જાણીને આચાર્યભૂતબલીએદ્રવ્યપ્રમાણાનુયોગને પ્રારંભમાં રાખી ષટ્રખંડાગમની રચના કરી. આ ખંડસિદ્ધાંતશ્રુતના કર્તારૂપે આચાર્ય ભૂતબલી તથા પુષ્પદંત બંનેને માનવામાં આવે છે. આ કથાનકમાં સોરઠ પ્રદેશનો ઉલ્લેખ આવે છે. શ્રી દેવર્ધિગણિની ગ્રંથલેખન-પ્રવૃત્તિનો સંબંધ પણ સોરઠ પ્રદેશની જ વલભી નગરી સાથે છે. જ્યારે વિક્રમની તેરમી શતાબ્દીમાં આચાર્ય અભયદેવે અંગગ્રંથો પર વૃત્તિઓની રચના કરી ત્યારે કેટલાક શ્રમણો તેમના આ કાર્ય સાથે અસહમત હતા, આ વાત અભયદેવના પ્રબંધમાં સ્પષ્ટપણે ઉલિખિત છે. ૧. બૃહટ્ટિપ્પનિકામાં “નિઝામૃતમ્ વીરન્ ૬૦૦ ધારસેમ્' આ રીતનો ઉલ્લેખ મળે છે. આ બંને ધરસેન એક જ છે કે જુદા જુદા, તે વિશે જોઈ માહિતી મળતી નથી. ૨. પખંડાગમ, પ્રથમ ભાગ, પૃ. ૬૭-૭૧. Page #97 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રુત આ વસ્તુ જોતાં એ નથી કહી શકાતું કે જ્યારે ગ્રંથલેખનની પ્રવૃત્તિનો પ્રારંભ થયો હશે ત્યારે તત્કાલીન સમસ્ત જૈન પરંપરાની તે કાર્યમાં સહમતિ રહી હશે. છતાં પણ જેમણે અપવાદ-માર્ગનું આલંબન લઈને પણ ગ્રંથલેખન દ્વારા ધર્મ-વચનોને સુરક્ષિત રાખવાનું પવિત્રતમ કાર્ય કર્યું છે તેમનો આપણા પર – ખાસ કરીને સંશોધકો પર મહાન ઉપકાર થયો છે. શ્રુતજ્ઞાન : જૈન પરંપરામાં પ્રચલિત “શ્રત’ શબ્દ માત્ર જૈન શાસ્ત્રોને માટે જ રૂઢ નથી. શાસ્ત્રો ઉપરાંત “શ્રત’ શબ્દમાં લિપિઓનો પણ સમાવેશ થાય છે. “શ્રુત’નાં જેટલાં પણ કારણો અર્થાત્ નિમિત્ત-કારણો છે, તે બધાં “શ્રુતમાં સમાવિષ્ટ થાય છે. જ્ઞાનરૂપ કોઈપણ વિચાર ભાવશ્રુત કહેવાય છે. આ માત્ર આત્મગુણ હોવાને કારણે હંમેશા અમૂર્ત હોય છે. વિચારને પ્રકાશિત કરવાનું નિમિત્ત-કારણ શબ્દ છે, આથી તે પણ નિમિત્તનૈમિત્તિકના કથંચિત્ અભેદની અપેક્ષાએ “શ્રુત' કહેવાય છે. શબ્દ મૂર્ત હોય છે. તેને જૈન પરિભાષામાં ‘દ્રવ્યશ્રુત' કહે છે. શબ્દની જ માફક ભાવસૃતને સુરક્ષિત તથા સ્થાયી રાખવા માટે જે પણ નિમિત્ત અર્થાત્ કારણ હોય તે બધાં ‘દ્રવ્યશ્રુત' કહેવાય છે. આમાં સમસ્ત લિપિઓનો સમાવેશ થાય છે. તદુપરાંત કાગળ, શાહી, લેખણ વગેરેને પણ પરંપરાની અપેક્ષાએ “શ્રુત કહી શકાય છે. આ જ કારણ છે કે જ્ઞાનપંચમી અથવા શ્રુતપંચમીના દિવસે બધા જૈનો સામુહિક રૂપે એકઠા થઈને આ સાધનો તથા બધા પ્રકારનાં જૈન પુસ્તકોનું વિશાળ પ્રદર્શન કરે છે અને ઉત્સવ ઉજવે છે. દેવ-પ્રતિમાની માફક તેમની પાસે ઘીનો દીવો પ્રકટાવે છે અને વંદન, નમન, પૂજન વગેરે કરે છે. પ્રત્યેક શબ્દ ભલેને તે કોઈપણ પ્રકારનો હોય–વ્યક્ત હોય કે અવ્યક્ત- ‘દ્રવ્યશ્રુત'માં સમાવિષ્ટ થાય છે. પ્રત્યેક ભાવસૂચક સંકેત – જેમ કે છીંક, ખોંખારો વગેરે –નો પણ વ્યક્ત શબ્દની જેમ જ દ્રવ્યશ્રુતમાં સમાવેશ થાય છે. દ્રવ્યશ્રત અને ભાવભૃત વિષયમાં આચાર્ય દેવવાચકે સ્વરચિત નંદિસૂત્રમાં વિસ્તૃત અને સ્પષ્ટ ચર્ચા કરી છે. નંદિસૂત્રકારે જ્ઞાનના પાંચ પ્રકારો દર્શાવ્યા છેઃ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવળજ્ઞાન. જૈન પરંપરામાં “પ્રત્યક્ષ” શબ્દના બે અર્થ સ્વીકારાયેલા છે. પહેલો અક્ષ અર્થાત્ આત્મા. જે જ્ઞાન સીધું આત્મા દ્વારા જ થાય, જેમાં ઈન્દ્રિયો અથવા મનની સહાયની જરૂર ન પડે તે જ્ઞાન પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે. બીજો અક્ષ અર્થાત્ ઈન્દ્રિયો તથા મન. જે જ્ઞાન ઈન્દ્રિયો અને મનની સહાયથી ઉત્પન્ન થાય તે વ્યાવહારિક પ્રત્યક્ષ કહેવાય છે. ઉક્ત પાંચ જ્ઞાનોમાં અવધિ, મન:પર્યાય અને કેવળ એ ત્રણ પારમાર્થિક પ્રત્યક્ષ છે અને મતિ વ્યાવહારિક પ્રત્યક્ષ છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ અંગઆગમ શ્રી ભદ્રબાહુ વિરચિત આવશ્યક-નિર્યુક્તિ, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ રચિત વિશેષાવશ્યક ભાષ્ય, શ્રી હરિભદ્ર વિરચિત આવશ્યક-વૃત્તિ આદિ ગ્રંથોમાં પંચજ્ઞાન વિષયક વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. તે જોતાં જ્ઞાન અથવા પ્રમાણના સ્વરૂપ, પ્રકાર વગેરેની ચર્ચા પ્રારંભમાં કેટલી સંક્ષિપ્ત હતી તથા ધીરે ધીરે કેટલી વિસ્તૃત બનતી ગઈ તેનો સ્પષ્ટ અંદાજ આવી જાય છે. જેમ જેમ તર્કદૃષ્ટિનો વિકાસ થતો ગયો તેમ તેમ આ ચર્ચાનો પણ વિસ્તાર થતો ગયો. ૬૪ અહીં આ લાંબી ચર્ચા માટે અવકાશ નથી. માત્ર શ્રુતજ્ઞાનનો પરિચય આપવા માટે તે સંબંધી પ્રાસંગિક વિષયોનો સ્પર્શ કરીને આગળ વધવામાં આવશે. ઈન્દ્રિયો તથા મન દ્વારા થનાર બોધને મતિજ્ઞાન કહે છે. તેને અન્ય દાર્શનિકો ‘પ્રત્યક્ષ’ કહે છે. જ્યારે જૈન પરંપરામાં તેને ‘વ્યાવહારિક પ્રત્યક્ષ' કહેવામાં આવે છે. ઈન્દ્રિય-મન-નિરપેક્ષ અને સીધેસીધું આત્મા દ્વારા ન હોવાને કારણે મતિજ્ઞાન વાસ્તવિક રીતે પરોક્ષ જ છે. બીજું શ્રુતજ્ઞાન છે. જેમ કે પહેલાં કહેવાઈ ચૂક્યું છે તેમ શ્રુતજ્ઞાનના મુખ્ય બે ભેદ છે : દ્રવ્યશ્રુત અને ભાવશ્રુત. ભાવશ્રુત આત્મોપયોગરૂપ અર્થાત્ ચેતનારૂપ હોય છે. દ્રવ્યશ્રુત ભાવશ્રુતની ઉત્પત્તિમાં નિમિત્તરૂપ અને જનકરૂપ હોય છે તથા ભાવશ્રુતમાંથી જન્મેલું પણ હોય છે. એ ભાષારૂપ તેમ જ લિપિરૂપ છે. કાગળ, શાહી, લેખણ, ખડિયો, પુસ્તક ઇત્યાદિ બધાં શ્રુતસાધનો દ્રવ્યશ્રુતની જ અંતર્ગત છે. શ્રુતજ્ઞાનના પરસ્પર વિરોધી સાત યુગ્મો કહેવામાં આવ્યાં છે અર્થાત્ દેવવાચકે શ્રુતજ્ઞાનના બધા મળી ચૌદ ભેદો બતાવ્યા છે. આ ચૌદ ભેદોમાં બધા પ્રકારનું શ્રુતજ્ઞાન સમાઈ જાય છે. અહીં નીચેના છ યુગ્મોની ચર્ચા વિવક્ષિત છે : ૧. અક્ષરશ્રુત અને અનક્ષરશ્રુત, ૨. સભ્યશ્રુત અને મિથ્યાશ્રુત, ૩. સાદિકશ્રુત અને અનાદિકશ્રુત, ૪. સપર્યવસિત અર્થાત્ સાંતશ્રુત અને અપર્યવસિત અર્થાત્ અનંતશ્રુત, ૫. ગમિકશ્રુત અને અગમિકશ્રુત, ૬. અંગપ્રવિષ્ટશ્રુત અને અનંગપ્રવિષ્ટ અર્થાત્ અંગબાહ્યશ્રુત. અક્ષરશ્રુત અને અનક્ષરશ્રુત ઃ આ યુગ્મમાં પ્રયુક્ત ‘અક્ષર' શબ્દ ભિન્ન-ભિન્ન અપેક્ષાએ ભિન્ન અર્થનો બોધ કરાવે છે. અક્ષરશ્રુત ભાવરૂપ છે અર્થાત્ આત્મગુણરૂપ છે. તેને પ્રગટ કરવામાં તથા તેની વૃદ્ધિ અને વિકાસ ક૨વામાં જે અક્ષરો અર્થાત્ ધ્વનિઓ, સ્વરો અથવા વ્યંજનો નિમિત્તરૂપ બને છે તેમના માટે ‘અક્ષર’ શબ્દનો પ્રયોગ થાય છે. ધ્વનિઓના સંકેતો Page #99 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રુત ૬૫ પણ “અક્ષર' કહેવાય છે. સંક્ષેપમાં અક્ષરનો અર્થ છે – અક્ષરાત્મક ધ્વનિઓ તથા તેમના સમસ્ત સંકેતો. ધ્વનિઓમાં સમસ્ત સ્વર-વ્યંજનો સમાવિષ્ટ થાય છે. સંકેતોમાં સમસ્ત અક્ષરરૂપ લિપિઓનો સમાવેશ થાય છે. આજના આ વિજ્ઞાનયુગમાં પણ અમુક દેશો અથવા અમુક લોકો પોતાની પસંદગીની અમુક પ્રકારની લિપિઓ અથવા અમુક પ્રકારના સંકેતોને જ વિશેષ મહત્ત્વ આપે છે તથા અમુક પ્રકારની લિપિઓ અને સંકેતોને કંઈ મહત્ત્વ આપતા નથી. જયારે આજથી હજારો વર્ષ પહેલાં જૈનાચાર્યોએ શ્રુતના એક ભેદ અક્ષરકૃતમાં સમસ્ત પ્રકારની લિપિઓ અને અક્ષર-સંકેતોનો સમાવેશ કર્યો હતો. પ્રાચીન જૈન પરંપરામાં ભાષા, લિપિ અથવા સંકેતોને માત્ર વિચાર-પ્રદર્શનના વાહનરૂપમાં જ સ્વીકારવામાં આવેલ છે. તેમને ઈશ્વરીય સમજીને કોઈ પ્રકારની વિશેષ પૂજા-પ્રતિષ્ઠા આપવામાં આવી નથી. એટલું જ નહિ, જૈન આગમો તો એટલે સુધી કહે છે કે ચિત્રવિચિત્ર ભાષાઓ, લિપિઓ અથવા સંકેતો મનુષ્યને વાસનાના ગર્તમાં પડતાં બચાવી શકતા નથી. વાસનાના ગર્તમાં પડતાં બચાવનાર અસાધારણ સાધનો વિવેકયુક્ત સદાચાર, સંયમ, શીલ, તપ ઈત્યાદિ છે. જૈન પરંપરા તથા જૈન શાસ્ત્રોમાં પ્રારંભથી જ એવી ઘોષણા ચાલી આવે છે કે કોઈ પણ ભાષા, લિપિ અથવા સંકેત દ્વારા ચિત્તમાં ઘર કરી ગયેલ રાગદ્વેષાદિકની પરિણતિને ઓછી કરનાર વિવેકયુક્ત વિચારધારા જ પ્રતિષ્ઠાયોગ્ય છે. આ પ્રકારની માન્યતામાં જ અહિંસાની સ્થાપના અને આચરણ નિહિત છે. વ્યાવહારિક દૃષ્ટિએ પણ એમાં જ માનવજાતિનું કલ્યાણ છે. તેના અભાવે વિષમતા, વર્ગવિગ્રહ અને ક્લેશવર્ધનની જ સંભાવના રહે છે. જે રીતે અક્ષરશ્રુતમાં વિવિધ ભાષાઓ, વિવિધ લિપિઓ તથા વિવિધ સંકેતો સમાયેલાં છે તે જ રીતે અનક્ષરદ્યુતમાં શ્રયમાણ અવ્યક્ત ધ્વનિઓ તથા દશ્યમાન શારીરિક ચેષ્ટાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. આ પ્રકારના ધ્વનિઓ અને ચેષ્ટાઓ પણ અમુક પ્રકારના બોધનું નિમિત્ત બને છે. એ પહેલાં જ કહેવાઈ ચૂક્યું છે કે બોધનાં સમસ્ત નિમિત્તો શ્રુતમાં સમાવિષ્ટ છે. એ જ રીતે કણસવું, ચીત્કાર, નિઃશ્વાસ, ખોંખારો, ઉધરસ, છીંક વગેરે બોધ-નિમિત્ત સંકેતો અનરશ્રુતમાં સમાવિષ્ટ છે. રોગીનું કણસવું તેની વ્યથાનું જ્ઞાપક હોય છે. ચીત્કાર વ્યથા અથવા વિયોગનો જ્ઞાપક હોઈ શકે છે. નિઃશ્વાસ દુઃખ અને વિરહનો સૂચક છે. છીંક કોઈ વિશિષ્ટ સંકેતની સૂચક હોઈ શકે છે. ઘૂંકવાની ચેષ્ટા નિંદા અથવા તિરસ્કારની ભાવના પ્રગટ કરી શકે છે અથવા કોઈ અન્ય તથ્યનો સંકેત કરી શકે છે. એ જ રીતે આંખના ઈશારા પણ વિભિન્ન ચેષ્ટાઓ પ્રગટ કરે Page #100 -------------------------------------------------------------------------- ________________ અંગઆગમ એક પુરુષ પોતાની પરિચિત એક સ્ત્રીના ઘરમાં ઘૂસ્યો. ઘરમાં સ્ત્રીની સાસુ હતી. તેને જોઈને સ્ત્રીએ ગાળ દેતાં દેતાં જોરથી તેની પીઠ પાછળ એક ધબ્બો માર્યો. તેના કપડાં પર મેશ ભરેલા હાથના પંજાની પાંચે આંગળીઓ ઉપસી આવી. આ સંકેત પરથી પુરુષે એવો અર્થ કાઢ્યો કે કૃષ્ણપક્ષની પાંચમીના દિવસે ફરી આવવું. પુરુષે કાઢેલો આ અર્થ બરાબર હતો. તે સ્ત્રીએ આ જ અર્થના સંકેત માટે ધબ્બો માર્યો હતો. આ રીતે અવ્યક્ત ધ્વનિઓ અને વિશિષ્ટ પ્રકારની ચેષ્ટાઓ પણ અમુક પ્રકારના બોધનું નિમિત્ત બને છે. જે લોકો આ ધ્વનિઓ અને ચેષ્ટાઓનું રહસ્ય સમજે છે તેમને તેનાથી અમુક પ્રકારનો નિશ્ચિત બોધ થાય છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનાં સર્વસંમત સાર્વત્રિક સાહચર્યને ધ્યાનમાં લેતાં એમ કહેવું ઉપયુક્ત પ્રતીત થાય છે કે સાંકેતિક ભાષા ઉપરાંત સાંકેતિક ચેષ્ટાઓ પણ શ્રુતજ્ઞાનમાં સમાવિષ્ટ છે. એમ હોવા છતાં પણ આ વિષયમાં ભાષ્યકાર જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્યમાં, વૃત્તિકાર આચાર્ય હરિભદ્ર આવશ્યકવૃત્તિમાં તથા આચાર્ય મલયગિરિએ નંદીવૃત્તિમાં જે મત વ્યક્ત કર્યો છે તેનો અહીં નિર્દેશ કરવો જરૂરી છે. ઉપરોક્ત ત્રણે આચાર્યો લખે છે કે અશ્રયમાણ શારીરિકચેષ્ટાઓને અનારકૃતમાં સમાવિષ્ટ ન કરવાની રૂઢ પરંપરા છે. તદનુસાર જે સાંભળવાયોગ્ય છે તે જ શ્રત છે, બીજું નહિ. જે ચેષ્ટાઓ સંભળાતી ન હોય તેમને શ્રુતજ્ઞાન સમજવું ન જોઈએ. અહીં શ્રત’ શબ્દને રૂઢ ન માનતાં યૌગિક માનવામાં આવેલ છે. અચેલક પરંપરાના તત્ત્વાર્થ-રાજવાર્તિક નામે ગ્રંથમાં દર્શાવવામાં આવ્યું છે કે કૃત શબ્દોડ્ય રૂઢિશદ્રઃ ...... તિ સર્વમતિપૂર્વશ્ય કૃતત્વસિદ્ધિર્મવતિ' અર્થાત્ “શ્રુત' શબ્દ રૂઢ છે. શ્રુતજ્ઞાનમાં કોઈ પણ પ્રકારનું મતિજ્ઞાન કારણ બની શકે છે. આ વ્યાખ્યા અનુસાર શ્રયમાણ અને દૃશ્યમાન બંને પ્રકારના સંકેતો દ્વારા થનારું જ્ઞાન શ્રુતજ્ઞાનની કોટિમાં આવે છે. મારી દષ્ટિએ “શ્રુત' શબ્દનો વ્યાપક અર્થમાં પ્રયોગ કરતાં શ્રયમાણ તથા દશ્યમાન બંને પ્રકારના સંકેતો અને ચેષ્ટાઓને શ્રુતજ્ઞાનમાં સમાવિષ્ટ કરવામાં કોઈ આપત્તિ ન હોવી જોઈએ. ૧. વિશેષાવશ્યકભાષ્ય, ગા. ૫૦૩, પૃ. ૨૭૫; હારિભદ્રીય આવશ્યકવૃત્તિ, પૃ. ૨૫, ગા. ૨૦; મલયગિરિ નંદીવૃત્તિ, પૃ. ૧૮૯, સૂ. ૩૯. ૨. અ. ૧, સૂ. ૨૦, પૃ. ૧. Page #101 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રત આ રીતે અક્ષરશ્રુત અને અનક્ષરદ્યુત આ બે અવાંતરભેદોની સાથે શ્રુતજ્ઞાનનો વ્યાપક વિચાર જૈન પરંપરામાં અતિ પ્રાચીન કાળથી થતો આવ્યો છે. આનો ઉલ્લેખ જ્ઞાનના સ્વરૂપનો વિચાર કરનારા સમસ્ત જૈન ગ્રંથોમાં આજ પણ મળે છે. સમ્યકશ્રુત અને મિથ્યાશ્રુત : ઉપર બતાવવામાં આવ્યું કે ભાષાસાપેક્ષ, અવ્યક્તધ્વનિસાપેક્ષ તથા સંકેતસાપેક્ષ સમસ્ત જ્ઞાન શ્રતની કોટિમાં આવે છે. તેમાં ખોટું જ્ઞાન, ચોરી શીખવાડનારું જ્ઞાન, અનાચારનું પોષક જ્ઞાન ઇત્યાદિ મુક્તિવિરોધી તથા આત્મવિકાસબાધક જ્ઞાન પણ સમાવિષ્ટ છે. સાંસારિક વ્યવહારની અપેક્ષાએ ભલે આ બધું જ્ઞાન “શ્રુત' કહેવાય પરંતુ જ્યાં આધ્યાત્મિક દૃષ્ટિની મુખ્યતા હોય તથા એ જ એક લક્ષ્યને દૃષ્ટિમાં રાખીને સમસ્ત પ્રકારના પ્રયત્નો કરવાની વારંવાર પ્રેરણા આપવામાં આવી હોય ત્યાં માત્ર તમાર્ગોપયોગી અક્ષરદ્યુત તથા અનક્ષશ્રુત જ શ્રુતજ્ઞાનની કોટિમાં સમાવિષ્ટ થઈ શકે છે. આ રીતે માર્ગને માટે તો જે વક્તા અથવા શ્રોતાની દૃષ્ટિ શમસંપન્ન હોય, સંવેગસંપન્ન હોય, નિર્વેદયુક્ત હોય, અનુકંપા અર્થાત્ કરુણાવૃત્તિથી પરિપૂર્ણ હોય તથા દેહભિન્ન આત્મામાં શ્રદ્ધાશીલ હોય તેનું જ જ્ઞાન ઉપયોગી સિદ્ધ થાય છે. આ તથ્ય સ્પષ્ટરૂપે સમજાવવા માટે નંદિસૂત્રકારે બતાવ્યું છે કે સમાદિયુક્ત વક્તા અથવા શ્રોતાનું અક્ષર-અનક્ષરરૂપ શ્રુત જ સમ્યક શ્રત હોય છે. શમાદરહિત વક્તા અથવા શ્રોતાનું તે જ શ્રુત મિથ્યાત કહેવાય છે. આ રીતે ઉક્ત શ્રુતના ફરી બે વિભાગ કરવામાં આવ્યા છે. પ્રસ્તુત શ્રુત-વિચારણામાં આત્મવિકાસોપયોગી શ્રુતને જ સમ્યફ શ્રુત કહેવામાં આવ્યું છે. આ વિચારણા સંપ્રદાયનિરપેક્ષ છે. આનું જ પરિણામ છે કે તથાકથિત જૈન સંપ્રદાયના ન હોવા છતાં પણ અનેક વ્યક્તિઓના વિષયમાં અહેવા અથવા સિદ્ધત્વનો નિર્દેશ જૈન આગમોમાં મળે છે. જૈન શાસ્ત્રોના દ્વિતીય અંગ સૂયગડ–સૂત્રકૃતાંગનાં તૃતીય અધ્યયનના ચતુર્થ ઉદ્દેશકની પ્રથમ ચાર ગાથાઓમાં વૈદિક પરંપરાના કેટલાક પ્રસિદ્ધ પુરુષોનાં નામ આપવામાં આવ્યાં છે અને તેમને મહાપુરુષ કહેવામાં આવ્યા છે. આટલું જ નહિ, તેઓએ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી એ પણ બતાવવામાં આવ્યું છે. આ ગાથાઓમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે તેઓ શીતળનો ઉપયોગ કરતા હતા અર્થાત્ ઠંડુ પાણી પીતા, સ્નાન કરતા, ઠંડા પાણીમાં ઊભા રહી સાધના પણ કરતા તથા ભોજનમાં બીજ અને હરિત અર્થાત્ લીલી-કાચી વનસ્પતિ પણ લેતા હતા. આ મહાપુરુષોના વિષયમાં મૂળ ગાથામાં આવતા “તમતપોધન' શબ્દની વ્યાખ્યા કરતાં વૃત્તિકારે લખ્યું છે કે તેઓ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૬૮ અંગઆગમ તપોધન હતા અર્થાત્ પંચાગ્નિ તપ તપતા હતા તથા કંદ, મૂળ, ફળ, બીજ અને હરિત અર્થાત્ લીલી-કાચી વનસ્પતિનો ભોજનાદિમાં ઉપયોગ કરતા હતા. આ વર્ણનથી સ્પષ્ટ પ્રતીત થાય છે કે મૂળ ગાથાઓમાં નિર્દિષ્ટ ઉપર્યુક્ત મહાપુરુષો જૈન સંપ્રદાયના ક્રિયાકાંડ અનુસાર જીવન વ્યતીત કરતા ન હતા. છતાં પણ તેઓ સિદ્ધિ પામ્યા હતા. આ વાત આહતપ્રવચનમાં સ્વીકારવામાં આવી છે. આ તથ્ય જૈન પ્રવચનની વિશાળતા તેમ જ સભ્ય શ્રતની ઉદારતાપૂર્ણ વ્યાખ્યાનો સ્વીકાર કરવા માટે પર્યાપ્ત છે. જેમની દૃષ્ટિ સમ્યફ છે અર્થાત્ શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્યથી પરિપ્લાવિત છે તેમનું શ્રુત પણ સમ્યફ શ્રુત છે અર્થાત્ તેમનું સમ્યફ જ્ઞાની હોવાનું સ્વાભાવિક છે. આવી અવસ્થામાં તેઓ સિદ્ધિ પ્રાપ્ત કરે તેમાં આશ્ચર્ય શું છે? જૈન પ્રવચનમાં જેમને અન્યલિંગસિદ્ધ કહેવામાં આવ્યા છે તે આ પ્રકારના મહાપુરુષો હોઈ શકે છે. જે જૈન સંપ્રદાયનો વેષ ધારણ ન કરતા હોય અર્થાત્ જેમનો બાહ્ય ક્રિયાકાંડ જૈન સંપ્રદાયનો ન હોય છતાં પણ જેઓ આંતરિક શુદ્ધિના પ્રભાવે સિદ્ધિ – મુક્તિ પામ્યા હોય તેઓ અન્યલિંગસિદ્ધ કહેવાય છે. ઉપર્યુક્ત ગાથાઓમાં અન્યલિંગ વડે સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓના જે નામ આપવામાં આવ્યા છે તે આ છે : અસિત દેવલ, દ્વૈપાયન, પારાશર, નમી વિદેહી, રામપુત્ર, બાહુક તથા નારાયણ. આ બધા મહાપુરુષો વૈદિક પરંપરાના મહાભારત વગેરે ગ્રંથોમાં સુપ્રસિદ્ધ છે. આ ગાથાઓમાં “તે પુત્ર મહાપુરક્ષા ઉદિતા રૂદ સંમતા' એ પ્રકારના નિર્દેશ દ્વારા મૂલસૂત્રકારે એમ બતાવ્યું છે કે આ બધા પ્રાચીન સમયના પ્રસિદ્ધ મહાપુરુષો છે તથા તેમને “દ અર્થાત આહત પ્રવચનમાં સિદ્ધરૂપે સ્વીકારવામાં આવેલા છે. અહીં “ફનો સામાન્ય અર્થ આહુતપ્રવચન તો છે જ પરંતુ વૃત્તિકારે ઋષિભાષિતાની' અર્થાત “ઋષિભાષિત આદિ ગ્રંથોમાં એવી જાતનો વિશેષ અર્થ પણ બતાવ્યો છે. આનાથી એમ સ્પષ્ટ પ્રતીત થાય છે કે ઋષિભાષિત ગ્રંથ એટલો અધિક પ્રમાણપ્રતિષ્ઠિત છે કે તેનો નિર્દેશ વૃત્તિકારના કથનાનુસાર મૂલસૂત્રકારે પણ કર્યો છે. સૂત્રકૃતાંગમાં “ઋષિભાષિત' નામનો પરોક્ષ રૂપે ઉલ્લેખ છે પરંતુ સ્થાનાંગ તથા સમવાયાંગમાં તો તેનો સ્પષ્ટ નિર્દેશ છે. બંનેમાં તેની અધ્યયનસંખ્યા પણ બતાવવામાં આવી છે. સ્થાનાંગમાં પ્રશ્નવ્યાકરણના દસ અધ્યયનોનાં નામો બતાવતાં ‘ઋષિભાષિત' નામનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.' “ઋષિભાષિતના ચુમ્માલીસ અધ્યયનો દેવલોકમાંથી મનુષ્યલોકમાં આવેલા જીવો દ્વારા કહેવાયેલાં છે' એ રીતે ઋષિભાષિત' નામનો તથા તેના ચુમ્માલીસ અધ્યયનોનો નિર્દેશ સમવાયાંગના ૧. સ્થાન. ૧૦, સૂત્ર ૭૫૫. Page #103 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રુત ૬૯ ચુમ્માલીસમા સમવાયમાં છે. આનાથી માલુમ થાય છે કે આ ગ્રંથ પ્રામાણ્યની દૃષ્ટિએ વિશેષ પ્રતિષ્ઠિત હોવાની સાથે જ વિશેષ પ્રાચીન પણ છે. આ ગ્રંથ પર આચાર્ય ભદ્રબાહુએ નિયુક્તિ લખી હતી જેનાથી તેની પ્રતિષ્ઠા અને પ્રામાણિકતામાં વિશેષ વૃદ્ધિ થાય છે. સદ્ભાગ્યે ઋષિભાષિત ગ્રંથ આજ પણ ઉપલબ્ધ છે. તે આગમોદય સમિતિ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે. તેમાં જૈન સંપ્રદાયના ન હોવા છતાં પણ જૈન પરંપરા દ્વારા માન્ય અનેક મહાપુરુષોના નામોનો તેમના વચનો સાથે નિર્દેશ કરવામાં આવેલ છે. જે રીતે આ ગ્રંથમાં ભગવાન વર્ધમાન-મહાવીર તથા ભગવાન પાર્શ્વના નામનો ઉલ્લેખ “અહંત ઋષિ’ વિશેષણ સાથે કરવામાં આવ્યો છે તે જ રીતે તેમાં યાજ્ઞવક્ય, બુદ્ધ, મંખલિપુત્ર વગેરેના નામોની સાથે પણ અહતુ ઋષિ વિશેષણ જોડવામાં આવેલ છે. આ જ કારણ છે કે સૂત્રકૃતાંગની પૂર્વોક્ત ગાથાઓમાં દર્શાવાયું છે કે આ મહાપુરુષો સિદ્ધિ પ્રાપ્ત છે. ઋષિભાષિતમાં જે અહરૂપ ઋષિઓનો ઉલ્લેખ છે તેમાંના કેટલાકનાં નામો આ પ્રમાણે છે : (૧) અસિત દેવલ, (૨) અંગરિસિ–અંગિરસ–ભારદ્વાજ, (૩) મહાકશ્યપ, (૪) મંખલિપુત્ત, (૫) જણવક–ખ્યાજ્ઞવક્ય, (૬) બાહુક, (૭) મધુરાયણ–માથુરાયણ, (૮) સોરિયાયણ, (૯) વરિસવકહ, (૧૦) આરિયાયણ, (૧૧) ગાથાપતિપુત્ર તરુણ, (૧૨) રામપુત્ર, (૧૩) હરિગિરિ, (૧૪) માતંગ, (૧૫) વાયુ, (૧૬) પિંગ માણપરિવ્રાયઅ–બ્રાહ્મણ પરિવ્રાજક, (૧૭) અરુણ મહાસાલ, (૧૮) તારાયણ, (૧૯) સાતિપુત્ર–શાક્યપુત્ર બુદ્ધ, (૨૦) દીવાયણ–વૈપાયન, (૨૧) સોમ, (૨૨) યમ, (૨૩) વરુણ, (૨૪) વૈશ્રમણ. આમાંથી અસિત, મખલિપુત્ત, જણવક્ક, બાહુક, માતંગ, વાયુ, સાતિપુત્ર બુદ્ધ, સોમ, યમ, વરુણ, વૈશ્રમણ તથા દીવાયણ – આ નામોના વિષયમાં થોડુંઘણું વર્ણન પ્રાપ્ત થાય છે. અસિત, બાહુક, દ્વૈપાયન, માતંગ અને વાયુના નામો મહાભારત વગેરે વૈદિક ગ્રંથોમાં મળે છે તથા તેમાં તેમનો કેટલોક વૃત્તાંત પણ આવે છે. મંખલિપુત્ત શ્રમણ પરંપરાના ઇતિહાસમાં ગોશાલક નામે પ્રસિદ્ધ છે. તેને જૈન આગમો અને બૌદ્ધ પિટકોમાં મખલિપુત્ત ગોસાલ તરીકે ઓળખાવવામાં આવેલ છે. જણવક યાજ્ઞવક્ય ઋષિનું નામ છે જે વિશેષ કરીને બૃહદારણ્યક ઉપનિષદમાં પ્રસિદ્ધ છે. સાતિપુર બુદ્ધ શાક્યપુત્ર ગૌતમ બુદ્ધનું નામ છે. ૧. અધ્યયન ૨૯ અને ૩૧. Page #104 -------------------------------------------------------------------------- ________________ અંગઆગમ પ્રાચીન તથા અર્વાચીન અનેક જૈન ગ્રંથોમાં મંખલિપુત્ર ગોશાલકની ખૂબ મશ્કરી કરવામાં આવી છે. શાક્યમુનિ બુદ્ધની પણ પર્યાપ્ત હાંસી કરવામાં આવી છે. આ ગ્રંથોમાં જૈન શ્રુત સિવાયના અન્ય સમસ્ત શાસ્ત્રોને મિથ્યા કહેવામાં આવેલ છે. જિનદેવ સિવાયના અન્ય સમસ્ત દેવોને કુદેવ તથા જૈન મુનિઓ સિવાયના અન્ય સમસ્ત મુનિઓને કુગુરુ કહેવામાં આવેલ છે. જ્યારે ઋષિભાષિતનું સંકલન કરનારાઓએ જૈન સંપ્રદાયના લિંગ તથા કર્મકાંડરહિત મંખલિપુત્ર, બુદ્ધ, યાજ્ઞવલ્ક્ય વગેરેને ‘અર્હત્’ કહ્યા છે તથા તેમના વચનોનું સંકલન કર્યું છે. એટલું જ નહિ, આ ગ્રંથને આગમ કક્ષાનો માન્યો છે. તાત્પર્ય એ છે કે જેમની દૃષ્ટિ સમ્યક્ છે તેમને માટે ગમે તે સરળ વચનો પણ સમ્યક્ શ્રુતરૂપ છે તથા જેમની દૃષ્ટિ શમ-સંવેગાદિ ગુણોથી રહિત છે તેમને માટે ભાષા, કાવ્ય, રસ અને ગુણની દૃષ્ટિએ શ્રેષ્ઠતમ વચનો પણ મિથ્યાશ્રુતરૂપ છે. વેદ, મહાભારત વગેરે ગ્રંથોને મિથ્યાશ્રુતરૂપ માનનારા આચાર્યોના ગુરુરૂપ ભગવાન મહાવીરે જ્યારે ઇન્દ્રભૂતિ (ગૌતમ) વગેરે સાથે આત્મા વગેરે સંબંધી ચર્ચા કરી ત્યારે વેદનાં પદોનો અર્થ કેવી રીતે કરવો જોઈએ તે તેમને સમજાવ્યું. વેદ મિથ્યા છે, એવું તેમણે નથી કહ્યું. આ ઘટના વિશેષાવશ્યક ભાષ્યના ગણધરવાદ નામક પ્રકરણમાં આજ પણ ઉપલબ્ધ છે. ભગવાનની આ પ્રકારની સમજાવવાની શૈલી— સમ્યક્દષ્ટિસંપન્નનું શ્રુત સમ્યક્દ્ભુત છે અને સમ્યક્દૅષ્ટિહીનનું શ્રુત મિથ્યાશ્રુત છે—આ તથ્યનું સમર્થન કરે છે. આચાર્ય હરિભદ્રસૂરિ પોતાના યોગદૃષ્ટિસમુચ્ચયમાં લખે છે : चित्रा तु देशनैतेषां स्याद् विनेयानुगुण्यतः । यस्मात् एते महात्मानो भवव्याधिभिषग्वराः || ७० શ્લોક ૧૩૨ एतेषां सर्वज्ञानां कपिलसुगतादीनाम्, स्यात् भवेत्, विनेयानुगुण्यतः तथाविधशिष्यानुगुण्येन कालान्तरापापभीरुम् अधिकृत्य उपसर्जनीकृतपर्याया द्रव्यप्रधाना नित्यदेशना, भोगावस्थावतस्तु अधिकृत्य उपसर्जनीकृतद्रव्या पर्यायप्रधाना अनित्यदेशना । न तु अन्वयव्यतिरेकवद्वस्तुवेदिनो न भवन्ति सर्वज्ञत्वानुपपत्तेः । एवं देशना तु तथागुणदर्शनेन (તળુળવર્ગનેન) બહુધૈવ રૂત્યાદ—યસ્માત્ તે મહાત્માન: સર્વજ્ઞ: । જિમ્ ? ફત્યા– भवव्याधिभिषग्वराः संसारव्याधिवैद्यप्रधानाः । અર્થાત્ કપિલ, સુગત આદિ મહાપુરુષો સમ્યક્દષ્ટિસંપન્ન સર્વજ્ઞ પુરુષો છે. તે બધા પ્રપંચ-રોગરૂપ સંસારની વિષમ વ્યાધિને માટે શ્રેષ્ઠ વૈદ્યો સમાન છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્વેત એ જ રીતે તેમણે એક સ્થળે આમ પણ લખ્યું છે : सेयंबरो य आसंबरो य बुद्धो वा तह य अन्नो वा । समभावभाविअप्पा लहइ मुक्खं न संदेहो ॥ અર્થાત્ ભલે કોઈ શ્વેતાંબર સંપ્રદાયનો હોય, ભલે કોઈ દિગંબર સંપ્રદાયનો, ભલે કોઈ બૌદ્ધ સંપ્રદાયનો હોય, ભલે કોઈ અન્ય સંપ્રદાયનો પરંતુ જેનો આત્મા સમભાવભાવિત છે તે અવશ્ય મુક્ત થશે, તેમાં સહેજ પણ શંકા નથી. ૭૧ ઉપાધ્યાય યશોવિજયજી તથા મહાત્મા આનંદઘન જેવા સાધક પુરુષોએ સમ્યક્ દૃષ્ટિની ઉક્ત વ્યાખ્યાનું જ સમર્થન કર્યું છે. આત્માની દૃષ્ટિએ સભ્યશ્રુતની આ જ વ્યાખ્યા વિશેષરૂપે આરાધના તરફ લઈ જનારી છે. નંદિસૂત્રકારે એમ બતાવ્યું છે કે તીર્થંકરોએ ઉપદેશેલાં આચારાંગ વગેરે બાર અંગો પણ સમ્યક્ દૃષ્ટિસંપન્ન વ્યક્તિઓને માટે જ સમ્યશ્રુત રૂપ છે. જે સમ્યક્દષ્ટિહિત છે તેમને માટે તે મિથ્યાશ્રુતરૂપ છે. સાથે જ તેમણે એ પણ બતાવ્યું છે કે સાંગોપાંગ ચાર વેદ, કપિલ-દર્શન, મહાભારત, રામાયણ, વૈશેષિક શાસ્ત્ર, બુદ્ધ-વચન, વ્યાકરણશાસ્ત્ર, નાટક તથા સમસ્ત કળાઓ અર્થાત્ બોંતેર કળાઓ મિથ્યાર્દષ્ટિ માટે મિથ્યાશ્રુત અને સમ્યક્દષ્ટિ માટે સમ્યક્ શ્રુત છે અથવા સમ્યક્દષ્ટિની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ હોવાને કારણે આ બધું મિથ્યાદષ્ટિ માટે પણ સમ્યદ્ભુત છે. નંદિસૂત્રકારના આ કથનમાં એવું ક્યાંય કહેવામાં નથી આવ્યું કે અમુક શાસ્ત્ર પોતાની મેળે જ સમ્યક્ છે અથવા અમુક શાસ્ર પોતાની મેળે જ મિથ્યા છે. સમ્યક્દષ્ટિ અને મિથ્યાદષ્ટિની અપેક્ષાએ જ શાસ્ત્રોને સમ્યક્ કે મિથ્યા કહેવામાં આવેલ છે. આચાર્ય હરિભદ્રસૂરિએ પણ પ્રકારાંતરે આ જ વાતનું સમર્થન કર્યું છે. આચાર્ય હરિભદ્ર પછી લગભગ બસો વર્ષે થઈ જનાર શીલાંકાચાર્યે પોતાની આચારાંગ-વૃત્તિમાં જૈનાભિમત ક્રિયાકાંડની સમભાવપૂર્વક સાધના કરવાની સૂચના આપતાં લખ્યું છે કે ભલે કોઈ મુનિ બે વસ્ત્રધારી હોય, ત્રણ વસ્ત્રધારી હોય, એક વસ્ત્રધારી હોય અથવા એક પણ વસ્ત્ર ન રાખતો હોય અર્થાત્ અચેલક હોય પરંતુ જે એકબીજાની અવહેલના નથી કરતા તે બધા ભગવાનની આજ્ઞામાં વિચરે છે. સંહનન, ધૃતિ વગેરે કારણોસર જે જુદા જુદા કલ્પવાળા છે — જુદા જુદા આચારવાળા છે પરંતુ એકબીજાનું અપમાન નથી કરતા, ન તો પોતાને હીન માને છે તે બધા આત્માર્થીઓ જિન ભગવાનની આજ્ઞાનુસાર રાગદ્વેષાદિકની પરિણતિનો વિનાશ કરવા માટે યથાવિધિ પ્રયત્ન કરી રહ્યા છે. આ પ્રકારનો વિચાર કરવાનું અને એ જ રીતે પરસ્પર --- Page #106 -------------------------------------------------------------------------- ________________ અંગઆગમ સવિનય વ્યવહાર કરવાનું નામ જ સમ્યક્ત અથવા સમ્યક્તનું અભિજ્ઞાન છે. ૧ સર્વજ્ઞ તથા સર્વદર્શી પ્રણીત દ્વાદશાંગ ગણિપિટક ચતુર્દશ પૂર્વધરથી દશ પૂર્વધર સુધીનાઓ માટે સમ્યકુશ્રુતરૂપ છે. તેમની નીચેના કોઈ પણ અધિકારી માટે તે સમ્યકુશ્રુત હોઈ પણ શકે છે અને નહિ પણ. અધિકારી સમ્યક્દૃષ્ટિસંપન્ન હોય તો તેને માટે તે સમ્યફશ્રુત બને છે અને અધિકારી મિથ્યાદષ્ટિ હોય તો તે મિથ્યાશ્રુત બને છે. નંદિસૂત્રકારના કથન અનુસાર અજ્ઞાનીઓ અર્થાત્ મિથ્યાષ્ટિઓ દ્વારા પ્રણીત વેદ, મહાભારત, રામાયણ, કપિલવચન, બુદ્ધવચન વગેરે શાસ્ત્રો મિથ્યાદષ્ટિને માટે મિથ્યાશ્રુત અને સમ્યફષ્ટિને માટે સમ્યકશ્રુતરૂપ છે. આ શાસ્ત્રોમાં પણ કેટલાંય પ્રસંગો એવા આવે છે જે જાણવા-સમજવાથી ક્યારેક ક્યારેક મિથ્યાદષ્ટિ પણ પોતાનો દુરાગ્રહ છોડી સમ્યક્દષ્ટિ બની જાય છે. ૧. આ વિશેનો મૂળ પાઠ અને વૃત્તિ આ પ્રમાણે છે :મૂળ પાઠ : "जहेयं भगवया पवेइयं तमेव अभिसमिच्चा सव्वओ सव्वत्ताए सम्मत्तं (समत्तं) एव સમગન્નિા '' – આચારાંગ, અ.૬, ઉ. ૩, સૂ.૧૮૨. વૃત્તિ : "यथा-येन प्रकारेण 'इदम्' इति यदुक्तम्, वक्ष्यमाणं च-एतद् भगवता वीरवर्धमानस्वामिना प्रकर्षेण आदौ वा वेदितम्-प्रवेदितम्-इति ।...... उपकरणलाघवम् મારતીયવં વાપસમેત્ય-જ્ઞાત્વિા....... થમ્ ?....... સર્વતઃ કૃતિ દ્રવ્યત: ક્ષેત્રતઃ તિઃ માવતૐ ..... દ્રવ્યતઃ આદર-૩પવરાવી, ક્ષેત્ર: સર્વત્ર પ્રામાવિ, વાતતઃ મનિ રાત્રી વી दुर्भिक्षादौ वा सर्वात्मना..... भावतः कृत्रिमकल्काद्यभावेन । तथा सम्यक्त्वम्-इति प्रशस्तम् शोभनम् एकम् संगतं वा तत्त्वम्, सम्यक्त्वम्, तदेवंभूतं सम्यक्त्वमेव समत्वमेव वा समभिजानीयात्-सम्यग् आभिमुख्येन जानीयात्-परिच्छिन्द्यात् । तथाहि-अचेलः अपि एकचेलआदिकं नावमन्यते । यतः उक्तम् जो वि दुवत्थ-तिवत्थो एगेण अचेलगो व संथरइ । ण हु ते हीलंति परं सव्वेऽवि य ते जिणाणाए । जे खलु विसरिसकप्पा संघयणधिइयादिकारणं पप्प । णऽवमन्नाइ ण य हीणं अप्पाणं मन्नइ तेहिं ।। सव्वेऽवि जिणाणाए जहाविहिं कम्मखवणअट्ठाए । विहरंति उज्जया खलु सम्मं अभिजाणइ एवं ॥" –આચારાંગવૃત્તિ પૃ. ૨૨૨. Page #107 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રુત ૭૩ નંદિસૂત્રકારે સમ્યફશ્રુતસંબંધી ઉપર્યુક્ત કથનમાં વાંચનાર, સાંભળનાર અથવા સમજનારની વિવેકદૃષ્ટિ પર વિશેષ ભાર મૂક્યો છે. તાત્પર્ય એ છે કે જે સમ્યક્દષ્ટિસંપન્ન હોય છે તેના માટે પ્રત્યેક શાસ્ત્ર સમ્યફ હોય છે. તેનાથી વિપરીત દષ્ટિવાળાને માટે પ્રત્યેક શાસ્ત્ર મિથ્યા હોય છે. દૂધ સાપ પણ પીવે છે અને સજ્જન પણ, પરંતુ પોતપોતાના સ્વભાવ અનુસાર તેનું પરિણામ જુદું જુદું આવે છે. સાપના શરીરમાં તે દૂધ વિષ બને છે જયારે સજ્જનના શરીરમાં તે જ દૂધ અમૃત બને છે. આ જ વાત શાસ્ત્રો માટે પણ સાચી છે. સમ્યક્દષ્ટિનો અર્થ જૈન અને મિથ્યાષ્ટિનો અર્થ અજૈન નથી. જેના ચિત્તમાં શમ, સંવેગ, નિર્વેદ, કરુણા તથા આસ્તિક્ય – આ પાંચ વૃત્તિઓનો પ્રાદુર્ભાવ થયો હોય અને આચરણ પણ તદનુસાર હોય તે સમ્યક્દષ્ટિ છે. જેના ચિત્તમાં આમાંથી એક પણ વૃત્તિનો પ્રાદુર્ભાવ ન થયો હોય તે મિથ્યાષ્ટિ છે. આ વાત પારમાર્થિક દૃષ્ટિએ જૈન પ્રવચન-સંમત છે. સાદિક, અનાદિક, સપર્યવસિત અને અપર્યવસિત શ્રુતઃ આચાર્ય દેવવાચકે નંદિસૂત્રમાં બતાવ્યું છે કે શ્રુત આદિસહિત પણ છે અને આદિરહિત પણ. એ જ રીતે શ્રત અંતયુક્ત પણ છે અને અંતરહિત પણ. સાદિક અર્થાત્ આદિયુક્ત શ્રુત તે છે જેનો પ્રારંભ અમુક સમયે થયો હોય. અનાદિક અર્થાત્ આદિરહિત શ્રુત તે છે જેનો પ્રારંભ કરનાર કોઈ જ ન હોય અર્થાત્ જે હંમેશાથી ચાલ્યું આવ્યું હોય. સપર્યવસિત અર્થાત્ સાંતશ્રુત તે છે જેનો અમુક સમયે અંત અર્થાત વિનાશ થાય છે. અપર્યવસિત અર્થાત્ અનંતશ્રુત તે છે જેનો ક્યારેય અંત – વિનાશ નથી થતો. ભારતમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર વેદ અને અવેસ્તા છે. વેદોના વિષયમાં મીમાંસકોનો મત એવો છે કે તે કોઈએ બનાવ્યા નથી પરંતુ તે અનાદિકાળથી એ જ રીતે ચાલ્યા આવી રહ્યા છે. આથી તે સ્વત:પ્રમાણભૂત છે અર્થાતુ તેમની સચ્ચાઈ કોઈ વ્યક્તિવિશેષના ગુણો પર આધારિત નથી. અમુક પુરુષે વેદ બનાવ્યા છે તથા તે પુરુષ વીતરાગ છે, સર્વજ્ઞ છે, અનંત જ્ઞાની છે અથવા ગુણોના સાગર છે એટલા માટે વેદ પ્રમાણભૂત છે એવી વાત નથી. વેદ અપૌરુષેય છે અર્થાત્ કોઈ પુરુષવિશેષ દ્વારા પ્રણીત નથી. એ જ રીતે અમુક કાળે તેમની ઉત્પત્તિ થઈ છે એવી વાત પણ નથી. એટલા માટે તે અનાદિ છે. અનાદિ હોવાને કારણે તે પ્રમાણભૂત છે. વેદોની રચનામાં અનેક પ્રકારના શબ્દો પ્રયુક્ત થયા છે. જે રીતે તેમાં આર્ય શબ્દો છે તે જ રીતે અનાર્ય શબ્દો પણ છે. જે આ બંને પ્રકારના શબ્દોનો અર્થ બરાબર જાણે અને સમજે છે તે જ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૭૪ અંગઆગમ વેદોનો અર્થ બરાબર સમજી શકે છે. વેદો તો આપણી પાસે પરંપરાથી ચાલ્યા આવે છે, પરંતુ તેમાં જે અનાર્ય શબ્દો પ્રયુક્ત થયા છે તેમની વિશેષ જાણકારી આપણને નથી. આવી સ્થિતિમાં તેમનો સમગ્ર અર્થ કેવી રીતે સમજી શકાય? આ જ કારણ છે કે આજ સુધી કોઈ ભારતીય સંશોધક સર્વથા તટસ્થ રહીને તત્કાલીન સમાજ અને ભાષાને દૃષ્ટિમાં રાખીને વેદોનું નિષ્પક્ષ વિવેચન કરી શકેલ નથી. જો કે પ્રાચીન સમયમાં ઉપલબ્ધ સાધનો, પરંપરા, ગંભીર અધ્યયન વગેરેનું અવલંબન લઈને મહર્ષિ યાસ્ક વેદોના અનેક શબ્દોનું નિવર્ચન કરવાનો ઉત્તમ પ્રયાસ કર્યો છે પરંતુ તેમનો એ પ્રયત્ન વર્તમાનકાળે વેદોને તત્કાલીન વાતાવરણની દૃષ્ટિએ સમજવામાં પૂર્ણ રૂપે સહાયક થતો જણાતો નથી. તેમણે નિરુક્ત બનાવ્યું છે પરંતુ તે વેદોના સમસ્ત પરિચિત અથવા અપરિચિત શબ્દો સુધી પહોંચી શક્યું નથી. યાસ્કના સમયના વાતાવરણ તથા પુરોહિતોની સાંપ્રદાયિક મનોવૃત્તિ જોતાં એવું પ્રતીત થાય છે કે કદાચ યાસ્કની આ પ્રવૃત્તિનો વિરોધ પણ થયો હશે. પુરોહિતવર્ગની એવી માન્યતા હતી કે વેદ અલૌકિક છે – અપૌરુષેય છે. આથી તેમાં પ્રયુક્ત શબ્દોનો અર્થ અથવા નિર્વચન લૌકિક રીતિએ લૌકિક શબ્દો દ્વારા મનુષ્ય કેવી રીતે કરી શકે? એ પ્રકારની વેદરક્ષકોની મનોવૃત્તિ હોવાને કારણે પણ સંભવ છે કે યાસ્ક આ કાર્ય સંપૂર્ણપણે ન કરી શક્યા હોય. આ નિરુક્ત ઉપરાંત વેદોના શબ્દોને તત્કાલીન અર્થસંદર્ભમાં સમજવાનું કોઈ પણ સાધન ન પહેલાં હતું, ન હાલ છે. સાયણ નામના વિદ્વાને વેદો પર જે ભાષ્ય લખ્યું છે તે વૈદિક શબ્દોને તત્કાલીન વાતાવરણ તથા સંદર્ભની દૃષ્ટિએ સમજાવવા માટે અસમર્થ છે. તેઓ અવચીન ભાષ્યકાર છે. તેમણે પોતાની અર્વાચીન પરંપરા અનુસાર વેદોની રુચાઓનો મુખ્યત્વે યજ્ઞપરક અર્થ કર્યો છે. આ અર્થ ઐતિહાસિક તથા પ્રાચીન વેદકાલીન સમાજની દષ્ટિએ ઠીક છે કે નહિ, તેનો વર્તમાન સંશોધકોને વિશ્વાસ બેસતો નથી. આથી એમ કહી શકાય કે આજ સુધી વેદોનો યથાયોગ્ય અર્થ આપણી સામે આવી શક્યો નથી. સ્વામી દયાનંદે વેદો પર એક નવું ભાષ્ય લખ્યું છે, પરંતુ તે પણ વેદકાલીન પ્રાચીન વાતાવરણ તથા સામાજિક સ્થિતિને પૂર્ણપણે સમજાવવામાં અસમર્થ જ છે. | વેદાભ્યાસી સ્વ. લોકમાન્ય તિલકે પોતાના “ઓરાયન' નામક પુસ્તકમાં લખ્યું છે કે અવેસ્તાની કેટલીક કથાઓ વેદોને સમજવામાં સહાયક બને છે. કેટલાક સંશોધક વિદ્વાનો વેદોને બરાબર સમજવા માટે અંદ, અવેસ્તા-ગાથા તથા વેદકાલીન અન્ય સાહિત્યના અભ્યાસપૂર્ણ મનન, ચિંતન વગેરે પર ભાર દે છે. દુર્ભાગ્યવશ કેટલાક ધર્માધ રાજાઓએ છંદ, અવેસ્તા-ગાથા વગેરે સાહિત્યનો જ નાશ કરી નાખ્યો છે. વર્તમાન સમયમાં જે કંઈ પણ થોડુંઘણું સાહિત્ય ઉપલબ્ધ છે તેને ખરેખરા અર્થમાં Page #109 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્વેત સમજવાની પરંપરા અવેસ્તા-ગાથાને પ્રમાણરૂપ માનનારા પારસી અધ્વર્યુ પાસે પણ નથી અને તે શાસ્ત્રના પ્રકાંડ પંડિતો ય વિદ્યમાન નથી. આવી સ્થિતિમાં વેદોના અધ્યયનમાં રત કોઈ પણ સંશોધક વિદ્વાનને નિરાશા થવી સ્વાભાવિક જ છે. પ્રાચીન કાળમાં શાસ્ત્રના પ્રામાણ્યને માટે અપૌરુષેયતા અને અલૌકિકતા આવશ્યક માનવામાં આવતી. જે શાસ્ત્ર નવું બનતું કે કોઈ પુરુષે તેને અમુક કાળે બનાવ્યું હોય તેની પ્રતિષ્ઠા અલૌકિક તથા અપૌરુષેય શાસ્રની અપેક્ષાએ ઓછી રહેતી. સંભવતઃ એટલા માટે વેદોને અલૌકિક તથા અપૌરુષેય માનવાની પ્રથા ચાલુ થઈ હોય. જ્યારે ચિંતન વધવા લાગ્યું, તર્કશક્તિનો પ્રયોગ વધુ થવા લાગ્યો અને હિંસા, મદ્યપાન વગેરેથી જનતાની બરબાદી વધવા લાગી ત્યારે વૈદિક અનુષ્ઠાનો તથા વેદોના પ્રામાણ્ય પર ભારે પ્રહાર થવા લાગ્યા. એટલે સુધી કે ઉપનિષદના ચિંતકો અને સાંખ્યદર્શનના પ્રણેતા કપિલમુનિએ એનો ભારે વિરોધ કર્યો તથા વેદોક્ત હિંસક અનુષ્ઠાનોનું અગ્રાહ્યત્વ સિદ્ધ કર્યું. તેને પ્રકાશનો માર્ગ ન કહેતાં ધુમાડાનો માર્ગ કહ્યો. ગીતામાં ભગવાન કૃષ્ણે ‘યામિમાં પુષ્પિતાં વાત્ત પ્રવતત્ત્વવિપિશ્ચિત:'થી શરૂ કરી ‘Àમુખ્યવિષયા વેવા નિÅમુખ્યો ભવાઽર્જુન !’૧ સુધીના વચનોમાં આ વાતનું સમર્થન કર્યું. દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાનમય અને તપોમય યજ્ઞનો મહિમા બતાવ્યો તથા સમાજને આત્મશોધક યજ્ઞોની તરફ વાળવાનો ભરપૂર પ્રયત્ન કર્યો. અનાસક્ત કર્મ કરતા રહેવાની અત્યુત્તમ પ્રેરણા આપીને ભારતીય ત્યાગી વર્ગને અપૂર્વ ઉપદેશ આપ્યો. જૈન તથા બૌદ્ધ ચિંતકોએ તપ, શમ, દમ ઇત્યાદિની સાધના કરીને હિંસા-વિધાયક વેદોના પ્રામાણ્યનો જ વિરોધ કર્યો તથા તેમની અપૌરુષેયતા અને નિત્યતાનું ઉન્મૂલન કરી તેમના પ્રામાણ્યને સંદેહયુક્ત બનાવી દીધું. ૭૫ - પ્રામાણ્યની વિચારધારામાં ક્રાંતિના બીજ રોપનારા જૈન તથા બૌદ્ધ ચિંતકોએ કહ્યું કે શાસ્ત્ર, વચન અથવા જ્ઞાન સ્વતંત્ર નથી – સ્વયંભૂ નથી પરંતુ વક્તાની વચનરૂપ અથવા વિચારણારૂપ ક્રિયા સાથે સંબદ્ધ છે. લેખક અથવા વક્તા જો નિસ્પૃહ હોય, કરુણાપૂર્ણ હોય, શમદમયુક્ત હોય, સમસ્ત પ્રાણીઓને આત્મવત્ સમજનાર હોય, જિતેન્દ્રિય હોય, લોકોના આધ્યાત્મિક ક્લેશો દૂર કરવામાં સમર્થ હોય, અસાધારણ પ્રતિભાસંપન્ન વિચારધારાવાળો હોય તો તત્પ્રણીત શાસ્ત્ર અથવા વચનો પણ સર્વજનહિતકર હોય છે. તે ઉપર્યુક્ત ગુણોથી વિપરીત ગુણયુક્ત હોય તો તત્ક્ષણીત શાસ્ત્રો અથવા વચનો સર્વજનહિતકર નથી હોતાં. આથી શાસ્ત્રો, વચનો અથવા જ્ઞાનનું પ્રામાણ્ય તેના આધારભૂત પુરુષ પર અવલંબે છે. જે શાસ્ત્રો અથવા વચનોને અનાદિ માનવામાં આવે છે, નિત્ય માનવામાં આવે છે અથવા અપૌરુષેય માનવામાં ૧. અધ્યાય ૨, શ્લોક ૪૨-૪૪. Page #110 -------------------------------------------------------------------------- ________________ અંગઆગમ આવે છે તેમની પણ ઉપર્યુક્ત રીતે પરીક્ષા કર્યા વિના તેમના પ્રામાણ્યના વિષયમાં કંઈ કહી શકાય નહિ. ૭૬ જૈનોએ પણ સ્વીકાર કર્યો કે શાસ્ત્રો, વચનો અથવા જ્ઞાન અનાદિ, નિત્ય અથવા અપૌરુષેય જરૂર હોઈ શકે છે પરંતુ તે પ્રવાહ-પરંપરાની અપેક્ષાએ, નહિ કે કોઈ વિશેષ શાસ્ત્ર, વચન અથવા જ્ઞાનની અપેક્ષાએ. પ્રવાહની અપેક્ષાએ જ્ઞાન, વચન અથવા શાસ્ર ભલે અનાદિ, અપૌરુષેય અથવા નિત્ય હોય પરંતુ તેનું પ્રામાણ્ય માત્ર અનાદિપણા ઉપર નિર્ભર નથી. જે શાસ્ત્રવિશેષનો જે વ્યક્તિવિશેષ સાથે સંબંધ હોય તે વ્યક્તિની પરીક્ષાના આધારે જ તે શાસ્ત્રનું પ્રામાણ્ય નિર્ભર છે. જૈનોએ પોતાના દેશમાં અવશ્ય આ રીતે એક નવો વિચાર શરૂ કર્યો છે, એમ કહેવામાં અતિશયોક્તિ નહિ થાય. ગીતોપદેશક ભગવાન કૃષ્ણે તથા સાંખ્યદર્શનના પ્રવર્તક ક્રાન્તિકારી કપિલમુનિએ વેદોના હિંસામય અનુષ્ઠાનોને હાનિકારક બતાવીને લોકોને વેદવિમુખ થવા માટે પ્રેર્યા. જે યુગમાં વેદોની પ્રતિષ્ઠા દૃઢમૂલ હતી અને સમાજ તેમના પ્રત્યે એટલો અધિક આસક્ત હતો કે તેમનાથી જરા પણ અલગ થવા ઈચ્છતો ન હતો તે યુગમાં પરમાત્મા કૃષ્ણ અને આત્માર્થી કપિલમુનિએ વેદોની પ્રતિષ્ઠા પર સીધો આઘાત કરવાને બદલે અનાસક્ત કર્મ કરવાની પ્રેરણા આપીને સ્વર્ગકામનામૂલક યજ્ઞો પર કુઠારાઘાત કર્યો અને ધર્મના નામે ચાલતા હિંસામય તથા મદ્યપ્રધાન યજ્ઞાદિક કર્મકાંડોના માર્ગને ધૂમમાર્ગ કહ્યો. એટલું જ નહિ, ઉપનિષદકારોએ તો યજ્ઞ કરાવનારા ઋત્વિજોને ડાકુઓ અને લૂંટારાઓની ઉપમા આપી તથા લોકોને તેમનો વિશ્વાસ ન કરવાની સલાહ આપી. છતાં પણ તેમનામાંથી કોઈએ વેદોના નિરપેક્ષ–સર્વથા અપ્રામાણ્યની ઘોષણા કરી હોય એવું કોઈ પ્રમાણ મળતું નથી. ધીરે ધીરે જ્યારે વૈદિક પુરોહિતોનું જોર ઓછું થવા લાગ્યું, ક્ષત્રિયોમાં પણ ક્રાંતિકા૨ી પુરુષો પેદા થવા લાગ્યા, ગુરુપદ પર ક્ષત્રિયો આવવા લાગ્યા અને સમાજની શ્રદ્ધા વેદોમાંથી ઘટવા લાગી ત્યારે જૈનો અને બૌદ્ધોએ ભારે જોખમ ઉઠાવીને પણ વેદોના અપ્રામાણ્યની ઘોષણા કરી.૧ વેદોના અપ્રામાણ્યની ઘોષણા કરવાની સાથે જ જૈનોએ ગ્રંથપ્રણેતાઓની પરિસ્થિતિ, જીવનદૃષ્ટિ તથા અંતવૃત્તિને પ્રામાણ્યના હેતુ માનવાની અર્થાત્ વક્તા કે જ્ઞાતાના આંતરિક ગુણદોષોના આધારે તેનાં વચન કે જ્ઞાનના પ્રામાણ્યઅપ્રામાણ્યનો નિશ્ચય કરવાની નવી પ્રણાલી શરૂ કરી. આ પ્રણાલી સ્વતઃ પ્રામાણ્ય ૧. જુઓ—મહાવીરવાણીની પ્રસ્તાવના. Page #111 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્રુત માનનારાઓની પ્રાચીન ચાલી આવનારી પરંપરા માટે સર્વથા નવી હતી. આમાં શ્રુતના વિષયમાં જે અનાદિત કે નિત્યત્વની કલ્પના કરવામાં આવી છે તે સ્વતઃપ્રામાણ્ય માનનારાઓની પ્રાચીન પરંપરાને લક્ષ્યમાં રાખીને કરવામાં આવી છે. સાથે જ શ્રતનું જે આદિત્ય, અનિત્યત્વ અથવા પૌરુષેયત્વ સ્વીકારવામાં આવ્યું છે તે લોકોની પરીક્ષણશક્તિ, વિવેકશક્તિ તથા સંશોધનશક્તિને જાગ્રત કરવાની દૃષ્ટિથી જ, જેથી કોઈ આત્માર્થી “તાતણે પોડમિતિ કૂવાપ:' એમ કહીને પિતાના કૂવામાં પડે નહિ પરંતુ સાવધાન બની આગળ પગલાં ભરે. અનેકાંતવાદ, વિભજ્યવાદ અથવા સ્યાદ્વાદની સમન્વય-દષ્ટિ અનુસાર જૈનો ચાલી શકવા યોગ્ય પ્રાચીન વિચારધારાને ઠેસ પહોંચાડવા ઇચ્છતા ન હતા. તેઓ એ પણ ઇચ્છતા ન હતા કે પ્રાચીન વિચારસરણીના નામે વહેમ, અજ્ઞાન અથવા જડતાનું પોષણ થાય. એટલા માટે તેઓ પહેલાંથી જ પ્રાચીન વિચારધારાને સુરક્ષિત રાખવા સાથે ક્રાંતિના નવા વિચારો પ્રસ્તુત કરવામાં લાગ્યા. આ જ કારણ છે કે તેમણે અપેક્ષાભેદે શ્રુતને નિત્ય અને અનિત્ય બંને રૂપે માનેલ છે. શ્રુત સાદિ અર્થાત આદિયુક્ત છે, તેનું તાત્પર્ય એવું છે કે શાસ્ત્રમાં નિત્ય નવીનવી શોધોનો સમાવેશ થતો જ રહે છે. શ્રુત અનાદિ અર્થાત્ આદિરહિત છે, તેનું તાત્પર્ય એવું છે કે નવી નવી શોધોનો પ્રવાહ નિરંતર ચાલતો જ રહે છે. આ પ્રવાહ ક્યારે અને ક્યાંથી શરૂ થયો તે વિષયમાં કોઈ નિશ્ચિત કલ્પના કરી શકાતી નથી. એટલા માટે તેને અનાદિ અથવા નિત્ય કહેવું જ ઉચિત છે. આ નિત્યનો એવો અર્થ નથી કે હવે એમાં કોઈ નવી શોધ થઈ જ ન શકે. એટલા માટે શાસ્ત્રકારોએ શ્રતને નિત્ય અથવા અનાદિની સાથે સાથે જ અનિત્ય અથવા સાદિ પણ કહ્યું છે. એ રીતે ગહનતાપૂર્વક વિચાર કરવાથી જણાઈ આવશે કે કોઈ પણ શાસ્ત્ર કોઈ પણ સમયે અક્ષરશઃ જેવું ને તેવું રહેતું નથી. તેમાં પરિવર્તનો થતાં જ રહે છે. નવાં નવાં સંશોધનો સામે આવતાં જ રહે છે. તે નિત્ય નવું નવું બનતું રહે છે. એ કહેવાઈ ચૂક્યું છે કે આપણા દેશનાં પ્રાચીનતમ શાસ્ત્રો વેદો અને અવેસ્તા છે. તેની પછી બ્રાહ્મણો, આરણ્યકો, ઉપનિષદો અને જૈન તથા બૌદ્ધ પિટકો છે. તેમની પછી છે દર્શનશાસ્ત્રો. તેમાં સંશોધનનો પ્રવાહ સતત ચાલ્યો આવે છે. અવેસ્તા અથવા વેદ તથા બ્રાહ્મણોના સમયમાં જે અનુષ્ઠાન-પરંપરા સ્વર્ગપ્રાપ્તિનું સાધન ગણાતી હતી તે ઉપનિષદ વગેરેના સમયમાં પરિવર્તિત થવા લાગી અને ધીરે ધીરે નિંદનીય ગણાવા લાગી. ઉપનિષદોના વિચારકો કહેવા લાગ્યા કે આ યજ્ઞો તૂટેલી નૌકા જેવા છે. જે લોકો Page #112 -------------------------------------------------------------------------- ________________ ૭૮ અંગઆગમ આ યજ્ઞો પર વિશ્વાસ રાખે છે તેઓ વારંવાર જન્મ-મરણ પ્રાપ્ત કરતા રહે છે. આ યજ્ઞો ઉપર વિશ્વાસ રખાવનારા તથા રાખનારા લોકોની સ્થિતિ આંધળાની આગેવાની નીચે ચાલનારા આંધળાઓ જેવી હોય છે. તેઓ અવિદ્યામાં ડૂબેલા રહે છે, પોતાની જાતને પંડિત સમજે છે અને જન્મ-મરણના ચક્કરમાં ઘૂમતા રહે છે. આ વિચારકો આટલું જ કહીને ચૂપ ન રહ્યા. તેઓએ ત્યાં સુધી કહ્યું કે જે રીતે નિષાદ કે લુંટારાઓ ધનવાનોને જંગલમાં લઈ જઈને પકડીને ખાડામાં ફેંકી દે છે અને તેમનું ધન લૂંટી લે છે તે જ રીતે ઋત્વિજો કે પુરોહિતો યજમાનોને ખાડામાં ખેંચીને (યજ્ઞાદિ દ્વારા) તેમનું ધન લૂંટી લે છે. આ ઉલ્લેખોથી સ્પષ્ટ થાય છે કે શાસ્ત્રોનો વિકાસ નિરંતર થતો આવ્યો છે. જે પદ્ધતિઓ પુરાણી થઈ ગઈ અને નવા યુગના નવા સંશોધનોને અનુકૂળ ન રહી તે નાશ પામતી ગઈ તથા તેમને બદલે નવયુગાનુકૂળ નવીન પદ્ધતિઓ કે નવા વિચારો આવતા ગયા. જૈન પરંપરામાં પણ એ પ્રસિદ્ધ છે કે અહિત પાર્શ્વના સમયમાં સવસ્ત્ર શ્રમણોની પરંપરા હતી અને ચાતુર્યામ ધર્મ હતો. ભગવાન મહાવીરના સમયમાં નવું સંશોધન થયું અને અવસ્ત્ર શ્રમણોની પરંપરાને પણ સ્થાન મળ્યું. સાથોસાથ ચારને બદલે પાંચ યામ–પંચયામની પ્રથા શરૂ થઈ. આ રીતે શ્રત અર્થાતુ શાસ્ત્ર પરિવર્તનની અપેક્ષાએ સાદિ પણ છે તથા પ્રવાહની અપેક્ષાએ અનાદિ પણ છે. એ રીતે જેમ અમુક દૃષ્ટિએ વેદો નિત્ય છે, અવિનાશી છે, અનાદિ છે, અનંત છે, અપૌરુષેય છે તેવી જ રીતે જૈન શાસ્ત્રો પણ અમુક અપેક્ષાએ નિત્ય છે, અનાદિ છે, અનંત છે તેમ જ અપૌરુષેય છે. બૌદ્ધોએ તો પોતાના પિટકોની આદિ-અનાદિની કોઈ ચર્ચા જ નથી કરી. ભગવાન બુદ્ધ લોકોને સ્પષ્ટ કહ્યું કે જો તમને એમ જણાય કે આ શાસ્ત્રોથી અમારું હિત થાય છે તો તેમને માનવા, નહિ તો તેમનો આગ્રહ ન રાખવો. ૧. Hવા હેતે મઢી યજ્ઞ.....ઉતફૅયો વેડમિતિ મૂઠી નામૃત્યું તે પુનરેવાખ યાતિ - મુંડકોપનિષદ્ ૧.૨.૭. ૨. વિદ્યાયામન્તરે વર્તમાન સ્વયં ધીમી: પfuત મચના: ! दन्द्रम्यमाणाः परियन्ति मूढा अन्धेनैव नीयमाना यथाऽन्धाः ॥ - કઠોપનિષદ્ ૧.૨.૫. 3. यथाह वा इदं निषादा वा सेलगा वा पापकृतो वा वित्तवन्तं पुरुषमरण्ये गृहित्वा कर्तमन्वन्य वित्तमादाय द्रवन्ति, एवमेव ते ऋत्विजो यजमानं कर्तमन्वस्य वित्तमादाय द्रवन्ति यमेवंविदो યાનથન્તિા - એતરેય બ્રાહ્મણ, ૮.૧૧. Page #113 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્વેત ગમિક-અગમિક, અંગપ્રવિષ્ટ-અનંગપ્રવિષ્ટ અને કાલિક-ઉત્કાલિક શ્રુત ઃ શ્રુતની શૈલીની દૃષ્ટિએ ગમિક અને અગમિક સૂત્રોમાં વિશેષતા છે. શ્રુતના રચિયતાના ભેદથી અંગપ્રવિષ્ટ અને અનંગપ્રવિષ્ટ ભેદ પ્રતિષ્ઠિત છે. શ્રુતના સ્વાધ્યાયકાળની અપેક્ષાએ કાલિક અને ઉત્કાલિક સૂત્રોમાં અંતર છે. ગમિક શ્રુતનું સ્વરૂપ સમજાવતાં સૂત્રકાર કહે છે કે દૃષ્ટિવાદ નામક શાસ્ત્ર ગમિક શ્રુતરૂપ છે અને સમસ્ત કાલિક શ્રુત અગમિક શ્રુતરૂપ છે. ગમિક અર્થાત્ ‘ગમ’યુક્ત. સૂત્રકારે ‘ગમ’નું સ્વરૂપ બતાવ્યું નથી. ચૂર્ણિકાર તથા વૃત્તિકાર ‘ગમ’નું સ્વરૂપ બતાવતાં કહે છે :-‘રૂદ આફ્રિ-મધ્ય-અવસાનેપુ હ્રિવિત્ विशेषतः भूयोभूयः तस्यैव सूत्रस्य उच्चारणं गमः । तत्र आदौ 'सुयं मे आउसं तेणं भगवया एवमक्खायं ।' 'इह खलु' (बावीसं परीसहा समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइया) इत्यादि । एवं मध्य अवसानयोः अपि यथासंभवं द्रष्टव्यम् । गमा अस्य विद्यन्ते इति મિમ્'' (નંદિવૃત્તી, પૃ. ૨૦૩, સૂ. ૪૪) ૭૯ ‘ગમ’નો અર્થ છે પ્રારંભમાં, મધ્યમાં અને અંતમાં કંઈક પરિવર્તન સાથે ફરી ફરી તે જ સૂત્રનું ઉચ્ચારણ. જે શ્રુતમાં ‘ગમ’ હોય અર્થાત્ આ પ્રકારના સદેશ—સમાન પાઠ હોય તે ગમિકશ્રુત છે. વિશેષાવશ્યકભાષ્યમાં ‘ગમ’ શબ્દના બે અર્થ કરવામાં આવ્યા છે ઃ भंगं-गणियाइं गमियं जं सरिसगमं च कारणवसेण । गाहाइ अगमियं खलु कालियसुयं दिट्टिवाए वा ॥ ५४९|| આ ગાથાની વૃત્તિમાં બતાવવામાં આવ્યું છે કે વિવિધ પ્રકારના ભંગો—વિકલ્પોનું નામ ‘ગમ’ છે. અથવા ગણિત—વિશેષ પ્રકારની ગણિતની ચર્ચાનું નામ ‘ગમ’ છે. આ પ્રકારના ‘ગમ’ જે સૂત્રમાં હોય તે ગમિકશ્રુત કહેવાય છે અથવા સમાન પાઠોને ‘ગમ’ કહે છે. જે સૂત્રમાં કારણવશ સમાન પાઠ આવતા હોય તે ગમિક કહેવાય છે. સમવાયાંગની વૃત્તિમાં અર્થપરિચ્છેદોને ‘ગમ’ કહેવામાં આવેલ છે. નંદિસૂત્રની વૃત્તિમાં પણ ‘ગમ’નો અર્થ અર્થપરિચ્છેદ જ દર્શાવ્યો છે. શ્રુત અર્થાત્ સૂત્રના પ્રત્યેક વાક્યમાંથી મેધાવી શિષ્ય જે વિશિષ્ટ અર્થ પ્રાપ્ત કરે છે તેને અર્થપરિચ્છેદ કહે છે. આ રીતે જે શ્રુતમાં ‘ગમ’ આવતા હોય તેનું નામ ગમિક શ્રુત છે. १. गमाः सदृशपाठाः ते च कारणवशेन यत्र बहवो भवन्ति तद् गमिकम् । Page #114 -------------------------------------------------------------------------- ________________ ૮૦ અંગઆગમ ઉદાહરણસ્વરૂપે વર્તમાન આચારાંગ વગેરે એકાદશાંગરૂપ કાલિક સૂત્રઅગમિક શ્રુતાંતર્ગત છે જ્યારે બારમું અંગ દૃષ્ટિવાદ (લુપ્ત) ગમિક શ્રુત છે. સમગ્ર શ્રત એક સમાન છે, સમાન વિષયોની ચર્ચા કરનારું છે અને તેના પ્રણેતા આત્માર્થી ત્યાગી મુનિઓ છે. એમ હોવા છતાં પણ અમુક સૂત્ર અંગરૂપ છે અને અમુક અંગબાહ્ય એમ કેમ? “અંગ' શબ્દનો અર્થ છે મુખ્ય અને “અંગબાહ્ય”નો અર્થ છે ગૌણ. જે રીતે વેદરૂપ પુરુષના છંદ, જ્યોતિષ વગેરે છ અંગોની કલ્પના અતિ પ્રાચીન છે તે જ રીતે શ્રુત અર્થાત ગણિપિટકરૂપ પુરુષના દ્વાદશાંગોની કલ્પના પણ પ્રાચીન છે. પુરુષના બાર અંગો કયા કયા છે તેનો નિર્દેશ કરતાં કહેવામાં આવ્યું છે - पायदुगं जंघा उरू गायदुगद्धं तु दो य बाहू य । गीवा सिरं च पुरिसो बारसअंगो सुयविसिट्ठो । - નંદિવૃત્તી, પૃ. ૨૦૨. આ ગાથાનું સ્પષ્ટીકરણ કરતાં વૃત્તિકાર લખે છે :- ૬ પુરુષાર્થ કાશ કૃમિ भवन्ति तद्यथा-द्वौ पादो, द्वे जङ्के, द्वे उरुणी, द्वे गात्रार्धे, द्वौ बाहू, ग्रीवा, शिरश्च, एवं श्रुतरूपस्य अपि परमपुरुषस्य आचारादीनि द्वादशअङ्गानि क्रमेण वेदितव्यानि..... श्रुतपुरुषस्य अंगेषु प्रविष्टम्-अंगभावेन व्यवस्थितमित्यर्थः । यत् पुनरेतस्यैव द्वादशाङ्गात्मकस्य श्रुतपुरुषस्य व्यतिरेकेण स्थितम्-अंगबाह्यत्वेन व्यवस्थितं तद् अनङ्गप्रविष्टम् ।' આ રીતે વૃત્તિકારના કથનાનુસાર શ્રુતરૂપ પરમપુરુષના આચારાદિ બાર અંગોને નીચે પ્રમાણે સમજી શકાય છે : આચાર અને સૂત્રકૃત શ્રુતપુરુષના બે પગ છે, સ્થાન અને સમવાય બે જાંઘ છે, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અને જ્ઞાતાધર્મકથા બે ઘૂંટણ છે, ઉપાસક અને અંતકૃત બે ગાત્રાઈ છે (શરીરનો ઉપરનો અને નીચેનો ભાગ અથવા આગળનો (પેટ વગેરે) અને પાછળનો (પીઠ વગેરે) ભાગ ગાત્રાર્ધ કહેવાય છે), અનુત્તરોપપાતિક અને પ્રશ્નવ્યાકરણ બે બાહુઓ છે, વિપાકસૂત્ર ગ્રીવા–ગર્દન છે તથા દૃષ્ટિવાદ મસ્તક છે. તાત્પર્ય એ છે કે આચારાદિ બાર અંગો જૈનશ્રુતમાં પ્રધાન છે, વિશેષ પ્રતિષ્ઠિત છે અને વિશેષ પ્રામાણ્યયુક્ત છે તથા મૂળ ઉપદેષ્ટાના આશયની વધુ નજીક છે જયારે જે દિવસ અને રાત્રિના પ્રથમ તથા અંતિમ પ્રહર રૂપ કાળમાં વાંચવામાં આવે છે તે કાલિક કહેવાય છે. तच्च प्रायः आचारादि कालिकश्रुतम्, असदृशपाठात्मकत्वात् । - મલયગિરિકૃત નંદિવૃત્તિ Page #115 -------------------------------------------------------------------------- ________________ જૈન શ્વેત અનંગ અર્થાત્ અંગબાહ્ય સૂત્રો અંગોની અપેક્ષાએ ગૌણ છે, ઓછી પ્રતિષ્ઠાવાળા છે તથા અલ્પપ્રામાણ્યયુક્ત છે અને સૂત્ર ઉપદેષ્ટાના મુખ્ય આશયની ઓછા નજીક છે. વિશેષાવશ્યકભાષ્યકાર જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ અંગ-અનંગની વિશેષતા દર્શાવતાં કહે છે : - गणहर-थेरकयं वा आएसा मुक्कवागरणओ वा । ध्रुव - चलविसेसओ वा अंगाणंगेसु नाणत्तं ॥ ५५०॥ અંગશ્રુતનો સીધો સંબંધ ગણધરો સાથે છે જ્યારે અનંગ—અંગબાહ્ય શ્રુતનો સીધો સંબંધ સ્થવિરો સાથે છે. અથવા ગણધરોના પૂછવાથી તીર્થંકરોએ જે બતાવ્યું તે અંગશ્રુત છે અને વગર પૂછ્યું પોતાની મેળે બતાવેલું શ્રુત અંગબાહ્ય છે. અથવા જે શ્રુત સદા એકરૂપ છે તે અંગશ્રુત છે તથા જે શ્રુત પરિવર્તિત અર્થાત્ ન્યૂનાધિક થતું રહે છે તે અંગબાહ્ય શ્રુત છે. આ રીતે સ્વયં ભાષ્યકારે પણ અંગબાહ્યની અપેક્ષાએ અંગશ્રુતની પ્રતિષ્ઠા કંઈક વધુ દર્શાવી છે. ૮૧ એમ લાગે છે કે જે કાળે શ્રમણસંઘમાં કયા શાસ્રને વિશેષ મહત્ત્વ આપવું અને કયા શાસ્રને વિશેષ મહત્ત્વ ન આપવું એવો પ્રશ્ન ઊભો થયો ત્યારે તેના સમાધાન માટે સમન્વયપ્રિય આગમિક ભાષ્યકારે એકી સાથે ઉપર્યુક્ત ત્રણ વિશેષતાઓ બતાવીને સમસ્ત શાસ્ત્રોની અને તે શાસ્ત્રોને માનનારાઓની પ્રતિષ્ઠાનું રક્ષણ કર્યું. આમ થવા છતાં પણ અંગ અને અંગબાહ્યનો ભેદ તો ટકી જ રહ્યો અને અંગબાહ્ય સૂત્રોની અપેક્ષાએ અંગોની પ્રતિષ્ઠા પણ વધુ જ રહી. વર્તમાનકાળે જે અંગ અને ઉપાંગરૂપ ભેદ પ્રચલિત છે તે અતિપ્રાચીન નથી. જો કે ‘ઉપાંગ’ શબ્દ ચૂર્ણિઓ અને તત્ત્વાર્થભાષ્ય જેટલો પ્રાચીન છે તો પણ અમુક અંગનું અમુક ઉપાંગ છે, તેવો ભેદ એટલો પ્રાચીન જણાતો નથી. જો અંગોપાંગરૂપ ભેદ વિશેષ પ્રાચીન હોત તો નંદિસૂત્રમાં તેનો ઉલ્લેખ જરૂર મળત. એથી સ્પષ્ટ થાય છે કે નંદીના સમયમાં શ્રુતનો અંગ અને ઉપાંગરૂપ ભેદ કરવાની પ્રથા ન હતી પરંતુ અંગ અને અનંગ અર્થાત્ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્યરૂપ ભેદ કરવાની પરિપાટી હતી. એટલું જ નહિ નંદિસૂત્રકારે તો વર્તમાનમાં પ્રચલિત સમસ્ત ઉપાંગોને ‘પ્રકીર્ણક’ શબ્દથી પણ સૂચવ્યા છે. ઉપાંગોના વર્તમાન ક્રમમાં સૌ પ્રથમ ઔપપાતિક આવે છે, પછી રાજપ્રશ્નીય વગેરે જ્યારે તત્વાર્થવૃત્તિકાર હરિભદ્રસૂરિ તથા સિદ્ધસેનસૂરિના ઉલ્લેખો અનુસાર (અ. ૧., સૂ. ૨૦) પહેલાં રાજપ્રસેનકીય (વર્તમાન રાજપ્રશ્નીય) અને પછી Page #116 -------------------------------------------------------------------------- ________________ અંગઆગમ ઔપપાતિક વગેરે આવે છે. આથી પ્રતીત થાય છે કે આ સમય સુધી ઉપાંગોનો વર્તમાન ક્રમ નિશ્ચિત થયો ન હતો. ૮૨ નંદિસૂત્રમાં નિર્દિષ્ટ અંગબાહ્ય, કાલિક અને ઉત્કાલિક શાસ્રોમાં વર્તમાનકાળે પ્રચલિત ઉપાંગરૂપ સમસ્ત ગ્રંથોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલાંક ઉપાંગો કાલિક શ્રુતાંતર્ગત છે અને કેટલાક ઉત્કાલિક શ્રુતાંતર્ગત. ઉપાંગોના ક્રમના વિષયમાં વિચાર કરતાં જણાય છે કે આ ક્રમ અંગોના ક્રમ સાથે સંબદ્ધ નથી. જે વિષય અંગમાં હોય તેની સાથે સંબંધિત વિષય તેના ઉપાંગમાં પણ હોય તો તે અંગ અને ઉપાંગનો પરસ્પરનો સંબંધ ઘટી શકે છે. પરંતુ વાત એમ નથી. છઠ્ઠા અંગ જ્ઞાતાધર્મકથાનું ઉપાંગ જમ્બુદ્રીપપ્રજ્ઞપ્તિ ગણવામાં આવે છે અને સાતમા અંગ ઉપાસકદશાનું ઉપાંગ ચંદ્રપ્રજ્ઞપ્તિ કહેવાય છે, જ્યારે તેમના વિષયોમાં કોઈ સમાનતા કે સામંજસ્ય નથી. આ જ વાત અન્ય અંગોપાંગોના વિષયમાં પણ કહી શકાય. આ રીતે બાર અંગોનું તેમના ઉપાંગો સાથે કોઈ વિષયસામ્ય પ્રતીત થતું નથી. એક વાત એવી પણ છે કે ઉપાંગ અને અંગબાહ્ય આ બે શબ્દોના અર્થમાં ઘણું અંતર છે. અંગબાહ્ય શબ્દથી એવો આભાસ થાય છે કે આ સૂત્રોનો સંબંધ અંગો સાથે નથી અથવા અતિ અલ્પ છે, જ્યારે ઉપાંગ શબ્દ અંગોની સાથે સીધો સંબદ્ધ છે. એવું જણાય છે કે અંગબાહ્યોની પ્રતિષ્ઠા વધારવા માટે અથવા તો અંગોની સમકક્ષ તેમના પ્રામાણ્યસ્થાપનની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને કોઈ ગીતાર્થે તેમને ઉપાંગ નામે સંબોધિત કરવાનું શરૂ કર્યું હશે. બીજી વાત એ છે કે અંગોની સાથે સંબંધ રાખનારા દશવૈકાલિક, ઉત્તરાધ્યયન વગેરે સૂત્રોને ઉપાંગોમાં ન રાખતાં ઔપપાતિક વડે ઉપાંગોની શરૂઆત કરવાનું કોઈ કારણ પણ આપવામાં આવ્યું નથી. સંભવિત છે કે દશવૈકાલિક વગેરે વિશેષ પ્રાચીન હોવાને કારણે અંગબાહ્ય હોવા છતાં પણ પ્રામાણ્યયુક્ત ગણાતાં હોય અને ઔપપાતિક વગેરેના વિષયમાં આ બારામાં કોઈ વિવાદ ઊભો થયો હોય અને એટલા માટે તેમને ઉપાંગના રૂપમાં ગણવાનું શરૂ થયું હોય. એક વાત એવી પણ છે કે ઔપપાતિક, રાજપ્રશ્નીય, જીવાભિગમ, પ્રજ્ઞાપના વગેરે ગ્રંથો દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની સામે હતા અને એટલા માટે તેઓએ અંગસૂત્રોમાં જ્યાં ત્યાં ‘ના તવવારૂપ, ના પત્રવળાપ, ના નીવામિમ્' ઇત્યાદિ પાઠ આપ્યો છે. આમ હોવા છતાં પણ ‘ના વવાડ્કડવાં, ગદ્દા પત્રવળાડવાંનેે’ આ રીતે ‘ઉપાંગ’ શબ્દયુક્ત કોઈ પાઠ મળતો નથી. આથી અનુમાન થઈ શકે છે કે કદાચ દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની પછી જ આ ગ્રંથોને ઉપાંગ કહેવાનો પ્રયત્ન થયો હોય. શ્રુતનો આ સામાન્ય પરિચય પ્રસ્તુત પ્રયોજન માટે પર્યાપ્ત છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ અંગ ગ્રંથોનો બાહ્ય પરિચય આગમોની ગ્રંથબદ્ધતા અચેલક પરંપરામાં અંગવિષયક ઉલ્લેખો અંગોનું બાહ્ય રૂપ નામ-નિર્દેશ આચારાદિ અંગોનાં નામોનો અર્થ અંગોનું પદ-પરિમાણ પદનો અર્થ અંગોનો ક્રમ અંગોની શૈલી અને ભાષા પ્રકરણોનો વિષયનિર્દેશ પરંપરાનો આધાર વિષય-વૈવિધ્ય જૈન પરંપરાનું લક્ષ્ય Page #118 -------------------------------------------------------------------------- ________________ બીજું પ્રકરણ અંગ ગ્રંથોનો બાહ્ય પરિચય સર્વપ્રથમ અંગગ્રંથોના બાહ્ય અને અંતરંગ પરિચયથી શું અભિપ્રેત છે, તેનું સ્પષ્ટીકરણ આવશ્યક છે. અંગોના નામોનો અર્થ, અંગોનું પદપરિમાણ અથવા શ્લોકપરિમાણ, અંગોનો ક્રમ, અંગોની શૈલી તથા ભાષા, પ્રકરણોનો વિષયનિર્દેશ, વિષયવિવેચનની પદ્ધતિ, વાચનાવૈવિધ્ય વગેરેની સમીક્ષા બાહ્ય પરિચયમાં રાખવામાં આવી છે. અંગોમાં ચર્ચિત સ્વસિદ્ધાંત તથા પરસિદ્ધાંત સંબંધી તથ્યો, તેમની વિશેષ સમીક્ષા, તેમનું પૃથક્કરણ, તેમાંથી નિષ્પન્ન થતું ઐતિહાસિક અનુસંધાન, તદંતર્ગત વિશિષ્ટ શબ્દોનું વિવેચન વગેરે બાબતો અંતરંગ પરિચયમાં સમાવિષ્ટ છે. આગમોની ગ્રંથબદ્ધતા : જૈન સંઘની મુખ્ય બે પરંપરાઓ છે ઃ અચેલક પરંપરા અને સચેલક પરંપરા. બંને પરંપરાઓ એમ માને છે કે આગમોના અધ્યયન-અધ્યાપનની પરંપરા અખંડ રૂપે કાયમ રહી નથી. દુષ્કાળ વગેરેના કારણે આગમો અક્ષરશઃ સુરક્ષિત રાખી શકાયાં નથી. આગમોમાં વાચનાભેદો—પાઠભેદો બરાબર વધતા ગયા હતા. સચેલક પરંપરા દ્વારા માન્ય આગમોને જ્યારે પુસ્તકારૂઢ કરવામાં આવ્યા ત્યારે શ્રમણસંઘે એકત્ર થઈ જે માથુરી વાચના માન્ય રાખી તેને ગ્રંથબદ્ધ કરવામાં આવી, સાથે સાથે જ ઉપયુક્ત વાચનાભેદો અથવા પાઠભેદો પણ નોંધવામાં આવ્યા. અચેલક પરંપરાના આચાર્યો ધરસેન, યતિવૃષભ, કુંદકુંદ, ભટ્ટ અકલંક વગેરેએ આ પુસ્તકારૂઢ આગમો અથવા તેમની પહેલાંનાં ઉપલબ્ધ આગમોના આશયને ધ્યાનમાં રાખીને નવીન સાહિત્યનું સર્જન કર્યું. આચાર્ય કુંદકુંદ રચિત સાહિત્યમાં આચારપાહુડ, સુત્તપાહુડ, સ્થાનપાહુડ, સમવાયપાહુડ વગેરે પાહુડાંત ગ્રંથોનો સમાવેશ કરવામાં આવે છે. આ પાહુડોના ૧. અહીં અચેલક શબ્દ દિગંબર પરંપરાને માટે અને શ્વેતાંબર શબ્દ સર્ચલક પરંપરા માટે પ્રયોજાયો છે. આ જ પ્રાચીન શબ્દો છે, જેના દ્વારા બંને પરંપરાઓનો પ્રાચીનકાળમાં બોધ થતો હતો. Page #119 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો બાહ્ય પરિચય ૮૫ નામ સાંભળતાં આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ વગેરેની યાદ આવી જાય છે. આચાર્ય કુંદકુંદે ઉપર્યુક્ત પાહુડોની રચના આ અંગોના આધારે કરેલી જણાય છે. એ જ રીતે પખંડાગમ, જયધવલા, મહાધવલા વગેરે ગ્રંથો પણ તે તે આચાર્યોએ આચારાંગથી માંડી દષ્ટિવાદ સુધીના આગમોના આધારે બનાવ્યા છે. તેમાં સ્થાને સ્થાને પરિકર્મ વગેરેનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ પરથી અનુમાન થાય છે કે આ ગ્રંથોના નિર્માતાઓની સામે દૃષ્ટિવાદના એક અંશરૂપ પરિકર્મનો કોઈ ભાગ જરૂર રહ્યો હશે, ભલેને તે સ્મૃતિરૂપમાં કેમ ન હોય. જે રીતે વિશેષાવશ્યકભાષ્યકાર પોતાના ભાષ્યમાં અનેક સ્થળે દૃષ્ટિવાદના એક અંશ રૂપ “પૂર્વગત ગાથા'નો નિર્દેશ કરે છે, તે જ રીતે આ ગ્રંથકારો “પરિકર્મનો નિર્દેશ કરે છે. જેમણે આગમોને ગ્રંથબદ્ધ કર્યા છે તેમણે પહેલાંથી ચાલી આવેલી કંઠસ્થ આગમપરંપરાને ધ્યાનમાં રાખીને તેમનું યથાયોગ્ય સંકલન કરીને માથુરીવાચના પુસ્તકારૂઢ કરી છે. આ જ રીતે અચેલક પરંપરાના ગ્રંથકારોએ પણ તેમની સામે જે આગમો વિદ્યમાન હતા તેમનો આધાર લઈ નવું સાહિત્ય તૈયાર કર્યું છે. આ રીતે બંને પરંપરાઓના ગ્રંથો સમાન રૂપે પ્રામાણ્યપ્રતિષ્ઠિત છે. અચેલક પરંપરામાં અંગવિષયક ઉલ્લેખોઃ અચેલક પરંપરામાં અંગવિષયક જે સામગ્રી ઉપલબ્ધ છે તેમાં માત્ર અંગોના નામોનો, અંગોના વિષયોનો અને અંગોના પદપરિમાણનો ઉલ્લેખ છે. અકલંકકૃત રાજવાર્તિકમાં અંતકૃદશા તથા અનુત્તરૌપપાતિકદશા નામના બે અંગોનાં અધ્યયનોપ્રકરણોનાં નામોનો પણ ઉલ્લેખ મળે છે, જો કે આ નામો અનુસારનાં અધ્યયનો વર્તમાન અંતકૃદશા અને અનુત્તરૌપપાતિકદશામાં પ્રાપ્ત થતાં નથી. એમ પ્રતીત થાય છે કે રાજવાર્તિકકારની સામે આ બંને સૂત્રો અન્ય વાચનાવાળા રહેલ હશે. સ્થાનાંગ નામના તૃતીય અંગમાં ઉક્ત બંને અંગોનાં અધ્યયનોનાં જે નામો બતાવવામાં આવ્યાં છે, તેમની સાથે રાજવાર્તિક-નિર્દિષ્ટ નામો વિશેષપણે મળતાં આવે છે. આવી સ્થિતિમાં એમ પણ કહી શકાય કે રાજવાર્તિકકાર અને સ્થાનાંગસૂત્રકારની સમક્ષ એક જ વાચનાનાં આ સૂત્રો રહ્યાં હશે અથવા રાજવાર્તિકકારે સ્થાનાંગમાં ગૃહીત અન્ય વાચનાને પ્રમાણભૂત માનીને આ નામો આપ્યાં હશે. રાજવાર્તિકની જેમ જ ધવલા, જયધવલા, અંગપષ્ણત્તિ વગેરેમાં પણ તેવાં જ નામો મળે છે. ૧. વૃત્તિકાર મલધારી હેમચંદ્ર અનુસાર, ગા. ૧૨૮. Page #120 -------------------------------------------------------------------------- ________________ અંગઆગમ અચેલક પરંપરાના પ્રતિક્રમણસૂત્રના મૂળ પાઠમાં કોઈ કોઈ અંગોનાં અધ્યયનોની સંખ્યા બતાવવામાં આવી છે. આ સંખ્યામાં અને સચેલક પરંપરામાં પ્રસિદ્ધ સંખ્યામાં વિશેષ તફાવત નથી. આ પ્રતિક્રમણસૂત્રની પ્રભાચંદ્રીય વૃત્તિમાં આ અધ્યયનોનાં નામો તથા તેમનો સવિસ્તર પરિચય આવે છે. આ નામો સચેલક પરંપરામાં ઉપલબ્ધ નામો સાથે બરાબર મળતાં આવે છે. ક્યાંક ક્યાંક અક્ષરોનો તફાવત ભલે મળતો હોય પરંતુ ભાવમાં કોઈ અંતર નથી. આ ઉપરાંત અપરાજિતસૂરિકૃત દશવૈકાલિકવૃત્તિનો ઉલ્લેખ તેમની પોતાની મૂલારાધનાની વૃત્તિમાં આવે છે. આ દશવૈકાલિકવૃત્તિ હાલ અનુપલબ્ધ છે. સંભવ છે કે આ અપરાજિતસૂરિએ અથવા તેમની માફક અચેલક પરંપરાના અન્ય કોઈ મહાનુભાવોએ અંગ વગેરે ૫૨ વૃત્તિઓ વગેરેની રચના કરી હોય જે ઉપલબ્ધ ન હોય. આ વિષયમાં વિશેષ અનુસંધાનની જરૂર છે. ૮૬ સચેલક પરંપરામાં અંગોની નિર્યુક્તિઓ, ભાષ્યો, ચૂર્ણિઓ, અવચૂર્ણિઓ, વૃત્તિઓ, ટબા વગેરે ઉપલબ્ધ છે. તેમના દ્વારા અંગો વિષયમાં વિશેષ જાણકારી મળે છે. અંગોનું બાહ્ય રૂપ : અંગોનાં બાહ્ય રૂપનું પહેલું પાસુ છે અંગોનું શ્લોક-પરિમાણ અથવા પદ-પરિમાણ. ગ્રંથોની પ્રતિલિપિ કરનારા લહિયાઓ પોતાનું મહેનતાણું શ્લોકોની સંખ્યાના આધારે નક્કી કરે છે. એટલા માટે તેઓ પોતે લખેલા ગ્રંથના અંતમાં ‘ગ્રન્થાગ્ર’ શબ્દ વડે શ્લોકસંખ્યાનો નિર્દેશ ચોક્કસ કરે છે. અથવા કેટલાક પ્રાચીન ગ્રંથકારો પોતાની જાતે જ પોતાના ગ્રંથના અંતમાં તેનાં શ્લોકપરિમાણનો ઉલ્લેખ કરે છે. ગ્રંથ પૂરેપૂરો સુરક્ષિત રહ્યો છે અથવા નહિ, તે કોઈ કારણે ખંડિત તો નથી થઈ ગયોને અથવા તેમાં કોઈ પ્રકારની વૃદ્ધિ તો નથી થઈને—વગેરે વાતો જાણવા માટે આ પ્રથા અતિ ઉપયોગી છે. આનાથી લિપિકારો–લહિયાઓને પારિશ્રમિક આપવામાં પણ સરળતા થાય છે. એક શ્લોક ૩૨ અક્ષરોનો માનીને શ્લોકસંખ્યા દર્શાવવામાં આવે છે, પછી ભલેને રચના ગદ્યમાં કેમ ન હોય. વર્તમાનકાળે ઉપલબ્ધ અંગોના અંતે સ્વયં ગ્રંથકારોએ ક્યાંય પણ શ્લોકપરિમાણ બતાવ્યું નથી. આથી એમ માનવું જોઈએ કે આ સંખ્યા કોઈ અન્ય ગ્રંથપ્રેમીઓ અથવા તે ગ્રંથોની નકલ કરનારાઓએ લખી હશે. પોતાના ગ્રંથમાં કયા કયા વિષયો ચર્ચાયા છે તેનું જ્ઞાન વાચકને પ્રારંભમાં જ થઈ જાય એ દૃષ્ટિએ પ્રાચીન ગ્રંથકારો કેટલાક ગ્રંથો અથવા ગ્રંથગત પ્રકરણોના પ્રારંભમાં સંગ્રહણી ગાથાઓ આપે છે, પરંતુ એ કહેવું મુશ્કેલ છે કે અંગગત આવી ગાથાઓ Page #121 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો બાહ્ય પરિચય ૮૭ ગ્રંથકારોએ પોતે જ બનાવી છે કે કોઈ અન્ય સંગ્રાહકોએ. કેટલાક અંગોની નિયુક્તિઓમાં તેમનાં કેટલાં અધ્યયનો છે અને તે અધ્યયનોનાં નામ શું છે, તે પણ બતાવવામાં આવ્યું છે. તેમાં ગ્રંથના વિષયનો નિર્દેશ કરનારી કેટલીક સંગ્રહણી ગાથાઓ પણ મળી આવે છે. સમવાયાંગ તથા નંદિસૂત્રમાં જ્યાં આચારાંગ વગેરેનો પરિચય આપવામાં આવ્યો છે ત્યાં “અંગોની સંગ્રહણીઓ અનેક છે' એવો ઉલ્લેખ મળે છે. આ સંગ્રહણી' શબ્દ વિષયનિર્દેશક ગાથાઓના અર્થમાં અભિપ્રેત હોય તો એમ માનવું જોઈએ કે જ્યાં જ્યાં “સંગ્રહણીઓ અનેક છે' એમ બતાવવામાં આવ્યું છે ત્યાં ત્યાં તે તે સૂત્રોના વિષય નિર્દેશો અનેક પ્રકારના છે એમ બતાવવામાં આવ્યું છે. અથવા આનાથી એમ સમજવું જોઈએ કે આચારાંગાદિનો પરિચય સંક્ષેપ-વિસ્તારથી અનેક પ્રકારે આપી શકાય છે. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે વિષય નિર્દેશ ભલેને ભિન્ન ભિન્ન શબ્દો દ્વારા અથવા ભિન્ન ભિન્ન શૈલીઓ વડે વિવિધ રૂપે કરવામાં આવ્યો હોય પરંતુ તેમાં કોઈ મૌલિક ભેદ નથી. અચેલક કે સચેલક બંને પરંપરાઓના ગ્રંથોમાં જ્યાં અંગોનો પરિચય આવે છે ત્યાં તેમના વિષય તથા પદપરિમાણનો નિર્દેશ કરનાર ઉલ્લેખો ઉપલબ્ધ થાય છે. અંગોનું ગ્રંથાઝ અર્થાત્ શ્લોક-પરિમાણ કેટલું છે એ હવે જોઈએ. બૃહટ્ટિપ્પનિકા નામે એક પ્રાચીન જૈન ગ્રંથસૂચિ ઉપલબ્ધ છે. તે આજથી લગભગ ચાર સો વર્ષ પહેલાં લખવામાં આવેલી જણાય છે. તેમાં વિવિધ વિષયના અનેક ગ્રંથોની શ્લોકસંખ્યા બતાવવામાં આવી છે, સાથે સાથે જ લેખનસમય અને ગ્રંથલેખકનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. ગ્રંથ સવૃત્તિક છે અથવા નહિ, જૈન છે અથવા અજૈન, ગ્રંથ પર અન્ય કેટલી વૃત્તિઓ મળે છે વગેરે બાબતો પણ તેમાં મળે છે. અંગવિષયક જે કંઈ જાણકારી તેમાં આપવામાં આવી છે તેનો કેટલોક ઉપયોગી સારાંશ નીચે આપવામાં આવે છે : આચારાંગ–શ્લોકસંખ્યા ૨પ૨૫, સૂત્રકૃતાંગ-શ્લોકસંખ્યા ૨૧૦૦, સ્થાસંગશ્લોકસંખ્યા ૩૬૦૦, સમવાયાંગ–શ્લોકસંખ્યા ૧૬૬૭, ભગવતી (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ)શ્લોકસંખ્યા ૧૫૭૫૨ (એકતાલીસ શતકયુક્ત), જ્ઞાતધર્મકથા–શ્લોકસંખ્યા ૫૪૦૦, ઉપાસકદશા-શ્લોકસંખ્યા ૮૧૨, અંતર્દશા-લોકસંખ્યા ૮૯૯, અનુત્તરૌપપાતિકદશા-શ્લોકસંખ્યા ૧૯૨, પ્રશ્નવ્યાકરણ–શ્લોકસંખ્યા ૧૨૫૬, વિપાકસૂત્ર-શ્લોકસંખ્યા ૧૨૧૬; સમસ્ત અંગોની શ્લોકસંખ્યા ૩૫૩૩૯. ૧. જૈન સાહિત્ય સંશોધક, પ્રથમ ભાગ, પૃ. ૧૦૫. Page #122 -------------------------------------------------------------------------- ________________ ८८ નામ-નિર્દેશ: તત્ત્વાર્થસૂત્રના ભાષ્યમાં માત્ર અંગોનાં નામોનો ઉલ્લેખ છે. તેમાં પાંચમા અંગનું નામ ‘ભગવતી’ ન આપતાં ‘વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ' આપવામાં આવ્યું છે. બારમા અંગનો પણ નામોલ્લેખ કરવામાં આવ્યો છે. અંગઆગમ અચેલક પરંપ૨ામાન્ય પૂજ્યપાદકૃત સર્વાર્થસિદ્ધિ નામક તત્ત્વાર્થવૃત્તિમાં અંગોનાં જે નામો આપવામાં આવ્યાં છે તેઓમાં થોડો તફાવત છે. તેમાં જ્ઞાતધર્મકથાને બદલે જ્ઞાતૃધર્મકથા, ઉપાસકદશાને બદલે ઉપાસકાધ્યયન, અંતકૃદ્દશાને બદલે અંતકૃદ્દશમ્ અને અનુત્તરૌપપાતિકદશાને બદલે અનુત્તરોપપાદિકદશમ્ નામ છે. દૃષ્ટિવાદના ભેદરૂપ પાંચ નામો બતાવવામાં આવ્યાં છે :- પરિકર્મ, સૂત્ર, પ્રથમાનુયોગ, પૂર્વગત અને ચૂલિકા. આમાંથી પૂર્વગતના ભેદરૂપ ચૌદ નામો આ પ્રમાણે છે ઃ ૧. ઉત્પાદપૂર્વ, ૨. અગ્રાયણીય, ૩ વીર્યાનુપ્રવાદ, ૪. અસ્તિનાસ્તિપ્રવાદ, ૫. જ્ઞાનપ્રવાદ, ૬. સત્યપ્રવાદ, ૭. આત્મપ્રવાદ, ૮. કર્મપ્રવાદ, ૯. પ્રત્યાખ્યાન, ૧૦. વિદ્યાનુપ્રવાદ, ૧૧. કલ્યાણ, ૧૨. પ્રાણાવાય, ૧૩. ક્રિયાવિશાલ, ૧૪. લોકબિંદુસાર. એ જ રીતે અકલંક કૃત તત્ત્વાર્થરાજવાર્તિકમાં વળી થોડું પરિવર્તન છે. તેમાં અંતકૃદ્દશમ્ અને અનુત્તરોપપાતિકદશની જગ્યાએ વળી અંતકૃદ્દશા અને અનુત્તરૌપપાદિકદશાનો પ્રયોગ થયો છે. શ્રુતસાગરકૃત વૃત્તિમાં જ્ઞાતૃધર્મકથાના સ્થાને માત્ર જ્ઞાતૃકથાનો પ્રયોગ છે. આમાં અંતકૃદશમ્ અને અનુત્તરૌપપાદિકદશમ્ નામો મળે છે. ગોમ્મટસાર નામે ગ્રંથમાં દ્વિતીય અંગનું નામ સુદ્દયડ છે, પંચમ અંગનું નામ વિક્ખાપણત્તિ છે, ષષ્ટ અંગનું નામ નાહસ ધમ્મકહા છે, અષ્ટમ અંગનું નામ અંતયડદસા છે. અંગપણત્તિ નામક ગ્રંથમાં દ્વિતીય અંગનું નામ સૂદયડ, પંચમ અંગનું નામ વિવાયપણત્તિ (સંસ્કૃતરૂપ ‘વિપાકપ્રજ્ઞપ્તિ’ આપવામાં આવ્યું છે) અને ષષ્ટ અંગનું નામ નાહધમ્મકા છે. દૃષ્ટિવાદ સંબંધમાં કહેવામાં આવ્યું છે કે તેમાં ૩૬૩ દૃષ્ટિઓનું નિરાકરણ કરવામાં આવ્યું છે. સાથે સાથે જ ક્રિયાવાદ, અક્રિયાવાદ, અજ્ઞાનવાદ અને વિનયવાદના અનુયાયીઓના મુખ્ય મુખ્ય નામો પણ આપવામાં આવ્યા છે. આ બધા નામો પ્રાકૃતમાં છે. રાજવાર્તિકમાં પણ આ જ પ્રકારના નામો બતાવવામાં આવ્યા છે. ત્યાં આ બધા સંસ્કૃતમાં છે. આ બંને સ્થાનોના નામોમાં સહેજ સહેજ અંતર જોવા મળે છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો બાહ્ય પરિચય આ રીતે બંને પરંપરાઓમાં અંગોના જે નામો બતાવવામાં આવ્યા છે તેમાં કોઈ ખાસ અંતર દેખાતું નથી. સચેલક પરંપરાનાં સમવાયાંગ, નંદિસૂત્ર અને પાક્ષિકસૂત્રમાં અંગોના જે નામો આવ્યાં છે તેમનો ઉલ્લેખ કર્યા પછી બંને પરંપરાઓના ગ્રંથોમાં પ્રસિદ્ધ આ બધા નામોમાં જે કંઈ પરિવર્તન થયું છે તેની ચર્ચા કરવામાં આવશે. સમવાયાંગ વગેરેમાં આ નામો આ પ્રમાણે છે – ૧. સમવાયાંગ ૨. નંદિસૂત્ર ૩. પાકિસૂત્ર ૪. તત્ત્વાર્થભાષ્ય (પ્રાકૃત) (પ્રાકૃત) (પ્રાકૃત) (સંસ્કૃત) ૧. આયારે આયારો આયારા આચાર: ૨. સૂયગડે સૂયગડો સૂયગડો સૂત્રકૃતમ્ ૩. ઠાણે ઠાણું ઠાણું સ્થાનમ્ ૪. સમવાએ, સમવાઓ, સમવાએ, સમવાય: સમાએ સમાએ સમાએ ૫. વિવાહપત્તી વિવાહપન્નત્તી વિનાહપત્તી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ - વિવાહ વિવાહ વિવાહ ૬. ણાયામ- ણાયાધમ્મ ણાયાધમ્મુ જ્ઞાતધર્મકથા કહાઓ કહાઓ કહાઓ ૭. ઉવાસગદસાઓ ઉવાસગદાસાઓ ઉવાસગાંસાઓ ઉપાસકાધ્યયનદશા ૮. અન્તગડદસાઓ અન્તગડદસાઓ અન્તગડદસાઓ અત્તકૃદશા ૯. અણુત્તરોવવાય અણુત્તરોવવાય- અણુત્તરોવવાઇય- અનુત્તરોપપાતિક- દસાઓ દસાઓ દસાઓ દશા ૧૦. પણહાવાગરણાઈ પહાવાગરણાઈ પહાવાગરણાઈં પ્રશ્નવ્યાકરણમ્ ૧૧. વિવાગસુએ વિવાગસુએ વિવાગસુએ વિપાકશ્રુતમ્ ૧૨. દિઢિવાએ દિઢિવાઓ દિઢિવાઓ દૃષ્ટિપાત આ નામોમાં કોઈ ખાસ તફાવત નથી. જે થોડો ભેદ નજરે પડે છે તે માત્ર વિભક્તિના પ્રત્યય અથવા એકવચન-બહુવચનનો છે. પંચમ અંગનું સંસ્કૃત નામ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ છે. તે જોતાં તેનું પ્રાકૃત નામ વિયાહપત્તિ થવું જોઈએ, જ્યારે સર્વત્ર મોટા ભાગે વિવાહપન્નત્તિ રૂપ જ જોવા મળે છે. પ્રતિલિપિ-લેખકોની અસાવધાની કે અર્થના અજ્ઞાનને કારણે જ આમ થયું હોય તેમ લાગે છે. અતિ પ્રાચીન ગ્રંથોમાં વિયાહપન્નત્તિ રૂપ મળે પણ છે કે જે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિનું શુદ્ધ પ્રાકૃત રૂપ છે. સંસ્કૃત જ્ઞાતધર્મકથા કે પ્રાકૃત નાયાધમ્મકહા અથવા ણાયાધમ્મકહામાં કોઈ અંતર નથી. “જ્ઞાત'નું પ્રાકૃતમાં “ના” થાય છે અને સમાસમાં “ઢીર્ધદ્દસ્વી મિથો વૃત્તી' (૮.૧૪હેમપ્રા. વ્યા) આ નિયમ દ્વારા “નાય'ના હૃસ્વ “'નો દીર્ઘ “મા” થવાથી “નાયા' થઈ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૯૦ અંગઆગમ જાય છે. અચેલક પરંપરામાં નાયાધમ્મકહાને બદલે જ્ઞાતૃધર્મકથા, જ્ઞાતૃકથા, નાહસ ધમ્મકહા, નાહધમ્મકહા વગેરે નામો પ્રચલિત છે. આ શબ્દોમાં નામમાત્રનો અર્થભેદ છે. જ્ઞાતધર્મકથા અથવા જ્ઞાતાધર્મકથાનો અર્થ છે જેમાં જ્ઞાતો અથવા ઉદાહરણ મુખ્ય હોય તેવી ધર્મકથાઓ. અથવા જે ગ્રંથમાં જ્ઞાતોવાળી અર્થાત્ ઉદાહરણોવાળી અને ધર્મવાળી કથાઓ હોય તે જ્ઞાતાધર્મકથા છે. જ્ઞાતૃધર્મકથાનો અર્થ છે જેમાં જ્ઞાતૃ અર્થાત્ જ્ઞાતા અથવા શાતૃવંશના ભગવાન મહાવીર દ્વારા કહેવામાં આવેલી ધર્મકથાઓ હોય તે ગ્રંથ. એ જ અર્થ જ્ઞાતૃકથાનો પણ છે. નાહસ ધમ્મકહા અથવા નાહધમ્મકહા પણ નાયધમ્મકહાનું જ એક રૂપ જણાય છે. ઉચ્ચારણની ગરબડ કે લિપિ-લેખકના પ્રમાદને કારણે ‘નાય’ શબ્દ ‘નાહ’ રૂપે પરિણત થઈ ગયો હોય તેમ જણાય છે. ભગવાન મહાવીરના વંશનું નામ નાય-નાત-જ્ઞાત-જ્ઞાતૃ છે. જ્ઞાતૃવંશોત્પન્ન ભગવાન મહાવીર દ્વારા પ્રતિપાદિત ધર્મકથાઓના આધારે પણ જ્ઞાતૃધર્મકથા વગેરે નામ ફલિત કરી શકાય છે. જ દ્વિતીય અંગનું સંસ્કૃત નામ સૂત્રકૃત છે. રાજવાર્તિક વગેરેમાં પણ આ જ નામનો ઉલ્લેખ છે. ધવલા તથા જયધવલામાં સૂદયદ, ગોમ્મટસારમાં સુયડ તથા અંગપણત્તિમાં સૂદયડ નામો મળે છે. સચેલક પરંપરામાં સુત્તગડ અથવા સૂયગડ નામનો ઉલ્લેખ મળે છે. આ બધા નામોમાં કોઈ તફાવત નથી. માત્ર શૌરસેની ભાષાના ચિહ્નરૂપે અચેલક પરંપરામાં ‘ત’ અથવા ‘ત્ત’ને બદલે ‘દ’ અથવા ‘૬’નો પ્રયોગ થયો id. પંચમ અંગનું નામ ધવલા ને જયધવલામાં વિયાહપણત્તિ તથા ગોમ્મટસારમાં વિવાયપણત્તિ છે, જે સંસ્કૃતરૂપ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિનું જ રૂપાંતર છે. અંગપણત્તિમાં વિવાયપણત્તિ અથવા વિવાગપણત્તિ નામ આપવામાં આવ્યું છે અને છાયામાં વિપાકપ્રજ્ઞપ્તિ શબ્દ રાખવામાં આવ્યો છે. આમાં મુદ્રણની અશુદ્ધિ જણાય છે. મૂળમાં વિવાહપણત્તિ હોવું જોઈએ. આમ થતાં છાયામાં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ રાખવું જોઈએ. અહીં પણ આદિ પદ ‘વિયાહ’ના સ્થાને અસાવધાનીના કારણે ‘વિવાય’ થઈ ગયેલ જણાય છે. સચેલક પરંપરામાં સંસ્કૃતમાં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અને પ્રાકૃતમાં વિયાહપત્તિ સુપ્રસિદ્ધ છે. પંચમ અંગનું આ જ નામ યોગ્ય છે. આમ હોવા છતાં પણ વૃત્તિકાર અભયદેવસૂરિએ વિવાહપણત્તિ અને વિબાહપણત્તિ નામો સ્વીકાર્યાં છે, તથા વિવાહપણત્તિનો અર્થ કર્યો છે વિવાહપ્રજ્ઞપ્તિ અર્થાત્ જ્ઞાનના વિવિધ પ્રવાહોની પ્રજ્ઞપ્તિ અને વિબાહપણત્તિનો અર્થ કર્યો છે વિબાધપ્રજ્ઞપ્તિ અર્થાત્ બાધારહિત–પ્રમાણસિદ્ધ પ્રજ્ઞપ્તિ. શ્રી અભયદેવને વિયાહપણત્તિ, વિવાહપણત્તિ અને વિબાહપણત્તિ—આ ત્રણે પાઠ મળ્યા હોવાનું જણાય છે. આમાંથી વિયાહપણત્તિ પાઠ યોગ્ય છે. બાકીના Page #125 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો બાહ્ય પરિચય બે પ્રતિલિપિ-લેખકની ત્રુટિનાં પરિણામો છે. આચારાદિ અંગોનાં નામોનો અર્થ : આયાર—પ્રથમ અંગનું આચાર—આયાર નામ તદંતર્ગત વિષયને અનુરૂપ જ છે. તેના પ્રથમ વિભાગમાં આંતરિક અને બાહ્ય બંને પ્રકારના આચારની ચર્ચા છે. ૯૧ સુત્તગડ–સૂત્રકૃતનો એક અર્થ છે સૂત્રો દ્વારા અર્થાત્ પ્રાચીન સૂત્રોના આધારે બનાવવામાં આવેલ અથવા સંક્ષિપ્ત સૂત્રો—વાક્યો દ્વારા બનાવવામાં આવેલ. આનો બીજો અર્થ છે સૂચના દ્વારા અર્થાત્ પ્રાચીન સૂચનાઓના આધારે બનાવવામાં આવેલ. આ નામથી ગ્રંથના વિષયની પૂરી સ્પષ્ટતા થઈ શકતી નથી. આ નામ વડે તેની રચનાપદ્ધતિની જાણ જરૂર થાય છે. ઠાણ—સ્થાન કે સમવાય નામ આચારની માફક સ્ફુટાર્થ નથી કે જેને સાંભળતાં જ અર્થની પ્રતીતિ થઈ જાય. જૈન સાધુઓની સંખ્યા માટે ‘ઠાણા’ શબ્દ જૈન પરંપરામાં સુપ્રચલિત છે. અહીં કેટલા ‘ઠાણા’ છે ? આ પ્રકારના પ્રશ્નનો અર્થ બધા જૈનો સમજે છે. આ પ્રશ્નમાં પ્રયુક્ત ‘ઠાણા'ના અર્થની જ માફક તૃતીય અંગ ‘ઠાણ’નો પણ અર્થ સંખ્યા જ છે. ‘સમવાય' નામની પણ એ જ સ્થિતિ છે. આ નામથી એ વાત પ્રગટ થાય છે કે આમાં મોટી સંખ્યાનો સમવાય છે. આ રીતે ઠાણ નામક તૃતીય અંગ જૈન તત્ત્વસંખ્યાનું નિરૂપણ કરનાર છે અને સમવાય નામક ચતુર્થ અંગ જૈન તત્ત્વના સમવાયનું અર્થાત્ મોટી સંખ્યાવાળા તત્ત્વોનું નિરૂપણ કરનાર છે. વિયાહપણત્તિ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ નામક પાંચમા અંગનો અર્થ ઉપર ખતાવાઈ ચૂકેલ છે. આ નામ ગ્રંથગત વિષયને અનુરૂપ છે. ણાયાધમ્મકહા—જ્ઞાતધર્મકથા નામ કથાસૂચક છે, એ વાત નામથી સ્પષ્ટ થાય છે. આ કથાગ્રંથના વિષયમાં પણ ઉપર કહેવાઈ ચૂક્યું છે. ઉવાસગદસાઉપાસકદશા નામથી એ જાહેર થાય છે કે આ અંગ ઉપાસકો સંબંધી છે. જૈન પરિભાષામાં ‘ઉપાસક’ શબ્દ જૈનધર્માનુયાયી શ્રાવકો—ગૃહસ્થો માટે રૂઢ છે. ઉપાસકની સાથે જે ‘દશા’ શબ્દ જોડાયેલો છે તે દશ—દસ સંખ્યાનો સૂચક છે અથવા દશાઅવસ્થાનો ઘોતક પણ હોઈ શકે છે. આ બંને અર્થ સમાનરૂપે સંગત છે. ઉપાસકદશા નામક સપ્તમ અંગમાં દસ ઉપાસકોની દશાનું વર્ણન છે. અંતગડદસા—જેમણે આધ્યાત્મિક સાધના દ્વારા રાગદ્વેષનો અંત કર્યો છે તથા મુક્તિ પ્રાપ્ત કરી છે તેઓ અંતકૃત છે. તેમના સંબંધી શાસ્ત્રનું નામ અંતગડદશા-અંતકૃતદશા છે. આ રીતે અષ્ટમ અંગનું અંતકૃતદશા નામ સાર્થક છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૯૨ અંગઆગમ અણુત્તરોવવાઇયદસા-આ જ રીતે અનુત્તરૌપપાતિકદશા અથવા અનુત્તરૌપપાદિકદશા નામ પણ સાર્થક છે. જૈન માન્યતા અનુસાર સ્વર્ગમાં ખૂબ ઊંચે અનુત્તરવિમાન નામે એક દેવલોક છે. આ વિમાનમાં જન્મ ગ્રહણ કરનારા તપસ્વીઓનો વૃત્તાંત આ અનુત્તરૌપપાતિકદશા નામક નવમા અંગમાં ઉપલબ્ધ છે. આનો ‘દશા” શબ્દ પણ સંખ્યાવાચક ને અવસ્થાવાચક બંને પ્રકારનો છે. ઉપર જે ઔપપાતિક ને ઔપપાદિક એવા બે શબ્દ આવ્યા છે તે બંનેનો અર્થ એક જ છે. જૈન અને બૌદ્ધ બંને પરંપરાઓમાં ઉપપાત અથવા ઉપપાદનો પ્રયોગ દેવો અને નારકોના જન્મને માટે થયો છે. પણહાવાયરણાઈ–પ્રશ્નવ્યાકરણ નામના પ્રારંભનો “પ્રશ્ન' શબ્દ સામાન્ય પ્રશ્નના અર્થમાં નહિ પરંતુ જ્યોતિષશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર વગેરે સંબંધી અર્થમાં પ્રયુક્ત થયો છે. આ પ્રકારના પ્રશ્નોનું વ્યાકરણ જેમાં કરવામાં આવ્યું હોય તેનું નામ પ્રશ્નવ્યાકરણ છે. ઉપલબ્ધ પ્રશ્નવ્યાકરણના વિષયો જોતાં આ નામ સાર્થક પ્રતીત થતું નથી. પ્રશ્નનો સામાન્ય અર્થ ચર્ચા કરવામાં આવે અર્થાત હિંસા-અહિંસા, સત્ય-અસત્ય વગેરે સંબંધી ચર્ચાના અર્થમાં પ્રશ્ન” શબ્દ લેવામાં આવે તો વર્તમાન પ્રશ્નવ્યાકરણ સાર્થકનામવાળું કહી શકાય. વિવા-સુય–અગિયારમા અંગનું નામ છે વિપાકશ્રુત, વિપાકસૂત્ર, વિવાયસુય, વિવાગસુય અથવા વિવાગસુત્ત. આ બધાં નામો એનાર્થક અને સમાન છે. વિપાક શબ્દનો પ્રયોગ પાતંજલ યોગદર્શન તથા ચિકિત્સાશાસ્ત્રમાં પણ થયો છે. ચિકિત્સાશાસ્ત્રનો વિપાક શબ્દ ખાનપાન ઈત્યાદિના વિપાકનો સૂચક છે. અહીં વિપાકનો એ અર્થ ન લેતાં આધ્યાત્મિક અર્થ લેવો જોઈએ અર્થાત્ સદસતુ પ્રવૃત્તિ દ્વારા થનારા આધ્યાત્મિક સંસ્કારના પરિણામનું નામ જ વિપાક છે. પાપપ્રવૃત્તિનું પરિણામ પાપવિપાક છે અને પુણ્યપ્રવૃત્તિનું પરિણામ પુણ્યવિપાક છે. પ્રસ્તુત અંગનું વિપાકશ્રુત નામ સાર્થક છે કારણ કે તેમાં આ પ્રકારના વિપાકને ભોગવનારા લોકોની કથાઓનો સંગ્રહ છે. દિઢિવાય–બારમું અંગ દૃષ્ટિવાદ નામે પ્રસિદ્ધ છે. તે હાલ ઉપલબ્ધ નથી. આથી તેના વિષયોની આપણને ઠીક ઠીક જાણકારી નથી. દૃષ્ટિનો અર્થ છે દર્શન અને વાદનો અર્થ છે ચર્ચા. આ રીતે દૃષ્ટિવાદનો શબ્દાર્થ થાય છે દર્શનોની ચર્ચા. આ અંગમાં મુખ્યત્વે દાર્શનિક ચર્ચાઓ રહી હશે, એવું ગ્રંથના નામ પરથી પ્રતીત થાય છે. તેના પૂર્વગત વિભાગમાં ચૌદ પૂર્વે સમાવિષ્ટ છે જેમનાં નામ પહેલાં ગણાવવામાં આવી ગયા છે. આ પૂર્વે લખવામાં કેટલી શાહી વપરાઈ હશે તેનો અંદાજ કાઢવા માટે Page #127 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો બાહ્ય પરિચય સચેલક પરંપરામાં એક મજેદાર કલ્પના કરવામાં આવી છે. કલ્પસૂત્રના અર્વાચીન વૃત્તિકારો કહે છે કે પ્રથમ પૂર્વને લખવા માટે એક હાથીના વજન જેટલી શાહી જોઈએ, દ્વિતીય પૂર્વને લખવા માટે બે હાથીઓના વજન જેટલી, તૃતીય માટે ચાર હાથીઓના વજન જેટલી, ચતુર્થ માટે આઠ હાથીઓના વજન જેટલી એ રીતે ઉત્તરોત્તર બમણી બમણી કરતાં કરતાં અંતિમ પૂર્વને લખવા માટે આઠ હજાર એક સો બાણુ હાથીઓના વજન જેટલી શાહી જોઈએ. કેટલાક મુનિઓએ અગિયાર અંગો તથા ચૌદ પૂર્વોનું અધ્યયન માત્ર બાર વર્ષમાં કર્યું હતું એવો ઉલ્લેખ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં આવે છે. આટલું વિશાળ સાહિત્ય આટલા અલ્પ સમયમાં કેવી રીતે વંચાઈ ગયું હશે એ એક વિચારણીય પ્રશ્ન છે. એ વસ્તુ ધ્યાનમાં રાખતાં ઉપર્યુક્ત કલ્પનાને મહિમાવર્ધક અને અતિશયોક્તિપૂર્ણ કહેવાનું અનુચિત નહિ ગણાય. એટલું ચોક્કસ કે પૂર્વગત સાહિત્યનું પરિમાણ ખાસ્સું વિશાળ રહ્યું હશે. સ્થાનાંગસૂત્રમાં બારમા અંગના દસ પર્યાયવાચી નામો બતાવવામાં આવ્યાં છે ઃ ૧. દૃષ્ટિવાદ, ૨. હેતુવાદ, ૩. ભૂતવાદ, ૪. તથ્યવાદ, ૫. સમ્યવાદ, ૬. ધર્મવાદ, ૭. ભાષાવિચય અથવા ભાષાવિજય, ૮. પૂર્વગત, ૯. અનુયોગગત અને ૧૦. સર્વજીવસુખાવહ. આમાંથી આઠમા અને નવમા નામો દૃષ્ટિવાદના પ્રકરણવિશેષના સૂચક છે. તેમને ઔપચારિક રીતે દૃષ્ટિવાદના નામોમાં ગણાવવામાં આવ્યાં છે. અંગોનું પદ-પરિમાણ ઃ ૯૩ અંગસૂત્રોનું પદ-પરિમાણ બંને પરંપરાના ગ્રંથોમાં મળે છે. સચેલક પરંપરાના ગ્રંથો સમવાયાંગ, નંદી વગેરેમાં અંગોનું પદ-પરિમાણ બતાવવામાં આવ્યું છે. એ જ રીતે અચેલક પરંપરાના ધવલા, ગોમ્મટસાર વગેરે ગ્રંથોમાં અંગોનું પદ-પરિમાણ ઉપલબ્ધ છે. આને વિભિન્ન કોષ્ટકો દ્વારા અહીં સ્પષ્ટ કરવામાં આવે છે – ૧. સ્થાનાંગ, ૧૦. ૭૪૨. Page #128 -------------------------------------------------------------------------- ________________ કોષ્ટક- ૧ સચેલક પરંપરા અગિયાર અંગ ૧. અંગનું નામ ૨. સમવાયાંગગત ૧૩. નંદિગત ૪. સમવાયાંગ-વૃત્તિ પદસંખ્યા પદસંખ્યા | પ. નંદિ-વૃત્તિ ૧. આચારાંગ | અઢાર હજાર પદ | અઢાર હજાર પદ આચારાંગની નિયુક્તિ તથા નંદીના વૃત્તિકારે બધાં શીલાંકકૃત વૃત્તિમાં લખ્યું છે કે સમવાયાંગની વૃત્તિ અનુસાર આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધના લખ્યું છે. સાથે જ તેના (નવ અધ્યયનોના) અઢાર સમર્થનમાં નંદિસૂત્રની ચૂર્ણિનો હજાર પદ અને દ્વિતીય પાઠ આપ્યો છે. | શ્રુતસ્કંધના તેનાથી પણ વધારે , ૨. સૂત્રકૃતાંગ | છત્રીસ હજાર પદ ) છત્રીસ હજાર પદ | સમવાયાંગના મૂળ અનુસાર જાનંદીના મૂળ અનુસાર જ ૩. સ્થાનાંગ | બોંતેર હજાર પદ | બોતેર હજાર પદ | સમવાયાંગના મૂળ અનુસાર જ નંદીના મૂળ અનુસાર જ ૪. સમવાયાંગ | એક લાખ ચુમ્માલીસ એક લાખ ચુમ્માલીસ સમવાયાંગના મૂળ અનુસાર જ નંદીના મૂળ અનુસાર જ હજાર પદ | હજાર પદ ૫. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ચોર્યાસી હજાર પદ | બે લાખ અઠ્યાસી | સમવાયાંગના મૂળ અનુસાર જ નંદીના મૂળ અનુસાર જ હજાર પદ જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ Page #129 -------------------------------------------------------------------------- ________________ - ૬. જ્ઞાતાધર્મકથા| સંખેય હજાર પદ | સંખેય હજાર પદ | પાંચ લાખ છોંતેર હજાર પદ) સમવાયાંગની વૃત્તિ અનુસાર જ અથવા સૂત્રાલાપકરૂપ સંખ્યય બધું સમજવું જોઈએ. વિશેષમાં છે હજાર પદ ઉપસર્ગ પદ, નિપાતપદ, નામિકપદ, આખ્યાતપદ અને મિશ્રપદની અપેક્ષાથી પાંચ લાખ છોંતેર હજાર પદ સમજવા જોઈએ. અંગ ગ્રંથોનો બાહ્ય પરિચય ૭. ઉપાસકદશા | સંખ્યય લાખ પદ | સંવેય હજાર પદ | બાવન હજાર પદ અગિયાર લાખ બાવન હજાર્ચ પદ અથવા સૂબાલાપકરૂપ સંખેય હજાર પદ ૮, અંતકૃદશા | સંવેય હજાર પદ | સંખેય હજાર પદ ત્રેવીસ લાખ ચાર હજાર પદ | સંખેય હજાર પદ અથોત ત્રેવીસ લાખ ચાર હજાર પદ ૯.અનુત્તરૌપ- | સંખ્યય લાખ પદ | સંવેય હજાર પદ | છેતાલીસ લાખ આઠ હજાર પદી છેતાલીસ લાખ આઠ હજાર પર્વ પાતિકદશા ૧૦. પ્રશ્ન- | સંખ્યય લાખ પદ | સંખેય હજાર પદ | બાણ લાખ સોળ હજાર પદ | બાણ લાખ સોળ હજાર પદ વ્યાકરણ ૧૧. વિપાકસૂત્ર | સંખ્યય લાખ પદ | સંખેય હજાર પદ | એક કરોડ ચોર્યાસી લાખ એક કરોડ ચોયૉસી લાખની 1 બત્રીસ હજાર પદ. | બત્રીસ હજાર પદ _| 2 Page #130 -------------------------------------------------------------------------- ________________ અંગઆગમ કોષ્ટક- ૨ સચેલક પરંપરા બારમા અંગ દૃષ્ટિવાદનાં ચૌદ પૂર્વો રસમવાયાંગગત ૩. નંદિગત[૪. સમવાયાંગ પદસંખ્યા પદસંખ્યા |-વૃત્તિ ૧. પૂર્વનું નામ પ. નદિ-વૃત્તિ |૧. ઉત્પાદ એક કરોડ પદ એક કરોડ પદ ૨. અગ્રાયણીય છન્નુ લાખ પદ છન્નુ લાખ પદ ૩. વીર્ય પ્રવાદ સિત્તેર લાખ પદ સિત્તેર લાખ પદ સાઠ લાખ પદ સિાઠ લાખ પદ ૪.અસ્તિ-નાસ્તિપ્રવાદ ૫. જ્ઞાનપ્રવાદ એક કરોડમાં એક એક કરોડમાં એક ઓછુ પદ ઓછું પદ એક કરોડ છ પદ એક કરોડ છ પદ ૬. સત્યપ્રવાદ ૭. આત્મપ્રવાદ છવ્વીસ કરોડ પદ છવ્વીસ કરોડપદ ૮. કર્મપ્રવાદ એક કરોડ એક કરોડ એશી એંશી હજાર પદ હજાર પદ ચોર્યાસી લાખ પદ ચોર્યાસી લાખ પદ ૯. પ્રત્યાખ્યાનપદ ૧૦. વિદ્યાનુવાદ એક કરોડ દસ દસ લાખ પદ લાખ પદ છવ્વીસ કરોડ પદ છવ્વીસ કરોડ પદ ૧૧. અવંધ્ય ૧૨. પ્રાણાયુ ૧૩. ક્રિયાવિશાલ ૧૪. લોકબિંદુસાર એક કરોડ એક કરોડ છપ્પન છપ્પન લાખ પદ લાખ પદ નવ કરોડ પદ નવ કરોડ પદ સાડાબાર કરોડ પદસાડાબાર કરોડ પદ Page #131 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો બાહ્ય પરિચય કોષ્ટક - ૩ સચેલક પરંપરા અગિયાર અંગ ૨. પદપરિમાણ ૧. અંગનું નામ ૩. ક્યા ગ્રંથમાં નિર્દેશ ૧. આચારાંગ ૧૮૦૦૦ ધવલા, જયધવલા, ગોમ્મસાર અને અંગપણત્તિ ૨. સૂત્રકૃતાંગ ૩૬૦૦૦ ૩. સ્થાનાંગ ૪૨૦૦૦ ૪. સમવાયાંગ ૧૬૪000 ૫. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૨૨૮૦૦૦ ૬. જ્ઞાતાધર્મકથા પપ૬૦૦૦ ૭. ઉપાસકદશા ૧૧૭૦૦૦૦ ૮. અન્તકૃદશા ૨૩૨૮૦૦૦ ૯.અનુત્તરપપાતિકદશા ૯૨૪૪૦૦૦ ૧૦. પ્રશ્નવ્યાકરણ ૯૩૧૬૦૦૦ ૧૧. વિપાકશ્રુત ૧૮૪00000 Page #132 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ૧. પૂર્વનું નામ ૧. ઉત્પાદ ૨. અગ્રાયણ-અગ્રાયણીય ૩. વીર્યપ્રવાદ-વીર્યાનુપ્રવાદ ૪. અસ્તિનાસ્તિપ્રવાદ ૫. જ્ઞાનપ્રવાદ ૬. સત્યપ્રવાદ એક કરોડમાં એક ઓછું પદ એક કરોડ છ પદ છવ્વીસ કરોડ પદ એક કરોડ એંશી લાખ પદ ચોર્યાસી લાખ પદ ૧૦. વિદ્યાનુવાદ-વિઘાનુપ્રવાદ એક કરોડ દસ લાખ પદ છવ્વીસ કરોડ પદ ૧૧. કલ્યાણ (અવન્ધ્ય) તેર કરોડ પદ ૧૨. પ્રાણવાદ-પ્રાણાવાય ૭. આત્મપ્રવાદ ૮. કર્મપ્રવાદ ૯. પ્રત્યાખ્યાન ૧૩. ક્રિયાવિશાલ ૧૪. લોકબિંદુસાર કોષ્ટક - ૪ અચેલક પરંપરા ચૌદ પૂર્વ ૨. પદસંખ્યા એક કરોડ પદ (પ્રાણાયુ) છઠ્ઠું લાખ પદ સિત્તેર લાખ પદ સાઠ લાખ પદ નવ કરોડ પદ બાર કરોડ પચાસ લાખ પદ અંગઆગમ ૩. કયા ગ્રંથમાં નિર્દેશ ધવલા, ગોમ્મટસાર અંગપણત્તિ 11 "" "" જયધવલા "" 37 "" "" 1:4 : :: ક અને Page #133 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો બાહ્ય પરિચય ૯૯ પૂર્વોની પદસંખ્યામાં બંને પરંપરાઓમાં ઘણુંબધું સામ્ય છે. અગિયાર અંગોની પદસંખ્યામાં વિશેષ તફાવત છે. સચેલક પરંપરામાં આ સંખ્યા પ્રથમ અંગથી શરૂ થઈ આગળ આગળ ક્રમશઃ બમણી બમણી થતી જતી માલુમ પડે છે. અચેલક પરંપરાના ઉલ્લેખોમાં એવું નથી. વર્તમાનકાળે ઉપલબ્ધ અંગસૂત્રોની પદસંખ્યા ઉપર્યુક્ત બંને પ્રકારની પદસંખ્યાથી જુદી છે. પ્રથમ અંગમાં અઢાર હજાર પદો બતાવવામાં આવે છે. આચારાંગ (પ્રથમ અંગોના બે વિભાગો છે: પ્રથમ શ્રુતસ્કંધ અને પાંચ ચૂલિકાઓ સહિત દ્વિતીય શ્રુતસ્કંધ. આમાંથી પાંચમી ચૂલિકા નિશીથસૂત્ર રૂપે એક સ્વતંત્ર ગ્રંથ જ છે. આથી તે અહીં અભિપ્રેત નથી. બીજા શબ્દોમાં કહીએ તો અહીં માત્ર ચાર ચૂલિકાઓ સહિત દ્વિતીય શ્રુતસ્કંધ જ વિવક્ષિત છે. હવે પ્રશ્ન એ થાય છે કે ઉપર્યુક્ત અઢાર હજાર પદો બંને શ્રુતસ્કંધોના છે કે માત્ર પ્રથમ શ્રુતસ્કંધના ? આ વિષયમાં આચારાંગ-નિર્યુક્તિકાર, આચારાંગવૃત્તિકાર, સમવાયાંગ-વૃત્તિકાર તથા નંદી-વૃત્તિકાર–આ ચારેય એકમત છે કે અઢાર હજાર પદો માત્ર પ્રથમ શ્રુતસ્કંધના છે. દ્વિતીય શ્રુતસ્કંધની પદસંખ્યા જુદી જ છે. સમવાયાંગ અને નંદિસૂત્રના મૂળ પાઠમાં જ્યાં પદસંખ્યા બતાવવામાં આવી છે ત્યાં આ પ્રકારનું કોઈ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી. ત્યાં માત્ર એટલું જ બતાવવામાં આવ્યું છે કે આચારાંગના બે શ્રુતસ્કંધો છે, પચ્ચીસ અધ્યયનો છે, પંચાસી ઉદ્દેશકો છે, પંચાસી સમુદેશકો છે, અઢાર હજાર પદો છે, સંખેય અક્ષરો છે. આ પાઠ જોતાં એવો જનિષ્કર્ષ કાઢી શકાય કે અઢાર હજાર પદો સંપૂર્ણ આચારાંગના અર્થાત્ આચારાંગના બંને શ્રુતસ્કંધોના છે, કોઈ એક શ્રુતસ્કંધના નહિ. જે રીતે પચીસ અધ્યયનો, પંચાસી ઉદ્દેશકો વગેરે બંને શ્રુતસ્કંધોના એકઠાં થઈને છે તે જ રીતે અઢાર હજાર પદો પણ બંને શ્રુતસ્કંધોના એકઠાં થઈને છે. પદનો અર્થ: પદ શું છે? પદનું સ્વરૂપ દર્શાવતાં વિશેષાવશ્યકભાષ્યકાર કહે છે કે પદ અર્થનું વાચક અને દ્યોતક હોય છે. બેસવું, બોલવું, અશ્વ, વૃક્ષ વગેરે પદો વાચક છે. પ્ર, પરિ, તથા, વા ઈત્યાદિ પદો દ્યોતક છે. અથવા પદોના પાંચ પ્રકાર છે : નામિક, નૈપાતિક, ઔપસર્ગિક, આખ્યાતિક અને મિશ્ર. અશ્વ, વૃક્ષ વગેરે નામિક છે. ખલુ, હિ ઇત્યાદિ નૈપાતિક છે. પરિ, અપ, અનુ વગેરે ઔપસર્ગિક છે. દોડે છે, જાય છે, આવે છે વગેરે આખ્યાતિક છે. સંયત, પ્રવર્ધમાન, નિવર્તમાન વગેરે પદો મિત્ર છે. એ ૧. વિશેષાવશ્યકભાષ્ય, ગા. ૧૦૩, પૃ. ૪૬૭. Page #134 -------------------------------------------------------------------------- ________________ અંગઆગમ જ રીતે અનુયોગદ્વારવૃત્તિ, અગસ્ત્યસિંહ વિરચિત દશવૈકાલિકચૂર્ણિ, હરિભદ્રકૃત દશવૈકાલિકવૃત્તિ, શીલાંકકૃત આચારાંગવૃત્તિ વગેરેમાં પદનું સ્વરૂપ ઉદાહરણ સાથે બતાવવામાં આવેલ છે. પ્રથમ કર્મગ્રંથની સાતમી ગાથા અંતર્ગત પદની વ્યાખ્યા કરતાં દેવેન્દ્રસૂરિ કહે છે —‘પરં તુ અર્થસમાપ્તિ: ત્યાધુત્તિસગ્માવેઽપિ યેન નવિત્ પલેન अष्टादशपदसहस्रादिप्रमाणा आचारादिग्रन्था गीयन्ते तदिह गृह्यते, तस्यैव द्वादशाङ्गश्रुतपरिमाणेऽधिकृतत्वात् श्रुतभेदानामेव चेह प्रस्तुतत्वात् । तस्य च पदस्य તથાવિધાનાયામાવાત્ પ્રમાળ ન જ્ઞાયતે '' અર્થાત્ અર્થસમાપ્તિનું નામ પદ છે પરંતુ પ્રસ્તુતમાં જે કોઈ પદ વડે આચારાંગ વગેરે ગ્રંથોના અઢાર હજાર અને યથાક્રમ અધિક પદો સમજવા જોઈએ. એવા જ પદોની આ શ્રુતજ્ઞાન રૂપ દ્વાદશાંગના પરિમાણમાં ચર્ચા છે. આ પ્રકારના પદના પરિમાણના સંબંધમાં આપણી પાસે કોઈ પરંપરા નથી કે જેના દ્વારા પદનું નિશ્ચિત સ્વરૂપ જાણી શકાય. નંદી વગેરેમાં ઉલ્લિખિત પદસંખ્યા અને સચેલક પરંપરાના આચારાંગાદિ વિદ્યમાન ગ્રંથોની ઉપલબ્ધ શ્લોકસંખ્યાના સમન્વયનો કોઈ પણ ટીકાકારે પ્રયત્ન કર્યો નથી. ૧૦૦ અચેલક પરંપરાના રાજવાર્તિક, સર્વાર્થસિદ્ધિ તથા શ્લોકવાર્તિકમાં એ વિશે કોઈ ઉલ્લેખ નથી. જયધવલામાં પદના ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે : પ્રમાણપદ, અર્થપદ અને મધ્યમપદ. આઠ અક્ષરોના પરિમાણવાળું પ્રમાણપદ છે. એવા ચાર પ્રમાણપદોનો એક શ્લોક થાય છે. જેટલા અક્ષરો દ્વારા અર્થનો બોધ હોય તેટલા અક્ષરોવાળું અર્થપદ હોય છે. ૧૬૩૪૮૩૦૭૮૮૮ અક્ષરોવાળું મધ્યમપદ કહેવાય છે. ધવલા, ગોટસાર અને અંગપણત્તિમાં પણ આ જ વ્યાખ્યા કરવામાં આવી છે. આચારાંગ વગેરેમાં પદોની જે સંખ્યા બતાવવામાં આવી છે તેમાં પ્રત્યેક પદમાં એટલા અક્ષર સમજવા જોઈએ. આ રીતે આચારાંગના ૧૮૦૦૦ પદોના અક્ષરોની સંખ્યા ૨૯૪૨૬૯૫૪૧૯૮૪૦૦૦ થાય છે. અંગપણત્તિ વગેરેમાં આવી સંખ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ આચારાંગના અઢાર હજાર પદોના શ્લોકોની સંખ્યા ૯૧૯૫૯૨૩૧૧૮૭૦૦૦ બતાવવામાં આવી છે. એ જ રીતે અન્ય અંગોના શ્લોકો તથા અક્ષરોની સંખ્યા પણ બતાવવામાં આવી છે. વર્તમાનકાળે ઉપલબ્ધ અંગો સાથે તો સચેલક-સંમત પદસંખ્યાનો કે ન અચેલક-સંમત પદસંખ્યાનો મેળ બેસે છે. ૧. વિશેષાવશ્યકભાષ્ય, પૃ. ૨૪૩-૪૪. ન ૨. એજન, પૃ. ૯ ૩. પ્રથમ અધ્યયનની પ્રથમ ગાથા ૪. પ્રથમ શ્રુતસ્કંધનું પ્રથમ સૂત્ર Page #135 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો બાહ્ય પરિચય ૧૦૧ બૌદ્ધ ગ્રંથોમાં તેમના પિતકોના પરિમાણના વિષયમાં ઉલ્લેખ મળે છે. મઝિમનિકાય, દીઘનિકાય, સંયુત્તનિકાય વગેરેની જે સૂત્રસંખ્યા બતાવવામાં આવી છે તેમાં પણ વર્તમાન સમયે ઉપલબ્ધ સૂત્રોની સંખ્યાનો પૂરો મેળ બેસતો નથી. વૈદિક પરંપરામાં “તશાd: સશરિવ:' આ જાતની ઉક્તિ દ્વારા વેદોની સેંકડોહજારો શાખાઓ માનવામાં આવે છે. બ્રાહ્મણો, આરણ્યકો, ઉપનિષદો તથા મહાભારતના લાખો શ્લોક હોવાની માન્યતા પ્રચલિત છે. પુરાણોના પણ એટલા શ્લોક હોવાની કથા જાણીતી છે. અંગોનો ક્રમઃ અગિયાર અંગોના ક્રમમાં સર્વપ્રથમ આચારાંગ છે. આચારાંગને ક્રમમાં સહુ પ્રથમ સ્થાન આપવું બધી રીતે યોગ્ય છે કેમ કે સંઘવ્યવસ્થામાં સહુથી પહેલાં આચારની વ્યવસ્થા અનિવાર્ય હોય છે. આચારાંગની પ્રાથમિકતાના વિષયમાં બે જુદા જુદા ઉલ્લેખો મળે છે. કોઈ કહે છે કે પહેલાં પૂર્વોની રચના થઈ ત્યારબાદ આચારાંગ વગેરે બન્યાં. કોઈ કહે છે સહુ પ્રથમ આચારાંગ બન્યું અને ત્યારબાદ બીજી રચનાઓ થઈ. ચૂર્ણિકારો અને વૃત્તિકારોએ આ બે પરસ્પર વિરોધી ઉલ્લેખોની સંગતિ બેસાડવાનો અપેક્ષિત પ્રયાસ કર્યો છે. છતાં પણ એમ માનવું વિશેષ યોગ્ય અને બુદ્ધિગ્રાહ્ય છે કે સહુ પ્રથમ આચારાંગની રચના થઈ. “પૂર્વ' શબ્દના અર્થનો આધાર લઈને એવી કલ્પના કરવામાં આવે છે કે પૂર્વોની રચના પહેલાં થઈ, પરંતુ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે એમાં પણ આચારાંગ વગેરે શાસ્ત્રોનો સમાવેશ છે જ. આથી પૂર્વોમાં પણ સર્વપ્રથમ આચારની વ્યવસ્થા ન કરવામાં આવી હોય એવું કઈ રીતે કહી શકાય? “પૂર્વ” શબ્દ વડે માત્ર એટલું જ ધ્વનિત થાય છે કે તે સંઘપ્રવર્તકની સામે કોઈ પૂર્વપરંપરા અથવા પૂર્વપરંપરાનું સાહિત્ય વિદ્યમાન હતું જેનો આધાર લઈને તેણે સમયાનુસાર અથવા પરિસ્થિતિ અનુસાર કંઈક પરિવર્તન સાથે નવી આચાર-યોજના એવી રીતે તૈયાર કરી કે જેના વડે નવનિર્મિત સંઘનો આધ્યાત્મિક વિકાસ થઈ શકે. ભારતીય સાહિત્યમાં ભાષા વગેરેની દષ્ટિએ વેદ સહુથી પ્રાચીન છે, એવો વિદ્વાનોનો નિશ્ચિત મત છે. પુરાણ આદિને ભાષા વગેરેની દષ્ટિએ પાછળની રચના માનવામાં આવેલ છે. આમ હોવા છતાં પણ “પુરાણ' શબ્દ વડે જે પ્રાચીનતાનો ભાસ થાય છે તેના આધારે વાયુપુરાણમાં કહેવામાં આવ્યું છે કે બ્રહ્માએ બધા શાસ્ત્રોની પહેલાં પુરાણોનું સ્મરણ કર્યું હતું. તે પછી તેમના મુખમાંથી વેદો નીકળ્યા. જૈન ૧. આચારાંગ નિર્યુક્તિ, ગાથા ૮-૯; આચારાંગવૃત્તિ, પૃ. ૫ २. प्रथमं सर्वशास्त्राणां पुराणं ब्रह्मणा स्मृतम् । अनन्तरं च वक्त्रेभ्यो वेदास्तस्य विनिःसृताः ॥ –વાયુપુરાણ (પત્રકાર), પત્ર ૨, Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ અંગઆગમ પરંપરામાં સંભવ છે કે આ પ્રકારની કલ્પનાના આધારે પૂર્વોને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું હોય. હવે આપણી સામે પૂર્વો છે નહિ આથી તેમની રચના વગેરે વિષયમાં વિશેષ કંઈ કહી શકાતું નથી. આચારાંગને સર્વપ્રથમ સ્થાન આપવામાં પ્રથમ અને પ્રમુખ હેતુ છે તેનો વિષય. બીજો હેતુ એ છે કે જ્યાં જ્યાં અંગોના નામો આવ્યાં છે ત્યાં ત્યાં મૂળમાં અથવા વૃત્તિમાં સહુથી પહેલાં આચારાંગનું જ નામ આવ્યું છે. ત્રીજો હેતુ એ છે કે તેનાં નામના પ્રથમ ઉલ્લેખ વિષયમાં કોઈએ કંઈ પણ વિસંવાદ કે વિરોધ પ્રગટ કર્યો નથી. આચારાંગ પછી જે સૂત્રકૃતાંગ વગેરે નામો આવ્યાં છે તેમના ક્રમની યોજના કોણે કેવી રીતે કરી તેની ચર્ચા માટે આપણી પાસે કોઈ ઉલ્લેખનીય સાધન નથી. એટલું જરૂર કહી શકાય કે સચેલક અને અચલક બંને પરંપરાઓમાં અંગોનો એક જ ક્રમ છે. તેમાં આચારાંગનું નામ સહુ પ્રથમ આવે છે અને પછી સૂત્રકૃતાંગ વગેરેનું. અંગોની શૈલી અને ભાષાઃ શૈલીની દૃષ્ટિએ પ્રથમ અંગમાં ગદ્યાત્મક અને પદ્યાત્મક બંને પ્રકારની શૈલી છે. દ્વિતીય અંગમાં પણ આ જ પ્રકારની શૈલી છે. ત્રીજાથી માંડી અગિયારમા અંગ સુધી ગદ્યાત્મક શૈલીનો જ આધાર લેવામાં આવ્યો છે. તે બધામાં ક્યાંય એક પણ પદ્ય નથી એવું તો કહી ન શકાય, પરંતુ મુખ્યપણે તે બધાં ગદ્યમાં જ છે. તેમાં પણ જ્ઞાતાધર્મકથા વગેરેમાં તો વસુદેવહિંડી અથવા કાદંબરીની ગદ્યશૈલીની સમકક્ષ કહી શકાય તેવી ગદ્ય શૈલીનો ઉપયોગ થયો છે. આ શૈલી તેમના રચનાકાળ પર પ્રકાશ નાખવા માટે પણ સમર્થ છે. આપણા સાહિત્યમાં પદ્ય શૈલી અતિ પ્રાચીન છે તથા કાવ્યાત્મક ગદ્ય શૈલી તેની અપેક્ષાએ અર્વાચીન છે. ગદ્ય યાદ રાખવું ઘણું મુશ્કેલ હોય છે એટલા માટે ગદ્યાત્મક ગ્રંથોમાં અહીંતહીં સંગ્રહગાથાઓ આપવામાં આવે છે કે જેનાથી વિષય યાદ રાખવામાં સહાય મળે છે. જૈન ગ્રંથોને પણ આ જ વાત લાગુ પડે છે. આ પ્રસંગે એ બતાવવું આવશ્યક છે કે આચારાંગસૂત્રમાં પદ્યસંખ્યા અલ્પ નથી. પરંતુ અતિ પ્રાચીન સમયથી ચાલી આવતી આપણા પૂર્વજોની એ વિષયની અનભિજ્ઞતાને કારણે વર્તમાન સમયમાં આચારાંગનું અનેક વાર પ્રકાશન થવા છતાં પણ તેમાં ગદ્ય-પદ્ય વિભાગનું પૂર્ણપણે પૃથક્કરણ કરી શકાયું નથી. એમ લાગે છે કે વૃત્તિકાર શીલાંકને પણ આ વિષયમાં પૂરી જાણકારી ન હતી. તેમનાથી પહેલાં વિદ્યમાન ચૂર્ણિકારોના વિષયમાં પણ આ જ વાત કહી શકાય છે. વર્તમાન મહાન સંશોધક શ્રી શુબ્રિગે અતિ પરિશ્રમપૂર્વક આચારાંગના સમસ્ત પદોનું પૃથક્કરણ કરી આપણા પર મહાન ઉપકાર કર્યો છે. ખેદ એ વાતનો છે કે આ પ્રકારનું સંસ્કરણ આપણી સમક્ષ Page #137 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો બાહ્ય પરિચય ૧૦૩ હોવા છતાં પણ આપણે નવીન પ્રકાશન વગેરેમાં તેનો પૂરો ઉપયોગ કરી શક્યા નથી. આચારાંગનાં પદ્યો ત્રિષ્ટુમ્, જગતી વગેરે વૈદિક પદ્યો સાથે મળતાં આવે છે. ભાષાની દૃષ્ટિએ જોતાં જૈન આગમોની ભાષા સાધારણપણે અર્ધમાગધી કહેવાય છે. વૈયાકરણો તેને આર્ષ પ્રાકૃત કહે છે. જૈન પરંપરામાં શબ્દ અર્થાત્ ભાષાનું વિશેષ મહત્ત્વ નથી, જે કંઈ મહત્ત્વ છે તે અર્થ અર્થાત્ ભાવનું છે. એટલા માટે જૈન શાસ્ત્રોમાં ક્યારેય ભાષા ૫૨ જો દેવામાં આવ્યું નથી. જૈન શાસ્ત્રોમાં સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે કે ચિત્રવિચિત્ર ભાષાઓ મનુષ્યની ચિત્તશુદ્ધિ કે આત્મવિકાસનું નિર્માણ કરતી નથી. જીવનની શુદ્ધિનું નિર્માણ તો સદ્ વિચારો દ્વારા જ થાય છે. ભાષા તો વિચારોનું વાહન એટલે કે માધ્યમ છે. આથી માધ્યમ હોવા સિવાય ભાષાનું કોઈ મૂલ્ય નથી. પરંપરાથી ચાલતું આવેલું સાહિત્ય ભાષાની દૃષ્ટિએ પરિવર્તિત થતું આવ્યું છે. આથી તેમાં પ્રાકૃત ભાષાનું એક સ્વરૂપ સ્થિર રહ્યું છે એમ કહી શકાય નહિ. એટલા માટે આચાર્ય હેમચંદ્રે જૈન આગમોની ભાષાને આર્ષ પ્રાકૃત નામ આપ્યું છે. પ્રકરણોનો વિષય નિર્દેશ ઃ આચારાંગનાં મૂળ સૂત્રોનાં પ્રકરણોનો વિષયનિર્દેશ નિયુક્તિકારે કર્યો છે, તેમાં તેઓની સૂઝ દેખાઈ આવે છે. સ્થાનાંગ, સમવાયાંગ તથા વિશેષાવશ્યકભાષ્ય કે હારિભદ્રીય આવશ્યકવૃત્તિ વગેરેમાં અનેક સ્થાને આ પ્રકારના ક્રમનો અથવા અધ્યયનોના નામોનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. સમવાયાંગ તથા નંદીના મૂળમાં તો માત્ર પ્રકરણોની સંખ્યા જ આપવામાં આવી છે. આથી આ સૂત્રોના કર્તાઓની સામે નામવાર પ્રકરણોની પરંપરા વિદ્યમાન રહી હશે અથવા નહિ તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. આ નામોનો પરિચય સ્થાનાંગ વગેરે ગ્રંથોમાં મળે છે. આથી એ વાત નિશ્ચિત છે કે અંગગ્રંથોને ગ્રંથબદ્ધ—પુસ્તકારૂઢ કરનારાઓ અથવા અંગગ્રંથો ૫૨ નિર્યુક્તિ લખનારાઓને તેનો પરિચય જરૂર રહ્યો હશે. પરંપરાનો આધાર : આચારાંગના પ્રારંભમાં જ એવું વાક્ય આવે છે કે ‘તે ભગવાને આમ કહ્યું છે’. આ વાક્ય દ્વારા સૂત્રકારે એ વાતનો નિર્દેશ કર્યો છે કે અહીં જે કંઈ કહેવામાં આવી રહ્યું છે તે ગુરુ-પરંપરા અનુસાર છે, સ્વકલ્પિત નહિ. આ પ્રકારના વાક્યો અન્ય ધર્મપરંપરાઓના શાસ્ત્રોમાં પણ મળે છે. બૌદ્ધ પિટકગ્રંથોમાં પ્રત્યેક પ્રકરણની શરૂઆતમાં ‘ä મે સુતા । . સમયે મળવા ાિદૃાયં વિરતિ સુમનવને સાતનમૂલે । ૧ ૧. મઝિમનિકાય - પ્રારંભ. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ અંગઆગમ –આ પ્રકારના વાક્યો આવે છે. વૈદિક પરંપરામાં પણ આ પ્રકારના વાક્યો મળે છે. ઋગ્વદની ઋચાઓમાં અનેક સ્થળે પૂર્વપરંપરાની સૂચના આપવા માટે “નિ: પૂર્વેfમ: ઋષિપિ ડય: નૂતનૈઃ સત’ એમ કહીને પરંપરાને માટે “પૂર્વેfપ:' અથવા “નૂતનૈ' વગેરે પદો રાખવાની પ્રથા સ્વીકારવામાં આવી છે. ઉપનિષદોમાં ક્યાંક પ્રશ્નોત્તરની પદ્ધતિ છે તો ક્યાંક અમુક ઋષિએ અમુકને કહ્યું એવા પ્રકારની પ્રથા સ્વીકૃત છે. સૂત્રકૃતાંગ વગેરેમાં આચારાંગથી જુદા પ્રકારની વાક્યરચના દ્વારા પૂર્વપરંપરાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. પરમતોનો ઉલ્લેખ અંગસૂત્રોમાં અનેક સ્થળે “જે પવયમાળા' એવું કહેતાં સૂત્રકારે પરમતોનો પણ ઉલ્લેખ કર્યો છે. પરમતનું વિશેષ નામ આપવાની પ્રથા ન હોવા છતાં પણ તે મતના વિવેચનથી નામની જાણ થઈ શકે છે. બુદ્ધનું નામ સૂત્રકૃતાંગમાં સ્પષ્ટ આપવામાં આવ્યું છે. એ ઉપરાંત મખ્ખલિપુત્ર ગોશાલના આજીવિક મતનું પણ સ્પષ્ટ નામ આવે છે. ક્યાંક અન્ન સ્થિ—અય્થા એટલે કે અન્ય ગણવાળાઓ આમ કહે છે, એ રીતે કહેતાં પરમતનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આચારાંગમાં તો નહિ, પરંતુ સૂત્રકૃતાંગ વગેરેમાં કેટલાંક સ્થળે ભગવાન પાર્શ્વનાથના શિષ્યોને માટે અથવા પાર્શ્વતીર્થના અનુયાયીઓ માટે પાર્વજ્ઞા” કે “પાસસ્થા” શબ્દોનો પણ પ્રયોગ થયો છે. આજીવિક મતના આચાર્ય ગોશાલકના છ દિશાચર સહાયકો હતા. આ દિશાચરો સંબંધમાં પ્રાચીન ટીકાકારો અને ચૂર્ણિકારોએ કહ્યું છે કે તેઓ પાસત્ય અર્થાત્ પાર્શ્વનાથની પરંપરાના હતા. કેટલાક સ્થાનોમાં અન્ય મતના અનુયાયીઓના કાલોદાયિ વગેરે નામો પણ આવે છે. અન્ય મત માટે બધી જગ્યાએ “મિથ્યા' શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે અર્થાત્ અન્યતીર્થિક જે આવી રીતે કહે છે તે મિથ્યા છે, તેમ કહેવામાં આવ્યું છે. આચારાંગમાં હિંસા-અહિંસાની ચર્ચા પ્રસંગે “પાવાદુ–પ્રવિદુ:' શબ્દ પણ અન્ય મતવાદીઓ માટે પ્રયુક્ત થયો છે. જ્યાં ક્યાંય પણ અન્ય મતનો નિરાસ કરવામાં આવ્યો છે ત્યાં કોઈ વિશેષ પ્રકારની તાર્કિક યુક્તિઓનો પ્રયોગ નહિવત્ છે. “આવું કહેનારા મંદ છે, બાલ છે, આરંભ-સમારંભ તથા વિષયોમાં ફસાયેલા છે. તેઓ દીર્ઘકાળ સુધી ભવભ્રમણ કરતા રહેશે. આ પ્રકારના આક્ષેપો જ મોટા ભાગે જોવા મળે છે. અર્થની વિશેષ સ્પષ્ટતા માટે અહીં તહીં ઉદાહરણો, ઉપમાઓ કે રૂપક પણ આપવામાં આવ્યા છે. સૂર્યગ્રહણાદિ સંબંધી તત્કાલીન મિથ્યાધારણાઓનું નિરસન કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. ઊંચનીચની જાતિગત કલ્પનાનો પણ નિરાસ કરવામાં આવ્યો છે. બૌદ્ધ પિટકોમાં આ પ્રકારની કુશ્રદ્ધાઓના નિરસન માટે જે વિશદ ચર્ચા અને તર્કપદ્ધતિનો ઉપયોગ થયો છે તે કક્ષાની ચર્ચાનો અંગસૂત્રોમાં Page #139 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો બાહ્ય પરિચય ૧૦૫ અભાવ જણાઈ આવે છે. વિષય-વૈવિધ્યઃ અંગગ્રંથોમાં નીચેના વિષયો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. સ્વર્ગ-નરકાદિ પરલોક, સૂર્ય-ચન્દ્રાદિ જ્યોતિષ્ક દેવો, જંબૂઢીપાદિ દ્વીપો, લવણાદિ સમુદ્રો, વિવિધ પ્રકારના ગર્ભો કે જન્મો, પરમાણુ-કંપન, પરમાણુની સાંશતા વગેરે. આ રીતે આ સૂત્રોમાં માત્ર અધ્યાત્મ અને તેની સાધનાની જ ચર્ચા નથી પરંતુ તત્સંબંધી અન્ય અનેક વિષયોની પણ ચર્ચા કરવામાં આવી છે. તેમાં ક્યાંય પણ એમ નથી કહેવામાં આવ્યું કે અમુક પ્રશ્ન તો અવ્યાકૃત છે અર્થાત્ તેનું વ્યાકરણ સ્પષ્ટીકરણ થઈ શકે નહિ. એટલે સુધી કે મુક્તાત્મા અને નિર્વાણના વિષયમાં પણ વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. તત્કાલીન સમાજવ્યવસ્થા, વિદ્યાભ્યાસની પદ્ધતિ, રાજયસંસ્થા, રાજાઓના વૈભવ-વિલાસ, મદ્યપાન, ગણિકાઓનું રાજયસંસ્થામાં સ્થાન, વિવિધ પ્રકારની સામાજિક પ્રણાલિકાઓ, યુદ્ધ, વાદવિવાદ, અલંકારશાળા, ક્ષૌરશાળા, જૈન મુનિઓની આચાર-પ્રણાલિકા, અન્ય મતના તાપસો અને પરિવ્રાજકોની વેશભૂષા, દીક્ષા તથા આચાર-પ્રણાલી, અપરાધીને માટે દંડવ્યવસ્થા, જેલોના વિવિધ પ્રકારો, વ્યાપારવ્યવસાય, જૈન અને અજૈન ઉપાસકોની ચર્યા, માનતા માનવાની અને પૂરી કરવાની પદ્ધતિઓ, દાસપ્રથા, ઇન્દ્ર, રુદ્ર, સ્કંદ, નાગ, ભૂત, યક્ષ, શિવ, વૈશ્રમણ, હરિસેગમેલી વગેરે દેવો, વિવિધ કળાઓ, નૃત્ય, અભિનય, લબ્ધિઓ, વિદુર્વણાશક્તિ, સ્વર્ગમાં થનારી ચોરીઓ વગેરે, નગર, ઉદ્યાન, સમવસરણ (ધર્મસભા), દેવાસુરસંગ્રામ, વનસ્પતિ વગેરે વિવિધ જીવો, તેમનો આહાર, શ્વાસોચ્છવાસ, આયુષ્ય, અધ્યવસાય વગેરે અનેક વિષયો પર અંગગ્રંથોમાં પૂરતો પ્રકાશ પાડવામાં આવ્યો છે. જૈન પરંપરાનું લક્ષ્ય: જૈન તીર્થકરોનું લક્ષ્ય નિર્વાણ છે. વીતરાગદશાની પ્રાપ્તિ તેમનું અંતિમ અને મુખ્ય ધ્યેય છે. જૈન શાસ્ત્રો કથાઓ દ્વારા, તત્ત્વચર્ચા દ્વારા અથવા સ્વર્ગ-નરક, સૂર્યચંદ્ર વગેરેના વર્ણન દ્વારા આનું જ નિરૂપણ કરે છે. જ્યારે વેદોની રચના થઈ ત્યારે વૈદિક પરંપરાનું મુખ્ય ધ્યેય સ્વર્ગપ્રાપ્તિ હતું. આ જ ધ્યેયને લક્ષ્યમાં રાખીને વેદોમાં વિવિધ કર્મકાંડીની યોજના કરવામાં આવી છે. તેમાં હિંસા-અહિંસા, સત્ય-અસત્ય, મદિરાપાન-અપાન ઇત્યાદિની ચર્ચા ગૌણ છે. ધીરે ધીરે ચિંતનપ્રવાહમાં સ્વર્ગપ્રાપ્તિના સ્થાને નિર્વાણ, વીતરાગતા તેમ જ સ્થિતપ્રજ્ઞતાની પ્રતિષ્ઠા થઈ. બાહ્ય કર્મકાંડો પણ તે જ ધ્યેયને અનુકૂળ બન્યા. આમ હોવા છતાં પણ આ નવીન પરિવર્તનની સાથે સાથે પ્રાચીન પરંપરા પણ ચાલતી રહી. તેનું જ પરિણામ છે કે જે ધ્યેય નથી અથવા અંતિમ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ અંગઆગમ સાધ્ય નથી એવા સ્વર્ગના વર્ણનોને પણ પછીના શાસ્ત્રોમાં સ્થાન મળ્યું. ઋગ્વદના પ્રારંભમાં ધનપ્રાપ્તિ માટેની ઇચ્છાથી અગ્નિની સ્તુતિ કરવામાં આવી છે, જયારે આચારાંગના પ્રથમ વાક્યમાં હું કોણ હતો એ રીતે વ્યક્તિના આત્મસ્વરૂપનું જ ચિંતન છે. સૂત્રકૃતાંગના પ્રારંભમાં બંધન અને મોક્ષની ચર્ચા કરવામાં આવી છે અને બતાવવામાં આવ્યું છે કે પરિગ્રહ બંધન છે. થોડાક પરિગ્રહ પર પણ મમતા રાખનાર દુઃખથી દૂર રહી શકતો નથી. આ રીતે જૈન પરંપરાના મૂળમાં આત્મા અને અપરિગ્રહ છે. તેમાં સ્વર્ગપ્રાપ્તિનું મહત્ત્વ નથી. જૈન ગ્રંથોમાં બતાવવામાં આવ્યું છે કે સાધકની સાધનામાં જયારે કોઈ દોષ રહી જાય છે ત્યારે તેને સ્વર્ગરૂપ સંસારમાં ભ્રમણ કરવું પડે છે. બીજા શબ્દોમાં સ્વર્ગ સંયમનું નહિ પરંતુ સંયમગત દોષનું પરિણામ છે. સ્વર્ગપ્રાપ્તિને ભવભ્રમણનું નામ આપીને એમ સૂચિત કરવામાં આવ્યું છે કે જૈન પરંપરામાં સ્વર્ગનું કોઈ મૂલ્ય નથી. અંગસૂત્રોમાં જેટલી પણ કથાઓ આવી છે તે બધીમાં સાધકોના નિર્વાણને જ મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય આચારાંગ વિષય અચલકતા અને સચેલકતા આચારના પર્યાયો પ્રથમ શ્રુતસ્કંધના અધ્યયનો દ્વિતીય શ્રુતસ્કંધની ચૂલિકાઓ એક રોચક કથા પદ્યાત્મક અંશ આચારાંગની વાચનાઓ આચારાંગના કર્તા અંગસૂત્રોની વાચનાઓ દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ મહારાજ ખારવેલ આચારાંગના શબ્દો બ્રહ્મચર્ય અને બ્રાહ્મણ ચતુર્વર્ણ સાત વર્ગો અને નવ વર્ણાન્તરો શસ્ત્રપરિજ્ઞા - આચારાંગમાં ઉલિખિત પરમતો નિગ્રંથસમાજ આચારાંગનાં વચનો સાથે મળતાં વચનો આચારાંગના શબ્દો સાથે મળતા શબ્દો ભાષાશૈલી રૂપે જાણઈ-પાસઇનો પ્રયોગ વસુપદ વેદ આમગંધ આસ્રવ અને પરિશ્નવ Page #142 -------------------------------------------------------------------------- ________________ વર્ષાભિલાષા મુનિઓના ઉપકરણો મહાવીર-ચર્યા કેટલાંક સુભાષિતો દ્વિતીય શ્રુતસ્કંધ આહાર ભિક્ષાયોગ્ય કુળો ઉત્સવ સમયે ભિક્ષા ભિક્ષા માટે જતી વેળાએ રાજકુળોમાં માખણ, મધ, મધ અને માંસ સમ્મિલિત સામગ્રી ગ્રાહ્ય જળ અગ્રાહ્ય ભોજન શàષણા ઈર્યાપથ ભાષાપ્રયોગ વસ્ત્રધારણ પારૈષણા અવગ્રહૈષણા મલમૂત્રવિસર્જન શબ્દશ્રવણ અને રૂપદર્શન પરક્રિયાનિષેધ મહાવીરચરિત મમત્વમુક્તિ વીતરાગતા અને સર્વજ્ઞતા Page #143 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રકરણ અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય આચારાંગ અંગોના બાહ્ય પરિચયમાં અંગગ્રંથોની શૈલી, ભાષા, પ્રકરણ-ક્રમ તથા વિષયવિવેચનની ચર્ચા કરવામાં આવી. અંતરંગ પરિચયમાં નીચેનાં પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવશે – (૧) અચલક અને સચેલક બંને પરંપરાઓના ગ્રંથોમાં નિર્દિષ્ટ અંગોના વિષયોનો ઉલ્લેખ અને તેમની વર્તમાન વિષયો સાથે તુલના. (૨) અંગોનાં મુખ્ય નામો તથા તેમનાં અધ્યયનોનાં નામોની ચર્ચા. (૩) પાઠાંતરો, વાચનાભેદો તથા છંદો વિષયમાં નિર્દેશ. (૪) અંગોમાં ઉપલબ્ધ ઉપોદ્દાત દ્વારા તેમના કર્તુત્વનો વિચાર. (૫) અંગોમાં આવતા કેટલાક આલાપકોની ચૂર્ણિ, વૃત્તિ ઇત્યાદિ અનુસાર તુલનાત્મક ચર્ચા. (૬) અંગોમાં આવતા પરમતસંબંધી ઉલ્લેખોની ચર્ચા. (૭) અંગોમાં આવતા વિશેષ પ્રકારના વર્ણનો, વિશેષ નામો, નગર ઇત્યાદિના નામો તથા સામાજિક અને ઐતિહાસિક ઉલ્લેખો. (૮) અંગોમાં પ્રયુક્ત મુખ્ય મુખ્ય શબ્દો વિષયમાં નિર્દેશ. અચેલક પરંપરાના રાજવાર્તિક, ધવલા, જયધવલા, ગોમ્મસાર, અંગપષ્ણત્તિ વગેરે ગ્રંથોમાં બતાવાયું છે કે આચારાંગમાં મનશુદ્ધિ, વચનશુદ્ધિ, કાયશુદ્ધિ, ૧. (અ) પ્રથમ શ્રુતસ્કંધ–w.schubring, Leipzig, 190; જૈન સાહિત્ય સંશોધકસમિતિ પૂના, ઈ.સ. ૧૯૨૪. (આ) નિયુક્તિ તથા શીલાંક, જિનહંસ અને પાર્જચંદ્રની ટીકાઓ સાથે-ધનપતસિંહ, કલકત્તા, વિ.સં. ૧૯૩૬. (ઇ) નિયુક્તિ અને શીલાંકની ટીકા સાથે–આગમોદયસમિતિ, સુરત, વિ.સં.૧૯૭૨-૭૩. (ઈ) અંગ્રેજી અનુવાદ–H. Jacobi, S. B.E. series; Vol. 22, Oxford 1884. (ઉ) મૂળ-H. Jacobi, Pali Text Society, London 1882. (ઊં) પ્રથમ શ્રુતસ્કંધનો જર્મન અનુવાદ–Worte Mahavira, W. Schubring, Leipzig; 1926. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ અંગઆગમ ભિક્ષાશુદ્ધિ, ઇર્ષાશુદ્ધિ, ઉત્સર્ગશુદ્ધિ, શયનાસનશુદ્ધિ તથા વિનયશુદ્ધિ-આ આઠ પ્રકારની શુદ્ધિઓનું વિધાન છે. સચેલક પરંપરાના સમવાયાંગસૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે નિગ્રંથસંબંધી આચાર, ગોચર, વિનય, વૈયિક, સ્થાન, ગમન, ચંક્રમણ, પ્રમાણ, યોગ યોજના, ભાષા, સમિતિ, ગુપ્તિ, શય્યા, ઉપધિ, આહાર-પાણીસંબંધી ઉગમ, ઉત્પાદ, એષણાવિશુદ્ધિ અને શુદ્ધાશુદ્ધગ્રહણ, વ્રત, નિયમ, તપ, ઉપધાન, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર તથા વીર્યાચારવિષયક સુપ્રશસ્ત વિવેચન આચારાંગમાં મળે છે. નંદિસૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે આચારાંગમાં શ્રમણ નિગ્રંથોના આચાર, ગોચર, વિનય, વૈનયિક, શિક્ષા, ભાષા, અભાષા, ચરણકરણ, યાત્રા, માત્રા તથા વિવિધ અભિગ્રહવિષયક વૃત્તિઓ અને જ્ઞાનાચારાદિ પાંચ પ્રકારના આચાર પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. સમવાયાંગ અને નંદિસૂત્રમાં આચારાંગના વિષયમાં નિરૂપણ કરતાં પ્રારંભમાં જ માયા-લેયર એ બે શબ્દો મૂકવામાં આવ્યા છે. આ શબ્દો આચારાંગના પ્રારંભિક અધ્યયનોમાં મળતા નથી. વિમોહ અથવા વિમોક્ષ નામના આઠમા અધ્યયનના પ્રથમ ઉદ્દેશકમાં “માયા–ોયર એવો ઉલ્લેખ મળે છે. આ જ અધ્યયનના બીજા ઉદ્દેશકમાં માયાજોયાં માફવર' એ વાક્યમાં પણ આચાર-ગોચરવિષયક નિરૂપણ છે. આઠમાં (8) ગુજરાતી અનુવાદ-રવજીભાઈ દેવરાજ, જૈન પ્રિન્ટિંગ પ્રેસ, અમદાવાદ, ઈ.સ.૧૯૦૨ અને ૧૯૦૬. (એ) ગુજરાતી છાયાનુવાદ–ગોપાલદાસ જીવાભાઈ પટેલ, નવજીવન કાર્યાલય, અમદાવાદ, વિ.સં. ૧૯૯૨. (ઐ) હિંદી અનુવાદ સહિત–અમોલકત્રઋષિ, હૈદરાબાદ, વિ.સં. ૨૪૪૬. (ઓ) પ્રથમ શ્રુતસ્કંધનો ગુજરાતી અનુવાદ–મુનિ સૌભાગ્યચંદ્ર (સંતબાલ) મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, અમદાવાદ, ઈ.સ.૧૯૩૬ . (ઔ) સંસ્કૃત વ્યાખ્યા અને તેના હિંદી, ગુજરાતી અનુવાદ સાથે-મુનિ ઘાસીલાલ, જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ. ૧૯૫૭ (અ) હિંદી છાયાનુવાદ–ગોપાલદાસ જીવાભાઈ પટેલ, જે. સ્થા. જૈન કોન્ફરન્સ, મુંબઈ, વિ.સં. ૧૯૯૪. (અ) પ્રથમ શ્રુતસ્કંધનો બંગાળી અનુવાદ–હીરાકુમારી, જૈન શ્વે. તેરાપંથી મહાસભા, કલકત્તા, વિ.સં. ૨૦૦૯. Page #145 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય : આચારાંગ અધ્યયનમાં સાધક શ્રમણના ખાનપાન તથા વસ્ત્રપાત્રના વિષયમાં પણ ચર્ચા છે. તેમાં તેના નિવાસસ્થાનનો પણ વિચાર કરવામાં આવ્યો છે. સાથે જ અચેલક—યથાજાતશ્રમણ તથા તેની મનોવૃત્તિનું પણ નિરૂપણ છે. એ જ રીતે એકવસ્ત્રધારી, દ્વિવસ્ત્રધારી તથા ત્રિવસ્ત્રધારી ભિક્ષુઓ અને તેમનાં કર્તવ્યો અને મનોવૃત્તિઓ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ આચાર-ગોચરની ભૂમિકારૂપ આધ્યાત્મિક યોગ્યતા પર જ પ્રારંભિક અધ્યયનોમાં ભાર મૂકવામાં આવ્યો છે. વિષય : વર્તમાન આચારાંગમાં શું ઉપર્યુક્ત વિષયોનું નિરૂપણ છે ? જો છે તો કેવી રીતે ? ઉપર્યુક્ત રાજવાર્તિક વગેરે ગ્રંથોમાં આચારાંગના જે વિષયોનો ઉલ્લેખ છે તે એટલા વ્યાપક અને સામાન્ય છે કે અગિયારે અંગોમાંથી દરેક અંગમાં કોઈને કોઈ રીતે તેમની ચર્ચા આવે જ છે. તેમનો સંબંધ માત્ર આચારાંગ સાથે જ નથી. અચેલક પરંપરાના રાજવાર્તિક વગેરે ગ્રંથોમાં આચારાંગના શ્રુતસ્કંધ, અધ્યયનો વગેરે વિષયમાં કોઈ ઉલ્લેખ મળતો નથી. તેમાં માત્ર તેની પદસંખ્યા વિષયમાં ઉલ્લેખ મળે છે. સચેલક પરંપરાના સમવાયાંગ તથા નંદિસૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે આચારાંગના બે શ્રુતસ્કંધ છે, પચીસ અધ્યયનો છે. તેમાં પદસંખ્યા વિષયમાં પણ ઉલ્લેખ મળે છે. આચારાંગના બે શ્રુતસ્કંધોમાંથી પ્રથમ શ્રુતસ્કંધનું નામ ‘બ્રહ્મચર્ય’ છે. તેનાં નવ અધ્યયનો હોવાને કારણે તેને ‘નવ બ્રહ્મચર્ય’ કહેવામાં આવેલ છે. દ્વિતીય શ્રુતસ્કંધ પ્રથમ શ્રુતસ્કંધની ચૂલિકારૂપ છે. તેનું બીજું નામ ‘આચારાગ્ર’ પણ છે. વર્તમાનકાળે પ્રચલિત પદ્ધતિ અનુસાર તેને પ્રથમ શ્રુતસ્કંધનું પરિશિષ્ટ પણ કહી શકીએ. રાજવાર્તિક વગેરે ગ્રંથોમાં આચારાંગનો જે વિષય બતાવવામાં આવ્યો છે તે દ્વિતીય શ્રુતસ્કંધમાં અક્ષરશઃ મળી આવે છે. આ સંબંધમાં નિર્યુક્તિકાર અને વૃત્તિકાર કહે છે કે સ્થવિર પુરુષોએ શિષ્યોના હિતની દૃષ્ટિએ આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધના અપ્રગટ અર્થને પ્રગટ કરીને—વિભાગશઃ સ્પષ્ટ કરીને ચૂલિકારૂપ—આચારાગ્ર રૂપ દ્વિતીય શ્રુતસ્કંધની રચના કરી છે. નવબ્રહ્મચર્યના પ્રથમ અધ્યયન ‘શસ્ત્રપરિજ્ઞા'માં સમારંભ–સમાલંભ અથવા આરંભ—આલંભ અર્થાત્ હિંસાના ત્યાગરૂપ સંયમ વિષયમાં જે વિચાર સામાન્યપણે રાખવામાં આવ્યા છે તેમનો જ યથોચિત વિભાગ કરી દ્વિતીય શ્રુતસ્કંધમાં પાંચ મહાવ્રતો અને તેમની ભાવનાઓની સાથોસાથ જ સંયમની એકવિધતા, દ્વિવિધતા વગેરેનો તથા ચાતુર્યામ, પંચયામ, રાત્રિભોજનત્યાગ ઇત્યાદિનો પરિચય આપવામાં આવ્યો છે. દ્વિતીય અધ્યયન ‘લોકવિજય'ના પાંચમા ઉદ્દેશકમાં આવતા ‘સવ્વામાંધે પરિત્રાય નિામાંધે પરિવ્ય’ તથા ‘અવિસ્મમાળે વય-વિધાસૢ' આ વાક્યોમાં અને આઠમા વિમોક્ષ અથવા વિમોહ નામના અધ્યયનના દ્વિતીય ઉદ્દેશકમાં આવતા ‘સે મિલ્લૂ ૧૧૧ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ અંગઆગમ પરમેન વા વિક્રેન વ...સુતિ વા ઉમૂifસ વા...' આ વાક્યમાં જે ભિક્ષુચર્યા સંક્ષેપમાં બતાવવામાં આવી છે તેને ધ્યાનમાં રાખતાં દ્વિતીય શ્રુતસ્કંધમાં એકાદશ પિંડેષણાઓનો વિસ્તારથી વિચાર કરવામાં આવ્યો છે. એ જ રીતે દ્વિતીય અધ્યયનના પંચમ ઉદ્દેશકમાં નિર્દિષ્ટ “વલ્થ ડિદિશંવતં પાયjછvi નો હિંડો 'ને મૂળભૂત માનતાં વઐષણા, પાત્રષણા, અવગ્રહપ્રતિમા, શય્યા વગેરેનું આચારાગ્રમાં વિવેચન કરવામાં આવ્યું છે. પાંચમા અધ્યયનના ચતુર્થ ઉદ્દેશકમાં જામપુIIમં તૂફનમMલ્સ' એ વાક્યમાં આચારચૂલિકાના સંપૂર્ણ દર્યા અધ્યયનનું મૂળ વિદ્યમાન છે. ધૂત નામક છઠ્ઠા અધ્યયનના પાંચમા ઉદ્દેશકના “ફિત્તે વિમા જિદ્દે વેવી’ એ વાક્યમાં દ્વિતીય શ્રુતસ્કંધના “ભાષાજાત' અધ્યયનનું મૂળ છે. એ રીતે નવબ્રહ્મચર્ય રૂપ પ્રથમ શ્રુતસ્કંધ આચારચૂલિકારૂપ દ્વિતીય શ્રુતસ્કંધનો આધારસ્તંભ છે. પ્રથમ શ્રતસ્કંધનાં ઉપધાનશ્રત નામકનવમા અધ્યયનના બે ઉદ્દેશકોમાં ભગવાન મહાવીરની ચર્યાનું ઐતિહાસિક દષ્ટિએ અતિ મહત્ત્વપૂર્ણ વર્ણન છે. આ વર્ણન જૈન ધર્મના પાયારૂપ આંતરિક અને બાહ્ય અપરિગ્રહની દૃષ્ટિએ પણ અત્યંત મહત્ત્વનું છે. વૈદિક પરંપરાનાં હિંસારૂપ આલંબનનો સર્વથા નિષેધ કરનાર અને અહિંસાને જધર્મરૂપ બતાવનાર શસ્ત્રપરિજ્ઞા નામક પ્રથમ અધ્યયન પણ ઓછા મહત્ત્વનું નથી. તેમાં હિંસારૂપ સ્નાન આદિ શૌચધર્મને પડકારવામાં આવેલ છે. સાથોસાથ જ વૈદિક અને બૌદ્ધ પરંપરાના મુનિઓની હિંસારૂપ ચર્યા વિષયમાં પણ સ્થાને સ્થાને વિવેચન કરવામાં આવ્યું છે તથા “સર્વ પ્રાણોનું હનન કરવું જોઈએ' એ પ્રકારનું કથન અનાર્યોનું છે તથા કોઈ પણ પ્રાણનું હનન ન કરવું જોઈએ એ પ્રકારનું કથન આર્યોનું છે, એવા મતની પુષ્ટિ કરવામાં આવી છે. “અરે પુત્રે ન કાંતિ ને “તહાયા ૪ ઇત્યાદિ ઉલ્લેખો દ્વારા તથાગત બુદ્ધના મતનો નિર્દેશ કરવામાં આવ્યો છે. “વતો વાવો નિવર્તિતે જેવાં ઉપનિષદવાર્યો સાથે મળતા “સત્રે સા નિયëતિ, તા નત્થર વિન્ન ઇત્યાદિ વાક્યો દ્વારા આત્માની અગોચરતા બતાવવામાં આવી છે. અચેલક–સર્વથા નગ્ન, એકવસ્ત્રધારી, દ્વિવસ્ત્રધારી તથા ત્રિવસ્ત્રધારી ભિક્ષુઓની ચર્યાસંબંધી મહત્ત્વપૂર્ણ ઉલ્લેખો પ્રથમ શ્રુતસ્કંધમાં મળે છે. આ ઉલ્લેખોમાં સચેલકતા અને અચેલકતાની સંગતિરૂપ સાપેક્ષ મર્યાદાનું પ્રતિપાદન છે. પ્રથમ શ્રુતસ્કંધમાં આવતી બધી વાતો જૈન ધર્મના ઇતિહાસની દૃષ્ટિએ, જૈન મુનિઓની ચર્યાની દૃષ્ટિએ અને સમગ્ર જૈન સંઘની અપરિગ્રહાત્મક વ્યવસ્થાની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. અચેલકતા અને સચેલકતાઃ ભગવાન મહાવીરની ઉપસ્થિતિમાં અચલકતા-સચેલકતાનો કોઈ વિશેષ વિવાદ Page #147 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય ઃ આચારાંગ ૧૧૩ ન હતો. સુધર્માસ્વામીના સમયમાં પણ અચેલક અને સચેલક પ્રથાઓની સંગતિ હતી. આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધમાં અચેલક અર્થાત્ વસ્રરહિત ભિક્ષુના વિષયમાં તો ઉલ્લેખ આવે છે પરંતુ કરપાત્રી અર્થાત્ પાણિપાત્રી ભિક્ષુ સંબંધી કોઈ સ્પષ્ટ ઉલ્લેખ દૃષ્ટિગોચર થતો નથી. વીરનિર્વાણના હજાર વર્ષ પછી સંકલિત કલ્પસૂત્રના સામાચારી-પ્રકરણની ૨૫૩, ૨૫૪ અને ૨૫૫મી કંડિકામાં ‘પાણિવડિનહિયલ્સ મિલ્લુસ્ત' આ શબ્દોમાં પાણિપાત્રી અથવા કરપાત્રી ભિક્ષુનો સ્પષ્ટ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે અને આગળની કંડિકામાં ‘પઙિધારિમ્સ મિવવુક્ષ્ય' આ શબ્દોમાં પાત્રધારી ભિક્ષુનો પણ ઉલ્લેખ છે. આ પ્રમાણે સર્ચલક પરંપરાના આગમોમાં અચેલક અને સચેલકની માફક કરપાત્રી અને પાત્રધારી ભિક્ષુઓનો પણ સ્પષ્ટ ઉલ્લેખ છે. આચારાંગના દ્વિતીય શ્રુતસ્કંધમાં વસ્ત્રધારી ભિક્ષુઓ વિષયમાં વિશેષ વિવેચન મળે છે. તેમાં સર્વથા અચેલક ભિક્ષુ સંબંધી સ્પષ્ટરૂપે કોઈ ઉલ્લેખ મળતો નથી. આમ તો મૂળમાં ભિક્ષુ અને ભિક્ષુણી જેવા સામાન્ય શબ્દોનો જ પ્રયોગ થયો છે. પરંતુ જ્યાં જ્યાં ભિક્ષુએ આવાં વસ્ત્ર લેવાં જોઈએ, આવાં વસ્ત્ર ન લેવાં જોઈએ, આવાં પાત્ર લેવાં જોઈએ, આવાં પાત્ર ન લેવાં જોઈએ—ઇત્યાદિ ચર્ચાનું વિધાન છે ત્યાં સચેલક અથવા પાણિપાત્ર ભિક્ષુની ચર્ચાના વિષયમાં કોઈ સ્પષ્ટ નિર્દેશ નથી. આ પરથી એવું અનુમાન કરી શકાય છે કે દ્વિતીય શ્રુતસ્કંધનો ઝોક સચેલક પ્રથા તરફ છે. સંભવ છે કે એટલા માટે જ સ્વયં નિર્યુક્તિકારે તેની રચનાની જવાબદારી સ્થવિરો પર નાખી છે. સુધર્માસ્વામીનો ઝોક બંને પરંપરાઓની સાપેક્ષ સંગતિ તરફનો હોવાનું જણાઈ આવે છે. આ ઝોકનું પ્રતિબિંબ પ્રથમ શ્રુતસ્કંધમાં જોવા મળે છે. બીજું અનુમાન એ પણ થઈ શકે છે કે નગ્નતા તથા સચેલકતા (જીર્ણવસ્ત્રધારિત્વ અથવા અલ્પવસ્ત્રધારિત્વ) બંને પ્રથાઓની માન્યતા હોવાને કારણે જે સમુદાય પોતાની શારીરિક, માનસિક અથવા સામાજિક પરિસ્થિતિઓ તેમ જ મર્યાદાઓને કા૨ણે સર્ચલકતા તરફ ઝુકવા લાગ્યો હોય તેનું પ્રતિનિધિત્વ બીજા શ્રુતસ્કંધમાં કરવામાં આવ્યું હોય. જે યુગનો આ દ્વિતીય શ્રુતસ્કંધ છે તે યુગમાં પણ અચેલકતાને આદરણીય માનવામાં આવતી હતી અને સચેલકતા તરફ ઝુકેલ સમુદાય પણ અચેલકતાને એક વિશિષ્ટ તપશ્ચર્યાના રૂપમાં જોતો હતો અને પોતાની અમુક મર્યાદાઓને કારણે તે પોતે તે તરફ જઈ શકતો ન હતો. આ બાબતનાં અનેક પ્રમાણો અંગશાસ્ત્રોમાં આજ પણ મળી આવે છે. અંગસાહિત્યમાં અચેલકતા અને સચેલકતા બંને પ્રથાઓનું સાપેક્ષ સમર્થન મળે છે. અચેલક અર્થાત્ યથાજાત અને સચેલક અર્થાત્ અલ્પવસ્ત્રધારી—આ બંને પ્રકારના સાધક-શ્રમણોમાં અમુક પ્રકારનો શ્રમણ પોતાને અધિક ઉત્કૃષ્ટ સમજે અને બીજાને અપકૃષ્ટ સમજે તે બરાબર નથી. આ વાત આચારાગ્રના મૂળમાં જ કહેવામાં આવી છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ અંગઆગમ વૃત્તિકારે પણ પોતાના શબ્દોમાં આ જ આશયને અધિક સ્પષ્ટ કરેલ છે. તેમણે તે સંબંધી એક પ્રાચીન ગાથા પણ ઉદ્ધૃત કરી છે, જે આ પ્રમાણે છે ઃ जो वि दुवत्थतिवत्थो बहुवत्थ अचेलओ व संथरइ । न हु ते हीलंति परं सव्वे वि अ ते जिणाणाए || - દ્વિતીય શ્રુતસ્કંધ, સૂ. ૨૮૬, પૃ. ૩૨૭ ૫૨ વૃત્તિ કોઈ ભલે દ્વિવસ્ત્રધારી હોય, ત્રિવસ્ત્રધારી હોય, બહુવસ્ત્રધારી હોય અથવા નિર્વસ્ત્ર હોય પરંતુ તેમણે એકબીજાની અવહેલના ન કરવી જોઈએ. નિર્વસ્ત્ર એવું ના સમજે કે હું ઉત્કૃષ્ટ છું અને આ દ્વિવસ્ત્રધારી વગેરે અપકૃષ્ટ છે. એ જ રીતે દ્વિવસ્ત્રધારી વગેરે એમ ન સમજે કે અમે ઉત્કૃષ્ટ છીએ અને આ ત્રિવસધારી કે નિર્વસ્ર શ્રમણ અપકૃષ્ટ છે. તેમણે એકબીજાનું અપમાન ન કરવું જોઈએ કેમ કે તેઓ બધા ભગવાનની આજ્ઞાનું અનુસરણ કરનારા છે. ૧૧૪ આથી સ્પષ્ટ થાય છે કે નિર્વસ્ત્ર કે વસ્ત્રધારી બંને પ્રત્યે મૂળસૂત્રકારથી માંડી વૃત્તિકાર સુધીના સહુ આચાર્યોએ પોતાનો સમભાવ વ્યક્ત કર્યો છે. ઉત્તરાધ્યયનમાં આવતાં કેશી-ગૌતમીય નામક ત્રેવીસમા અધ્યયનના સંવાદમાં પણ આ જ તથ્યનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આચારના પર્યાયો : જ્યાં-જ્યાં દ્વાદશાંગી અર્થાત્ બાર અંગગ્રંથોનાં નામો બતાવવામાં આવ્યાં છે ત્યાં સહુ પ્રથમ આચારાંગનું નામ આવે છે. આચારાંગના પર્યાયવાચી નામો નિર્યુક્તિકારે આ પ્રમાણે બતાવ્યાં છે : આયાર, આચાલ, આગાલ, આગર, આસાસ, આરસ, અંગ, આઇષ્ણ, આજાતિ અને આમોક્ષ. આ દસ નામોમાં શરૂઆતનાં બે નામો જુદા નહિ પરંતુ એક જ શબ્દનાં બે રૂપાંતર છે. ‘આચાલ’ના ‘ચ’નો લોપ નથી થયો જ્યારે ‘આયાર’માં ‘ચ’ લુપ્ત છે. તે ઉપરાંત ‘આચાલ’માં માગધી ભાષાના નિયમ અનુસાર ‘ર’નો ‘લ’ થયો છે. ‘આગાલ’ શબ્દ પણ ‘આયાર’થી જુદો જણાતો નથી. ‘ય’ તથા ‘ગ’નું પ્રાચીન લિપિની અપેક્ષાએ મિશ્રણ થવું સંભવ છે તથા વર્તમાન હસ્તપ્રતોમાં પ્રયુક્ત પ્રાચીન દેવનાગરી લિપિની અપેક્ષાએ પણ તેમનું મિશ્રણ અસંભવિત નથી. આવી સ્થિતિમાં ‘આયાર’ને બદલે ‘આગાલ'નું વાચન સંભવિત છે. એ જ રીતે ‘આગાલ’ તથા ‘આગર' પણ જુદા જણાતાં નથી. ‘આગાર’ શબ્દના ‘ગા’ કે ‘આ’હ્રસ્વ થવાથી ‘આગર’ અને ‘આગાર’ના ‘૨’નો ‘લ’ થવાથી ‘આગાલ’ થવું સ્વાભાવિક છે. ‘આઇણ્ણ’ (આચીર્ણ) નામમાં ‘ચર’ ધાતુના ભૂતકૃદંતનો પ્રયોગ થયો છે. તે Page #149 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય : આચારાંગ જોતાં ‘આયાર’ અંતર્ગત આ નામનો પણ સમાવેશ થઈ જાય છે. આ રીતે આયાર, આચાલ, આગાલ, આગર તથા આઇક્ષ્ણ જુદા જુદા શબ્દો નથી પરંતુ એક જ શબ્દના જુદાં જુદાં રૂપાંતરો છે. આસાસ, આયરિસ, અંગ, આજાતિ અને આમોક્ષ શબ્દો આયાર શબ્દથી જુદા છે. તે બધામાં ‘અંગ’ શબ્દનો સંબંધ પ્રત્યેક સાથે રહેલો છે, જેમ કે આયારઅંગ અથવા આયારંગ વગેરે. આયાર—આચાર સૂત્ર શ્રુતરૂપ પુરુષનું એક વિશિષ્ટ અંગ છે આથી તેને આયારંગ—આચારાંગ કહેવામાં આવે છે. ‘આજાતિ’ શબ્દ સ્થાનાંગસૂત્રમાં બે અર્થમાં પ્રયુક્ત થયો છે ઃ જન્મના અર્થમાં તથા આચારદશા નામના શાસ્ત્રના દસમા અધ્યયનના નામ રૂપે. સંભવ છે કે આચારદશા અને આચારના નામસામ્યને કારણે આચારદશાના અમુક અધ્યયનોનું નામ સમગ્ર આચારાંગ માટે પ્રયોજાયું હોય. આસાસ વગેરે બાકીના શબ્દોની કોઈ ઉલ્લેખનીય વિશેષતા પ્રતીત થતી નથી. પ્રથમ શ્રુતસ્કંધનાં અધ્યયનો ઃ નવબ્રહ્મચર્યરૂપ પ્રથમ શ્રુતસ્કંધનાં નવ અધ્યયનોનાં નામોનો નિર્દેશ સ્થાનાંગ અને સમવાયાંગમાં મળે છે. એ જ રીતનો બીજો ઉલ્લેખ આચારાંગનિર્યુક્તિ (ગા. ૩૧-૨)માં પણ મળે છે. તે મુજબ નવ અધ્યયનો આ પ્રમાણે છે ઃ ૧. સત્યપરિણા (શસ્ત્રપરિજ્ઞા), ૨. લોગવિજય (લોકવિજય), ૩. સીઓસણિજ્જ (શીતોષ્ણીય), ૪. સમ્મત્ત (સમ્યક્ત્વ), ૫. આવંતિ (યાવન્તઃ), ૬. ધૂઅ (ધૂત), ૭. વિમોહ (વિમોહ અથવા વિમોક્ષ), ૮. ઉવહાણસુઅ (ઉપધાનશ્રુત), ૯. મહાપરિણા (મહાપરિજ્ઞા). નંદિસૂત્રની હારિભદ્રીય તથા મલયગિરિષ્કૃત વૃત્તિમાં મહાપરિણાનો ક્રમ આઠમો અને ઉવહાણસુઅનો ક્રમ નવમો છે. આચારાંગ-નિર્યુક્તિમાં ધૂએ પછી મહાપરિણા, તે પછી વિમોહ અને ત્યાર પછી ઉવહાણસુઅનો નિર્દેશ છે. આ રીતે અધ્યયનક્રમમાં કંઈક તફાવત હોવા છતાં પણ સંખ્યાની દૃષ્ટિએ બધા એકમત છે. આ નવે અધ્યયનોનું એક સામાન્ય નામ નવબ્રહ્મચર્ય પણ છે. અહીં બ્રહ્મચર્ય શબ્દ વ્યાપક અર્થસંયમના અર્થમાં પ્રયોજાયો છે. આચારાંગની ઉપલબ્ધ વાચનામાં છઠ્ઠું ધૂન, સાતમું મહાપરિણા, આઠમું વિમોહ અને નવમું ઉવહાણસુઅઆ જાતનો ક્રમ છે. નિર્યુક્તિકારે તથા વૃત્તિકાર શીલાંકે પણ આ જ ક્રમ સ્વીકાર્યો છે. પ્રસ્તુત ચર્ચામાં આ જ ક્રમનું અનુસરણ કરવામાં આવશે. ૧૧૫ ઉપર્યુક્ત નવ અધ્યયનોમાંથી પ્રથમ અધ્યયનનું નામ શસ્ત્રપરિક્ષા છે. તેમાં બધા મળી સાત ઉદ્દેશકો—પ્રકરણો છે. નિર્યુક્તિકારે આ ઉદ્દેશકોના વિષયક્રમનું નિરૂપણ કરતાં બતાવ્યું છે કે પ્રથમ ઉદ્દેશકમાં જીવના અસ્તિત્વનું નિરૂપણ છે તથા પછીના છ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ અંગઆગમ ઉદેશકોમાં પૃથ્વીકાય વગેરે છ જવનિકાયોનાં આરંભ-સમારંભની ચર્ચા છે. આ પ્રકરણોમાં શસ્ત્ર શબ્દનો અનેકવાર પ્રયોગ કરવામાં આવ્યો છે અને લૌકિક શાસ્ત્રની અપેક્ષાએ સર્વથા ભિન્ન પ્રકારના શસ્ત્રના અભિધેયનું સ્પષ્ટપરિજ્ઞાન કરાવવામાં આવ્યું છે. આથી શબ્દાર્થની દૃષ્ટિએ પણ આ અધ્યયનનું શસ્ત્રપરિજ્ઞા નામ સાર્થક છે. દ્વિતીય અધ્યયનનું નામ લોકવિજયે છે. તેમાં કુલ છ ઉદ્દેશકો છે. કેટલાંક સ્થળે 'गढिए लोए, लोए पव्वहिए, लोगविपस्सी, विइत्ता लोगं, वंता लोगसन्नं, लोगस्स ગ્નસમારંભા” આ પ્રકારના વાક્યોમાં “લોક' શબ્દનો પ્રયોગ તો મળે છે પરંતુ બધા અધ્યયનોમાં ક્યાંય પણ “વિજય’ શબ્દનો પ્રયોગ દેખાતો નથી. છતાં પણ સમગ્ર અધ્યયનમાં લોકવિજયનો જ ઉપદેશ છે, એવું કહી શકાય છે. અહીં વિજયનો અર્થ લોકપ્રસિદ્ધ જીત જ છે. લોક પર વિજય પ્રાપ્ત કરવો અર્થાત સંસારના મૂળ કારણરૂપ ક્રોધ, માન, માયા અને લોભ-આ ચાર કષાયોને જીતવા. આ જ આ અધ્યયનનો સાર છે. નિર્યુક્તિકારે આ અધ્યયનના છએ ઉદ્દેશકોનો જે વિષયાનુક્રમ બતાવ્યો છે તે તે જ રૂપે મળે છે. વૃત્તિકારે પણ તેનું જ અનુસરણ કર્યું છે. આ અધ્યયનનો મુખ્ય ઉદ્દેશ્ય વૈરાગ્ય વધારવો, સંયમમાં દઢ બનાવવા, જાતિગત અભિમાનને દૂર કરવું, ભોગોની આસક્તિથી દૂર રાખવા, ભોજનાદિ નિમિત્તે થનારા આરંભ-સમારંભનો ત્યાગ કરાવવો, મમતા છોડાવવી વગેરે છે. તૃતીય અધ્યયનનું નામ સીઓસણિજ્જ–શીતોષ્ણીય છે. તેના ચાર ઉદ્દેશકો છે. શીત અર્થાત્ શીતળતા અથવા સુખ અને ઉષ્ણ અર્થાત્ પરિતાપ કે દુઃખ. પ્રસ્તુત અધ્યયનમાં આ બંનેના ત્યાગનો ઉપદેશ છે. અધ્યયનના પ્રારંભમાં જ “લોસિવારું (શીતોષ્ણત્યાગી) એવો શબ્દ-પ્રયોગ પણ મળે છે. આ રીતે અધ્યયનનું શીતોષ્ણીય નામ સાર્થક છે. નિર્યુક્તિકારે ચારે ઉદ્દેશકોનો વિષયક્રમ આ પ્રમાણે બતાવ્યો છે : પ્રથમ ઉદ્દેશકમાં અસંયમીને સુત્ત–સૂતેલાની કોટિમાં ગણાવેલ છે. બીજા ઉદ્દેશકમાં બતાવ્યું છે કે આ જાતના સૂતેલા માણસો મહાદુઃખનો અનુભવ કરે છે. ત્રીજા ઉદ્દેશકમાં કહેવામાં આવ્યું છે કે શ્રમણ માટે માત્ર દુઃખ સહન કરવાનું અર્થાત્ દેહદમન કરવાનું જ પર્યાપ્ત નથી. તેણે ચિત્તશુદ્ધિની પણ વૃદ્ધિ કરતાં રહેવું જોઈએ. ચતુર્થ અધ્યયનમાં કષાય-ત્યાગ, પાપકર્મ-ત્યાગ તથા સંયમોત્કર્ષનું નિરૂપણ છે. આ જ વિષયક્રમ વર્તમાન સમયમાં પણ ઉપલબ્ધ છે. ચતુર્થ અધ્યયનનું નામ સમ્મા–સમ્યક્ત છે. તેના ચાર ઉદ્દેશકો છે. પ્રથમ ઉદ્દેશકમાં અહિંસાધર્મની સ્થાપના અને સમ્યક્તવાદનું નિરૂપણ છે. દ્વિતીય ઉદ્દેશકમાં હિંસાની સ્થાપના કરનારા અન્યમૂર્થિકોને અનાર્ય કહેવામાં આવ્યા છે અને તેમને Page #151 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય : આચારાંગ પ્રશ્ન કરવામાં આવ્યો છે કે તેમને મનની અનુકૂળતા સુખરૂપ પ્રતીત થાય છે કે મનની પ્રતિકૂળતા? આ રીતે આ ઉદ્દેશકમાં પણ અહિંસાધર્મનું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તૃતીય ઉદ્દેશકમાં નિર્દોષ તપનું અર્થાત્ માત્ર દેહદમનનું નહિ પરંતુ ચિત્તશુદ્ધિપોષક અક્રોધ, અલોભ, ક્ષમા, સંતોષ વગેરે ગુણોની વૃદ્ધિ કરનારા તપનું નિરૂપણ છે. ચતુર્થ ઉદ્દેશકમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર અને સમ્યક્તપની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાનો ઉપદેશ છે. આ રીતે આ અધ્યયન સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે પ્રેરણા આપનારું છે. તેમાં અનેક સ્થળે ‘સમ્મત્તસિળો, સમ્મ વં તિ’ વગેરે વાક્યોમાં સમ્મત્ત–સમ્યક્ત્વ શબ્દનો સાક્ષાત્ નિર્દેશ પણ છે. એ રીતે પ્રસ્તુત અધ્યયનનું સમ્યક્ત્વ નામ સાર્થક છે. વિષયાનુક્રમની દૃષ્ટિએ પણ નિર્યુક્તિકા૨ અને સૂત્રકારમાં સામ્ય છે. નિર્યુક્તિકારના કથનાનુસાર પાંચમા અધ્યયનનાં બે નામો છે : આવંતિ અને લોકસાર. અધ્યયનના પ્રારંભમાં, મધ્યમાં તથા અંતમાં આવંતિ શબ્દનો પ્રયોગ થયો છે. આથી તેને આયંતિ નામ આપી શકાય તેમ છે. તેમાં જે કંઈ નિરૂપણ છે તે સમગ્ર લોકના સારરૂપ છે, આથી તેને લોકસાર પણ કહી શકાય. અધ્યયનના પ્રારંભમાં જ ‘લોક’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અન્યત્ર પણ અનેક વાર ‘લોક’ શબ્દનો પ્રયોગ થયો છે. સમગ્ર અધ્યયનમાં ક્યાંય પણ ‘સાર’ શબ્દનો પ્રયોગ નજરે પડતો નથી. અધ્યયનના અંતમાં શબ્દાતીત તથા બુદ્ધિ અને તર્ક વડે અગમ્ય આત્મતત્ત્વનું નિરૂપણ છે. આ જ નિરૂપણ સારરૂપ છે, એમ સમજીને આનું નામ લોકસાર રાખવામાં આવ્યું હોય તેવો સંભવ છે. આના છ ઉદ્દેશકો છે. નિર્યુક્તિકારે તેમનો જે વિષયક્રમ બતાવ્યો છે તે આજ પણ તે જ રૂપે મળે છે. તેમાં સામાન્ય શ્રમણચર્યાનું પ્રતિપાદન છે. ૧૧૭ છઠ્ઠા અધ્યાયનું નામ ધૂત છે. અધ્યયનના પ્રારંભમાં જ ‘અષાડ્ તે ધૂયં નાળ' આ વાક્યમાં ધૂય—બૂત શબ્દનો ઉલ્લેખ છે. આગળ પણ ‘ધૂચવાયું પવેસ્લામિ’ એમ કહીને ધૂતવાદનો નિર્દેશ કરવામાં આવ્યો છે. એ રીતે પ્રસ્તુત અધ્યયનનું ધૂત નામ સાર્થક છે. આપણી ભાષામાં ‘અવધૂત’ શબ્દનો જે અર્થ પ્રચલિત છે તે જ અર્થ પ્રસ્તુત ધૃત શબ્દનો પણ છે. આ અધ્યયનના પાંચ ઉદ્દેશકો છે. તેમાં તૃષ્ણાને ઝાટકવાનો ઉપદેશ છે. આત્મામાં જે સયણ કે સદન, શયન કે સ્વજન, ઉપકરણ, શરીર, રસ, વૈભવ, સત્કાર વગેરેની તૃષ્ણા વિદ્યમાન છે તેને ઝાટકીને સાફ કરી નાખવી જોઈએ. સાતમા અધ્યયનનું નામ મહાપરિત્રા—મહાપરિજ્ઞા છે. આ અધ્યયન અત્યારે અનુપલબ્ધ છે પરંતુ તેના પર લખવામાં આવેલી નિર્યુક્તિ ઉપલબ્ધ છે. તેનાથી જાણ થાય છે કે નિર્યુક્તિકારની સામે આ અધ્યયન જરૂર રહ્યું હશે. નિર્યુક્તિકારે Page #152 -------------------------------------------------------------------------- ________________ અંગઆગમ ૧ ‘મહાપરિક્ષા’ના ‘મહા’ અને ‘પરિક્ષા’ આ બે પદોનું નિરૂપણ કરવાની સાથે સાથે પરિક્ષાના પ્રકારોનું પણ નિરૂપણ કર્યું છે અને અંતિમ ગાથામાં બતાવ્યું છે કે સાધકે દેવાંગના, નરાંગના અને તિર્યંચાંગના એ ત્રણેનો મન-વચન-કાયાથી ત્યાગ કરવો જોઈએ. આ પરિત્યાગનું નામ મહાપરિજ્ઞા છે. આ અધ્યયનનો વિષય નિર્યુક્તિકારના શબ્દોમાં ‘મોહસમુત્થા પરિસદુવસા' અર્થાત્ મોહજન્ય પરીષહ અથવા ઉપસર્ગ છે. તેની વ્યાખ્યા કરતાં વૃત્તિકાર શીલાંકદેવ કહે છે કે સંયમી શ્રમણે સાધનામાં વિઘ્નરૂપે ઉત્પન્ન થતાં મોહજન્ય પરીષહો અથવા ઉપસર્ગો સમભાવપૂર્વક સહન કરવા જોઈએ. સ્ત્રી-સંસર્ગ પણ એક મોહજન્ય પરીષહ જ છે. ભગવાન મહાવીર કૃત આચારવિધાનોમાં બ્રહ્મચર્ય અર્થાત્ ત્રિવિધ સ્ત્રી-સંસર્ગત્યાગ મુખ્ય છે. પરંપરાથી ચાલ્યા આવનારા ચાર યામો ~ ચાર મહાવ્રતોમાં ભગવાન મહાવીરે બ્રહ્મચર્યવ્રત અલગથી ઉમેર્યું. તેનાથી જાણી શકાય છે કે ભગવાન મહાવીરના સમયમાં એ બાબતમાં કેટલી શિથિલતા રહી હશે. આ પ્રકારની ઉગ્ર શિથિલતા અને આચાર-પતનના યુગમાં કોઈ વિઘ્નસંતોષી કદાચ આ અધ્યયનના લોપમાં નિમિત્ત બનેલ હોય તો કોઈ આશ્ચર્ય નહિ. ૧૧૮ આઠમા અધ્યયનનાં બે નામો જણાય છે ઃ એક વિમોક્ખ અથવા વિમોક્ષ અને બીજું વિમોહ. અધ્યયનની મધ્યમાં ‘ફ્ન્વેયં વિમોહાયયન’ તથા ‘અનુપુદ્ધે વિમોહા’ અને અધ્યયનના અંતમાં ‘વિમોહન્નયાં હિચં’ આ વાક્યોમાં સ્પષ્ટરૂપે ‘વિમોહ’ શબ્દનો ઉલ્લેખ છે. આ જ શબ્દપ્રયોગ અધ્યયનના નામકરણમાં નિમિત્તભૂત બન્યો જણાય છે. નિર્યુક્તિકારે નામના રૂપમાં ‘વિમોક્ખવિમોક્ષ’ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. વૃત્તિકાર શીલાંકસૂરિ મૂળ અને નિર્યુક્તિ બંનેનું અનુસરણ કરે છે. અર્થની દૃષ્ટિએ વિમોહ અને વિમોક્ખમાં કોઈ તાત્ત્વિક ભેદ નથી. પ્રસ્તુત અધ્યયનના આઠ ઉદ્દેશકો છે. ઉદ્દેશકોની સંખ્યાની દૃષ્ટિએ આ અધ્યયન બાકીના આઠ અધ્યયનોથી મોટું છે. નિર્યુક્તિકારનું કથન છે કે આ આઠેય ઉદ્દેશકોમાં વિમોક્ષ વિષયક નિરૂપણ છે. વિમોક્ષનો અર્થ છે અલગ થઈ જવું—સાથે ન રહેવું. વિમોહનો અર્થ છે મોહ ન રાખવો—સંસર્ગ ન કરવો. પ્રથમ ઉદ્દેશકમાં બતાવવામાં આવ્યું છે કે જે અણગારોનો આચાર પોતાના આચાર સાથે મળતો ન જણાય તેમના સંસર્ગથી દૂર રહેવું જોઈએતેમની સાથે ન રહેવું જોઈએ અથવા તેવા અણગારોનો મોહ ન રાખવો જોઈએ—તેમનો સંગ ન કરવો જોઈએ. બીજા ઉદ્દેશકમાં બતાવવામાં આવ્યું છે કે આહાર, પાણી, વસ્ત્ર વગેરે દૂષિત હોય તો ૧. सप्तमे त्वयम्-संयमादिगुणयुक्तस्य कदाचिद् मोहसमुत्थाः परीषहा उपसर्गा वा प्रादुर्भवेयुः સમ્યક્ સોઢવ્યા:-પૃ. ૯. Page #153 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય: આચારાંગ ૧૧૯ તેમનો ત્યાગ કરવો જોઈએ-તેમનાથી અલગ રહેવું જોઈએ તેમના પર મોહન રાખવો જોઈએ. તૃતીય ઉદેશકમાં બતાવવામાં આવ્યું છે કે સાધુનાં શરીરનું કંપન જોઈને જો કોઈ ગૃહસ્થ શંકા કરે કે આ સાધુ કામાવેગના કારણે કાંપે છે તો તેની શંકા દૂર કરવી જોઈએ તેને શંકાથી મુક્ત કરવો જોઈએ તેનો શંકારૂપ જે મોહ છે તે દૂર કરવો જોઈએ. આગળના ઉદ્દેશકોમાં ઉપકરણ અને શરીરના વિમોક્ષ અથવા વિમોહ સંબંધી પ્રકાર પાડવામાં આવ્યો છે, જેનો સાર એ છે કે જો એવી શારીરિક પરિસ્થિતિ પેદા થઈ જાય કે સંયમની રક્ષા ન થઈ શકે અથવા સ્ત્રી વગેરેનો અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગ થતાં સંયમભંગની સ્થિતિ પેદા થઈ જાય તો વિવેકપૂર્વક જીવનનો મોહ છોડી દેવો જોઈએ અર્થાત્ શરીર વગેરેથી આત્માનો વિમોક્ષ કરવો જોઈએ. નવમા અધ્યયનનું નામ ઉવહાણસુય–ઉપધાનશ્રત છે. તેમાં ભગવાન મહાવીરની ગંભીર ધ્યાનમય અને ઘોર તપોમયસાધનાનું વર્ણન છે. ઉપધાન શબ્દ તપના પર્યાયરૂપે જૈન પ્રવચનમાં પ્રસિદ્ધ છે. એટલા માટે આનું નામ ઉપધાનશ્રત રાખવામાં આવેલું જણાય છે. નિર્યુક્તિકારે આ અધ્યયનના નામ માટે “ઉવહાણસુય' શબ્દનો પ્રયોગ કર્યો છે. તેના ચાર ઉદ્દેશકો છે. પ્રથમ ઉદેશકમાં દીક્ષા લીધા પછી ભગવાન મહાવીરને જે કંઈ સહન કરવું પડ્યું તેનું વર્ણન છે. તેમણે સર્વ પ્રકારની હિંસાનો ત્યાગ કરી અહિંસામયચર્યા સ્વીકારી. તેઓ હેમંત ઋતુમાં અર્થાત કડકડતી ઠંડીમાં ઘરબાર છોડીને નીકળી પડ્યા અને કઠોર પ્રતિજ્ઞા લીધી કે “આ શરીરને વસ્ત્રોથી ઢાંકીશ નહિ' વગેરે. દ્વિતીય તેમ જ તૃતીય ઉદ્દેશકમાં ભગવાને કેવા કેવા સ્થળોએ નિવાસ કર્યો અને ત્યાં તેમને કેવા કેવા પરીષહો સહન કરવા પડ્યા તે બતાવવામાં આવ્યું છે. ચતુર્થ ઉદ્દેશકમાં બતાવાયું છે કે ભગવાને કેવા પ્રકારની તપશ્ચર્યા કરી, ભિક્ષાચર્યામાં શું શું અને કેવું કેવું શુષ્ક ભોજન લીધું, કેટલા સમય સુધી પાણી પીધું કે ન પીધું ઇત્યાદિ. પહેલાં “આચાર'ના જે પર્યાયવાચી શબ્દો બતાવ્યા છે તેમાં એક “આઈષ્ણશબ્દ પણ છે. આઈષ્ણનો અર્થ છે આચીર્ણ અર્થાત્ આચરિત. આચારાંગમાં જે પ્રકારની રર્યાનું વર્ણન કરવામાં આવ્યું છે તેવી જ ચર્યાનું જેમણે આચરણ કર્યું છે તેમનું આ અધ્યયનમાં વર્ણન છે. આને જ દૃષ્ટિમાં રાખીને સંપૂર્ણ આચારાંગનું એક નામ “આઈષ્ણ' પણ રાખવામાં આવેલું છે. આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધનાં નવ અધ્યયનોના બધા મળી ૫૧ ઉદેશકો છે. તેમાંથી સાતમા અધ્યયન મહાપરિજ્ઞાના સાતેય ઉદેશકોનો લોપ થઈ જવાના કારણે વર્તમાન સમયમાં ૪૪ ઉદેશકો જ ઉપલબ્ધ છે. નિર્યુક્તિકારે આ બધા ઉદ્દેશકોનો વિષયાનુક્રમ બતાવ્યો છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ દ્વિતીય શ્રુતસ્કંધની ચૂલિકાઓ : આચારાંગનો દ્વિતીય શ્રુતસ્કંધ પાંચ ચૂલિકાઓમાં વિભક્ત છે. તેમાંથી પ્રથમ ચાર ચૂલિકાઓ તો આચારાંગમાં જ છે, પરંતુ પાંચમી ચૂલિકા વિશેષ વિસ્તૃત હોવાને કારણે આચારાંગથી જુદી કરવામાં આવી છે જે નિશીથસૂત્ર નામે એક અલગ ગ્રંથ સ્વરૂપે મળે છે. નંદિસૂત્રકારે કાલિકસૂત્રોની ગણનામાં ‘નિસીહ’ નામે જે શાસ્ત્રનો ઉલ્લેખ કર્યો છે તે આચારાગ્ર – આચારચૂલિકાનું આ જ પ્રકરણ સંભવે છે. તેનું બીજું નામ આચારકલ્પ અથવા આચારપ્રકલ્પ પણ છે, જેનો ઉલ્લેખ નિર્યુક્તિ, સ્થાનાંગ અને સમવાયાંગમાં મળે છે. અંગઆગમ ૭. આચારાગ્રની ચાર ચૂલિકાઓમાંથી પ્રથમ ચૂલિકાના સાત અધ્યયનો છે ઃ ૧.પિંડૈષણા, ૨. શયૈષણા, ૩. ઇર્યેષણા, ૪. ભાષાજાતૈષણા, ૫. વૌષણા, ૬. પાત્રૈષણા, ૭. અવગ્રહૈષણા. દ્વિતીય ચૂલિકાના પણ સાત અધ્યયનો છે ઃ ૧. સ્થાન, ૨. નિષીધિકા, ૩. ઉચ્ચારપ્રસવણ, ૪. શબ્દ, પ. રૂપ, ૬. પરક્રિયા, અન્યોન્યક્રિયા. તૃતીય ચૂલિકામાં ભાવના નામક એક જ અધ્યયન છે. ચતુર્થ ચૂલિકામાં પણ એક જ અધ્યયન છે જેનું નામ વિમુક્તિ છે. આ રીતે ચારેય ચૂલિકાઓમાં મળી કુલ સોળ અધ્યયનો છે. આ અધ્યયનોનાં નામોની યોજના તદંતર્ગત વિષયો ધ્યાનમાં રાખીને નિર્યુક્તિકારે કરેલ જણાય છે. પિંડૈષણા વગેરે સમસ્ત નામોનું વિવેચન નિર્યુક્તિકારે નિક્ષેપપદ્ધતિ વડે કર્યું છે. પિંડનો અર્થ છે આહાર, શય્યાનો અર્થ છે નિવાસસ્થાન, ઇર્યાનો અર્થ છે ગમનાગમન પ્રવૃત્તિ, ભાષાજાતનો અર્થ છે ભાષાસમૂહ, અવગ્રહનો અર્થ છે ગમનાગમનની સ્થાનમર્યાદા. વસ્ત્ર, પાત્ર, સ્થાન, શબ્દ અને રૂપનો તે જ અર્થ છે જે સામાન્યપણે પ્રચલિત છે. નિષીધિકા અર્થાત્ સ્વાધ્યાય અને ધ્યાન કરવાનું સ્થાન, ઉચ્ચારપ્રસવણ અર્થાત્ દીર્ઘશંકા અને લઘુશંકા, પરક્રિયા અર્થાત્ બીજાઓ દ્વારા કરવામાં આવતી સેવાક્રિયા, અન્યોન્ય ક્રિયા અર્થાત્ પરસ્પર કરવામાં આવતી અનુચિત ક્રિયા, ભાવના અર્થાત્ ચિંતન, વિમુક્તિ અર્થાત્ વીતરાગતા. ૧. મૂળમાં સેા કે સિજ્જા શબ્દ છે. તેનું સંસ્કૃત રૂપ ‘સદ્યા’ માનવું વિશેષ ઉચિત જણાશે. નિષદ્યા અને સઘા એ બંને સમાનાર્થક શબ્દો છે તથા સદન, સદ્મ વગેરે શબ્દો વસતિનિવાસ-સ્થાનના સૂચક છે પરંતુ પ્રાચીન લોકોએ સેજ્જા કે સિજ્જાનું સંસ્કૃત રૂપ ‘શય્યા’ સ્વીકાર્યું છે. હેમચંદ્ર જેવા પ્રખર પ્રતિભાશાળી વૈયાકરણે પણ ‘શય્યા’નું ‘સેજ્જા’ બનાવવાનો નિયમ આપ્યો છે. સદન, સદ્મ અને સદા એ બધા પર્યાયવાચી શબ્દો છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય આચારાંગ ૧૨૧ પિડેષણા અધ્યયનમાં અગિયાર ઉદેશકો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે શ્રમણે પોતાની સાધનાને અનુકૂળ સંયમ-પોષણ માટે આહાર-પાણી કેવી રીતે મેળવવા જોઈએ. સંયમ-પોષક નિવાસસ્થાનની પ્રાપ્તિ સંબંધમાં શઐષણા નામક દ્વિતીય અધ્યયનમાં સવિસ્તર વિવેચન છે. તેના ત્રણ ઉદેશકો છે. ઇર્યેષણા અધ્યયનમાં કેવી રીતે ચાલવું, કેવી રીતે માર્ગ પર ચાલવું વગેરેનું વિવેચન છે. તેના પણ ત્રણ ઉદ્દેશકો છે. ભાષાજાત અધ્યયનમાં શ્રમણે કેવા પ્રકારની ભાષા બોલવી જોઈએ, કોની સાથે કેવી રીતે બોલવું જોઈએ વગેરેનું નિરૂપણ છે. તેમાં બે ઉદ્દેશકો છે. વઐષણા અધ્યયનમાં વસ્ત્ર કેવી રીતે મેળવવું જોઈએ, ઇત્યાદિનું વિવેચન છે. તેમાં પણ બે ઉદ્દેશકો છે. પારૈષણા નામક અધ્યયનમાં પાત્રો રાખવા અને પ્રાપ્ત કરવાનું વિધાન છે. તેના પણ બે ઉદ્દેશકો છે. અવગ્રહૈષણા અધ્યયનમાં શ્રમણે પોતાને માટે સ્વીકારવાયોગ્ય મર્યાદિત સ્થાન કેવી રીતે મેળવવું જોઈએ તે બતાવવામાં આવ્યું છે. તેના પણ બે ઉદ્દેશકો છે. આ રીતે પ્રથમ ચૂલિકાના બધા મળી પચ્ચીસ ઉદ્દેશકો છે. | દ્વિતીય ચૂલિકાના સાતેય અધ્યયનો ઉદ્દેશકરહિત છે. પ્રથમ અધ્યયનમાં સ્થાન અને દ્વિતીયમાં નિષીપિકાની પ્રાપ્તિ સંબંધમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે. તૃતીયમાં દીર્ઘશંકા અને લઘુશંકાના સ્થાન વિષયમાં વિવેચન છે. ચતુર્થ અને પંચમ અધ્યયનમાં ક્રમશઃ શબ્દો અને રૂપવિષયક નિરૂપણ છે જેમાં બતાવવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારના શબ્દો અને રૂપ વડે શ્રમણમાં રાગ-દ્વેષ ઉત્પન્ન થવો ન જોઈએ. છઠ્ઠામાં પરક્રિયા અને સાતમામાં અન્યોન્ય ક્રિયાવિષયક વિવેચન છે. પ્રથમ શ્રુતસ્કંધમાં જે આચાર બતાવવામાં આવ્યો છે તેનું આચરણ કોણે કર્યું છે? આ પ્રશ્નનો ઉત્તર તૃતીય ચૂલિકામાં છે. તેમાં ભગવાન મહાવીરના ચરિત્રનું વર્ણન છે. પ્રથમ શ્રુતસ્કંધના નવમ અધ્યયન ઉપધાનશ્રુતમાં ભગવાનના જન્મ, માતા-પિતા, સ્વજન ઇત્યાદિ વિષયમાં કોઈ ઉલ્લેખ નથી. આ બધી વાતોનું વર્ણન તૃતીય ચૂલિકામાં છે. તેમાં પાંચ મહાવ્રતો તથા તેમની પાંચ પાંચ ભાવનાઓનું સ્વરૂપ પણ બતાવવામાં આવ્યું છે. આ રીતે “ભાવના'ના વર્ણનને કારણે આ ચૂલિકાનું ભાવના નામ સાર્થક છે. ચતુર્થ ચૂલિકામાં માત્ર અગિયાર ગાથાઓ છે જેમાં જુદી જુદી ઉપમાઓ દ્વારા વીતરાગના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. અંતિમ ગાથામાં સહુથી અંતે “વિમુચ્ચઈ' ક્રિયાપદ છે. તેને દષ્ટિમાં રાખતાં આ ચૂલિકાનું નામ વિમુક્તિ રાખવામાં આવ્યું છે. એક રોચક કથાઃ ઉપર્યુક્ત ચાર ચૂલિકાઓમાંથી અંતિમ બે ચૂલિકાઓના વિષયમાં એક રોચક કથા Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ અંગઆગમ મળે છે. જો કે નિર્યુક્તિકારે એ સ્પષ્ટ બતાવ્યું છે કે આચારાની પાંચ ચૂલિકાઓ વિરકૃત છે છતાં પણ આચાર્ય હેમચંદ્ર તૃતીય અને ચતુર્થ ચૂલિકાસંબંધમાં એક એવી કથા આપી છે જેમાં તેમનો સંબંધ મહાવિદેહક્ષેત્રમાં વિરાજમાન સીમંધર તીર્થકર સાથે જોડવામાં આવ્યો છે. આ કથા પરિશિષ્ટપર્વના નવમા સર્ગમાં છે. આનો સંબંધ સ્થૂલભદ્રના ભાઈ શ્રિયકની કથા સાથે છે. શ્રિયકની મોટી બહેન સાધ્વી યક્ષાના કહેવાથી શ્રિયકે ઉપવાસ કર્યો અને તે મરી ગયો. શ્રિયકના મૃત્યુનું કારણ યક્ષા પોતાને માનતી રહી. પરંતુ તેને શ્રીસંઘ દ્વારા નિર્દોષ ઘોષિત કરવામાં આવી અને તેને શ્રિયકની હત્યા માટે કોઈ પ્રાયશ્ચિત્ત આપવામાં આવ્યું નહિ. યક્ષા શ્રીસંઘના આ નિર્ણયથી સંતુષ્ટ ન થઈ. તેણે ઘોષણા કરી કે જિન ભગવાન પોતે જ જો એવો નિર્ણય આપે કે હું નિર્દોષ છું તો જ મને સંતોષ થઈ શકે. ત્યારે સમસ્ત શ્રીસંઘે શાસનદેવીનું આહ્વાન કરવા માટે કાઉસગ્ગ–કાયોત્સર્ગ–ધ્યાન કર્યું. આમ કરવાથી તરત શાસનદેવી ઉપસ્થિત થઈ અને સાધ્વી યક્ષાને પોતાની સાથે મહાવિદેહક્ષેત્રમાં બિરાજતા સીમંધર ભગવાન પાસે લઈ ગઈ. સીમંધર ભગવાને તેને નિર્દોષ ઘોષિત કરી અને પ્રસન્ન થઈને શ્રીસંઘ માટે આ પ્રમાણેના ચાર અધ્યયનોની ભેટ આપી : ભાવના, વિમુક્તિ, રતિકલ્પ અને વિચિત્રચર્યા. શ્રીસંઘે યક્ષાના મુખે સાંભળી પ્રથમ બે અધ્યયનો આચારાંગની ચૂલિકારૂપે અને અંતિમ બે અધ્યયનો દશવૈકાલિકની ચૂલિકારૂપે જોડી દીધા. હેમચંદ્રસૂરિલિખિત આ કથાનાં પ્રામાણ્ય-અપ્રામાણ્ય વિષયમાં ચર્ચા કરવાની કોઈ આવશ્યકતા નથી. તેમણે આ ઘટના ક્યાંથી મેળવી તે અવશ્ય શોધનીય છે. દશવૈકાલિક-નિર્યુક્તિ, આચારાંગ-નિર્યુક્તિ, હરિભદ્રકૃત દશવૈકાલિક-વૃત્તિ, શીલાંકકૃત આચારાંગ-વૃત્તિ વગેરેમાં આ ઘટનાનો કોઈ ઉલ્લેખ નથી. પદ્યાત્મક અંશઃ આચારાંગ-પ્રથમ શ્રુતસ્કંધનાં વિમોહ નામે આઠમા અધ્યયનનો આખો આઠમો ઉદ્દેશક પદ્યમય છે. ઉપધાનશ્રુત નામક સંપૂર્ણ નવમું અધ્યયન પણ પદ્યમય છે એ વાત બિલકુલ સ્પષ્ટ છે. એ ઉપરાંત દ્વિતીય અધ્યયન લોકવિજય, તૃતીય અધ્યયન શીતોષ્ણીય અને ષષ્ઠ અધ્યયન ધૂતમાં કેટલાંક પદ્યો બિલકુલ સ્પષ્ટ છે. આ પદ્યો ઉપરાંત આચારાંગમાં એવાં અનેક પદ્યો છે જે મુદ્રિત પ્રતિઓમાં ગદ્યરૂપે છપાયાં છે. ચૂર્ણિકાર ક્યાંક-ક્યાંક “ગાહા' (ગાથા) શબ્દ દ્વારા મૂળના પદ્યભાગનો નિર્દેશ કરે છે પરંતુ વૃત્તિકારે તો ભાગ્યે જ ક્યાંક એ પ્રમાણે કરેલ છે. આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધના સંપાદક શ્રી શુબ્રિગે પોતાના સંસ્કરણમાં સમસ્ત પદ્યોનું સ્પષ્ટ પૃથક્કરણ કર્યું છે અને તેના છંદો પર પણ જર્મન ભાષામાં પૂરતો પ્રકાશ પાડ્યો છે તથા બતાવ્યું છે કે તેમાં Page #157 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય આચારાંગ ૧૨૩ આર્યા, જગતી, ત્રિખુભ, વૈતાલીય, શ્લોક વગેરેનો પ્રયોગ થયો છે. સાથે સાથે જ બૌદ્ધ પિટકગ્રંથ સુત્તનિપાતના પદ્યો સાથે આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધના પદ્યોની તુલના પણ તેમણે કરી છે. આશ્ચર્ય છે કે શીલાંકથી માંડી દીપિકાકાર સુધીના પ્રાચીન અને અર્વાચીન વૃત્તિકારોનું ધ્યાન આચારાંગના પદ્યભાગના પૃથક્કરણ તરફ ન ગયું. વર્તમાન ભારતીય સંશોધક, સંપાદકો અને અનુવાદકોનું ધ્યાન પણ તે તરફ ન જઈ શક્યું, તે ખેદનો વિષય છે. આચારાગ્ર રૂપ દ્વિતીય શ્રુતસ્કંધની પ્રથમ બે ચૂલિકાઓ પૂરેપૂરી ગદ્યમાં છે. તૃતીય ચૂલિકામાં બે-ચાર જગ્યાએ પદ્યનો પ્રયોગ પણ નજરે પડે છે. તેમાં મહાવીરની સંપત્તિના દાન સંબંધમાં પ્રાપ્ત થતું વર્ણન છ આર્યાઓમાં છે. મહાવીર દ્વારા દીક્ષાશિબિકામાં બેસીને જ્ઞાતખંડવન તરફ કરવામાં આવેલ પ્રસ્થાનનું વર્ણન પણ અગિયાર આર્યાઓમાં છે. ભગવાન જે સમયે સામાયિક ચારિત્ર અંગીકાર કરવા માટે પ્રતિજ્ઞાવચનનું ઉચ્ચારણ કરે છે તે સમયે ઉપસ્થિત જનસમૂહ એવી રીતે શાંત થઈ જાય છે કે જાણે તે ચિત્રલિખિત ન હોય. આ દશ્યનું વર્ણન પણ બે આર્યાઓમાં છે. આગળ પાંચ મહાવ્રતોની ભાવનાઓનું વર્ણન કરતી વેળાએ અપરિગ્રહવ્રતની ભાવનાનાં વર્ણનમાં પાંચ અનુણુભનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ રીતે ભાવના નામક તૃતીય ચૂલિકામાં કુલ ચોવીસ પદ્યો છે. બાકીનો સંપૂર્ણ અંશ ગદ્યમાં છે. વિમુક્તિ નામક ચતુર્થ ચૂલિકા પૂરેપૂરી પદ્યમય છે. તેમાં કુલ અગિયાર પદ્યો છે જે ઉપજાતિ જેવા કોઈછંદમાં લખાયેલાં જણાય છે. સુત્તનિપાતના આમગંધસુત્તમાં પણ આવા છંદનો પ્રયોગ થયેલો છે. આ છંદમાં પ્રત્યેક પાદમાં બાર અક્ષર હોય છે. આ રીતે સમગ્ર દ્વિતીય શ્રુતસ્કંધમાં કુલ પાંત્રીસ પદ્યોનો પ્રયોગ થયો છે. આચારાંગની વાચનાઓઃ નંદિસૂત્ર અને સમવાયાંગમાં લખ્યું છે કે આચારાંગની અનેક વાચનાઓ છે. વર્તમાન સમયમાં આ બધી વાચનાઓ ઉપલબ્ધ નથી, પરંતુ શીલાંકની વૃત્તિમાં સ્વીકૃત પાઠરૂપ એક વાચના અને તેમાં નાગાર્જુનીય નામે ઉલ્લિખિત બીજી વાચના–એમ બે પ્રકારની વાચનાઓ મળે છે. નાગાર્જુનીય વાચનાના પાઠભેદો વર્તમાન પાઠો કરતાં અત્યંત વિલક્ષણ છે. ઉદાહરણ રૂપે જોઈએ તો વર્તમાનમાં આચારાંગમાં એક પાઠ આ પ્રકારનો મળે છે :कट्ट एवं अवयाणओ बिइया मंदस्स बालिया लद्धा हुरत्था । – આચરાંગ અ.૫, ઉ.૧, સૂ. ૧૪પ. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૪ અંગઆગમ આ પાઠની જગ્યાએ નાગાર્જુનીય પાઠ આ પ્રમાણે છે : जे खलु विसए सेवई सेवित्ता णालोएइ, परेण वा पुट्ठो निण्हवइ, अहवा तं परं सएण वा दोसेण पाविट्ठयरेण वा दोसेण उवलिंपिज्ज त्ति । આચાર્ય શીલાંકે પોતાની વૃત્તિમાં જે પાઠ સ્વીકાર્યો છે તેમાં અને નાગાર્જુનીય પાઠમાં શબ્દરચનાની દષ્ટિએ ઘણું અંતર છે, જો કે આશયમાં ભિન્નતા નથી. નાગાર્જુનીય પાઠ સ્વીકૃત પાઠની અપેક્ષાએ અત્યંત સ્પષ્ટ અને વિશદ છે. ઉદાહરણ તરીકે એક વધુ પાઠ લઈએ:विरागं रूवेसु गच्छेज्जा महया-खुड्डएहिं (एसु) वा। –આચારાંગ અ. ૩, ઉં. ૩, સૂ. ૧૧૭ આ પાઠની જગ્યાએ નાગાર્જુનીય પાઠ આ પ્રમાણે છે :विसयम्मि पंचगम्मि वि दुविहम्मि तियं तियं । भावओ सुटु जाणित्ता स न लिप्पइ दोसु वि ।। નાગાર્જુનીય પાઠાંતરો ઉપરાંત વૃત્તિકારે બીજા પણ અનેક પાઠભેદો આપ્યા છે, જેમ કે “મોયUITની જગ્યાએ “મોયUIT', “વિરેની જગ્યાએ “વિ, “પિયાડયા'ની જગ્યાએ “વિયાયયા' વગેરે. સંભવ છે કે આ પ્રકારના પાઠભેદો કંઠસ્થ શ્રુતપરંપરાને કારણે અથવા પ્રતિલિપિકારનાલિપિદોષને કારણે થયા હોય. આ પાઠભેદોમાં વિશેષ અર્થભેદ નથી. હા, ક્યારેક ક્યારેક તેમના અર્થમાં અંતર જરૂર જણાઈ આવે છે. ઉદાહરણ રૂપે “ગતિ રોય'નો અર્થ છે જન્મ અને મૃત્યુમાંથી મુક્તિ પ્રાપ્ત કરવાને માટે, જ્યારે “ગતિમરોયા'નો અર્થ છે જાતિભોજન અથવા મૃતભોજનના ઉદેશ્યથી. અહીં જાતિભોજનનો અર્થ છે જન્મ-પ્રસંગે કરવામાં આવનાર ભોજન સમારંભ અથવા જાતિવિશેષ નિમિત્તે યોજવામાં આવતો ભોજન સમારંભ અને મૃત્યુભોજનનો અર્થ છે શ્રાદ્ધ અથવા મૃતકભોજન. આચારાંગના કર્તા: આચારાંગના કર્તૃત્વ સંબંધમાં તેનું ઉપોદઘાતાત્મક પ્રથમ વાક્ય કંઈક પ્રકાશ પાડે છે. એ વાક્ય આ પ્રમાણે છે : સુર્ય ને સારસંતે પાવયા વમવિશ્વયં–હે ચિરંજીવ! મેં સાંભળ્યું છે કે તે ભગવાને આમ કહ્યું છે. આ વાક્યરચના ઉપરથી એ સ્પષ્ટ છે કે કોઈ ત્રીજો પુરુષ કહી રહ્યો છે કે મેં આવું સાંભળ્યું છે કે ભગવાને આમ કહ્યું છે. આનો અર્થ એ છે કે મૂળ વક્તા ભગવાન છે. જેણે સાંભળ્યું છે તે ભગવાનનો સાક્ષાત્ શ્રોતા છે. અને તે જ શ્રોતા પાસેથી સાંભળીને અત્યારે જે સંભળાવી રહ્યો છે તે શ્રોતાનો Page #159 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય: આચારાંગ ૧૨૫ શ્રોતા છે. આ પરંપરા એવી છે કે જેમ કોઈ એક મહાશય પ્રવચન કરતા હોય, બીજા મહાશય તે પ્રવચનને સાંભળતા હોય અને સાંભળીને તે ત્રીજા મહાશયને સંભળાવતા હોય. આમાંથી એવો ધ્વનિ નીકળે છે કે ભગવાનના મુખેથી નીકળેલા શબ્દો તો જેમ જેમ બોલાતા ગયા તેમ તેમ વિલીન થતા ગયા. ત્યારબાદ ભગવાને કહેલી વાત જણાવવાનો પ્રસંગ આવતાં સાંભળનાર મહાશય એમ કહે છે કે મેં ભગવાન પાસેથી આમ સાંભળ્યું છે. આનો અર્થ એ થયો કે લોકોની પાસે ભગવાનના પોતાના શબ્દો નથી આવતા પરંતુ કોઈ સાંભળનારાના શબ્દો આવે છે. શબ્દોનો એવો સ્વભાવ હોય છે કે તે જે રૂપે બહાર આવે છે તે જ રૂપે ક્યારેય ટકી શકતા નથી. જો તેમને તે જ રૂપમાં સુરક્ષિત રાખવાની કોઈ વિશેષ વ્યવસ્થા હોય તો જરૂર તેવું થઈ શકે છે. વર્તમાન યુગમાં આ પ્રકારનાં વૈજ્ઞાનિક સાધનો ઉપલબ્ધ છે. એવાં સાધનો ભગવાન મહાવીરના સમયમાં વિદ્યમાન ન હતાં. આથી આપણી સામે જે શબ્દો છે તે સાક્ષાત્ ભગવાનના નહિ પરંતુ તેમના છે કે જેમણે ભગવાન પાસેથી સાંભળ્યા છે. ભગવાનના પોતાના શબ્દો અને શ્રોતાના શબ્દોમાં શબ્દના સ્વરૂપની દષ્ટિએ વાસ્તવિક રીતે ઘણું અંતર છે. છતાં પણ આ શબ્દો ભગવાનના જ છે, એ પ્રકારની છાપ મનમાંથી ક્યારેય ખસી શકતી નથી. તેનું કારણ એ છે કે શબ્દયોજના ભલેને શ્રોતાની હોય, આશય તો ભગવાનનો જ છે. અંગસૂત્રોની વાચનાઓઃ એવી માન્યતા છે કે પહેલાં ભગવાન પોતાનો આશય પ્રગટ કરે છે. પછી તેમના ગણધરો અર્થાત્ મુખ્ય શિષ્યો તે આશયને પોતપોતાની શૈલીમાં શબ્દબદ્ધ કરે છે. ભગવાન મહાવીરના અગિયાર ગણધરો હતા. તેઓ ભગવાનના આશયને પોતપોતાની શૈલી અને શબ્દોમાં ગૂંથવા માટે વિશેષ અધિકારી હતા. આમાંથી ફલિત થાય છે કે એક ગણધરની જે શૈલી કે શબ્દરચના હોય તે જ બીજાની હોય કે ન પણ હોય. એટલા માટે કલ્પસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે પ્રત્યેક ગણધરની વાચના જુદી જુદી હતી. વાચના અર્થાત્ શૈલી તથા શબ્દરચના. નંદિસૂત્ર અને સમવાયાંગમાં પણ બતાવવામાં આવ્યું છે કે પ્રત્યેક અંગસૂત્રની વાચના પરિત્ત (અર્થાત્ પરિમિત) અથવા એકથી અધિક (અર્થાત્ અનેક) હોય છે. અગિયાર ગણધરોમાંથી કેટલાક તો ભગવાનની ઉપસ્થિતિમાં જ મુક્તિ મેળવી ચૂક્યા હતા. સુધર્માસ્વામી નામક ગણધર બધા ગણધરોમાં દીર્ધાયુ હતા. આથી ભગવાનના સમસ્ત પ્રવચનનો ઉત્તરાધિકાર તેમને મળ્યો હતો. તેઓએ તેને સુરક્ષિત રાખ્યું અને પોતાની શૈલી તથા શબ્દોમાં ગૂંથી પછીની શિષ્ય-પ્રશિષ્ય પરંપરાને સોંપ્યું. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ અંગઆગમ આ શિષ્ય-પ્રશિષ્ય પરંપરાએ પણ સુધર્માસ્વામી પાસેથી પ્રાપ્ત થયેલ વારસાને પોતાની શૈલી અને શબ્દોમાં બહુ લાંબા સમય સુધી કંઠસ્થ રાખ્યો. આચાર્ય ભદ્રબાહુના સમયમાં એક ભયંકર અને લાંબો દુષ્કાળ પડ્યો. આ સમયે પૂર્વગતશ્રુત તો સમૂળગું નષ્ટ જ થઈ ગયું. માત્ર ભદ્રબાહુસ્વામીને તે યાદ હતું અને તેમની પછી વધુ લાંબા સમય સુધી તે ટકી ન શક્યું. વર્તમાનમાં તેનું નામનિશાન પણ ઉપલબ્ધ નથી. આ સમયે જે એકાદશ અંગો ઉપલબ્ધ છે તેમના વિષયમાં પરિશિષ્ટપર્વના નવમા સર્ગમાં બતાવવામાં આવ્યું છે કે દુષ્કાળ સમાપ્ત થયા પછી (વીર નિર્વાણ બીજી શતાબ્દી) પાટલિપુત્રમાં શ્રમણસંઘ એકઠો થયો અને જે અંગો, અધ્યયનો, ઉદ્દેશકો વગેરે યાદ હતાં તે બધાનું સંકલન કર્યું. તતશ પશિાાનિ શ્રીસંઘ મેયસ્ તા ! જિનપ્રવચનના સંકલનની આ પ્રથમ સંગીતિ–વાચના છે. ત્યારપછી દેશમાં બીજો દુષ્કાળ પડ્યો. જેથી કંઠસ્થ શ્રતને ફરી હાનિ પહોંચી. દુષ્કાળ સમાપ્ત થતાં ફરી (વીરનિર્વાણ નવમી શતાબ્દી) મથુરામાં શ્રમણસંઘ એકઠો થયો અને સ્કંદિલાચાર્યના અધ્યક્ષપણામાં જિન-પ્રવચનની દ્વિતીય વાચના થઈ. મથુરામાં થવાને કારણે તેને માધુરી વાચના પણ કહે છે. ભદ્રબાહુસ્વામી અને સ્કંદિલાચાર્યના સમયના દુષ્કાળ અને શ્રુતસંકલનના ઉલ્લેખો આવશ્યકચૂર્ણિ તથા નંદિચૂર્ણિમાં મળે છે. તેમાં દુષ્કાળનો સમય બાર વર્ષનો બતાવવામાં આવ્યો છે. માથરીવાચનાની સમકાલીન એક બીજી વાચનાનો ઉલ્લેખ કરતાં કહાવલી નામે ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે વલભી નગરીમાં આચાર્ય નાગાર્જુનની અધ્યક્ષતામાં પણ આ જ પ્રકારની એક વાચના થઈ હતી જેને વાલભી અથવા નાગાર્જુનીય વાચના કહે છે. આ વાચનાઓમાં જિન-પ્રવચન ગ્રંથબદ્ધ કરવામાં આવ્યું. આનું સમર્થન કરતાં આચાર્ય હેમચંદ્ર યોગશાસ્ત્રની વૃત્તિ (યોગશાસ્ત્ર પ્રકાશ ૩, પત્ર ૨૦૭)માં લખે છે વિનવવનં ૨ દુષ્પત્તિવશાત્ છન્નપ્રાયમિત મત્વા ભાવભર્જુન-ન્દ્રિતાવાર્યપ્રકૃતિમઃ પુસ્તપુ ચત-કાળની દુષ્યમતાને કારણે (અથવા દુષ્પમાકાળને કારણે) જિન-પ્રવચનને લગભગ ઉચ્છિન્ન થયેલું જાણીને આચાર્ય નાગાર્જુન, કંદિલાચાર્ય વગેરેએ તેને પુસ્તકબદ્ધ કર્યું. માથુરીવાચના વાલભવાચનાથી અનેક સ્થળે જુદી પડી ગઈ. પરિણામે વાચનાઓમાં પાઠભેદો થઈ ગયા. આ બંને શ્રુતધર આચાર્યોએ જો એકબીજાને મળીને વિચારવિમર્શ કર્યો હોત તો સંભવ છે કે વાચનાભેદ ટળી શકત. પરંતુ દુર્ભાગ્યથી તેઓ ન તો વાચના પૂર્વે આ વિષયમાં કંઈ કરી શક્યા કે ન વાચના પછી પણ પરસ્પર મળી શક્યા. આ વાચનાભેદ તેમનાં મૃત્યુ પછી પણ તેવો ને તેવો જ બની રહ્યો. તેને વૃત્તિકારોએ નાણુનીયા: પુન: પર્વ પતિ' વગેરે વાક્યો દ્વારા નિર્દિષ્ટ કર્યો છે. માથરી અને વલભીવાચના સંપન્ન થયા પછી વીરનિર્વાણ ૯૮૦ અથવા ૯૯૩માં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે વલભીમાં સંઘ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય આચારાંગ એકત્રિત કરી તે સમયમાં ઉપલબ્ધ સમસ્ત શ્રુત પુસ્તકબદ્ધ કર્યું. તે સમયથી સંપૂર્ણ શ્રુત ગ્રંથબદ્ધ થઈ ગયું. ત્યારથી તેના વિચ્છેદ અથવા વિપર્યાસની સંભાવના ઘણી ઓછી થઈ ગઈ. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે કોઈ જાતની નવી વાચનાનું પ્રવર્તન નથી કર્યું પરંતુ જે શ્રુતપાઠ પહેલાંની વાચનાઓમાં નિશ્ચિત થઈ ચૂક્યો હતો તેને જ એકત્રિત કરી વ્યવસ્થિત રૂપે ગ્રંથબદ્ધ કર્યો. આ વિષયમાં ઉપલબ્ધ ઉલ્લેખ આ પ્રમાણે છે : वलभीपुरम्मि नयरे देवड्डिपमुहेण समणसंघेण । पुत्थइ आगमु लिहिओ नवसयअसीआओ वीराओ । અર્થાત્ વલભીપુર નામક નગરમાં દેવર્ધિગણિ પ્રમુખ શ્રમણસંઘે વીરનિર્વાણ ૯૮૦ (મતાંતરે ૯૯૩)માં આગમો ગ્રંથબદ્ધ કર્યા. દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણઃ વર્તમાન સમસ્ત જૈન પ્રબન્ધ-સાહિત્યમાં ક્યાંય પણ દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ જેવા ૧. આગમોને પુસ્તકારૂઢ કરનારા આચાર્યનું નામ દેવર્ષિગણિ ક્ષમાશ્રમણ છે. અમુક વિશિષ્ટ ગીતાર્થ પુરુષને “ગણી” અને “ક્ષમાશ્રમણ' કહેવામાં આવે છે. જેવી રીતે વિશેષાવશ્યકભાષ્યના પ્રણેતા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે તેવી જ રીતે ઉચ્ચ કોટિના ગીતાર્થ દેવર્ધિગણિ પણ ક્ષમાશ્રમણ છે. તેમની ગુરુપરંપરાનો ક્રમ કલ્પસૂત્રની વિરાવલિમાં આપવામાં આવેલ છે. તેમને કોઈ પણ ગ્રંથકારે વાચકવંશમાં ગણાવ્યા નથી. આથી વાચકોથી આ ગણિ ક્ષમાશ્રમણ જુદા જણાય છે અને વાચકવંશની પરંપરા જુદી જણાય છે. મંદિસૂત્રના પ્રણેતા દેવવાચક નામના આચાર્ય છે. તેમની ગુરુપરંપરા નંદિસૂત્રની સ્થવિરાવલીમાં આપી છે અને તેઓ સ્પષ્ટપણે વાચકવંશની પરંપરામાં છે. આથી દેવવાચક અને દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ જુદા જુદા આચાર્યોનાં નામ છે તથા કોઈપણ રીતે કદાચ ગણિ ક્ષમાશ્રમણપદ અને વાચકપદ જુદાં નથી એવું માનવા છતાં પણ બને આચાર્યોની ગુરુપરંપરા પણ એક જેવી જણાતી નથી. એટલા માટે પણ આ બંને જુદા જુદા આચાર્યો છે. પ્રશ્નપદ્ધતિ નામે નાનકડા ગ્રંથમાં લખ્યું છે કે નંદિસૂત્ર દેવવાચકે બનાવ્યું છે અને પાઠો વારંવાર ન લખવા પડે એટલા માટે દેવવાચક કૃત નંદિસૂત્રની સાક્ષી પુસ્તકારૂઢ કરતી વેળાએ દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે આપી છે. આ બંને આચાર્યો જુદા જુદા હોય તો જ પ્રશ્નપદ્ધતિનો આ ઉલ્લેખ સંગત થઈ શકે છે. પ્રશ્નપદ્ધતિના કર્તાના વિચારે આ બંને એક જ હોત તો તેઓ આવું લખત કે નંદિસૂત્રદેવવાચકની કૃતિ છે અને પોતાની જ કૃતિની સાક્ષી દેવર્ષિએ આપી છે, પરંતુ તેમણે એવું ન લખતાં એ બંને જુદા જુદા હોય એવો નિર્દેશ કર્યો છે. પ્રશ્નપદ્ધતિના કર્તા મુનિ હરિશ્ચંદ્ર છે જે પોતાને નવાંગીવૃત્તિકાર યા અભયદેવસૂરિના શિષ્ય કહે છે – જુઓ પ્રશ્નપદ્ધતિ, પૃ. ૨. Page #162 -------------------------------------------------------------------------- ________________ અંગઆગમ મહાપ્રભાવક આચાર્યનું સંપૂર્ણ જીવન-વૃત્તાંત મળતું નથી. તેમણે કઈ પરિસ્થિતિમાં આગમો ગ્રંથબદ્ધ કર્યાં ? તે સમયે બીજા કયા શ્રુતધર પુરુષો વિદ્યમાન હતા ? વલભીપુરના સંઘે તેમના આ કાર્યમાં કેવી રીતે સહાય કરી હતી ? ઇત્યાદિ પ્રશ્નોના સમાધાન માટે હાલમાં કોઈ પણ સામગ્રી ઉપલબ્ધ નથી. આશ્ચર્ય તો એ વાતનું છે કે વિક્રમની ચૌદમી શતાબ્દીમાં થઈ ગયેલા આચાર્ય પ્રભાચંદ્રે પોતાના પ્રભાવકચરિતમાં અન્ય અનેક મહાપ્રભાવક પુરુષોનાં જીવનચરિત્રો આપ્યાં છે. પરંતુ તેમાં ક્યાંય આમનો નિર્દેશ નથી. ૧૨૮ દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે આગમો ગ્રંથબદ્ધ કરતી વેળાએ કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો ધ્યાનમાં રાખી હતી. જ્યાં જ્યાં શાસ્ત્રોમાં સમાન પાઠો આવ્યા ત્યાં ત્યાં તેમની પુનરાવૃત્તિ ન કરતાં તેમના માટે એક વિશેષ ગ્રંથ અથવા સ્થાનનો નિર્દેશ કરી દીધો, જેમ કે ‘ના વા’ ‘નહીં પળવા' વગેરે. એક જ ગ્રંથમાં તે જ વાત વારંવાર આવે ત્યારે તેને ફરી ફરી ન લખતાં ‘નાવ’ શબ્દનો પ્રયોગ કરીને તેનો અંતિમ શબ્દ લખી દીધો, જેમ કે ‘મારા નાવ વિરતિ’, ‘તેનું ાતેનું નાવ પરિક્ષા નિયા’ વગેરે. એ ઉપરાંત તેમણે મહાવીર પછીની કેટલીક મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પણ આગમોમાં જોડી દીધી. ઉદાહરણ રૂપે સ્થાનાંગમાં ઉલ્લિખિત દસ ગણો ભગવાન મહાવીરના નિર્વાણના ઘણા સમય પછી ઊભા થયેલા. આ જ વાત જમાલિને છોડીને બાકીના નિહ્નવોના વિષયમાં પણ કહી શકાય છે. પહેલાંથી ચાલી આવતી માથુરી અને વાલભી આ બંને વાચનાઓમાંથી દેવર્ધિગણિએ માથુરીવાચનાને મુખ્ય ગણી. સાથોસાથ જ વાલભી વાચનાના પાઠભેદને પણ સુરક્ષિત રાખ્યો. આ બંને વાચનાઓમાં સંગતિ કરવાનો પણ તેમણે ભરસક પ્રયત્ન કર્યો અને બધાનું સમાધાન કરી માથુરીવાચનાને મુખ્ય સ્થાન આપ્યું. મહારાજા ખારવેલ મહારાજા ખારવેલે પણ પોતાના સમયમાં જૈન પ્રવચનના સમુદ્ધાર માટે શ્રમણશ્રમણીઓ અને શ્રાવક-શ્રાવિકાઓનો બૃહદ્ સંઘ એકત્ર કર્યો હતો. એ વાત ખેદજનક છે કે આ બાબતમાં કોઈ પણ જૈન ગ્રંથમાં કોઈ ઉલ્લેખ ઉપલબ્ધ નથી. મહારાજા ખારવેલે કલિંગગત ખંડિગિર અને ઉદયગિર ઉપર એ વિષયમાં જે વિસ્તૃત લેખ કોતરાવ્યો છે તેમાં આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આ લેખ પૂરેપૂરો પ્રાકૃતમાં છે. `માં કલિંગમાં ભગવાન ઋષભદેવના મંદિરની સ્થાપના અને અન્ય અનેક ઘટનાઓનો ઉલ્લેખ છે. વર્તમાનકાળે ઉપલબ્ધ ‘હિમવંત થેરાવલી' નામક પ્રાકૃત-સંસ્કૃત મિશ્રિત પટ્ટાવલીમાં મહારાજા ખારવેલના વિષયમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે તેમણે પ્રવચનનો ઉદ્ધાર કર્યો હતો. Page #163 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય : આચારાંગ આચારાંગના શબ્દો : ઉપર્યુક્ત તથ્યો ધ્યાનમાં રાખીને આચારાંગના કર્તૃત્વનો વિચાર કરતાં એ સ્પષ્ટ પ્રતીત થશે કે તેમાં આશય તો ભગવાન મહાવી૨નો જ છે. રહી વાત શબ્દોની. આપણી સામે જે શબ્દો છે તે કોના છે ? તેનો ઉત્તર એટલો સરળ નથી. કાં તો તે શબ્દો સુધર્માસ્વામીના છે અથવા જંબૂસ્વામીના છે કે તેમની પછી થઈ ગયેલા કોઈ સુવિહિત ગીતાર્થના છે. છતાં પણ એટલું ચોક્કસ છે કે આ શબ્દો એટલા તીવ્ર છે કે સાંભળતાં જ સીધા હૃદયમાં પેસી જાય છે. એનાથી એ જણાઈ આવે છે કે તે કોઈ અસાધારણ અનુભવાત્મક આધ્યાત્મિક પરાકાષ્ઠાએ પહોંચેલા પુરુષનાં હૃદયમાંથી નીકળેલા છે અને સાંભળનારાએ પણ તેમને એ જ નિષ્ઠાપૂર્વક સુરક્ષિત રાખ્યા છે. આથી એમાં સહેજ પણ સંદેહ નથી કે આ શબ્દો સુધર્માસ્વામીની વાચનાનું અનુસરણ કરનારા છે. સંભવ છે કે તેમાં સુધર્માના પોતાના જ શબ્દોનું પ્રતિબિંબ હોય. એ પણ અસંભવિત નથી કે આ પ્રતિબિંબરૂપ શબ્દોમાંથી અમુક શબ્દો ભગવાન મહાવીરના પોતાના શબ્દોના પ્રતિબિંબરૂપ હોય, અમુક શબ્દો સુધર્માસ્વામીના વચનોના પ્રતિબિંબરૂપે હોય, અમુક શબ્દો ગીતાર્થ મહાપુરુષોના શબ્દોના પ્રતિધ્વનિ રૂપે હોય. આમાંથી કયા શબ્દો કઈ કોટિના છે તેનું પૃથક્કરણ અહીં સંભવિત નથી. અત્યારે આપણે ગુરુનાનક, કબીર, નરસિંહ મહેતા, આનંદધન, યશોવિજય ઉપાધ્યાય વગેરેના જે ભજન-સ્તવનો ગાઈએ છીએ તેમાં મૂળની અપેક્ષાએ કેટલુંક પરિવર્તન થયેલું જણાઈ આવે છે. એ જ રીતે થોડું ઝાઝું પરિવર્તન આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધમાં પણ થયેલ જણાય છે. આ જ વાત સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતસ્કંધના વિષયમાં પણ કહી શકાય. બાકીના અંગોના વિષયમાં આમ કહી શકાતું નથી. તે ગીતાર્થ સ્થવિરોની રચનાઓ છે. તેમાં મહાવીર વગેરેના શબ્દોની અધિકતા ન હોવા છતાં પણ તેમના આશયનું અનુસરણ તો છે જ. બ્રહ્મચર્ય અને બ્રાહ્મણ : આચારાંગનું બીજું નામ બંભચે૨ અર્થાત્ બ્રહ્મચર્ય છે. આ નામમાં ‘બ્રહ્મ’ અને ‘ચર્ય’ એ બે શબ્દો છે. નિર્યુક્તિકારે બ્રહ્મની વ્યાખ્યા કરતાં નામથી બ્રહ્મ, સ્થાપનાથી બ્રહ્મ, દ્રવ્યથી બ્રહ્મ અને ભાવથી બ્રહ્મ–એવી રીતે બ્રહ્મના ચાર ભેદ બતાવ્યા છે. નામથી બ્રહ્મ અર્થાત્ જે માત્ર નામે જ બ્રહ્મ—બ્રાહ્મણ છે. સ્થાપનાથી બ્રહ્મનો અર્થ છે ચિત્રિત અથવા બ્રાહ્મણોની નિશાનીરૂપ યજ્ઞોપવીતાદિયુક્ત ચિત્રિત આકૃતિ અથવા માટીમાંથી બનાવેલ તેવો આકાર—મૂર્તિ-પ્રતિમા. અથવા જે મનુષ્યોમાં બાહ્ય ચિહ્નો દ્વારા બ્રહ્મભાવની સ્થાપના-કલ્પના કરવામાં આવી હોય, જેમનામાં બ્રહ્મપદના અર્થાનુસા૨ ગુણો ભલે ને ન હોય, તે સ્થાપનાથી બ્રહ્મ—બ્રાહ્મણ કહેવાય છે. અહીં ૧૨૯ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ અંગઆગમ બ્રહ્મ શબ્દનો બ્રાહ્મણ અર્થ વિવક્ષિત છે. મૂળમાં તો બ્રહ્મ શબ્દ બ્રહ્મચર્યનો જ વાચક છે. બ્રહ્મચર્ય સંયમરૂપ છે આથી બ્રહ્મ શબ્દ સત્તર પ્રકારના સંયમનો સૂચક પણ છે. આનું સમર્થન સ્વયં નિર્યુક્તિકારે (૨૮મી ગાથામાં) કર્યું છે. આમ હોવા છતાં પણ સ્થાપનાથી બ્રહ્મનું સ્વરૂપ સમજાવતાં નિર્યુક્તિકારે યજ્ઞોપવીતાદિયુક્ત અને બ્રાહ્મણગુણવર્જિત જાતિબ્રાહ્મણને પણ સ્થાપનાથી બ્રહ્મ કેમ કહ્યો? કોઈ બીજાને અર્થાત્ ક્ષત્રિય, વૈશ્ય અથવા શૂદ્રને સ્થાપનાથી બ્રહ્મ કેમ ન કહ્યો? આનું સમાધાન એ છે કે જે કાળે આચારાંગની યોજના થઈ તે કાળ ભગવાન મહાવીર અને સુધર્માનો હતો. તે કાળમાં બ્રહ્મચર્ય ધારણ કરનારા મોટા ભાગે બ્રાહ્મણો હતા. કોઈ સમયે બ્રાહ્મણો વાસ્તવિક અર્થમાં બ્રહ્મચારી હતા, પરંતુ જે કાળની આ સૂત્રયોજના છે તે કાળમાં બ્રાહ્મણો પોતાના બ્રાહ્મણધર્મથી અર્થાત્ બ્રાહ્મણના યથાર્થ આચારથી ટ્યુત થઈ ગયા હતા. છતાં પણ બ્રાહ્મણ જાતિના બાહ્ય ચિહ્નો ધારણ કરવાને કારણે તેમને બ્રાહ્મણ જ માનવામાં આવતા હતા. આ રીતે તે સમયે ગુણ નહિ પરંતુ જાતિ જ બ્રાહ્મણત્વનું પ્રતીક મનાવા લાગી હતી. સુત્તનિપાતના બ્રાહ્મણધમિકસુત્ત (ચૂલવગ્ન, સૂ. ૭)માં ભગવાન બુદ્ધે આ વિષયમાં સુંદર ચર્ચા કરી છે. તેનો સાર નીચે આપવામાં આવ્યો છે - શ્રાવસ્તી નગરીમાં જેતવનસ્થિત અનાથપિડિકના ઉદ્યાનમાં આવીને ઉતરેલા ભગવાન બુદ્ધને કોશલ દેશના કેટલાક વૃદ્ધ અને કુલીન બ્રાહ્મણોએ આવીને પ્રશ્ન કર્યો-“હે ગૌતમ! શું આજકાલના બ્રાહ્મણો પ્રાચીન બ્રાહ્મણોના બ્રાહ્મણધર્મ અનુસાર આચરણ કરતાં દેખાય છે?” બુદ્ધ જવાબ આપ્યો-“હે બ્રાહ્મણો! આજકાલના બ્રાહ્મણો પ્રાચીન બ્રાહ્મણોના બ્રાહ્મણધર્મ અનુસાર આચરણ કરતાં દેખાતા નથી.” બ્રાહ્મણો કહેવા લાગ્યા–“હે ગૌતમ ! પ્રાચીન બ્રાહ્મણધર્મ શું છે તે અમને બતાવો.” બુદ્ધ કહ્યું-“પ્રાચીન બ્રાહ્મણ ઋષિઓ સંયતાત્મા અને તપસ્વી હતા. તેઓ પાંચ ઈન્દ્રિયોના વિષયને ત્યાગીને આત્મચિંતન કરતા. તેમની પાસે પશુઓ ન હતા, ધન ન હતું. સ્વાધ્યાય જ તેમનું ધન હતું. તેઓ બ્રાહ્મનિધિનું પાલન કરતા. લોકો તેમના માટે શ્રદ્ધાપૂર્વક ભોજન બનાવી દ્વાર ઉપર તૈયાર રાખતા અને તેમને આપવાનું ઉચિત સમજતા. તેઓ અવદ્ય હતા અને તેમના માટે કોઈ પણ કુટુંબમાં અવરજવરની કોઈ રોકટોક ન હતી. તેઓ અડતાલીસ વર્ષ સુધી કૌમાર બ્રહ્મચર્યનું પાલન કરતા અને પ્રજ્ઞા તથા શીલનું સંપાદન કરતા. ઋતુકાળ સિવાય તેઓ પોતાની પ્રિય સ્ત્રીનો સહવાસ પણ સ્વીકારતા નહિ. તેઓ બ્રહ્મચર્ય, શીલ, આર્જવ, માર્દવ, તપ, સમાધિ, અહિંસા અને શાંતિની સ્તુતિ કરતા. તે સમયે સુકુમાર, ઉન્નતસ્કંધ, તેજસ્વી અને યશસ્વી બ્રાહ્મણો સ્વધર્માનુસાર આચરણ કરતા તથા કૃત્ય-અકૃત્ય વિષયમાં સદા દક્ષ રહેતા. તેઓ Page #165 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય આચારાંગ ૧૩૧ ચોખા, આસન, વસ્ત્ર, ઘી, તેલ વગેરે પદાર્થો ભિક્ષા દ્વારા અથવા ધાર્મિક રીતે એકત્ર કરી યજ્ઞો કરતા. યજ્ઞમાં તેઓ ગૌવધ ન કરતા. જ્યાં સુધી તેઓ એવા હતા ત્યાં સુધી લોકો સુખી હતા પરંતુ રાજા પાસેથી દક્ષિણામાં મેળવેલી સંપત્તિ અને અલંકૃત સ્ત્રીઓ જેવી અત્યંત શુદ્ર વસ્તુઓથી તેમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ. દક્ષિણામાં પ્રાપ્ત ગૌવૃંદ અને સુંદર સ્ત્રીઓમાં બ્રાહ્મણો લુબ્ધ થયા. તેઓ આ પદાર્થો માટે રાજા ઇશ્વાકુ પાસે ગયા અને કહેવા લાગ્યા કે તારી પાસે ખૂબ ધનધાન્ય છે, ખૂબ સંપત્તિ છે, એટલા માટે તું યજ્ઞ કર. આ યજ્ઞમાં સંપત્તિ પ્રાપ્ત કરી બ્રાહ્મણો ધનાઢ્ય બન્યા. આ રીતે લોલુપ બનેલા બ્રાહ્મણોની તૃષ્ણા વધુ વધી અને તેઓ ફરી ઈક્વાકુ પાસે ગયા અને તેને સમજાવ્યો. ત્યારે તેણે યજ્ઞમાં લાખો ગાયો મારી” વગેરે. સુત્તનિપાતના આ ઉલ્લેખ પરથી પ્રાચીન બ્રાહ્મણો અને પતિત બ્રાહ્મણોનો થોડોઘણો પરિચય મળે છે. નિર્યુક્તિકારે પતિત બ્રાહ્મણોને ચિત્રિત બ્રાહ્મણોની કક્ષામાં મૂકતાં તેમની ધર્મવિહીનતા અને જડતા તરફ સંકેત કર્યો છે. ચતુર્વર્ણ નિયુક્તિકાર કહે છે કે પહેલાં માત્ર એક મનુષ્યજાતિ હતી. પછી ભગવાન ઋષભદેવ રાજ્યારૂઢ થતાં તેના બે વિભાગ થયા. પછી શિલ્પ અને વાણિજ્ય પ્રારંભ થતાં તેનાં ત્રણ વિભાગ થયા તથા શ્રાવકધર્મની ઉત્પત્તિ થતાં તેનાં ચાર વિભાગો થઈ ગયા. એ રીતે નિર્યુક્તિની મૂળ ગાથામાં સામાન્યપણે મનુષ્યજાતિના ચાર વિભાગોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. તેમાં કોઈ વર્ણવિશેષનો નામોલ્લેખ નથી. ટીકાકાર શીલાંકે વર્ણોના વિશેષ નામો બતાવતાં કહ્યું છે કે જે મનુષ્યો ભગવાનના આશ્રિત હતા તેઓ “ક્ષત્રિય' કહેવાયા. બીજા બધા “શૂદ્ર ગણાયા. તેઓ શોક અને રોદન સ્વભાવયુક્ત હતા. તેથી તેઓ “શૂદ્ર રૂપે પ્રસિદ્ધ થયા. પછી અગ્નિની શોધ થતાં જેમણે શિલ્પ અને વાણિજ્ય અપનાવ્યાં તેઓ “વૈશ્ય' કહેવાયા. ત્યારબાદ જે લોકો ભગવાનના બતાવેલાં શ્રાવકધર્મનું પરમાર્થપૂર્વક પાલન કરવા લાગ્યા અને “મા હણો, મા હણો એવી ઘોષણા કરી અહિંસાધર્મનો ઉદ્ઘોષ કરવા લાગ્યા તેઓ “માહણ' અર્થાત્ બ્રાહ્મણ રૂપે પ્રસિદ્ધ થયા. ઋગ્વદના પુરુષસૂક્તમાં નિર્દિષ્ટ ચતુર્વર્ણની ઉત્પત્તિ પરથી આ ક્રમ બિલકુલ જુદો છે. અહીં સર્વપ્રથમ ક્ષત્રિય, પછી શૂદ્ર, પછી વૈશ્ય અને અંતે બ્રાહ્મણોની ઉત્પત્તિ બતાવવામાં આવી છે જયારે ઉક્ત સૂક્તની અંદર સર્વપ્રથમ બ્રાહ્મણ, પછી ક્ષત્રિય, ત્યારબાદ વૈશ્ય અને અંતે શૂદ્રની ઉત્પત્તિ બતાવવામાં આવી છે. નિર્યુક્તિકારે બ્રાહ્મણોત્પત્તિનો પ્રસંગ ધ્યાનમાં રાખતાં અન્ય સાત વર્ગો અને નવ વર્ણાતરોની Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ અંગઆગમ ઉત્પત્તિનો ક્રમ પણ બતાવ્યો છે. આ બધા વર્ણવર્માતરોનો સમાવેશ તેમણે સ્થાપનાબ્રહ્મમાં કર્યો છે. આ વિષયમાં ચૂર્ણિકારે જે નિરૂપણ કર્યું છે તે નિર્યુક્તિકાર કરતાં સહેજ જુદુ પડતું જણાય છે. ચૂર્ણિમાં બતાવવામાં આવ્યું છે કે ભગવાન ઋષભદેવના સમયમાં જે રાજાના આશ્રિતો હતા તેઓ ક્ષત્રિય થયા અને જે રાજાના આશ્રિતો ન હતા તેઓ ગૃહપતિ કહેવાયા. ત્યારપછી અગ્નિની શોધ થયા પછી તે ગૃહપતિઓમાંથી જે શિલ્પ તથા વાણિજ્ય કરનારા હતા તેઓ વૈશ્ય થયા. ભગવાને પ્રવ્રજ્યા લીધા પછી અને ભારતનો રાજયાભિષેક થયા પછી ભગવાનના ઉપદેશ દ્વારા શ્રાવકધર્મની ઉત્પત્તિ થયા પછી બ્રાહ્મણો ઉત્પન્ન થયા. તે શ્રાવકો ધર્મપ્રિય હતા અને “મા હણો, મા હણો' રૂપે અહિંસાનો ઉદ્ઘોષ કરનારા હતા, આથી લોકોએ તેમને માહણ બ્રાહ્મણ નામ આપ્યું. આ બ્રાહ્મણો ભગવાનના આશ્રિતો હતા. જે ભગવાનના આશ્રિતો ન હતા તથા કોઈ પ્રકારનું શિલ્પ વગેરે કરતાં ન હતા અને અશ્રાવકો હતા તેઓ શોકાતુર અને દ્રોહસ્વભાવયુક્ત હોવાને કારણે શૂદ્ર કહેવાયા. “શૂદ્ર’ શબ્દના “શૂનો અર્થ શોકસ્વભાવયુક્ત અને “દ્રનો અર્થ દ્રોહસ્વભાવયુક્ત કરવામાં આવ્યો છે. નિર્યુક્તિકારે ચતુર્વર્ણનો ક્રમ ક્ષત્રિય, શૂદ્ર, વૈશ્ય અને બ્રાહ્મણ–એવો બતાવ્યો છે, જ્યારે ચૂર્ણિકાર અનુસાર આ ક્રમ ક્ષત્રિય, વૈશ્ય, બ્રાહ્મણ અને શુદ્ર–આ પ્રમાણે છે. આ ક્રમ-પરિવર્તનનું કારણ સંભવ છે કે વૈદિક પરંપરાનો પ્રભાવ છે. સાત વર્ગો અને નવ વર્ણાતરો: નિર્યુક્તિકારે અને તેમને અનુસરીને ચૂર્ણિકાર તથા વૃત્તિકારે સાત વર્ગો અને નવ વર્ણાતરોની ઉત્પત્તિનો જે ક્રમ બતાવ્યો છે તે આ પ્રમાણે છે : બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર મૂળ વર્ણ છે. તેમાંથી બ્રાહ્મણ તથા ક્ષત્રિયાણીના સંયોગથી ઉત્પન્ન થનાર ઉત્તમ ક્ષત્રિય, શુદ્ધ ક્ષત્રિય અથવા સંકર ક્ષત્રિય કહેવાય છે. આ પંચમ વર્ણ છે. ક્ષત્રિય અને વૈશ્ય સ્ત્રીના સંયોગથી ઉત્પન્ન થનાર ઉત્તમ વૈશ્ય, શુદ્ધ વૈશ્ય અથવા સંકર વૈશ્ય કહેવાય છે. આ ષષ્ઠ વર્ણ છે. એ જ રીતે વૈશ્ય અને શૂદ્રાના સંયોગથી ઉત્પન્ન થનાર ઉત્તમ શૂદ્ર, શુદ્ધ શૂદ્ર અથવા સંકર શૂદ્ર રૂપે સપ્તમ વર્ણ છે. આ સાત વર્ષો થયા. બ્રાહ્મણ અને વૈશ્ય સ્ત્રીના સંયોગથી ઉત્પન્ન થનાર અંબઇ નામે પ્રથમ વર્ણાતર છે. એ જ રીતે ક્ષત્રિય અને શૂદ્રાના સંયોગથી ઉગ્ર, બ્રાહ્મણ અને શૂદ્રાના સંયોગથી નિષાદ અથવા પારાશર, શૂદ્ર અને વૈશ્ય સ્ત્રીના સંયોગથી અયોગવ, વૈશ્ય અને ક્ષત્રિયાણીના સંયોગથી માગધ, ક્ષત્રિય અને બ્રાહ્મણીના સંયોગથી સુત, શૂદ્ર અને ક્ષત્રિયાણીના સંયોગથી ક્ષતૃક, વૈશ્ય અને બ્રાહ્મણીના સંયોગથી વૈદેહ તથા Page #167 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય : આચારાંગ શૂદ્ર અને બ્રાહ્મણીના સંયોગથી ચાંડાલ નામે અન્ય આઠ વર્ષાંતરોની ઉત્પત્તિ બતાવવામાં આવી છે. તે ઉપરાંત કેટલાક અન્ય વર્ષાંતરો પણ છે. ઉગ્ર અને ક્ષત્રિયાણીના સંયોગથી ઉત્પન્ન થનાર શ્વપાક, વૈદેહ અને ક્ષત્રિયાણીના સંયોગથી ઉત્પન્ન થનાર વૈણવ, નિષાદ અને અંબષ્ઠી કે શૂદ્રાના સંયોગથી ઉત્પન્ન થનાર બોક્કસ, શૂદ્ર અને નિષાદીના સંયોગથી ઉત્પન્ન થનારા કુફ્રુટક અથવા કુક્કુરક કહેવાય છે. આ રીતે વર્ણો અને વર્ષાંતરોની ઉત્પત્તિનું સ્વરૂપ બતાવતાં ચૂર્ણિકાર સ્પષ્ટ શબ્દોમાં લખે છે કે ‘વં સ્વછંમતિવિ—િતં' અર્થાત્ વૈદિક પરંપરામાં બ્રાહ્મણ વગેરેની ઉત્પત્તિના વિષયમાં જે કંઈ કહેવામાં આવ્યું છે તે બધું સ્વચ્છંદ મતિવાળાઓની કલ્પના છે. ઉપર્યુક્ત વર્ણ-વર્ષાંતર સંબંધી સમસ્ત વિવેચન મનુસ્મૃતિ (અ. ૧૦, શ્લો ૪-૪૫)માં મળે છે. ચૂર્ણિકા૨ અને મનુસ્મૃતિકા૨ના ઉલ્લેખોમાં ક્યાંક-ક્યાંક નામ વગેરેમાં થોડું થોડું અંતર નજરે પડે છે. શસ્ત્રપરિજ્ઞા : ૧૩૩ આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનનું નામ સત્યપરિક્ષા અર્થાત્ શસ્ત્રપરિજ્ઞા છે. શસ્ત્રપરિજ્ઞા એટલે શસ્ત્રોનું જ્ઞાન. આચારાંગ શ્રમણ-બ્રાહ્મણના આચારો સંબંધી ગ્રંથ છે. તેમાં ક્યાંય પણ યુદ્ધ અથવા સેનાનું વર્ણન નથી. આવી સ્થિતિમાં પ્રથમ અધ્યયનમાં શસ્રોસંબંધી વિવેચન કેવી રીતે સંભવી શકે ? સંસારમાં લાઠી, તલવાર, ખંજર, બંદૂક વગેરેની જ શસ્ત્રો રૂપે પ્રસિદ્ધિ છે. આજના વૈજ્ઞાનિક યુગમાં અણુબોંબ, હાઈડ્રોજનબોંબ વગેરે પણ શસ્ત્રો રૂપે પ્રસિદ્ધ છે. આવાં શસ્રો સ્પષ્ટ રૂપે હિંસક છે તે સર્વવિદિત છે. આચારાંગના કર્તાની દૃષ્ટિએ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કામ, ઇર્ષા, મત્સર આદિ કષાયો પણ ભયંકર શસ્રો છે. એટલું જ નહિ, આ કષાયો દ્વારા જ ઉપર્યુક્ત શસ્ત્રાસ્ત્રો ઉત્પન્ન થયાં છે. એ દૃષ્ટિએ કષાયજન્ય સમસ્ત પ્રવૃત્તિઓ શસ્રરૂપ છે. કષાયના અભાવમાં કોઈપણ પ્રવૃત્તિ શસ્રરૂપ નથી. આ જ ભગવાન મહાવીરનું દર્શન અને ચિંતન છે. આચારાંગના શસ્ત્રપરિજ્ઞા નામક પ્રથમ અધ્યયનમાં કષાયરૂપ અથવા કષાયજન્ય પ્રવૃત્તિરૂપ શસ્ત્રોનું જ જ્ઞાન કરાવવામાં આવ્યું છે. તેમાં બતાવવામાં આવ્યું છે કે જે બાહ્ય શુદ્ધિને બહાને પૃથ્વી, જળ વગેરેનો અમર્યાદિત વિનાશ કરે છે તેઓ હિંસા તો કરે જ છે, ચોરી પણ કરે છે. આનું જ વિવેચન કરતાં ચૂર્ણિકારે કહ્યું છે કે ‘વડસટ્વીર્ મટ્ટિયાદિ સ પન્નાતિ' અર્થાત્ તે ચોસઠ (વાર) માટીથી સ્નાન કરે છે. કેટલાક વૈદિકોની માન્યતા છે કે જુદા જુદા અંગો પર બધુ મળી ચોસઠ વા૨ માટી લગાવવાથી જ પવિત્ર થઈ શકાય છે. મનુસ્મૃતિ (અ ૫, શ્લો ૧૩૫-૧૪૫)માં બાહ્ય શૌચ અર્થાત્ શરીરશુદ્ધિ અને પાત્ર વગેરેની શુદ્ધિ વિષયમાં Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ અંગઆગમ વિસ્તૃત વિધાનો છે. તેમાં વિભિન્ન ક્રિયાઓ પછી શુદ્ધિ માટે કયા કયા અંગ ઉપર કેટલી કેટલી વાર માટી અને પાણીનો પ્રયોગ કરવો જોઈએ તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આ વિધાનમાં ગૃહસ્થ, બ્રહ્મચારી, વનવાસી અને યતિનો અલગ અલગ વિચાર કરવામાં આવ્યો છે એટલે કે તેમની અપેક્ષાએ માટી અને પાણીના પ્રયોગોની સંખ્યામાં વિભિન્નતા બતાવવામાં આવી છે. ભગવાન મહાવીરે સમાજને આંતરિક શુદ્ધિ તરફ વાળવા માટે કહ્યું કે આ પ્રકારની બાહ્ય શુદ્ધિ હિંસા વધારવાનું જ એક સાધન છે. આનાથી પૃથ્વી, જળ, અગ્નિ, વનસ્પતિ તથા વાયુના જીવોનું કચુંબર નીકળી જાય છે. આ ઘોર હિંસાની જનની છે. આનાથી અનેક અનર્થો ઉત્પન્ન થાય છે. શ્રમણ અને બ્રાહ્મણે સરળ બનવું જોઈએ, નિષ્કપટ થવું જોઈએ, પૃથ્વી વગેરેના જીવોનું હનન ન કરવું જોઈએ. પૃથ્વી વગેરે પ્રાણરૂપ છે. એમાં આગંતુક જીવો પણ રહે છે. આથી શૌચ નિમિત્તે તેમનો ઉપયોગ કરવાથી તેમની તથા તેમાં રહેનારા પ્રાણીઓની હિંસા થાય છે. આથી આ પ્રવૃત્તિ શસ્ત્રરૂપ છે. આંતરિક શુદ્ધિના અભિલાષીઓને તેનું જ્ઞાન હોવું જોઈએ. આ જ ભગવાન મહાવીરના શસ્ત્રપરિજ્ઞા પ્રવચનનો સાર છે. રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ અજ્ઞાનીઓ માટે આવર્તરૂપ છે, એવું સમજીને વિવેકવાને તે બધામાં મૂછિત ન થવું જોઈએ. જો પ્રમાદને કારણે પહેલાં તે બધા તરફ ઢળેલ હોય તો એવો નિશ્ચય કરવો જોઈએ કે હવે હું આ બધાથી બચીશ—એમનામાં ફસાઈશ નહિ–પહેલાંની માફક આચરણ કરીશ નહિ. રૂપ વગેરેમાં લોલુપ વ્યક્તિઓ વિવિધ પ્રકારની હિંસા કરતા નજરે પડે છે. કેટલાક લોકો પ્રાણીઓનો વધ કરી તેમને આખાને આખા રાંધી ખાય છે. કેટલાક ચામડાં માટે તેમને મારે છે. કેટલાક માત્ર માંસ, લોહી, ચરબી, પાંખો, પૂંછડી, વાળ, શીંગડાં, દાંત, નખ અથવા હાડકાં માટે તેમનો વધ કરે છે. કેટલાક શિકારનો શોખ પૂરો કરવા માટે પ્રાણીઓનો વધ કરે છે. એ રીતે કેટલાક લોકો પોતાના કોઈને કોઈ સ્વાર્થ માટે જીવોનો ક્રૂરતાપૂર્વક નાશ કરે છે, તો કેટલાક નિર્દેતુક જ તેમનો નાશ કરવા તત્પર રહે છે. કેટલાક લોકો માત્ર તમાશો જોવા માટે સાંઢ, હાથી, કૂકડા વગેરેને લડાવે છે. કેટલાક સાપ વગેરેને મારવામાં પોતાની બહાદુરી સમજે છે, તો કેટલાક સાપ વગેરેને મારવાનો પોતાનો ધર્મ સમજે છે. એ રીતે આખા શસ્ત્રપરિજ્ઞા અધ્યયનમાં ભગવાન મહાવીરે જગતમાં થનારી વિવિધ પ્રકારની હિંસાના વિષયમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા છે અને તેનાં પરિણામો તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. તેમણે બતાવ્યું છે કે આ હિંસા જ ગ્રંથ છે–પરિગ્રહરૂપ છે, મોહરૂપ છે, મારરૂપ છે, નરકરૂપ છે. ખોરદહ-અવેસ્તા નામે પારસી ધર્મગ્રંથમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વનસ્પતિ, ૧. “પતેત પશેમાની' નામક પ્રકરણ. Page #169 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય: આચારાંગ ૧૩૫ પશુ, પક્ષી, મનુષ્ય વગેરે સાથે કોઈ પણ પ્રકારનો અપરાધ ન કરવાની અર્થાત્ તેમના પ્રત્યે ઘાતક વ્યવહાર ન કરવાની શીખ આપવામાં આવી છે. આ જ વાત મનુસ્મૃતિમાં બીજી રીતે કહેવામાં આવી છે. તેમાં ચૂલા વડે અગ્નિની હિંસાનો, ઘડા દ્વારા જળની હિંસાનો અને એ જ રીતે અન્ય સાધનો દ્વારા અન્ય પ્રકારની હિંસાનો નિષેધ કરવામાં આવ્યો છે. ઘડો, ચૂલો, ચક્કી વગેરેને જીવવધના સ્થાનો તરીકે બતાવવામાં આવ્યા છે અને ગૃહસ્થ તે બધા પ્રત્યે સાવધાની રાખવાનું વિધાન કરવામાં આવ્યું છે.' શસ્ત્રપરિજ્ઞામાં જે માર્ગ બતાવવામાં આવ્યો છે તે પરાકાષ્ઠાનો માર્ગ છે. તે પરાકાષ્ઠાના માર્ગ પર પહોંચવા માટે અન્ય અવાંતરમાર્ગો પણ છે. તેમાંથી એક માર્ગ છે ગૃહસ્થાશ્રમનો. તેમાં પણ ચડતાં-ઉતરતાં સાધનો છે. આ બધામાં એક વાત સહુથી મહત્ત્વની છે અને તે છે પ્રત્યેક પ્રકારની મર્યાદાનું નિર્ધારણ. તેમાં પણ જેમ જેમ આગળ વધવામાં આવે તેમ તેમ મર્યાદાનું ક્ષેત્ર વધારવામાં આવે અને અંતમાં અનાસક્ત જીવનનો અનુભવ કરવામાં આવે. આનું જ નામ અહિંસક જીવનસાધના અથવા આધ્યાત્મિક શુદ્ધિ છે. અધ્યાત્મ-શુદ્ધિને માટે દેહ, ઇન્દ્રિયો, મન તથા અન્ય બાહ્ય પદાર્થો સાધનરૂપ છે. આ સાધનોનો ઉપયોગ અહિંસક વૃત્તિપૂર્વક થવો જોઈએ. આ પ્રકારની વૃત્તિ માટે સંકલ્પશુદ્ધિ પરમ આવશ્યક છે. સંકલ્પની શુદ્ધિ વિના બધા ક્રિયાકાંડ અને પ્રવૃત્તિઓ નિરર્થક છે. પ્રવૃત્તિ ભલે અલ્પ હોય પરંતુ હોવી જોઈએ સંકલ્પશુદ્ધિપૂર્વકની. આધ્યાત્મિક શુદ્ધિ જ જેમનું લક્ષ્ય છે તેઓ માત્ર ઘટાચાલ અથવા રૂઢિગત પ્રવાહમાં બંધાઈને ચાલી શકે નહિ. તેમને માટે વિવેકયુક્ત સંકલ્પશીલતાની ખાસ આવશ્યકતા હોય છે. દેહદમન, ઇન્દ્રિયદમન, મનોદમન તથા આરંભ-સમારંભ અને વિષય-કષાયોના ત્યાગસંબંધી જે વાતો શસ્ત્રપરિજ્ઞા અધ્યયનમાં બતાવવામાં આવી છે તે બધી વાતો ભિન્ન-ભિન્ન રૂપે ભિન્ન-ભિન્ન સ્થાને ગીતા તેમ જ મનુસ્મૃતિમાં પણ બતાવવામાં આવી છે. મનુએ સ્પષ્ટ કહ્યું છે કે લોઢાના મુખવાળું કાષ્ઠ (હળ વગેરે) ભૂમિને તેમ જ ભૂમિમાં રહેલાં બીજાં બીજાં પ્રાણીઓને હણે છે. આથી કૃષિપ્રવૃત્તિ નિંદિત છે. આ વિધાન અમુક કોટિના સાચા બ્રાહ્મણ માટે છે અને તે પણ ઉત્સર્ગરૂપે છે. અપવાદરૂપે તો એવા બ્રાહ્મણોને માટે પણ આનાથી વિપરીત વિધાન થઈ શકે છે. ભૂમિની જ માફક જળ વગેરે સંબંધી આરંભ-સમારંભનો પણ મનુસ્મૃતિમાં નિષેધ ૧. મનુસ્મૃતિ, અ. ૩, શ્લોટ ૬૮. ૨. કૃષિ ધ્વિતિ ચિત્તે સાવૃત્તિઃ સહિંતા, भूमि भूमिशयांश्चैव हन्ति काष्ठमयोमुखम् ॥ –મનુસ્મૃતિ, અ. ૧૦, શ્લોટ ૮૪ * Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૩ અંગઆગમ કરવામાં આવ્યો છે. ગીતામાં ‘સર્વારમ્ભપરિત્યાી' ને પંડિત કહેવામાં આવેલ છે અને બતાવવામાં આવ્યું છે કે જે સમસ્ત આરંભનો પરિત્યાગી છે તે ગુણાતીત છે. તેમાં દેહદમનની પણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને તપના બાહ્ય તથા આંતરિક સ્વરૂપ ઉપર પર્યાપ્ત પ્રકાશ પાડવામાં આવ્યો છે. જૈન પરંપરાના ત્યાગી મુનિઓના તપશ્ચરણની માફક કાયક્લેશરૂપ તપ સંબંધી પ્રરૂપણા વૈદિક પરંપરાને પણ અભીષ્ટ છે. એ જ રીતે જલશૌચ અર્થાત્ સ્નાન વગેરે રૂપ બાહ્ય શૌચનો ત્યાગ પણ વૈદિક પરંપરાને ઇષ્ટ છે. આચારાંગના પ્રથમ અને દ્વિતીય બંને શ્રુતસ્કંધોમાં આચાર-વિચારનું જે વર્ણન છે તે બધું મનુસ્મૃતિના છઠ્ઠા અધ્યાયમાં વર્ણવેલ વાનપ્રસ્થ અને સંન્યાસનાં સ્વરૂપની સાથે મળતું આવે છે. ભિક્ષાના નિયમો, કાયક્લેશ સહન કરવાની પદ્ધતિ, ઉપકરણ, વૃક્ષના મૂળ પાસે નિવાસ, ભૂમિશયન, એક વખત ભિક્ષાચર્યા, ભૂમિનું અવલોકન કરતાં કરતાં ગમન કરવાની પદ્ધતિ, ચતુર્થ ભક્ત, અષ્ટમ ભક્ત વગેરે અનેક નિયમોનું જૈન પરંપરાના ત્યાગી વર્ગના નિયમો સાથે સામ્ય છે. એ જ રીતે જૈન પરંપરાના નિયમોનું સામ્ય મહાભારતના શાન્તિપર્વમાં પ્રાપ્ત થતાં તપ અને ત્યાગના વર્ણનની સાથે પણ છે. બૌદ્ધ પરંપરાના નિયમોમાં આ પ્રકારની કઠોરતા અને દેહદમનનો મોટાભાગે અભાવ જણાઈ આવે છે. આચારાંગના પ્રથમ અધ્યયન શસ્ત્રપરિજ્ઞામાં સમગ્ર આચારાંગનો સાર આવી જાય છે આથી અહીં અન્ય અધ્યયનોનું વિસ્તારપૂર્વક વિવેચન ન કરતાં આચારાંગમાં આવતા પરમતોનો વિચાર કરવામાં આવશે. આચારાંગમાં ઉલ્લિખિત પરમતો ઃ આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધમાં જે પરમતોનો ઉલ્લેખ છે તે કોઈ વિશેષ નામપૂર્વક નહિ પરંતુ ‘ì’ અર્થાત્ ‘કેટલાક લોકો’ના રૂપમાં છે જેનું વિશેષ સ્પષ્ટીકરણ ચૂર્ણિ અથવા વૃત્તિમાં કરવામાં આવ્યું છે. પ્રારંભમાં જ અર્થાત્ પ્રથમ અધ્યયનના પ્રથમ વાક્યમાં જ એમ બતાવવામાં આવ્યું છે કે ‘દું પોતિ નો સન્ના મવ' એટલે કે આ સંસારમાં કેટલાક લોકોને એવું ભાન નથી હોતું કે હું પૂર્વમાંથી આવ્યો છું કે દક્ષિણમાંથી ૧. મનુસ્મૃતિ, અ- ૪, શ્લો ૨૦૧-૨. ૨. એજન, અ ૧૨, શ્લો- ૧૬; અ ૪, શ્લો- ૧૯. ૩. એજન, સર્વાત્મ્યપરિત્યાની મુખાતીત: સ ૩ન્વતે—અ ૧૪, શ્લો ૨૫. ૪. એજન, અ ૧૭, શ્લો ૫-૬, ૧૪, ૧૬-૭. ૫. જુઓ – શ્રી લક્ષ્મણશાસ્ત્રી જોશી લિખિત વૈદિક સંસ્કૃતિનો ઇતિહાસ (મરાઠી), પૃ.૧૭૬. Page #171 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય : આચારાંગ ૧૩૭ આવ્યો છું અથવા કઈ દિશા કે વિદિશામાંથી આવ્યો છું અથવા ઉપરથી કે નીચેથી આવ્યો છું. આ રીતે “Tલ નો નાય નવ અર્થાત્ કેટલાકને એ ખ્યાલ નથી હોતો કે મારો આત્મા ઔપપાતિક છે અથવા અનૌપપાતિક, હું કોણ હતો કે આની પછી કોણ થઈશ? આ વિષયમાં સામાન્યપણે વિચાર કરતાં પ્રતીત થશે કે આ વાત સાધારણ જનતાને લક્ષમાં રાખીને કહેવામાં આવી છે અર્થાત્ સામાન્ય લોકોને પોતાના આત્મા તથા તેના ભાવીનું જ્ઞાન હોતું નથી. વિશેષરૂપે વિચાર કરતાં માલુમ પડશે કે આ ઉલ્લેખ તત્કાલીન ભગવાન બુદ્ધના સત્કાર્યવાદના વિષયમાં છે. બુદ્ધ નિર્વાણનો સ્વીકાર કરે છે, પુનર્જન્મનો પણ સ્વીકાર કરે છે. આવી અવસ્થામાં તેઓ આત્માને ન માનતાં હોય એવું બને નહિ. તેમનો આત્મવિષયક મત અનાત્મવાદી ચાર્વાક જેવો નથી. જો તેમનો મત તેવો હોત તો તેઓ ભોગપરાયણ બનત, નહિ કે ત્યાગપરાયણ. તેઓ આત્માને માને છે જરૂર પરંતુ જુદી રીતે. તેઓ કહે છે કે આત્માના વિષયમાં ગમનાગમન સંબંધી અર્થાત તે ક્યાંથી આવ્યો છે, ક્યાં જશે- એ જાતના વિચાર કરવાથી વિચારકના આગ્નવો ઓછા નથી થતા, ઉપરથી નવા આગ્નવો પેદા થવા લાગે છે. આથી આત્માના વિષયમાં “તે ક્યાંથી આવ્યો છે અને ક્યાં જશે એ જાતનો વિચાર કરવાની જરૂર નથી. મઝિમનિકાયના સવાસવ નામે દ્વિતીય સુત્તમાં ભગવાન બુદ્ધના વચનોનો આ આશય સ્પષ્ટ છે. આચારાંગમાં પણ આગળ જતાં તૃતીય અધ્યયનના તૃતીય ઉદેશકમાં) સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે કે હું ક્યાંથી આવ્યો છું? હું ક્યાં જઈશ?” વગેરે વિચારધારાઓમાં તથાગત બુદ્ધ માનતા નથી. ભગવાન મહાવીરના આત્મવિષયક વચનોને ઉદેશીને ચૂર્ણિકાર કહે છે કે ક્રિયાવાદી મતોના એકસો ને એંશી ભેદ છે. તેમાંથી કેટલાક આત્માને સર્વવ્યાપી માને છે, કેટલાક મૂર્ત, કેટલાક અમૂર્ત, કેટલાક કર્તા, કેટલાક અકર્તા માને છે. કેટલાક શ્યામાક:પરિમાણ, કેટલાક તંદુલ-પરિમાણ, કેટલાક અંગુષ્ઠ-પરિમાણ માને છે. કેટલાક લોકો આત્માને દીપશિખા સમાન ક્ષણિક માને છે. જે અક્રિયાવાદીઓ છે તેઓ આત્માનું અસ્તિત્વ જ નથી માનતા. જે અજ્ઞાનવાદી–અજ્ઞાની છે તેઓ આ વિષયમાં કોઈ વિવાદ જ નથી કરતા. વિનયવાદીઓ પણ અજ્ઞાનવાદીઓની જેવા જ છે. ઉપનિષદોમાં આત્માને શ્યામાક-પરિમાણ, તંદુલ-પરિમાણ, અંગુષ્ઠ-પરિમાણ વગેરે માનવાના ઉલ્લેખો મળે છે. પ્રથમ અધ્યયનના તૃતીય ઉદ્દેશકમાં “મારા ત્તિ જે વયમ' એટલે કે ૧. એક પ્રકારનું ખડધાન-મોરેયો. ૨. છાંદોગ્ય–તૃતીય અધ્યયન, ચૌદમો ખંડ; આત્મોપનિષદ્-પ્રથમ કંડિકા; નારાયણોપનિષદ–ગ્લો ૭૧. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ અંગઆગમ કેટલાક લોકો કહે છે કે અમે અણગાર છીએ એવું વાક્ય આવે છે. પોતાને અણગાર કહેનારા આ લોકો પૃથ્વી વગેરેનું આલંબન અર્થાત્ હિંસા કરતા ખચકાતા નથી. આ અણગારો કયા છે? તેનું સ્પષ્ટીકરણ કરતાં ચૂર્ણિકાર કહે છે કે આ અણગારો બૌદ્ધ પરંપરાના શ્રમણો છે. તે લોકો ગ્રામ વગેરે દાનમાં સ્વીકાર કરે છે અને ગ્રામદાન વગેરે સ્વીકારીને ત્યાંની જમીનને સરખી કરવા માટે હળ, કોદાળી વગેરેનો પ્રયોગ કરે છે તથા પૃથ્વીનો અને પૃથ્વીમાં રહેલાં જીવજંતુઓનો નાશ કરે છે. આ રીતે કેટલાક અણગારો એવા છે જે સ્નાન વગેરે દ્વારા જળની અને જળમાં રહેલા જીવોની હિંસા કરે છે. સ્નાન નહિ કરનારા આજીવિકો તથા અન્ય સરજક શ્રમણો સ્નાનાદિ પ્રવૃત્તિ નિમિત્તે પાણીની હિંસા નથી કરતા પરંતુ પીવા માટે તો કરે જ છે. બૌદ્ધ શ્રમણો (તળિયા) નહાવા અને પીવા બંનેને માટે પાણીની હિંસા કરે છે. કેટલાક બ્રાહ્મણો સ્નાનપાન ઉપરાંત યજ્ઞના વાસણો તથા અન્ય ઉપકરણો ધોવા માટે પણ પાણીની હિસા કરે છે. એ રીતે આજીવિક શ્રમણો, સરસ્ક શ્રમણો, બૌદ્ધ શ્રમણો અને બ્રાહ્મણ શ્રમણો કોઈને કોઈ પ્રકારે પાણીનું આલંબન–હિંસા કરે છે. મૂળસૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે “દં ર હતુ મો IIM ૩યં નવા વિવાદિયા' એટલે કે જ્ઞાતપુત્રીય અણગારોનાં પ્રવચનમાં જ જળને જીવરૂપ કહેવામાં આવ્યું છે, “ર મસિ’ (ચૂર્ણિ) અર્થાત્ બીજાના પ્રવચનમાં નહિ. અહીં “બીજા”નો અર્થ બૌદ્ધ શ્રમણો લેવો જોઈએ. વૈદિક પરંપરામાં તો જળને જીવરૂપ જ માનવામાં આવેલ છે, તે આ પહેલાં કહેવાઈ ચૂક્યું છે. માત્ર બૌદ્ધ પરંપરા જ એવી છે જે પાણીને જીવરૂપ માનતી નથી. આ વિષયમાં મિલિંદપ૩માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે પાણીમાં જીવ નથી સત્ત્વ નથી: “ર દિમદારન! उदकं जीवति, नत्थि उदके जीवो वा सत्तो वा।। દ્વિતીય અધ્યયનના દ્વિતીય ઉદ્દેશકમાં બતાવવામાં આવ્યું છે કે કેટલાક લોકો એમ માને છે કે અમારી પાસે દેવોનું બળ છે, શ્રમણોનું બળ છે. એવું સમજીને તેઓ અનેક હિંસામય આચરણ કરતાં અચકાતા નથી. તેઓ એવું સમજે છે કે બ્રાહ્મણોને ખવડાવીશું તો પરલોકમાં સુખ મળશે. આ જ દૃષ્ટિએ તેઓ યજ્ઞ પણ કરે છે. બકરાં, પાડા, ત્યાં સુધી કે મનુષ્યોના વધ દ્વારા પણ ચંડિકા વગેરે દેવીઓનો યજ્ઞ કરે છે અને ચરક વગેરે બ્રાહ્મણોને દાન આપીશું તો ધન મળશે, કીર્તિ પ્રાપ્ત થશે અને ધર્મ સધાશે, એમ સમજીને અનેક આલંબન-સમાલંભન કરતાં રહે છે. આ ઉલ્લેખમાં ભગવાન મહાવીરના સમયમાં ધર્મના નામે ચાલનારી હિંસક પ્રવૃત્તિનો સ્પષ્ટ નિર્દેશ છે. ચતુર્થ અધ્યયનના દ્વિતીય ઉદ્દેશકમાં બતાવવામાં આવ્યું છે કે આ જગતમાં કેટલાક શ્રમણો અને બ્રાહ્મણો ૧. પૃ. ૨૫૩-૨૫૫. Page #173 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય: આચારાંગ ૧૩૯ જુદી જુદી રીતે વિવાદ કરતાં કહે છે કે અમે જોયું છે, અમે સાંભળ્યું છે, અમે માન્યું છે, અમે ખાસ રીતે જાણ્યું છે તથા ઊંચી-નીચી અને ત્રાંસી બધી દિશાઓમાં બધી રીતે પૂરેપૂરી સાવધાનપૂર્વક જાણી લીધું છે કે બધા પ્રાણો, બધા ભૂતો, બધા જીવો, બધા સત્ત્વો હણવાયોગ્ય છે, સંતાપ પમાડવા યોગ્ય છે, ઉપદ્રવ કરવા યોગ્ય છે અને સ્વામીપણું કરવા યોગ્ય છે. આવું કરવામાં કોઈ દોષ નથી. આ રીતે કેટલાક શ્રમણો અને બ્રાહ્મણોના મતનો નિર્દેશ કરી સૂત્રકારે પોતાનો મત બતાવતાં કહ્યું છે કે આ વચનો અનાર્યોનાં છે એટલે કે આ પ્રકારે હિંસાનું સમર્થન કરવું તે અનાર્ય માર્ગ છે. આને આર્યોએ દુર્દશન કહ્યું છે, દુઃશ્રવણ કહ્યું છે, દુર્મત કહ્યો છે, દુર્વિજ્ઞાન કહ્યું છે અને દુષ્પત્યવેક્ષણ કહ્યું છે. અમે એવું કહીએ છીએ, એવું ભાષણ કરીએ છીએ, એવું બતાવીએ છીએ, એવું પ્રરૂપણ કરીએ છીએ કે કોઈપણ પ્રાણ, કોઈપણ ભૂત, કોઈપણ જીવ, કોઈપણ સત્ત્વને હણવો ન જોઈએ, નષ્ટ ન કરવો જોઈએ, પરિતાપન પહોંચાડવો જોઈએ, ઉપદ્રવ ન કરવો જોઈએ અને તેના પર સ્વામિત્વ ન કરવું જોઈએ. આવું કરવામાં જ દોષ નથી. આ આર્યવચન છે. તે પછી સૂત્રકાર કહે છે કે હિંસાનું વિધાન કરનાર અને તેને નિર્દોષ માનનારા સમસ્ત વાદીઓને એકત્ર કરી પ્રત્યેકને પૂછવું જોઈએ કે તમને મનની અનુકૂળતા દુઃખરૂપ લાગે છે કે પ્રતિકૂળતા? જો તેઓ કહે કે અમને તો મનની પ્રતિકૂળતા દુ:ખરૂપ લાગે છે તો તેમને કહેવું જોઈએ કે જેવી રીતે તમને મનની પ્રતિકૂળતા દુઃખરૂપ લાગે છે તેવી જ રીતે સમસ્ત પ્રાણીઓ, ભૂતો, જીવો અને સત્ત્વોને પણ મનની પ્રતિકૂળતા દુઃખરૂપ લાગે છે. વિમોહનામના આઠમા અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે એ વાદીઓ આલંભાર્થી છે, પ્રાણીઓનું હનન કરનારા છે, હનન કરાવનારા છે, હનન કરનારાઓનું સમર્થન કરનારા છે, અદત્ત લેનારા છે. તેઓ નીચે પ્રમાણે જુદાં જુદાં વચનો બોલે છે: લોક છે, લોક નથી, લોક અપ્રુવ છે, લોક સાદિ છે, લોક અનાદિ છે, લોક સાંત છે, લોક અનંત છે, સુકૃત છે, દુષ્કૃત છે, કલ્યાણ છે, પાપ છે, સાધુ છે, અસાધુ છે, સિદ્ધિ છે, અસિદ્ધિ છે, નરક છે, અનરક છે. આ પ્રકારની તત્ત્વવિષયક વિપ્રતિપત્તિવાળા આ વાદીઓ પોતપોતાના ધર્મનું પ્રતિપાદન કરે છે. સૂત્રકારે આ બધા વાદોને સામાન્યપણે યાદચ્છિક (આકસ્મિક) અને હેતુ શૂન્ય કહ્યા છે તથા કોઈનામવિશેષનો ઉલ્લેખ કર્યો નથી. તેમની વ્યાખ્યા કરતાં ચૂર્ણિકાર અને વૃત્તિકારે વિશેષપણે વૈદિક શાખાના સાંખ્ય વગેરે મતોનો ઉલ્લેખ કર્યો છે અને શાક્ય અર્થાતુ બૌદ્ધ ભિક્ષુઓના આચરણ તથા તેમની અમુક માન્યતાઓનો નિર્દેશ કર્યો છે. આચારાંગની જ માફક દીઘનિકાયના બ્રહ્મજાલસુત્તમાં પણ ભગવાન બુદ્ધના સમયના અનેક વાદોનો ઉલ્લેખ છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ નિગ્રંથસમાજ : તત્કાલીન નિગ્રંથસમાજના વાતાવરણ પર પણ આચારાંગમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે. તે સમયના નિગ્રંથો સામાન્યપણે આચારસંપન્ન, વિવેકી, તપસ્વી અને વિનીત વૃત્તિવાળા જ હતા, છતાં પણ કેટલાક એવા નિગ્રંથો પણ હતા જે વર્તમાન સમયના અવિનીત શિષ્યોની માફક પોતાના હિતેચ્છુ ગુરુની સામે થવામાં પણ ખચકાતા નહિ. આચારાંગના છઠ્ઠા અધ્યયનના ચોથા ઉદ્દેશકમાં આ જ પ્રકારના શિષ્યોને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે કે જે રીતે પક્ષીના બચ્ચાંને તેની માતા દાણો દાણો આપી ઉછેરે છે તેવી જ રીતે જ્ઞાની પુરુષો પોતાના શિષ્યોને દિવસરાત અધ્યયન કરાવે છે. શિષ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ‘ઉપશમ' ત્યાગીને અર્થાત્ શાંતિ છોડીને જ્ઞાન આપનારા મહાપુરુષોની સામે કઠોર ભાષાનો પ્રયોગ શરૂ કરે છે. અંગઆગમ ભગવાન મહાવીરના સમયમાં ઉત્કૃષ્ટ ત્યાગ, તપ અને સંયમના અનેક જીવતા જાગતા આદર્શોની ઉપસ્થિતિમાં પણ કેટલાક શ્રમણો તપ-ત્યાગ અંગીકાર કર્યા પછી પણ તેમાં સ્થિર રહી શકતા ન હતા અને છુપાઈને દૂષણોનું સેવન કરતા હતા. આચાર્ય પૂછે ત્યારે જૂઠું બોલવા સુદ્ધાં તૈયાર થઈ જતા. પ્રસ્તુત સૂત્રમાં આવો એક ઉલ્લેખ મળે છે જે આ પ્રમાણે છે : ‘બહુ ક્રોધી, બહુ માની, બહુ કપટી, બહુ લોભી, નટની માફક વિવિધ ઢંગનો વ્યવહાર કરનારા, શઠ જેવા, વિવિધ સંકલ્પવાળા, આશ્રવોમાં આસક્ત, મોઢેથી ખોટો વાદ કરનારા, ‘મને કોઈ જોઈ ન લે' એવા પ્રકારના ભયથી અપકૃત્ય કરનારા, સતત મૂઢ લોકો ધર્મને જાણતા નથી. જે ચતુર આત્માર્થી છે તે ક્યારેય અબ્રહ્મચર્યનું સેવન કરતો નથી. ક્યારેય કામાવેશમાં અબ્રહ્મચર્યનું સેવન થઈ જાય તો તેનો અપલાપ કરવો અર્થાત્ આચાર્યની સામે તેનો સ્વીકાર ન કરવો તે મહાન મૂર્ખતા છે.’ આ જાતના ઉલ્લેખો એ જ બતાવે છે કે ઉગ્ર તપ, ઉગ્ર સંયમ, ઉગ્ર બ્રહ્મચર્યના યુગમાં પણ કોઈ કોઈ એવા નીકળી આવે છે. આ વાસના અને કષાયની વિચિત્રતા ન છે. જૈન શ્રમણોનો અન્ય શ્રમણો સાથે કેવા પ્રકારનો સંબંધ રહેતો તે જાણવા જેવું છે. આ બાબતમાં આઠમા અધ્યયનના પ્રથમ ઉદ્દેશકના પ્રારંભમાં જ બતાવવામાં આવ્યું છે કે સમનોજ્ઞ (સમાન આચાર-વિચારવાળો) ભિક્ષુ અસમનોજ્ઞ (ભિન્ન આચારવિચારવાળા)ને ભોજન, પાણી, વસ્ત્ર, પાત્ર, કંબલ અને પાદપ્રોંછન ન આપે, એને ૧. મૂળ શબ્દ ‘પાયલુંછળ’ છે. પ્રાકૃત ભાષામાં ‘પુંછ’ ધાતુ પરિમાર્જન અર્થે વપરાય છે.જુઓ— પ્રાકૃત વ્યાકરણ, ૮. ૪. ૧૦૪, સંસ્કૃત ભાષાનો ‘મૃ’ ધાતુ અને પ્રાકૃત ભાષાનો ‘પુંછ’ ધાતુ સમાનાર્થક છે. આથી ‘પાયલુંછળ’ શબ્દનું સંસ્કૃત રૂપાંતર ‘પાવમાર્ગન’ થઈ શકે છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય આચારાંગ ૧૪૧ માટે તેને નિયંત્રિત પણ ન કરે, ન તેની આદરપૂર્વક સેવા પણ કરે. એ રીતે અમનોજ્ઞ પાસેથી આ બધી વસ્તુઓ લે પણ નહિ, ન તેના નિમંત્રણને પણ સ્વીકારે કે ન તેની પાસે પોતાની સેવા ય કરાવે. જૈન શ્રમણોમાં અન્ય શ્રમણોના સંસર્ગથી કોઈ પણ પ્રકારની આચારવિચાર વિષયક શિથિલતા ન આવી જાય એ જ દૃષ્ટિએ આ વિધાન છે. આની પાછળ કોઈ પણ પ્રકારની દ્રષબુદ્ધિ અથવા નિંદાભાવ નથી. આચારાંગનાં વચનો સાથે મળતાં વચનોઃ આચારાંગનાં કેટલાંક વચનો અન્ય શાસ્ત્રોના વચનો સાથે મળતાં આવે છે. આચારાંગમાં એક વાક્ય છે રોહિં વિ અંહિં ક્રિસમ–અર્થાત જે બંને સંતો દ્વારા અદૃશ્યમાન છે અર્થાત્ જેનો પૂર્વાન્ત–આદિ નથી અને પશ્ચિમાન્ત–અંત પણ નથી. આ રીતે તે (આત્મા) પૂર્વાન્ત કે પશ્ચિમાન્તમાં દેખાતો નથી. આની સાથે મળતું વાક્ય તેજોબિંદુ ઉપનિષદના પ્રથમ અધ્યયનના ત્રેવીસમા શ્લોકમાં આ પ્રમાણે છે : आदावन्ते च मध्ये च जनोऽस्मिन्न विद्यते । येनेदं सततं व्याप्तं स देशो विजनः स्मृतः ॥ આ પદ્ય પૂર્ણ આત્મા અથવા સિદ્ધ આત્માના સ્વરૂપ વિશે છે. આચારાંગના ઉપર્યુક્ત વાક્ય પછી તરત જ બીજું વાક્ય છે “સ ન છિન્નડું ને fમmડું ડબ્સ ન મ ૪ વ સત્રતો' અર્થાત્ સર્વ લોકમાં કોઈના પણ દ્વારા આત્માનું છેદન નથી થતું, ભેદન નથી થતું, દહન નથી થતું, હનન નથી થતું. આની સાથે મળતું વાક્ય ઉપનિષદ તથા ભગવદ્ગીતામાં આ પ્રમાણે છે : न जायते न म्रियते न मुह्यति न भिद्यते न दह्यते । न छिद्यते न कम्पते न कुप्यते सर्वदहनोऽयमात्मा । - સુબાલોપનિષદ્, ખંડ ૯, ઇશાદ્યષ્ટોત્તરશતોપનિષદ પૃ.૨૧૦. अच्छेद्योऽयमदाह्योऽयमक्लेद्योऽशोष्य एव च । नित्यः सर्वगतः स्थाणुरचलोऽयं सनातनः ॥ – ભગવદ્ગીતા અ. ૨, શ્લો. ૨૩. જૈન પરંપરામાં “પુંજણી' નામનું એક નાનકડું ઉપકરણ પ્રસિદ્ધ છે. તેનો સંબંધ પણ પુછે ધાતુ સાથે છે અને આ ઉપકરણ પરિમાર્જન માટે જ વપરાય છે. “ોછા’ શબ્દનો સંબંધ પણ “મંjઇ શબ્દ સાથે છે. “છના' ક્રિયાપદ આ “પંઈ ધાતુ સાથે જ સંબંધ રાખે છે–“છના' એટલે પરિમાર્જન કરવું. ૧. આચારાંગ, ૧. ૩. ૩. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ અંગઆગમ __'जस्स नत्थि पुरा पच्छा मज्झे तस्स कओ सिया' अर्थात् नी मागण-५७ કંઈ નથી તેની વચ્ચે કંઈ કેવી રીતે હોઈ શકે ? આચારાંગનું આ વાક્ય પણ આત્મવિષયક છે. આની સાથે મળતું વાક્ય ગૌડપાદકારિકામાં આ પ્રમાણે છે :आदावन्ते च यन्नास्ति वर्तमानेऽपि तत्तथा। न्मभ२९॥तात, नित्यभुतमात्मानुं स्व३५ बतावतi सूत्र.२ छ : सव्वे सरा नियटुंति । तक्का जत्थ न विज्जइ, मई तत्थ न गाहिया। ओए, अप्पइट्ठाणस्स खेयनेसे न दीहे, न हस्से, न वट्टे, न तंसे, न चउरंसे, न परिमंडले, न किण्हे, न नीले, न लोहिए, न हालिद्दे, न सुक्किले, न सुरभिगंधे, न दुरभिगंधे, न तित्ते, न कडुए, न कसाए, न अंबिले, न महुरे, न कक्खडे, न मउए, न गुरुए, न लहुए, न सीए, न उण्हे, न निद्धे, न लुक्खे, न काउ, न रुहे, न संगे, न इत्थी, न पुरिसे, न अन्नहा, परिने, सन्ने, उवमा न विज्जइ। अरूवी सत्ता, अपयस्स पयं नत्थि, से न सहे, न रूवे, न गंधे, न रसे, न फासे, इच्चेयावं ति बेमि ।'. આ બધાં વચનો જુદા જુદા ઉપનિષદોમાં આ પ્રમાણે મળે છે: 'न तत्र चक्षुर्गच्छति न वाग् गच्छति न मनो, न विद्यो न विजानीमो यथैतद् अनुशिष्यात् अन्यदेव तद् विदितात् अथो अविदितादपि इति शुश्रुम पूर्वेषां ये नस्तद् व्याचचक्षिरे।'' 'अशब्दमस्पर्शमरूपमव्ययम्, तथाऽरसं नित्यमगन्धवच्च यत् ।'५ 'अस्थूलम्, अनणु, अहूस्वम्, अदीर्घम्, अलोहितम्, अस्नेहम्, अच्छायम्, अतमो, अवायु, अनाकाशम्, असंगम्, अरसम्, अगन्धम्, अचक्षुष्कम्, अक्षोत्रम्, अवाग, अमनो; अतेजस्कम्, अप्राणम्, अमुखम्, अमात्रम्, अनन्तरम्; अबाह्यम्, न तद् अश्नाति किंचन, न तद् अश्नाति कश्चन !'' _ 'नान्तःप्रज्ञम्, न बहिःप्रज्ञम्, नोभयतःप्रज्ञम्, न प्रज्ञानघनम्, न प्रज्ञम्, नाप्रज्ञम्, अदृष्टम्, अव्यवहार्यम्, अग्राह्यम्, अलक्षणम्, अचिन्त्यम्, अव्यपदेश्यम् । १. आया , १. ४. ४. २. ५४२७८ २, es६. 3. आया। १. ५. ६. ४. नोपनिषद, पं. १. cो. 3. ५. ठोपनिषद, . १. सो. १५. ६. १ २९५, प्रा6ए। ८, दो ८. ७: मांडूच्योपनिषद, दो ७. Page #177 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય આચારાંગ ૧૪૩ 'यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह ।' 'अच्युतोऽहम्, अचिन्त्योऽहम्, अतक्र्योऽहम्, अप्राणोऽहम्, अकायोऽहम्, अशब्दोऽहम्, अरूपोऽहम्, अस्पर्शोऽहम्, अरसोऽहम्, अगन्धोऽहम्, अगोत्रोऽहम्, अगात्रोऽहम्, अवागोऽहम्, अदृश्योऽहम्, अवर्णोऽहम्, अश्रुतोऽहम्, अदृष्टोऽहम्... । આચારાંગમાં બતાવવામાં આવ્યું છે કે જ્ઞાનીઓના બાહુ કુશ હોય છે તથા માંસ અને રક્ત પાતળું હોય છે—ઓછું હોય છે. માત્રાળ વિકસી વીહા મવંતિ પથg, य मंस-सोणिए। ઉપનિષદોમાં પણ બતાવવામાં આવ્યું છે કે જ્ઞાની પુરુષે કુશ રહેવું જોઈએ, વગેરે : मधुकरीवृत्त्या आहारमाहरन् कृशो भूत्वा मेदोवृद्धिमकुर्वन् आज्यं रुधिरमिव त्यजेत् । – નારદપરિવ્રાજકોપનિષદ્ સાતમો ઉપદેશ. यथालाभमश्नीयात् प्राणसंधारणार्थं यथा मेदोवृद्धिर्न जायते। कृशो भूत्वा ग्रामे एकरात्रम् – સંન્યાસોપનિષદ્, પ્રથમ અધ્યાય આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધનાં અનેક વાક્યો સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન તથા દશવૈકાલિકમાં અક્ષરશઃ મળે છે. આ બાબતમાં શ્રી શૂબ્રિગે આચારાંગનાં પોતે સંપાદિત કરેલા સંસ્કરણમાં યથાસ્થાન પર્યાપ્ત પ્રકાશ પાડ્યો છે. સાથે સાથે જ તેમણે આચારાંગનાં કેટલાંક વાક્યોની બૌદ્ધ ગ્રંથ ધર્મોપદ અને સુત્તનિપાતનાં સમાન વાક્યો સાથે પણ તુલના કરી છે. આચારાંગના શબ્દો સાથે મળતા શબ્દોઃ હવે અહીં કેટલાક એવા શબ્દોની ચર્ચા કરવામાં આવશે જે આચારાંગની સાથે સાથે જ પરશાસ્ત્રોમાં પણ મળે છે તથા એવા શબ્દો સંબંધી પણ વિચાર કરવામાં આવશે જેમની વ્યાખ્યા ચૂર્ણિકાર તથા વૃત્તિકારે વિલક્ષણ રીતે કરી છે. આચારાંગના પ્રારંભમાં જ કહેવામાં આવ્યું છે કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જઈશ' એવી વિચારણા કરનારા આયાવાઈ, લોગાવાઈ, કમ્માવાઈ, કિરિયાવાઈ નારે... ૧. તૈતિરીયોપનિષદ્, બ્રહ્માનંદ વલ્લી ૨, અનુવાક ૪. ૨. બ્રહ્મવિદ્યોપનિષદ્, શ્લોક ૮૧-૯૧. ૩. આચારાંગ ૧. ૬. ૩. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ અંગઆગમ કહેવાય છે. આયાવાઈનો અર્થ છે આત્મવાદી અર્થાત્ આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકાર કરનાર. લોગાવાઈનો અર્થ છે લોકવાદી અર્થાત્ લોકનું અસ્તિત્વ માનનાર. કમ્માવાઈનો અર્થ છે કર્મવાદી અને કિરિયાવાઈનો અર્થ છે ક્રિયાવાદી. આ ચારેય વાદ આત્માના અસ્તિત્વ પર આધારિત છે. જે આત્મવાદી છે તે જ લોકવાદી, કર્મવાદી અને ક્રિયાવાદી છે. જે આત્મવાદી નથી તે લોકવાદી, કર્મવાદી અથવા ક્રિયાવાદી નથી. સૂત્રકૃતાંગમાં બૌદ્ધ મતને ક્રિયાવાદી દર્શન કહેવામાં આવેલ છેઃ મહાવરંપુરવાયું જિરિયાવારિસ (અ. ૧, ઉ. ૨, ગા. ૨૪). આની વ્યાખ્યા કરતાં ચૂર્ણિકાર અને વૃત્તિકાર પણ આ જ કથનનું સમર્થન કરે છે. આ જ સૂત્રકૃત-અંગસૂત્રના સમવસરણ નામના બારમા અધ્યાયમાં ક્રિયાવાદી વગેરે ચાર વાદોની ચર્ચા કરવામાં આવી છે. ત્યાં મૂળમાં કોઈ દર્શનવિશેષના નામનો ઉલ્લેખ નથી તો પણ વૃત્તિકારે અક્રિયાવાદીના રૂપમાં બૌદ્ધ મતનો ઉલ્લેખ કર્યો છે. આમ કેમ? સૂત્રના મૂળ પાઠમાં જેને ક્રિયાવાદી કહેવામાં આવેલ છે અને વ્યાખ્યા કરતી વખતે સ્વયં વૃત્તિકારે જેનું એક સ્થળે સમર્થન કર્યું છે તેને જ બીજા સ્થળે અક્રિયાવાદી કહેવાનું કેટલું યુક્તિસંગત છે? આચારાંગમાં આવતા “પયાવંતિ” અને “સંધ્યાવંતિ” એ બે શબ્દોનું ચૂર્ણિકારે કંઈ સ્પષ્ટીકરણ કર્યું નથી. વૃત્તિકાર શીલાંકસૂરિ તેમની વ્યાખ્યા કરતા કહે છે “તૌ શબ્દો મા ધીમા પ્રસિદ્ધયા' “પતાવન્તઃ સર્વેડપિ રૂટ્યતત્પર્યાયો (આચારાંગવૃત્તિ, પૃ. ૨૫) અર્થાત્ આ બે શબ્દો મગધની દેશી ભાષામાં પ્રસિદ્ધ છે અને તેમનો “આટલું બધું એવો અર્થ છે. પ્રાકૃત વ્યાકરણની કોઈ પ્રક્રિયા દ્વારા “તાવન્તઃ'ના અર્થમાં “યાવંતિ’ સિદ્ધ કરી શકાતું નથી અને ન તો “સર્વેડ'િના અર્થમાં “સબાવંતિ’ સાધી શકાય. વૃત્તિકારે પરંપરા અનુસાર અર્થ સમજાવવાની પદ્ધતિનો આશ્રય લીધો જણાય છે. બૃહદારણ્યક ઉપનિષદમાં (તૃતીય બ્રાહ્મણમાં) “તો સર્વાવતઃઅર્થાત્ “આખા લોકની’ એવો પ્રયોગ આવે છે. અહીં “સર્વાવતઃ' “સર્વાવત’નું છઠ્ઠી વિભક્તિનું રૂપ છે. તેનું પ્રથમાનું બહુવચન “સર્વાવંતઃ' થઈ શકે છે. આચારાંગના “સબ્યાવંતિ' અને ઉપનિષદના “સર્વાવત:' આ બંને પ્રયોગોની તુલના કરી શકાય. આચારાંગમાં એક સ્થળે ‘ સ્મા’ શબ્દનો પ્રયોગ આવે છે. આઠમા અધ્યયનમાં જયાં અનેક વાદો-લોક છે, લોક નથી વગેરેનો નિર્દેશ છે ત્યાં આ બધા વાદોને નિર્દેતુક બતાવવા માટે “મમ્માતુ' શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. સંપૂર્ણ આચારાંગમાં, ત્યાં સુધી કે સમસ્ત અંગસાહિત્યમાં, અંત્ય વ્યંજનયુક્ત આવો વિજાતીય પ્રયોગ અન્યત્ર ક્યાંક નજરે પડતો નથી. વૃત્તિકારે આ શબ્દનું સ્પષ્ટીકરણ પણ પહેલાંની માફક મગધની દેશી ભાષાના રૂપમાં જ કર્યું છે. તેઓ કહે છે : “ અ ત્ રૂતિ માTદ્દેશે બાપાતીફનવિના બંતવૈવડવીરાદપિ તથૈવ ક્વારિતઃ તિ' (આચારાંગવૃત્તિ, Page #179 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય આચારાંગ ૧૪૫ પૃ. ૨૪૨) અર્થાત્ મગધ દેશમાં ગોવાલણો પણ “ મા”નો પ્રયોગ કરે છે. આથી અહીં પણ આ શબ્દનો તેવો જ પ્રયોગ થયો છે. મુંડકોપનિષદના પ્રથમ મુંડક, દ્વિતીય ખંડ, શ્લોક ૯) “સત્ ધર્મો પ્રવેતિ અત્ તેના માતુ: ક્ષીણતોશ્રવન્ત' આ પદ્યમાં જે અર્થમાં “આતુર” શબ્દ છે તે જ અર્થમાં આચારાંગનો “માર – “માતુર શબ્દ પણ છે. લોકભાષામાં “કામાતુરનો પ્રયોગ આ જ પ્રકારનો છે. લોકોમાં જે જે વસ્તુઓ શસ્ત્રરૂપે પ્રસિદ્ધ છે તે ઉપરાંત અન્ય પદાર્થો અર્થાત્ ભાવો માટે પણ શસ્ત્ર શબ્દનો પ્રયોગ થાય છે. આચારાંગમાં રાગ, દ્વેષ, ક્રોધ, લોભ, મોહ અને તેમાંથી પેદા થતી સમસ્ત પ્રવૃત્તિઓને “સત્ય–શસ્ત્રરૂપ કહેવામાં આવેલ છે. બીજા કોઈ શાસ્ત્રમાં આ અર્થમાં “શસ્ત્ર' શબ્દનો પ્રયોગ નજરે પડતો નથી. બૌદ્ધ પિટકોમાં જેઅર્થમાં “માર' શબ્દનો પ્રયોગ થયો છે તે જ અર્થમાં આચારાંગમાં પણ “માર' શબ્દ પ્રયોજાયો છે. સુત્તનિપાતના કમ્પમાણવપુચ્છા સુત્તના ચતુર્થ પદ્ય અને ભદ્રાવુધમાણવપુરછા સુત્તના તૃતીય પદ્યમાં ભગવાન બુદ્ધ “માર'નું સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યું છે. લોકભાષામાં જેને “શેતાન” કહે છે તે જ “માર' છે. સર્વ પ્રકારના આલંભનો શેતાનની પ્રેરણાનું જ કામ છે. સૂત્રકારે આ તથ્યનું પ્રતિપાદન “માર' શબ્દ વડે કર્યું છે. એ જ રીતે “નરગ–બર' શબ્દનો પ્રયોગ પણ બધા પ્રકારના આલંબનને માટે કરવામાં આવ્યો છે. નિરાલંબ ઉપનિષદમાં બંધ, મોક્ષ, સ્વર્ગ, નરક વગેરે અનેક શબ્દોની વ્યાખ્યા કરવામાં આવી છે. તેમાં નરકની વ્યાખ્યા આ પ્રમાણે છે : મસત્સંસાવિષયનનહંસા નર:' અર્થાત અસતુ સંસાર, તેના વિષયો અને અસજ્જનોનો સંપર્ક જ નરક છે. અહીં બધા પ્રકારના આલંભનોનો “નરક' શબ્દથી નિર્દેશ કરવામાં આવ્યો છે. આ રીતે “નરક' શબ્દનો જે અર્થ ઉપનિષદને અભીષ્ટ છે તે જ આચારાંગને પણ અભીષ્ટ છે. " આચારાંગમાં “નિયા પવિત્ર –નિયામાપ્રતિપન્ન (અ. ૧, ઉ. ૩) પદમાં “નિયાન' શબ્દનો પ્રયોગ છે. યોગ અને નિયાગ પર્યાયવાચી શબ્દો છે જેનો અર્થ છે યજ્ઞ. આ શબ્દોનો પ્રયોગ વૈદિક પરંપરામાં ખાસ કરીને થાય છે. જૈન પરંપરામાં ‘નિયાગ' શબ્દનો અર્થ જુદી રીતે કરવામાં આવ્યો છે. આચારાંગ વૃત્તિકારના શબ્દોમાં “પાન यागः नियतो निश्चितो वा यागः नियागो मोक्षमार्गः संगतार्थत्वाद् धातो:सम्यग्ज्ञानदर्शनचारित्रात्मतया गतं संगतम् इति तं नियागं सम्यग्दर्शनज्ञानचारित्रात्मकं मोक्षमार्ग પ્રતિપન્ન:” (આચારાંગ વૃત્તિ, પૃ. ૩૮) અર્થાત્ જેમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્વારિત્રની સંગતિ હોય તે માર્ગ અર્થાત્ મોક્ષમાર્ગ નિયાગ છે. મૂળસૂત્રમાં Page #180 -------------------------------------------------------------------------- ________________ અંગઆગમ ‘નિયા’ની જગ્યાએ ‘નિજાય’ અથવા ‘નિયાય’ પાઠાંતરો પણ છે. વૃત્તિકાર લખે છે : 'पाठान्तरं वा निकायप्रतिपन्नः - निर्गतः कायः औदारिकादि यस्मात् यस्मिन् वा सति स निकायो मोक्षः तं प्रतिपन्नः निकायप्रतिपन्नः तत्कारणस्य सम्यग्दर्शनादेः स्वशक्त्याऽनुष्ठानात्' (આચારાંગવૃત્તિ, પૃ. ૩૮) અર્થાત્ જેમાંથી ઔદારિક આદિ શરીરો નીકળી ગયાં છે અથવા જેની ઉપસ્થિતિમાં ઔદારિક આદિ શરીરો નીકળી ગયાં છે તે નિકાય અર્થાત્ મોક્ષ છે. જેણે મોક્ષની સાધના સ્વીકારી છે તે “નિયપ્રતિપત્ર’ છે. ચૂર્ણિકારે પાઠાંતર ન આપતાં માત્ર ‘નિાય’ પાઠ જ સ્વીકાર્યો છે અને તેનો અર્થ આ પ્રમાણે કર્યો છે : 'णिकाओ णाम देसप्पदेसबहुत्तं णिकायं पडिवज्जति जहा आऊजीवा अहवा णिकायं ખિજ્યં મોતું મળ્યું પહિવત્રો' (આચારાંગચૂર્ણિ, પૃ. ૨૫) અર્થાત્ ણિકાયનો અર્થ છે દેશપ્રદેશ-બહુત્વ. જે અર્થમાં જૈન પ્રવચનમાં ‘અસ્થિાય’– અસ્તિકાય શબ્દ પ્રચલિત છે તે જ અર્થમાં ‘નિકાય’ શબ્દ પણ સ્વીકૃત છે, એવું ચૂર્ણિકારનું કથન છે. જેણે પાણીને નિકાયરૂપ-જીવરૂપ સ્વીકાર કરેલ છે તે નિકાયપ્રતિપન્ન છે. અથવા નિકાયનો અર્થ છે મોક્ષ. વૃત્તિકારે માત્ર મોક્ષ અર્થને સ્વીકારી ‘નિયાગ’ અથવા ‘નિકાય’ શબ્દનું વિવેચન કર્યું છે. ૧૪૬ ‘મહાવી’િ અને ‘મહાગીન' શબ્દોની વ્યાખ્યા કરતાં ચૂર્ણિકા૨ તથા વૃત્તિકાર બંનેએ આ શબ્દોને મોક્ષમાર્ગના સૂચક અથવા મોક્ષના સાધનરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-તપ વગેરેના સૂચક બતાવ્યા છે. મહાવીહિ અર્થાત્ મહાવીથિ અને મહાજાણ અર્થાત્ મહાયાન. ‘મહાવીદિ’ શબ્દ સૂત્રકૃતાંગના વૈતાલીય નામના બીજા અધ્યયનના પ્રથમ ઉદ્દેશકની એકવીસમી ગાથામાં પણ આવે છે ‘પળયા વીર મહાવીહિં સિદ્ધિપદં’ વગેરે. અહીં ‘મહાવીદૃિ’નો અર્થ ‘મહામાનું’ બતાવવામાં આવ્યો છે અને તેને ‘સિદ્ધિપહ' અર્થાત્ ‘સિદ્ધિપથ’ના વિશેષણ રૂપે સ્વીકારવામાં આવેલ છે. એ રીતે આચારાંગમાં પ્રયુક્ત ‘મહાવી’િ· શબ્દનો જે અર્થ છે તે જ સૂત્રકૃતાંગમાં પ્રયુક્ત ‘મહાવૌદ્દિ’ શબ્દનો પણ છે. ‘મહાનાળ’-‘મહાયાન’ શબ્દ જે જૈન પરંપરામાં મોક્ષમાર્ગનો સૂચક છે, બૌદ્ધદર્શનના એક ભેદરૂપે પણ પ્રચલિત છે. પ્રાચીન બૌદ્ધ પરંપરાનું નામ હીનયાન છે અને પછીની નવી બૌદ્ધ પરંપરાનું નામ મહાયાન છે. પ્રસ્તુત સૂત્રમાં ‘વી૨’ અને ‘મહાવીર’નો પ્રયોગ વારંવાર આવે છે. આ બંને શબ્દો વ્યાપક અર્થમાં પણ સમજી શકાય છે અને વિશેષ નામના રૂપમાં પણ. જે સંયમની સાધનામાં શૂર છે તે વીર અથવા મહાવીર છે. જૈન ધર્મના અંતિમ તીર્થંકરનું મૂળ નામ તો વર્ધમાન છે પરંતુ પોતાની સાધનાની શૂરતાને કારણે તેમને વીર અથવા મહાવીર કહેવાય છે. વીર અને મહાવીર શબ્દોનો અર્થ આ બંને રૂપે સમજી શકાય છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય : આચારાંગ આ સૂત્રમાં પ્રયુક્ત ‘આરિય’ અને ‘અખારિય’ શબ્દોનો અર્થ વ્યાપક રૂપમાં લેવો જોઈએ. જે સમ્યક્ આચારસંપન્ન છે—અહિંસાનું સર્વાંગી આચરણ કરનારા છે તેઓ આરિય—આર્ય છે. જે તેવા નથી તેઓ અણારિય-અનાર્ય છે. મેહાવી (મેધાવી), મમં (મતિમાન), ધીર, પંડિગ (પષ્ડિત), પાસઞ (પશ્ય), વીર, સત્ત (હ્રાત), માદળ (બ્રાહ્મન), નાળી (જ્ઞાની), પરમત્તવવુ (પરમન્નક્ષુષ), મુળિ (મુનિ), બુદ્ધ, માવ (માવાન્), આસુપન્ન (ઞશુપ્રજ્ઞ), આયયનવસ્તુ (આયતત્તભ્રુણ્) વગેરે શબ્દોનો પ્રયોગ પ્રસ્તુત સૂત્રમાં અનેકવાર થયો છે. તેમનો અર્થ ઘણો સ્પષ્ટ છે. આ શબ્દો સાંભળતાં જ જે સામાન્ય બોધ થાય છે તે જ તેનો મુખ્ય અર્થ છે અને એ જ મુખ્ય અર્થ અહીં બરાબર સંગત થઈ જાય છે. આમ હોવા છતાં પણ ચૂર્ણિકા૨ તથા વૃત્તિકારે આ શબ્દોનો જૈન પરિભાષા અનુસાર વિશિષ્ટ અર્થ કર્યો છે. ઉદાહરણ તરીકે પામઞ (પશ્ય-દૃષ્ટા)નો અર્થ સર્વજ્ઞ અથવા કેવલી, સત્ત (શત્ત)નો અર્થ તીર્થંકર અથવા વર્ધમાનસ્વામી, મુળિ (મુનિ)નો અર્થ ત્રિકાલજ્ઞ અથવા તીર્થંકર કર્યો છે. ૧૪૭ બાળŞ-પાસફનો પ્રયોગ ભાષાશૈલીના રૂપમાં : આચારાંગમાં ‘અમ્મા બાળર્ પાસ' (૫, ૬), ‘આસુપત્રેળ ખાળવા પાસવા’ (૭, ૧), ‘અગાળો અાસો’(૫, ૪) વગેરે વાક્યો આવે છે, જેમાં કેવલીના જાણવા તથા જોવાનો ઉલ્લેખ છે. આ ઉલ્લેખને લઈને પ્રાચીન ગ્રંથકારોએ સર્વજ્ઞના જ્ઞાન તથા દર્શનના ક્રમાક્રમ વિષયમાં ભારે વિવાદ ઊભો કર્યો છે અને તે કારણે એક આગમિક પક્ષ અને બીજો તાર્કિક પક્ષ એ રીતે બે પક્ષો પણ પેદા થઈ ગયા છે. મને તો એમ લાગે છે કે ‘નાળરૂ’ અને ‘પાસ’ એ બંને ક્રિયાપદો માત્ર ભાષાશૈલી—બોલવાની એક શૈલીનાં પ્રતીક છે. કહેનારાના મનમાં જ્ઞાન અને દર્શનના ક્રમ-અક્રમનો કોઈ વિચાર રહેલો નથી. જેમ બીજી જગ્યાએ ‘પન્નવેમિ પવૅમિ માસેમિ વગેરે ક્રિયાપદોનો સમાન અર્થમાં જ પ્રયોગ થયો છે તેવી જ રીતે અહીં પણ ‘નાગફ પાસ’ રૂપ યુગલ ક્રિયાપદ સમાન અર્થમાં જ પ્રયુક્ત થયેલ છે. જે મનુષ્ય કેવલી નથી અર્થાત્ છદ્મસ્થ છે તેને માટે પણ ‘નાળફ પાસ’ અથવા ‘અનાળો પાસઓ'નો પ્રયોગ થાય છે. દર્શન-જ્ઞાનના ક્રમ અનુસાર તો પહેલાં ‘પાસ ્' અથવા ‘ઝપાસો’ અને ‘નાળ’ અથવા ‘અનાળો'નો પ્રયોગ થવો જોઈએ પરંતુ આ વચનો એવી જાતના કોઈ ક્રમને ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યા નથી. આ તો બોલવાની એક શૈલી માત્ર છે. બૌદ્ધ ગ્રંથોમાં પણ આ શૈલીનો પ્રયોગ જોવા મળે છે. મઝિમનિકાયના સવ્વાસવસુત્તમાં ભગવાન બુદ્ધના મુખે આ શબ્દો કહેવાયાં છે ઃ- ‘જ્ઞાનતો અહં ભિાવે પસ્તતો આસવાનું સ્વયં વામિ, નો અનાનતો નો અવો’ અર્થાત્ હે ભિક્ષુઓ ! હું જાણતો છતો—દેખતો છતો આશ્રવોના ક્ષયની વાત Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ અંગઆગમ કરું છું, ન જાણતો છતોના દેખતો છતો નહિ. આ રીતનો પ્રયોગ ભગવતીસૂત્રમાં પણ મળે છે “ને મે અંતે ! વેદિયા..... વિવિયા નવા પ્રતિ મા વા પામં વા उस्सासं वा निस्सासं वा जाणामो पासामो, जे इमे पुढविकाइया...एगिदिया जीवा एएसिणं મામં વા..નીતાનં વાન વામો ન પાસાનો' (શ. ૨, ૩. ૧)-દ્વીઢિયાદિક જીવો જે શ્વાસોચ્છવાસ વગેરે લે છે તે આપણે જાણીએ છીએ; જોઈએ છીએ પરંતુ એકેન્દ્રિય જીવો છે શ્વાસ વગેરે લે છે તે આપણે જાણતા નથી, જોતા નથી. જ્ઞાનના સ્વરૂપની પરિભાષા અનુસાર દર્શન સામાન્ય, ઉપયોગ સામાન્ય, બોધ અથવા નિરાકાર પ્રતીતિ છે, જ્યારે જ્ઞાન વિશેષ ઉપયોગ, વિશેષ બોધ અથવા સાકાર પ્રતીતિ છે. મન:પર્યાય-ઉપયોગ જ્ઞાનરૂપ જ માનવામાં આવે છે, દર્શનરૂપ નહિ, કારણ કે તેમાં વિશેષનો જ બોધ થાય છે, સામાન્યનો નહિ. એવું હોવા છતાં પણ નંદિસૂત્રમાં ઋજુમતિ અને વિપુલમતિ મન:પર્યાયજ્ઞાની માટે “નાખવું’ અને ‘પાસ’ બંને પદોનો પ્રયોગ થયો છે. જો “ગારૂ પદ માત્ર કેવળજ્ઞાનનું જ દ્યોતક હોય અને “પાસ” પદ માત્ર કેવળદર્શનનું જ પ્રતીક હોત તો મન:પર્યવજ્ઞાની માટે માત્ર “નાડુ પદનો જ પ્રયોગ કરવામાં આવત, “પાસ' પદનો નહિ. નંદીમાં આ વિષયક પાઠ આ પ્રમાણે છે - दव्वओ णं उज्जुमई णं अणंते अणंतपएसिए खंधे जाणइ पासइ, ते चेव विउलमई अब्भहियतराए विउलतराए...वितिमिरतराए जाणइ पासइ । खेत्तओ णं उज्जुमई जहन्नेणं....उक्कोसेणं मणोगए भावे जाणइ पासइ, तं चेव विउलमई विसुद्धतरं.....जाणइ पासइ । कालओ णं उज्जुमई जहन्नेणं....उक्कोसेणं पि जाणइ पासइ तं चेव विउलमई विसुद्धतरागं....जाणइ पासइ । भावओ णं उज्जुमई....जाणइ पासइ । तं चेव विउलमई विसुद्धतरागं जाणइ पासइ । આ રીતે શ્રુતજ્ઞાનીના સંબંધમાં પણ નંદિસૂત્રમાં “3ી ૩૧૩ત્તે સળંધ્યારું ના પાડું એવો પાઠ આવે છે. શ્રુતજ્ઞાન પણ જ્ઞાન જ છે, દર્શન નથી. છતાં પણ તેના માટે “ના” અને “પાસ; બંનેનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ બધું જોતાં એમ માનવું વધુ યોગ્ય છે કે “નાફ પરનો પ્રયોગ માત્ર એક ભાષાશૈલી છે. તેના આધારે જ્ઞાન અને દર્શનના ક્રમ-અક્રમનો વિચાર કરવો યુક્તિયુક્ત નથી. વસુપદઃ આચારાંગમાં વસુ, અણુવસુ, વસુમંત, દુવ્વસુ વગેરે વસુપદ વાળા શબ્દોનો પ્રયોગ થયો છે. “વસુ' શબ્દ અવેસ્તા, વેદ તથા ઉપનિષદોમાં પણ મળે છે. તેનાથી એમ Page #183 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય આચારાંગ ૧૪૯ જણાય છે કે આ શબ્દ ઘણો પ્રાચીન છે. અવેસ્તામાં આ શબ્દનો પ્રયોગ “પવિત્ર'ના અર્થમાં થયો છે. ત્યાં તેનું ઉચ્ચારણ “વસુ ન હોતાં “વોહૂર છે. વેદ અને ઉપનિષદોમાં તેનું ઉચ્ચારણ “વસુ' રૂપે જ છે.' ઉપનિષદમાં પ્રયુક્ત “વસુ' શબ્દ હંસ અર્થાત્ પવિત્ર આત્માનો દ્યોતક છે : હંસ: સુવિવત્ વસુઃ (કઠોપનિષદ, વલ્લી ૫, શ્લોક ૨; છાંદોગ્યોપનિષદ ખંડ ૧૬, શ્લોક ૧-૨). પછીથી આ શબ્દનો પ્રયોગ વસુ નામના આઠ દેવો અથવા ધનના અર્થમાં થવા લાગ્યો. આચારાંગમાં આ શબ્દનો પ્રયોગ આત્માર્થી પવિત્ર મુનિ અને આત્માર્થી પવિત્ર ગૃહસ્થના અર્થમાં થયો છે. વસુ અર્થાત્ મુનિ. અણુવસુ એટલે નાનો મુનિ–આત્માર્થી પવિત્ર ગૃહસ્થ, દુવ્વસુ એટલે મુક્તિગમન માટે અયોગ્ય મુનિ–અપવિત્ર મુનિ–આચારહીન મુનિ. વેદ: વેયવં–વેવાન અને વેચવી–વેવિત્ આ બંને શબ્દોનો પ્રયોગ આચારાંગમાં જુદા જુદા અધ્યયનોમાં થયો છે. ચૂર્ણિકારે તેમનું વિવેચન કરતાં લખ્યું છે : “તિજ્ઞ રેખ સ વેલો વેતિ રૂતિ વેવિ' (આચારાંગચૂર્ણિ, પૃ. ૧૫૨), “વેવી-તિત્થર પર્વ વિજયતિ વિવેvi, સુવાનાં વા પ્રવવ વેતો તં ને વેતિ રસ લેવી !' (એજન, પૃ. ૧૮૫). આ અવતરણોમાં ચૂર્ણિકારે તીર્થકરને વેવી-વેવિ કહ્યા છે. જેના વડે વેદન થાય અર્થાત્ જ્ઞાન થાય તે વેદ છે. એટલા માટે જૈન સૂત્રોને એટલે કે દ્વાદશાંગ પ્રવચનને વેદ કહેવામાં આવેલ છે. નિર્યુક્તિકારે આચારાંગને વેદરૂપ દર્શાવેલ છે. વૃત્તિકારે પણ આ કથનનું સમર્થન કર્યું છે અને આચારાદિ આગમોને વેદ તથા તીર્થકરો, ગણધરો અને ચતુર્દશપૂર્વીઓને વેદવિત કહ્યા છે. આ રીતે જૈન પરંપરામાં ઋગ્વદ આદિને હિંસાચારપ્રધાન હોવાને કારણે વેદ ન માનતાં અહિંસાચારપ્રધાન આચારાંગાદિને વેદ માનવામાં આવેલ છે. વસ્તુતઃ જોવામાં આવે તો વેદની પ્રતિષ્ઠાથી પ્રભાવિત થઈને જ પોતાના શાસ્ત્રને વેદ નામ આપવામાં આવ્યું છે, એમ જ માનવું યોગ્ય છે. આમગંધ: આચારાંગના “સબામiધે પરિત્રાય નિરીમiધે પરિવU' (૨, ૫) વાક્યમાં એવો નિર્દેશ કરવામાં આવ્યો છે કે મુનિએ બધા આમગંધોને જાણીને તેમનો ત્યાગ કરવો જોઈએ અને નિરામગંધ બનીને જ વિચરણ કરવું જોઈએ. ચૂર્ણિકાર અથવા વૃત્તિકારે ૧. અવેસ્તા માટે જુઓ–ગાથાઓ પર નવો પ્રકાશ, પૃ. ૪૪૮, ૪૬૫, ૪૬૪, ૮૨૩. વેદ માટે જુઓ-ઋગ્વદ મંડલ ૨, સૂક્ત ૨૩, મંત્ર ૯ તથા સૂક્ત ૧૧, મંત્ર ૧. Page #184 -------------------------------------------------------------------------- ________________ અંગઆગમ આમગંધનો વ્યુત્પત્તિપૂર્વક અર્થ બતાવ્યો નથી. તેમણે માત્ર એટલું જ કહ્યું છે કે ‘આમગંધ’ શબ્દ આહાર સંબંધી દોષનો સૂચક છે. જે આહાર ઉદ્ગમ-દોષ વડે દૂષિત હોય અથવા શુદ્ધિની દૃષ્ટિએ દોષયુક્ત હોય તે આમગંધ કહેવાય છે. સામાન્યપણે ‘આમ’નો અર્થ થાય છે કાચું અને ગંધનો અર્થ થાય છે વાસ. જેની ગંધ આમ હોય તે આમગંધ છે. આ દૃષ્ટિએ જે આહાર વગેરે પરિપક્વ ન હોય એટલે કે જેમાં કાચાની ગંધ આવતી હોય તેનો આમગંધમાં સમાવેશ થાય છે. જૈન ભિક્ષુઓ માટે આ પ્રકારનો આહાર ત્યાજ્ય છે. લક્ષણાથી ‘આમગંધ' શબ્દ આ જ પ્રકારના આહારાદિ સંબંધી અન્ય દોષોનો પણ સૂચક છે. ૧૫૦ બૌદ્ધપિટક ગ્રંથ સુત્તનિપાતમાં ‘આમગંધ’ શબ્દનો પ્રયોગ થયો છે. તેમાં તિષ્ય નામક તાપસ અને ભગવાન બુદ્ધ વચ્ચે ‘આમગંધ’ના વિચાર વિષયમાં એક સંવાદ છે. આ તાપસ કંદ, મૂળ, ફળ જે કંઈ પણ ધર્માનુસાર મળે છે તેના વડે પોતાનો નિર્વાહ કરે છે અને તાપસધર્મનું પાલન કરે છે. તેને ભગવાન બુદ્ધે કહ્યું કે હે તાપસ ! તું જે પરપ્રદત્ત અથવા સ્વોપાર્જિત કંદ વગેરે ગ્રહણ કરે છે તે આમગંધ છે—અમેધ્યવસ્તુ— અપવિત્ર પદાર્થ છે. આ સાંભળીને તિષ્ય બુદ્ધને કહ્યું કે હે બ્રહ્મબંધુ ! તું સ્વયં સુસંસ્કૃત— સારી રીતે પકાવેલા પક્ષીઓના માંસથી યુક્ત ચોખાનું ભોજન કરનાર છે અને હું કંદ વગેરે ખાનારો છું. છતાં પણ તું મને તો આમગંધભોજી કહે છે અને પોતાની જાતને નિરામગંધભોજી. આમ કેમ ? તેનો ઉત્તર આપતાં બુદ્ધ કહે છે કે પ્રાણધાત, વધ, છેદ, ચોરી, અસત્ય, વંચના, લૂંટ, વ્યભિચાર વગેરે અનાચારો આમગંધ છે, માંસભોજન આમગંધ નથી. અસંયમ, જિહ્વાલોલુપતા, અપવિત્ર આચરણ, નાસ્તિકતા, વિષમતા તથા અવિનય આમગંધ છે, માંસાહાર આમગંધ નથી આ રીતે પ્રસ્તુત સૂત્રમાં સમસ્ત દોષો—આંતરિક અને બાહ્ય દોષોને આમગંધ કહેવામાં આવેલ છે. આચારાંગમાં પ્રયુક્ત ‘આમગંધ’નો અર્થ આંતરિક દોષ તો છે જ, સાથે જ માંસાહાર પણ છે. જૈન ભિક્ષુઓ માટે માંસાહારના ત્યાગનું વિધાન છે. ‘સવ્વામાંધ પરિત્રાય' લખવાનો વાસ્તવિક અર્થ આ જ છે કે બાહ્ય અને આંતરિક બધા પ્રકારના આમગંધ હેય છે એટલે કે બાહ્ય આમગંધ-માંસાદિ અને આંતરિક આમગંધઆપ્યંતરિક દોષો તે બંનેય ત્યાજ્ય છે. આસ્રવ અને પરિસવ ઃ 'जे आसवा ते परिस्सवा, जे परिस्सवा ते आसवा; जे अणासवा ते अपरिस्सवा, जे અસ્થિવા તે અગાસવા' આચારાંગ (અ. ૪, ઉ. ૨)ના આ વાક્યનો અર્થ સમજવા માટે આસ્રવ અને પરિસ્રવનો અર્થ જાણવો જરૂરી છે. આસ્રવ શબ્દ ‘બંધનના હેતુ’ના Page #185 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય: આચારાંગ ૧૫૧ અર્થમાં અને પરિશ્નવ શબ્દ “બંધનના નાશના હેતુ' એ અર્થમાં જૈન અને બૌદ્ધ પરિભાષામાં રૂઢ છે. આથી “માસવા....”નો અર્થ એ થયો કે જે આસ્રવો છે અર્થાત્ બંધનના હેતુઓ છે તે ઘણી વાર પરિગ્નવ અર્થાત બંધનના નાશના હેતુઓ બની જાય છે અને જે બંધનના નાશના હેતુઓ છે તે ઘણી વાર બંધનના હેતુઓ બની જાય છે. એ જ રીતે જે અનાગ્નવો છે અર્થાતુ બંધનના હેતુઓ નથી તે ઘણી વાર બંધનના હેતુઓ બની જાય છે અને જે બંધનના હેતુઓ છે તે ઘણીવાર બંધનના અહેતુઓ બની જાય છે. આ વાક્યોનો ગૂઢાર્થ “મન પર્વ મનુષ્યનાં છાપાં વન્ધ–મોક્ષયોઃ' સિદ્ધાંતના આધારે સમજી શકાય છે. બંધન અને મુક્તિનું કારણ મન જ છે. મનની વિચિત્રતાના કારણે જ જે હેતુ બંધનનું કારણ હોય છે તે જ મુક્તિનું પણ કારણ બની જાય છે. એ જ રીતે મુક્તિનો હેતુ બંધનનું કારણ પણ બની શકે છે. ઉદાહરણ રૂપે એક જ પુસ્તક કોઈને માટે જ્ઞાનાર્જનનું કારણ બને છે તો કોઈના માટે ક્લેશનું, અથવા કોઈ સમયે વિદ્યોપાર્જનનો હેતુ બને છે તો કોઈ સમયે કલહનો. તાત્પર્ય એ છે કે ચિત્તશુદ્ધિ અથવા અપ્રમત્તતાપૂર્વક કરવામાં આવનારી ક્રિયાઓ જ અનાગ્નવ અથવા પરિક્સવનું કારણ બને છે. અશુદ્ધ ચિત્ત અથવા પ્રમાદપૂર્વક કરવામાં આવેલી ક્રિયાઓ આગ્નવ અથવા અપરિગ્સવનું કારણ બને છે. વર્ષાભિલાષાઃ વMIણી નારખે વવ વ્યો' (આચારાંગ અ. ૫, ઉ. ૨, સૂ. ૧૫૫)નો અર્થ આ પ્રમાણે છે : વર્ણનો અભિલાષી લોકમાં કોઈનું પણ આલંબન ન કરે. વર્ણ અર્થાત પ્રશંસા, યશ, કીર્તિ. તેના આદેશી અર્થાતુ અભિલાષીએ સમગ્ર સંસારમાં કોઈની પણ હિંસા ન કરવી જોઈએ; કોઈનો પણ ભોગ ન લેવો જોઈએ. એ જ રીતે અસત્ય, ચૌર્ય વગેરેનું પણ આચરણ ન કરવું જોઈએ. આ એક અર્થ છે. બીજો અર્થ આ પ્રમાણે છે : સંસારમાં કીર્તિ અથવા પ્રશંસા માટે દેહદમન આદિની પ્રવૃત્તિ ના કરવી જોઈએ. ત્રીજો અર્થ આ પ્રમાણે છે : લોકમાં વર્ણ અર્થાત રૂપસૌંદર્ય માટે કોઈ પ્રકારના સંસ્કારો-સ્નાન વગેરેની પ્રવૃત્તિ ન કરવી જોઈએ. ઉપર્યુક્ત સૂત્રમાં મુમુક્ષુઓ માટે કોઈ પણ પ્રકારની હિંસા ન કરવાનું વિધાન છે. તેમાં કોઈ અપવાદનો ઉલ્લેખ કે નિર્દેશ નથી. છતાં પણ વૃત્તિકાર કહે છે કે પ્રવચનની પ્રભાવનાને માટે અર્થાત જૈનશાસનની કીર્તિને માટે કોઈ આ પ્રકારનો આરંભ–હિંસા કરી શકે છે પ્રવવનોદ્ધીવાર્થ તુ મારમ (આચારાંગવૃત્તિ, પૃ. ૧૯૨). વૃત્તિકારનું આ કથન ક્યાં સુધી યુક્તિસંગત છે, તે વિચારણીય છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ અંગઆગમ મુનિઓનાં ઉપકરણો: આચારાંગમાં ભિક્ષુઓના વસ્ત્રોના ઉપયોગ તથા અનુપયોગ સંબંધી જે પાઠ છે તેમાં ક્યાંય પણ વૃત્તિકારનિર્દિષ્ટ જિનકલ્પ વગેરે ભેદોનો ઉલ્લેખ નથી, માત્ર ભિક્ષુની સાધનસામગ્રીનો નિર્દેશ છે. તેમાં અચલકતા અને સચેલકતાનું પ્રતિપાદન ભિક્ષુની પોતાની પરિસ્થિતિને દૃષ્ટિમાં રાખીને કરવામાં આવેલ છે. આ વિષયમાં કોઈ પણ પ્રકારની અનિવાર્યતાને સ્થાન નથી. આ માત્ર આત્મબળ કે દેહબળની તરતમતા પર આધારિત છે. જેનું આત્મબળ અથવા દેહબળ અપેક્ષાએ અલ્પ છે તેને પણ સૂત્રકારે સાધનાની પૂરતી તક આપી છે. સાથે સાથે જ એમ પણ કહ્યું છે કે અચેલક, ત્રિવસ્ત્રધારી, દ્વિવસ્ત્રધારી, એકવસ્ત્રધારી અને માત્ર લજ્જાનિવારણ માટે વસ્ત્રનો ઉપયોગ કરનાર આ બધા ભિક્ષુઓ સમાનરૂપે આદરણીય છે, એ બધા પ્રત્યે સમાનતાનો ભાવ રાખવો જોઈએ. સમત્તમેવ સમfમનાળિય. આમાંથી અમુક પ્રકારના મુનિઓ ઉત્તમ છે અથવા શ્રેષ્ઠ છે અને અમુક પ્રકારના હીન છે અથવા અધમ છે એવું ન સમજવું જોઈએ. અહીં એક વાત વિશેષ ઉલ્લેખનીય છે. પ્રથમ શ્રુતસ્કંધમાં મુનિઓના ઉપકરણ સંબંધી આવતા સમસ્ત ઉલ્લેખોમાં ક્યાંય પણ મુહપત્તી નામે ઉપકરણનો ઉલ્લેખ નથી. તેમાં માત્ર વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપુંછન, અવગ્રહ તથા કટાસનનું નામ છે : વલ્થ હિં વિંવતં પાપુંછ ના દંચ ડાઇi (૨, ), વલ્થ પડિહં ૐવતં પાયjછvi (૬, ૨), वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा (८, १), वत्थं वा पडिग्गहं वा कंबलं वा પાયjછvi વા (૮, ૨). ભગવતીસૂત્રમાં તથા અન્ય અંગસૂત્રોમાં જ્યાં જ્યાં દીક્ષા લેનારાઓનો અધિકાર આવે છે ત્યાં ત્યાં રજોહરણ તથા પાત્ર સિવાય કોઈ બીજા ઉપકરણનો ઉલ્લેખ જણાતો નથી. આ હકીકત પણ મુહપત્તી સંબંધમાં વિવાદ ઊભો કરનારી છે. ભગવતીસૂત્રમાં ‘ગૌતમ મુહપત્તીનું પ્રતિલેખન કરે છે એ પ્રકારનો ઉલ્લેખ આવે છે. એથી પ્રતીત થાય છે કે આચારાંગની રચના સમયે મુહપત્તીનો ભિક્ષુઓના ઉપકરણોમાં સમાવેશ થતો ન હતો, પરંતુ પછીથી તેનો ઉમેરો કરવામાં આવ્યો. મુહપત્તી બાંધવાનો ઉલ્લેખ તો ક્યાંય જોવા મળતો નથી. સંભવ છે કે બોલતી વખતે બીજા પર થુંક ન ઉડે તથા પુસ્તક પર પણ ઘૂંક ન પડે, એ દષ્ટિએ મુહપત્તીની શરૂઆત થઈ હોય. મોઢા પર મુહપત્તી બાંધી રાખવાનો રિવાજ તો ઘણા સમય પછી આવેલો છે. ૧. જૈન શાસનમાં ક્રિયાકાંડમાં પરિવર્તન કરનારા અને સ્થાનકવાસી પરંપરાના પ્રવર્તક પ્રધાન પુરુષ શ્રી લોકાશાહ પણ મુહપત્તી બાંધતા ન હતા. બાંધવાની પ્રથા પાછળથી આવી છે. જુઓ–ગુરુદેવશ્રી રત્નમુનિ સ્મૃતિગ્રંથમાં પં. દલસુખભાઈ માલવણિયાનો લેખ “લોકાશાહ અને તેમની વિચારધારા': Page #187 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય : આચારાંગ મહાવીર-ચર્યા : આચારાંગના ઉપધાનશ્રુત નામના નવમા અધ્યયનમાં ભગવાન મહાવીરનું જે ચરિત્ર આપવામાં આવ્યું છે તે ભગવાનની જીવનચર્યાનું સાક્ષાત્ ઘોતક છે. તેમાં ક્યાંય પણ અત્યુક્તિ નથી. તેમની પાસે ઇન્દ્ર, સૂર્ય વગેરેના આવવાની ઘટનાનો ક્યાંય ઉલ્લેખ નથી. આ અધ્યયનમાં ભગવાનના ધર્મચક્રપ્રર્વતન અર્થાત્ ઉપદેશનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આમાં ભગવાનની દીક્ષાથી માંડી નિર્વાણ સુધીની સમસ્ત જીવનઘટનાઓનો ઉલ્લેખ છે. ભગવાને સાધના કરી, વીતરાગ બન્યા, દેશના આપી એટલે કે ઉપદેશ આપ્યો અને અંતમાં ‘મિનિબુડે' અર્થાત્ નિર્વાણ પ્રાપ્ત કર્યું. આ અધ્યયનમાં એક જગ્યાએ આવો પાઠ છે : अप्पं तिरियं पेहाए अप्पं पिट्ठओ व पेहाए । अप्वं बुइए पडिभाणी पंथपेही चरे जयमाणे ॥ અર્થાત્ ભગવાન ધ્યાન કરતી વેળાએ ત્રાંસુ ન જોતા અથવા ઓછું જોતા, પાછળ ન જોતા અથવા ઓછું જોતા, બોલતા નહિ અથવા ઓછું બોલતા, જવાબ ન આપતા અથવા ઓછો આપતા અને માર્ગને ધ્યાનપૂર્વક યતનાથી જોતાં જોતાં ચાલતા. ૧૫૩ આ સહજ ચર્યાનો ભગવાનના જન્મજાત માનવામાં આવતા અધિજ્ઞાન સાથે વિરોધ થતો જોઈ ચૂર્ણિકાર આ રીતે સમાધાન કરે છે કે ભગવાનને આંખનો ઉપયોગ કરવાની કોઈ આવશ્યકતા નથી. (કેમ કે તેઓ છદ્માવસ્થામાં પણ પોતાના અવધિજ્ઞાનથી આંખ વિના જ જોઈ શકે છે, જાણી શકે છે) છતાં પણ શિષ્યોને સમજાવવા માટે આ પ્રકારનો ઉલ્લેખ આવશ્યક છે ઃ । તં મળવતો મતિ, તાવિ આયરિયું ધમ્માળ સિસ્માનં કૃતિ ાનું ગળ્યું તિથિ (ચૂર્ણિ, પૃ. ૩૧૦) આ રીતે ચૂર્ણિકારે ભગવાન મહાવીર સંબંધી મહિમાવર્ધક અતિશયોક્તિઓને સુસંગત કરવા માટે મૂળસૂત્રના તદ્દન સીધાસાદા અને સુગમ વચનોને પોતાની રીતે સમજાવવાનો અનેક સ્થળે પ્રયાસ કર્યો છે. પાછળના ટીકાકારોએ પણ એક કે બીજી રીતે આ જ પદ્ધતિનો આધાર લીધો છે. આ તત્કાલીન વાતાવરણ અને ભક્તિનું સૂચક છે. લલિતવિસ્તર વગેરે બૌદ્ધ ગ્રંથોમાં પણ ભગવાન બુદ્ધના વિષયમાં જૈન ગ્રંથોની જેમ જ અનેક અતિશયોક્તિપૂર્ણ ઉલ્લેખો મળે છે. મહાવીર માટે પ્રયુક્ત સર્વજ્ઞ, સર્વદર્શી, અનંતજ્ઞાની, કેવલી વગેરે શબ્દો આચાર્ય હરિભદ્રના કથન અનુસાર ભગવાનના આત્મપ્રભાવ, વીતરાગતા અને ક્રાંતદર્શિતા— દૂરદર્શિતાના સૂચક છે. પછીથી જે અર્થમાં આ શબ્દો રૂઢ થયા છે અને શાસ્ત્રાર્થનો વિષય બન્યા છે તે અર્થમાં તે તેમને માટે પ્રયુક્ત થયેલા જણાતા નથી. પ્રત્યેક મહાપુરુષ જ્યારે સામાન્ય ચર્યાથી પર બની જાય છે—અસાધારણ જીવનચર્યાનું પાલન કરવા Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ અંગઆગમ લાગે છે ત્યારે પણ તે મનુષ્ય જ હોય છે. તો પણ લોકો તેમના માટે લોકોત્તર શબ્દનો પ્રયોગ શરૂ કરી દે છે અને તે રીતે પોતાની ભક્તિનું પ્રદર્શન કરે છે. ઉત્તમ કોટિના વિચારકો તે મહાપુરુષનું યથાશક્તિ અનુસરણ કરે છે જયારે સામાન્ય લોકો લોકોત્તર શબ્દો દ્વારા તેમનું સ્તવન કરે છે, પૂજન કરે છે, મહિમા ગાઈને પ્રસન્ન થાય છે. કેટલાંક સુભાષિતોઃ આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધની સમીક્ષા સમાપ્ત કરતાં પહેલાં તેમાં આવતાં કેટલાંક સૂક્તો અર્થસહિત નીચે આપવા આવશ્યક છે. તે આ પ્રમાણે છે :૧. પૂછયા વીર મહાવહિં.... વિરપુરુષો મહામાર્ગ તરફ આગળ વધે છે. જે શ્રદ્ધા સાથે નીકળ્યો છે તેનું પાલન ૨. ના સાથ નિવરવંતો તમેવ અનુ- पालिया ૩. ધીરે મુહુરૂવિ નો પમાયણ... કર. ૪. વો સર્વે ગોવ્યાં ર... ૫. રવ નાણાદિ પંડિu ६. सव्वे पाणा पियाउया सुहसाया दुक्खपडिकूला अप्पियवहा पियजीविणो जीविउकामा ७. सव्वेसिं जीविअंपियं ૮. ને સિયા તેur નો સિયા... ધીરપુરુષ એક મૂહુર્ત-ક્ષણ માટે પણ પ્રમાદ ન કરે. વય ચાલી જઈ રહી છે અને યૌવન પણ. હે પંડિત ! ક્ષણને–સમયને જાણ. બધા પ્રાણીઓને આયુષ્ય પ્રિય છે, સુખ સારું લાગે છે, દુઃખ સારું નથી લાગતું, વધ અપ્રિય છે, જીવન પ્રિય છે, જીવવાની ઇચ્છા છે. બધાને જીવન પ્રિય છે. જેની દ્વારા છે તેની દ્વારા નથી અર્થાત્ જે અનુકૂળ છે તે પ્રતિકૂળ થઈ જાય છે. જેવું અંદર છે તેવું બહાર છે અને જેવું બહાર છે તેવું અંદર. આ પુરુષ સાચે જ કામકામી છે. આ પુરુષ હું કરીશ, હું કરીશ એવું જ કરતો રહે છે. ८. जहा अंतो तहा बाहिं ગદા વાર્દિ તરાં સંતો .. ૧૦.મામ વસ્તુ મયં પુ... ૧૧.વાસંવયં તુ પુરિસે... Page #189 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય આચારાંગ ૧૫૫ ૧૨.૪ વડુ મMળો... આવો પુરુષ પોતાનું વેર વધારે છે. ૧૩.સુત્તા અમુળ મુજળો અમુનિઓ સૂતા છે અને મુનિઓ સતત જય ગાત.... જાગે છે. ૧૪. મસ વવહારે ન વિટ્ટ કર્મહીનને વ્યવહાર નથી હોતો. ૧૫. રમૂi a fafia ધીરે.. હે ધીર પુરુષ! પ્રપંચની ટોચ અને મૂળને કાપી નાખ. ૧૬ . બર છે માટે અત્યં પિ માહે શું અરતિ કે શું આનંદ, બંનેમાં રે.... અનાસક્ત રહો. ૧૭. પુરા ! તુમમેવ તુ પિત્ત વિદિયા હેપુરુષ ! તું જ તારો મિત્ર છે પછી બાહ્ય fમમછત... મિત્રની ઈચ્છા શા માટે કરે છે? ૧૮.પુરિયા ! સત્તાનમેવ નિર્વિ હે પુરુષ ! તું પોતે જ પોતાને નિગૃહીત સુવરવા પોવરસિ.... કર. એ રીતે તારું દુઃખ દૂર થશે. ૧૯ પુરિસા ! સંવમેવ સમજીમનાદિ. હે પુરુષ ! સત્યને જ સમ્યકરૂપે સમજ. २०.जे एगं नामे से बहु नामे, जे बहु नामे જે એકને નમાવે છે તે ઘણાંને નમાવે છે સે નાખે.... અને જે ઘણાંને નમાવે છે તે એકને નમાવે ૨૧.સત્રો પર પથ अप्पमत्तस्स नत्थि भयं... ૨૨. ગંતિ વીસ મણના.... ૨૩.દિમMi... ૨૪. દિ અપા..... ૨૫.વદુ યુવા હું ગંતવો... ૨૬ તુ સિ નામ તે વેવ = દંતત્રં ત મસિ... પ્રમાદીને ચારે તરફ ભય છે, અપ્રમાદીને કોઈ ભય નથી. વીર પુરુષો મહાયાન તરફ જાય છે. આત્માને અર્થાત્ જાતને કસ. આત્માને અર્થાત્ જાતને જીર્ણ કર. સાચેસાચ પ્રાણીઓ ઘણાં દુઃખી છે. તું જેને હણવાયોગ્ય સમજે છે તે તું પોતે જ છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ દ્વિતીય શ્રુતસ્કંધ : આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધની ઉપર્યુક્ત સમીક્ષાની જેમ જ દ્વિતીય શ્રુતસ્કંધની પણ સમીક્ષા આવશ્યક છે. દ્વિતીય શ્રુતસ્કંધનો સામાન્ય પરિચય પહેલાં આપી દેવાયો છે. તે પાંચ ચૂલિકાઓમાં વિભક્ત છે, જેમાં આચારપ્રકલ્પ અથવા નિશીથ નામે પાંચમી ચૂલિકા આચારાંગથી અલગ થઈ એક સ્વતંત્ર ગ્રંથ જ બની ગઈ છે. આથી અત્યારે દ્વિતીય શ્રુતસ્કંધમાં માત્ર ચાર ચૂલિકાઓ જ છે. પ્રથમ ચૂલિકામાં સાત પ્રકરણો છે, જેમાં પ્રથમ પ્રકરણ આહારવિષયક છે. આ પ્રકરણમાં કંઈક વિશેષતા છે. તેની ચર્ચા કરવી જરૂરી છે. આહાર : જૈન ભિક્ષુ માટે આ એક સામાન્ય નિયમ છે કે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ નાના મોટા જીવજંતુઓથી યુક્ત હોય, ફૂગવાળું હોય, ઘઉં વગેરેના દાણાઓવાળું હોય, લીલી વનસ્પતિ વગેરેથી મિશ્રિત હોય, ઠંડા પાણીથી ભીંજવેલું હોય, જીવયુક્ત હોય, રજવાળું હોય તો ભિક્ષુ તેનો સ્વીકાર ન કરે. કદાચ અસાવધાનીથી એવું ભોજન આવી પણ જાય તો તેમાંથી જીવજંતુ વગેરે કાઢી નાખીને તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરે. ભોજન કરવા માટેનું સ્થાન કેવું હોય ? તેના ઉત્તરમાં કહેવામાં આવ્યું છે કે ભિક્ષુ એકાંત સ્થાન શોધે અર્થાત્ એકાંતમાં જઈને કોઈ વાડી, ઉપાશ્રય અથવા શૂન્યગૃહમાં કોઈ જુએ નહિ તેમ ભોજન કરે. વાડી વગેરે કેવાં હોય ? જેમાં બેસવાની જગ્યાએ ઈંડા ન હોય, અન્ય જીવજંતુ ન હોય, અનાજના દાણા અથવા ફળ વગેરેનાં બી ન હોય, લીલા પાંદડાં વગેરે પડ્યાં ન હોય, ઝાકળ ન પડી હોય, ઠંડું પાણી ન પડ્યું હોય, સેવાળ ન ચોંટી હોય, ભીની માટી ન હોય, કરોળિયાનાં જાળાં ન હોય એવા નિર્જીવ સ્થાનમાં બેસીને ભિક્ષુ ભોજન કરે. આહાર, પાણી વગેરેમાંથી અખાદ્ય અથવા અપેય પદાર્થ નીકળે તો તેને એવા સ્થાનમાં ફેંકે કે જ્યાં એકાંત હોય અર્થાત્ કોઈની અવરજવર ન હોય તથા જીવજંતુ વગેરે પણ ન હોય. અંગઆગમ ભિક્ષા માટે અન્યમતના સાધુઓ અથવા ગૃહસ્થની સાથે કોઈના ઘરમાં પ્રવેશ ન કરે અથવા ઘરેથી બહાર ન નીકળે કેમ કે વૃત્તિકારના કથન અનુસાર અન્યતીર્થિકો સાથે પ્રવેશ કરનાર અને નીકળનાર ભિક્ષુને આધ્યાત્મિક અને બાહ્ય હાનિ થાય છે. આ નિયમથી એ વાત ફલિત થાય છે કે તે જમાનામાં પણ સંપ્રદાય સંપ્રદાય વચ્ચે પરસ્પર સદ્ભાવનાનો અભાવ હતો. આગળ એક નિયમ એવો આવે છે કે જે ભોજન અન્ય શ્રમણો એટલે કે બૌદ્ધ શ્રમણો, તાપસો, આજીવિકો વગેરેને માટે અથવા અતિથિઓ, ભિખારીઓ, Page #191 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય આચારાંગ ૧૫૭ વનપકો વગેરેને માટે બનાવવામાં આવ્યું હોય તે જૈન ભિક્ષુઓ ગ્રહણ ન કરે. આ નિયમ દ્વારા અન્ય ભિક્ષુઓ અથવા શ્રમણોને હાનિ ન પહોંચાડવાની ભાવના વ્યક્ત થાય છે. એ જ રીતે જૈન ભિક્ષુઓને નિત્યપિંડ, અગ્રપિંડ (ભોજનનો પ્રથમ ભાગ) વગેરે આપનારા કુળોમાંથી ભિક્ષા ગ્રહણ કરવાની મનાઈ કરવામાં આવી છે. ભિક્ષા માટે યોગ્ય કુળઃ જે કુળોમાં ભિક્ષુઓ ભિક્ષા માટે જતા તે આ પ્રમાણે છેઃ ઉગ્રકુળ, મોગકુળ, રાજન્યકુળ, ક્ષત્રિયકુળ, ઈક્વાકુકુળ, હરિવંશકુળ, ઐસિઅકુળ-ગોષ્ઠોનું કુળ, વેસિઅકુળ-વૈશ્યકુળ, ગંડાગકુળ-ગામમાં ઘોષણા કરનારા નાપિતોનું કુળ, કોટ્ટાગકુળ સુથારકુળ, બુક્કસ અથવા બોક્કશાલિયકુળ-વણકર કુળ. સાથે જ એ પણ બતાવવામાં આવ્યું છે કે જે કુળો અનિંદિત છે, અજુગુણિત છે તેમાં જ જવું જોઈએ; નિદિત કે જુગુપ્સિત કુળોમાં ન જવું જોઈએ. વૃત્તિકારના કથન અનુસાર ચમારકુળ અથવા દાસકુળ નિદિત મનાતાં હતાં. આ નિયમથી એવું ફલિત થાય છે કે દ્વિતીય શ્રુતસ્કંધની યોજનાના સમયમાં જૈન ધર્મમાં કુળના આધારે ઉચ્ચ કુળો અને નીચ કુળોની ભાવનાને સ્થાન મળ્યું હશે. આનાથી પહેલાં જૈન પ્રવચનમાં આ ભાવનાની ગંધ સુદ્ધાં નથી મળતી. જ્યાં ખુદ ચાંડાળ જ મુનિ બનવાનો ઉલ્લેખ છે ત્યાં નીચ કુળ અથવા ગહિત કુળની કલ્પના કેવી રીતે થઈ શકે? ઉત્સવ સમયે ભિક્ષા: એક સ્થળે ખાનપાનના પ્રસંગે જે વિશેષ ઉત્સવોના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે આ છે : ઇન્દ્રમહ, સ્કંદમહ, રુદ્રમહ, મુકુંદમહ, ભૂતમહ, યક્ષમત, નાગમહ, સ્તૂપમહ, ચૈત્યમહ, વૃક્ષમહ, ગિરિમહ, કૂપમહ, નદીમહ, સરોવરમહ, સાગરમહ, આકરમહ વગેરે. આ ઉત્સવ વેળાએ ઉત્સવ નિમિત્તે આવેલા નિમંત્રિત વ્યક્તિઓ દ્વારા ભોજન કરી લીધા પછી જ ભિક્ષુ આહારપ્રાપ્તિ માટે કોઈના ઘરે જાય, તેની પહેલાં નહિ. એટલું જ નહિ, તે ઘરમાં જઈને ગૃહપતિની સ્ત્રી, બહેન, પુત્ર, પુત્રી, પુત્રવધૂ, દાસ, દાસી, નોકર, નોકરાણીને કહે કે જેમને જે આપવાનું હતું તે તેમને આપી દીધા પછી જો બચ્યું હોય તો તેમાંથી મને ભિક્ષા આપો. આ નિયમનું પ્રયોજન એ જ છે કે કોઈના ભોજનમાં અંતરાય ન પડે. સંખડિ એટલે કે સામૂહિક ભોજનમાં ભિક્ષાને માટે જવાનો નિષેધ કરતાં કહેવામાં ૧. વિશિષ્ટ વેશધારી ભિખારી. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ અંગઆગમ આવ્યું છે કે આ પ્રકારની ભિક્ષા અનેક દોષોની જનની છે. જન્મોત્સવ, નામકરણોત્સવ વગેરે પ્રસંગે થનાર મોટા ભોજનસમારંભ નિમિત્તે અનેક પ્રકારની હિંસા થાય છે. આવા અવસરે ભિક્ષા લેવા જવાની સ્થિતિમાં સાધુઓની સગવડ માટે પણ વિશેષ હિંસાની સંભાવના હોઈ શકે છે. આથી સંખડિમાં ભિક્ષુ ભિક્ષા માટે ન જાય. આગળ સૂત્રકારે એમ પણ બતાવ્યું છે કે જે દિશામાં સંખડિ થતી હોય તે દિશામાં પણ ભિક્ષુએ જવું જોઈએ નહિ. સંખડિ ક્યાં ક્યાં થાય છે? ગ્રામ, નગર, ખેડ, કર્બટ, મડંબ, પટ્ટણ, આકર, દ્રોણમુખ, નૈગમ, આશ્રમ, સંનિવેશ અને રાજધાની–આ બધામાં સંખડિ થાય છે. સંખડિમાં ભિક્ષા માટે જવાથી ભયંકર દોષો લાગે છે. તેમના વિષયમાં સૂત્રકાર કહે છે કે કદાચિત ત્યાં વધુ ખવાઈ જાય અથવા પીવાઈ જાય અને વમન થાય કે અપચો થાય તો રોગ થવાની સંભાવના પેદા થાય છે. ગૃહપતિ સાથે, ગૃહપતિની સ્ત્રી સાથે, પરિવ્રાજકો સાથે, પરિવ્રાજિકાઓ સાથે હળીમળી જવાથી, મદિરા વગેરે પીવાની પરિસ્થિતિ ઉત્પન્ન થતાં બ્રહ્મચર્ય-ભંગનો ભય રહે છે. આ એક ભયંકર દોષ ભિક્ષા માટે જતી વેળાએઃ | ભિક્ષા માટે જનાર ભિક્ષુને કહેવામાં આવ્યું છે કે પોતાના બધા ઉપકરણો સાથે રાખીને જ ભિક્ષા માટે જાય. એક ગામથી બીજે ગામ જતી વેળાએ પણ તેમ જ કરે. હાલના સમયમાં એક ગામથી બીજે ગામ જતી વેળાએ તો આ નિયમનું પાલન કરવામાં આવે છે પરંતુ ભિક્ષા માટે જતી વખતે આમ કરવામાં આવતું નથી. ધીરે ધીરે ઉપકરણોમાં વૃદ્ધિ થતી ગઈ. આથી ભિક્ષા સમયે બધાં ઉપકરણો સાથે ન રાખવાની નવી પ્રથા નીકળી હોય એવું શક્ય છે. રાજકુળોમાં આગળ બતાવવામાં આવ્યું છે કે ભિક્ષુએ ક્ષત્રિયો અર્થાત્ રાજાઓના કુળોમાં, કુરાજાઓના કુળોમાં, રાજસ્મૃત્યોના કુળોમાં, રાજવંશના કુળોમાં ભિક્ષા માટે ન જવું જોઈએ. આનાથી એમ જણાય છે કે કેટલાક રાજાઓ અને રાજવંશના લોકો ભિક્ષુઓ સાથે દુર્વ્યવહાર કરતા હશે અથવા તેમને ત્યાંનો આહાર સંયમની સાધનામાં બાધા કરનાર હોતો હશે. માખણ, મધ, મધ અને માંસઃ કોઈ ગામમાં નિર્બળ અથવા વૃદ્ધ ભિક્ષુઓએ સ્થિરવાસ કર્યો હોય અથવા કેટલાક સમય માટે માસકલ્પી ભિક્ષુઓએ નિવાસ કર્યો હોય અને ત્યાં રામાનુગ્રામ વિચરતા અન્ય ભિક્ષુઓ અતિથિ રૂપે આવ્યા હોય તેમને જોઈને પહેલાંથી જ ત્યાં રહેલ ભિક્ષુઓ Page #193 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય : આચારાંગ ૧૫૯ એમ કહે કે હે શ્રમણો ! આ ગામ તો ઘણું નાનું છે અથવા ઘરે ઘરે સૂતક લાગેલું છે એટલે તમે લોકો આજુબાજુના અમુક ગામમાં ભિક્ષા માટે જાવ. ત્યાં અમારા અમુક સંબંધીઓ રહે છે. તમને તેમને ત્યાંથી દૂધ, દહીં, માખણ, ઘી, ગોળ, તેલ, મધ, મદ્ય, માંસ, જલેબી, શ્રીખંડ, પૂરી વગેરે બધું મળશે. તમને જે પસંદ હોય તે લઈ લેજો. ખાઈ પી પાત્રો સાફ કરી પાછા અહીં આવી જજો. સૂત્રકાર કહે છે કે ભિક્ષુએ આ રીતે ભિક્ષા મેળવવી ન જોઈએ. અહીં જે ખાદ્ય પદાર્થોનાં નામો ગણાવવામાં આવ્યાં છે તેમાં માખણ, મધ, મઘ, અને માંસનો સમાવેશ થાય છે. આથી જણાય છે કે પ્રાચીન સમયમાં કેટલાક ભિક્ષુઓ માખણ વગેરે લેતાં હશે. અહીં માખણ, મધ, મદ્ય અને માંસ શબ્દનો બીજો કોઈ અર્થ નથી. વૃત્તિકાર પોતે જ એ બાબતમાં સ્પષ્ટીકરણ કરતાં કહે છે કે કોઈ ભિક્ષુ અતિ પ્રમાદી હોય, ખાવાપીવાનો બહુ લાલચુ હોય તો તે મધ, મદ્ય અને માંસ લઈ પણ શકે છે ઃ અથવા ઋશ્ચિત્ ગતિપ્રમાવાવષ્ટબ્ધ અત્યન્તįખુતયા મધુ-મદ્ય-માંસાનિ અપિ આયેત્ ગત: તનુપાવનમ્ (આચારાંગ-વૃત્તિ, પૃ. ૩૦૩). વૃત્તિકારે આનું અપવાદસૂત્રના રૂપમાં પણ વ્યાખ્યાન કર્યું છે. મૂળ પાઠનો સંદર્ભ જોતાં આ ઉત્સર્ગસૂત્ર જ જણાય છે, અપવાદસૂત્ર નહિ. સમ્મિલિત સામગ્રી : ભિક્ષા માટે જતાં રસ્તામાં ખાઈ, ગઢ વગેરે આવે તો તેમને ઓળંગીને આગળ ન જાય. એ જ રીતે માર્ગમાં ઉન્મત્ત સાંઢ, પાડો, ઘોડો, મનુષ્ય વગેરે હોય તો તે બાજુથી ન જાય. ભિક્ષા માટે ગયેલ જૈન ભિક્ષુ વગેરેને ભિક્ષા આપનાર ગૃહપતિ જો એમ કહે કે હે આયુષ્યમાન શ્રમણો ! હું હાલ ખાસ કામમાં રોકાયેલો છું. મેં આ બધી ભોજનસામગ્રી આપ સૌને આપી દીધી છે. તે આપ બધા ખાઈ લો અથવા અંદરોઅંદર વહેંચી લો. આવી સ્થિતિમાં તે ભોજનસામગ્રી જૈન ભિક્ષુ ન સ્વીકારે. કદાચ કારણવશ આવી સામગ્રી સ્વીકારવી પડે તો એવું ના સમજે કે દાતાએ આ બધી સામગ્રી મને એકલાને જ આપી છે અથવા મારા માટે જ પૂરતી છે. તેને આપસમાં વહેંચતી વખતે અથવા સાથે મળી ખાતી વખતે કોઈ પણ પ્રકારનો પક્ષપાત અથવા ચાલાકી ન કરે. ભિક્ષાગ્રહણનો આ નિયમ ઔત્સર્ગિક નથી પરંતુ આપવાદિક છે. વૃત્તિકા૨ અનુસાર અમુક પ્રકારના ભિક્ષુઓ માટે જ આ નિયમ છે, બધા માટે નહિ. ગ્રાહ્ય જળ : ભિક્ષુ માટે ગ્રાહ્ય પાણીના પ્રકારો આ છે : ઉત્સ્વદિમ—પીસેલી વસ્તુને ભીંજવીને રાખેલું પાણી, સંસ્વેદિમતલ વગેરે વગર પીસેલી વસ્તુઓને ધોઈને રાખેલું પાણી, તંદુલોદક—ચોખાનું ધોવણ, તિલોદક–તલનું ધોવણ, તુષોદકન્તુષનું ધોવણ, યવોદક– Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ અંગઆગમ જવનું ધોવણ, આયામ-આચારૂ–અવશ્યાન, આરનાલ-કાંજી, શુદ્ધ અચિત્ત–નિર્જીવ પાણી, આમ્રપાનક–આંબાનું પાણી, દ્રાક્ષનું પાણી, બિલાનું પાણી, આંબોળિયાનું પાણી, દાડમનું પાણી, ખજૂરનું પાણી, નાળિયેરનું પાણી, કેરનું પાણી, બોરનું પાણી, આંબળાનું પાણી, આંબલીનું પાણી વગેરે. ભિક્ષુ પકાવેલી વસ્તુ જ ભોજન માટે લઈ શકે છે, કાચી નહિ. આ વસ્તુઓમાં કંદ, મૂળ, ફળ, ફૂલ, પત્ર વગેરે બધાનો સમાવેશ થાય છે. અગ્રાહ્ય ભોજન: ક્યાંક અતિથિ માટે માંસ અથવા માછલી પકાવવામાં આવતી હોય અથવા તેલમાં પૂડલા તળવામાં આવતા હોય તો ભિક્ષુ લાલચવશ તે લેવા ન જાય. કોઈ રોગી ભિક્ષને માટે તેની જરૂર હોય તો તેમ કરવામાં કોઈ બાધ નથી. મૂળસૂત્રમાં એક જગ્યાએ એ પણ બતાવવામાં આવ્યું છે કે ભિક્ષુએ અસ્થિબહુલ અર્થાત જેમાં ઘણાં હાડકાં હોય તેવું માંસ અને કંટકબહુલ અર્થાત જેમાં ઘણાં કાંટા હોય તેવી માછલી ન લેવી જોઈએ. જો કોઈ ગૃહસ્થ એમ કહે કે આપને આવું માંસ કે માછલી જોઈએ છે? તો ભિક્ષુ કહે કે જો તમે મને આ દેવા માંગતા હો તો માત્ર પુદ્ગલભાગ આપો અને હાડકાં કે કાંટા ન આવે તેનું ધ્યાન રાખજો. આમ કહેવા છતાં પણ ગૃહસ્થ જો હાડકાંવાળું માંસ કે કાંટાવાળી માછલી આપે તો તે લઈ એકાંતમાં જઈ કોઈ નિર્દોષ સ્થળે બેસીને માંસ અને માછલી ખાઈને વધેલાં હાડકાં અને કાંટા નિર્જીવ સ્થાનમાં નાખી દે. અહીં પણ માંસ અને માછલીનો સ્પષ્ટ ઉલ્લેખ છે. વૃત્તિકારે આ વિષયમાં સ્પષ્ટીકરણ કરતાં કહ્યું છે કે આ સૂત્રને આપવાદિક સમજવું જોઈએ. કોઈ ભિક્ષુને કરોળિયા અથવા બીજો કોઈ રોગ થયો હોય અને કોઈ સારા વૈદ્ય તેના ઉપચાર માટે બહાર લગાડવા માટે માંસ વગેરેની ભલામણ કરી હોય તો ભિક્ષુ આપવાદિક રૂપે તે લઈ શકે છે. લગાવ્યા પછી બચેલાં કાંટા અને હાડકાં નિર્દોષ સ્થળે ફેંકી દેવા જોઈએ. અહીં વૃત્તિકારે મૂળમાં પ્રયુક્ત “મુન' ધાતુનો “ખાવું' અર્થ ન કરતાં “બહાર લગાડવું' અર્થ કર્યો છે. આ અર્થ સૂત્રના સંદર્ભની દૃષ્ટિએ યોગ્ય જણાતો નથી. વૃત્તિકારે પોતાના યુગના અહિંસાપ્રધાન પ્રભાવથી પ્રભાવિત થઈને જ મૂળ અર્થમાં અહીં તહીં એ પ્રકારનાં પરિવર્તનો કર્યા છે. શઐષણા : શઐષણા નામના બીજા પ્રકરણમાં કહેવામાં આવ્યું છે કે જે સ્થાનમાં ગૃહસ્થો સહકુટુંબ રહેતા હોય ત્યાં ભિક્ષુ રહી શકે નહિ કારણ કે એવા સ્થાનમાં રહેવાથી અનેક દોષો લાગે છે. ઘણી વાર એવું બને છે કે લોકોની એવી માન્યતા કે આ શ્રમણો બ્રહ્મચારી હોય છે આથી તેમના દ્વારા ઉત્પન્ન થનાર સંતાન તેજસ્વી હોય છે, આથી કોઈ સ્ત્રી Page #195 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય : આચારાંગ ૧૬૧ પોતાની પાસે રહેનારા ભિક્ષુને કામદેવના પંજામાં ફસાવી દે છે જેથી તેણે સંયમભ્રષ્ટ બનવું પડે છે. પ્રસ્તુત પ્રકરણમાં મકાનના પ્રકારો, મકાનમાલિકોના વ્યવસાયો, તેમનાં આભૂષણો, તેમનાં અલ્ટંગના સાધનો, તેમનાં સ્નાનસંબંધી દ્રવ્યો વગેરેનો ઉલ્લેખ છે. એ પરથી પ્રાચીનકાળના મકાનો અને સામાજિક વ્યવસાયોનો કંઈક પરિચય મળી શકે છે. ઈર્યાપથ : ઈર્યાપથ નામે તૃતીય અધ્યયનમાં ભિક્ષુઓના પાદ-વિહાર, નૌકારોહણ, જળપ્રવેશ વગેરેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ઈર્યાપથ શબ્દ બૌદ્ધ-પરંપરામાં પણ પ્રચલિત છે. તે અનુસાર સ્થાન, ગમન, નિષદ્યા અને શયન આ ચારનો ઈર્યાપથમાં સમાવેશ થાય છે. વિનયપિટકમાં આ વિષયમાં વિસ્તૃત વિવેચન છે. વિહાર કરતી વેળાએ બૌદ્ધ ભિક્ષુ પોતાની પરંપરાના નિયમો અનુસાર તૈયાર થઈને ચાલે છે તેનું જ નામ ઈર્યાપથ છે. બીજા શબ્દોમાં પોતાના સમસ્ત ઉપકરણો સાથે લઈને સાવધાનીપૂર્વક ગમન કરવું, શરીરના અવયવો ન હલાવવા, હાથ ન ઉછાળવા, પગ ન પછાડવાનું નામ ઈર્યાપથ છે. જૈન પરંપરામાન્ય ઈર્યાપથના નિયમો અનુસાર ભિક્ષુએ વર્ષાઋતુમાં પ્રવાસ ન કરવો જોઈએ. જ્યાં સ્વાધ્યાય, શૌચ વગેરેને માટે યોગ્ય સ્થાનો ન હોય, સંયમની સાધના માટે યોગ્ય ઉપકરણો સુલભ ન હોય, અન્ય શ્રમણો, બ્રાહ્મણો, યાચકો વગેરે મોટી સંખ્યામાં આવ્યા હોય અથવા આવનારા હોય ત્યાં ભિક્ષુએ વર્ષાવાસ ન ક૨વો જોઈએ. વર્ષાઋતુ વીતી જતાં અને હેમંતઋતુ આવી પહોંચતાં માર્ગો નિર્દોષ બની ગયા હોયજીવયુક્ત ન રહ્યાં હોય તો વિહાર કરી લેવો જોઈએ. ચાલતાં ચાલતાં પગની નીચે કોઈ જીવજંતુ જણાઈ આવે તો પગ ઊંચો રાખી ચાલવું જોઈએ, સંકોચીને ચાલવું જોઈએ, ત્રાંસો રાખીને ચાલવું જોઈએ, કોઈપણ રીતે ચાલીને તે જીવની રક્ષા કરવી જોઈએ. વિવેકપૂર્વક નીચી નજર રાખીને સામે ચાર હાથ ભૂમિ જોતાં જોતાં ચાલવું જોઈએ. વૈદિક પરંપરા અને બૌદ્ધ પરંપરાના ભિક્ષુઓ માટે પણ પ્રવાસ કરતી વેળાએ આ પ્રકારે ચાલવાની પ્રક્રિયાનું વિધાન છે. માર્ગમાં ચોરોના વિવિધ સ્થાનો, મ્લેચ્છો—બર્બર, શબર, પુલિન્દ, ભીલ વગેરેના નિવાસસ્થાનો આવે તો ભિક્ષુએ તે બાજુએ વિહાર ન કરવો જોઈએ કેમ કે તે લોકો ધર્મથી અજાણ હોય છે તથા અકાળે જમનારા, અકાળે ઘૂમનારા, અકાળે જાગનારા અને સાધુઓ પ્રત્યે દ્વેષ રાખનારા હોય છે. એ જ રીતે ભિક્ષુઓએ રાજારહિત રાજ્ય, ગણરાજ્ય (અનેક રાજાઓવાળું રાજ્ય), અલ્પવયસ્કરાજ્ય (નાની વયના રાજાનું રાજ્ય), દ્વિરાજ્ય (બે રાજાઓનું સંયુક્ત રાજ્ય) તેમજ અશાંત રાજ્ય (એકબીજાનું વિરોધી રાજ્ય) ત૨ફ પણ વિહાર ન કરવો જોઈએ કેમ કે આવા રાજ્યોમાં જવાથી સંયમની વિરાધના થવાનો ભય રહે છે. જે Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ અંગઆગમ ગામો વચ્ચે અંતર ઘણું વધુ હોય એટલે કે જ્યાં દિવસભર ચાલતા રહેવા છતાં પણ એક ગામથી બીજે ગામ પહોંચી જવાતું ન હોય તો તે તરફ વિહાર કરવાનો પણ નિષેધ કરવામાં આવ્યો છે. માર્ગમાં નદી વગેરે આવતાં તેને નૌકાની સહાયતા વિના પાર ન કરવાની સ્થિતિમાં જ ભિક્ષુ નૌકાનો ઉપયોગ કરે, નહિ તો નહિ. પાણીમાં ચાલતી વખતે અથવા નૌકા દ્વારા પાણી પાર કરતી વખતે પૂરી સાવધાની રાખે. જો બે ચાર ગાઉના ઘેરામાં જ સ્થળમાર્ગ હોય તો જળમાર્ગે જાય નહિ. નૌકામાં બેસતાં નાવિક દ્વારા કોઈ પણ પ્રકારની સેવા માંગવામાં આવે તો ન આપે પરંતુ મૌનપૂર્વક ધ્યાનપરાયણ બની રહે. કદાચ નૌકામાં બેઠેલા લોકો તેને પકડીને પાણીમાં ફેંકવા લાગે તો તે તેમને કહે કે આપ લોકો આમ ન કરો, હું પોતે જ પાણીમાં કૂદી પડું છું. છતાં પણ જો લોકો તેને પકડીને ફેંકી દે તો સમભાવપૂર્વક પાણીમાં પડી જાય અને તરતાં આવડતું હોય તો શાંતિપૂર્વક તરીને બહાર નીકળી જાય. વિહાર કરતાં માર્ગમાં ચોર મળે અને ભિક્ષને કહે કે આ કપડાં અમને આપી દો તો તે તેમને કપડાં ન આપે. છીનવીને લઈ જવાની સ્થિતિમાં લાચારી ન બતાવે કે ન કોઈ પ્રકારની ફરિયાદ પણ કરે. ભાષાપ્રયોગ : ભાષાજાત નામક ચતુર્થ અધ્યયનમાં ભિક્ષુની ભાષાનું વિવેચન છે. ભાષાના વિવિધ પ્રકારોમાંથી કયા પ્રકારની ભાષાનો પ્રયોગ ભિક્ષુએ કરવો જોઈએ, કોની સાથે કેવી ભાષા બોલવી જોઈએ, ભાષા-પ્રયોગમાં કઈ કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ–આ બધા પાસાં પર પૂરતો પ્રકાશ પાડવામાં આવ્યો છે. વસ્ત્રધારણઃ વઐષણા નામક પાંચમા પ્રકરણમાં ભિક્ષુના વસ્ત્રગ્રહણ અને વસ્ત્રધારણનો વિચાર કરવામાં આવેલ છે. જે ભિક્ષ તરુણ હોય, બળવાન હોય, રોગી ન હોય તેણે એક વસ્ત્ર ધારણ કરવું જોઈએ, બીજું નહિ. ભિક્ષુણીએ ચાર સંઘાટીઓ ધારણ કરવી જોઈએ જેમાંથી એક બે હાથ પહોળી હોય, બે ત્રણ હાથ પહોળી હોય અને એક ચાર હાથ પહોળી હોય. શ્રમણ કઈ જાતના વસ્ત્રો ધારણ કરે? જંગિય—ઊંટ વગેરેની ઊનમાંથી બનાવેલ, ભંગિય–દ્વીન્દ્રિય વગેરે પ્રાણીઓની લાળમાંથી બનાવેલ, સાણિય–શણની છાલમાંથી બનાવેલ, પોરગ તાડપત્રનાં પાંદડાંમાંથી બનાવેલ, ખોમિય–કપાસમાંથી બનાવેલ અને તૂલકડ–આકડા વગેરેનાં રૂમાંથી બનાવેલ વસ્ત્રો શ્રમણ કામમાં લઈ શકે છે. પાતળા, સોનેરી, ચમકતાં અને બહુમૂલ્ય વસ્ત્રોનો ઉપયોગ શ્રમણ માટે વર્જિત છે.. બ્રાહ્મણોના વસ્ત્રોના ઉપયોગ વિષયમાં મનુસ્મૃતિ (અ. ૨, શ્લો. ૪૦-૪૧)માં તથા બૌદ્ધ શ્રમણોના વસ્ત્રોપયોગ સંબંધમાં વિનયપિટક (પૃ. ર૭૫)માં પ્રકાશ પાડવામાં Page #197 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય આચારાંગ ૧૬૩ આવ્યો છે. બ્રાહ્મણો માટે નીચેના છ પ્રકારના વસ્ત્રો અનુમત છે : કૃષ્ણમૃગ, ૨૨. (મૃગવિશેષ) અને છાગ (બકરી)નું ચામડું, શણ, ક્ષમા (અળસી) અને મેષ (ઘેટાં)નાં રૂંવાડાંમાંથી બનાવેલ વસ્ત્ર, બૌદ્ધ શ્રમણો માટે નીચેનાં છ પ્રકારનાં વસ્ત્રો વિહિત છે : કૌશય–રેશમી વસ્ત્ર, કંબલ, કોજવ–લાંબા વાળવાળો કામળો, સૌમ–અળસીની છાલમાંથી બનાવેલ વસ્ત્ર, શાણ-શણની છાલમાંથી બનાવેલ વસ્ત્ર, ભંગ–ભાંગની છાલમાંથી બનાવેલ વસ્ત્ર. જૈન ભિક્ષુઓ માટે જંગિય વગેરે ઉપર્યુક્ત છ પ્રકારના વસ્ત્રો ગ્રાહ્ય છે. બૌદ્ધ ભિક્ષુઓ માટે બહુમૂલ્ય વસ્ત્ર ન લેવા સંબંધી કોઈ વિશેષ નિયમ નથી. જૈન શ્રમણો માટે કંબલ, કોજવ તથા બહુમૂલ્ય વસ્ત્રોના ઉપયોગનો સ્પષ્ટ નિષેધ છે. પારૈષણા: પાત્રષણા નામક છઠ્ઠા અધ્યયનમાં બતાવવામાં આવ્યું છે કે તરુણ, બળવાન અને સ્વસ્થ ભિક્ષુએ માત્ર એક પાત્ર રાખવું જોઈએ. આ પાત્ર તુંબડું, લાકડું કે માટીમાંથી બનેલું હોવું જોઈએ. બૌદ્ધ શ્રમણો માટે માટી અને લોઢાના પાત્રનો ઉપયોગ માન્ય છે, લાકડાં વગેરેનાં પાત્રનો નહિ. અવગ્રહૈષણાઃ અવગ્રહૈષણા નામે સાતમા અધ્યયનમાં અવગ્રહવિષયક વિવેચન છે. અવગ્રહ અર્થાત્ કોઈની માલિકીનું સ્થાન. નિગ્રંથ ભિક્ષુ કોઈ સ્થાનમાં રોકાતાં પહેલાં તેના સ્વામીની અનિવાર્યપણે રજા લે. એમ ન કરે તો તેને અદત્તાદાન ચોરી કરવાનો દોષ લાગે છે. મળમૂત્રવિસર્જન દ્વિતીય ચૂલિકાના ઉચ્ચાર-પ્રગ્નવણનિક્ષેપ નામક દસમા અધ્યયનમાં બતાવવામાં આવ્યું છે કે ભિક્ષુએ પોતાના ઝાડો-પેશાબ ક્યાં અને કેમ નાખવા જોઈએ. ગ્રંથની યોજના કરનારા જ્ઞાનીઓ અને અનુભવી પુરુષો એ જાણતા હતા કે જો મળમૂત્ર યોગ્ય સ્થાને નાખવામાં ન આવે તો લોકોના સ્વાથ્યની હાનિ થવાની સાથે જ અન્ય પ્રાણીઓને કષ્ટ પહોંચે અને જીવહિંસામાં વૃદ્ધિ થાય. જયાં અને કેવી રીતે નાખવાથી કોઈ પણ પ્રાણીના જીવનની વિરાધનાની આશંકા હોય ત્યાં અને તે પ્રકારે ભિક્ષુએ મળમૂત્ર વગેરે ન નાખવું જોઈએ. શબ્દશ્રવણ અને રૂપદર્શનઃ આગળના બે અધ્યયનોમાં બતાવવામાં આવ્યું છે કે કોઈપણ પ્રકારના મધુર શબ્દો સાંભળવાની ભાવનાથી અથવા કર્કશ શબ્દ ન સાંભળવાની ઈચ્છાથી ભિક્ષુએ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ અંગઆગમ ગમનાગમન ન કરવું જોઈએ. છતાં પણ જો તેવા શબ્દો સાંભળવા જ પડે તો સમભાવપૂર્વક સાંભળવા અને સહન કરવા જોઈએ. આ જ વાત મનોહર અને અમનોહર રૂપ વગેરેના વિષયમાં પણ લાગુ પડે છે. આ અધ્યયનોમાં સૂત્રકારે વિવિધ પ્રકારના શબ્દો અને રૂપો ઉપર પ્રકાશ પાડ્યો છે. પરક્રિયાનિષેધઃ આ પછીના આગળના બે અધ્યયનોમાં ભિક્ષુ માટે પરક્રિયા અર્થાત્ બીજી કોઈ વ્યક્તિ દ્વારા તેના શરીર પર કરવામાં આવનારી કોઈપણ પ્રકારની ક્રિયા, જેમ કે શૃંગાર, ઉપચાર વગેરે સ્વીકાર કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે. એ જ રીતે ભિક્ષ. ભિક્ષુ વચ્ચે અથવા ભિક્ષુણી-ભિક્ષુણી વચ્ચેની પરક્રિયા પણ નિષિદ્ધ છે. મહાવીર-ચરિતઃ ભાવના નામે તૃતીય ચૂલિકામાં ભગવાન મહાવીરનું ચરિત્ર છે. તેમાં ભગવાનનું સ્વર્ગમાંથી ચ્યવન, ગર્ભાપહાર, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ વર્ણિત છે. અષાઢ શુક્લ પછીના દિવસે હસ્તોત્તરા નક્ષત્રમાં ભારતવર્ષના દક્ષિણ બ્રાહ્મણકુંડપુર ગ્રામમાં ભગવાન સ્વર્ગમાંથી મૃત્યુલોકમાં અવતર્યા. ત્યારપછી ભગવાનનાહિતાનુકંપક દેવે તેમના ગર્ભને આશ્વિન કૃષ્ણા ત્રયોદશીના દિવસે હસ્તોત્તરા નક્ષત્રમાં ઉત્તર ક્ષત્રિયકુંડપુર ગ્રામમાં રહેનારા જ્ઞાત ક્ષત્રિય કાશ્યપગોત્રીય સિદ્ધાર્થની વાસિગોત્રીય ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં ફેરવ્યો અને ત્રિશલાના ગર્ભને દક્ષિણ બ્રાહ્મણકુંડપુર ગામમાં રહેનારી જાલંધરગોત્રીયા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ફેરવ્યો. તે સમયે મહાવીર ત્રણ જ્ઞાનયુક્ત હતા. નવ મહિના અને સાડાસાત દિવસ વીત્યા પછી ચૈત્ર શુક્લા ત્રયોદશીના દિવસે હસ્તોત્તરા નક્ષત્રમાં ભગવાનનો જન્મ થયો. જે રાત્રિએ ભગવાન જન્મ્યા તે રાત્રિએ ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો તથા દેવીઓ તેમના જન્મસ્થાન પર આવ્યા. દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો. દેવોએ અમૃતની તથા અન્ય સુગંધિત પદાર્થો અને રત્નોની વર્ષા કરી. ભગવાનનું સૂતિકર્મદેવદેવીઓએ કર્યું. ભગવાન ત્રિશલાના ગર્ભમાં આવ્યા પછી સિદ્ધાર્થનું ઘર ધન, સુવર્ણ વગેરેથી ભરાવા લાગ્યું. આથી માતા-પિતાએ જાતિભોજન કરાવી ખૂબ ધૂમધામ સાથે ભગવાનનું વર્ધમાન એવું નામ રાખ્યું. ભગવાન પાંચ પ્રકારના અર્થાત્ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધમય કામભોગોનો ભોગ કરતા ઉછરવા લાગ્યા. ભગવાનનાં ત્રણ નામ હતાં : વર્ધમાન, શ્રમણ અને મહાવીર. તેમના પિતાનાં પણ ત્રણ નામ હતાં : સિદ્ધાર્થ, શ્રેયાંસ અને સંસ. માતાનાં પણ ત્રણ નામ હતાં : ત્રિશલા, વિદેહદત્તા અને પ્રિયકારિણી. તેમના પિતૃવ્ય એટલે કે કાકાનું નામ સુપાર્શ્વ, મોટા ભાઈનું નામ Page #199 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય આચારાંગ ૧૬૫ નંદિવર્ધન, મોટી બહેનનું નામ સુદર્શના અને પત્નીનું નામ યશોદા હતું. તેમની પુત્રીનાં બે નામ હતાં : અનવદ્યા અને પ્રિયદર્શના. તેમની દૌહિત્રીનાં પણ બે નામ હતાં : શેષવતી અને યશોમતી. તેમના માતા-પિતા પાર્વાપત્ય એટલે કે પાર્શ્વનાથના અનુયાયી હતા. તે બંને શ્રાવકધર્મનું પાલન કરતા હતા. મહાવીરે ત્રીસ વર્ષ સુધી સાગારાવસ્થામાં રહીને માતા-પિતાના સ્વર્ગવાસ પછી પોતાની પ્રતિજ્ઞા પૂરી થતાં સમસ્ત રિદ્ધિ-સિદ્ધિનો ત્યાગ કરીને પોતાની સંપત્તિ લોકોમાં વહેંચી દઈને હેમંત ઋતુની મૃગશીર્ષ–માગશર કૃષ્ણા દશમીના દિવસે હસ્તોત્તરા નક્ષત્રમાં અણગારવૃત્તિ સ્વીકારી. તે સમયે લોકાંતિક દેવોએ આવીને ભગવાન મહાવીરને કહ્યું કે હે ભગવન્! સમસ્ત જીવોના હિતરૂપ તીર્થનું પ્રવર્તન કરો. ત્યારબાદ ચારે પ્રકારના દેવોએ આવી તેમનો દીક્ષા-મહોત્સવ કર્યો. તેમને શરીર ઉપર અને શરીરના નીચેના ભાગે ફૂંક મારતાં જ ઊડી જાય તેવું પારદર્શક હંસલક્ષણ વસ્ત્ર પહેરાવ્યું, આભૂષણો પહેરાવ્યાં અને પાલખીમાં બેસાડી અભિનિષ્ક્રમણ ઉત્સવ કર્યો. ભગવાન પાલખીમાં સિંહાસન પર બેઠા. તેમની બંને બાજુએ શક્ર અને ઇશાન ઇન્દ્રો ઊભા ઊભા ચામર ઢાળતા હતા. પાલખીનો અગ્રભાગ એટલે કે પૂર્વભાગ સૂરોએ, દક્ષિણ ભાગ અસૂરોએ, પશ્ચિમ ભાગ ગરુડોએ અને ઉત્તર ભાગ નાગોએ ઉઠાવ્યો. ઉત્તર ક્ષત્રિયકુડપુરની વચ્ચોવચ્ચ થઈને ભગવાન જ્ઞાતખંડ નામના ઉદ્યાનમાં આવ્યા. પાલખીમાંથી ઉતરીને બધાં આભૂષણો કાઢી નાખ્યાં. પછી ભગવાનની પાસે ઘૂંટણિયે પડેલા વૈશ્રમણ દેવોએ હંસલક્ષણ કપડાંમાં તે આભૂષણો લઈ લીધાં. ત્યારપછી ભગવાને પોતાના જમણા હાથ વડે મસ્તકની જમણી બાજુ અને ડાબા હાથે ડાબી બાજુના વાળનો લોચ કર્યો. ઇન્દ્ર ભગવાન પાસે ઘૂંટણિયે બેસી વજમય થાળમાં તે વાળ લઈ લીધા અને ભગવાનની અનુમતિથી ક્ષીરસમુદ્રમાં પધરાવ્યા. ત્યારબાદ ભગવાને સિદ્ધોને નમસ્કાર કરી, “સબં મે અરનિં પવિખં' એટલે કે મારા માટે બધા પ્રકારના પાપકર્મો અકરણીય છે એવી જાતના સામાયિક ચારિત્રનો સ્વીકાર કર્યો. જે સમયે ભગવાને આ ચારિત્ર સ્વીકાર્યું તે સમયે દેવસભા અને મનુષ્યસભા ચિત્રની જેમ સ્થિર અને શાંત થઈ ગઈ. ઈન્દ્રની આજ્ઞાથી વાગતા દિવ્ય વાદ્યો શાંત થઈ ગયાં. ભગવાન દ્વારા ઉચ્ચરિત ચારિત્રગ્રહણના શબ્દો બધાએ શાંતભાવે સાંભળ્યા. ક્ષાયોપથમિક ચારિત્ર સ્વીકાર કરનારા ભગવાનને મન:પર્યાયજ્ઞાન ઉત્પન્ન થયું. તે જ્ઞાન દ્વારા તેઓ અઢી દ્વીપમાં રહેલા વ્યક્ત મનવાળા સમસ્ત પંચેન્દ્રિય ૧. જયેષ્ઠ ભગિની અને પુત્રીનાં નામોમાં કંઈક ગરબડ થયેલી જણાય છે. વિશેષાવશ્યકભાષ્યકારે (ગાથા ૨૩૦૭) મહાવીરની પુત્રીનું નામ જયેષ્ઠા, સુદર્શન અને અનવઘાંગી બતાવ્યું છે, જ્યારે આચારાંગમાં મહાવીરની બહેનનું નામ સુદર્શન તથા પુત્રીનું નામ અનવદ્યા અને પ્રિયદર્શના બતાવવામાં આવેલ છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ અંગઆગમ પ્રાણીઓના મનોગત ભાવો જાણવા લાગ્યા. ત્યારબાદ દીક્ષિત બનેલા ભગવાનને તેમના મિત્રજનો, જ્ઞાતિજનો, સ્વજનો અને સંબંધીજનોએ વિદાય આપી. વિદાય લીધા બાદ ભગવાન મહાવીરે એવી પ્રતિજ્ઞા કરી કે આજથી બાર વર્ષ સુધી શરીરની ચિંતા ન કરતાં દેવ, માનવ, પશુ અને પક્ષીકૃત સમસ્ત ઉપસર્ગોને હું સમભાવપૂર્વક સહન કરીશ, ક્ષમાપૂર્વક સહન કરીશ. આવી પ્રતિજ્ઞા લઈ તેઓ મૂહુર્તમાત્ર દિવસ બાકી રહ્યો ત્યારે ઉત્તર ક્ષત્રિયકુંડપુરથી નીકળી કમ્પારગ્રામ પહોંચ્યા. ત્યારપછી શરીરની કોઈપણ પ્રકારની પરવા ન કરતાં મહાવીર ઉત્તમ સંયમ, તપ, બ્રહ્મચર્ય, ક્ષમા, ત્યાગ અને સંતોષપૂર્વક પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓનું પાલન કરતાં, પોતાના આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા તથા આવનારા ઉપસર્ગોને શાંતિપૂર્વક પ્રસન્નચિત્તે સહન કરવા લાગ્યા. આ રીતે ભગવાને બાર વર્ષ પસાર કર્યા. તેરમું વર્ષ શરૂ થતાં વૈશાખ શુક્લા દસમીના દિવસે છાયા પૂર્વ દિશા તરફ ફરતાં અર્થાત્ અપરાહ્નકાળમાં જે સમયે મહાવીર જૈભિયગ્રામની બહાર ઉજુવાલિયા નામની નદીના ઉત્તર કિનારે શ્યામાક નામના ગૃહપતિના ખેતરમાં વ્યાવૃત્ત નામક ચૈત્યની પાસે ગોદોહાસનમાં બેસીને આતાપના લઈ રહ્યા હતા, બે ઉપવાસ ધારણ કરેલ હતા, માથુ નીચે રાખી બંને ઘૂંટણો ઊંચા કરી ધ્યાનમાં લીન હતા, તે સમયે તેમને અનંત–પ્રતિપૂર્ણસમગ્ર નિરાવરણ કેવલજ્ઞાન-દર્શન થયું. હવે ભગવાન અહ–જિન થયા, કેવલી–સર્વજ્ઞ–સર્વભાવદર્શી થયા. દેવ, મનુષ્ય અને અસુરલોક પર્યાયોના જ્ઞાતા થયા. આગમન, ગમન, સ્થિતિ, ચ્યવન, ઉપપાત, પ્રકટ, ગુપ્ત, કથિત, અકથિત વગેરે સમસ્ત ક્રિયાઓ અને ભાવોના દૃા થયા, જ્ઞાતા થયા. જે સમયે ભગવાન કેવલી, સર્વજ્ઞ, સર્વદર્શી થયા તે સમયે ભવનપતિ વગેરે ચારે પ્રકારના દેવો અને દેવીઓએ આવીને મોટો ઉત્સવ કર્યો. ભગવાને પોતાના આત્મા તથા લોકને સંપૂર્ણપણે જોઈને પહેલાં દેવોને અને પછી મનુષ્યોને ધર્મોપદેશ આપ્યો. ત્યારબાદ ગૌતમ વગેરે શ્રમણ-નિગ્રંથોને ભાવનાયુક્ત પાંચ મહાવ્રતો તથા છ જવનિકાયોનું સ્વરૂપ સમજાવ્યું. ભાવના નામે પ્રસ્તુત ચૂલિકામાં આ પાંચ મહાવ્રતોનું સ્વરૂપ વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું છે. સાથે જ પ્રત્યેક વ્રતની પાંચ પાંચ ભાવનાઓનું સ્વરૂપ પણ બતાવવામાં આવ્યું છે. મમત્વમુક્તિઃ અંતમાં વિમુક્તિ નામક ચતુર્થ ચૂલિકામાં મમત્વમૂલક આરંભ અને પરિગ્રહના ફળોની મીમાંસા કરતાં ભિક્ષુને તેમનાથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે. તેણે પર્વતની માફક નિશ્ચળ અને દઢ રહીને સર્પની કાંચળીની જેમ મમત્વને ઉતારીને ફેંકી દેવું Page #201 -------------------------------------------------------------------------- ________________ અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય: આચારાંગ ૧૬૭ જોઈએ. વીતરાગતા અને સર્વજ્ઞતાઃ પાતંજલ યોગસૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે અમુક ભૂમિકા પર પહોંચેલા સાધકને કેવળજ્ઞાન થાય છે અને તે તે જ્ઞાન દ્વારા સમસ્ત પદાર્થો તથા સમસ્ત ઘટનાઓને જાણી લે છે. આ પરિભાષા અનુસાર ભગવાન મહાવીરને પણ કેવલી, સર્વજ્ઞ અથવા સર્વદર્શી કહી શકાય. પરંતુ સાધક-જીવનમાં પ્રધાનતા અને મહત્તા કેવળજ્ઞાન-કેવળદર્શનની નથી પરંતુ વીતરાગતા, વીતમોહતા, નિરાગ્નવતા, નિષ્કષાયતાની છે. વીતરાગતાની દૃષ્ટિએ જ આચાર્ય હરિભદ્ર કપિલ અને સુગતને પણ સર્વજ્ઞના રૂપમાં સ્વીકાર્યા છે. ભગવાન મહાવીરને જ સર્વજ્ઞ માનવા અને કોઈ બીજાને સર્વજ્ઞ ન માનવા તે ઠીક નથી. જેમાં વીતરાગતા હોય તે બધા સર્વજ્ઞ છે–તેમનું જ્ઞાન નિર્દોષ છે. જેમાં સરાગતા છે તે અલ્પજ્ઞ છે તેનું જ્ઞાન સદોષ છે. આ પ્રમાણે આચારાંગની સમીક્ષા પૂરી કર્યા પછી હવે દ્વિતીય અંગ સૂત્રકૃતાંગની સમીક્ષાનો પ્રારંભ થાય છે. આ અંગસૂત્ર અને આગળના અન્ય અંગસૂત્રોની સમીક્ષા જેટલા વિસ્તારથી આચારાંગની સમીક્ષા થઈ તેટલા વિસ્તારથી થઈ શકશે નહિ અને એવો કોઈ નિશ્ચિત વિવેચના-ક્રમ પણ રાખી શકાશે નહિ. Page #202 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ સૂત્રકૃતાંગ સૂત્રકૃતની રચના નિયતિવાદ અને આજીવિક સંપ્રદાય સાંખ્યમત અજ્ઞાનવાદ કર્મચયવાદ બુદ્ધનું શુકરમાંસ-ભક્ષણ હિંસાનો હેતુ જગત-કર્તવ સંયમ ધર્મ વેયાલિયા ઉપસર્ગ સ્ત્રી-પરિજ્ઞા નરક-વિભક્તિ વીરસવ કુશીલ વીર્ય અર્થાત્ પરાક્રમ ધર્મ સમાધિ માર્ગ સમવસરણ યથાતથ્ય ગ્રંથ અર્થાત્ પરિગ્રહ આદાન અથવા આદાનીય ગાથા બ્રાહ્મણ, શ્રમણ, ભિક્ષુ અને નિગ્રંથ Page #203 -------------------------------------------------------------------------- ________________ સાત મહાઅધ્યયનો પંડરીક ક્રિયાસ્થાન બૌદ્ધ દૃષ્ટિએ હિંસા આહારપરિજ્ઞા પ્રત્યાખ્યાન આચારત આદ્રકુમાર - નાલંદા ઉદક પેઢાલપુર Page #204 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકરણ સૂત્રકૃતાંગ સમવાયાંગસૂત્રમાં સૂત્રકૃતાંગ'નો પરિચય આપતી વખતે કહેવામાં આવ્યું છે કે આમાં સ્વસમય—સ્વમત, પરસમય—પરમત, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ વગેરે તત્ત્વોના વિષયમાં નિર્દેશ છે, નવદીક્ષિતો માટે બોધવચનો છે, એકસો એંસી ક્રિયાવાદી મતો, ચોરાશી અક્રિયાવાદી મતો, સડસઠ અજ્ઞાનવાદી મતો અને બત્રીસ વિનયવાદી મતો એ રીતે બધું મળી ત્રણસો ત્રેસઠ અન્ય દૃષ્ટિઓ એટલે કે અન્યયૂથિક મતોની ચર્ચા છે. આમાં સદૃષ્ટાંત વર્ણિત સૂત્રાર્થો મોક્ષમાર્ગના પ્રકાશક છે. સૂત્રકૃતાંગના આ સામાન્ય વિષયવર્ણનની સાથે સાથે સમવાયાંગ (૨૩મો સમવાય)માં આના ત્રેવીસ અધ્યયનોનાં વિશેષ નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ જ રીતે શ્રમણસૂત્રમાં પણ આ અંગનાં ત્રેવીસ અધ્યયનોનો નિર્દેશ છે—પ્રથમ શ્રુતસ્કંધમાં સોળ અને દ્વિતીય શ્રુતસ્કંધમાં સાત. આનાં અધ્યયનોનાં નામો આપવામાં આવ્યાં નથી. ૧.(અ) નિર્યુક્તિ તથા શીલાંકની ટીકા સાથે—આગમોદય સમિતિ, મુંબઈ, ઈ.સ. ૧૯૧૭; ગોડીપાર્શ્વ જૈન ગ્રંથમાળા, મુંબઈ, ઈ.સ. ૧૯૫૦. (આ) શીલાંક, હર્ષકુલ અને પાર્શ્વચંદ્રની ટીકાઓ સાથે—ધનપતસિંહ, કલકત્તા, વિ.સં. ૧૯૩૬. (ઇ) અંગ્રેજી અનુવાદ–H. Jacobi, S.B.E. Series, Vol. 45, Oxford, 1895. (ઈ) હિંદી છાયાનુવાદ—ગોપાલદાસ જીવાભાઈ પટેલ, શ્વે. સ્થા. જૈન કોન્ફરન્સ, મુંબઈ, ઈ.સ. ૧૯૩૮. (ઉ) હિંદી અનુવાદ સહિત—અમોલક ઋષિ, હૈદરાબાદ, વી.સં. ૨૪૪૬ (ઊ) નિર્યુક્તિસહિત–પી.એલ. વૈદ્ય, પૂના, ઈ.સ.૧૯૨૮. (ઋ) ગુજરાતી છાયાનુવાદ–ગોપાલદાસ જીવાભાઈ પટેલ, પૂંજાભાઈ જૈન ગ્રંથમાલા, અમદાવાદ. (એ) પ્રથમ શ્રુતસ્કંધ, શીલાંકકૃત ટીકા અને તેના હિંદી અનુવાદ સાથે—અંબિકાદત્ત ઓઝા, મહાવીર જૈન જ્ઞાનોદય સોસાયટી, રાજકોટ, વિ. સં. ૧૯૯૩-૯૫; દ્વિતીય શ્રુતસ્કંધ હિંદી અનુવાદસહિત—અંબિકાદત્ત ઓઝા, બેંગ્લોર, વિ.સં.૧૯૯૭, Page #205 -------------------------------------------------------------------------- ________________ સૂત્રકૃતાંગ ૧૭૧ નંદિસૂત્રમાં બતાવવામાં આવ્યું છે કે સૂત્રકૃતાંગમાં લોક, અલોક, લોકાલોક, જીવ, અજીવ, સ્વસમય અને પરસમયનું નિરૂપણ છે તથા ક્રિયાવાદી વગેરે ત્રણસો ત્રેસઠ પાખંડીઓ એટલે કે અન્ય મતાવલંબીઓની ચર્ચા છે. રાજવાર્તિક અનુસાર સૂત્રકૃતાંગમાં જ્ઞાન, વિનય, કથ્ય તથા અકથ્યનું વિવેચન છે; છેદોપસ્થાપના, વ્યવહારધર્મ તેમ જ ક્રિયાઓનું પ્રકરણ છે. ધવલા અનુસાર સૂત્રકૃતાંગનું વિષયનિરૂપણ રાજવાર્તિકની જેવું જ છે. તેમાં સ્વસમય અને પરસમયનો વિશેષ ઉલ્લેખ છે. જયધવલામાં કહેવામાં આવ્યું છે કે સૂત્રકૃતાંગમાં સ્વસમય, પરસમય, સ્ત્રીપરિણામ, ક્લીનતા, અસ્પષ્ટતા–મનની વાતોની અસ્પષ્ટતા, કામાવેશ, વિભ્રમ, આસ્ફાલનસુખ-સ્ત્રીસંગનું સુખ, પુંસ્કામિતા–પુરુષેચ્છા વગેરેની ચર્ચા છે. અંગપણત્તિમાં બતાવવામાં આવ્યું છે કે સૂત્રકૃતાંગમાં જ્ઞાન, વિનય, નિર્વિઘ્ન અધ્યયન, સર્વસતક્રિયા, પ્રજ્ઞાપના, સુકથા, કવ્ય, વ્યવહાર, ધર્મક્રિયા, છેદોપસ્થાપન, યતિસમય, પરસમય તથા ક્રિયાભેદનું નિરૂપણ છે. પ્રતિક્રમણગ્રંથત્રયી નામક પુસ્તકમાં “તેવીસાણ સુડગાળેલું' એવો ઉલ્લેખ છે, જેનો અર્થ થાય છે કે સૂત્રકૃતનાં ત્રેવીસ અધ્યયનો છે. આ પાઠની પ્રભાચંદ્રીય વૃત્તિમાં આ ત્રેવીસ અધ્યયનોનાં નામ પણ ગણાવવામાં આવ્યાં છે. તે નામો આ પ્રમાણે છે:- ૧. સમય, ૨. વૈતાલીય, ૩. ઉપસર્ગ, ૪. સ્ત્રીપરિણામ, ૫. નરક, ૬. વીરસ્તુતિ, ૭. કુશીલપરિભાષા, ૮. વીર્ય, ૯. ધર્મ, ૧૦. અગ્ર, ૧૧. માર્ગ, ૧૨. સમવસરણ, ૧૩. ત્રિકાલગ્રંથહિદ (?), ૧૪. આત્મા, ૧૫. તદિત્યગાથા(?), ૧૬. પુંડરીક, ૧૭. ક્રિયાસ્થાન, ૧૮. આહારકપરિણામ, ૧૯, પ્રત્યાખ્યાન, ૨૦. અનગારગુણકીર્તિ, ૨૧. શ્રુત, ૨૨. અર્થ, ૨૩. નાલંદા. આ રીતે અચેલક પરંપરામાં પણ સૂત્રકૃતાંગનાં ત્રેવીસ અધ્યયનો માન્ય છે. આ નામો અને સચેલક પરંપરાના ટીકાગ્રંથ આવશ્યકવૃત્તિ (પૃ. ૬૫૧ અને ૬૫૮)માં પ્રાપ્ત નામોમાં થોડુંક અંતર છે, જે નગણ્ય છે. અચેલક પરંપરામાં આ અંગનાં પ્રાકૃતમાં ત્રણ નામો મળે છે. સુર્ય, સૂયઃ અને સૂય. આ બધામાં પ્રયુક્ત “સુદ્' અથવા ‘સૂર’ શબ્દ સૂત્ર'નો અને “ય અથવા શબ્દ “ત’નો સૂચક છે. આ અંગના પ્રાકૃત નામોનું સંસ્કૃત રૂપાંતર “સૂત્રકૃત' જ પ્રસિદ્ધ છે. પૂજ્યપાદસ્વામીથી લઈ શ્રુતસાગર સુધીના બધા તત્ત્વાર્થવૃત્તિકારોએ સૂત્રકૃત” નામનો જ ઉલ્લેખ કર્યો છે. સચેલક પરંપરામાં આને માટે સૂતHડ, સૂયાડ અને સુરક્ષ – આ ત્રણેય પ્રાકૃત નામો પ્રસિદ્ધ છે. તેમનું સંસ્કૃત રૂપાંતર પણ હરિભદ્ર Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ અંગઆગમ વગેરે આચાર્યોએ “સૂત્રત જ આપ્યું છે. પ્રાકૃતમાં પણ નામ તો એક જ છે પરંતુ ઉચ્ચારણ તથા વ્યંજનવિકારની વિવિધતાને કારણે તેનાં રૂપોમાં વિશેષતા આવી ગઈ છે. અર્થબોધક સંક્ષિપ્ત શબ્દરચનાને “સૂત્ર' કહે છે. એ રીતની રચના જેમાં “કૃત” અર્થાત્ કરવામાં આવી છે તે સૂત્રકૃત છે. સમવાયાંગ વગેરેમાં નિર્દિષ્ટ વિષયો અથવા અધ્યયનોમાંથી સૂત્રકૃતાંગની ઉપલબ્ધ વાચનામાં સ્વમત તથા પરમતની ચર્ચા પ્રથમ શ્રુતસ્કંધમાં સંક્ષેપમાં અને દ્વિતીય શ્રુતસ્કંધમાં સ્પષ્ટરૂપે આવે છે. તેમાં જીવવિષયક નિરૂપણ પણ સ્પષ્ટ છે. નવદીક્ષિતોને માટે ઉપદેશપ્રદ બોધવચનો પણ વર્તમાન વાચનામાં સ્પષ્ટપણે મળે છે. ત્રણસો ત્રેસઠ પાખંડ મતોની ચર્ચા માટે આ સૂત્રમાં એક આખું અધ્યયન જ આપેલ છે. અન્યત્ર પણ પ્રસંગવશ ભૂતવાદી, સ્કંધવાદી, એકાત્મવાદી, નિયતિવાદી વગેરે મતાવલંબીઓની ચર્ચા આવે છે. જગતની રચનાના વિવિધ વાદોની ચર્ચા તથા મોક્ષમાર્ગનું નિરૂપણ પણ પ્રસ્તુત વાચનામાં ઉપલબ્ધ છે. અહીંતહીં જ્ઞાન, આગ્નવ, પુણ્ય-પાપ વગેરે વિષયોનું નિરૂપણ પણ આમાં છે. મધ્યઅકથ્ય વિષયક શ્રમણ સંબંધી આચાર-વ્યવહારની ચર્ચા માટે પણ વર્તમાન વાચનામાં અનેક ગાથાઓ તથા વિશેષ પ્રકરણો ઉપલબ્ધ છે. ધર્મ તેમ જ ક્રિયાસ્થાન નામક વિશેષ અધ્યયન પણ મોજુદ છે. જયધવલોક્ત સ્ત્રીપરિણામથી લઈ પુસ્કામિતા સુધીના બધા વિષયો ઉપસર્ગપરિજ્ઞા તથા સ્ત્રીપરિજ્ઞા નામે અધ્યયનોમાં સ્પષ્ટપણે ઉપલબ્ધ છે. આ રીતે અચલક તથા સચેલક ગ્રંથોમાં નિર્દિષ્ટ સૂત્રકૃતાંગના વિષયો અધિકાંશપણે વર્તમાન વાચનામાં વિદ્યમાન છે. એટલું જરૂર કહી શકાય કે કોઈ વિષયનું નિરૂપણ પ્રધાનપણે છે તો કોઈનું ગૌણપણે. સૂત્રકૃતની રચનાઃ સૂત્રકૃતાંગનાં ત્રેવીસ અધ્યયનોમાંથી પ્રથમ અધ્યયનનું નામ સમય છે. “સમય” શબ્દ સિદ્ધાંતનો સૂચક છે. આ અધ્યયનમાં સ્વસિદ્ધાંતના નિરૂપણની સાથે સાથે જ પરમતનું પણ નિરસનની દૃષ્ટિએ નિરૂપણ કરવામાં આવ્યું છે. આનો પ્રારંભ “લ્ફિન્ન શબ્દથી શરૂ થતાં પદ્યથી થાય છે. बुज्झिज्ज त्ति तिउट्टिज्जा बंधणं परिजाणिया । किमाह बंधणं वीरो किं वा जाणं तिउट्टइ ॥ આ ગાથાના ઉત્તરાર્ધમાં પ્રશ્ન છે કે ભગવાન મહાવીરે બંધન કોને કહ્યું છે? આ પ્રશ્નના ઉત્તરરૂપે આ આખા દ્વિતીય અંગની રચના થઈ છે. નિર્યુક્તિકાર કહે છે કે જિનવરનું વચન સાંભળી પોતાના ક્ષયોપશમ દ્વારા શુભ અભિપ્રાયપૂર્વક ગણધરોએ ‘સૂત્રની રચના કૃત' એટલે કે કરી તેનું નામ સૂત્રકૃત છે. આ સૂત્ર અનેક યોગંધર Page #207 -------------------------------------------------------------------------- ________________ સૂત્રકૃતાંગ ૧૭૩ સાધુઓને સ્વાભાવિક ભાષા અર્થાત્ પ્રાકૃત ભાષામાં પ્રભાષિત અર્થાત્ કહેવામાં આવેલું છે.' આ રીતે નિર્યુક્તિકારે ગ્રંથકાર રૂપે કોઈ વિશેષ વ્યક્તિનું નામ બતાવ્યું નથી. વક્તારૂપે જિનવરનો તથા શ્રોતારૂપે ગણધરોનો નિર્દેશ કર્યો છે. ચૂર્ણિકાર તથા વૃત્તિકારે પોતાની પૂર્વપરંપરાનું અનુસરણ કરતાં વક્તારૂપે સુધર્માનો અને શ્રોતારૂપે જંબૂનો નામોલ્લેખ કર્યો છે. આ ગ્રંથમાં બુદ્ધના મતના ઉલ્લેખની સાથે બુદ્ધનું નામ પણ સ્પષ્ટ આવે છે અને બુદ્ધોપદિષ્ટ એક રૂપકકથાનો પણ અત્યંત સ્પષ્ટ ઉલ્લેખ છે. આનાથી કલ્પના કરી શકાય છે કે જ્યારે બૌદ્ધ પિટકોના સંકલન માટે સંગીતિકાઓ થઈ, તેમની વાચના નિશ્ચિત થઈ તથા બુદ્ધના વિચારો લિપિબદ્ધ થયા તે કાળ આ સૂત્રના નિર્માણનો કાળ રહ્યો હશે. આચારાંગમાં પણ અન્ય મતોનો નિર્દેશ છે પરંતુ એતદ્વિષયક જેવો ઉલ્લેખ સૂત્રકૃતાંગમાં છે તેવો આચારાંગમાં નથી. સૂત્રકૃતાંગમાં આ મતમતાંતરોનું નિરસન “આ મતો મિથ્યા છે, આ મતપ્રવર્તકો આરંભી છે, પ્રમાદી છે, વિષયાસક્ત છે” વગેરે શબ્દો દ્વારા કરવામાં આવેલ છે. એ માટે કોઈ વિશેષ પ્રકારની તર્કશૈલીનો પ્રયોગ ઘણુંખરું નથી થયો. નિયતિવાદ અને આજીવિક સંપ્રદાયઃ સૂત્રકૃતાંગના પ્રથમ અધ્યયનના દ્વિતીય ઉદ્દેશકના પ્રારંભમાં નિયતિવાદનો ઉલ્લેખ છે. ત્યાં મૂળમાં આ મતના પુરસ્કર્તા ગોશાલકનું ક્યાંય પણ નામ નથી. ઉપાસકદશા નામક સપ્તમ અંગમાં ગોશાલક તથા તેના મત નિયતિવાદનો સ્પષ્ટ ઉલ્લેખ છે. તેમાં બતાવવામાં આવ્યું છે કે ગોશાલકના મત અનુસાર બળ, વીર્ય, ઉત્થાન, કર્મ વગેરે કંઈ નથી. બધા ભાવો હંમેશ માટે નિયત છે. બૌદ્ધ ગ્રંથ દીઘનિકાય, મઝિમનિકાય, સંયુત્તનિકાય, અંગુત્તરનિકાય વગેરેમાં તથા જૈન ગ્રંથ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, સ્થાનાંગ, સમવાયાંગ, ઔપપાતિક વગેરેમાં પણ આજીવિકા મત-પ્રવર્તક નિયતિવાદી ગોશાલકનું (નામપૂર્વક અથવા નામરહિત) વર્ણન મળે છે. આ વર્ણનનો સાર એ છે કે ગોશાલકે એક વિશિષ્ટ પંથ-પ્રવર્તક તરીકે સારી એવી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. તે ખાસ કરીને શ્રાવસ્તીની પોતાની અનુયાયી હાલા નામક કુંભારણને ત્યાં એ જ નગરીના આજીવિક મઠમાં રહેતો હતો. ગોશાલકનો આજીવિક સંપ્રદાય રાજમાન્ય પણ થયો. પ્રિયદર્શી રાજા અશોક અને તેના ઉત્તરાધિકારી મહારાજા દશરથે આજીવિક સંપ્રદાયને દાન આપ્યું હતું, એવો ઉલ્લેખ શિલાલેખોમાં આજ પણ મળે છે. બૌદ્ધ ગ્રંથ મહાવંશની ટીકામાં એમ બતાવવામાં આવ્યું છે કે અશોકનો પિતા બિંદુસાર પણ આજીવિક ૧. સૂત્રકૃતાંગ નિર્યુક્તિ, ગા. ૧૮-૧૯. છે. જુઓ–સદાલપુત્ત અને કુંડકોલિયસંબંધી પ્રકરણ . Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ અંગઆગમ સંપ્રદાયનો આદર કરતો હતો. છઠ્ઠી શતાબ્દીમાં થયેલા વરાહમિહિરના ગ્રંથમાં પણ આજીવિક ભિક્ષુઓનો ઉલ્લેખ છે. પછીથી આ સંપ્રદાયનો ધીરે ધીરે ધ્રાસ થતો ગયો અને અંતે કોઈ બીજા ભારતીય સંપ્રદાયમાં તે વિલીન થઈ ગયો. પછી તો ત્યાં સુધી બન્યું કે આજીવિક સંપ્રદાય, ઐરાશિકમત અને દિગંબર પરંપરા–આ ત્રણેય વચ્ચે કોઈ ભેદ જ ન રહ્યો. શીલાંકદેવ અને અભયદેવ જેવા વિદ્વાન વૃત્તિકારો સુદ્ધાં તેમની ભિન્નતા બતાવી શક્યા નહિ. કોશકાર હલાયુ (દસમી શતાબ્દી) આ ત્રણેને પર્યાયવાચી માન્યા છે. દક્ષિણના તેરમી શતાબ્દીના કેટલાક શિલાલેખોમાં આ ત્રણેય અભિન્ન રૂપે ઉલ્લેખાયા છે. સાંખ્યમતઃ પ્રસ્તુત સૂત્રમાં અનેક મત-મતાંતરોની ચર્ચા આવે છે. તેમના પુરસ્કર્તાઓના વિષયમાં નામપૂર્વક કોઈ ખાસ વર્ણન મૂળમાં ઉપલબ્ધ નથી. આ મતોમાં બૌદ્ધ મત અને નિયતિવાદ વિશેષ ઉલ્લેખનીય છે. આ બંનેના પ્રવર્તકો ભગવાન મહાવીરના સમકાલીન હતા. સાંખ્યસંમત આત્માના અદ્ભૂત્વનું નિરસન કરતાં સૂત્રકાર કહે છે : जे ते उ वाइणो एवं लोगे तेसिं कओ सिया ? तमाओ ते तमं जंति मंदा आरम्भनिस्सिआ ॥ અર્થાત આ વાદીઓના મત અનુસાર સંસારની જે વ્યવસ્થા પ્રત્યક્ષ નજરે પડે છે તેની સંગતિ કેવી રીતે થશે? જેઓ અંધકારમાંથી અંધકારમાં જાય છે, મંદ છે અને આરંભ-સમારંભમાં ડૂબેલા છે. ઉપર્યુક્ત ગાથાના શબ્દો પરથી એમ જણાઈ આવે છે કે ભગવાન મહાવીરના સમયમાં અથવા સૂત્રયોજકના યુગમાં સાંખ્યમતાનુયાયીઓ અહિંસાપ્રધાન અથવા અપરિગ્રહપ્રધાન જણાતા ન હતા. ૧. “ર પર્વ શાસ્ત્રમતાનુસારી નૈશિવ: નિરીd: I પુનઃ પ્રત્યેનો પ્રારા માટે સૂત્રકૃત, ૨, શ્રુત૬ આર્દકીય અધ્યયન ગાથા ૧૪મીનું અવતરણ-શીલાંકવૃત્તિ, પૃ. ૩૯૩. ૨. “તે પર્વ ૨ માનવા તૈરાશિવા બળતર–સમવાયવૃત્તિ—અભયદેવ, પૃ.૧૩૦. ૩. “નોરરળધાર વ શ્વેતવણી: સિતાધ્વ: II રૂ૪૪ II नग्नाटो दिग्वासा क्षपण: श्रमणश्च जीवको जैनः । आजीवो मलधारी निर्ग्रन्थः कथ्यते सद्भिः ॥ ३४५ ॥' – હલાયુધકોશ, દ્વિતીયકાંડ. Page #209 -------------------------------------------------------------------------- ________________ સૂત્રકૃતાંગ ૧૭૫ અજ્ઞાનવાદઃ પ્રસ્તુત સૂત્રના પ્રથમ અધ્યયનના દ્વિતીય ઉદ્દેશકની છઠ્ઠી ગાથાથી જે વાદની ચર્ચા શરૂ થાય છે અને ચૌદમી ગાથાથી જેનું ખંડન શરૂ થાય છે તેને ચૂર્ણિકાર તથા વૃત્તિકારે અજ્ઞાનવાદ' નામ આપ્યું છે. નિર્યુક્તિકારે કહ્યું છે કે નિયતિવાદ પછી ક્રમશઃ અજ્ઞાનવાદ, જ્ઞાનવાદ અને બુદ્ધના કર્મચયની ચર્ચા આવે છે. નિર્યુક્તિકાર નિર્દિષ્ટ અજ્ઞાનવાદની ચર્ચા ચૂર્ણિ અથવા વૃત્તિમાં ક્યાંય પણ નજરે પડતી નથી. સમવસરણ નામે બારમા અધ્યયનમાં જે મુખ્ય ચાર વાદોનો ઉલ્લેખ છે તેમાં અજ્ઞાનવાદનો પણ સમાવેશ થાય છે. આ વાદનું સ્વરૂપ વૃત્તિકારે આ રીતે બતાવ્યું છે કે “અજ્ઞાનમેવ શ્રેય?” અર્થાત્ અજ્ઞાન જ કલ્યાણરૂપ છે. આથી કંઈપણ જાણવાની આવશ્યકતા નથી. જ્ઞાન પ્રાપ્ત કરવાથી ઉલટી હાનિ થાય છે. જ્ઞાન ન હોય તો ઘણી ઓછી હાનિ થાય છે. ઉદાહરણ રૂપે જાણીને અપરાધ કરવામાં આવે તો અધિક સજા મળે છે જયારે અજ્ઞાનપૂર્વક અપરાધ થવાની સ્થિતિમાં સજા બહુ ઓછી મળે છે અથવા બિલકુલ મળતી નથી. વૃત્તિકાર શીલાંકાચાર્ય નિર્દિષ્ટ અજ્ઞાનવાદનું આ સ્વરૂપ મૂળ ગાથામાં દૃષ્ટિગોચર નથી થતું. આ ગાથા આ પ્રમાણે છે : माहणा समणा एगे सव्वे नाणं सयं वए । सव्वलोगे वि जे पाणा न ते जाणंति किंचण || - અ. ૧. ઉ. ૨, ગા. ૧૪. અર્થાતુ કેટલાક બ્રાહ્મણો કહે છે કે તેઓ જ્ઞાનનું પ્રતિપાદન કરે છે, તેમના સિવાય આ સમગ્ર સંસારમાં કોઈ કશું પણ જાણતા નથી. આ ગાથાનું તાત્પર્ય એ છે કે કેટલાક બ્રાહ્મણો અને શ્રમણોની દૃષ્ટિએ તેમના સિવાયનું આખું જગત અજ્ઞાની છે. આ જ અજ્ઞાનવાદની ભૂમિકા છે. તેમાંથી અજ્ઞાનમેવ શ્રેયઃ'નો સિદ્ધાંત વૃત્તિકારે કેવી રીતે કાઢ્યો? ભગવાન મહાવીરના સમકાલીન છ તીર્થંકરોમાંથી સંજય બેલઢિપુર નામના એક તીર્થંકર અજ્ઞાનવાદી હતા. સંભવ છે કે તેમના જ મતને ધ્યાનમાં રાખીને ઉક્ત ગાથાની રચના થઈ હોય. તેમના મત અનુસાર તત્ત્વવિષયક અજ્ઞેયતા અથવા અનિશ્ચયતા જ અજ્ઞાનવાદની આધારશિલા છે. આ મત પાશ્ચાત્યદર્શનના અજ્ઞેયવાદ અથવા સંશયવાદને મળતો આવે છે. કર્મચયવાદઃ દ્વિતીય ઉદ્દેશકના અંતમાં ભિક્ષુસમય અર્થાત બૌદ્ધમતના કર્મચયવાદની ચર્ચા છે. અહીં બૌદ્ધદર્શનને સૂત્રકાર, ચૂર્ણિકાર તથા વૃત્તિકારે ક્રિયાવાદી અર્થાત્ કર્મવાદી કહેલ Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ અંગઆગમ છે. સૂત્રકાર કહે છે કે આ દર્શનની કર્મવિષયક માન્યતા દુઃખરૂંધીને વધારનારી છે: अधावरं पुरक्खायं कि रियावादिदरिसणं । कम्मचिंतापणट्ठाणं दुक्खक्खंधविवद्धणं ॥ २४ ।। ચૂર્ણિકારે “કુ+g+વંધ'નો અર્થ સમૂદ કર્યો છે અને વૃત્તિકારે “મસાતોદ્રયપરસ્પર અર્થાત્ “'. બંનેની વ્યાખ્યામાં કોઈ તાત્ત્વિક તફાવત નથી કેમ કે દુખપરંપરા કર્મસમૂહજન્ય જ હોય છે. આ પ્રસંગે સૂત્રકારે બૌદ્ધમત સંબંધી એક ગાથા આપી છે, જેનો આશય એવો છે કે અમુક પ્રકારની આપત્તિમાં ફસાયેલ અસંયમી પિતા જો લાચારીવશ પોતાના પુત્રને મારીને ખાઈ જાય તો પણ તે કર્મથી ખરડાતો નથી. એ રીતે માંસસેવનથી મેધાવી અર્થાતુ સંયમી સાધુ પણ કર્મથી ખરડાતો નથી. ગાથા આ રીતે છે : पुत्तं पि ता समारंभ आहारट्ठमसंजते । भुंजमाणो वि मेधावी कम्मुणा णोवलिप्पते ॥ २८ ।। અથવા पुत्तं पिया समारब्भ आहारेज्ज असंजए । भुंजमाणो य मेहावी कम्मुणा नोवलिप्पइ ॥ २८ ॥ ઉપરોક્ત ૨૮મી ગાથામાં વિશેષ પ્રકારના અર્થનો સૂચક પાઠભેદ ઘણા સમયથી ચાલ્યો આવે છે, તે પાઠભેદ અનુસાર ગાથાના અર્થમાં ઘણો તફાવત પડે છે. જુઓ ચૂર્ણિકારનો પાઠ “પિતા” એવો છે, તેમાં બે પદો છે તથા “પિતા” શબ્દનો અર્થ આ પાઠમાં નથી. આ પાઠ અનુસાર “પુત્રનો પણ વધ કરીને એવો અર્થ થાય છે. જ્યારે વૃત્તિકારનો પાઠ “પિયા” અથવા “પિતા” એવો છે, આ પાઠમાં એક જ પદ “પિય' અથવા “પિતા'. આ પાઠ અનુસાર “પિતા પુત્રનો વધ કરીને' એવો અર્થ થાય છે અને વૃત્તિકારે પણ આ જ અર્થનું નિરૂપણ કર્યું છે. બે પદવાળો પાઠ જેટલો પ્રાચીન છે તેટલો એક પદવાળો “પિતા” પાઠ પ્રાચીન નથી. “પિતા” એમ જુદુ જુદુ ન વાંચતાં “પિતા” એવું વાંચવાથી સંભવ છે કે આવો પાઠભેદ બન્યો હોય. ચૂર્ણિકાર અને વૃત્તિકાર બંનેય “પુત્રનો વધ કરવો’ એ આશયમાં એકમત છે. ચૂર્ણિકાર “પિતા'નો અર્થ સ્વીકાર નથી કરતા અને વૃત્તિકાર “પિતા' અર્થ સ્પષ્ટરૂપે સ્વીકાર કરે છે. પદચ્છેદ ન કરવાની દૃષ્ટિએ ૧. બૌદ્ધસંમત ચાર આર્યસત્યોમાંથી એક. ૨. ચૂર્ણિકારસંમત પાઠ. ૩. વૃત્તિકારસંમત પાઠ. Page #211 -------------------------------------------------------------------------- ________________ સૂત્રકૃતાંગ ૧૭૭ આવો પાઠભેદ થઈ ગયો છે પરંતુ વિશેષ વિચાર કરવાથી જણાઈ આવે છે કે બૌદ્ધ ત્રિપિટક અંતર્ગત આવેલ સંયુત્તનિકાયમાં એક એવી રૂપક-કથા આવે છે જેમાં પિતા પુત્રનો વધ કરી તેનો ભોજનમાં ઉપયોગ કરે છે. સંભવ છે કે વૃત્તિકારની સ્મૃતિમાં સંયુત્તનિકાયની તે કથા રહી હોય અને તે જ કથાનો આશય સ્મૃતિપથમાં રાખીને તેમણે “પિતા પુત્રનો વધ કરીને એવા પ્રકારના અર્થનું નિરૂપણ કર્યું હોય. ભગવાન બુદ્ધે પોતાના સંઘના ભિક્ષુઓ માટે કઈ દૃષ્ટિએ અને કેવા ઉદ્દેશ્યથી ભોજન કરવું જોઈએ એ વાત સમજાવવા માટે આ કથા કહી છે. કથાનો સાર આ પ્રમાણે છે : એક માણસ પોતાના એકના એક પુત્રની સાથે પ્રવાસ કરી રહ્યો છે, સાથે પુત્રની માતા પણ છે. પ્રવાસ કરતા-કરતા તે ત્રણે એવા દુર્ગમ ગાઢ જંગલમાં આવી પહોંચે છે જ્યાં શરીર નિર્વાહ માટે જરૂરી કંઈ પણ મળતું ન હતું. ભોજન વગર શરીરનો નિર્વાહ થઈ શકતો નથી અને જીવનનિર્વાહ વિના આ શરીર કામ પણ આપી શકતું નથી. અંતમાં એવી સ્થિતિ આવી ગઈ કે તેમનાથી ચાલી પણ શકાતું ન હતું અને આ જંગલમાં ત્રણેય ખલાસ થઈ જાય એવું બને. ત્યારે પુત્રે પિતાને પ્રાર્થના કરી કે પિતાજી મને મારીને ભોજન કરો અને શરીરને ગતિશીલ બનાવી દો. આપ છો તો સમગ્ર પરિવાર છે, આપ નહિ રહો તો આપણો પરિવાર કેવી રીતે જીવિત રહી શકશે? આથી નિઃસંકોચ આપ પોતાના પુત્રનાં માંસનું ભોજન કરી આ ભયાનક અરણ્ય પાર કરી જાવ અને સમગ્ર પરિવારને જીવિત રાખો. ત્યારે પિતાએ પુત્રના માંસનો ભોજનમાં ઉપયોગ કર્યો અને તે અરણ્યમાંથી બહાર નીકળી ગયા. આ કથા કહીને તથાગત ભિક્ષુઓને પૂછ્યું કે હેભિક્ષુઓ, પુત્રના માંસનો ભોજનમાં ઉપયોગ કરનાર પિતાએ પોતાના સ્વાદ માટે આમ કર્યું છે? શું પોતાના શરીરની શક્તિ વધે, બળનો સંચય થાય, શરીરનું રૂપલાવણ્ય અને સૌંદર્ય વધે, એ હેતુથી તેણે પોતાના પુત્રના માંસનો ભોજનમાં ઉપયોગ કર્યો છે? તથાગતના આ પ્રશ્નનો ઉત્તર આપતાં ભિક્ષુઓએ કહ્યું કે ભદંત ! નહિ, નહિ. તેણે એક માત્ર અટવી પાર કરી જવાના ઉદ્દેશ્યથી શરીરમાં ચાલવાની શક્તિ આવે તે જ કારણથી પોતાના પુત્રના માંસનો ભોજનમાં ઉપયોગ કર્યો છે. ત્યારે તથાગતે કહ્યું– હે ભિક્ષુઓ! તમે ઘરબાર છોડ્યાં છે અને સંસારરૂપી અટવી પાર કરવાના હેતુથી જ ભિક્ષુવ્રત લીધું છે, તમારે સંસારરૂપી ભીષણ જંગલ પાર કરી નિર્વાણ પ્રાપ્ત કરવું હોય તો આ જ એક નિમિત્ત લક્ષ્યમાં રાખી ભોજન-પાન લેતાં રહો, તે પણ પરિમિત અને ધર્મપ્રાપ્ત તથા કાલપ્રાપ્ત. મળે તો ઠીક છે, ન મળે તો પણ ઠીક સમજો. સ્વાદની લાલચથી, Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ અંગઆગમ શરીરમાં બળ વધે, શક્તિનો સંચય થાય અને પોતાનું રૂપ, લાવણ્ય તથા સૌંદર્ય વધતું રહે તે દૃષ્ટિએ ખાન-પાન લેશો તો તમે ભિક્ષુકધર્મથી ચુત થઈ જશો અને મોઘભિક્ષુપિંડોલકભિક્ષુ બની જશો. તથાગત બુદ્ધે આ રૂપકકથા દ્વારા ભિક્ષુઓને એ સમજાવ્યું કે ભિક્ષગણ કયા ઉદ્દેશ્યથી ખાન-પાન લે. એમ જણાય છે કે સમય વીતતાં આ કથાનો આશય વીસરાઈ ગયોસ્મૃતિમાંથી નીકળી ગયો અને માત્ર શબ્દોનો અર્થ જ ધ્યાનમાં રહ્યો અને આ અર્થનો જ માંસભોજનના સમર્થનમાં લોકો તો શું ભિક્ષુગણ પણ ઉપયોગ કરવા લાગી ગયા હોય. આવી જ પરિસ્થિતિ જોઈને ચૂર્ણિકારે પોતાની રીતે અને વૃત્તિકારે પોતાની રીતે આ ગાથાનું વિવરણ કર્યું છે એમ લાગે છે. વિશુદ્ધિમષ્ણુ અને મહાયાનના શિક્ષાસમુચ્ચયમાં પણ આ જ વાતનું પ્રરૂપણ કરવામાં આવ્યું છે. સૂત્રકૃતની ઉક્ત ગાથાની વ્યાખ્યામાં ચૂર્ણિકાર અને વૃત્તિકારમાં મતભેદ છે. ચૂર્ણિકાર અનુસાર કોઈ ઉપાસક અથવા અન્ય વ્યક્તિ દ્વારા પોતાના પુત્રને મારીને તેના માંસ દ્વારા તૈયાર કરવામાં આવેલ ભોજન પણ જો કોઈ મેધાવી ભિક્ષુ ખાવાના કામમાં લે તો તે કર્મથી ખરડાતો નથી. હા, મારનાર જરૂર પાપનો ભાગી બને છે. વૃત્તિકાર અનુસાર આપત્તિકાળમાં નિરુપાય બનીને અનાસક્ત ભાવે પોતાના પુત્રને મારી તેનું ભોજન કરનાર ગૃહસ્થ અને એવું ભોજન કરનાર ભિક્ષુ આ બંનેમાંથી કોઈપણ પાપકર્મથી ખરડાતા નથી. તાત્પર્ય એ કે કર્મબંધનું કારણ મમત્વભાવઆસક્તિ-રાગદ્વેષ–કષાય છે, ન તો કોઈ ક્રિયાવિશેષ. જ્ઞાતાધર્મકથા નામક છઠ્ઠા અંગસૂત્રમાં સુંસુમા નામે એક અધ્યયન છે જેમાં પૂર્વોક્ત સંયુક્તનિકાયઆદિ પ્રતિપાદિત રૂપક અનુસાર એમ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે આપત્તિકાળમાં આપવાદિક રૂપે મનુષ્ય પોતાના ખુદના સંતાનનું પણ માંસ ખાઈ શકે છે. અહીં મૃત સંતાનના માંસભક્ષણનો ઉલ્લેખ છે, નહિ કે મારીને તેનું માંસ ખાવાનો. આ ચર્ચાનો સાર માત્ર એટલો જ છે કે અનાસક્ત બનીને ભોજન કરનાર તથા અન્ય પ્રકારની ક્રિયામાં પ્રવૃત્ત થનાર કર્મથી લપાતો નથી. બુદ્ધનું શૂકરમાંસભક્ષણઃ બૌદ્ધ પરંપરામાં એક કથા એવી પ્રચલિત છે કે ખુદ બુદ્ધ શૂકરમદુવ એટલે કે સુવ્વરનું માંસ ખાધું હતું. સુવરનું માંસ ખાવા છતાં પણ બુદ્ધ પાપકર્મથી ખરડાયા નહિ. એમ જણાય છે કે ઉપર્યુક્ત ગાથામાં સૂત્રકારે બૌદ્ધસંમત કર્મચયનું સ્વરૂપ સમજાવતાં આ જ બનાવનો નિર્દેશ કર્યો છે. આમ કેમ? ગાથાના પ્રારંભમાં જે “પુત્ત ૧. જુઓ–બુદ્ધચર્યા, પૃ. ૫૩૫. Page #213 -------------------------------------------------------------------------- ________________ સૂત્રકૃતાંગ ૧૭૯ પાઠ છે તે કોઈ કારણસર વિકૃત થયેલો જણાય છે. મારી દષ્ટિએ અહીં ‘પોત્તિ’ પાઠ હોવો જોઈએ. અમરકોશ તથા અભિધાનચિંતામણિમાં પોત્રી (પ્રાકૃત પોત્તિ) શબ્દ શૂકરના પર્યાયરૂપે સુપ્રસિદ્ધ છે. અથવા સંસ્કૃત પોત્ર (પ્રાકૃત પુત્ત) શબ્દ શૂકરના મુખનો સૂચક માનવામાં આવ્યો છે. જો એમ સમજવામાં આવે કે આ જ અર્થવાળો ‘પુત્ત’ શબ્દ આ ગાથામાં વપરાયો છે તો શૂકરનો અર્થ પણ સંગત બની જાય છે. આથી આ ‘પુત્તું’ પાઠને વિકૃત કરવાની જરૂરત રહેતી નથી. સંશોધક મહાનુભાવો આ વિષયમાં જરૂર વિચાર કરે. એ જ રીતે ઉક્ત ગાથામાં પ્રયુક્ત ‘મેહાવી’ (મેધાવી) શબ્દ ભગવાન બુદ્ધનો સૂચક છે. એ દૃષ્ટિએ એમ માનવું ઉપયુક્ત પ્રતીત થાય છે કે ઉક્ત ગાથામાં કર્મબંધની ચર્ચા કરતી વખતે બુદ્ધના શૂકરમાંસ-ભક્ષણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મારી આ પ્રરૂપણા ક્યાં સુધી સાચી છે તેનો નિર્ણય સંશોધનશીલ વિદ્વજ્જનો જ ક૨શે. ઉપર્યુક્ત ગાથાની પહેલાંની ત્રણ ગાથાઓમાં પણ બૌદ્ધસંમત કર્મબંધનનું જ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, હિંસાનો હેતુ : સૂત્રકૃતાંગના દ્વિતીય શ્રુતસ્કંધમાં આવતા આર્દ્રકીય નામક છઠ્ઠા અધ્યયનમાં આર્દ્રકુમાર નામક પ્રત્યેકબુદ્ધની સાથે થયેલ બૌદ્ધ સંપ્રદાયના વાદીઓના વાદવિવાદનો ઉલ્લેખ છે. તેમાં પણ કર્મબંધનનાં સ્વરૂપની જ ચર્ચા છે. બૌદ્ધ મતના સમર્થકો કહે છે કે માનસિક સંકલ્પ જ હિંસાનું કારણ છે. તલ અથવા સરસવના ખોળનો એક પિંડો પડ્યો હોય અને કોઈ તેને પુરુષ સમજી તેનો નાશ કરે તો અમારા મતે તે હિંસાના દોષથી ખરડાય છે. એ જ રીતે તુંબડાંને કુમાર સમજી તેનો નાશ કરનાર પણ હિંસાનો ભાગીદાર બને છે. તેનાથી વિપરીત પુરુષને ખોળ સમજી અને કુમારને તુંબડું સમજી તેનો નાશ કરનાર પ્રાણીવધનો ભાગીદાર થતો નથી. એટલું જ નહિ આ પ્રકારની બુદ્ધિથી પકાવેલ પુરુષનું અથવા કુમારનું માંસ બુદ્ધોના ભોજનને માટે માન્ય છે. એ રીતે પકાવેલા માંસ દ્વારા જે ઉપાસક પોતાના સંપ્રદાયના બે હજાર ભિક્ષુઓને ભોજન કરાવે છે તેઓ મહાન પુણ્યસ્કંધનું ઉપાર્જન કરે છે અને તે દ્વારા આરોપ્પ (આરોપ્ય) નામક દેવયોનિમાં જન્મ લે છે. બૌદ્ધ વાદીઓની આ માન્યતાનો પ્રતીકાર કરતાં આર્દ્રકુમાર કહે છે કે ખોળને પુરુષ સમજવો અથવા તુંબડાંને કુમાર સમજવો કે પુરુષને ખોળ સમજવો અથવા કુમારને તુંબડું સમજવાનું કેવી રીતે સંભવિત છે ? જેઓ એવું કહે છે અને તેવા કથનનો સ્વીકાર કરે છે તેઓ અસંયત છે, અનાર્ય છે, રક્તપાણિ છે. તેઓ ઔદ્દેશિક માંસનું ભક્ષણ કરનારા છે, જીહ્વાના સ્વાદમાં આસક્ત છે. સમસ્ત પ્રાણીઓની રક્ષા માટે જ્ઞાતપુત્ર મહાવીર તથા તેમના અનુયાયી ભિક્ષુઓ ઔદેશિક Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ભોજનનો સર્વથા ત્યાગ કરે છે. આ નિગ્રંથધર્મ છે. પ્રથમ અધ્યયનના તૃતીય ઉદ્દેશકની પહેલી ગાથામાં ઔદ્દેશિક ભોજનનો નિષેધ કરવામાં આવ્યો છે. કોઈ ભિક્ષુવિશેષ અથવા ભિક્ષુસમૂહ માટે બનાવવામાં આવનારું ભોજન, વસ્ત્રો, પાત્રો, સ્થાન વગેરે આર્હતમુનિ માટે અગ્રાહ્ય છે. બૌદ્ધ ભિક્ષુઓના વિષયમાં આમ નથી. ભગવાન બુદ્ધ પોતે નિયંત્રણનો સ્વીકાર કરતા હતા. તેઓ તેમ જ ભિક્ષુસંઘ તેમના માટે તૈયાર કરવામાં આવેલ નિરામિષ અથવા સામિષ આહાર ગ્રહણ કરતા હતા તથા વિહારો અને ઉદ્યાનોનું દાન પણ સ્વીકારતા હતા. જગત-કર્તૃત્વ પ્રસ્તુત ઉદ્દેશકની પાંચમી ગાથાથી જગત-કર્તૃત્વની ચર્ચા શરૂ થાય છે. તેમાં જગતને રેવત્ત (રેવસ) અર્થાત્ દેવનું વાવેલું, બંમત્ત (બ્રહ્મડત) અર્થાત્ બ્રહ્મ દ્વારા વાવેલું, રૂસ્સોળ ત (શ્વરેળ ત) અર્થાત્ ઈશ્વરનું બનાવેલું, સંમુળા ત (સ્વયંભુના દ્યૂત) અર્થાત્ સ્વયંભૂનું બનાવેલું કહેવામાં આવેલ છે. સાથે જ એ પણ બતાવવામાં આવ્યું છે કે આ કથન મહર્ષિઓનું છે : રૂતિ વુત્ત મહેસિળા ! ચૂર્ણિકાર ‘મહર્ષિ”નો અર્થ સ્પષ્ટ કરતાં કહે છે : ‘મહૠષી નામ સ વ બ્રહ્મા અથવા વ્યાસાવ્યો મર્ષય:' અર્થાત્ મહર્ષિનો અર્થ છે બ્રહ્મા અથવા વ્યાસ વગેરે ઋષિ. અહીં છઠ્ઠી ગાથામાં જગતને પ્રધાનકારણિક પણ દર્શાવવામાં આવ્યું છે. પ્રધાનનો અર્થ છે સાંખ્યસંમત પ્રકૃતિ. સાતમી ગાથામાં બતાવવામાં આવ્યું છે કે મારરચિત માયાને કા૨ણે આ જગત અશાશ્વત છે અર્થાત્ સંસારનો પ્રલયકર્તા માર છે. ચૂર્ણિકારે ‘મરીનો અર્થ ‘વિષ્ણુ’ બતાવ્યો છે, જ્યારે વૃત્તિકારે ‘માર’ શબ્દનો ‘યમ’ અર્થ કર્યો છે. આઠમી ગાથામાં જગતને અંડકૃત અર્થાત્ ઈંડામાંથી પેદા થયેલું બતાવવામાં આવેલ છે—ખંડš નો । આ બધા વાદોનું ખંડન કરવા માટે સૂત્રકારે કોઈ વિશેષ તર્ક પ્રસ્તુત ન કરતાં માત્ર એટલું જ કહ્યું છે કે આવું માનનારા અજ્ઞાની છે, અસત્યભાષી છે, તત્ત્વથી અનભિજ્ઞ છે. આ ગાથાઓનું વિવેચન કરતાં ચૂર્ણિકારે સાતમી ગાથા પછી નાગાર્જુનીય પાઠાંતર રૂપે એક નવી ગાથાનો ઉલ્લેખ કર્યો છે, જે આ પ્રમાણે છે ઃ અંગઆગમ अतिवड्डीयजीवा णं मही विण्णवते पभुं । ततो से मायासंजुत्ते करे लोगस्सऽमिद्दवा ॥ અર્થાત્ પૃથ્વી પોતાની ઉપર જીવોનો ભાર અત્યંત વધી જવાને કારણે પ્રભુને વિનંતી કરે છે. એથી પ્રભુએ માયાની રચના કરી અને તે દ્વારા લોકનો વિનાશ કર્યો. આ માન્યતા વૈદિક પરંપરામાં અતિ પ્રાચીનકાળથી પ્રચલિત છે. પુરાણોમાં તો Page #215 -------------------------------------------------------------------------- ________________ સૂત્રકૃતાંગ ૧૮૧ આનું સુંદર આલંકારિક વર્ણન પણ મળે છે. અગિયારમી અને બારમી ગાથામાં ગીતાના અવતારવાદનો નિર્દેશ છે. આ ગાથાઓનો આશય એવો છે કે આત્મા શુદ્ધ છે છતાં પણ ક્રીડા અને દ્વેષને કારણે ફરી અપરાધી અર્થાત્ રજોગુણયુક્ત બને છે અને શરીર ધારણ કરે છે. ઈશ્વર પોતાના ધર્મની પ્રતિષ્ઠા અને બીજાના ધર્મની અપ્રતિષ્ઠા જોઈને લીલા કરે છે. પોતાના ધર્મની અપ્રતિષ્ઠા અને બીજાના ધર્મની પ્રતિષ્ઠા જોઈને તેના મનમાં દ્વેષ ઉત્પન્ન થાય છે અને તે પોતાના ધર્મની પુનઃપ્રતિષ્ઠા કરવા માટે રજોગુણયુક્ત બની અવતાર ધારણ કરે છે. પોતાનું કાર્ય પૂરું કર્યા પછી ફરી શુદ્ધ અને નિષ્પાપ બની પોતાના વાસ્તવિક રૂપમાં અવસ્થિત થાય છે. ધર્મનો વિનાશ અને અધર્મની પ્રતિષ્ઠા જોઈને ઈશ્વર વડે અવતાર લેવાની આ માન્યતા બ્રાહ્મણ પરંપરામાં માન્ય છે. સંયમધર્મઃ પ્રથમ અધ્યયનના અંતિમ ઉદ્દેશકમાં નિગ્રંથને સંયમધર્મના આચરણનો ઉપદેશ આપવામાં આવ્યો છે અને વિભિન્ન વાદોમાં ન ફસાવાનું કહેવામાં આવ્યું છે. ત્રીજી ગાથામાં એમ બતાવવામાં આવ્યું છે કે કેટલાક લોકોની માન્યતા અનુસાર પરિગ્રહ અને આરંભ-આલંભન–હિંસા આત્મશુદ્ધિ તથા નિર્વાણને માટે છે. નિગ્રંથોએ આ મત સ્વીકાર ન કરવો જોઈએ. તેમણે સમજવું જોઈએ કે અપરિગ્રહ તથા અપરિગ્રહી અને અનારંભ તથા અનારંભી જ શરણરૂપ છે. પાંચમી ગાથાથી લોકવાદની ચર્ચા શરૂ થાય છે. તેમાં લોકવિષયક નિત્યતા અને અનિત્યતા, સાન્તતા અને અનન્તતા, પરિમિતતા અને અપરિમિતતા વગેરેનો વિચાર છે. વૃત્તિકારે પૌરાણિક વાદને લોકવાદ કહ્યો છે અને બતાવ્યું છે કે બ્રહ્મા અમુક સમય સુધી સૂવે છે અને કંઈ જોતાં નથી, અમુક સમય સુધી જાગે છે અને જુએ છે–આ બધો લોકવાદ છે. વેયાલિય: દ્વિતીય અધ્યયનનું નામ યાલિય છે. નિર્યુક્તિકાર, ચૂર્ણિકાર તથા વૃત્તિકાર આનો અર્થ વૈદારિક તથા વૈતાલીય રૂપે કરે છે. વિદારનો અર્થ છે વિનાશ. અહીં રાગદ્વેષરૂપ સંસ્કારોનો વિનાશ વિવક્ષિત છે. જે અધ્યયનમાં રાગદ્વેષના વિદારનું વર્ણન હોય તેનું નામ છે વૈદારિક, વૈતાલીય નામક એક છંદ છે. જે અધ્યયન વૈતાલીય છંદમાં છે તેનું નામ છે વૈતાલીય. પ્રસ્તુત અધ્યયનમાં નામના આ બંને અર્થોમાંથી વૈતાલીય છંદવાળો અર્થ વધુ ઉપયુક્ત જણાય છે. વૈદારિક અર્થપરક નામ અતિવ્યાપ્ત છે, કેમ કે આ અર્થ તો અન્ય અધ્યયનો અથવા ગ્રંથો સાથે પણ સંબદ્ધ છે આથી માત્ર આ જ અધ્યયનને વૈદારિક નામ આપવું ઉચિત નથી. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ અંગઆગમ પ્રસ્તુત અધ્યયનમાં ત્રણ ઉદેશકો છે જેમાં વૈરાગ્યપોષક વર્ણનની સાથે શ્રમણ ધર્મનું પ્રતિપાદન છે. પ્રથમ ઉદ્દેશકની પાંચમી ગાથામાં બતાવવામાં આવ્યું છે કે દેવ, ગાંધર્વ, રાક્ષસ, નાગ, રાજા, શેઠ, બ્રાહ્મણ વગેરે બધા દુઃખપૂર્વક મૃત્યુ પામે છે. મૃત્યુ માટે બધા જીવો સમાન છે. તેની સામે કોઈનો પ્રભાવ ચાલતો નથી. નવમી ગાથામાં સૂત્રકાર કહે છે કે સાધક ભલેને નગ્ન રહેતો હોય કે નિરંતર માસ-માસના ઉપવાસ કરતો હોય પરંતુ જો તે દંભી હોય તો તેનું આ બધું આચરણ નકામું છે. આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધનાં પ્રથમ અધ્યયનના તૃતીય ઉદેશકમાં “પાયા વીરા માવજીરું એવું એક ખંડિત વાક્ય છે. સૂત્રકૃતાંગનાં પ્રસ્તુત અધ્યયનના પ્રથમ ઉદ્દેશકની એકવીસમી ગાથામાં આ વાક્ય સાથેનું આખુ પદ્ય છે तम्हा दवि इक्ख पंडिए पावाओ विरतेऽभिणिव्वुडे। पणया वीरा महावीहिं सिद्धिपहं णेआउ धुवं ।। આ ઉદ્દેશકની વૃત્તિસંમત ગાથાઓ અને ચૂર્ણિસંમત ગાથાઓમાં અત્યધિક પાઠભેદ છે. પાઠભેદના કેટલાક નમૂનાઓ આ પ્રમાણે છે: વૃત્તિગત પાઠ ચૂર્ણિગત પાઠ सयमेव कडेहिं गाहइ सयमेव कडेऽभिगाहए णो तस्स मुच्चेज्जऽपुठ्ठयं ।। ४ ॥ णो तेणं मुच्चे अपुट्ठवं ॥ ४ ॥ कामेहि य संथवेहि गिद्धा कामेहि य संथवेहि य कम्मसहा कालेण जंतवो ॥ ६ ॥ कम्मसहे कालेण जंतवो ॥ ६ ॥ जे इह मायाइ मिज्जई जइविह मायादि मिज्जती માતા માથડતો |૨૦ || માતા માવતરો | આ પાઠભેદો ઉપરાંત ચૂર્ણિકારે અનેક જગ્યાએ અન્ય પાઠાંતરો પણ આપ્યા છે તથા નાગાર્જુનીય વાચનાના પાઠભેદોનો પણ ઉલ્લેખ કર્યો છે. પ્રથમ ઉદ્દેશકની અંતિમ ગાથાના વેતાનિયમHI'તો આ પ્રથમ ચરણમાં અધ્યયનનાં વેતાલિય-વૈતાલીય નામનો પણ નિર્દેશ છે. અહીં “વેતાલિય' શબ્દ વૈતાલીય છંદનો નિર્દેશક છે. આનો બીજો અર્થ વૈદારિક અર્થાત રાગદ્વેષનું વિદારણ કરનારા ભગવાન મહાવીરના રૂપમાં પણ કરવામાં આવ્યો છે. આ બંને અર્થો ચૂર્ણિમાં છે. પ્રથમ ઉદ્દેશકમાં ૨૨, દ્વિતીય ઉદ્દેશકમાં ૩૨ અને તૃતીય ઉદ્દેશકમાં ૨૨ ગાથાઓ Page #217 -------------------------------------------------------------------------- ________________ સૂત્રકૃતાંગ ૧૮૩ છે. આ રીતે વૈતાલીય અધ્યયનમાં બધી મળી ૭૬ ગાથાઓ છે. તેમાં હિંસા ન કરવા સંબંધમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે અને મહાવ્રતો અને અણુવ્રતોનું નિરૂપણ કરીને તેમનાં અનુસરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. સાધક શ્રમણ હોય કે ગૃહસ્થ, તેણે સાધનામાં આવનારા પ્રત્યેક વિગ્નનો સામનો કરવો જોઈએ અને વીતરાગતાની ભૂમિકા પર પહોંચવું જોઈએ. આ બધી ઉપદેશાત્મક ગાથાઓમાં ઉપમાઓ આપી આપીને ભાવ બરાબર સ્પષ્ટ કરવામાં આવેલ છે. દ્વિતીય ઉદ્દેશકની અઢારમી ગાથાનું આદ્યચરણ છે “સિળોમતત્તમોફો’ અર્થાત ગરમ પાણીને ઠંડુ કર્યા વિના જ પીનાર. આ મુનિનું વિશેષણ છે. આ જાતના મુનિએ રાજા વગેરેના સંસર્ગથી દૂર રહેવું જોઈએ. દશવૈકાલિકસૂત્રના ત્રીજા અધ્યયનની છઠ્ઠી ગાથાના ઉત્તરાર્ધનું પ્રથમ ચરણ તત્તાનિબુલમોફાં પણ ગરમ ગરમ પાણી પીવાની પરંપરાનું સમર્થક છે. ત્રીજા ઉદ્દેશકની ત્રીજી ગાથામાં મહાવ્રતોનો મહિમા બતાવતાં કહેવામાં આવ્યું છે કે જેવી રીતે વણિકો દ્વારા લાવવામાં આવેલા ઉત્તમ રત્નો રાજા-મહારાજાઓ ધારણ કરે છે તેવી જ રીતે જ્ઞાનીઓ દ્વારા ઉપદિષ્ટ રાત્રિભોજનવિરમણયુક્ત રત્નસમાન મહાવ્રતો ઉત્તમ પુરુષો જ ધારણ કરી શકે છે. આ ગાથાની વ્યાખ્યામાં ચૂર્ણિકારે બે મતોનો ઉલ્લેખ કર્યો છે : પૂર્વ દિશામાં રહેનારા આચાર્યોના મતનો અને પશ્ચિમ દિશામાં રહેનારા આચાર્યોના મતનો. સંભવિત છે કે ચૂર્ણિકારનું તાત્પર્ય પૂર્વ દિશા એટલે કે મથુરા અથવા પાટલિપુત્રના સંબંધથી સ્કંદિલાચાર્ય વગેરે સાથે અને પશ્ચિમ દિશા અર્થાતુ વલભીના સંબંધથી નાગાર્જુન અથવા દેવર્ધિગણિ વગેરે સાથે હોય. રાત્રિભોજનવિરમણનો જુદો ઉલ્લેખ તે બાબત અંગેની શિથિલતા દૂર કરવા અથવા તેને વ્રતની સમકક્ષ બનાવવાની દષ્ટિએ કરવામાં આવેલ હોય તેમ જણાય છે. આ જ સૂત્રના વીરસ્તુતિ નામક છઠ્ઠા અધ્યયનમાં પણ રાત્રિભોજનનો અલગ નિષેધ કરવામાં આવ્યો છે. પ્રસ્તુત ઉદેશકની અંતિમ ગાથામાં ભગવાન મહાવીર માટે “નાથપુરનો પ્રયોગ થયો છે. સાથે જ આ વિશેષણોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે મજુત્તર, અપુત્તરસી, મજુત્તરનાન્ડિંસTધરે, રહી, માવું અને વેસતિ અર્થાત્ શ્રેષ્ઠતમ જ્ઞાની, શ્રેષ્ઠતમ દર્શી, શ્રેષ્ઠતમ જ્ઞાનદર્શનધર, અહંતુ, ભગવાન અને વૈશાલિક–વિશાલા નગરીમાં જન્મેલા. ઉપસર્ગઃ તૃતીય અધ્યયનનું નામ ઉપસર્ગ-પરિજ્ઞા છે. સાધક જયારે પોતાની સાધના માટે તત્પર બને છે ત્યારથી માંડી સાધનાના અંત સુધી તેને અનેક પ્રકારના વિદ્ગોનો સામનો કરવો પડે છે. સાધનાકાળમાં આવતા આ વિદ્ગો, બાધાઓ, વિપત્તિઓને ઉપસર્ગ કહે Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ અંગઆગમ છે. આમ તો આ ઉપસર્ગો ગણી ન શકાય એટલા હોય છે, છતાં પણ પ્રસ્તુત અધ્યયનમાં એમાંથી કેટલાક પ્રતિકૂળ અને અનુકૂળ ઉપસર્ગો ગણાવવામાં આવ્યા છે. આનાથી આ વિઘ્નોની પ્રકૃતિની જાણ થઈ શકે છે. સાચો સાધક આ પ્રકારના ઉપસર્ગોને જીતીને વીતરાગ અથવા સ્થિતપ્રજ્ઞ બને છે. આ જ સંપૂર્ણ અધ્યયનનો સાર છે. આ અધ્યયનના ચાર ઉદ્દેશકો છે. પ્રથમ ઉદ્દેશકમાં ૧૭ ગાથાઓ છે, જેમાં ભિક્ષાવૃત્તિ, ટાઢ, તાપ, ભૂખ, તરસ, ડાંસ, મચ્છ૨, અસ્નાન, અપમાન, પ્રતિકૂળ શય્યા, કેશલોચ, આજીવન બ્રહ્મચર્ય વગેરે પ્રતિકૂળ ઉપસર્ગોનું વર્ણન છે. મનુષ્યને જ્યાં સુધી સંગ્રામમાં જેને જીતવાનું છે તેના બળનો અંદાજ નથી હોતો ત્યાં સુધી તે પોતાને શૂરવીર સમજે છે અને કહે છે કે એમાં શું ? એને તો હું એક ચપટીમાં ચોળી નાખીશ. મારી સામે તે તો એક મચ્છર છે. પરંતુ જ્યારે શત્રુ સામે આવે છે ત્યારે તેના હોશ ઊડી જાય છે. સૂત્રકારે આ તથ્ય સમજાવવા માટે શિશુપાલ અને કૃષ્ણનું ઉદાહરણ આપ્યું છે. અહીં કૃષ્ણ માટે ‘મહારથ’ શબ્દનો પ્રયોગ થયો છે. ચૂર્ણિકારે મહારથનો અર્થ કેશવ (કૃષ્ણ) કર્યો છે. સાધક માટે ઉપસર્ગોને જીતવાનું એટલું જ મુશ્કેલ છે જેટલું શિશુપાલ માટે કૃષ્ણને જીતવાનું. ઉપસર્ગોની લપેટમાં આવનાર ઢીલા-પોચા વ્યક્તિની તો શ્રદ્ધા જ ખતમ થઈ જાય છે. જે રીતે નિર્બળ સ્ત્રી પોતાની ઉપર આપત્તિ આવે ત્યારે પોતાના મા-બાપ અને પિયરના લોકોને યાદ કરે છે તે જ રીતે નિર્બળ સાધકો પોતાની ઉપર ઉપસર્ગોનું આક્રમણ થતાં પોતાની રક્ષા માટે સ્વજનોને યાદ કરવા માંડે છે. બીજા ઉદ્દેશકમાં ૨૨ ગાથાઓ છે. તેમાં સ્વજનો અર્થાત્ માતા-પિતા, ભાઈબહેન, પુત્ર-પુત્રી, પતિ-પત્ની વગેરે દ્વારા થનારા ઉપસર્ગોનું વર્ણન છે. આ ઉપસર્ગો પ્રતિકૂળ નહિ પરંતુ અનુકૂળ હોય છે. જે રીતે સાધક પ્રતિકૂળ ઉપસર્ગોથી ભયભીત બની પોતાનો માર્ગ છોડી શકે છે તે જ રીતે અનુકૂળ ઉપસર્ગોના આકર્ષણને કા૨ણે પણ પથભ્રષ્ટ બની શકે છે. આ તથ્ય સમજાવવા માટે અનેક ઉપમાઓ આપવામાં આવી છે. તૃતીય ઉદ્દેશકમાં બધી મળી ૨૧ ગાથાઓ છે. આમાં એ પ્રકારના ઉપસર્ગોનું વર્ણન છે જે નિર્બળ મનવાળા શ્રમણોની વાસના દ્વારા પેદા થાય છે અને અન્યમતના લોકોના આક્ષેપોને પાત્ર થાય છે. નિર્બળ ભિક્ષુના મનમાં કેવા પ્રકારના સંકલ્પ-વિકલ્પો ઉત્પન્ન થાય છે તેનું યથાર્થ ચિત્રણ પ્રસ્તુત ઉદ્દેશકમાં છે. બુદ્ધિમાન ભિક્ષુઓ આ બધા સંકલ્પ-વિકલ્પોથી ઉપર ઊઠી પોતાના માર્ગમાં સ્થિર રહે છે, જ્યારે અજ્ઞાની અને મૂઢ ભિક્ષુઓ પોતાના માર્ગથી સ્ખલિત થઈ જાય છે. આ ઉદ્દેશકમાં આવતા અન્યમતવાદીઓથી ચૂર્ણિકાર અને વૃત્તિકા૨નું તાત્પર્ય આજીવિકો અને દિગંબર પરંપરાના ભિક્ષુઓ સાથે છે. (આલીવિપ્રાયા: અન્યતીથિજા:, લોહિતાચૂર્ણિ) જ્યારે Page #219 -------------------------------------------------------------------------- ________________ સૂત્રકૃતાંગ ૧૮૫ સંયત ભિક્ષઓ સામે કોઈની સાથે વાદવિવાદ કરવાનો પ્રસંગે ઉપસ્થિત થાય છે ત્યારે તેમણે કોઈની ય સાથે વિરોધભાવ કે ક્લેશ ન થાય તે રીતે તર્ક અને યુક્તિનો બહુગુણયુક્ત માર્ગ સ્વીકાર કરવો જોઈએ. પ્રસ્તુત ઉદેશકની સોળમી ગાથામાં કહેવામાં આવ્યું છે કે પ્રતિવાદીઓની એ માન્યતા છે કે દાનાદિ ધર્મની પ્રજ્ઞાપના આરંભસમારંભમાં પડેલ ગૃહસ્થોની શુદ્ધિ માટે છે, ભિક્ષુઓ માટે નહિ તે બરાબર નથી. પૂર્વપુરુષોએ આ જ દૃષ્ટિએ અર્થાત્ ગૃહસ્થોની જ શુદ્ધિની દષ્ટિએ દાનાદિકનું કોઈ નિરૂપણ કર્યું નથી. ચૂર્ણિકારે અહીં માત્ર એટલું જ લખ્યું છે કે આ પ્રવૃત્તિનો પહેલાં કોઈ નિષેધ કરવામાં આવ્યો નથી, જ્યારે વૃત્તિકારે આ કથનને થોડુંક વધાર્યું છે અને કહ્યું છે કે સર્વજ્ઞ પુરુષોએ પ્રાચીનકાળમાં એવી કોઈ વાત કરી નથી. આ ચર્ચા વૃત્તિકારના કથન અનુસાર દિગંબરપક્ષીય ભિક્ષુઓ અને શ્વેતાંબર પરંપરાના સાધુઓની વચ્ચે છે. વૃત્તિકારનું આ કથન યોગ્ય જણાય છે. ચતુર્થ ઉદેશકમાં બધી મળી ૨૨ ગાથાઓ છે. આ ઉદ્દેશકના વિષય સંબંધમાં નિર્યુક્તિકાર કહે છે કે કેટલાક શ્રમણો કુતર્ક અર્થાત્ હેત્વાભાસ દ્વારા અનાચારરૂપ પ્રવૃત્તિઓને આચારમાં સમાવિષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે અને જાણી જોઈને અનાચારમાં ફસાવાનો ઉપસર્ગ ઉત્પન્ન કરે છે. પ્રસ્તુત ઉદ્દેશકમાં આ જ પ્રકારના ઉપસર્ગોનું વર્ણન પ્રથમ ચાર ગાથાઓમાં બતાવવામાં આવ્યું છે કે કેટલાક શિથિલ શ્રમણો એમ કહેવા લાગે છે કે પ્રાચીનકાળમાં કેટલાક એવા પણ તપસ્વીઓ થયા છે જેઓ ઉપવાસ વગેરે તપ કરતા નહિ, ઉકાળેલું પાણી પીતા નહિ, ફળ-ફૂલ વગેરે ખાતા છતાં પણ તેમને જૈન પ્રવચનમાં મહાપુરુષરૂપે સ્વીકારવામાં આવ્યા છે. એટલું જ નહિ, તેમને મુક્ત પણ માનવામાં આવ્યા છે. તેઓના નામ છે: રામગુત્ત, બાહુઅ, નારાયણરિસિ અથવા તારાયણરિસિ, આસિલદેવલ, દીવાયણમહરિસિ અને પારાસર. આ પુરુષોનો મહાપુરુષ તથા અર્વતરૂપે ઋષિભાષિત નામે અતિપ્રાચીન જૈન પ્રવચનાનુસારી શ્રુતમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. તેના આધારે કેટલાક શિથિલ શ્રમણો એમ કહેવા તૈયાર થાય છે કે જો આ લોકો ઠંડુ પાણી પીને, નિરંતરભોજી રહીને અને ફળ-ફૂલ વગેરે ખાઈને મહાપુરુષો બન્યા અને મુક્ત થયા છે તો અમે તેમ કેમ ન કરી શકીએ? આ રીતે હેત્વાભાસ દ્વારા આ શિથિલ શ્રમણો પોતાના આચારથી ભ્રષ્ટ થાય છે. ઉપર્યુક્ત બધા તપસ્વીઓનો વૃત્તાંત વૈદિક ગ્રંથોમાં વિશેષ પ્રસિદ્ધ છે. આ વિષયમાં વિશેષ વિવેચન પુરાતત્ત્વ' નામક સૈમાસિક પત્રિકામાં પ્રકાશિત “સૂત્રકૃતાંગમાં આવતા વિશેષ નામો શીર્ષક લેખમાં મળે છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ અંગઆગમ કેટલાક શિથિલ શ્રમણો એમ કહે છે કે સુખ દ્વારા સુખ પ્રાપ્ત કરી શકાય છે. આથી સુખ પ્રાપ્ત કરવા માટે કષ્ટ સહન કરવાની આવશ્યકતા નથી. જે લોકો સુખપ્રાપ્તિ માટે તપરૂપી કષ્ટ વેઠે છે તેઓ ભ્રમમાં છે. ચૂર્ણિકારે આ મત શાક્યો અર્થાતુ બૌદ્ધોનો માન્યો છે. વૃત્તિકારે પણ આવું જ સમર્થન કર્યું છે અને કહ્યું છે કે લોચ વગેરેના કષ્ટથી સંતપ્ત કેટલાક સ્વયૂથ્ય અર્થાત જૈન શ્રમણો પણ આ પ્રમાણે કહેવા લાગે છે “પ્રવે શાક્યાયઃ સ્વપૂથ્ય વા નોવાદ્રિના ૩પતા: ' ચૂર્ણિકાર અને વૃત્તિકારની એવી માન્યતા છે કે “સુખથી સુખ મળે છે એ મત બૌદ્ધોનો છે, એ સાચું, પરંતુ બુદ્ધના પ્રવચનમાં પણ તપ, સંવર, અહિંસા અને ત્યાગનો મહિમા છે. હા, એટલું જરૂર છે કે તેમાં ઘોરાતિઘોરતમ તપનું સમર્થન નથી. વિશુદ્ધિમગ્ન અને ધમ્મપદ જોવાથી આ વાત સ્પષ્ટ થઈ જાય છે. આગળની ગાથાઓમાં તો આનાથી પણ વધુ ભયંકર હેત્વાભાસો વડે અનુકૂળ તર્ક લગાડીને વાસનાતૃપ્તિરૂપ સુખકર-અનુકૂળ ઉપસર્ગો ઉત્પન્ન કરવામાં આવ્યા છે. નવમી અને દસમી ગાથામાં બતાવવામાં આવ્યું છે કે કેટલાક અનાર્ય પાસત્ય (પાર્શ્વસ્થ અથવા પાશ0) જે સ્ત્રીઓને વશીભૂત છે તથા જિનશાસનથી વિમુખ છે, તેઓ એમ કહે છે કે જેવી રીતે ફોલ્લો દબાવીને સાફ કરવાથી શાંતિ મળે છે તેવી જ રીતે પ્રાર્થના કરનારી સ્ત્રીની સાથે સંભોગ કરવામાં કોઈ દોષ નથી. જે પ્રકારે ઘેટું પોતાના ઘૂંટણ પાણીમાં નમાવીને પાણી ગંદુ કર્યા વિના ધીરે ધીરે સ્થિરતાપૂર્વક પીવે છે તે જ રીતે રાગરહિત ચિત્તવાળો મનુષ્ય પોતાના ચિત્તને દૂષિત કર્યા વિના સ્ત્રી સાથે સંભોગ કરે છે આમાં કોઈ દોષ નથી. વૃત્તિકારે આ પ્રકારની માન્યતા ધારણ કરનારાઓમાં નીલવઢવાળા બૌદ્ધવિશેષો, નાથવાદિક મંડલમાં પ્રવિષ્ટ શૈવવિશેષો અને સ્વયૂથિક કુશીલ પાર્શ્વસ્થોનો સમાવેશ કર્યો છે. આ ગાથાઓ પરથી સ્પષ્ટ થાય છે કે જૈનેતર ભિક્ષુઓની માફક કેટલાક જૈન શ્રમણો–શિથિલ ચૈત્યવાસીઓ પણ સ્ત્રીસંસર્ગનું સેવન કરવા લાગ્યા હતા. આ પ્રકારના લોકોને પૂતનાની ઉપમા આપતાં સૂત્રકારે કહ્યું છે કે જેવી રીતે પિશાચિની પૂતના નાના બાળકોમાં આસક્ત રહે છે તેવી જ રીતે આ મિથ્યાદૃષ્ટિવાળાઓ સ્ત્રીઓમાં આસક્ત રહે છે. સ્ત્રી પરિજ્ઞાઃ સ્ત્રીપરિજ્ઞા નામે ચતુર્થ અધ્યયનના બે ઉદ્દેશકો છે. પહેલા ઉદ્દેશકમાં ૩૧ અને બીજામાં ૨૨ ગાથાઓ છે. સ્ત્રીપરિજ્ઞાનો અર્થ છે સ્ત્રીઓના સ્વભાવનું બધી જાતનું જ્ઞાન. આ અધ્યયનમાં એમ બતાવવામાં આવ્યું છે કે સ્ત્રીઓ શ્રમણોને કેવી રીતે ફસાવે છે અને કેવી રીતે તેમને પોતાના ગુલામ સુદ્ધાં બનાવી દે છે. એમાં ત્યાં સુધી કહેવામાં Page #221 -------------------------------------------------------------------------- ________________ સૂત્રકૃતાંગ ૧૮૭ આવ્યું છે કે સ્ત્રીઓ વિશ્વસનીય નથી. તેઓ મનમાં કંઈ બીજું જ વિચારે છે, મોઢેથી કંઈ બીજું જ બોલે છે અને પ્રવૃત્તિ કંઈ બીજી જ કરે છે. એ રીતે સ્ત્રીઓ અતિ માયાવી છે. શ્રમણે સ્ત્રીઓનો વિશ્વાસ ક્યારેય ન કરવો જોઈએ. આ વિષયમાં સહેજ પણ અસાવધાની રાખતાં શ્રમણત્વનો વિનાશ થઈ શકે છે. પ્રસ્તુત અધ્યયનમાં સ્ત્રીઓની જે નિંદા કરવામાં આવી છે તે એકાંગી છે. વાસ્તવમાં શ્રમણની ભ્રષ્ટતાનું મુખ્ય કારણ તો તેની પોતાની વાસના જ છે. સ્ત્રી તે વાસનાને ઉત્તેજિત કરવામાં નિમિત્તકારણ જરૂર બની શકે છે. આમેય બધી સ્ત્રીઓ એક જેવી નથી હોતી. સંસારમાં એવી અનેક સ્ત્રીઓ થઈ છે જે પ્રાતઃસ્મરણીય છે. અને વળી સ્ત્રીઓમાં જેમ દોષો જોવા મળે છે તેમ જ પુરુષોમાં પણ દોષોની કમી નથી. આવી સ્થિતિમાં માત્ર સ્ત્રી પર દોષારોપણ કરવું ઉચિત નથી. નિર્યુક્તિકારે આ તથ્યનો સ્વીકાર કર્યો છે અને કહ્યું છે કે જે દોષો સ્ત્રીઓમાં છે તે જ પુરુષોમાં પણ છે. આથી સાધક શ્રમણે સંપૂર્ણપણે સાવધાન રહેવું જોઈએ. પતનનું મુખ્ય કારણ તો પોતાના દોષો જ છે. સ્ત્રી અથવા પુરુષ તો તેમાં માત્ર નિમિત્ત છે. જેવી રીતે સ્ત્રીના પરિચયમાં આવવાથી પુરુષમાં દોષો ઉત્પન્ન થાય છે તેવી જ રીતે પુરુષના પરિચયમાં આવતાં સ્ત્રીમાં પણ દોષો ઉત્પન્ન થાય છે. આથી વૈરાગ્યમાર્ગમાં સ્થિત શ્રમણ અને શ્રમણી બંનેએ સાવધાની રાખવી જોઈએ. જો આમ છે તો પછી આ અધ્યયનનું નામ “સ્ત્રીપરિજ્ઞા' જ શા માટે રાખ્યું? “પુરુષપરિજ્ઞા પણ રાખવું જોઈતું હતું. આ પ્રશ્નનું સમાધાન કરતાં ચૂર્ણિકાર અને વૃત્તિકાર કહે છે કે “પુરિસોત્તોિ ધો' અર્થાત્ ધર્મ પુરુષપ્રધાન છે આથી પુરુષના દોષો બતાવવા ઠીક નથી. ધર્મપ્રવર્તક પુરુષો હોય છે આથી પુરુષને ઉત્તમ માનવામાં આવેલ છે. આ ઉત્તમતાને કલંકિત ન કરવા માટે જ પ્રસ્તુત અધ્યયનનું નામ “પુરુષપરિજ્ઞા' ન રાખતાં “સ્ત્રીપરિજ્ઞા' રાખવામાં આવ્યું. વ્યાવહારિક દષ્ટિએ ટીકાકારોનું આ સમાધાન ઠીક છે, પારમાર્થિક દૃષ્ટિએ નહિ. સૂત્રકારે પ્રસ્તુત અધ્યયનમાં પ્રસંગવશ ગૃહસ્થોપયોગી અનેક વસ્તુઓ તથા બાલોપયોગી અનેક રમકડાંના નામો પણ ગણાવ્યાં છે. નરકવિભક્તિઃ પંચમ અધ્યયનનું નામ નરકવિભક્તિ છે. ચતુર્થ અધ્યયનમાં આવેલ સ્વીકૃત ઉપસર્ગોમાં ફસાયેલાઓ નરકગામી બને છે. નરકવિભક્તિ અધ્યયનના બે ઉદ્દેશકો છે. પ્રથમ ઉદ્દેશકમાં ૨૭ ગાથાઓ છે અને બીજામાં ૨૫. એમાં એમ બતાવવામાં આવ્યું છે નરકના વિભાગોમાં એટલે કે નરકના જુદા જુદા સ્થાનોમાં કેવા કેવા ભયંકર કષ્ટો ભોગવવા પડે છે અને કેવી કેવી અસાધારણ યાતનાઓ સહન કરવી પડે છે. જે લોકો પાપી છે–હિંસક છે, અસત્યભાષી છે, ચોર છે, લૂંટારા છે, મહાપરિગ્રહી છે, અસદાચારી છે તેમણે આ પ્રકારના નરકવાસોમાં જન્મ લેવો પડે છે. નરકની આ Page #222 -------------------------------------------------------------------------- ________________ અંગઆગમ ભયંકર વેદનાઓ સાંભળીને ધીરપુરુષો જરા પણ હિંસક પ્રવૃત્તિ ન કરે, અપરિગ્રહી બને અને નિર્લોભવૃત્તિનું સેવન કરે—આ જ આ અધ્યયનનો ઉદ્દેશ્ય છે. વૈદિક, બૌદ્ધ અને જૈન આ ત્રણે પરંપરાઓમાં નરકના મહાભયોનું વર્ણન છે. આથી પ્રતીત થાય છે કે નરકવિષયક આ કલ્પના અતિ પ્રાચીનકાળથી ચાલી આવી રહી છે. યોગસૂત્રના વ્યાસભાષ્યમાં છ મહાનરકોનું વર્ણન છે. ભાગવતમાં અઠ્યાવીસ નરકો ગણાવવામાં આવ્યા છે. બૌદ્ધ પરંપરાના પિટક ગ્રંથરૂપ સુત્તનિપાતમાં કોકાલિય નામક સુત્તમાં નરકોનું વર્ણન છે. આ વર્ણન પ્રસ્તુત અધ્યયનના વર્ણન સાથે ઘણું બધું મળતું આવે છે. અભિધર્મકોશના તૃતીય કોશસ્થાનના પ્રારંભમાં આઠ નરકોનાં નામો આપવામાં આવ્યાં છે. આ બધાં સ્થળો જોવાથી જાણી શકાય છે કે ભારતીય પરંપરાની ત્રણેય શાખાઓનું નરકવર્ણન એકબીજા સાથે ઘણું મળતું આવે છે. એટલું જ નહિ, તેમની શબ્દાવલી પણ ઘણીબધી સરખી છે. વીરસ્તવઃ ષષ્ઠ અધ્યયનમાં વી૨ વર્ધમાનની સ્તુતિ કરવામાં આવી છે એટલે આ અધ્યયનનું નામ વી૨સ્તવ રાખવામાં આવ્યું છે. આમાં ૨૯ ગાથાઓ છે. ભગવાન મહાવીરનું મૂળ નામ તો વર્ધમાન છે, પરંતુ તેમની અસાધારણ વીરતાને કારણે તેમની ખ્યાતિ વીર અથવા મહાવીરરૂપે થઈ છે. એટલા માટે પ્રસ્તુત અધ્યયનમાં પ્રખ્યાત નામ ‘મહાવીર’ દ્વારા સ્તુતિ કરવામાં આવી છે. આ અધ્યયનની નિર્યુક્તિમાં સ્તવ અથવા સ્તુતિ કેવી કેવી પ્રવૃત્તિ દ્વારા થાય છે તેની બાહ્ય અને આત્યંતરિક બંને રીતો બતાવવામાં આવી છે. આ અધ્યયનમાં પણ પહેલાંના અધ્યયનોની માફક ચૂર્ણિસંમત વાચના અને વૃત્તિસંમત વાચનામાં ઘણું અંતર છે. ત્રીજી ગાથામાં મહાવીરનો જે વિશેષણો દ્વારા પરિચય કરાવાયો છે તે આ પ્રમાણે છે : દ્વેયન્ન, સત્ત, બાલુવન્ન, અનંતનાળી, અનંતવંશી. ખયજ્ઞ અર્થાત્ ક્ષેત્રજ્ઞ અથવા ખેદજ્ઞ. ક્ષેત્રજ્ઞનો અર્થ છે આત્માના સ્વરૂપનું યથાવસ્થિત જ્ઞાન ધારણ કરનાર આત્મજ્ઞ અથવા ક્ષેત્ર એટલે કે આકાશ તેને જાણનાર અર્થાત્ લોકાલોકરૂપ આકાશના સ્વરૂપના જ્ઞાતા ક્ષેત્રજ્ઞ કહેવાય છે. ખેદજ્ઞનો અર્થ છે સંસારીઓના ખેદ અર્થાત્ દુઃખને જાણનારા, ભગવદ્ગીતામાં ‘ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ’ નામે એક આખો અધ્યાય છે. તેમાં ૩૪ શ્લોકો દ્વારા ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સ્વરૂપ વિષયે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. ભગવાન મહાવીર માટે પ્રયુક્ત ‘ક્ષેત્રજ્ઞ’ વિશેષણની વ્યાખ્યા જો ગીતાના આ અધ્યાય અનુસાર ક૨વામાં આવે તો અધિક ઉચિત થશે. આ વ્યાખ્યાથી જ ભગવાનની ખાસ વિશેષતાઓનો પત્તો લાગી શકે છે. કુશલ, આશુપ્રજ્ઞ, અનંતજ્ઞાની અને અનંતદર્શીનો અર્થ સુપ્રતીત છે. પાંચમી ગાથામાં ભગવાનના ધૃતિગુણનું વર્ણન છે. ભગવાન ધૃતિમાન છે, સ્થિતાત્મા છે, નિરામગંધ છે, ગ્રંથાતીત ૧૮૮ Page #223 -------------------------------------------------------------------------- ________________ સૂત્રકૃતાંગ છે, નિર્ભય છે. ધૃતિમાનનો અર્થ છે ધૈર્યશાલી. ગમે તેવો સુખ કે દુઃખનો પ્રસંગ ઉપસ્થિત થવા છતાં ભગવાન સદા એકરૂપ રહે છે. એ જ તેમનું ધૈર્ય છે. સ્થિતાત્માનો અર્થ છે સ્થિર આત્માવાળો. માનાપમાનની ગમે તેવી પરિસ્થિતિમાં ભગવાન સ્થિરચિત્ત—નિશ્ચળ રહે છે. નિરામગંધનો અર્થ છે નિર્દોષભોજી. ભગવાનનું ભોજન બધી રીતે નિર્દોષ હોય છે. ગ્રંથાતીતનો અર્થ છે પરિગ્રહરહિત. ભગવાન પોતાની પાસે કોઈપણ પ્રકારનો પરિગ્રહ રાખતા નથી, કોઈપણ પ્રકારની સાધનસામગ્રી પર તેમનો અધિકાર કે મમત્વ હોતું નથી અને તેઓ કોઈપણ વસ્તુની આકાંક્ષા પણ રાખતા નથી. નિર્ભયનો અર્થ છે નિડર. ભગવાન સર્વત્ર અને સર્વદા સર્વથા નિર્ભય રહે છે. પછીની ગાથાઓમાં અન્ય અનેક વિશેષણો અને ઉપમાઓ દ્વારા ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે. ભગવાન ભૂતિપ્રજ્ઞ અર્થાત્ મંગળમય પ્રજ્ઞાવાળા છે, અનિકેતચારી અર્થાત્ અનગાર છે, ઓધંત૨ અર્થાત્ સંસારરૂપ પ્રવાહને તરી જનારા છે, અનંતચક્ષુ અર્થાત્ અનંતદર્શી છે, નિરંતર ધર્મરૂપ પ્રકાશ ફેલાવનારા અને અધર્મરૂપ અંધકાર દૂર કરનારા છે, શક્રસમાન દ્યુતિવાળા, મહોદધિસમાન ગંભીર જ્ઞાની, મેરુસમાન અડગ છે. જેવી રીતે વૃક્ષોમાં શાલ્મલીવૃક્ષ, પુષ્પોમાં અરવિંદ કમળ, વનોમાં નંદનવન, શબ્દોમાં મેઘશબ્દ, ગંધોમાં ચંદનગંધ, દાનોમાં અભયદાન, વચનોમાં નિર્દોષ સત્યવચન, તપોમાં બ્રહ્મચર્ય શ્રેષ્ઠ છે તેવી જ રીતે નિર્વાણવાદી તીર્થંકરોમાં ભગવાન મહાવીર શ્રેષ્ઠ છે. યોદ્ધાઓમાં જેમ વિષ્વક્સેન અર્થાત્ કૃષ્ણ અને ક્ષત્રિયોમાં જેમ દંતવક્ત્ર શ્રેષ્ઠ છે તેવી જ રીતે ઋષિઓમાં વર્ધમાન મહાવીર શ્રેષ્ઠ છે. અહીં ચૂર્ણિકાર અને વૃત્તિકા૨ે દંતવક્કદંતવક્ત્રનો જે સામાન્ય અર્થ (ચક્રવર્તી) કર્યો છે તે યોગ્ય જણાતો નથી. આ શબ્દ એક વિશિષ્ટ ક્ષત્રિયના નામનો સૂચક છે. જેના મુખમાં જન્મથી જ દાંત હોય તેનું નામ છે દંતવક્ત્ર. આ નામ વિષયમાં મહાભારતમાં પણ એવી જ પ્રસિદ્ધિ છે. વૃત્તિકારે તો વિષ્વક્સેનનો પણ સામાન્ય અર્થ (ચક્રવર્તી) કર્યો છે, જ્યારે અમરકોશ વગેરેમાં તેનો કૃષ્ણ અર્થ પ્રસિદ્ધ છે. ૧૮૯ વર્ધમાન મહાવીરે જે પરંપરાનું અનુસરણ કર્યું તેમાં શું સુધારો કર્યો? આનો ઉત્તર આપતાં સૂત્રકારે લખ્યું કે તેમણે સ્ત્રીસહવાસ અને રાત્રિભોજનનો નિષેધ કર્યો. ભગવાન મહાવીરની પૂર્વે ચાલી આવનારી ભગવાન પાર્શ્વનાથની પરંપરા ચતુર્યામપ્રધાન હતી. તેમાં મૈથુનવિરમણ વ્રતનો સ્પષ્ટ શબ્દોમાં સમાવેશ કરવાનું કાર્ય ભગવાન મહાવીરે કર્યું. એ જ રીતે તેમણે તેમાં રાત્રિભોજનવિરમણ વ્રતનો પણ અલગ વ્રતરૂપે સમાવેશ કર્યો. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અંગઆગમ કુશીલઃ સાતમુ અધ્યયન કુશીલ વિષયક છે. આ અધ્યયનમાં ૩૦ગાથાઓ છે. કુશીલનો અર્થ છે અનુપયુક્ત અથવા અનુચિત આચારવાળું. જૈન પરંપરાની દૃષ્ટિએ જેમનો આચાર શુદ્ધ નથી અર્થાત્ જેઓ અસંયમી છે તેમનામાંના કેટલાકનો થોડોઘણો પરિચય પ્રસ્તુત અધ્યયનમાં મળે છે. આ કુશીલોમાં ચૂર્ણિકારે ગૌતમ સંપ્રદાય, ગૌવંતિક સંપ્રદાય, રંડદેવતા સંપ્રદાય (ચંડીદેવતા સંપ્રદાય), વારિભદ્રક સંપ્રદાય, અગ્નિહોમ વાદીઓ તથા જલશૌચવાદીઓનો સમાવેશ કર્યો છે. વૃત્તિકારે પણ તેમની માન્યતાઓનો ઉલ્લેખ કર્યો છે. ઔપપાકિસૂત્રમાં આ પ્રકારના અનેક કુશીલોનો નામોલ્લેખ છે. પ્રસ્તુત અધ્યયનમાં સૂત્રકારે ત્રણ પ્રકારના કુશીલોની ચર્ચા કરી છે: (૧) મહિારસંપન્ન અર્થાત્ આહારમાં મધુરતા ઉત્પન્ન કરતા પદાર્થો લવણ વગેરેના ત્યાગથી મોક્ષ માનનારાઓ, (૨) સોગસેવા અર્થાત્ શીતળ જળના સેવનથી મોક્ષ માનનારાઓ, (૩) દુ" અર્થાત્ હોમથી મોક્ષ માનનારાઓ. તેમની માન્યતાઓનો ઉલ્લેખ કરતાં ગ્રંથકારે વિવિધ દષ્ટાંતો દ્વારા આ મતોનું ખંડન કર્યું છે અને એમ પ્રતિપાદિત કર્યું છે કે મોક્ષના પ્રતિબંધક કારણો–રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ વગેરેનો અંત કરવાથી જ મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે. વીર્ય અર્થાતુ પરાક્રમઃ આઠમું અધ્યયન વીર્યવિષયક છે. તેમાં વીર્ય અર્થાત પરાક્રમના સ્વરૂપનું વિવેચન છે. ચૂર્ણિની વાચના અનુસાર તેમાં ૨૭ ગાથાઓ છે જ્યારે વૃત્તિસંમત વાચના અનુસાર ગાથાસંખ્યા ૨૬ જ છે. ચૂર્ણિમાં ૧૯મી ગાથા અધિક છે. આ અધ્યયનમાં ચૂણિની વાચના અને વૃત્તિની વાચનામાં ઘણું અંતર છે. નિર્યુક્તિકારે વીર્યની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે વીર્ય શબ્દ સામર્થ્ય-પરાક્રમ-બળ-શક્તિનો સૂચક છે. વીર્ય અનેક પ્રકારનું છે. જડ વસ્તુમાં વિર્ય હોય છે અને ચેતન વસ્તુમાં પણ. ચંદન, કામળો, શસ્ત્ર, ઔષધ વગેરેની વિવિધ શક્તિઓનો અનુભવ આપણે કરીએ જ છીએ. આ જડ વસ્તુનું વીર્ય છે. શરીરબળ, ઇન્દ્રિયબળ, મનોબળ, ઉત્સાહ, ધેર્ય, ક્ષમા આદિ ચેતન વસ્તુની શક્તિઓ છે. સૂત્રકાર કહે છે કે વીર્ય બે પ્રકારનું છે : અકર્મવીર્ય અર્થાત્ પંડિતવીર્ય અને કર્મવીર્ય અર્થાત્ બાલવીર્ય. સંયમપરાયણનું વીર્ય પંડિતવીર્ય કહેવાય છે અને અસંયમપરાયણનું વીર્ય બાલવીર્ય, “કર્મવીર્યનો “કર્મ' શબ્દ પ્રમાદ અને અસંયમનો સૂચક છે તથા “અકર્મવીર્યનો “અકર્મ' શબ્દ અપ્રમાદ અને સંયમનો નિર્દેશક છે. કર્મવીર્ય–બાલવીર્યનો વિશેષ પરિચય આપતાં સૂત્રકાર કહે છે કે કેટલાક લોકો પ્રાણીઓના વિનાશ માટે અસ્ત્રવિદ્યા શીખે છે અને કેટલાક લોકો પ્રાણીઓની હિંસા Page #225 -------------------------------------------------------------------------- ________________ સૂત્રકૃતાંગ ૧૯૧ માટે મંત્ર વગેરે શીખે છે. એ જ રીતે અકર્મવીર્ય–પંડિતવીર્યનું વિવેચન કરતી વેળાએ કહેવામાં આવ્યું છે કે આ વીર્યમાં સંયમની પ્રધાનતા છે. જેમ જેમ પંડિતવીર્ય વધતું જાય છે તેમ તેમ સંયમ વધતો જાય છે અને પૂર્ણ સંયમ પ્રાપ્ત થતાં નિર્વાણરૂપ અક્ષય સુખ મળે છે. આ જ પંડિતવીર્ય અથવા અકર્મવીર્યનો સાર છે. બાલવીર્ય અથવા કર્મવીર્યનું પરિણામ આનાથી અવળું હોય છે. તેનાથી દુઃખ વધે છે–સંસાર વધે છે. ધર્મઃ ધર્મનામે નવમા અધ્યયનનું વ્યાખ્યાન કરતાં નિર્યુક્તિકાર વગેરેએ “ધર્મ' શબ્દનો અનેક રૂપોમાં પ્રયોગ કર્યો છે, જેમ કે–કુલધર્મ, નગરધર્મ, ગ્રામધર્મ, રાષ્ટ્રધર્મ, ગણધર્મ, સંઘધર્મ, પાખંડધર્મ, ધૃતધર્મ, ચારિત્રધર્મ, ગૃહસ્થધર્મ, પદાર્થધર્મ, દાનધર્મ વગેરે. અથવા સામાન્યપણે ધર્મ બે પ્રકારનો છેઃ લૌકિક ધર્મ અને લોકોત્તર ધર્મ જૈન પરંપરા અથવા જૈન પ્રણાલી સિવાય બધા ધર્મો, માર્ગો અથવા સંપ્રદાયો લૌકિક ધર્મમાં સમાવિષ્ટ છે. જૈન પ્રણાલીની દૃષ્ટિએ પ્રવર્તિત સમસ્ત આચાર-વિચાર લોકોત્તરધર્મમાં સમાવિષ્ટ થાય છે. પ્રસ્તુત અધ્યયનમાં લોકોત્તરધર્મનું નિરૂપણ છે. આમાં ચૂર્ણિની વાચના અનુસાર ૩૭ ગાથાઓ છે જ્યારે વૃત્તિની વાચના અનુસાર ગાથાઓની સંખ્યા ૩૬ છે. ગાથાઓની વાચનામાં પણ ચૂર્ણિ અને વૃત્તિની દૃષ્ટિમાં ઘણો તફાવત છે. પ્રથમ ગાથાના પૂર્વાર્ધમાં પ્રશ્ન છે કે મતિમાન બ્રાહ્મણોએ કયો અને કેવો ધર્મ બતાવ્યો છે ? ઉત્તરાર્ધમાં ઉત્તર છે કે જિનપ્રભુએ–અહંતોએ જે આર્જવરૂપ– અકપટરૂપ ધર્મનું પ્રતિપાદન કર્યું છે તે મારા દ્વારા સાંભળો. આગળ બતાવવામાં આવ્યું છે કે લોકો આરંભ વગેરે દૂષિત પ્રવૃત્તિઓમાં ફસાયેલા રહે છે તેઓ આ લોક તથા પરલોકમાં દુ:ખથી મુક્તિ મેળવી શકતા નથી. આથી નિર્મમતારૂપ અને નિરહંકારરૂપ ઋજુધર્મનું આચરણ કરવું જોઈએ કે જે પરમાર્થાનુગામી છે. શ્રમણધર્મના દૂષણરૂપ કેટલાંક આદાન પ્રસ્તુત અધ્યયનમાં આ પ્રમાણે ગણાવાયાં છે : ૧. અસત્ય વચન ૨. બહિદ્ધા અર્થાત્ પરિગ્રહ અને અબ્રહ્મચર્ય ૩. અદત્તાદાન અર્થાત્ ચૌર્ય ૪. વક્રતા અર્થાત્ માયા–કપટ–પરિકુંચન–પલિઉંચણ ૫. લોભ-ભજન-ભયણ ૬. ક્રોધ સ્પંડિલ–ચંડિલ ૭“માન–ઉઠ્ઠયણ–ઉસ્સયણ Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ અંગઆગમ આ બધાં ધૂર્તીદાન અર્થાત્ ધૂર્તતાનાં આયતનો છે. આ ઉપરાંત ધાવન, રંજન, વમન, વિરેચન, સ્નાન, દંતપ્રક્ષાલન, હસ્તકર્મ આદિ દૂષિત પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરતાં સૂત્રકારે આહારસંબંધી અને અન્ય પ્રકારનાં કેટલાંક દૂષણો પણ ગણાવ્યાં છે. ભિક્ષુઓએ તેમનું આચરણ ન કરવું જોઈએ, એવું નિગ્રંથ મહામુનિ મહાવીરે કહ્યું છે. ભાષા કેવી બોલવી જોઈએ તે વિશે પણ સૂત્રકારે પ્રકાશ પાડ્યો છે. સમાધિ: દસમા અધ્યયનનું નામ સમાધિ છે. આ અધ્યયનમાં ૨૪ ગાથાઓ છે. સમાધિનો અર્થ છે તુષ્ટિ–સંતોષ-પ્રમોદ–આનંદ. નિર્યુક્તિકારે દ્રવ્યસમાધિ, ક્ષેત્રસમાધિ, કાલસમાધિ અને ભાવસમાધિનું સ્વરૂપ બતાવ્યું છે. જે ગુણો વડે જીવનમાં સમાધિલાભ થાય તે ગુણો ભાવસમાધિ કહેવાય છે. આ ભાવસમાધિ જ્ઞાનસમાધિ, દર્શનસમાધિ, ચારિત્રસમાધિ અને તપસમાધિરૂપ છે. પ્રસ્તુત અધ્યયનમાં આ ભાવસમાધિ અર્થાત્ આત્મપ્રસન્નતાની પ્રવૃત્તિ સંબંધમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે. સંપૂર્ણ અધ્યયનમાં કોઈ પણ પ્રકારનો સંચય ન કરવો, સમસ્ત પ્રાણીઓ સાથે આત્મવત્ વ્યવહાર કરવો, બધા પ્રકારની પ્રવૃત્તિમાં હાથ-પગ વગેરેને સંયમમાં રાખવા, કોઈપણ અદત્ત વસ્તુ ગ્રહણ ન કરવી વગેરે સદાચારના નિયમોના પાલન વિશે વારંવાર કહેવામાં આવ્યું છે. સૂત્રકારે ફરી ફરી એ વાતનું સમર્થન કર્યું છે કે સ્ત્રીઓમાં આસક્ત રહેનારા તથા પરિગ્રહમાં મમત્વ રાખનારા શ્રમણો સમાધિ પ્રાપ્ત કરી શકતા નથી. આથી સમાધિપ્રાપ્તિ માટે એ અનિવાર્ય છે કે સ્ત્રીઓમાં આસક્તિ ન રાખવામાં આવે, મૈથુનક્રિયાથી દૂર રહેવામાં આવે અને પરિગ્રહમાં મમત્વ ન રાખવામાં આવે. એકાંત ક્રિયાવાદ અને એકાંત અક્રિયાવાદને અજ્ઞાનમૂલક બતાવતાં સૂત્રકારે કહ્યું છે કે એકાંત ક્રિયાવાદનું અનુસરણ કરનારાઓ તથા એકાંત અક્રિયાવાદનું અનુસરણ કરનારાઓ બંનેય વાસ્તવિક ધર્મ અથવા સમાધિથી ઘણાં દૂર છે. માર્ગ: માર્ગ નામે અગિયારમા અધ્યયનનો વિષય સમાધિ નામના દસમા અધ્યયનના વિષય સાથે મળતો છે. તેની ગાથાસંખ્યા ૩૮ છે. ચૂર્ણિસંમત વાચના અને વૃત્તિસંમત વાચનામાં પાઠભેદ છે. આ અધ્યયનના વિવેચનના પ્રારંભમાં નિર્યુક્તિકારે “માર્ગ શબ્દનો વિવિધ પ્રકારે અર્થ કર્યો છે અને માર્ગના અનેક પ્રકાર બતાવ્યા છે, જેમ કે ફલકમાર્ગ (પટ્ટમાર્ગ), લતામાર્ગ, આંદોલકમાર્ગ (શાખામાર્ગ), વેત્રમાર્ગ, રજજુમાર્ગ, દવનમાર્ગ (વાહનમાર્ગ), બિલમાર્ગ, પાશમાર્ગ, કીલકમાર્ગ, અજમાર્ગ, પક્ષીમાર્ગ, છત્રમાર્ગ, જલમાર્ગ, આકાશમાર્ગ. આ બધા બાહ્ય માર્ગો છે. પ્રસ્તુત અધ્યયનમાં આ Page #227 -------------------------------------------------------------------------- ________________ સૂત્રકૃતાંગ ૧૯૩ માર્ગોની બાબતમાં કંઈ કહેવાયું નથી પરંતુ જેના વડે આત્માને સમાધિ પ્રાપ્ત થાયશાંતિ મળે તે જ માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે. આવો માર્ગ જ્ઞાનમાર્ગ, દર્શનમાર્ગ, ચારિત્રમાર્ગ અને તપોમાર્ગ કહેવાય છે. સંક્ષેપમાં તેનું નામ સંયમમાર્ગ અથવા સદાચારમાર્ગ છે. આ આખા અધ્યયનમાં આહારશુદ્ધિ, સદાચાર, સંયમ, પ્રાણાતિપાતવિરમણ વગેરે પર પ્રકાશ પાડવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે પ્રાણોની પરવા કર્યા વિના આ બધાનું પાલન કરવું જોઈએ. દાનાદિ પ્રવૃત્તિઓનું શ્રમણે ન તો સમર્થન કરવું જોઈએ કે ન નિષેધ; કેમ કે જો તે કહે કે આ પ્રવૃત્તિમાં ધર્મ છે અથવા પુણ્ય છે તો તેમાં થનારી હિંસાનું સમર્થન થાય છે. જેથી પ્રાણીઓની રક્ષા થઈ શકતી નથી અને જો તે કહે કે આ પ્રવૃત્તિમાં ધર્મ નથી અથવા પુણ્ય નથી તો જેને સુખ પહોંચાડવા માટે આ પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને સુખપ્રાપ્તિમાં અંતરાય આવે છે જેથી પ્રાણીઓનું કષ્ટ વધે છે. આવી સ્થિતિમાં શ્રમણ માટે આ પ્રકારની પ્રવૃત્તિઓ પ્રત્યે ઉપેક્ષાભાવ અથવા મૌન રાખવું જ શ્રેષ્ઠ છે. સમવસરણ: બારમા અધ્યયનનું નામ સમવસરણ છે. આ અધ્યયનમાં ૨૨ ગાથાઓ છે. ચૂર્ણિસંમત વાચના અને વૃત્તિસંમત વાચનામાં પાઠભેદ છે. દેવાદિત સમવસરણ અથવા સમોસરણ અહીં વિવક્ષિત નથી. આનો શબ્દાર્થ નિર્યુક્તિકાર સંમેલન અથવા મિલન એટલે કે એકત્ર થવું એવો કર્યો છે. ચૂર્ણિકારે અને વૃત્તિકારે પણ આ અર્થનું સમર્થન કર્યું છે. આ જ અર્થ અહીં અભીષ્ટ છે. સમવસરણ નામક પ્રસ્તુત અધ્યયનમાં વિવિધ મત પ્રવર્તકો અથવા મતોનું સંમેલન છે. આ મતપ્રવર્તકો છે–ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી. ક્રિયાને માનનારા ક્રિયાવાદી કહેવાય છે. તેઓ આત્મા, કર્મફળ વગેરેને માને છે. અક્રિયાને માનનારા અક્રિયાવાદી કહેવાય છે. તેઓ આત્મા, કર્મફળ વગેરેનું અસ્તિત્વ માનતા નથી. અજ્ઞાનને માનનારા અજ્ઞાનવાદી કહેવાય છે. તેઓ જ્ઞાનની ઉપયોગિતા સ્વીકારતા નથી. વિનયને માનનારા વિનયવાદી કહેવાય છે. તેઓ કોઈપણ મતની નિંદા નથી કરતા બલ્ક સમસ્ત પ્રાણીઓનો વિનયપૂર્વક આદર કરે છે. વિનયવાદી લોકો ગધેડાથી માંડી ગાય સુધી તથા ચાંડાળથી માંડી બ્રાહ્મણ સુધીના બધા સ્થળચર, જળચર અને ખેચર પ્રાણીઓને નમસ્કાર કરતા રહે છે. આ જ તેમનો વિનયવાદ છે. પ્રસ્તુત અધ્યયનમાં માત્ર આ ચાર મતો અર્થાત્ વાદોનો જ ઉલ્લેખ છે. સ્થાનાંગસૂત્રમાં અક્રિયાવાદીઓના આઠ પ્રકાર બતાવવામાં આવ્યા છે : એકવાદી, અનેકવાદી, મિતવાદી, નિર્મિતવાદી, • સુખવાદી, સમુચ્છેદવાદી, નિયતવાદી તથા પરલોકાભાવવાદી. સમવાયાંગમાં . ૧. વિશેષ માટે જુઓ-સ્થાનાંગ-સમવાયાંગ(ગુજ.ભાષાં.)–પં. દલસુખ માલવણિયા, પૃ. ૪૪૮. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ અંગઆગમ સૂત્રકૃતાંગનો પરિચય આપતાં ક્રિયાવાદી મતોના ૩૬૩ ભેદોનો માત્ર એક સંખ્યારૂપે નિર્દેશ કરવામાં આવ્યો છે. આ ભેદો કયા કયા છે તે બારામાં ત્યાં કંઈ કહેવાયું નથી. સૂત્રકૃતાંગની નિયુક્તિમાં ક્રિયાવાદીના ૧૮૦, અક્રિયાવાદીના ૮૪, અજ્ઞાનવાદીના ૬૭ અને વિનયવાદીના ૩૨ એમ બધા મળી કુલ ૩૬૩ ભેદોની સંખ્યા બતાવવામાં આવી છે. આ ભેદો કઈ રીતે થયા છે અને તેમના નામો કયા છે તે વિષયમાં નિર્યુક્તિકારે કોઈ ખુલાસો કર્યો નથી. ચૂર્ણિકાર અને વૃત્તિકારે આ ભેદોની નામપૂર્વક ગણતરી કરી છે. પ્રસ્તુત અધ્યયનના પ્રારંભમાં ક્રિયાવાદ વગેરે સંબંધી ચાર વાદીઓનો નામોલ્લેખ છે. અહીં એમ બતાવવામાં આવ્યું છે કે સમવસરણ ચાર જ છે, અધિક નહિ. દ્વિતીય ગાથામાં અજ્ઞાનવાદનું નિરસન છે. સૂત્રકાર કહે છે કે અજ્ઞાનવાદી આમ તો કુશલ છે પરંતુ ધર્મોપાય માટે અકુશલ છે. તેમનામાં વિચાર કરવાની પ્રવૃત્તિનો અભાવ છે. અજ્ઞાનવાદ શું છે અર્થાત્ અજ્ઞાનવાદીઓની માન્યતાનું સ્વરૂપ શું છે તેનું સ્પષ્ટ અને પૂર્ણતયાનિરૂપણ ન તો સૂત્રકારે કર્યું છે કે ન કોઈ ટીકાકારે. જેવી રીતે સૂત્રકારે નિરસનને પ્રધાનતા આપી છે તેવી જ રીતે ટીકાકારોએ પણ તે જ શૈલી અપનાવી છે. પરિણામે બૌદ્ધો સુદ્ધાં અજ્ઞાનવાદીઓની કક્ષામાં મુકાવા લાગ્યા. ત્રીજી ગાથામાં વિનયવાદીઓનું નિરસન છે. ચોથી ગાથાનો પૂર્વાર્ધ વિનયવાદ સંબંધી છે અને ઉત્તરાર્ધ અક્રિયાવાદ સંબંધી છે. પાંચમી ગાથામાં અક્રિયાવાદીઓ પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે તે લોકો અમારા દ્વારા પ્રસ્તુત તર્કનો કોઈ સ્પષ્ટ ઉત્તર આપી શકતા નથી, મિશ્રભાષા દ્વારા છૂટકારો મેળવવાની કોશિશ કરે છે, ઉન્મત્તની માફક બોલે છે અથવા ગૂંગણાની જેમ ચોખ્ખો જવાબ આપી શકતા નથી. છઠ્ઠી ગાથામાં અને પ્રકારના અક્રિયાવાદીઓને સંસારમાં ભ્રમણ કરનારા બતાવવામાં આવ્યા છે. સાતમી ગાથામાં અક્રિયાવાદની માન્યતા આ રીતે બતાવી છે:- સૂર્યનો ઉદય નથી થતો, સૂર્યનો અસ્ત પણ નથી થતો; ચંદ્ર વધતો નથી, ચંદ્ર ઘટતો પણ નથી; નદીઓ પર્વતોમાંથી નીકળતી નથી; વાયુ વહેતો નથી. આ રીતે આ સંપૂર્ણ લોક નિયત છે, વંધ્ય છે, નિષ્ક્રિય છે. અગિયારમી ગાથામાં કહેવામાં આવ્યું છે કે અહીં જે ચાર સમવસરણ અર્થાત્ વાદો બતાવવામાં આવ્યા છે તેમનું તથાગત પુરષો એટલે કે તીર્થકરોએ લોકનું યથાર્થ સ્વરૂપ સમજીને જ પ્રતિપાદન કર્યું છે અને અન્ય વાદોનું નિરસન કરતાં ક્રિયાવાદની પ્રતિષ્ઠા કરી છે. તેમણે બતાવ્યું છે કે જે કંઈ દુઃખ-કર્મ છે તે અન્યકૃત નથી પરંતુ સ્વકૃત છે અને વિજ્ઞા' અર્થાત્ જ્ઞાન તથા “વરી' અર્થાત્ ચારિત્રરૂપ ક્રિયા એ બંને દ્વારા મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. આ ગાથામાં માત્ર જ્ઞાન દ્વારા અથવા માત્ર ક્રિયા દ્વારા મુક્તિ માનનારાઓનું નિરસન છે. આગળની ગાથાઓમાં સંસાર અને તદૂગત આસક્તિનું Page #229 -------------------------------------------------------------------------- ________________ સૂત્રકૃતાંગ ૧૯૫ સ્વરૂપ, કર્મનાશનો ઉપાય, રાગ-દ્વેષરહિતતા, જ્ઞાની પુરુષોનું નેતૃત્વ, બુદ્ધત્વ, અંતકરત્વ, સર્વત્ર સમભાવ, મધ્યસ્થવૃત્તિ, ધર્મપ્રરૂપણા, ક્રિયાવાદપ્રરૂપકત્વ વગેરે પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. માથાતથ્યઃ તેરમા અધ્યયનનું નામ આહત્તહિય-યાથાતથ્ય છે. એમાં ૨૩ ગાથાઓ છે. માથાતથ્યનો અર્થ છે યથાર્થ-વાસ્તવિક–પરમાર્થ-જેવું છે તેવું. આ અધ્યયનની પ્રથમ ગાથામાં જ આહત્તહિય–આધત્તધિજ્જ જાથાતથ્ય શબ્દનો પ્રયોગ થયો છે. અધ્યયનના નામ પરથી તો એમ માલૂમ પડે છે કે તેમાં કોઈ વ્યાપક વસ્તુનું વિવેચન કરવામાં આવ્યું છે. પરંતુ વાત એવી નથી. તેમાં શિષ્યના ગુણ-દોષોની વાસ્તવિક પરિસ્થિતિ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. શિષ્યો કેવી રીતે વિનયી બને છે અને કેવી રીતે અવિનયી બને છે, કેવી રીતે અભિમાની બને છે અને કેવી રીતે સરળ બને છે, કેવી રીતે ક્રોધી બને છે અને કેવી રીતે શાંત બને છે, કેવી રીતે કપટી બને છે અને કેવી રીતે સરળ બને છે, કેવી રીતે લોભી બને છે અને કેવી રીતે નિસ્પૃહ બની રહે છે–આ બધું પ્રસ્તુત અધ્યયનમાં વર્ણવાયું છે. ગ્રંથ અર્થાત્ પરિગ્રહઃ ચૌદમા અધ્યયનનું નામ ગ્રંથ છે. નિર્યુક્તિ વગેરે અનુસાર ગ્રંથનો સામાન્ય અર્થ પરિગ્રહ થાય છે. ગ્રંથ બે પ્રકારનો છે : બાહ્ય ગ્રંથ અને આત્યંતર ગ્રંથ. બાહ્ય ગ્રંથના મુખ્ય દસ પ્રકારો છે: ૧. ક્ષેત્ર, ર.વાસ્તુ, ૩, ધન-ધાન્ય, ૪. જ્ઞાતિજનો અને મિત્રો, ૫. વાહન, ૬. શયન, ૭. આસન, ૮. દાસી, ૯. દાસ, ૧૦. વિવિધ સામગ્રી. આ દસ પ્રકારના બાહ્ય ગ્રંથોમાં મૂચ્છ રાખવી તે જ વાસ્તવિક ગ્રંથ છે. આત્યંતર ગ્રંથના મુખ્ય ચૌદ પ્રકારો છે: ૧. ક્રોધ, ૨. માન, ૩. માયા, ૪. લોભ, ૫. સ્નેહ, ૬. દ્વેષ, ૭. મિથ્યાત્વ, ૮. કામાચાર, ૯. સંયમમાં અરુચિ, ૧૦. અસંયમમાં રુચિ, ૧૧. વિકારી હાસ્ય, ૧૨. શોક, ૧૩. ભય, ૧૪. ધૃણા. જે બંને પ્રકારના ગ્રંથોથી રહિત છે એટલે કે જેમને બંને પ્રકારના ગ્રંથોમાં રુચિ નથી તથા જે સંયમમાર્ગની પ્રરૂપણા કરનારા આચારાંગ વગેરે ગ્રંથોનું અધ્યયન કરનારા છે તેઓ શૈક્ષ અથવા શિષ્ય કહેવાય છે. શિષ્યો બે પ્રકારના હોય છે. દીક્ષાશિષ્ય અને શિક્ષાશિષ્ય. દીક્ષા આપીને બનાવવામાં આવેલ શિષ્ય દીક્ષાશિષ્ય કહેવાય છે. એ જ રીતે શિક્ષા આપીને અર્થાત સૂત્ર વગેરે શીખવીને બનાવાયેલ શિષ્ય શિક્ષાશિષ્ય કહેવાય છે. આચાર્ય અર્થાતુ ગુરુના પણ શિષ્યની માફક જ બે ભેદ છે : દીક્ષા આપનાર ગુરુ-દીક્ષાગુરુ અને શિક્ષા આપનાર ગુરુ-શિક્ષાગુરુ. પ્રસ્તુત અધ્યયનમાં એ બતાવવામાં આવ્યું છે કે આ પ્રકારના ગુરુ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ અંગઆગમ અને શિષ્ય કેવા હોવા જોઈએ, તેમણે કેવી પ્રવૃત્તિ કરવી જોઈએ, તેમના કર્તવ્યો ક્યા હોવા જોઈએ? આમાં ૨૭ ગાથાઓ છે. અધ્યયનની પ્રારંભિક ગાળામાં જ ગ્રંથ શબ્દનો પ્રયોગ છે. વીસમી ગાથામાં “ યાડડસિયાવાય વિયારેજ્ઞા' એવો ઉલ્લેખ છે. તેનો અર્થ એવો છે કે ભિક્ષુએ કોઈને આશીર્વાદ ન આપવો જોઈએ. અહીં “શિ શબ્દનું પ્રાકૃત રૂપ “આસિયા' અથવા “સિગા' થયું છે, જેવી રીતે “’િ શબ્દનું પ્રાકૃત રૂપ “સરિયા” અથવા “ત્રિા’ થાય છે. આચાર્ય હેમચંદ્ર આના માટે સ્પષ્ટનિયમ બનાવ્યો છે જે “ત્રિયમ્ સત્ વિદ્યુત:” (૮.૧.૧૫) સૂત્ર દ્વારા પ્રગટ થાય છે. આમ હોવા છતાં પણ કેટલાક વિદ્વાનો આનો અર્થ એમ કરે છે કે ભિક્ષુએ અસ્યાદ્વાદયુક્ત વચનોનો પ્રયોગ ન કરવો જોઈએ. આ બરાબર નથી. પ્રસ્તુત ગાથામાં સ્યાદ્વાદ અથવા અસ્યાદ્વાદનો કોઈ ઉલ્લેખ નથી અને નત્યાં આ પ્રકારનો કોઈ પ્રસંગ પણ છે. વૃત્તિકારે પણ આનો અર્થ આશીર્વાદના નિષેધરૂપે જ કર્યો છે. આદાન અથવા આદાનીયઃ - પંદરમા અધ્યયનનાં ત્રણ નામો છેઃ આદાન અથવા આદાનીય, સંકલિકા અથવા શૃંખલા અને જમતીત અથવા યમકીય. નિર્યુક્તિકારનું કથન છે કે આ અધ્યયનની ગાથાઓમાં જે પદ પહેલી ગાથાના અંતમાં આવે છે તે જ બીજી ગાથાની શરૂઆતમાં આવે છે અર્થાત્ જે પદનું આદાન પ્રથમ પદ્યના અંતમાં છે તેનું જ આદાન દ્વિતીય પદ્યના પ્રારંભમાં છે તેથી કરીને તેનું નામ આદાન અથવા આદાનીય છે. વૃત્તિકાર કહે છે કે કેટલાક લોકો આ અધ્યયનને સંકલિકા નામથી ઓળખાવે છે. તેના પ્રથમ પદ્યનું અંતિમ વચન અને દ્વિતીય પદ્યનું આદિ વચન સાંકળની માફક જોડાયેલ છે અર્થાત્ તે બંનેની કડીઓ એકસમાન છે તેથી તેનું નામ સંકલિકા અથવા શૃંખલા છે. અધ્યયનનો આદિ શબ્દ જમતીત–= અતીતં છે તેથી તેનું નામ ગમતીત છે અથવા આ અધ્યયનમાં યમક અલંકારનો પ્રયોગ થયો છે. આથી તેનું નામ યમકિય છે, જેનું આર્ષપ્રાકૃતરૂપ ગમે છે. નિર્યુક્તિકારે આનું નામ આદાન અથવા આદાનીય બતાવ્યું છે. બીજા બે નામો વૃત્તિકારે બતાવ્યાં છે. આ અધ્યયનમાં વિવેકની દુર્લભતા, સંયમના સુપરિણામો, ભગવાન મહાવીર અથવા વીતરાગ પુરુષનો સ્વભાવ, સંયમી મનુષ્યની જીવનપદ્ધતિ વગેરેનું નિરૂપણ છે. આમાં વિશેષ નામ અર્થાત્ વ્યક્તિવાચક નામરૂપે ત્રણ વાર “મહાવીર' શબ્દનો તથા એક વાર કાશ્યપ” શબ્દનો ઉલ્લેખ થયો છે. અહીં “કાશ્યપ' શબ્દ પણ ભગવાન મહાવીરનો જ સૂચક છે. આમાં ૨૫ ગાથાઓ છે. અન્ય અધ્યયનોની માફક આમાં પણ ચૂર્ણિસંમત અને વૃત્તિસંમત વાચનામાં ભેદ છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ સૂત્રકૃતાંગ : ૧૯૭ ગાથા: સોળમા અધ્યયનનું નામ ગાહા–ગાથા છે. આ પ્રથમ શ્રુતસ્કંધનું અંતિમ અધ્યયન છે. ગાથાનો અર્થ બતાવતાં નિર્યુક્તિકાર કહે છે કે જે મધુરતાપૂર્વક ગાઈ શકાય તે ગાથા છે. અથવા જેમાં બહુ અર્થસમુદાય એકત્ર કરી સમાવવામાં આવ્યો હોય તે ગાથા છે. અથવા પૂર્વોક્ત પંદર અધ્યયનોને પિંડરૂપે પ્રસ્તુત અધ્યયનમાં સમાવવામાં આવ્યાં છે એટલા માટે પણ તેનું નામ ગાથા છે. નિર્યુક્તિકારે ઉપર સામુદ્ર છંદનું જે નામ આપ્યું છે તેનું લક્ષણ છંદોનુશાસનના છઠ્ઠા અધ્યાયમાં આ પ્રમાણે બતાવવામાં આવ્યું છેઃ મોને સત ને નવ સમુદ્રમ્ | આ લક્ષણ પ્રસ્તુત અધ્યયનને લાગુ પડતું નથી આથી આ વિષયમાં વિશેષ સંશોધનની જરૂર છે. વૃત્તિકારે આ છંદ વિષયમાં એટલું જ લખ્યું છે કે “તન્વેટું છન્દ –નવä ૨ યત્ તો કથા રૂતિ તત્વર્તિઃ પ્રોમ્' અર્થાત જે અનિબદ્ધ છે–છંદોબદ્ધ નથી તેને જગતમાં પંડિતોએ “ગાથા' નામ આપ્યું છે. આનાથી જણાઈ આવે છે કે આ અધ્યયન કોઈપણ પ્રકારના પદ્યમાં નથી છતાં પણ ગાઈ શકાય છે આથી કરી તેનું નામ ગાથા રાખવામાં આવેલ છે. બ્રાહ્મણ, શ્રમણ, ભિક્ષુ અને નિગ્રંથઃ આ અધ્યયનમાં બતાવવામાં આવ્યું છે કે જે સમસ્ત પાપકર્મોથી વિરત છે, રાગઢેબ-કલહ-અભ્યાખ્યાન-પૈ શુન્ય-પરનિદા-અરતિ-રીતિ-માયામુપાવાદમિથ્યાદર્શનશલ્યથી રહિત છે, સમિતિયુક્ત છે, જ્ઞાનાદિગુણસહિત છે, સર્વદા પ્રયત્નશીલ છે, ક્રોધ નથી કરતો, અહંકાર નથી રાખતો તે બ્રાહ્મણ છે. એ જ રીતે જે અનાસક્ત છે, નિદાનરહિત છે, કષાયમુક્ત છે, હિંસા-અસત્ય-બહિદ્ધા (અબ્રહ્મચર્યપરિગ્રહ) રહિત છે તે શ્રમણ છે. જે અભિમાનરહિત છે, વિનયસંપન્ન છે, પરિગ્રહ અને ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરનાર છે, આધ્યાત્મિક વૃત્તિયુક્ત છે, પરદત્તભોજી છે તે ભિક્ષુ છે. જે ગ્રંથરહિત છે—પરિગ્રહાદિરહિત એકાકીછે, એકવિદુછે—માત્ર આત્માનો જ જાણકાર છે, પૂજા-સત્કારનો અર્થી નથી તે નિગ્રંથ છે. આ રીતે પ્રસ્તુત અધ્યયનમાં બ્રાહ્મણ, શ્રમણ, ભિક્ષુ અને નિગ્રંથનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. આ જ બધા અધ્યયનોનો સાર છે. સાત મહાઅધ્યયનોઃ દ્વિતીય શ્રુતસ્કંધમાં સાત અધ્યયનો છે. નિર્યુક્તિકારે આ સાત અધ્યયનોને મહા અધ્યયનો કહ્યાં છે. વૃત્તિકારે તેમને મહાઅધ્યયન કહેવાનું કારણ દર્શાવતાં લખ્યું છે કે પ્રથમ શ્રુતસ્કંધમાં જે વાતો સંક્ષેપમાં કહેવામાં આવી છે તે જ આ અધ્યયનોમાં વિસ્તારથી Page #232 -------------------------------------------------------------------------- ________________ અંગઆગમ બતાવવામાં આવી છે આથી તેમને મહાઅધ્યયનો કહ્યાં છે. આ સાત અધ્યયનોનાં નામ આ પ્રમાણે છે : ૧. પુંડરીક, ૨. ક્રિયાસ્થાન, ૩. આહા૨પરિજ્ઞા, ૪. પ્રત્યાખ્યાનક્રિયા, ૫. આચારશ્રુત અથવા અનગારશ્રુત, ૬. આર્દ્રકીય, ૭. નાલંદીય. આમાંથી આચારશ્રુત અને આર્દ્રકીય એ બે અધ્યયનો પદ્ય રૂપે છે, બાકીના પાંચ ગદ્ય રૂપે. માત્ર આહા૨પરિજ્ઞામાં ચાર જેટલાં પદ્યો આવે છે, બાકીનું આખુ અધ્યયન ગદ્ય રૂપે છે. ૧૯૮ પુંડરીક : જે રીતે પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનમાં ભૂતવાદી, તજ્જીવતચ્છરીરવાદી, આત્મષઠવાદી, ઇશ્વરવાદી, નિયતિવાદી વગેરે વાદીઓના મતોનો ઉલ્લેખ છે તે જ રીતે દ્વિતીય શ્રુતસ્કંધના પુંડરીક નામક પ્રથમ અધ્યયનમાં આ વાદીઓમાંથી કેટલાક વાદીઓના મતોની ચર્ચા છે. પુંડરીકનો અર્થ છે સો પાંખડીઓવાળું ઉત્તમ શ્વેત કમળ. પ્રસ્તુત અધ્યયનમાં પુંડરીકના રૂપકની કલ્પના કરવામાં આવી છે અને તે રૂપકનો ભાવાર્થ સમજાવવામાં આવ્યો છે. રૂપક આ પ્રમાણે છે : એક વિશાળ પુષ્કરિણી છે. તેમાં ચારે બાજુ સુંદર સુંદર કમળો ખીલ્યાં છે. તેમાં બરાબર વચ્ચોવચ્ચ એક પુંડરીક ખીલ્યું છે. ત્યાં પૂર્વ દિશામાંથી એક પુરુષ આવ્યો અને તેણે તે પુંડરીક જોયું. જોઈને તે કહેવા લાગ્યો—હું ક્ષેત્રજ્ઞ (અથવા ખેદજ્ઞ) છું, કુશળ છું, પંડિત છું, વ્યક્ત છું, મેધાવી છું, અબાલ છું, માર્ગસ્થ છું, માર્ગવિદ્છું અને માર્ગ પર પહોંચવા માટેના ગતિપરાક્રમનો પણ જ્ઞાતા છું. હું આ ઉત્તમ કમળ તોડી શકીશ. આમ કહેતાં કહેતાં તે પુષ્કરિણીમાં ઉતર્યો અને જેમ જેમ આગળ વધવા લાગ્યો તેમ તેમ ઊંડું પાણી અને ભારે કીચડ આવવા લાગ્યું. પરિણામે તે કિનારાથી દૂર કીચડમાં ફસાઈ ગયો અને ન આ પાર પાછો આવી શક્યો કે ન પેલે પાર જઈ શક્યો. એ જ રીતે પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણથી આવેલા ત્રણ બીજા પુરુષો તે કીચડમાં ફસાયા. એટલામાં એક સંયમી, નિસ્પૃહ અને કુશળ ભિક્ષુ ત્યાં આવી પહોંચ્યો. તેણે તે ચારે પુરુષોને પુષ્કરિણીમાં ફસાયેલા જોયા અને વિચાર્યું કે આ લોકો અકુશળ, અપંડિત અને અમેધાવી જણાય છે. આ રીતે ક્યાંય કમળ મેળવી શકાય ? હું આ કમળને પ્રાપ્ત કરી શકીશ. એમ વિચારી તે પાણીમાં ન ઊતરતાં કિનારા પર ઊભો રહીને જ કહેવા લાગ્યો—હે ઉત્તમ કમળ ! મારી પાસે ઊડીને આવ, મારી પાસે ઊડીને આવ.આમ કહેતાં જ તે કમળ ત્યાંથી ઊડીને ભિક્ષુ પાસે આવી ગયું. આ રૂપકનો પરમાર્થસાર બતાવતાં સૂત્રકાર કહે છે કે આ સંસાર પુષ્કરિણી સમાન છે. તેમાં કર્મરૂપી પાણી અને કામભોગરૂપી કીચડ ભરેલ છે. અનેક જનપદો Page #233 -------------------------------------------------------------------------- ________________ સૂત્રકૃતાંગ ૧૯૯ ચારેય તરફ ફેલાયેલાં કમળ જેવા છે. મધ્યમાં રહેલ પુંડરીક રાજા સમાન છે. પુષ્કરિણીમાં પ્રવેશનારા ચારેય પુરુષો અન્યતીર્થિકો જેવા છે. કુશળ ભિક્ષુ ધર્મરૂપ છે, કિનારો ધર્મતીર્થરૂપ છે, ભિક્ષુ દ્વારા ઉચ્ચારિત શબ્દો ધર્મકથારૂપ છે અને પુંડરીક કમળનું ઉડવું નિર્વાણ સમાન છે. ઉપર્યુક્ત ચાર પુરુષોમાંથી પ્રથમ પુરુષ તજીવતચ્છરીરવાદી છે. તેના મતે શરીર અને જીવ એક છે–અભિન્ન છે. આ અનાત્મવાદ છે. આનું બીજું નામ નાસ્તિકવાદ પણ છે. પ્રસ્તુત અધ્યયનમાં આ વાદનું વર્ણન છે. આ વર્ણન દીઘનિકાયના સામગ્ગફલસુત્તમાં આવતા ભગવાન બુદ્ધના સમકાલીન અજિત કેશકંબલના ઉચ્છેદવાદના વર્ણનને હૂબહૂ મળતું આવે છે. એટલું જ નહિ, તેના શબ્દોમાં પણ સમાનતા નજરે પડે છે. બીજો પુરુષ પંચભૂતવાદી છે. તેના મતે પાંચ ભૂતો જ યથાર્થ છે, જેમનાથી જીવની ઉત્પત્તિ થાય છે. તજીવતછરીરવાદ અને પંચભૂતવાદમાં અંતર એ છે કે પ્રથમના મતે શરીર અને જીવ એક જ છે અર્થાત્ બંનેમાં કોઈ ભેદ જ નથી જ્યારે બીજાના મતે જીવની ઉત્પત્તિ પાંચ મહાભૂતોના સંમિશ્રણથી શરીર બન્યા પછી થાય છે અને શરીરનો નાશ થતાં જ સાથે જીવનો પણ નાશ થઈ જાય છે. પંચભૂતવાદીની ચર્ચામાં આત્મષષ્ઠવાદીના મતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે પાંચ ભૂતો ઉપરાંત છઠ્ઠા આત્મતત્વની પણ સત્તા સ્વીકારે છે તે આત્મષષ્ઠવાદી છે. વૃત્તિકારે આ વાદીને સાંખ્યનું નામ આપ્યું છે. તૃતીય પુરુષ ઈશ્વરકારણવાદી છે. તેના મતે આ લોક ઇશ્વરકૃત છે અર્થાત્ સંસારનું કારણ ઈશ્વર છે. ચતુર્થ પુરુષ નિયતિવાદી છે. નિયતિવાદનું સ્વરૂપ પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનના દ્વિતીય ઉદ્દેશકની પ્રથમ ત્રણ ગાથાઓમાં બતાવવામાં આવ્યું છે. તે મત અનુસાર જગતની બધી ક્રિયાઓ નિયત છે–અપરિવર્તનીય છે. જે ક્રિયા જે રૂપે નિયત છે તે તે જ રૂપે પૂરી થશે. તેમાં કોઈ કોઈ પણ પ્રકારનું પરિવર્તન કરી શકતું નથી. છેલ્લે આવનાર ભિક્ષુ આ ચારે પુરુષોથી જુદા પ્રકારનો છે. તે સંસારને અસાર સમજીને ભિક્ષુ બન્યો છે અને ધર્મનું વાસ્તવિક સ્વરૂપ સમજીને ત્યાગધર્મનો ઉપદેશ આપે છે કે જેનાથી નિર્વાણની પ્રાપ્તિ થાય છે. આ ધર્મ જિનપ્રણીત છે, વીતરાગકથિત છે. જેઓ અનાસક્ત છે, નિસ્પૃહ છે, અહિંસા વગેરેને જીવનમાં મૂર્ત રૂપ આપનાર છે તેઓ નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે. તેનાથી વિપરીત આચરણ કરનારાઓ મોક્ષ પ્રાપ્ત કરી શક્તા નથી. આ જ પ્રથમ અધ્યયનનો સાર છે. આ અધ્યયનના કેટલાક વાક્યો અને Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ અંગઆગમ શબ્દો આચારાંગના વાક્યો અને શબ્દો સાથે મળતા આવે છે. ક્રિયાસ્થાન: ક્રિયાસ્થાન નામક દ્વિતીય અધ્યયનમાં વિવિધ ક્રિયાસ્થાનોનો પરિચય આપવામાં આવ્યો છે. ક્રિયાસ્થાનનો અર્થ છે પ્રવૃત્તિનું નિમિત્ત. વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનાં વિવિધ કારણો હોય છે. આ જ કારણોને પ્રવૃત્તિનિમિત્તો અથવા ક્રિયાસ્થાનો કહે છે. આ ક્રિયાસ્થાનો વિષયમાં પ્રસ્તુત અધ્યયનમાં પર્યાપ્ત પ્રકાશ પાડવામાં આવ્યો છે. ક્રિયાસ્થાનો મુખ્યત્વે બે પ્રકારના છે :- ધર્મક્રિયાસ્થાન અને અધર્મક્રિયાસ્થાન. અધર્મક્રિયાસ્થાનના બાર પ્રકાર છે : ૧. અર્થદંડ, ૨. અનર્થદંડ, ૩. હિંસાદંડ, ૪. અકસ્માતદંડ, ૫. દષ્ટિવિપર્યાલદંડ, ૬. મૃષાપ્રત્યયદંડ, ૭. અદત્તાદાનપ્રત્યયદંડ, ૮. અધ્યાત્મપ્રત્યયદંડ, ૯. માનપ્રત્યયદંડ, ૧૦. મિત્રદોષપ્રત્યયદંડ, ૧૧. માયાપ્રત્યયદંડ, ૧૨. લોભપ્રત્યયદંડ. ધર્મક્રિયાસ્થાનમાં ધર્મહતુક પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. આ રીતે ૧૨અધર્મક્રિયાસ્થાનો અને ૧ ધર્મક્રિયાસ્થાન મળી આ ૧૩ ક્રિયાસ્થાનોનું નિરૂપણ પ્રસ્તુત અધ્યયનનો વિષય છે. ૧. હિંસા વગેરે દૂષણયુક્ત જે પ્રવૃત્તિ કોઈપણ પ્રયોજન માટે કરવામાં આવે છે તે અર્થદંડ છે. તેમાં પોતાની જાતિ, કુટુંબ, મિત્ર વગેરે માટે કરવામાં આવતી ત્રસ અથવા સ્થાવર જીવોની હિંસાનો સમાવેશ થાય છે. ૨. કોઈ પ્રયોજન વિના જ માત્ર આદતને કારણે અથવા મનોરંજન માટે કરવામાં આવનારી હિંસા વગેરે દૂષણયુક્ત પ્રવૃત્તિ અનર્થદંડ છે. ૩. અમુક પ્રાણીઓએ મને અથવા મારા કોઈ સંબંધીને માર્યો હતો, માર્યો છે અથવા મારનાર છે–એવું સમજીને જે મનુષ્ય તેમને મારવાની પ્રવૃત્તિ કરે છે તે હિંસાદંડનો ભાગીદાર થાય છે. ૪. મૃગાદિને મારવાની ભાવનાથી બાણ વગેરે છોડતાં અકસ્માત કોઈ અન્ય પક્ષી વગેરેનો વધ થવાનું નામ અકસ્માદંડ છે. ૫. દષ્ટિમાં વિપર્યાસ થવાથી મિત્ર વગેરેને અમિત્ર આદિ બુદ્ધિથી મારી નાખવાનું નામ દષ્ટિવિપર્યાસદંડ છે. ૬. પોતાને માટે, પોતાના કુટુંબ માટે અથવા બીજા કોઈને માટે જૂઠું બોલવું, જૂઠું બોલાવવું કે જૂઠું બોલનારાનું સમર્થન કરવું મૃષાપ્રત્યયદંડ છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ સૂત્રકૃતાંગ ૭. એ જ રીતે ચોરી કરવી, કરાવવી અથવા કરનારાનું સમર્થન કરવું તે અદત્તાદાનપ્રત્યયદંડ છે. ૮. હંમેશા ચિંતામાં ડૂબ્યા રહેવું, ઉદાસ રહેવું, ભયભીત રહેવું, સંકલ્પ-વિકલ્પમાં મગ્ન રહેવું તે અધ્યાત્મપ્રત્યયદંડ છે. આ પ્રકારના મનુષ્યનાં મનમાં ક્રોધ વગેરે કષાયોની પ્રવૃત્તિ ચાલતી જ રહે છે. ૯. જાતિમદ, કુળમદ, બળમદ, રૂપમદ, જ્ઞાનમદ, લાભમદ, ઐશ્વર્યમદ, પ્રજ્ઞામદ વગેરેના કારણે બીજાને હીન સમજવા તે માનપ્રત્યયદંડ છે. ૧૦. પોતાની સાથે રહેનારાઓમાંથી કોઈનો જરા જેટલો પણ અપરાધ થતાં તેને ભારે દંડ દેવો તે મિત્રદોષપ્રત્યયદંડ છે. આ પ્રકારનો દંડ આપનાર મહાપાપનો ભાગીદાર બને છે. ૧૧. કપટપૂર્વક અનર્થકારી પ્રવૃત્તિ કરનારાઓ માયાપ્રત્યયદંડના ભાગીદાર બને H ૨૦૧ ૧૨. લોભના કારણે હિંસક પ્રવૃત્તિમાં ફસાનારા લોભપ્રત્યયદંડનું ઉપાર્જન કરે છે. આવા લોકો આલોક અને પરલોક બંનેમાં દુ:ખી થાય છે. ૧૩. તેરમું ક્રિયાસ્થાન ધર્મહેતુક પ્રવૃત્તિનું છે. જે આ પ્રકારની પ્રવૃત્તિ ધીરે ધીરે વધારે છે તેઓ યતનાપૂર્વક સમસ્ત પ્રવૃત્તિ કરનારા, જિતેન્દ્રિય, અપરિગ્રહી, પંચસમિતિ અને ત્રિગુપ્તિયુક્ત હોય છે તથા અંતતોગત્વા નિર્વાણ પ્રાપ્ત કરે છે. આ રીતે નિર્વાણના ઇચ્છુકો માટે આ તેરમું ક્રિયાસ્થાન આચરણીય છે. પહેલા બારે ક્રિયાસ્થાનો હિંસાપૂર્ણ છે. તેમનાથી સાધકે દૂર રહેવું જોઈએ. બૌદ્ધ દૃષ્ટિએ હિંસા : બૌદ્ધ પરંપરામાં હિંસક પ્રવૃત્તિની પરિભાષા જુદા પ્રકારની છે. તેઓ એવું માને છે કે નીચેની પાંચ અવસ્થાઓની ઉપસ્થિતિમાં જ હિંસા થઈ કહી શકાય, અને આ જ પ્રકારની હિંસા કર્મબંધનનું કારણ બને છે ઃ ૧. માર્યું જના૨ પ્રાણી હોવું જોઈએ. ૨. મારનારાને ‘આ પ્રાણી છે’ એવું સ્પષ્ટ ભાન હોવું જોઈએ. ૩. મારનારો એમ સમજતો હોવો જોઈએ કે ‘હું આને મારી રહ્યો છું’. ૪. સાથે જ શારીરિક ક્રિયા થવી જોઈએ. ૫. શારીરિક ક્રિયાની સાથે પ્રાણીનો વધ પણ થવો જોઈએ. Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ અંગઆગમ આ શરતો જોતાં બૌદ્ધ પરંપરામાં અકસ્માદંડ, અનર્થદંડ વગેરે હિંસારૂપ ગણી શકાય નહિ. જૈન પરિભાષા અનુસાર રાગ-દ્વેષજન્ય પ્રત્યેક પ્રકારની પ્રવૃત્તિ હિંસારૂપ હોય છે જે વૃત્તિ અર્થાત્ ભાવનાની તીવ્રતા-મંદતા અનુસાર કર્મબંધનું કારણ બને છે. પ્રસંગવશ સૂત્રકારે અષ્ટાંગનિમિત્ત અને અંગવિદ્યા વગેરે વિવિધ વિદ્યાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. દીઘનિકાયના સામગ્ગફલસુત્તમાં પણ અંગવિદ્યા, ઉત્પાતવિદ્યા, સ્વપ્રવિદ્યા વગેરેનાં લક્ષણોનો આ જ રીતે ઉલ્લેખ છે. આહારપરિજ્ઞા : આહારપરિજ્ઞા નામે તૃતીય અધ્યયનમાં બધાં સ્થાવર અને ત્રસ પ્રાણીઓનાં જન્મ તથા આહારસંબંધી વિસ્તૃત વિવેચન છે. આ અધ્યયનનો પ્રારંભ બીજકાયો–અઝબીજ, મૂલબીજ, પર્વબીજ અને સ્કંધબીજ–ના આહારની ચર્ચા વડે થાય છે. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને વનસ્પતિ સ્થાવર છે. પશુ, પક્ષી, કીટ, પતંગ ત્રસ છે. મનુષ્ય પણ ત્રસ છે. મનુષ્યની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તેનું નિરૂપણ પણ પ્રસ્તુત અધ્યયનમાં છે. મનુષ્યના આહાર વિષયમાં આ અધ્યયનમાં એમ બતાવવામાં આવ્યું છે: મોય —ાસં તસથાવરે ય પાળે અર્થાતુ મનુષ્યનો આહાર ઓદન, કુલ્માષ અને ત્રસ તથા સ્થાવર પ્રાણીઓ છે. આ આખા અધ્યયનમાં સૂત્રકારે દેવ અથવા નારકના આહારની કોઈ ચર્ચા કરી નથી. નિર્યુક્તિ તેમ જ વૃત્તિમાં તે વિષે ચર્ચા છે. તેમાં આહારના ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે: ઓજ આહાર, રોમ આહાર અને પ્રક્ષેપ આહાર. જ્યાં સુધી દશ્ય શરીર ઉત્પન્ન ન થયું હોય ત્યાં સુધી તૈજસ અને કાર્પણ શરીર દ્વારા જે આહાર ગ્રહણ કરવામાં આવે છે તે ઓજ આહાર છે. અન્ય આચાર્યોના મતે જ્યાં સુધી ઇન્દ્રિયો શ્વાસોચ્છવાસ, મન વગેરેનું નિર્માણ ન થયું હોય ત્યાં સુધી માત્ર શરીરપિંડ દ્વારા જે આહાર ગ્રહણ કરવામાં આવે છે તે ઓજ આહાર કહેવાય છે. રોમકૂપ દ્વારા ચામડી દ્વારા ગૃહીત આહારનું નામ રોમાહાર છે. કવલ દ્વારા એટલે કે કોળિયા વડે લેવામાં આવતો આહાર પ્રક્ષેપ આહાર છે. દેવો અને નારકોનો આહાર રોમાહાર અથવા લોમાહાર કહેવાય છે. તે નિરંતર ચાલુ રહે છે. આ વિષયમાં અન્ય આચાર્યોનો મત આવો છે—જે સ્થળ પદાર્થ જીભ દ્વારા આ શરીરમાં પહોંચાડવામાં આવે છે તે પ્રક્ષેપ આહાર છે. જે નાક, આંખ, કાન દ્વારા ગ્રહણ કરવામાં આવે છે અને ધાતુરૂપે પરિણત થાય છે તે જ આહાર છે તથા જે માત્ર ચામડી દ્વારા ગ્રહણ કરવામાં આવે છે તે રોમાહાર–લોમાહાર છે. બૌદ્ધ પરંપરામાં આહારનો એક પ્રકાર કવલીકાર આહાર માનવામાં આવ્યો છે જે ગંધ, રસ અને સ્પર્શરૂપ છે. તે ઉપરાંત સ્પર્શ આહાર, મનસ્સચેતના અને વિજ્ઞાનરૂપ Page #237 -------------------------------------------------------------------------- ________________ સૂત્રકૃતાંગ ૨૦૩ ત્રણ પ્રકારના આહાર વધારાના માનવામાં આવેલ છે. કવલીકાર આહાર બે પ્રકારનો છે. ઔદારિક-સ્થૂળ આહાર અને સૂક્ષ્મ આહાર. જન્માંતર પ્રાપ્ત કરતી વેળાએ ગતિમાં રહેલા જીવોનો આહાર સૂક્ષ્મ હોય છે. સૂક્ષ્મ પ્રાણીઓનો આહાર પણ સૂક્ષ્મ જ હોય છે. કામાદિ ત્રણ ધાતુઓમાં સ્પર્શ, મનસ્સચેતના અને વિજ્ઞાનરૂપ આહાર છે.' આહારપરિણા નામક પ્રસ્તુત અધ્યયનમાં એ સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે કે જીવની હિંસા કર્યા વિના આહારની પ્રાપ્તિ અશક્ય છે. સમસ્ત પ્રાણીઓની ઉત્પત્તિ અને આહારને દૃષ્ટિમાં રાખતાં આ વાત સહેલાઈથી ફલિત કરી શકાય છે. આ અધ્યયનના અંતમાં સંયમપૂર્વક આહાર પ્રાપ્ત કરવાના પ્રયાસ પર ભાર આપવામાં આવ્યો છે કે જેથી જીવહિંસા ઓછામાં ઓછી થાય. પ્રત્યાખ્યાન: ચતુર્થ અધ્યયનનું નામ પ્રત્યાખ્યાનક્રિયા છે. પ્રત્યાખ્યાનનો અર્થ છે અહિંસા વગેરે મૂળ ગુણો અને સામાયિક વગેરે ઉત્તર ગુણોના આચરણમાં બાધક બનતી પ્રવૃત્તિઓનો યથાશક્તિ ત્યાગ. પ્રસ્તુત અધ્યયનમાં આ પ્રકારની પ્રત્યાખ્યાનક્રિયા સંબંધી નિરૂપણ છે. આ પ્રત્યાખ્યાનક્રિયા નિરવદ્ય અનુષ્ઠાનરૂપ હોવાને કારણે આત્મશુદ્ધિ માટે સાધક છે. તેનાથી વિપરીત અપ્રત્યાખ્યાનક્રિયા સાવદ્ય અનુષ્ઠાનરૂપ હોવાને કારણે આત્મશુદ્ધિ માટે બાધક છે. પ્રત્યાખ્યાન ન કરનારને ભગવાને અસંયત, અવિરત, પાપક્રિયા અસંવૃત, બાલ અને સુખ કહેલ છે. એવો પુરુષ વિવેકહીન હોવાને કારણે સતત કર્મબંધ કરતો રહે છે. જો કે આ અધ્યયનનો પ્રારંભ પણ પહેલાંના અધ્યયનોની જેમ જ “હે આયુષ્મન્! મેં સાંભળ્યું છે કે ભગવાને આમ કહ્યું છે એનાથી થાય છે તો પણ આ અધ્યયન સંવાદરૂપ છે. તેમાં એક પૂર્વપક્ષી અથવા પ્રેરક શિષ્ય છે અને બીજા ઉત્તરપક્ષી અથવા સમાધાનકર્તા આચાર્ય છે. આ અધ્યયનનો સાર એ છે કે જે આત્મા ષકાયના જીવોના વધના ત્યાગની વૃત્તિવાળો નથી તથા જેણે તે જીવોને કોઈપણ સમયે મારવાની છૂટ રાખી છે તે આત્મા આ છએ પ્રકારના જીવોની સાથે અનિવાર્યપણે મિત્રપણે વ્યવહાર કરવાની વૃત્તિથી બંધાયેલ નથી. તે જ્યારે ઇચ્છે ત્યારે ગમે તેનો વધ કરી શકે છે. તેના માટે પાપકર્મના બંધનની નિરંતર સંભાવના રહે છે અને કોઈપણ હદ સુધી તે નિત્ય પાપકર્મ બાંધતો પણ રહે છે, કેમ કે પ્રત્યાખ્યાનના અભાવમાં તેની ભાવના સદા સાવદ્ય અનુષ્ઠાનરૂપ રહે છે. આ વાત સ્પષ્ટ કરવા માટે સૂત્રકારે એક સુંદર ઉદાહરણ આપ્યું છે. એક વ્યક્તિ વધક છે–વધ કરનારો છે. તેણે એમ વિચાર્યું કે અમુક ગૃહસ્થ, ૧. જુઓ–અભિધર્મકોશ, તૃતીય કોશસ્થાન, ગ્લો. ૩૮-૪૪. Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨O૪ અંગઆગમ ગૃહસ્થપુત્ર, રાજા અથવા રાજપુરુષની હત્યા કરવી છે. હમણાં થોડીક વાર સૂઈ જાઉં અને પછી તેના ઘરમાં ઘૂસી લાગ મળતાં જ તેનું કામ પતાવી દઉં. આમ વિચારનારા તેના મનમાં તે સૂતો હોય કે જગતો હોય, ચાલતો હોય કે બેઠો હોય નિરંતર હત્યાની ભાવના રહેલી જ હોય છે. તે કોઈપણ સમયે પોતાની હત્યાની ભાવનાને ક્રિયારૂપમાં બદલી શકે છે. પોતાની આ દુષ્ટ મનોવૃત્તિને કારણે તે પ્રતિક્ષણ કર્મબંધ કરતો રહે છે. એ જ રીતે જે જીવો સર્વથા સંયમહીન છે, પ્રત્યાખ્યાનરહિત છે તે બધા જીવનિકાય પ્રતિ હિંસક ભાવના રાખવાને કારણે નિરંતર કર્મબંધ કરતા રહે છે. આથી સંયમી માટે સાવદ્ય યોગનું પ્રત્યાખ્યાન આવશ્યક છે. જેટલા અંશે સાવદ્યવૃત્તિનો ત્યાગ કરવામાં આવે છે તેટલા જ અંશમાં પાપકર્મનું બંધન અટકે છે. આ જ પ્રત્યાખ્યાનની ઉપયોગિતા છે. અસંયત અને અવિરતને માટે અમર્યાદિત મનોવૃત્તિનાં કારણે પાપનાં બધાં દ્વારો ખુલ્લાં રહે છે આથી તેને સર્વ પ્રકારનાં પાપબંધનની સંભાવના રહે છે. આ સંભાવનાને અલ્પ અથવા મર્યાદિત કરવા માટે પ્રત્યાખ્યાનરૂપ ક્રિયાની આવશ્યકતા છે પ્રસ્તુત અધ્યયનની વૃત્તિમાં વૃત્તિકારે નાગાર્જુનીય વાચનાનું પાઠાંતર આપ્યું છે. આ પાઠાંતર માધુરીવાચનાના મૂળ પાઠની અપેક્ષાએ અધિક વિશદ અને સુબોધ છે. આચારશ્રુત : પાંચમા અધ્યયનનાં બે નામ છે : આચારશ્રુત અને અનગારશ્રુત. નિયુક્તિકારે આ બે નામોનો ઉલ્લેખ કર્યો છે. આ આખું અધ્યયન પદ્યમાં છે. આમાં ૩૩ ગાથાઓ છે. નિર્યુક્તિકારના કથન અનુસાર આ અધ્યયનનો સાર “અનાચારોનો ત્યાગ કરવો એ છે. જ્યાં સુધી સાધકને આચારનું પૂરું જ્ઞાન નથી હોતું ત્યાં સુધી તે તેનું બરાબર પાલન કરી શકતો નથી. અબહુશ્રુત સાધકને આચાર-અનાચારના ભેદની જાણ કેવી રીતે થઈ શકે? આવી જાતના મુમુક્ષુ દ્વારા આચારની વિરાધના થવાની ઘણી સંભાવના રહે છે. આથી આચારની સમ્યફ આરાધના માટે સાધકે બહુશ્રુત હોવું આવશ્યક છે. પ્રસ્તુત અધ્યયનની પ્રથમ અગિયાર ગાથાઓમાં અમુક પ્રકારના એકાંતવાદને અનાચરણીય બતાવતાં તેનો નિષેધ કરવામાં આવ્યો છે. આગળ લોક નથી, અલોક નથી, જીવ નથી, અજીવ નથી, ધર્મ નથી, અધર્મ નથી, બંધ નથી, મોક્ષ નથી, પુણ્ય નથી, પાપ નથી, આશ્રવ નથી, સંવર નથી, વેદના નથી, નિર્જરા નથી, ક્રિયા નથી, અક્રિયા નથી, ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ-સંસાર-દેવ-દેવી-સિદ્ધિ-અસિદ્ધિ નથી, સાધુ-અસાધુ-કલ્યાણ-અકલ્યાણ નથી–વગેરે માન્યતાઓને અનાચરણીય બતાવતાં લોક વગેરેના અસ્તિત્વ પર શ્રદ્ધા રાખવા તથા તેને અનુરૂપ આચરણ કરવા માટે કહેવામાં આવ્યું છે. અંતની કેટલીક ગાથાઓમાં અણગારે અમુક પ્રકારની ભાષા ન Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ સૂત્રકૃતાંગ બોલવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. આદ્રકુમારઃ આદ્રીય નામક છઠું અધ્યયન પણ આખું પદ્યમય છે. તેમાં કુલ ૫૫ ગાથાઓ છે. અધ્યયનના પ્રારંભમાં જ “પુરઝડું અદ્ ! રૂબં સુદ અર્થાત્ “હે આÁ ! તું આ પૂર્વકૃત સાંભળ' એ રીતે આદ્રને સંબોધીને કહેવામાં આવ્યું છે. આનાથી એ પ્રગટ થાય છે કે આ અધ્યયનમાં ચર્ચિત વાદ-વિવાદનો સંબંધ “આર્ટ્સ સાથે છે. નિર્યુક્તિકારે આ આદ્રને આદ્ર નામક નગરનો રાજકુમાર બતાવ્યો છે. એ રાજા શ્રેણિકના પુત્ર અભયકુમારનો મિત્ર હતો. અનુશ્રુતિ એવી છે કે આદ્રપુર અનાર્ય દેશમાં હતું. કેટલાક લોકોએ “અ૬-આર્ટ શબ્દની તુલના ‘એડન સાથે પણ કરી છે. આર્કિપુરના રાજા અને મગધરાજ શ્રેણિક વચ્ચે સ્નેહસંબંધ હતો. એટલા માટે અભયકુમારનો પણ આદ્રકુમાર સાથે પરિચય થયો. નિર્યુક્તિકારે લખ્યું છે કે અભયકુમારે પોતાના મિત્ર આદ્રકુમારને જિન ભગવાનની પ્રતિમા ભેટ મોકલી હતી. તેનાથી તેને બોધ થયો અને તે અભયકુમારને મળવા માટે ઉત્સુક બન્યો. પૂર્વ જન્મનું જ્ઞાન થવાને કારણે આર્દ્રકુમારનું મન કામભોગોથી વિરક્ત બની ગયું અને તેણે પોતાના દેશમાંથી ભાગીને પોતાની જાતે જ પ્રવ્રજ્યા ગ્રહણ કરી લીધી. સંયોગવશ તેને એકવાર સાધુવેશ છોડી ગૃહસ્થધર્મમાં પ્રવેશવું પડ્યું. ફરી સાધુવેશ સ્વીકારી તે જયાં ભગવાન મહાવીર ઉપદેશ આપી રહ્યા હતા ત્યાં જવા માટે નીકળ્યો. માર્ગમાં તેને ગોશાલકના અનુયાયી ભિક્ષુઓ, બૌદ્ધ ભિક્ષુઓ, બ્રહ્મવૃતીઓ (ત્રિદંડીઓ), હસ્તિતાપસો વગેરે મળ્યા. આદ્રકુમાર અને આ ભિક્ષુઓ વચ્ચે જે વાદવિવાદ થયો તે જ પ્રસ્તુત અધ્યયનમાં વર્ણવાયો છે. આ અધ્યયનની પ્રારંભિક પચ્ચીસ ગાથાઓમાં આદ્રકુમારનો ગોશાલકના ભિક્ષુઓ સાથેનો વાદવિવાદ છે. તેમાં આ ભિક્ષુઓએ ભગવાન મહાવીરની નિંદા કરી છે અને બતાવ્યું છે કે આ મહાવીર પહેલાં તો ત્યાગી હતો, એકાંતમાં રહેતો હતો, ઘણુંખરું મૌન રાખતો હતો; પરંતુ હવે આરામમાં રહે છે, સભામાં બેસે છે, મૌનનું સેવન નથી કરતો. આ જાતના બીજા પણ આક્ષેપો આ ભિક્ષુઓએ ભગવાન મહાવીર ઉપર કર્યા છે. આદ્રમુનિએ આ તમામ આક્ષેપોનો ઉત્તર આપ્યો છે. આ વાદવિવાદના મૂળમાં ક્યાંય પણ ગોશાલકનું નામ નથી. નિર્યુક્તિકાર અને વૃત્તિકારે તેનો સંબંધ ગોશાલક સાથે જોડ્યો છે. આ વાદવિવાદ વાંચવાથી એમ જણાય છે કે પૂર્વપક્ષી મહાવીરનો બધી રીતે પરિચિત માણસ હોવો જોઈએ. આ માણસ ગોશાલક સિવાય બીજો કોઈ ન હોઈ શકે. એટલા માટે આ વાદવિવાદનો સંબંધ ગોશાલકના અનુયાયી ભિક્ષુઓ સાથે જોડવામાં આવ્યો છે જે ઉચિત જ છે. આગળ જતાં બૌદ્ધ ભિક્ષુઓ સાથેનો વાદવિવાદ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ અંગઆગમ છે. એમાં તો બુદ્ધ શબ્દ જ આવ્યો છે. સાથે જ બૌદ્ધ પરિભાષાના પદોનો પ્રયોગ પણ થયો છે. આ વાદવિવાદ બેતાલીસમી ગાથા સુધી છે. ત્યારબાદ બ્રધ્વતી (ત્રિદંડી)નો વાદવિવાદ આવે છે. તે એકાણુમી ગાથા સુધી છે. અંતિમ ચાર ગાથાઓમાં હસ્તિતાપસનો વાદવિવાદ છે. બ્રહ્મવ્રતીને નિર્યુક્તિકારે ત્રિદંડી કહેલ છે જ્યારે વૃત્તિકારે એકદંડી પણ કહેલ છે. ત્રિદંડી હોય કે એકદંડી બધા બ્રહ્મવતીઓ વેદવાદી છે. તેમણે આતમતને વેદબાહ્ય હોવાને કારણે અગ્રાહ્ય માન્યો છે. હસ્તિતાપસ સંપ્રદાયનો સમાવેશ પ્રથમ શ્રુતસ્કંધ અંતર્ગત કુશીલ નામના સાતમા અધ્યયનમાં વર્ણવાયેલ અસંયમીઓમાં થાય છે. આ સંપ્રદાયના મત અનુસાર પ્રતિદિન ખાવા માટે અનેક જીવોની હિંસા કરવાને બદલે એક મોટા હાથીને મારી તેને આખા વર્ષ સુધી ખાવો તે સારું છે. આ તાપસો આવી જ રીતે પોતાનો જીવનનિર્વાહ કરતા હતા આથી તેમનું “હસ્તિતાપસ” નામ પ્રસિદ્ધ થયું. નાલંદા : સાતમા અધ્યયનનું નામ નાલંદીય છે. આ સૂત્રકૃતાંગનું અંતિમ અધ્યયન છે. રાજગૃહની બહાર ઉત્તરપૂર્વમાં એટલે કે ઈશાન કોણમાં આવેલ નાલંદાની પ્રસિદ્ધિ જેટલી જૈન આગમોમાં છે તેટલી જ બૌદ્ધ પિટકોમાં પણ છે. નિર્યુક્તિકારે “વાર્તા પદનો અર્થ બતાવતાં કહ્યું છે કે “મન્ના ' આ રીતે ત્રણ શબ્દોથી બનનાર નાનંફા નામ સ્ત્રીલિંગનું છે. તા એટલે દેવું –દાન આપવું, એટલે નહિ અને અન્ન એટલે બસ. આ ત્રણે અર્થોનો સંયોગ કરવાથી જે અર્થ નીકળે છે તે એ છે કે જયાં દાન દેવાની વાતમાં કોઈના ય તરફથી ઇન્કાર નથી–ન્ના નથી અર્થાત જે જગ્યાએ દાન દેવા માટે કોઈ મનાઈનથી કરતું તે જગ્યાનું નામ નાલંદા છે. લેનાર ભલે શ્રમણ હોય કે બ્રાહ્મણ, આજીવક હોય કે પરિવ્રાજક બધા માટે અહીં દાન સુલભ છે. કોઈનાય માટે કોઈ પણ પ્રકારની મનાઈ નથી. કહેવામાં આવે છે કે રાજા શ્રેણિક તથા બીજા મોટા મોટા સામંતો, શેઠો વગેરે નરેન્દ્રો અહીં રહેતા હતા આથી તેનું નામ “નરેન્દ્ર પ્રસિદ્ધ થયું. માગધી ઉચ્ચારણની પ્રક્રિયા અનુસાર “નરેન્દ્રનું “નાને' અને પછી હ્રસ્વ થતાં “માહિતર તથા ફનો “” થતાં નાલંદ્ર થવું સ્વાભાવિક છે. નાલંદાની આ વ્યુત્પત્તિ વધુ યોગ્ય જણાય છે. ઉદક પેઢાલપુત્રઃ નાલંદામાં લેવ નામક એક ઉદાર અને વિશ્વાસપાત્ર ગૃહસ્થ રહેતો હતો. તે જૈન પરંપરા અને જૈન ધર્મનો અસાધારણ શ્રદ્ધાળુ હતો. તેના પરિચય માટે સૂત્રમાં અનેક વિશેષણો વપરાયાં છે. તે જૈન શ્રમણોપાસક હોવાને કારણે જૈન તત્ત્વજ્ઞાનથી પૂરો Page #241 -------------------------------------------------------------------------- ________________ સૂત્રકૃતાંગ ૨૦૭ પરિચિત હતો અને તે વિષયની બધી વાતો નિશ્ચિતપણે સમજતો હતો. તેનાં દ્વાર દાન માટે હંમેશા ખુલ્લાં રહેતાં હતાં. તેને રાજાના અંતઃપુરમાં જવા આવવાની છૂટ હતી અર્થાત તે એટલો વિશ્વાસપાત્ર હતો કે રાજભંડારમાં તો શું રાણીઓના નિવાસસ્થાનમાં પણ તેને પ્રવેશવાની છૂટ હતી. નાલંદાના ઇશાન ખૂણામાં લેવ દ્વારા બનાવાયેલ સંસદવિયા-શેષદ્રવ્યા નામની એક વિશાળ ઉદકશાલા-પરબ હતી. શેષદ્રવ્યાનો અર્થ બતાવતાં વૃત્તિકારે લખ્યું છે કે લેવે જ્યારે પોતાને રહેવા માટે મકાન બંધાવ્યું ત્યારે તેમાંથી બચેલી સામગ્રી (શેષદ્રવ્ય) વડે આ ઉદકશાલાનું નિર્માણ કરાવ્યું. આથી તેનું નામ શેષદ્રવ્યા રાખ્યું. આ ઉદકશાલાના ઈશાન ખૂણામાં હત્યિજામહસ્તિયામ નામનો એક વનખંડ હતો. આ વનખંડ ઘણો ઠંડો હતો. આ વનખંડમાં એક વખત ગૌતમ ઇન્દ્રભૂતિ ઊતર્યા હતા. તે સમયે મેયગોત્રીય પેઢાલપુખ્ત ઉદય નામે એક પાર્વાપત્યીય નિગ્રંથ ગૌતમની પાસે આવ્યો અને બોલ્યો–હે આયુષ્માન્ ગૌતમ ! હું કંઈક પૂછવા ઇચ્છું છું. આપ તેનો યથાશ્રુત અને યથાદર્શી ઉત્તર આપો. ગૌતમે કહ્યું–હે આયુષ્માન્ ! પ્રશ્ન સાંભળ્યા અને સમજ્યા પછી તે વિશે ચર્ચા કરીશ. ઉદય નિગ્રંથે પૂછ્યું–હે આયુષ્માન્ ગૌતમ ! આપના પ્રવચનનો ઉપદેશ આપનાર કુમારપુત્તિય–કુમારપુત્ર નામે શ્રમણ નિગ્રંથ શ્રાવકને જ્યારે પ્રત્યાખ્યાન–ત્યાગ કરાવે છે ત્યારે આમ કહે છે કે અભિયોગને છોડીને ગૃહપતિચૌરવિમોક્ષણન્યાય અનુસાર તમારો ત્રસ પ્રાણીઓની હિંસાનો ત્યાગ છે. આ પ્રકારનું પ્રત્યાખ્યાન દુષ્પત્યાખ્યાન છે. આનાથી પ્રત્યાખ્યાન કરાવનાર અને ૧. અભિયોગ અર્થાત રાજાની આજ્ઞા, ગણની આજ્ઞા–ગણતંત્રાત્મક રાજ્યની આજ્ઞા, બળવાનની આજ્ઞા, માતાપિતા વગેરેની આજ્ઞા તથા આજીવિકાનો ભય. આટલી પરિસ્થિતિઓની અનુપસ્થિતિમાં ત્રણ પ્રાણીઓની હિંસાનો ત્યાગ કરવો. ૨. ગૃહપતિચૌરવિમોક્ષણન્યાય આ રીતે છે - કોઈ ગૃહસ્થના છ પુત્રો હતા. તે છએ કોઈ અપરાધમાં ફસાયા. રાજાએ તે છએને ફાંસીનો દંડ કર્યો. આ જાણીને તે ગૃહસ્થ રાજા પાસે આવ્યો અને નિવેદન કરવા લાગ્યો–મહારાજ! જો મારા છએ પુત્રોને ફાંસી મળશે તો હું અપુત્ર બની જઈશ. મારો વંશ કેવી રીતે આગળ ચાલશે ? મારા વંશનો સમૂળો નાશ થઈ જશે. કૃપા કરી પાંચને છોડી દો. રાજાએ તેની તે વાત ન માની. ત્યારે તેણે ચારને છોડવાની વાત કહી. જ્યારે રાજાએ તે પણ ન સ્વીકાર્યું ત્યારે તેણે ક્રમશ: ત્રણ, બે અને અંતમાં એક પુત્રને છોડવાની વિનંતી કરી. રાજાએ તે બધામાંથી એકને છોડી દીધો. આ જ ન્યાયે છ કાયોમાંથી સ્થૂળ પ્રાણાતિપાતનો ત્યાગ કરવામાં આવે છે અર્થાત્ ત્રસ પ્રાણીઓની હિંસા ન કરવાનો નિયમ સ્વીકાર કરવામાં આવે છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ અંગઆગમ પ્રત્યાખ્યાન કરનાર બંને દોષના ભાગી બને છે. આમ કેમ? સંસારમાં જન્મ ધારણ કરનારા પ્રાણીઓ સ્થાવર રૂપે પણ જન્મ ગ્રહણ કરે છે અને ત્રસ રૂપે પણ. જે સ્થાવર રૂપે જન્મ લે છે તેઓ જ ત્રસ રૂપે પણ જન્મ લે છે તથા જે ત્રસ રૂપે જન્મ લે છે તેઓ જ સ્થાવર રૂપે પણ જન્મ લે છે. આથી સ્થાવર અને ત્રસ પ્રાણીઓની ઓળખમાં ખૂબ મૂંઝવણ થાય છે. કયું પ્રાણી સ્થાવર છે અને કહ્યું ત્રસ તેનો ઉકેલ કે નિશ્ચય થઈ શકતો નથી. આથી ત્રસ પ્રાણીઓની હિંસાનું પ્રત્યાખ્યાન અને પાલન કેવી રીતે સંભવે ? આવી સ્થિતિમાં માત્ર ત્રણ પ્રાણીની હિંસાનું પ્રત્યાખ્યાન કરવાને બદલે ત્રસભૂત પ્રાણીની અર્થાત્ જે વર્તમાનમાં ત્રસરૂપ છે તેની હિંસા કરવાનું પ્રત્યાખ્યાન કરવું જોઈએ. આ રીતે પ્રત્યાખ્યાનમાં “ત્રસ'ની જગ્યાએ “ત્ર ભૂત' શબ્દનો પ્રયોગ વધારે યોગ્ય ગણાશે. એનાથી ન પ્રત્યાખ્યાન આપનારાને કોઈ દોષ લાગશે, ન લેનારાને. ઉદય પેઢાલપુત્રની આ શંકાનું સમાધાન કરતાં ગૌતમ ઇન્દ્રભૂતિ મુનિએ કહ્યું કે અમારો મત “ત્રસ'ને બદલે “ત્રણભૂત” શબ્દનો પ્રયોગ કરવાનું સમર્થન એટલા માટે નથી કરતો કે તમે લોકો જેને “ત્રણભૂત' કહો છો તે જ અર્થમાં અમે લોકો “ત્રસ' શબ્દનો પ્રયોગ કરીએ છીએ. જે જીવનાં ત્રસ નામકર્મ તથા ત્રસ આયુષ્કર્મનો ઉદય થાય તેને જ ત્રસ કહીએ છીએ. એ રીતે ઉદયનો સંબંધ વર્તમાન સાથે જ છે ને કે ભૂત અથવા ભવિષ્ય સાથે. ઉદય પેઢાલપુત્રે ગૌતમ ઇન્દ્રભૂતિને બીજો પ્રશ્ન એ પૂક્યો છે કે માની લો કે આ સંસારમાં જેટલા પણ ત્રસ જીવે છે તે બધાય સ્થાવર થઈ જાય અથવા જેટલા પણ સ્થાવર જીવો છે તે બધાય ત્રસ થઈ જાય તો આપ જે પ્રત્યાખ્યાન કરાવો છો તે શું વ્યર્થ નહિ બની જાય? બધા જીવો સ્થાવર થઈ જતા ત્રસની હિંસાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. એ જ રીતે બધાય લોકો ત્રસ થઈ જાય તો ત્રસની હિંસાનો ત્યાગ કેવી રીતે સંભવિત બને? તેનો ઉત્તર આપતાં ગૌતમે કહ્યું કે બધા સ્થાવરોનું ત્રસ થઈ જવું અથવા બધા ત્રસોનું સ્થાવર થઈ જવું અસંભવિત છે. એવું ક્યારેય થયું નથી, થતું નથી, થશે નહિ. આ તથ્ય સમજાવવા માટે સૂત્રકારે અનેક ઉદાહરણો આપ્યાં છે. પ્રસ્તુત અધ્યયનમાં પ્રત્યાખ્યાન સંબંધમાં આ જ પ્રકારની ચર્ચા છે. તેમાં કેટલાક શબ્દો અને વાક્યો એવા છે કે જે પૂરેપૂરા સમજાતાં નથી. વૃત્તિકારે તો પોતાની પારંપરિક અનુશ્રુતિ અનુસાર તેમનો અર્થ કરી બતાવ્યો છે પરંતુ મૂળ શબ્દોનો સહેજ ઊંડાણથી વિચાર કરતાં મનને પૂરો સંતોષ થતો નથી. આ અધ્યયનમાં પાર્વાપત્યીય ઉદય પેઢાલપુત્ર અને ભગવાન મહાવીરના મુખ્ય ગણધર ગૌતમ ઇન્દ્રભૂતિ વચ્ચે જે વાદવિવાદ અથવા ચર્ચા થઈ છે તેની પદ્ધતિ દૃષ્ટિમાં રાખતાં એમ માનવું અયોગ્ય નહિ ગણાય કે ભગવાન પાર્શ્વનાથની પરંપરાવાળા ભગવાન મહાવીરની પરંપરાને પોતાનાથી જુદી પરંપરા રૂપે જ માનતા હતા, ભલેને પછીથી પાર્શ્વનાથની પરંપરા Page #243 -------------------------------------------------------------------------- ________________ સૂત્રકૃતાંગ ૨૦૯ મહાવીરની પરંપરામાં ભળી ગઈ. આ અધ્યયનમાં એક જગ્યાએ સ્પષ્ટ લખ્યું છે કે જયારે ગૌતમ ઉદય પેઢાલપુત્રને મૈત્રી અને વિનયપ્રતિપત્તિ માટે સમજાવવા લાગ્યા તો ઉદયે ગૌતમના એ કથનનો અનાદર કરી પોતાના સ્થાને પાછા ફરવાનો વિચાર કર્યો : તpi સે ૩૯૫ પેઢાનપુત્તે મળવું જોયમેં અહિયાળ ગામેવ વિસિં પાડમૂ તાવ दिसिं पहारेत्थ गमणाए। Page #244 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રકરણ સ્થાનાંગ અને સમવાયાંગ ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ દ્વારા સંચાલિત પૂંજાભાઈ જૈન ગ્રંથમાળાના ૨૩મા પુષ્પ રૂપે સ્થાનાંગ તથા સમવાયાંગરનું પં. દલસુખ માલવણિયા કૃત જે સુંદર, સુબોધ અને સુસ્પષ્ટ અનુવાદ, પ્રસ્તાવના તથા તુલનાત્મક ટિપ્પણીઓ સાથે પ્રકાશન થયું છે તેનાથી આ બંને અંગગ્રંથોનો પરિચય મળી જાય છે. આથી આ ગ્રંથો વિષયમાં અહીં વધુ લખવું અનાવશ્યક છે છતાં પણ તેમના સંબંધમાં થોડો પ્રકાશ પાડવો અયોગ્ય નહિ ગણાય. ૧. (અ) અભયદેવકૃત વૃત્તિ સહિત આગમોદય સમિતિ, મુંબઈ, ઈ.સ. ૧૯૧૮-૧૯૨૦; માણેકલાલ ચુનીલાલ, અમદાવાદ, ઈ.સ. ૧૯૩૭. (આ) આગમસંગ્રહ, બનારસ, ઈ.સ. ૧૮૮૦ (ઇ) અભયદેવકૃત વૃત્તિના ગુજરાતી અનુવાદ સાથે–અષ્ટકોટિ બૃહદ્ પક્ષીય સંઘ, મુંદ્રા (કચ્છ), વિ.સં. ૧૯૯૯. (ઈ) ગુજરાતી અનુવાદ સહિત-જીવરાજ ઘેલાભાઈ દોશી, અમદાવાદ, ઈ.સ.૧૯૩૧. (ઉ) હિંદી અનુવાદસહિત-અમોલક ઋષિ, હૈદરાબાદ, વિ.સં. ૨૪૪૬. . (ઉ) ગુજરાતી રૂપાંતર – દલસુખ માલવણિયા, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ઈ.સ.૧૯૫૫. ૨. (અ) અભયદેવકૃત વૃત્તિસહિત–આગમોદય સમિતિ, સૂરત, ઈ.સ.૧૯૧૯; મફતલાલ - ઝવેરચંદ, અમદાવાદ, ઈ.સ.૧૯૩૮. (આ) આગમસંગ્રહ, બનારસ, ઈ.સ.૧૮૮૦. (ઇ) અભયદેવ કૃત વૃત્તિના ગુજરાતી અનુવાદ સાથે – જેઠાલાલ હરિભાઈ, જૈન ધર્મપ્રસારક સભા, ભાવનગર, વિ.સં. ૧૯૯૫. (ઇ) હિંદી અનુવાદ સહિત-અમોલક ઋષિ, હૈદરાબાદ, વિ.સં. ૨૪૪૬. (ઉ) ગુજરાતી રૂપાંતર – દલસુખ માલવણિયા, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ઈ.સ.૧૯૫૫. (ઊ) સંસ્કૃત વ્યાખ્યા અને તેના હિંદી-ગુજરાતી અનુવાદ સાથે-મુનિ ઘાસીલાલ, જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ.૧૯૬૨. Page #245 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ અને સમવાયાંગ અંગસૂત્રોમાં વિશેષપણે ઉપદેશાત્મક તથા આત્માર્થી મુમુક્ષુઓ માટે વિધેયાત્મક અને નિષેધાત્મક વચનો મળે છે. કેટલાંક સૂત્રોમાં આ પ્રકારના વચનો સીધેસીધાં છે તો કેટલાકમાં કથાઓ, સંવાદો અને રૂપકો રૂપે. સ્થાનાંગ અને સમવાયાંગમાં આવાં વચનોનો વિશેષ અભાવ છે. આ બંને સૂત્રોનાં અધ્યયનથી એવું પ્રતીત થાય છે કે આ બંને સંગ્રહાત્મક કોશ રૂપે રચવામાં આવ્યા છે. બીજા અંગોની અપેક્ષાએ તેમનાં નામ અને વિષય બધી રીતે જુદા જ પ્રકારનાં છે. આ અંગોની વિષયનિરૂપણ શૈલી પરથી એવું પણ અનુમાન કરી શકાય કે બીજા બધાં અંગો પૂરેપૂરા રચાઈ ગયા હશે ત્યારે સ્મૃતિ અથવા ધારણાની સરળતાની દૃષ્ટિએ અથવા વિષયો શોધવાની સુગમતાની દૃષ્ટિએ પાછળથી આ બંને અંગોની યોજના કરવામાં આવી હશે અને તેમને વિશેષ પ્રતિષ્ઠા મળે તે હેતુથી તેમનો અંગોમાં સમાવેશ કરી લેવામાં આવ્યો હશે. આ અંગોમાં મળતી સામગ્રી અને શૈલી જોઈને વૃત્તિકાર અભયદેવસૂરિના મનમાં જે ભાવના ઉત્પન્ન થઈ તેનો થોડોક પરિચય મેળવવો અયોગ્ય નહિ ગણાય. તેઓ લખે છે : सम्प्रदायहीनत्वात् सदूहस्य वियोगतः । सर्वस्वपरशास्त्राणामदृष्टेस्मृतेश्च मे ॥ १ ॥ वाचनानामनेकत्वात् पुस्तकानामशुद्धतः। सूत्राणामतिगाम्भीर्यात् मतभेदाच्च कुत्रचित् ॥ २ ॥ - સ્થાનાંગવૃત્તિની અંતિમ પ્રશસ્તિ यस्य ग्रन्थवरस्य वाक्यजलेधेर्लक्षं सहस्राणि च, चत्वारिंशदहो चतुर्भिरधिका मानं पदानामभूत् । तस्योच्चैश्चुलुकाकृतिं निदधतः कालादिदोषात् तथा, दुर्लेखात् खिलतां गतस्य कुधियः कुर्वन्तु किं मादृशाः ॥ १ ॥ वरगुरुविरहात् वाऽतीतकाले मुनीशैर्गणधरवचनानां श्रस्तसंघातनात् वा । *** संभाव्योऽस्मिंस्तथापि क्वचिदपि मनसो मोहतोऽर्थादिभेदः ॥ ५ ॥ - સમવાયાંગવૃત્તિની અંતિમ પ્રશસ્તિ ૨૧૧ અર્થાત્ ગ્રંથને સમજવાની પરંપરાનો અભાવ છે, સારા તર્કનો વિયોગ છે, બધાં સ્વપર શાસ્ર જોઈ ન શકાયાં કે ન તેમનું સ્મરણ પણ થઈ શક્યું, વાચનાઓ અનેક થઈ Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ અંગઆગમ ગઈ છે, ઉપલબ્ધ પુસ્તકો અશુદ્ધ છે અને આ સૂત્રો અતિ ગંભીર છે. આવી સ્થિતિમાં તેમની વ્યાખ્યામાં મતભેદ થવાનો સંભવ છે. આ ગ્રંથની જે પદસંખ્યા દર્શાવવામાં આવી છે તે જોતાં એમ જણાય છે કે કાળ વગેરેના દોષના કારણે આ ગ્રંથ ઘણો જ નાનો બની ગયો છે. લેખન ઠીક ન હોવાને કારણે ગ્રંથ છિન્ન ભિન્ન થઈ ગયેલો જણાય છે. આવી સ્થિતિમાં તેની વ્યાખ્યા કરવા માટે તત્પર મારા જેવો દુર્બુદ્ધિ શું કરી શકે ? વળી યોગ્ય ગુરુનો વિરહ છે અર્થાત્ શાસ્ત્રોનું અધ્યયન-અધ્યાપન કરનાર ઉત્તમ ગુરુની પરંપરા નાશ પામી છે. ગણધરોનાં વચનો છિન્નભિન્ન થઈ ગયાં છે. તે ખંડિત વચનોનો આધાર લઈને પ્રાચીન મુનિવરોએ શાસ્ત્રસંયોજના કરી છે. આથી સંભવ છે કે પ્રસ્તુત વ્યાખ્યામાં ક્યાંક અર્થ વગેરેમાં ભૂલ રહી ગઈ હોય. અભયદેવસૂરિને આ બંને ગ્રંથોની વ્યાખ્યા કરવામાં જે મુશ્કેલીનો અનુભવ થયો છે તેનું હૂબહૂ ચિત્રણ ઉપરોક્ત પદોમાં મળે છે. જે યુગમાં શાસ્ત્રોનાં પ્રામાણ્ય વિષયે શંકા હોવા છતાં પણ એક અક્ષર પણ બોલવો મુશ્કેલ હતો તે યુગમાં વૃત્તિકાર આથી વધુ શું લખી શકે? સ્થાનાંગ વગેરે જોવાથી એમ સ્પષ્ટ જણાઈ આવે છે કે સમ્યગ્દષ્ટિવાળા ગીતાર્થ પુરુષોએ પૂર્વ પરંપરાથી ચાલી આવતી સૂત્રસામગ્રીમાં મહાવીરના નિર્વાણ પછી અત્રતત્ર વધઘટ કરી છે કે જેનો તેમને પૂરો અધિકાર હતો. ઉદાહરણ તરીકે સ્થાનાંગના નવમા અધ્યયનના ત્રીજા ઉદેશકમાં ભગવાન મહાવીરના નવ ગણોના નામો આવે છે. એ નામો આ પ્રમાણે છે : ગોદાસગણ, ઉત્તરબલિસ્સહગણ, ઉદ્દેહગણ, ચારણગણ, ઉડુવાતિતગણ, વિસ્મવાતિતગણ, કામઢિતગણ, માણવગણ અને કોડિતગણ. કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં આ ગણોની ઉત્પત્તિ આ પ્રમાણે બતાવવામાં આવી છે : પ્રાચીન ગોત્રીય આર્ય ભદ્રબાહુના ચાર સ્થવિર શિષ્યો હતા જેમાંથી એકનું નામ ગોદાસ હતું. આ કાશ્યપગોત્રીય ગોદાસ સ્થવિરથી ગોદાસ નામક ગણની ઉત્પત્તિ થઈ. એલોવચ્ચ ગોત્રીય આર્ય મહાગિરિના આઠ સ્થવિર શિષ્યો હતા. તેમાંથી એકનું નામ ઉત્તરબલિસ્સહ હતું. તેમનાથી ઉત્તરબલિસ્સહ નામે ગણ નીકળ્યો. વાસિષ્ઠગોત્રીય આર્ય સુહસ્તીના બાર સ્થવિર શિષ્યો હતા, જેમાંથી એકનું નામ આયરોહણ હતું. આ જ કાશ્યપગોત્રીય રોહણથી ઉદેહગણ શરૂ થયો. એ જ ગુરુના શિષ્ય હારિતગોત્રીય સિરિગુત્તથી ચારણગણની ઉત્પત્તિ થઈ, ભારદ્વાજગોત્રીય ભજસથી ઉડવાડિયગણ ઉત્પન્ન થયો અને કુંડલ (કુંડલિ અથવા કુડિલ) ગોત્રીય કામ િસ્થવિરથી વેસવાડિયા ગણ નીકળ્યો. એ જ રીતે કાકંદી નગરી નિવાસી વાસિષ્ઠગોત્રીય ઇસિગુત્તથી માણવગણ Page #247 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ અને સમવાયાંગ ૨૧૩ અને વગ્યાવચ્ચગોત્રીય સુસ્થિત તથા સુપ્રતિબદ્ધથી કોડિય નામક ગણ નીકળ્યો. ઉપર્યુક્ત ઉલ્લેખમાં કામઢિતગણની ઉત્પત્તિનો કોઈ નિર્દેશ નથી. સંભવ છે કે સુહસ્તીના શિષ્ય કામઢિ સ્થવિરથી જ તે પણ નીકળ્યો હોય. કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં કામઢિત ગણ વિષયક ઉલ્લેખ નથી, પરંતુ કામઢિત કુલ સંબંધી ઉલ્લેખ અવશ્ય છે. આ કામઢિત કુળ તે વેષવાડિય-વિસ્મયાતીત ગણનું જ એક કુળ છે જેની ઉત્પત્તિ કામઢિ સ્થવિરથી બતાવવામાં આવી છે. ઉપર્યુક્ત બધા ગણો ભગવાન મહાવીરના નિર્વાણથી લગભગ બસો વર્ષ પછીના કાળના છે. પછીના કેટલાક ગણો મહાવીરનિર્વાણના પાંચસો વર્ષ પછીના પણ હોઈ શકે છે. સ્થાનાંગમાં જમાલિ, તિષ્યગુપ્ત, આષાઢ, અશ્વમિત્ર, ગંગ, રોહગુપ્ત અને ગોષ્ઠામાહિલ આ સાત નિહ્નવોનો પણ ઉલ્લેખ આવે છે. તેમાંથી પ્રથમ બે સિવાય બાકીના બધા નિવોની ઉત્પત્તિ ભગવાન મહાવીરના નિર્વાણ પછી ત્રીજી શતાબ્દીથી લઈ છઠ્ઠી શતાબ્દી સુધીના સમયમાં થઈ છે. આથી એમ માનવું અધિક યોગ્ય છે કે આ સૂત્રની અંતિમ યોજના વીરનિર્વાણની છઠ્ઠી શતાબ્દીમાં થઈ જનાર કોઈ ગીતાર્થ પુરુષે પોતાના સમય સુધીની ઘટનાઓને પૂર્વ પરંપરાથી ચાલી આવતી ઘટનાઓ સાથે મેળવીને કરી છે. જો એમ ન માનવામાં આવે તો એટલું તો માનવું જ પડશે કે ભગવાન મહાવીર પછી થનારી ઉક્ત બધી ઘટનાઓ કોઈ ગીતાર્થ સ્થવિરે આ સૂત્રમાં પાછળથી જોડી છે. એ જ રીતે સમવાયાંગમાં પણ એવી ઘટનાઓનો ઉલ્લેખ છે કે જે મહાવીરના નિર્વાણ પછી બની છે. ઉદાહરણ તરીકે ૧૦૦માં સૂત્રમાં ઇન્દ્રભૂતિ અને સુધર્માના નિર્વાણનો ઉલ્લેખ. આ બંનેનું નિર્વાણ મહાવીર પછી થયું છે. આથી એવું કથન કે આ સૂત્ર સુધર્માસ્વામીએ જંબૂસ્વામીને કહ્યું, અથવા સુધર્માસ્વામી પાસેથી જંબૂસ્વામીએ સાંભળ્યું, તે કેવા અર્થમાં અને ક્યાં સુધી યોગ્ય છે તે વિચારવાયોગ્ય છે. આવી પરિસ્થિતિમાં આગમોને ગ્રંથબદ્ધ કરનાર આચાર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ જ જો આ બંને અંગોને અંતિમ રૂપ આપનારા હતા એમ માનવામાં આવે તો પણ કોઈ હરકત નથી. શૈલી: આ સૂત્રોની શૈલી વિષયે સંક્ષેપમાં એમ કહી શકાય કે સ્થાનાંગના પ્રથમ પ્રકરણમાં એક એક પદાર્થ અથવા ક્રિયા વગેરેનું નિરૂપણ છે, દ્વિતીય પ્રકરણમાં બે બેનું, તૃતીયમાં ત્રણ ત્રણનું એમ અંતિમ પ્રકરણમાં દસ દસ પદાર્થો અથવા ક્રિયાઓનું વર્ણન છે. જે પ્રકરણમાં એકસંખ્યક વસ્તુનો વિચાર છે તેનું નામ એકસ્થાન અથવા પ્રથમ સ્થાન છે Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ અંગઆગમ એ જ રીતે દ્વિતીય સ્થાનથી માંડી દસમ સ્થાન વિશે સમજવું જોઈએ. એ રીતે સ્થાનાંગમાં દસ સ્થાનો, અધ્યયનો અથવા પ્રકરણો છે. જે પ્રકરણમાં નિરૂપણીય સામગ્રી અધિક છે તેના ઉપવિભાગ પણ કરવામાં આવ્યા છે. દ્વિતીય, તૃતીય અને ચતુર્થ પ્રકરણમાં એવા ચાર ચાર ઉપવિભાગો છે તથા પંચમ પ્રકરણમાં ત્રણ ઉપવિભાગો છે. આ ઉપવિભાગોનું પારિભાષિક નામ “ઉદેશ છે. સમવાયાંગની શૈલી પણ આ જ જાતની છે પરંતુ તેમાં દસથી આગળની સંખ્યાવાળી વસ્તુઓનું પણ નિરૂપણ છે. આથી તેની પ્રકરણસંખ્યા સ્થાનાંગની જેમ નિશ્ચિત નથી અથવા એમ સમજવું જોઈએ કે તેમાં સ્થાનાંગની માફક કોઈ પ્રકરણવ્યવસ્થા કરવામાં આવી નથી. એટલે નંદીસૂત્રમાં સમવાયાંગનો પરિચય આપતાં કહેવામાં આવ્યું છે કે તેમાં એક જ અધ્યયન છે. સ્થાનાંગ અને સમવાયાંગની કોશશૈલી બૌદ્ધ પરંપરા તેમ જ વૈદિક પરંપરાના ગ્રંથોમાં પણ મળે છે. બૌદ્ધ ગ્રંથ અંગુત્તરનિકાય, પુગ્ગલપમ્મતિ, મહાવ્યુત્પત્તિ તથા ધર્મસંગ્રહમાં આ જ પ્રકારની શૈલીમાં વિચારણાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. વૈદિક પરંપરાના ગ્રંથ મહાભારતના વનપર્વ (અધ્યાય ૧૩૪)માં પણ આ જ શૈલીમાં વિચારો સંગૃહીત કરવામાં આવ્યા છે. સ્થાનાંગ અને સમવાયાંગમાં સંગ્રહપ્રધાન કોશશૈલી હોવા છતાં પણ અનેક સ્થળોમાં આ શૈલીનું પૂરેપૂરું પાલન કરી શકાયું નથી. આ સ્થાનોમાં કાં તો શૈલી ખંડિત થઈ ગઈ છે અથવા વિભાગ કરવામાં પૂરતી સાવધાની રાખવામાં આવી નથી. ઉદાહરણ રૂપે અનેક સ્થાનોમાં વ્યક્તિઓનાં ચરિત્રો આવે છે, પર્વતોનું વર્ણન આવે છે, મહાવીર અને ગૌતમ વગેરેના સંવાદો આવે છે. આ બધું ખંડિત શૈલીનું સૂચક છે. સ્થાનાંગના સૂ. ૨૪૪માં લખ્યું છે કે તૃણવનસ્પતિકાયના ચાર પ્રકાર છે, સૂ. ૪૩૧માં લખ્યું છે કે તૃણવનસ્પતિકાયના પાંચ પ્રકાર છે અને સૂ. ૪૮૪માં લખ્યું છે કે તૃણવનસ્પતિકાયના છ પ્રકાર છે. આ છેલ્લું સૂત્ર તૃણવનસ્પતિકાયના ભેદોનું પૂરેપૂરું નિરૂપણ કરે છે જ્યારે પહેલાં બે સૂત્રો આ બાબતમાં અપૂર્ણ છે. અંતિમ સૂત્રની હાજરીમાં આ બંને સૂત્રો વ્યર્થ છે. આ વિભાજનની અસાવધાનીનું ઉદાહરણ છે. સમવાયાંગમાં એકસંખ્યક પ્રથમ સૂત્રના અંતમાં એવા આશયનું કથન છે કે કેટલાક જીવો એક ભવમાં સિદ્ધિ પ્રાપ્ત કરશે. તે પછી દ્વિસંખ્યક સૂત્રથી માંડી તેત્રીસસંખ્યક સૂત્ર સુધી આ પ્રકારનું કથન છે કે કેટલાક જીવો બે ભવોમાં સિદ્ધિ પ્રાપ્ત કરશે, કેટલાક જીવો ત્રણ ભવોમાં સિદ્ધિ પ્રાપ્ત કરશે, યાવતુ કેટલાક જીવો તેત્રીસ ભવોમાં સિદ્ધિ પ્રાપ્ત કરશે. તે પછી આ આશયનું કથન બંધ થઈ જાય છે. તેનાથી શું સમજવું? શું કોઈ જીવ Page #249 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ અને સમવાયાંગ ચોત્રીસ ભવ અથવા એનાથી અધિક ભવોમાં સિદ્ધિ પ્રાપ્ત નહિ કરે ? આ પ્રકારના સૂત્રો વિભાજનની શૈલીને દોષયુક્ત બનાવે છે અને અનેક પ્રકારની વિસંગતિ ઉત્પન્ન કરે છે. વિષય-સંબદ્ધતા : સંકલનાત્મક સ્થાનાંગ-સમવાયાંગમાં વસ્તુનું નિરૂપણ સંખ્યાની દૃષ્ટિએ કરવામાં આવ્યું છે. આથી તેના અભિધેયો—પ્રતિપાદ્ય વિષયોમાં પરસ્પર સંબદ્ધતા હોવી જરૂરી નથી. છતાં પણ વૃત્તિકારે ખેંચતાણ કરી એવું સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે કે અમુક વિષય પછી અમુક વિષયનું કથન કેમ કરવામાં આવ્યું છે. ઉદાહરણ રૂપે પહેલા સૂત્રમાં જંબુદ્રીપ નામે દ્વીપનું કથન આવે છે અને પછીનાં સૂત્રમાં ભગવાન મહાવીર વિષયક. આ બંનેનો સંબંધ બતાવતાં વૃત્તિકાર કહે છે કે જંબુદ્રીપનું આ પ્રરૂપણ ભગવાન મહાવીરે કર્યું છે આથી જંબૂદ્વીપ પછી ભગવાન મહાવીરનું વર્ણન અસંબદ્ધ નથી. પહેલાંનાં સૂત્રમાં મહાવીરનું વર્ણન આવે છે અને પછીનાં સૂત્રમાં અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થનાર દેવોનું વર્ણન. આ બંને સૂત્રોમાં સંબંધ સ્થાપિત કરતાં વૃત્તિકાર કહે છે કે ભગવાન મહાવીર નિર્વાણ પ્રાપ્ત કરી જે સ્થાનમાં રહે છે તે અને અનુત્તરવિમાન પાસે પાસે જ છે એટલે મહાવીરના નિર્વાણ પછી અનુત્તરવિમાનનું કથન સુસંબદ્ધ છે. આ રીતે વૃત્તિકારે બધા સૂત્રોની વચ્ચે અન્યોન્ય સંબંધ બેસાડવાનો ભરસક પ્રયાસ કર્યો છે. વાસ્તવમાં શબ્દકોશના શબ્દોની માફક આ સૂત્રોમાં કોઈ અર્થસંબંધ નથી. સંખ્યાની દૃષ્ટિએ જે કોઈ વિષય સામે આવ્યો તે બધાનો તે સંખ્યાવાળા સૂત્રોમાં સમાવેશ કરી લેવામાં આવ્યો. વિષય-વૈવિધ્ય : સ્થાનાંગ અને સમવાયાંગ બંનેમાં જૈન પ્રવચન સંમત તથ્યોની સાથે સાથે જ લોકસંમત વાતોનું પણ નિરૂપણ છે. તેના કેટલાક નમૂના આ પ્રમાણે છે : - ૨૧૫ સ્થાનાંગ સૂ. ૭૧માં શ્રુતજ્ઞાનના બે ભેદ બતાવવામાં આવ્યા છે ઃ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય. અંગબાહ્યના વળી બે ભેદ છે : આવશ્યક અને આવશ્યકવ્યતિરિક્ત. આવશ્યકવ્યતિરિક્તના વળી પાછા બે પ્રકાર છે : કાલિક અને ઉત્કાલિક. અહીં ઉપાંગ નામના ભેદનો કોઈ ઉલ્લેખ નથી. આનાથી સિદ્ધ થાય છે કે આ ભેદ વિશેષ પ્રાચીન નથી. આ જ સૂત્રમાં અન્યત્ર કેવલજ્ઞાનના અવસ્થા, કાળ વગેરેની દૃષ્ટિએ અનેક ભેદ-પ્રભેદ કરવામાં આવ્યા છે. સર્વપ્રથમ કેવલજ્ઞાનના બે ભેદ બતાવાયા છે ઃ ભવસ્થ કેવલજ્ઞાન અને સિદ્ધ કેવલજ્ઞાન. ભવસ્થ કેવલજ્ઞાન બે પ્રકારનું છે ઃ સયોગિભવસ્થ કેવલજ્ઞાન અને અયોગિભવસ્થ કેવલજ્ઞાન. સયોગિભવસ્થ કેવલજ્ઞાનના ફરી બે પ્રકાર Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ અંગઆગમ છે: પ્રથમસમયસયોગિભવસ્થકેવલજ્ઞાન અને અપ્રથમસમયસયોગિભવસ્થકેવલજ્ઞાન અથવા ચરમસમયસયોગિભવકેવલજ્ઞાન અને અચરમસમયસયોગિભવસ્થકેવલજ્ઞાન. એ જ રીતે અયોગિભવસ્થકેવલજ્ઞાનના પણ બે બે ભેદ સમજવા જોઈએ. સિદ્ધકેવલજ્ઞાન પણ બે પ્રકારનું છે : અંતરસિદ્ધકેવલજ્ઞાન અને પરંપરસિદ્ધકેવલજ્ઞાન. આ બંનેના વળી બે બે ભેદ કરવામાં આવ્યા છે. આ જ અંગના સૂ. ૭૫માં બતાવવામાં આવ્યું છે કે જે જીવોને સ્પર્શન અને રસના એ બે ઇન્દ્રિયો હોય છે તેમનું શરીર અસ્થિ, માંસ અને રક્તથી નિર્મિત હોય છે. આ જ પ્રકારના જે જીવોને સ્પર્શન, રસના, ઘાણ આ ત્રણ ઇન્દ્રિયો અથવા સ્પર્શન, રસના, પ્રાણ અને ચક્ષુ એ ચાર ઈન્દ્રિયો હોય છે તેમનું શરીર પણ અસ્થિ, માંસ અને રક્ત વડે બનેલ હોય છે. જેમને શ્રોત્ર સહિત પાંચ ઇન્દ્રિય હોય છે તેમનું શરીર અસ્થિ, માંસ, રક્ત, સ્નાયુ અને શિરા વડે નિર્મિત હોય છે. સૂત્રકારના આ કથનની તપાસ પ્રાણીવિજ્ઞાનના આધારે કરી શકાય. સૂ. ૪૪૬માં રજોહરણના પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છે : ૧. ઊનનું રજોહરણ, ૨. ઊંટના વાળનું રજોહરણ, ૩. શણનું રજોહરણ, ૪. બલ્વજ (એક પ્રકારનું ઘાસ)નું રજોહરણ, ૫. મુંજનું રજોહરણ. અત્યારે માત્ર પ્રથમ પ્રકારનું રજોહરણ જ ઉપયોગમાં લેવાય છે. - આ જ સૂત્રમાં નિગ્રંથો અને નિગ્રંથીઓ માટે પાંચ પ્રકારના વસ્ત્રોના ઉપયોગનો નિર્દેશ કરવામાં આવ્યો છે: ૧. જાંગમિક—ઊનનું, ૨. ભાંગિક–અળસીનું, ૩. શાણકશણનું, ૪. પોરિઅસૂતરનું, ૫. તિરીડવફ્ટવૃક્ષની છાલનું. વૃત્તિકારે આ વસ્ત્રોનું વિશેષ વિવેચન કર્યું છે અને બતાવ્યું છે કે નિગ્રંથ-નિગ્રંથીઓ માટે ઉત્સર્ગની દષ્ટિએ કપાસ અને ઊનનાં જ વસ્ત્રો ગ્રાહ્ય છે અને તે પણ બહુમૂલ્ય નહિ પરંતુ અલ્પમૂલ્ય. બહુમૂલ્યનું સ્પષ્ટીકરણ કરતાં વૃત્તિકારે લખ્યું છે કે પાટલિપુત્રમાં પ્રચલિત મુદ્રાના અઢાર રૂપિયાથી અધિક મૂલ્યનું વસ્ત્ર બહુમૂલ્ય સમજવું જોઈએ. પ્રવજ્યા : સૂ. ૩૫૫માં પ્રવ્રજ્યાના વિવિધ પ્રકારો બતાવવામાં આવ્યા છે જે જોવાથી પ્રાચીન સમયના ધ્વજ્યાદાતાઓ અને પ્રવ્રયાગ્રહણકર્તાઓની પરિસ્થિતિનો કંઈક ખ્યાલ આવે છે. તેમાં પ્રવ્રયા ચાર પ્રકારની બતાવવામાં આવી છેઃ ૧. ઈહલોકપ્રતિબદ્ધા, ૨. પરલોકપ્રતિબદ્ધા, ૩. ઉભયલોકપ્રતિબદ્ધા, ૪. અપ્રતિબદ્ધા. ૧. માત્ર જીવનનિર્વાહ માટે વ્રજ્યા ગ્રહણ કરવી તે ઈહલોકપ્રતિબદ્ધા પ્રવ્રજયા છે. ૨. જન્માંતરમાં કામાદિ સુખોની પ્રાપ્તિ માટે પ્રવ્રયા લેવી તે પરલોકપ્રતિબદ્ધા Page #251 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ અને સમવાયાંગ ૨૧૭ પ્રવ્રયા છે. ૩. ઉપરના બંને ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને પ્રવજયા લેવી તે ઉભયલોકપ્રતિબદ્ધા પ્રવ્રજ્યા છે. ૪. આત્મોન્નતિ માટે પ્રવ્રજ્યાનો સ્વીકાર કરવો તે અપ્રતિબદ્ધા પ્રવ્રજયા છે. બીજી રીતે વ્રજ્યાના ચાર ભેદ આ પ્રમાણે બતાવવામાં આવ્યા છે : ૧. પુરતઃ પ્રતિબદ્ધા, ૨. માર્ગતઃ પ્રતિબદ્ધ, ૩. ઉભયતઃ પ્રતિબદ્ધા, ૪. અપ્રતિબદ્ધા. ૧. શિષ્ય અને આહારાદિની પ્રાપ્તિના ઉદ્દેશ્યથી લેવામાં આવનારી પ્રવ્રજ્યા પુરતઃ પ્રતિબદ્ધા પ્રવ્રયા છે. ૨. પ્રવ્રજ્યા લીધા પછી સ્વજનોમાં વિશેષ પ્રતિબદ્ધ થવું અર્થાત સ્વજનો માટે ભૌતિક સામગ્રી પ્રાપ્ત કરવાની ભાવના રાખવી તે માર્ગતઃ પ્રતિબદ્ધ પ્રવ્રજયા છે. ૩. ઉપરોક્ત બંને પ્રકારની પ્રવ્રયાઓનું મિશ્ર રૂપ ઉભયતઃ પ્રતિબદ્ધા પ્રવ્રજ્યા છે. ૪. આત્મશુદ્ધિ માટે ગ્રહણ કરવામાં આવનારી પ્રવ્રજયા અપ્રતિબદ્ધા પ્રવ્રયા છે. પ્રકારાંતરે પ્રવ્રજ્યાના ચાર ભેદ આ પ્રમાણે બતાવવામાં આવ્યા છેઃ ૧. તુયાવદત્તા પ્રવ્રયા અર્થાત્ કોઈને ય પીડા પહોંચાડીને અથવા મંત્રાદિ વગેરે દ્વારા પ્રવ્રજ્યા તરફ વાળવું અને પ્રવ્રયા આપવી. ૨. પુયાવઈરા પ્રવ્રજયા અર્થાત્ કોઈને ભગાડીને પ્રવ્રજયા આપવી. આર્યરક્ષિતને આ પ્રકારની પ્રવ્રજ્યા આપવામાં આવી હતી. ૩. બુયાવત્તા પ્રવ્રજ્યા અર્થાત્ સારી રીતે સંભાષણ કરીને પ્રવ્રજ્યા તરફ વાળવું અને પ્રવ્રજ્યા આપવી અથવા મોયાવઇત્તા પ્રવ્રયા અર્થાત્ કોઈને મુક્ત કરીને અથવા મુક્ત કરવાની લાલચ આપીને અથવા મુક્ત કરાવીને પ્રવ્રજ્યા તરફ વાળવું અને પ્રવ્રયા આપવી. ૪. પરિપુયાવઈરા વ્રજ્યા અર્થાત્ કોઈને ભોજનસામગ્રી વગેરેનું પ્રલોભન આપીને અર્થાત તેનામાં પૂરતાં ભોજન વગેરેનું આકર્ષણ ઉત્પન્ન કરીને પ્રવ્રજ્યા આપવી. સૂ. ૭૧૨માં પ્રવ્રજ્યાના દસ પ્રકારો બતાવવામાં આવ્યા છે : ૧. છંદપ્રવ્રજ્યા, ૨. રોષ.વ્રજયા, ૩. પરિઘુનપ્રવ્રજયા, ૪. સ્વપ્રપ્રવ્રયા, ૫. પ્રતિશ્રુતપ્રવ્રજ્યા, ૬. સ્મરણિકાપ્રવ્ર જયા, ૭. રોગિણિકાપ્રવ્ર જયા, ૮. અનાદતપ્રવ્ર જયા, ૯. દેવસંજ્ઞમિપ્રવ્રયા, ૧૦. વત્સાનુબંધિતા,વ્રજયા. ૧. સ્વેચ્છાપૂર્વક લેવામાં આવતી પ્રવ્રજ્યા છંદપ્રવ્રજ્યા છે. ૨. રોષના કારણે લેવામાં આવતી પ્રવ્રજ્યા રોષપ્રવ્રજ્યા છે. ૩. દીનતા અથવા દરિદ્રતાના કારણે ગ્રહણ કરવામાં આવતી પ્રવ્રજયા પરિદ્યુમ્નપ્રવ્રયા છે. ૪. સ્વપ્રમાં સૂચના મળવાથી લેવામાં આવનારી પ્રવ્રજ્યા સ્વમ પ્રવ્રજ્યા કહેવાય છે. ૫. કોઈ પ્રકારની પ્રતિજ્ઞા અથવા વચન માટે સ્વીકારવામાં આવનારી પ્રવ્રજ્યાનું નામ પ્રતિશ્રુત પ્રવ્રજયા છે. ૬. કોઈ Page #252 -------------------------------------------------------------------------- ________________ અંગઆગમ ૭. પ્રકારની સ્મૃતિના કારણે લેવામાં આવનારી પ્રવ્રજ્યા સ્મારિકા પ્રવ્રજ્યા છે. રોગનિમિત્તે લેવામાં આવનારી પ્રવ્રજ્યા રોગિણિકા પ્રવ્રજ્યા છે. ૮. અનાદરના કારણે લેવામાં આવનારી પ્રવ્રજ્યા અનાદતપ્રવ્રજ્યા કહેવાય છે. ૯. દેવના પ્રતિબોધથી લેવામાં આવનારી પ્રવ્રજ્યાનું નામ દેવસંજ્ઞપ્તિપ્રવ્રજ્યા છે. ૧૦. પુત્ર પ્રવ્રુજિત થવાને કારણે માતા-પિતા દ્વારા લેવામાં આવનારી પ્રવ્રજ્યાને વત્સાનુબંધિતા પ્રવ્રજ્યા કહે છે. સ્થવિર : સૂ. ૭૬૧માં દસ પ્રકારના સ્થવિરોનો ઉલ્લેખ છે ઃ ૧. ગ્રામસ્થવિર, ૨. નગરસ્થવિર, ૩. રાષ્ટ્રસ્થવિર, ૪. પ્રશાસ્તાસ્થવિર, ૫. કુલસ્થવિર, ૬. ગણસ્થવિર, ૭. સંઘસ્થવિર, ૮. જાતિસ્થવિર, ૯. શ્રુતસ્થવિર, ૧૦. પર્યાયસ્થવિ૨. ૨૧૮ ગામની વ્યવસ્થા કરનાર અર્થાત્ જેનું કહેવું આખું ગામ માને તેવી શક્તિશાળી વ્યક્તિ ગ્રામસ્થવિર કહેવાય છે. એ જ રીતે નગરસ્થવિર અને રાષ્ટ્રસ્થવિરની વ્યાખ્યા સમજવી જોઈએ. લોકોને ધર્મમાં સ્થિર રાખનારા ધર્મોપદેશકો પ્રશાસ્તાસ્થવિર કહેવાય છે. કુલ, ગણ અને સંઘની વ્યવસ્થા કરનારા કુલસ્થવિર, ગણસ્થવિર અને સંધસ્થવિર કહેવાય છે. સાઠ અથવા સાઠથી વધુ વર્ષની ઉંમરવાળા વયોવૃદ્ધો જાતિસ્થવિર કહેવાય છે. સ્થાનાંગ વગેરે શ્રુતને ધારણ કરનારને શ્રુતસ્થવિર કહે છે. જેનો દીક્ષાપર્યાય વીસ વર્ષનો થઈ ગયો હોય તે પર્યાયસ્થવિર કહેવાય છે. છેલ્લા બે ભેદ જૈન પરિભાષાસાપેક્ષ છે. આ દસ ભેદો પ્રાચીનકાળની ગામ, નગર, રાષ્ટ્ર, કુલ, ગણ વગેરે વ્યવસ્થાના સૂચક છે. લેખન-પદ્ધતિ : સમવાયાંગ સૂ. ૧૮માં લેખન-પદ્ધતિના ૧૮ પ્રકાર બતાવવામાં આવ્યા છે જે બ્રાહ્મી લિપિના અઢાર ભેદ છે. આ ભેદોમાં બ્રાહ્મીને પણ ગણાવવામાં આવેલ છે તે કારણે ભેદોની સંખ્યા ૧૯ થઈ ગઈ છે. આ ભેદોના નામ આ પ્રમાણે છે : ૧. બ્રાહ્મી, ૨. યાવની, ૩. દોષોપકરિકા, ૪. ખરોષ્ટ્રીકા, ૫. ખરશ્રાવિતા, ૬. પકારાદિતા, ૭. ઉચ્ચત્તરિકા, ૮. અક્ષરસૃષ્ઠિકા, ૯. ભોગવતિકા, ૧૦. વૈણયિકા, ૧૧. નિહ્નવિકા, ૧૨. અંકલિપિ, ૧૩. ગણિતલિપિ, ૧૪. ગાંધર્વવલિપ, ૧૫. ભૂતલિપિ, ૧૬. આદર્શલિપિ, ૧૭. માહેશ્વરીલિપિ, ૧૮. દ્રાવિડલિપિ, ૧૯. પુલિંદલિપિ. વૃત્તિકારે આ સૂત્રની ટીકા કરતાં લખ્યું છે કે આ લિપિઓના સ્વરૂપ વિષયમાં કોઈ પ્રકારનું વિવરણ મળ્યું નથી એથી અહીં કંઈ લખ્યું નથી : તત્સ્વરૂપ ન રૃષ્ટ, તિ ન વશિતમ્ । હાલમાં મળતાં સાધનોના આધારે લિપિઓ વિષયમાં એટલું કહી શકાય છે કે Page #253 -------------------------------------------------------------------------- ________________ સ્થાનાંગ અને સમવાયાંગ ૨૧૯ અશોકના શિલાલેખોમાં પ્રયુક્ત લિપિનું નામ બ્રાહ્મી લિપિ છે. યાવની લિપિ અર્થાત્ યવનોની લિપિ. ભારતીય લોકોથી જુદા લોકોની લિપિ યાવની લિપિ કહેવાય છે; જેમ કે અરબી, ફારસી વગેરે. ખરોષ્ઠી લિપિ ડાબી બાજુથી જમણી બાજુ તરફ લખાય છે. આ લિપિનો પ્રચાર ગાંધાર દેશમાં હતો. આ લિપિમાં ઉત્તરપશ્ચિમ સીમાવર્તી પ્રદેશમાં અશોકના એક બે શિલાલેખો મળે છે. ગધેડાના હોઠને ખરોષ્ઠ કહે છે. કદાચ આ લિપિના વળાંકનો આકાર ગધેડાના હોઠ જેવો હોય અને એટલે તેનું નામ ખરોષ્ઠી, ખરોષ્ઠિકા કે ખરોષ્ટ્રિકા પડ્યું હોય. ખરશ્રાવિતા અર્થાત સાંભળવામાં કઠોર જણાતી. સંભવ છે કે આ લિપિનું ઉચ્ચારણ કાનને કઠોર લાગતું હોય એટલે તેનું નામ ખશ્રાવિતા પ્રચલિત થયું હોય. પકારાદિકા જેનું પ્રાકૃત રૂપ પહારાઈયા અથવા પઆરાયા છે, સંભવ છે કે “પકારથી શરૂ થતી હોય જેથી તેનું આવું નામ પડ્યું હોય. નિલવિકાનો અર્થ છે સાંકેતિક અથવા ગુપ્ત લિપિ. કદાચ આ લિપિ ખાસ પ્રકારના સંકેતોથી બની હોય. અંકોથી બનેલી લિપિનું નામ અંકલિપિ છે. ગણિતશાસ્ત્ર સંબંધી સંકેતોની લિપિ ગણિતલિપિ કહેવાય. ગાંધર્વલિપિ અર્થાતુ ગંધર્વોની લિપિ અને ભૂતલિપિ અર્થાત્ ભૂતોની લિપિ. સંભવ છે કે ગંધર્વ જાતિમાં ઉપયોગમાં લેવાતી લિપિનું નામ ગાંધર્વલિપિ અને ભૂતજાતિમાં અર્થાત્ ભોટ અથવા ભોટિયા લોકોમાં અથવા ભૂતાનના લોકોમાં પ્રચિલત લિપિનું નામ ભૂતલિપિ પડ્યું હોય. કદાચ પૈશાચી ભાષાની લિપિ ભૂતલિપિ હોય. આદર્શ લિપિના વિષયમાં કંઈ જાણવા મળતું નથી. માહેશ્વરોની લિપિનું નામ માહેશ્વરી લિપિ છે. હાલમાં માહેશ્વરી નામે એક જાતિ છે, તેની સાથે આ લિપિનો કોઈ સંબંધ છે કે નહિ તે સંશોધનીય છે. દ્રવિડોની લિપિનું નામ દ્રાવિડલિપિ છે. પુલિંદ લિપિ કદાચ ભીલ લોકોની લિપિ હોઈ શકે. બાકીની લિપિઓના વિષયમાં કોઈ ખાસ વાત જણાઈ નથી. લિપિવિષયક મૂળ પાઠની અશુદ્ધિને કારણે પણ એ વિષય સમજવામાં વધુ મુશ્કેલી પડે છે. બૌદ્ધ ગ્રંથ લલિતવિસ્તરમાં ૬૪ લિપિઓનાં નામો ગણાવવામાં આવ્યાં છે. તે તથા તે પ્રકારના અન્યત્ર મળતાં નામો સાથે આ પાઠ મેળવીને શુદ્ધિ કરી લેવી જોઈએ. સમવાયાંગ, સૂ. ૪૩માં બ્રાહ્મી લિપિમાં ઉપયોગમાં આવનારા અક્ષરોની સંખ્યા ૪૬ બતાવી છે. વૃત્તિકારે આ બાબતમાં સ્પષ્ટીકરણ કરતાં કહ્યું છે કે આ ૪૬ અક્ષરો મ'કારથી શરૂ થઈ “ક્ષ'સહિત “દ કાર સુધીના હોવા જોઈએ. તેમાં 8, 2, નૃ અને તૃ આ ચારે સ્વરો ઉપરાંત “ઝથી “મ:' સુધીના ૧૨ સ્વરો, “થી “” સુધીના ૨૫ સ્પર્શાક્ષરો; , , 7 અને ૩ ૪ અંતસ્થ; શ, ષ, સ અને ૬ ૪ ઉષ્માક્ષર; ૧= ૧૨+૨૫+૪+૪+૧=૪૬. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ અંગઆગમ અનુપલબ્ધ શાસ્ત્રો: સ્થાનાંગ અને સમવાયાંગમાં કેટલાંક એવાં જૈન શાસ્ત્રોનાં નામો પણ મળે છે જે અત્યારે મળતાં નથી. આ રીતે આમાં અંતકૃદશા અને અનુત્તરૌપપાતિક નામના અંગોનાં એવાં પ્રકરણોનો પણ ઉલ્લેખ છે જે આ ગ્રંથોનાં ઉપલબ્ધ સંસ્કરણોમાં મળતાં નથી.એમ લાગે છે કે કાં તો નામોમાં કંઈક ફેરફાર થઈ ગયો છે અથવા વાચનામાં ભેદ થયો છે. ગર્ભધારણઃ સ્થાનાંગ, સૂ.૪૧૬માં બતાવવામાં આવ્યું છે કે પુરુષના સંસર્ગ વિના પણ નીચેના પાંચ કારણોસર સ્ત્રી ગર્ભધારણ કરી શકે છે: (૧) જે સ્થળે પુરુષનું વીર્ય પડ્યું હોય તે સ્થળે સ્ત્રી એવી રીતે બેસે કે તેની યોનિમાં વીર્ય પ્રવેશી જાય, (૨) વીર્ય લાગેલાં વસ્ત્રો વગેરે દ્વારા વીર્યના અણુઓ સ્ત્રીની યોનિમાં પ્રવેશે, (૩) પુત્રની આકાંક્ષાથી સ્ત્રી પોતે જ વીર્યાણુઓને પોતાની યોનિમાં રાખે અથવા બીજા પાસે રખાવે, (૪) વીર્યાણયુક્ત પાણી પીવે, (૫) વીર્યાણુયુક્ત પાણીમાં સ્નાન કરે. ભૂકંપઃ સ્થાનાંગ સૂ. ૧૯૮માં ભૂકંપનાં ત્રણ કારણો બતાવવામાં આવ્યાં છેઃ (૧) પૃથ્વીની નીચેનો ઘન વાત વ્યાકુળ થતાં ઘનોદધિમાં તોફાન આવે ત્યારે, (૨) કોઈ મહાસમર્થ મહોરગ દેવ દ્વારા પોતાનું સામર્થ્ય બતાવવા માટે પૃથ્વીને ચાલિત કરવામાં આવે ત્યારે, (૩) નાગો અને સુપર્ણો–ગરુડોમાં સંગ્રામ થાય ત્યારે. નદીઓ : સ્થાનાંગ સૂ. ૮૮માં ભરતક્ષેત્રમાં વહેતી બે મહાનદીઓનાં નામોનો ઉલ્લેખ છે: ગંગા અને સિંધુ. અહીં એ યાદ રાખવું જોઈએ કે ગંગા નામ આર્યભાષા બોલનારાઓનાં ઉચ્ચારણનું છે. તેનું વાસ્તવિક નામ તો ખોંગ છે. “ખોંગ' શબ્દ તિબેટી ભાષાનો છે જેનો અર્થ થાય છે નદી. આ શબ્દનું ભારતીય ઉચ્ચારણ ગંગા છે. આ શબ્દ ઘણા લાંબા કાળથી પોતાનો મૂળ અર્થ છોડીને વિશેષ નદીનાં નામનાં રૂપમાં પ્રચલિત થઈ ગયો છે. સૂ. ૪૧૨માં ગંગા, યમુના, સરયુ, ઐરાવતી અને મહી–આ પાંચ નદીઓને મહાર્ણવરૂપ એટલે કે સમુદ્રસમાન કહેવામાં આવી છે. જૈન શ્રમણો અને શ્રમણીઓએ તેમને મહિનામાં બે ત્રણ વાર પાર કરવા માટે કહેવામાં આવેલ છે. રાજધાનીઓ : સ્થાનાંગ સૂ. ૭૧૮માં ભરતક્ષેત્રની નીચેની દસ રાજધાનીઓનાં નામ ગણાવવામાં ૧. એક પ્રકારના વ્યંતર દેવો. ૨. ભવનપતિ દેવોની બે જાતિઓ. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ સ્થાનાંગ અને સમવાયાંગ આવ્યાં છે : ચંપા, મથુરા, વારાણસી, શ્રાવસ્તી, સાકેત, હસ્તિનાપુર, કાંપિલ્ય, મિથિલા, કૌશાંબી અને રાજગૃહ. વૃત્તિકારે આની સાથે સંબંધિત દેશોનાં નામો આ પ્રમાણે બતાવ્યા છે : અંગ, સૂરસેન, કાશી, કુણાલ, કોશલ, કુર, પાંચાલ, વિદેહ, વત્સ અને મગધ. વૃત્તિકારે એ પણ લખ્યું છે કે શ્રમણ-શ્રમણીઓની આવી રાજધાનીઓમાં ઉત્સર્ગરૂપે અર્થાત્ સામાન્યપણે મહિનામાં બે ત્રણ વાર અથવા તેથી વધારે પ્રવેશ ન કરવો જોઈએ કેમ કે ત્યાં યૌવનસંપન્ન રમણીય વારાંગનાઓ અને અન્ય મોહક તથા વાસનાઉત્તેજક સામગ્રીનાં દર્શનથી અનેક પ્રકારનાં દૂષણોની સંભાવના રહે છે. વૃત્તિકારે આ એક વધુ મહત્ત્વપૂર્ણ વાત લખી છે જેના તરફ વર્તમાનકાલીન શ્રમણ સંઘનું ધ્યાન જવું અત્યંત જરૂરી છે. રાજધાનીઓ તો અનેક છે પરંતુ અહીં દસની વિવક્ષાને કારણે દસ જ નામ ગણાવવામાં આવ્યાં છે. વૃષ્ટિ: આ જ અંગના સૂ. ૧૭૬માં અલ્પવૃષ્ટિ અને મહાવૃષ્ટિના ત્રણ ત્રણ કારણો બતાવવામાં આવ્યાં છે: ૧. જે દેશ અથવા પ્રદેશમાં જલયોનિના જીવો અથવા પુદ્ગલો અલ્પ માત્રામાં હોય ત્યાં અલ્પવૃષ્ટિ થાય છે. ૨. જે દેશ અથવા પ્રદેશમાં દેવ, નાગ, યક્ષ, ભૂત વગેરેની આરાધના ન થતી હોય ત્યાં અલ્પવૃષ્ટિ થાય છે. ૩. જ્યાંથી જલયોનિના પુદ્ગલો અર્થાત્ વાદળો અને વાયુ અન્યત્ર ખેંચી જાય છે અથવા વીખેરી નાખે છે ત્યાં અલ્પવૃષ્ટિ થાય છે. આનાથી બરાબર ઉલટાં ત્રણ કારણોથી બહુવૃષ્ટિ અથવા મહાવૃષ્ટિ થાય છે. અહીં બતાવવામાં આવેલા દેવ, નાગ, યક્ષ, ભૂત વગેરેની આરાધનારૂપ કારણનો વૃષ્ટિની સાથે કયો કાર્યકારણ સંબંધ છે તે સમજમાં નથી આવતું. સંભવ છે કે આનો સંબંધ વૈદિક પરંપરાની તે માન્યતા સાથે હોય જેનાથી યજ્ઞ દ્વારા દેવોને પ્રસન્ન કરી તેમના દ્વારા વાદળોનો પ્રાદુર્ભાવ કરવાનું માનવામાં આવે છે. આ રીતે આ બંને અંગોમાં અનેક વિષયોનો પરિચય મળે છે. વૃત્તિકારે અતિ પરિશ્રમપૂર્વક આના પર વિવેચન લખ્યું છે. તેનાથી સૂત્રો સમજવામાં ઘણી સહાય મળે છે. જો આ વૃત્તિ ન હોત તો આ અંગોને સંપૂર્ણપણે સમજવાનું અશક્ય નહિ તો પણ મુશ્કેલ તો જરૂર પડત. આ દષ્ટિએ વૃત્તિકારની બહુશ્રુતતા, પ્રવચનભક્તિ અને અન્ય પરંપરાના ગ્રંથોના ઉપયોગની વૃત્તિ વિશેષ પ્રસંશનીય છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ પ્રકરણ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ પાંચમા અંગનું નામ વિયાહપષ્ણત્તિ–વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ' છે. બીજા અંગોની અપેક્ષાએ વધુ વિશાળ અને તેથી વિશેષ પૂજ્ય હોવાને કારણે આનું બીજું નામ ભગવતી પણ પ્રસિદ્ધ છે. વિદ્યમાન વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ગ્રંથાગ્ર ૧૫,OOO શ્લોકપ્રમાણ છે. તેનું પ્રાકૃત નામ વિયાહપત્તિ છે પરંતુ લેખકો–લહિયાઓની અસાવધાનીને કારણે ક્યાંક ક્યાંક વિવાહપત્તિ તથા વિબાહપણત્તિ પાઠ પણ મળે છે. આ રીતે વિયાહપણત્તિ, વિવાહપણત્તિ અને વિબાહપષ્ણત્તિ આ ત્રણ પાઠોમાં વિયાહપત્તિ પાઠ જ પ્રામાણિક અને પ્રતિષ્ઠિત છે. જ્યાં ક્યાંય આ નામ સંસ્કૃતમાં આવ્યું છે ત્યાં સર્વત્ર વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ શબ્દનો જ પ્રયોગ થયો છે. વૃત્તિકાર અભયદેવસૂરિએ આ ત્રણે પાઠોમાંથી વિયાહપત્તિ પાઠની વ્યાખ્યા સહુ પ્રથમ કરીને આ પાઠને વિશેષ મહત્ત્વ આપ્યું છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ શબ્દની વ્યાખ્યા વૃત્તિકારે અનેક રીતે કરી છે : ૧. (અ) અભયદેવકૃત વૃત્તિસહિત આગમોદય સમિતિ, મુંબઈ, ઈ.સ.૧૯૧૮-૧૯૨૧; ધનપતસિંહ બનારસ, ઈ.સ.૧૮૮૨; ઋષભદેવજી કેશરીમલજી જૈન છે. સંસ્થા, રતલામ, ઈ.સ.૧૯૩૭-૧૯૪૦ (૧૪ શતક સુધી). (આ) પંદરમા શતકનો અંગ્રેજી અનુવાદ–Hoernle, Appendix to ઉપાસક દશા, Bibliotheca Indica, Calcutta, 1885-1888. (ઈ) છઠ્ઠા શતક સુધી અભયદેવ કૃત વૃત્તિ અને તેના ગુજરાતી અનુવાદ સાથે બેચરદાસ દોશી, જિનાગમ પ્રકાશક સભા, મુંબઈ, વિ.સં. ૧૯૭૪-૧૯૭૯; શતક ૭- ૧૫, મૂળ અને ગુજરાતી અનુવાદ–ભગવાનદાસ દોશી, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, વિ.સં. ૧૯૮૫; શતક ૧૬-૪૧,મૂળ અને ગુજરાતી અનુવાદ–ભગવાનદાસ દોશી, જૈન સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ, અમદાવાદ, વિ.સં. ૧૯૮૮. ભગવતીસાર : ગુજરાતી છાયાનુવાદ–ગોપાલદાસ જીવાભાઈ પટેલ, જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ, અમદાવાદ, ઈ.સ.૧૯૩૮. (ઉ) હિન્દી વિષયાનુવાદ (શતક ૧-૨૦)-મદનકુમાર મહેતા, શ્રુતપ્રકાશન મંદિર, કલકત્તા, વિ.સં. ૨૦૧૧. સંસ્કૃત વ્યાખ્યા અને તેના હિન્દી-ગુજરાતી અનુવાદ સાથે-મુનિ ઘાસીલાલ, જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ.૧૯૬ ૧. (ઋ) હિન્દી અનુવાદ સાથે-અમોલક ઋષિ, હૈદરાબાદ, વી.સં. ૨૪૪૬. (ઊ) સંસ્ક Page #257 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૧. વિ+જ્ઞા+ધ્યા+પ્ર+જ્ઞપ્તિ અર્થાત્ વિવિધ પ્રકારે સમગ્રપણે કથનનું પ્રકૃષ્ટ નિરૂપણ. જે ગ્રંથમાં કથનનું વિવિધ પ્રકારે સંપૂર્ણપણે પ્રકૃષ્ટ નિરૂપણ કરવામાં આવ્યું હોય તે ગ્રંથ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ કહેવાય છે : વિ વિવિધા:, આ અભિવિધિના, ધ્યા: જ્ઞાનાનિ ભાવતો महावीरस्य गौतमादिविनेयान् प्रति प्रश्नितपदार्थप्रतिपादनानि व्याख्याः ताः प्रज्ञाप्यन्ते प्ररूप्यन्ते भगवता सुधर्मस्वामिना जम्बूनामानमभि यस्याम् । ૨. વિ+જ્ઞા+પ્રજ્ઞપ્તિ અર્થાત્ વિવિધ પ્રકારે કથનનું પ્રજ્ઞાપન. જે શાસ્ત્રમાં વિવિધ રૂપે કથનનું પ્રતિપાદન કરવામાં આવ્યું હોય તેનું નામ છે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ. વૃત્તિકારે આની વ્યાખ્યા આ રીતે કરી છે : વિ વિવિધતયા વિશેષળ વા આવ્યાયન્તે રૂતિ વ્યાવ્યા: ताः प्रज्ञाप्यन्ते यस्याम् । ૨૨૩ ૩. વ્યારા+પ્રજ્ઞા+માપ્તિ અથવા આત્તિ અર્થાત્ વ્યાખ્યાનની કુશળતાથી પ્રાપ્ત થનાર અથવા ગ્રહણ કરવામાં આવનાર શ્રુતવિશેષ વ્યાખ્યાપ્રજ્ઞાપ્તિ અથવા વ્યાખ્યાપ્રજ્ઞાત્તિ કહેવાય છે. ૪. વ્યાવ્યાપ્રજ્ઞ+ઞાતિ અથવા ઞત્તિ અર્થાત્ વ્યાખ્યાન કરવામાં પ્રજ્ઞ એટલે કુશળ ભગવાન દ્વારા ગણધરને જે ગ્રંથ દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ થાય અથવા કંઈક ગ્રહણ કરવાનો અવસર મળે તેનું નામ વ્યાખ્યાપ્રજ્ઞાપ્તિ અથવા વ્યાખ્યાપ્રજ્ઞાત્તિ છે. વિવાહપ્રજ્ઞપ્તિની વ્યાખ્યા વૃત્તિકારે આ પ્રમાણે કરી છે : વિ+વાહ+પ્રજ્ઞપ્તિ અર્થાત્ વિવિધ પ્રવાહોનું પ્રજ્ઞાપન. જે શાસ્ત્રમાં વિવિધ અથવા વિશિષ્ટ અર્થપ્રવાહોનું નિરૂપણ કરવામાં આવ્યું હોય તેનું નામ છે વિવાહપ્રજ્ઞપ્તિ-વિવાહપણત્તિ. એ રીતે વિબાધપ્રજ્ઞપ્તિનો અર્થ બતાવતાં વૃત્તિકારે લખ્યું છે કે વિ અર્થાત્ રહિત વાધ અર્થાત્ બાધા અને પ્રજ્ઞપ્તિ અર્થાત્ નિરૂપણ એટલે જે ગ્રંથમાં વાધારહિત અર્થાત્ પ્રમાણથી અબાધિત નિરૂપણ ઉપલબ્ધ થાય તેનું નામ વિબાધપ્રજ્ઞપ્તિ–વિબાહપણત્તિ છે. આ શબ્દોમાં પણ આત્તિ અને અત્તિ જોડીને પૂર્વવત્ અર્થ સમજી લેવો જોઈએ. ઉપલબ્ધ વ્યાખ્યા પ્રાપ્તિમાં જે શૈલી મળે છે તે ગૌતમના પ્રશ્નો અને ભગવાન મહાવીરના ઉત્તરો રૂપે છે. આ શૈલી અતિ પ્રાચીન જણાય છે. અચેલક પરંપરાના ગ્રંથ રાજવાર્તિકમાં ભટ્ટ અકલંકે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં આ પ્રકારની શૈલી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે ઃ વં ત્તિ વ્યાાપ્રજ્ઞપ્તિદ્વંકલેવુ રમ્......કૃતિ ગૌતમપ્રને મળવતા ગુત્તમ્ (અ. ૪, સૂ. ૨૬, પૃ. ૨૪૫). આ અંગના પ્રકરણોને ‘સવૅ’—‘શત’ નામ આપવામાં આવ્યું છે. જૈન પરંપરામાં શત શબ્દ પ્રસિદ્ધ જ છે. આ ‘શત’નું જ રૂપ છે. પ્રત્યેક પ્રકરણના અંતમાં ‘સયં સમત્તે’ Page #258 -------------------------------------------------------------------------- ________________ અંગઆગમ એવો પાઠ મળે છે. શત અથવા શતકમાં ઉદ્દેશક રૂપે પેટાવિભાગ છે. આવા પેટાવિભાગો કેટલાંક શતકોમાં દસ દસ છે અને કેટલાકમાં તેનાથી પણ વધુ છે. એકતાલીસમા શતકમાં ૧૯૬ ઉદ્દેશકો છે. કેટલાંક શતકોમાં ઉદ્દેશકોને સ્થાને વર્ગ છે, જ્યારે કેટલાંકમાં શત નામક પેટાવિભાગ પણ છે અને તેમની સંખ્યા ૧૧૪ સુધી છે. માત્ર પંદરમા શતકમાં કોઈ પેટાવિભાગ નથી. શત અથવા શતકનો અર્થ સો થાય છે. આ શતકોમાં સોનો કોઈ સંબંધ નજરે પડતો નથી. આ શત અથવા શતક નામ પ્રસ્તુત ગ્રંથમાં રૂઢ છે. કદાચ ક્યારેક આ નામ અન્વર્થ રહ્યું હોય. આ બાબતમાં વૃત્તિકારે કોઈ વધુ સ્પષ્ટીકરણ કર્યું નથી. મંગલ : ૨૨૪ ભગવતી સિવાય અંગ કે અંગબાહ્ય કોઈ પણ સૂત્રના પ્રારંભમાં મંગલનો કોઈ ખાસ પાઠ મળતો નથી. આ પાંચમા અંગના પ્રારંભમાં ‘નમો અરિહંતાળું’ વગેરે પાંચ પદો આપી શાસ્ત્રકારે મંગલ કર્યું છે. તે પછી ‘નમો વંમીપ્ તિવી’ દ્વારા બ્રાહ્મી લિપિને પણ નમસ્કાર કરેલ છે. ત્યારપછી પ્રસ્તુત અંગના પ્રથમ શતકના ઉદ્દેશકોમાં વર્ણવાયેલ વિષયોનો નિર્દેશ કરનારી એક સંગ્રહ-ગાથા આપવામાં આવી છે. આ ગાથા પછી ‘નમો સુઅસ્સ’ રૂપે એક વધુ મંગલ આવે છે. તેને પ્રથમ શતકનું મંગલ કહી શકીએ. શતકના પ્રારંભમાં ઉપોદ્ઘાત છે જેમાં રાજગૃહ નગર, ગુણશિલક ચૈત્ય, રાજા શ્રેણિક તથા રાણી ચિલ્લણાનો ઉલ્લેખ છે. ત્યારપછી ભગવાન મહાવીર તથા તેમના ગુણોનું વિસ્તૃત વર્ણન છે. ત્યારબાદ ભગવાનના પ્રથમ શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમ, તેમના ગુણો, શરીર વગેરેનો વિસ્તૃત પરિચય છે. ત્યારબાદ ‘ઇન્દ્રભૂતિએ ભગવાનને આમ કહ્યું’ એ પ્રકારના ઉલ્લેખ સાથે આ સૂત્રમાં આવતા પ્રથમ પ્રશ્નની શરૂઆત થાય છે. આમ તો આ સૂત્રમાં અનેક પ્રકારના પ્રશ્નો અને તેમના ઉત્તરો છે પરંતુ વધુ ભાગ સ્વર્ગો, સૂર્યો, ઇન્દ્રો, અસુકુમારો, અસુરકુમા૨ેન્દ્રો, તેમની અગ્રમહિષિઓ, તેમના લોકપાલો, નારકો વગેરે સંબંધી છે. કેટલાક પ્રશ્નો એક જેવા જ છે. તેમના ઉત્તરો પૂર્વવત્ સમજી લેવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. કેટલાંક સ્થળે પન્નવણા, જીવાભિગમ, નંદી વગેરેની જેમ તે તે વિષયોને સમજી લેવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ જોવામાં આવે તો પ્રથમ શતક વિશેષ મહત્ત્વપૂર્ણ છે. પછીના શતકોમાં કોઈ ને કોઈ રૂપે ઘણુંખરું પ્રથમ શતકના વિષયોની જ ચર્ચા કરવામાં આવી છે. કેટલાક સ્થળે અન્યતીર્થિકોના મત આપવામાં આવ્યા છે પરંતુ તેમનું કોઈ વિશેષ નામ દર્શાવાયું નથી. આ અંગમાં ભગવાન પાર્શ્વનાથના શિષ્યોની ચર્ચા પણ આવે છે. તેમને પાર્સ્થાપત્ય કહેવામાં આવ્યા છે. આમાં શ્રાવકો દ્વારા કરવામાં આવેલી ચર્ચા પણ આવે છે. શ્રાવિકારૂપે તો એકમાત્ર જયંતી શ્રાવિકાની જ ચર્ચા જોવા મળે છે. આ સૂત્રમાં ભગવાન મહાવીરના સમકાલીન Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ મંખલિપુત્ર ગોપાલક વિષયમાં વિસ્તૃત વિવેચન છે. ગોશાલકના કેટલાક સહાયકોનો પાસત્થ' શબ્દથી નિર્દેશ કરવામાં આવ્યો છે. ચૂર્ણિકારે તેમને પાર્શ્વનાથના અનુયાયીઓ કહ્યા છે. પ્રશ્નકાર ગૌતમ : સૂત્રના પ્રારંભમાં જ્યાં પ્રશ્નોની શરૂઆત થાય છે ત્યાં વૃત્તિકારના મનમાં એવો પ્રશ્ન ઉઠે છે કે પ્રશ્નકાર ગૌતમ પોતે દ્વાદશાંગીના વિધાતા છે, કૃતના સમસ્ત વિષયોના જ્ઞાતા છે તથા બધા પ્રકારના સંશયોથી રહિત છે. એટલું જ નહિ, તેઓ સર્વજ્ઞ સમાન છે તથા મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યાયજ્ઞાનના ધારક છે. આવી સ્થિતિમાં તેમના દ્વારા સંશયયુક્ત સામાન્યજનની માફક પ્રશ્ન પૂછવાનું ક્યાં સુધી યુક્તિસંગત છે? તેનો ઉત્તર વૃત્તિકાર આ પ્રમાણે આપે છે : ૧. ગૌતમ ભલેને ગમે તેટલા અતિશયયુક્ત કેમ ન હોય, તેમની ભૂલ થવાનો સંભવ છે કારણ કે અંતે તો તેઓ છદ્મસ્થ જ છે. ૨. પોતે જાણતા હોવા છતાં પણ પોતાના જ્ઞાનની અવિસંવાદિતા માટે પ્રશ્ન પૂછી શકે છે. ૩. પોતે જાણતા હોવા છતાં પણ અન્ય અજ્ઞાનીઓના બોધને માટે પૂછી શકે છે. ૪. શિષ્યોને પોતાના વચનોમાં વિશ્વાસ બેસાડવા માટે પૂછી શકે છે. ૫. સૂત્રરચનાની આ જ પદ્ધતિ છે–શાસ્ત્રરચનાનો આવા જ પ્રકારનો આચાર છે. આ પાંચ હેતુઓમાંથી અંતિમ હેતુ વધુ યુક્તિયુક્ત જણાય છે. પ્રશ્નોત્તર: પ્રથમ શતકના કેટલાક પ્રશ્નો અને તેમના ઉત્તરો આ પ્રમાણે છે : પ્રશ્ન–શું પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ જીવરૂપ છે? આ જીવોનું આયુષ્ય કેટલું હોય છે? ઉત્તર–પૃથ્વીકાયરૂપ વગેરે જીવો છે અને તેમનામાંથી પૃથ્વીકાયરૂપ જીવોનું આયુષ્ય ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત અને વધુમાં વધુ બાવીસ હજાર વર્ષનું હોય છે. જળકાયના જીવોનું આયુષ્ય વધુમાં વધુ સાત હજાર વર્ષ, અગ્નિકાયના જીવોનું આયુષ્ય વધુમાં વધુ ત્રણ અહોરાત્ર, વાયુકાયના જીવોનું આયુષ્ય વધુમાં વધુ ત્રણ હજાર વર્ષ અને વનસ્પતિકાયના જીવોનું આયુષ્ય વધુમાં વધુ દસ હજાર વર્ષનું હોય છે. આ બધાનું ઓછામાં ઓછું આયુષ્ય અંતર્મુહૂર્ત છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ અંગઆગમ પ્રશ્ન—પૃથ્વીકાય યાવત્ વનસ્પતિકાયના જીવો કેટલા સમયમાં શ્વાસ લે છે ? ઉત્તર—વિવિધ સમયમાં અર્થાત્ વિવિધ રીતે શ્વાસ લે છે. પ્રશ્ન—શું આ બધા જીવો આહાર લે છે ? ઉત્તર—હા, આ બધા જીવો આહાર લે છે. પ્રશ્ન—આ બધા જીવો કેટલા સમયમાં આહાર ગ્રહણ કરે છે ? ઉત્તર—આ બધા જીવો નિરંતર આહાર ગ્રહણ કરે છે. આ બધા જીવો જે પુદ્ગલોનો આહાર કરે છે તે કાળા, નીલા, પીળા, લાલ અને સફેદ હોય છે. તે બધા સુગંધી પણ હોય છે અને દુર્ગંધી પણ. સ્વાદમાં બધા પ્રકારના સ્વાદોથી યુક્ત હોય છે અને સ્પર્શમાં બધા પ્રકારના સ્પર્શવાળા હોય છે. ૨૨૬ આ જ પ્રકારના પ્રશ્નો દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય સંબંધી પણ છે. પ્રશ્ન—જીવ આત્મારંભી છે, પરારંભી છે, ઉભયારંભી છે અથવા અનારંભી છે? ઉત્તર–કેટલાક જીવો આત્મારંભી પણ છે, પરારંભી પણ છે, ઉભયારંભી પણ છે તથા કેટલાક જીવો આત્મારંભી પણ નથી, પરારંભી પણ નથી અને ઉભયારંભી પણ નથી પરંતુ માત્ર અનારંભી છે. અહીં આરંભનો અર્થ આસવદ્વા૨ સંબંધી પ્રવૃત્તિ છે. યતનારહિત આચરણ કરનારા બધા જીવો આરંભી જ છે. યતનાસહિત અને શાસ્ત્રોક્ત વિધાન અનુસાર આચરણ કરનારા જીવો પણ આમ તો આરંભી છે પરંતુ યતનાની અપેક્ષાએ અનારંભી છે. સિદ્ધ આત્માઓ અશરીરી હોવાને કારણે અનારંભી જ છે. પ્રશ્ન—શું અસંયત અથવા અવિરત જીવો પણ મૃત્યુ પછી દેવ બને છે ? ઉત્તર—હા, બને છે. પ્રશ્નકેવી રીતે ? ઉત્તર—જેમણે ભૂખ, તરસ, ડાંસ, મચ્છર વગેરેના ઉપસર્ગો અનિચ્છાપૂર્વક પણ સહ્યા છે તેઓ વાણવ્યંતર નામના દેવોની ગતિમાં જાય છે. જેમણે બ્રહ્મચર્યનું અનિચ્છાએ પણ પાલન કર્યું છે તે પ્રકારની કુલીન બાળવિધવાઓ અથવા અશ્વો વગેરે પ્રાણીઓ દેવગતિ પ્રાપ્ત કરે છે. જેમણે અનિચ્છાપૂર્વક પણ ઠંડી, ગ૨મી વગેરે સહન કર્યાં છે તેઓ પણ દેવગતિ પ્રાપ્ત કરે છે. પ્રથમ શતકના દ્વિતીય ઉદ્દેશકના પ્રારંભમાં આ પ્રકારનો ઉપોદ્ઘાત છે કે ભગવાન Page #261 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૨૨૭ મહાવીર રાજગૃહમાં આવ્યા તથા દેશના દીધી. ત્યારબાદ સ્વકૃત કર્મના વેદનની ચર્ચા છે. જીવ જે કંઈ સુખ અથવા દુઃખનો અનુભવ કરે છે તે બધું સ્વકૃત જ હોય છે, નહિ. આ કથન દ્વારા ઇશ્વરાદિ કર્તૃત્વનું નિરસન થાય છે. પરકૃત દેવગતિ : જે અસંયમી છે અર્થાત્ ઉપર ઉપરથી સંયમના ઉગ્ર અનુષ્ઠાનોનું આચરણ કરે છે પરંતુ અંદરથી માત્ર માન-પૂજા-પ્રતિષ્ઠાના જ ઇચ્છુક છે તેઓ મરીને ઓછામાં ઓછું ભવનવાસી નામક દેવગતિમાં ઉત્પન્ન થાય છે અને વધુમાં વધુ ત્રૈવેયક નામે વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. જે સંયમની અધિકાંશ નિર્દોષ આરાધના કરે છે તેઓ ઓછામાં ઓછું સૌધર્મ નામક સ્વર્ગમાં અને વધુમાં વધુ સર્વાર્થસિદ્ધિ નામક વિમાનમાં દેવ બને છે. જેમણે સંયમની વિરાધના કરી હોય અર્થાત્ સંયમનું દૂષિત રીતે પાલન કર્યું હોય તેઓ ઓછામાં ઓછું ભવનવાસી દેવયોનિમાં અને વધુમાં વધુ સૌધર્મ દેવલોકમાં જન્મ ગ્રહણ કરે છે. જે શ્રાવકો અધિકાંશ નિર્દોષપણે ધર્મનું પાલન કરે છે તેઓ ઓછામાં ઓછું સૌધર્મ દેવલોકમાં અને વધુમાં વધુ અચ્યુત વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. જેમણે શ્રાવકધર્મનું દૂષિત રીતે પાલન કર્યું હોય તેઓ ઓછામાં ઓછું ભવનવાસી અને વધુમાં વધુ જ્યોતિષ્ક દેવ બને છે. જે જીવો અસંશી છે અર્થાત્ મનરહિત છે તેઓ પરવશતાને કારણે દુઃખ સહન કરી ભવનવાસી દેવ બને છે અથવા વાણવ્યંતરની ગતિ પ્રાપ્ત કરે છે. તાપસ લોકો અર્થાત્ જે જિનપ્રવચનનું પાલન કરનારા નથી તેઓ ઘોર તપને કારણે ઓછામાં ઓછું ભવનવાસી અને વધુમાં વધુ જ્યોતિષ્ક દેવોની ગતિ પ્રાપ્ત કરે છે. જે કાંદર્પિક છે અર્થાત્ બહુરૂપીપણા વગેરે દ્વારા બીજાઓને હસાવનારા છે તેઓ માત્ર બાહ્ય રૂપે જૈન સંયમની આરાધના કરી ઓછામાં ઓછું ભવનવાસી અને વધુમાં વધુ સૌધર્મ દેવ બને છે. ચરક અર્થાત્ જોરથી બૂમ પાડી ભિક્ષા મેળવનારા ત્રિદંડી, લંગોટધારી તથા પરિવ્રાજક અર્થાત્ કપિલમુનિના શિષ્યો ઓછામાં ઓછું ભવનવાસી દેવ થાય છે અને વધુમાં વધુ બ્રહ્મલોક નામના સ્વર્ગ સુધી પહોંચે છે. કિક્વિષિક અર્થાત્ બાહ્યપણે જૈન સંયમની આરાધના કરવા છતાં પણ જે જ્ઞાનનો, જ્ઞાનીનો, ધર્માચાર્યનો, સાધુઓનો અવર્ણવાદ એટલે કે નિંદા કરનારા છે તેઓ ઓછામાં ઓછું ભવનવાસી દેવ થાય છે અને વધુમાં વધુ લાંતક નામે સ્વર્ગ સુધી પહોંચે છે. જિનમાર્ગના અનુયાયી તિર્યંચો અર્થાત્ ગાય, બળદ, ઘોડા વગેરે ઓછામાં ઓછું ભવનવાસી દેવ રૂપે ઉત્પન્ન થાય છે અને વધુમાં વધુ લાંતકથી પણ આગળ આવેલા સહસ્રાર નામના સ્વર્ગ સુધી જાય છે. વૃત્તિકા૨ે બતાવ્યું છે કે તિર્યંચો પણ પોતાની મર્યાદાનુસાર શ્રાવકધર્મનું પાલન કરી શકે છે. આજીવિક અર્થાત્ આજીવિક મતના અનુયાયીઓ ઓછામાં ઓછું ભવનવાસી દેવો થાય છે અને વધુમાં વધુ સહસ્રારથી Page #262 -------------------------------------------------------------------------- ________________ અંગઆગમ પણ આગળ આવેલા અચ્યુત નામના સ્વર્ગ સુધી જઈ શકે છે. આભિયોગિક અર્થાત્ જે જૈન વેષધારી હોવા છતાં પણ મંત્ર, તંત્ર, વશીકરણ વગેરેનો પ્રયોગ કરનારા છે, મસ્તક પર વિભૂતિ અર્થાત્ વાસક્ષેપ નાખનારા છે, પ્રતિષ્ઠા માટે નિમિત્તશાસ્ત્ર વગેરેનો ઉપયોગ કરનારા છે તેઓ ઓછામાં ઓછું ભવનવાસી દેવ થાય છે અને વધુમાં વધુ અચ્યુત નામના સ્વર્ગમાં જાય છે. સ્વલિંગી અર્થાત્ માત્ર જૈન વેષ ધારણ કરનારા સમ્યગ્દર્શન વગેરેથી ભ્રષ્ટ સાધુઓ ઓછામાં ઓછું ભવનવાસી દેવ રૂપે ઉત્પન્ન થાય છે અને વધુમાં વધુ ત્રૈવેયક વિમાનમાં દેવ બને છે. આ બધું દેવગતિ પ્રાપ્ત થવાની અવસ્થામાં જ સમજવું જોઈએ, અનિવાર્યરૂપે અર્થાત્ સામાન્ય નિયમ રૂપે નહિ. ૨૨૮ ઉપર્યુક્ત ઉલ્લેખમાં મહાવીરના સમકાલીન આજીવિકો, વૈદિક પરંપરાના તાપસો અને પરિવ્રાજકો તથા જૈન શ્રમણ-શ્રમણીઓ અને શ્રાવક-શ્રાવિકાઓનો નિર્દેશ છે. તેમાં માત્ર એક બૌદ્ધ પરંપરાના ભિક્ષુઓનો કોઈ નામનિર્દેશ નથી. આમ કેમ ? આ એક વિચારણીય પ્રશ્ન છે. એ પણ વિચારણીય છે કે જે માત્ર જૈન વેષધારી છે અને બાહ્યપણે જૈન અનુષ્ઠાન કરનાર છે પરંતુ વાસ્તવિક રીતે સમ્યગ્દર્શનરહિત છે તેઓ ઊંચામાં ઊંચા સ્વર્ગ સુધી કેવી રીતે પહોંચી શકે કે જ્યારે તે જ પ્રકારના અન્ય વેષધારી મિથ્યાદષ્ટિવાળાઓ ત્યાં સુધી પહોંચી શકતા ન હોય ? તાત્પર્ય એવું જણાય છે કે જૈન બાહ્ય આચારની કઠિનતા અને ઉગ્રતા અન્ય શ્રમણો અને પરિવ્રાજકોની અપેક્ષાએ વધુ સંયમપ્રધાન હતી જેમાં હિંસા વગેરે પાપાચારની બાહ્ય રૂપે સંભાવના ઓછી હતી. આથી દર્શનવિશુદ્ધિ ન હોવા છતાં અન્ય મિથ્યાદષ્ટિવાળાની અપેક્ષાએ જૈન શ્રમણોને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. કાંક્ષામોહનીય : : નિગ્રંથ શ્રમણો કાંક્ષામોહનીય કર્મનું કેવી રીતે વેદન કરે છે—અનુભવ કરે છે ? આનો ઉત્તર આપતાં સૂત્રકારે આગળ બતાવ્યું છે કે જ્ઞાનાંતર, દર્શનાંતર, ચારિત્રાંતર, લિંગાંતર, પ્રવચનાંતર, પ્રાવચનિકાંતર, કલ્પાંતર, માર્ગોતર, મતાંતર, ભંગાંતર, નયાંતર, નિયમાંતર અને પ્રમાણાંતર રૂપ કારણો વડે શંકિત, કાંક્ષિત, વિચિકિત્સિત, બુદ્ધિભેદ તથા ચિત્તની કલુષિતતા પામેલા નિગ્રંથ શ્રમણો કાંક્ષામોહનીય કર્મનું વેદન કરે છે. આ કારણોની વ્યાખ્યા વૃત્તિકારે આ પ્રમાણે કરી છે ઃ જ્ઞાનાન્તર—મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવલ રૂપ પાંચ જ્ઞાનો—જ્ઞાનના પ્રકારો વિષયમાં શંકા કરવી. દર્શનાંતરચક્ષુર્દર્શન, અચક્ષુર્દર્શન વગેરે દર્શનોના અવાંતર ભેદો વિષયમાં શ્રદ્ધા ન રાખવી અથવા સમ્યક્ત્વરૂપ દર્શનના ઔપશમિક વગેરે ભેદો વિષયમાં શંકા કરવી. Page #263 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૨૨૯ ચારિત્રાતર–સામાયિક, છેદો પસ્થાપનીય વગેરે રૂપ ચારિત્ર પ્રત્યે સંશય કરવો. પ્રવચનાંતર–ચતુર્યામ અને પંચયામના ભેદો વિષયમાં શંકા કરવી. પ્રાવચનિકાંતર–પ્રાવચનિક અર્થાત્ પ્રવચનના જ્ઞાતા. પ્રાવચનિકોના ભિન્ન ભિન્ન આચાર-પ્રચારો પ્રત્યે શંકા કરવી. કલ્પાંતર–કલ્પ અર્થાત્ આચાર. આચારના સચેલકત્વ, અચલત્વ વગેરે ભેદો પ્રત્યે સંશય રાખવો. માર્ગોતર–માર્ગ અર્થાત્ પરંપરાથી ચાલી આવનારી સામાચારી. વિવિધ પ્રકારની સામાચારી વિષયમાં અશ્રદ્ધા રાખવી. મતાંતર–પરંપરાથી ચાલ્યા આવનારા મતમતાંતરો પ્રત્યે અશ્રદ્ધા રાખવી. નિયમાંતર–એક નિયમની અંતર્ગત અન્ય નિયમાંતરો પ્રત્યે અવિશ્વાસ રાખવો. પ્રમાણાંતર–પ્રત્યક્ષ રૂપે એક પ્રમાણ સિવાય અન્ય પ્રમાણો પ્રત્યે વિશ્વાસ ન રાખવો. આ રીતે અન્ય કારણોના સ્વરૂપના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. રોહ અણગારના જીવ પહેલાં છે કે અજીવ એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને બતાવ્યું છે કે આ બંનેમાંથી અમુક પહેલાં છે અને અમુક પછી એવો કોઈ કમ નથી, એ બંને પદાર્થો શાશ્વત છે–નિત્ય છે. લોકનો આધારઃ ગૌતમના સમગ્ર લોક કોના આધારે રહ્યો છે એવા પ્રશ્નના ઉત્તરમાં ભગવાને બતાવ્યું છે કે આકાશના આધારે વાયુ, વાયુના આધારે સમુદ્ર, સમુદ્રના આધારે પૃથ્વી તથા પૃથ્વીના આધારે સમસ્ત ત્રસ અને સ્થાવર જીવો રહેલા છે. સમસ્ત અજીવો જીવોના આધારે રહેલા છે. લોકનો આવો આધાર-આધેય ભાવ છે, એ કયા આધારે કહી શકાય છે? તેના ઉત્તરમાં નીચેનું ઉદાહરણ આપવામાં આવ્યું છે : એક મોટી મશકમાં હવા ભરી તેને ઉપરથી બાંધી દેવામાં આવે. પછી તેને વચમાં બાંધી ઉપરનું મોટું ખોલી નાખવામાં આવે. તેની ઉપરના ભાગની હવા નીકળી જશે. પછી તે ખાલી ભાગમાં પાણી ભરી ઉપરથી મોટું બાંધી દેવામાં આવે અને વચ્ચેની ગાંઠ છોડી નાખવામાં આવે. આથી ઉપરના ભાગમાં ભરેલું પાણી નીચે ભરેલી હવાને આધારે ટકી રહેશે. એ જ રીતે લોક પવનના આધારે રહેલો છે. અથવા જેમ કોઈ મનુષ્ય પોતાની કમર ઉપર હવાથી ભરેલી મશક બાંધી પાણીની ઉપર તરતો રહે છે, Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ અંગઆગમ ડૂબતો નથી એ જ રીતે વાયુના આધારે સમગ્ર લોક ટકેલો છે. આ ઉદાહરણોની પરીક્ષા સહેલાઈથી કરી શકાય છે. પાર્થાપત્ય : પાર્શ્વનાથની પરંપરાના શ્રમણો અર્થાતુ પાર્વાપત્યો દ્વારા પૂછવામાં આવેલા કેટલાક પ્રશ્નો પ્રસ્તુત સૂત્રમાં સંગ્રહાયેલા છે. કાલાસવેસિયપુત્ત નામે પાર્વાપત્ય ભગવાન મહાવીરના શિષ્યોને કહે છે કે તે સ્થવિરો ! તમે લોકો સામાયિક જાણતા નથી, સામાયિકનો અર્થ જાણતા નથી, પ્રત્યાખ્યાન જાણતા નથી, પ્રત્યાખ્યાનનો અર્થ જાણતા નથી, સંયમ જાણતા નથી, સંયમનો અર્થ જાણતા નથી, સંવર અને સંવરનો અર્થ જાણતા નથી, વિવેક અને વિવેકનો અર્થ જાણતા નથી, વ્યુત્સર્ગ અને વ્યુત્સર્ગનો અર્થ જાણતા નથી. આ સાંભળીને મહાવીરના શિષ્યો કાલાસવેસિયપુત્તને કહે છે કે હે આર્ય ! અમે લોકો સામાયિક વગેરે અને સામાયિક વગેરેનો અર્થ જાણીએ છીએ. આ સાંભળીને પાર્વાપત્ય અણગારે તે સ્થવિરોને પૂછ્યું કે જો તમે લોકો આ બધું જાણો છો તો બતાવો કે સામાયિક વગેરે શું છે અને સામાયિક વગેરેનો અર્થ શું છે? આનો ઉત્તર આપતાં તે સ્થવિરો કહેવા લાગ્યા કે પોતાનો આત્મા સામાયિક છે અને પોતાનો આત્મા જ સામાયિકનો અર્થ છે. એ જ રીતે આત્મા જ પ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાનનો અર્થ છે વગેરે. આ સાંભળી પાર્થાપત્ય અણગારે પૂછ્યું કે જો એમ છે તો પછી તમે લોકો ક્રોધ, માન, માયા અને લોભનો ત્યાગ કર્યા પછી તેમની ગ–નિંદા કેમ કરો છો ? આના ઉત્તરમાં વિરોએ કહ્યું કે સંયમ માટે અમે ક્રોધ વગેરેની ગર્તા કરીએ છીએ. આ સાંભળી કાલાસવેસિયપુત્તે પૂછ્યું કે ગહ સંયમ છે કે અગહ ? સ્થવિરોએ કહ્યું કે ગહ સંયમ છે, અગહ સંયમ નથી. ગર્તા સમસ્ત દોષોને દૂર કરે છે અને તેના વડે અમારો આત્મા સંયમમાં સ્થાપિત થાય છે. તેનાથી આત્મામાં સંયમનો ઉપચય અર્થાત્ સંગ્રહ થાય છે. આ બધું સાંભળી કાલાસેવેસિયપુત્તને સંતોષ થયો અને તેમણે મહાવીરના વિરોને વંદન કર્યું, નમન કર્યું અને એ સ્વીકાર્યું કે સામાયિકથી માંડી વ્યુત્સર્ગ તથા ગહ સુધીના બધાં પદોનું મને આવું જ્ઞાન નથી. મેં આ વિષયમાં આવું વિવેચન પણ સાંભળ્યું નથી. આ બધાં પદોનું મને જ્ઞાન નથી, અભિગમ નથી, આથી આ બધાં પદો મારા માટે અંદષ્ટ છે, અશ્રુતપૂર્વ છે, અમૃતપૂર્વ છે, અવિજ્ઞાત છે, અવ્યાકૃત છે, અપૃથક્ત છે, અનુદ્ધત છે, અનવધારિત છે. એટલા માટે જવું આપે કહ્યું તેવી મારી શ્રદ્ધા ન હતી, પ્રતીતિ ન હતી, રુચિ ન હતી. હવે આપે બતાવેલી બધી વાતો મારી સમજમાં આવી ગઈ છે, અને તેવી જ મારી શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થઈ ગઈ છે. આમ કહીને કાલાસવેસિયપુત્તે તે સ્થવિરોની પરંપરામાં ભળી જવાનો પોતાનો વિચાર જણાવ્યો. સ્થવિરોની અનુમતિથી તેઓ તેમનામાં ભળી ગયા અને નગ્ન ભાવ, Page #265 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૨૩૧ મુંડ ભાવ, અસ્નાન, અદંતધાવન, અછત્ર, અનુપાનહતા (જોડાંનો ત્યાગ), ભૂમિશય્યા, બ્રહ્મચર્યવાસ, કેશલોચ, ભિક્ષાગ્રહણ વગેરે નિયમોનું પાલન કરી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા. આ ઉલ્લેખથી એવું સ્પષ્ટ જણાઈ છે કે શ્રમણ ભગવાન મહાવીર અને શ્રમણ ભગવાન પાર્શ્વનાથની પરંપરાઓ વચ્ચે વિશેષ ભેદ હતો. તેમના સાધુઓ એકબીજાની માન્યતાઓથી અપરિચિત હતા. તેમનામાં પરસ્પર નંદનવ્યવહાર પણ ન હતો. સૂત્રકૃતાંગના વીરસ્તુતિ અધ્યયનમાં સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે કે ભગવાન મહાવીરે સ્ત્રીત્યાગ અને રાત્રિભોજનવિરમણ રૂપે બે નિયમો નવા વધાર્યા હતા. પાંચમા શતકમાં પણ પાર્સ્થાપત્ય સ્થવિરોની ચર્ચા આવે છે. તેમાં એમ બતાવવામાં આવ્યું છે કે પાર્થાપત્યો ભગવાન મહાવીરની પાસે આવીને વંદના-નમસ્કાર કર્યા વિના જ અથવા કોઈપણ પ્રકારના વિનયનો ભાવ બતાવ્યા વિના જ તેમને પૂછે છે કે અસંખ્યેય લોકમાં રાત્રિ અને દિવસો અનંત હોય છે કે પરિમિત ? ભગવાન બંને વિકલ્પોનો ઉત્તર હામાં આપે છે. તેનો અર્થ એ છે કે અસંખ્યેય લોકમાં રાત્રિ અને દિવસો અનંત પણ હોય છે અને પરિમિત પણ. ત્યારે તે પાર્સ્થાપત્યો ભગવાનને પૂછે છે કે એમ કેમ ? તેના ઉત્તરમાં મહાવીર કહે છે કે આપના પુરુષાદાનીય પાર્શ્વ અર્હતે લોકને શાશ્વત કહ્યો છે, અનાદિ કહ્યો છે, અનંત કહ્યો છે તથા પરિમિત પણ કહ્યો છે. એટલે તેમાં રાત્રિ-દિવસ અનંત પણ હોય છે તથા પરિમિત પણ. આ સાંભળી તે પાર્સ્થાપત્યોએ ભગવાન મહાવીરને સર્વજ્ઞ અને સર્વદર્શીના રૂપમાં ઓળખ્યા, તેમને વંદન-નમસ્કાર કર્યા અને તેમની પરંપરાનો સ્વીકાર કર્યો. આ ઉલ્લેખથી એ સ્પષ્ટ છે કે ભગવાન મહાવીર અને પાર્શ્વનાથ એક જ પરંપરાના તીર્થંકરો છે એ તથ્ય પાર્સ્થાપત્યો જાણતા ન હતા. એ જ રીતનો એક ઉલ્લેખ નવમા શતકમાં પણ આવે છે. ગાંગેય નામે પાર્સ્થાપત્ય અણગારે વંદન-નમસ્કાર કર્યા વિના જ ભગવાન મહાવીરને નરક વગેરે વિશે કેટ ક પ્રશ્નો પૂછ્યા જેમનો મહાવીરે ઉત્તર આપ્યો. તે પછી જ ગાંગેયે ભગવાનને સર્વજ્ઞ, સર્વદર્શી રૂપે ઓળખ્યા. તે પહેલાં તેમને એ વાતની ખબર ન હતી અથવા નિશ્ચય થયો ન હતો કે ભગવાન મહાવીર તીર્થંકર છે, કેવલી છે. વનસ્પતિકાય : શતક સાતમા અને આઠમામાં વનસ્પતિસંબંધી વિવેચન છે. સાતમા શતકના તૃતીય ઉદ્દેશકમાં બતાવવામાં આવ્યું છે કે વનસ્પતિકાયના જીવો કઈ ઋતુમાં અધિકમાં અધિક આહાર ગ્રહણ કરે છે અને કઈ ઋતુમાં ઓછામાં ઓછો આહાર લે છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ ર૩ર. અંગઆગમ પ્રાવૃઋતુમાં અર્થાત્ શ્રાવણ-ભાદરવામાં તથા વર્ષાઋતુમાં અર્થાત્ આસો-કારતકમાં વનસ્પતિકાયિક જીવો અધિકમાં અધિક આહાર લે છે. શરદ ઋતુ, હેમંત ઋતુ, વસંત ઋતુ અને ગ્રીષ્મ ઋતુમાં તેમનો આહાર ઉત્તરોત્તર ઓછો થતો જાય છે અર્થાત્ ગ્રીષ્મ ઋતુમાં વનસ્પતિકાયિક જીવો ઓછામાં ઓછો આહાર લે છે. આ કથને વર્તમાન વિજ્ઞાનની દૃષ્ટિએ વિચારણીય છે. આ જ ઉદ્દેશકમાં આગળ બતાવવામાં આવ્યું છે કે બટાટા વગેરે અનંત જીવવાળા વનસ્પતિકાયિકો છે. અહીં મૂળમાં “આલુઅ” શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ આલૂ અથવા આલુક નામે વનસ્પતિ વર્તમાનમાં પ્રચલિત આલુ એટલે કે બટાટાને મળતી આવતી કોઈ જુદી જાતની વનસ્પતિ જણાય છે, કેમ કે તે સમયે ભારતમાં બટાટાની ખેતી થતી હતી કે નહિ તે નિશ્ચિત નથી. પ્રસંગવશ એ કહેવું પણ અનુચિત નહિ થાય કે બટાટા પણ મગફળીની જ જેમ ડાળીઓ પર લાગવાને લીધે કંદમૂળમાં ગણી શકાય નહિ. ભગવાન ઋષભદેવના જમાનામાં યુગલિક લોકો કંદાહારી-મૂલાહારી હતા છતાં પણ તેઓ સ્વર્ગમાં જતા હતા.શું તે કંદો અને મૂળો વર્તમાન કંદ અને મૂળથી જુદી જાતનાં હતાં? ખરી રીતે સદ્ગતિનો સંબંધ મૂલ ગુણોના પાલન સાથે અર્થાત્ જીવનશુદ્ધિ સાથે છે, નહિ કે કંદ વગેરેના ભક્ષણ કે અભક્ષણ સાથે. જીવની સમાનતાઃ સાતમા શતકના આઠમા ઉદ્દેશકમાં ભગવાને બતાવ્યું છે કે હાથી અને કુંથુનો જીવ સમાન છે. વધુ વર્ણન માટે સૂત્રકારે રાયપલેણ ઇજ્જ સૂત્ર જોવાની સૂચના આપી છે. રાયપણઇન્જમાં કેશીકુમાર શ્રમણે રાજા પએસીની સાથે આત્માનાં સ્વતંત્ર અસ્તિત્વ વિષયમાં ચર્ચા કરી છે. તે પ્રસંગે એક પ્રશ્નના ઉત્તરમાં દીપકના પ્રકાશનું ઉદાહરણ આપીને હાથી અને કુંથુના જીવની સમાનતા સમજાવવામાં આવી છે. આનાથી જીવની સંકુચન-પ્રસારણશીલતા સિદ્ધ થાય છે. કેવલીઃ છઠ્ઠા શતકના દસમા ઉદેશકમાં એક પ્રશ્ન છે કે શું કેવલી ઇન્દ્રિયો દ્વારા જાણે છે, જુએ છે? ઉત્તરમાં બતાવવામાં આવ્યું છે કે નહિ, એવું નથી થતું. અઢારમા શતકના સાતમા ઉદ્દેશકમાં એક પ્રશ્ન છે કે જ્યારે કેવલીના શરીરમાં યક્ષનો આવેશ આવે છે ત્યારે શું તે અન્યતીથિકોના કથન અનુસાર બે ભાષાઓ–અસત્ય અને સત્યાસત્ય બોલે છે ? તેનો ઉત્તર આપતાં બતાવવામાં આવ્યું છે કે અન્યતીર્થિકોનું આ કથન મિથ્યા છે. કેવલીના શરીરમાં યક્ષનો આવેશ આવતો નથી, આથી યક્ષના આવેશથી ઘેરાઈને તે આ પ્રકારની બે ભાષાઓ બોલતો નથી. કેવલી હંમેશા સત્ય અને Page #267 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અસત્યમૃષા—એવા પ્રકારની બે ભાષાઓ બોલે છે. શ્વાસોચ્છ્વાસ : બીજા શતકના પ્રથમ ઉદ્દેશકમાં પ્રશ્ન છે કે દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોની જેમ શું પૃથ્વીકાયિક વગેરે એકેન્દ્રિય જીવો પણ શ્વાસોચ્છ્વાસ લે છે ? જવાબમાં કહેવામાં આવ્યું છે કે હા, લે છે. શું વાયુકાયના જીવો પણ વાયુકાયને જ શ્વાસોચ્છ્વાસ રૂપે ગ્રહણ કરે છે ? અહીં વૃત્તિકારે એવી સ્પષ્ટતા કરી છે કે જે વાયુકાય શ્વાસોચ્છ્વાસ રૂપે ગ્રહણ કરવામાં આવે છે તે ચેતન નહિ પરંતુ જડ અર્થાત્ પુદ્ગલરૂપ હોય છે. તેમની સ્વતંત્ર વર્ગણાઓ હોય છે જેને શ્વાસોચ્છ્વાસ-વર્ગણા કહે છે. જમાલિ-ચરિત : નવમા શતકમાં તેત્રીસમા ઉદ્દેશકમાં જમાલિનું આખું ચરિત્ર છે. તેમાં તેને બ્રાહ્મણકુંડગ્રામની પશ્ચિમમાં આવેલા ક્ષત્રિયકુંડગ્રામનો નિવાસી ક્ષત્રિયકુમાર બતાવવામાં આવેલ છે અને તેના માતા-પિતાનાં નામો આપવામાં આવ્યાં નથી. ભગવાન મહાવીર તે નગરમાં આવ્યા ત્યારે તે તેમના દર્શન માટે ગયો અને બોધ પ્રાપ્ત કરી ભગવાનનો શિષ્ય બન્યો. ત્યારબાદ તેનો ભગવાન મહાવીરના અમુક વિચારો સાથે વિરોધ થવાથી તેમનાથી છૂટો પડ્યો. આ આખા વર્ણનમાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે જમાલિ મહાવીરનો જમાઈ હતો અથવા તેમની કન્યા સાથે તેનો વિવાહ થયો હતો. જ્યારે તે દીક્ષાગ્રહણ કરે છે ત્યારે રજોહરણ અને પડિગ્ગહ અર્થાત્ પાત્ર એ બે ઉપકરણો જ લે છે. મુહપત્તી વગેરે કોઈ પણ બીજા ઉપકરણો તેની પાસે હોવાનો ઉલ્લેખ નથી. જ્યારે જમાલિ ભગવાનથી છૂટો પડે છે અને તેમના અમુક વિચારોથી જુદા પ્રકારના વિચારોનો પ્રચાર કરે છે ત્યારે તે પોતાની જાતને જિન અને કેવલી કહે છે તથા મહાવીરના અન્ય છદ્મસ્થ શિષ્યોથી પોતાને જુદો માને છે. આ પરથી અનુમાન કરી શકાય છે કે ‘જિન’ અને ‘કેવલી’ શબ્દનો પ્રયોગ તે સમયના વિચારકો કેવી રીતે કરતા હતા. મહાવીરથી જુદા થઈને પોતાની ભિન્ન વિચારધારાનો પ્રચાર કરનાર ગોશાલક પણ મહાવીરને એમ જ કહેતો હતો કે હું જિન છું, કેવલી છું અને તમારા શિષ્ય ગોશાલકથી જુદો છું. જ્યારે જમાલિ એમ કહે છે કે હવે હું જિન છું, કેવલી છું ત્યારે મહાવીરના મુખ્ય શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમ જમાલિને કહે છે કે કેવલીનું જ્ઞાનદર્શન તો પર્વતાદિ વડે નિરુદ્ધ નથી થતું. જો તું સાચેસાચ કેવલી અથવા જિન હો તો મારા આ બે પ્રશ્નોના ઉત્તર આપ--આ લોક શાશ્વત છે કે અશાશ્વત ? આ જીવ શાશ્વત છે કે અશાશ્વત ? આ પ્રશ્નો સાંભળીને જમાલિ નિરુત્તર બની ગયો. આ જોઈ ૨૩૩ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ અંગઆગમ ભગવાન મહાવીર જમાલિને કહેવા લાગ્યા કે મારા અનેક છબસ્થ શિષ્યો પણ આ પ્રશ્નોના ઉત્તર આપી શકે છે. છતાં પણ તેઓ તારી માફક એમ નથી કહેતાં કે અમે જિન છીએ, કેવલી છીએ. અંતમાં જ્યારે જમાલિ મૃત્યુ પામે છે ત્યારે ગૌતમ ભગવાનને પૂછે છે કે આપનો જમાલિ નામક કુશિષ્ય મરીને કઈ ગતિમાં ગયો? તેનો જવાબ આપતાં મહાવીર કહે છે કે મારો કુશિષ્ય અનગાર જમાલિ મરીને અધમ જાતિની દેવગતિમાં ગયો છે. તે સંસારમાં ફરતો ફરતો અંતે સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે. શિવરાજર્ષિઃ અગિયારમા શતકના નવમા ઉદ્દેશકમાં હત્થિનાગપુરના રાજા શિવનું વર્ણન છે. આ રાજાને ઇતિહાસની દૃષ્ટિએ જોવામાં આવે કે માત્ર દંતકથાની દૃષ્ટિએ તેનો નિર્ણય કરી શકાતો નથી. તેના સામંત રાજાઓ પણ હતા એવો ઉલ્લેખ મળે છે. આથી અનુમાન કરી શકાય છે કે તે કોઈ વિશિષ્ટ રાજા રહ્યો હશે. તેને તાપસ થવાની ઇચ્છા થાય છે આથી પોતાના પુત્ર શિવભદ્રને ગાદીએ બેસાડી પોતે દિશામોક્ષક પરંપરાની દીક્ષા સ્વીકાર કરવા માટે ગંગાકિનારે રહેનારા વાનપ્રસ્થ તાપસી પાસે જાય છે અને તેમની પાસે દીક્ષા લે છે. દીક્ષા લેવાની સાથે જ તે નિરંતર ષષ્ઠ તપ કરવાની પ્રતિજ્ઞા કરે છે. આ તપની સાથે તે રોજ આતાપનાભૂમિ પર આતાપના લે છે. તેની દિનચર્યા આવા પ્રકારની બતાવવામાં આવી છે : ષષ્ઠ તપના પારણાના દિવસે તે આતાપનાભૂમિથી ઊતરી નીચે આવે છે, વૃક્ષની છાલનાં કપડાં પહેરે છે, પોતાની ઝૂંપડીમાં આવે છે અને પછી કિઢિણ અર્થાત્ વાંસનું પાત્ર અને સંકાઇય–સંકાયિક અર્થાત્ કાવડ ગ્રહણ કરે છે. ત્યારબાદ પૂર્વદિશાનું પ્રોક્ષણ (પાણીનો છંટકાવ) કરે છે અને ‘પૂર્વદિશાના સોમ મહારાજ ધર્મસાધનામાં પ્રવૃત્ત શિવરાજની રક્ષા કરો અને પૂર્વમાં રહેલાં કંદ, મૂળ, પત્ર, પુષ્પ, ફળ વગેરે લેવાની અનુમતિ આપો” એમ કહી પૂર્વમાં જઈ કંદ વગેરેથી પોતાની કાવડ ભરે છે ત્યારબાદ શાખા, કુશ, સમિધ, પત્ર વગેરે લઈ પોતાની ઝૂંપડીમાં આવે છે. આવીને કાવડ વગેરે મૂકી, વેદિકા સાફ કરી, પાણી અને છાણથી લીંપે છે. ત્યારબાદ હાથમાં શાખા અને કળશ લઈ ગંગા નદીમાં ઊતરે છે, સ્નાન કરે છે, દેવકર્મપિતૃકર્મ કરે છે, શાખા અને પાણીથી ભરેલો કળશ લઈ પોતાની ઝૂંપડીમાં આવે છે, કુશ વગેરે દ્વારા વેદિકા બનાવે છે, અરણી ઘસીને અગ્નિ પ્રગટ કરે છે, સમિધ વગેરે સળગાવે છે અને અગ્નિની જમણી બાજુ નીચેની સાત વસ્તુઓ મૂકે છે. સકથા (તાપસનું એક ઉપકરણ), વલ્કલ, ઠાણ અર્થાત્ દીપ, શોપકરણ, કમંડલ, દંડ અને સાતમો તે પોતે. ત્યારબાદ મધ, ઘી અને ચોખા અગ્નિમાં હોમે છે, ચરુબલિ તૈયાર કરે છે, ચરુબલિ દ્વારા વૈશ્વદેવ બનાવે છે, અતિથિની પૂજા કરે છે અને પછી ભોજન કરે છે. આ રીતે દક્ષિણ દિશાના યમ મહારાજની, પશ્ચિમ દિશાના વરુણ મહારાજની અને Page #269 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૨૩૫ ઉત્તર દિશાના વૈશ્રમણ મહારાજની અનુમતિ લઈ ઉપર્યુક્ત બધી ક્રિયાઓ કરે છે. આ શિવરાજર્ષિ એમ કહેતા કે આ પૃથ્વી સાત દ્વીપો અને સાત સમુદ્રોવાળી છે. તેની પછી કંઈ નથી. જ્યારે તેમને ભગવાન મહાવીરના આગમનની જાણ થાય છે ત્યારે તેઓ એમની પાસે જઈ તેમનો ઉપદેશ સાંભળી તેમના શિષ્ય થઈ જાય છે. અગિયાર અંગો ભણી અંતમાં નિર્વાણ પ્રાપ્ત કરે છે. પરિવ્રાજક તાપસ: જેવી રીતે આ સૂત્રમાં કેટલાય તાપસોનું વર્ણન આવે છે તેવી જ રીતે ઔપપાતિકસૂત્રમાં પરિવ્રાજક તાપસોના અનેક પ્રકાર બતાવવામાં આવ્યા છે, જેમ કે –અગ્નિહોત્રીય, પોરિયલુંગી પહેરનારા, કોરિય–જમીન પર સૂનારા, જઈ– યજ્ઞ કરનારા, હુંબઉઢકુંડી રાખનારા શ્રમણો, દંતુષ્પલિય–દાંતથી કાચા ફળ ખાનારા, ઉમ્મજ્જગ–માત્ર ડૂબકી મારીને જ સ્નાન કરનારા, સંમwગવારંવાર ડૂબકી મારીને સ્નાન કરનારા, નિમજ્જગ-સ્નાન માટે પાણીમાં લાંબા સમય સુધી પડ્યા રહેનારા, સંપખાલગ-શરીર પર માટી ઘસીને સ્નાન કરનારા, દખિણકૂલગ-ગંગાના દક્ષિણ કિનારે રહેનારા, ઉત્તરકૂલગ-ગંગાના ઉત્તર કિનારે રહેનારા, સંખધમગ–અતિથિને ખાવા માટે નિમંત્રણ આપવાના હેતુથી શંખ ફૂંકનારા, કૂલધમગ-કિનારે ઊભા રહીને અતિથિને બોલાવનારા, મિયલુદ્ધય–મૃગલબ્ધક, હસ્તિતાપસ હાથીને મારીને તેનાથી જીવનનિર્વાહ કરનારા, ઉદંડક–દંડ ઊંચો રાખી ફરનારા, દિશા પ્રોક્ષક–પાણી વડે દિશાનું પ્રોક્ષણ કરી ફળ લેનારા, વલ્કવાસી–વલ્કલ પહેરનારા, ચેલવાસી-કપડાં પહેરનારા, વેલવાસી સમુદ્ર તટ પર રહેનારા, જલવાસી–પાણીમાં બેસી રહેનારા, બિલવાસી–ગુફાઓમાં રહેનારા, સ્નાન કર્યા વિના ન ખાનારા, વૃક્ષમૂલિક–વૃક્ષના મૂળ પાસે રહેનારા, જલભક્ષી–માત્ર પાણી પીનારા, વાયુભક્ષી–માત્ર હવા ખાનારા, શવાલભક્ષી–શેવાળ ખાનારા, મૂલાહારી, કંદાહારી, ત્વગાહારી, ફલાહારી, પુષ્પાહારી, બીજાહારી, પંચાગ્નિ તપનારા વગેરે. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે કંદાહારી તાપસો પણ મરીને સ્વર્ગમાં જાય છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં શિવરાજર્ષિની જેવા સ્કંદ, તામિલ, પૂરણ, પુગલ વગેરે તાપસોનું પણ વર્ણન આવે છે. તેમાં દાનામા અને પ્રાણામા રૂપી બે તાપસી દીક્ષાઓનો પણ ઉલ્લેખ છે. દાનામાં અર્થાત્ ભિક્ષા લાવી દાન કરવાના આચારવાળી પ્રવ્રયા અને પ્રાણામા અર્થાત્ પ્રાણીમાત્રને પ્રણામ કરતા રહેવાની પ્રવ્રજ્યા. આ તાપસોમાંથી કેટલાક સ્વર્ગમાં ગયા છે અને કેટલાકને ઇન્દ્રપદ પણ મળ્યું છે. આથી એવું ફલિત થાય છે કે સ્વર્ગપ્રાપ્તિ માટે કષ્ટમય તપની આવશ્યકતા છે, નહિ કે યજ્ઞયાગાદિની. આ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ અંગઆગમ બતાવવા માટે પ્રસ્તુત સૂત્રમાં વારંવાર દેવો અને અસુરોનું વર્ણન આપવામાં આવ્યું છે. એ જ દષ્ટિએ સૂત્રકારે દેવાસુરસંગ્રામનું પણ વર્ણન કર્યું છે. આ સંગ્રામમાં દેવેન્દ્ર શક્રથી ભયભીત બનેલ અસુરેન્દ્ર ચમર ભગવાન મહાવીરના શરણે જતાં બચી જાય છે. આ સંગ્રામ વૈદિક દેવાસુર સંગ્રામનું અનુકરણ હોય તેમ જણાય છે. સંગ્રામનું જે કારણ બતાવવામાં આવ્યું છે તે અત્યંત વિલક્ષણ છે. તેનાથી એ પણ ફલિત થાય છે કે ઇન્દ્ર જેવો બળવાન અને સમર્થ પુરુષ પણ કેવી રીતે કાષાયિક વૃત્તિઓનો શિકાર બનીને પામર પ્રાણીની માફક આચરણ કરવા લાગે છે. સ્વર્ગની જે ઘટનાઓ વારંવાર આવે છે તે વાંચવાથી એમ જણાય છે કે સ્વર્ગના પ્રાણીઓ કેટલા અધમ, ચોર, અસદાચારી અને કલહપ્રિય હોય છે. આ બધી ઘટનાઓનો અર્થ એ જ છે કે સ્વર્ગ વાંછનીય નથી પરંતુ મોક્ષ વાંછનીય છે. શુદ્ધ સંયમનું ફળ નિર્વાણ છે જ્યારે દૂષિત સંયમથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. સ્વર્ગનું કારણ યજ્ઞ વગેરે ન હોતાં અહિંસાપ્રધાન આચરણ જ છે. સ્વર્ગ પણ નિર્વાણપ્રાપ્તિમાં એક બાધા છે જે દૂર કરવી જરૂરી છે. આ રીતે જૈન નિગ્રંથોએ સ્વર્ગની જગ્યાએ મોક્ષને પ્રતિષ્ઠિત કરી હિંસા અથવા ભોગને બદલે અહિંસા અથવા ત્યાગની પ્રતિષ્ઠા કરી છે. સ્વર્ગઃ | સ્વર્ગના વર્ણનમાં વસ્ત્ર, અલંકાર, ગ્રંથ, પાત્ર, પ્રતિમાઓ વગેરેનો ઉલ્લેખ છે. વિમાનોની રચનામાં વિવિધ રત્નો, મણિઓ અને બહુમૂલ્ય પદાર્થોનો ઉપયોગ બતાવવામાં આવ્યો છે. એ જ રીતે સ્તંભ, વેદિકા, છાપરું, દ્વાર, બારી, હિંડોળો, ખીલી વગેરેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બધી વસ્તુઓ સ્વર્ગમાં ક્યાંથી આવે છે? શું આ આ જ જગતના પદાર્થોની કલ્પિત નકલ નથી ? સ્વર્ગ લૌકિક આનંદોપભોગ અને વિષયવિલાસની ઉત્કૃષ્ટતમ સામગ્રીની ઉચ્ચતમ કલ્પનાનો શ્રેષ્ઠતમ નમૂનો છે. ભગવાન મહાવીરના સમયમાં એક માન્યતા એવી હતી કે યુદ્ધ કરનાર સ્વર્ગમાં જાય છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (શતક ૭, ઉદેશક ૯)માં આ બાબતમાં બતાવવામાં આવ્યું છે કે સંગ્રામ કરનારાને સંગ્રામ કરવાથી સ્વર્ગ પ્રાપ્ત નથી થતું, પરંતુ ન્યાયપૂર્વક સંગ્રામ કર્યા પછી જે સંગ્રામકર્તા પોતાના દુષ્કૃત્યો માટે પશ્ચાત્તાપ કરે છે તથા તે પશ્ચાત્તાપને કારણે જેનો આત્મા શુદ્ધ બને છે તે સ્વર્ગમાં જાય છે. આનો અર્થ એમ નથી કે માત્ર સંગ્રામ કરવાથી કોઈને સ્વર્ગ મળી જાય છે. ગીતા (અધ્યાય ૨, શ્લોક ૩૭)ના “દતો વા પ્રસ્થતિ સ્વમ્'નું રહસ્યોદ્ઘાટન વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના આ કથનમાં કેટલી સુંદર રીતે કરવામાં આવ્યું છે? Page #271 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૨૩૭ દેવભાષાઃ મહાવીરના સમયમાં ભાષા વિશે પણ ઘણી મિથ્યાધારણાઓ ફેલાયેલી હતી. અમુક ભાષા દેવભાષા છે અને અમુક ભાષા અપભ્રષ્ટ ભાષા છે તથા દેવભાષા બોલવાથી પુણ્ય થાય છે અને અપભ્રષ્ટ ભાષા બોલવાથી પાપ થાય છે એવી જાતની માન્યતાએ લોકોના મનમાં ઘર કરી લીધું હતું. ભગવાન મહાવીરે સ્પષ્ટ કહ્યું કે ભાષાનો પુણ્ય કે પાપ સાથે કોઈ સંબંધ નથી. ભાષા તો માત્ર બોલચાલના વ્યવહારનું એક સાધન અર્થાત્ માધ્યમ છે. મનુષ્ય ભલે કોઈ પણ ભાષા બોલે, જો તેનું ચારિત્રઆચરણ શુદ્ધ હશે તો તેના જીવનનો વિકાસ થશે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના પાંચમા શતકના ચોથા ઉદેશકમાં એમ બતાવવામાં આવ્યું છે કે દેવો અર્ધમાગધી ભાષા બોલે છે. દેવો દ્વારા બોલાતી ભાષાઓમાં અર્ધમાગધી ભાષા વિશિષ્ટ છે, જો કે અહીં એવું પ્રતિપાદિત નથી કરવામાં આવ્યું કે અર્ધમાગધી ભાષા બોલવાથી પુણ્ય થાય છે અથવા જીવનની શુદ્ધિ થાય છે. વૈદિકો અને જૈનોની જેમ અન્ય સંપ્રદાયવાળાઓ પણ દેવોની વિશિષ્ટ ભાષા હોવાનું માને છે. ખ્રિસ્તીઓ દેવોની ભાષા હિબ્રુ માને છે, જ્યારે મુસલમાનો દેવોની ભાષા અરબી હોવાનું માને છે. એ રીતે મોટા ભાગે પ્રત્યેક સંપ્રદાયવાળાઓ પોતપોતાના શાસ્ત્રની ભાષાને દેવભાષા કહે છે. ગોશાલક: પંદરમા શતકમાં મખલિપુત્ર ગોશાલકનું વિસ્તૃત વર્ણન છે. ગોશાલક માટે મંખલિપુત્ર અને મખ્ખલિપુત્ર એવા બે શબ્દોનો પ્રયોગ થતો રહ્યો છે. જૈન શાસ્ત્રોમાં મંખલિપુત્ર શબ્દ પ્રચલિત છે, જ્યારે બૌદ્ધ પરંપરામાં મખલિપુત્ર શબ્દનો પ્રયોગ થયો છે. હાથમાં ચિત્રપટ લઈ તે દ્વારા લોકોને ઉપદેશ આપી પોતાની આજીવિકા ચલાવનાર ભિક્ષુકોને જૈન પરંપરામાં “સંખ' કહેવામાં આવ્યો છે. પ્રસ્તુત શતક અનુસાર ગોશાલકનો જન્મ સરવણ નામના ગામમાં રહેનારા વેદવિશારદ ગોબહુલ બ્રાહ્મણની ગૌશાળામાં થયો હતો અને એટલા માટે જ તેના પિતા મખલિ મંખ અને માતા ભદ્રાએ પોતાના પુત્રનું નામ ગોશાલક રાખ્યું. ગોશાલક જ્યારે યુવાન થયો અને જ્ઞાન-વિજ્ઞાનમાં પરિપક્વ થયો ત્યારે તેણે પોતાના પિતાનો મંખપણાનો ધંધો સ્વીકાર્યો. ગોશાલક પોતે ગૃહસ્થાશ્રમી હતો કે નહિ તે વિષયમાં પ્રસ્તુત પ્રકરણમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. તે નગ્ન રહેતો હતો તે પરથી એમ જણાય છે કે તે ગૃહસ્થાશ્રમમાં રહ્યો નહિ હોય. જ્યારે મહાવીર દીક્ષિત થયા પછી બીજા ચાતુર્માસમાં ફરતા ફરતા રાજગૃહની બહાર નાલંદામાં ૧. મહાવીરચરિયમાં ગોશાલકના વૃત્તાંત માટે એક નવી જ કલ્પના કરવામાં આવી છે. જુઓ–મહાવીરચરિયું, ષષ્ઠ પ્રસ્તાવ. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ અંગઆગમ આવ્યા અને વણકરવાસમાં ઉતર્યા ત્યારે ત્યાં જ તેમની પાસે જ મંખલિપુત્ર ગોશાલક પણ ઉતર્યો હતો. આ પરથી જણાય છે કે મંખ ભિક્ષુઓની પરંપરા મહાવીરના દીક્ષિત થયા પૂર્વે પણ વિદ્યમાન હતી. મહાવીર દીક્ષિત થયા પછી બાર વર્ષ સુધી કઠોર તપ સાધના કરતા રહ્યા. તે પછી અર્થાત્ બેંતાલીસ વર્ષની ઉંમરે વીતરાગ બન્યા-કેવલી બન્યા. ત્યારપછી ફરતા ફરતા ચૌદ વર્ષે શ્રાવસ્તી નગરીમાં આવ્યા. તે જ સમયે મંખલિપુત્ર ગોશાલક પણ ફરતો ફરતો ત્યાં આવી પહોંચ્યો. આ રીતે ગોશાલકનો ભગવાન મહાવીર સાથે છપ્પન વર્ષની ઉંમરે ફરી મેળાપ થયો. આ શતકમાં એમ પણ બતાવવામાં આવ્યું છે કે કેવલી થયા પૂર્વે મહાવીરના ચમત્કારિક પ્રભાવથી આકર્ષિત થઈને જયારે ગોશાલકે તેમને પોતાના શિષ્યરૂપે સ્વીકારવા માટે પ્રાર્થના કરી ત્યારે તેઓ મૌન રહ્યા. ત્યારબાદ જ્યારે મહાવીર ફરતા ફરતા કોલ્લાક સંનિવેશમાં પહોંચ્યા ત્યારે ફરી તે તેમને શોધતો શોધતો ત્યાં જઈ પહોંચ્યો અને તેમની પાસે ફરી પોતાને તેમનો શિષ્ય બનાવવા માટે પ્રાર્થના કરી. આ વખતે મહાવીરે તેની પ્રાર્થના સ્વીકારી. ત્યારબાદ તે બંને છ વર્ષ સુધી સાથે ફરતા રહ્યા. તે વખતે એક પ્રસંગે ગોશાલકે મહાવીર પાસે શીતલેશ્યા હોવાની વાત જાણી અને તેજલેશ્યા વિષયમાં પણ જાણકારી મેળવી. તેણે મહાવીરને તેજલેશ્યા મેળવવા માટેનો ઉપાય પૂછ્યો. મહાવીર પાસેથી તે વિશેની વિધિ જાણી તેણે તે લબ્ધિ મેળવી. ત્યારબાદ તે મહાવીરથી જુદો થઈ વિચરવા લાગ્યો. મંખલિપુત્ર ગોશાલ જ્યારે શ્રાવસ્તીમાં પોતાની અનન્ય ઉપાસિકા હાલાહલા કુંભારણને ત્યાં ઉતર્યો હતો ત્યારે તેનો દીક્ષાપર્યાય ચોવીસ વર્ષનો હતો. આ દીક્ષાપર્યાય કયો સમજવો જોઈએ? તે સંબંધી મૂળસૂત્રમાં કોઈ સ્પષ્ટીકરણ નથી. સંભવ છે કે આ દીક્ષાપર્યાય મહાવીરથી જુદો થયા પછી જ્યારે તેણે પોતાના નવા મતનો પ્રચાર શરૂ કર્યો હતો ત્યારનો હોય. આ દીક્ષાપર્યાયની સ્પષ્ટતા વિષયમાં પં. કલ્યાણવિજયજી કૃત “શ્રમણ ભગવાન મહાવીર' જોવું જરૂરી છે. એમ જણાય છે કે ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમને આ મંખ પરંપરા અને મખલિપુત્ર ગોશાલકનો ખાસ પરિચય ન હતો. એટલા માટે તેઓ ભગવાન મહાવીરને મખલિપુત્રનો અથથી ઇતિ સુધીનો વૃત્તાંત કહેવાની વિનંતી કરે છે. તે સમયે નિયતિવાદી ગોશાલક જિન, કેવલી અને અહત રૂપે પ્રસિદ્ધ હતો. તે આજીવિક પરંપરાનો મુખ્ય આચાર્ય હતો. તેનો શિષ્ય પરિવાર તથા ઉપાસકવર્ગ પણ વિશાળ હતો. Page #273 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૨૩૯ ગોપાલક વિષયમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નિમ્નોક્ત છ દિશાચરો ગોશાલકને મળ્યા અને તેના સાથીરૂપે રહેવા લાગ્યાઃ શાન, કલંદ, કર્ણિકાર, અછિદ્ર, અગ્નિવેશ્યાયન અને ગોમાયુપુત્ર અર્જુન. આ દિશાચરો વિષયમાં ટીકાકાર કહે છે કે તેઓ ભગવાન મહાવીરના પથભ્રષ્ટ શિષ્યો હતા. ચૂર્ણિકારનું કથન છે કે આ છ દિશાચરો પાસત્થ અર્થાતુ પાર્શ્વનાથની પરંપરાના હતા. આવશ્યક ચૂર્ણિમાં જયાં મહાવીરના ચરિત્રનું વર્ણન છે ત્યાં ગોશાલકનું ચરિત્ર પણ આપવામાં આવ્યું છે. આ ચરિત્ર ખૂબ જ હાસ્યાસ્પદ અને વિલક્ષણ છે. વાયુકાય અને અગ્નિકાય: સોળમા શતકના પ્રથમ ઉદ્દેશકમાં બતાવવામાં આવ્યું છે કે અધિકરણી અર્થાત્ એરણ ઉપર હથોડો મારતાં વાયુકાય ઉત્પન્ન થાય છે. વાયુકાયના જીવો અન્ય પદાર્થોનો સંસ્પર્શ થવાથી જ મરે છે, સંસ્પર્શ વિના નહિ. સગડી (અંગારકારિકાઇંગાલ કારિયા)માં અગ્નિકાયના જીવો જધન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ રાત્રિ-દિવસ સુધી રહે છે. ત્યાં વાયુકાયિક જીવો પણ ઉત્પન્ન થાય છે અને રહે છે કેમ કે વાયુ વિના અગ્નિ પ્રજવલિત થતો નથી. જરા અને શોકઃ બીજા ઉદ્દેશકમાં જરા અને શોક વિષયક પ્રશ્નોત્તર છે. તેમાં બતાવવામાં આવ્યું છે કે જે જીવોને સ્થૂળ મન નથી હોતું તેમને શોક નથી હોતો પરંતુ જરા તો હોય જ છે. જે જીવોને સ્થળ મન હોય છે તેમને શોક પણ હોય છે અને જરા પણ. અહીં ભવનપતિ અને વૈમાનિક દેવોને પણ જરા અને શોક હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. એ રીતે જૈન આગમો અનુસાર દેવો પણ જરા અને શોકથી મુક્ત નથી. સાવદ્ય અને નિરવદ્ય ભાષાઃ દેવેન્દ્ર-દેવરાજ શક્ર સાવદ્ય ભાષા બોલે છે કે નિરવઘ તે પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીરે બતાવ્યું છે કે જ્યારે શક્ર “સુહુમાયું fઝૂહિતા' અર્થાત્ સૂક્ષ્મકાયને ઢાંકીને બોલે છે ત્યારે નિરવદ્ય-નિષ્પાપ ભાષા બોલે છે અને જ્યારે તે “સુહુમાયં ળિગૃદિતા' અર્થાત સૂક્ષ્મકાયને ઢાંક્યા વિના બોલે છે ત્યારે સાવદ્ય-સપાપ ભાષા બોલે છે. તાત્પર્ય એ છે કે હાથ અથવા વસ્ત્ર દ્વારા મુખ ઢાંકીને બોલનારાની ભાષા નિષ્પાપ અર્થાત નિર્દોષ હોય છે, જ્યારે મુખ ઢાંક્યા વિના બોલનારાની ભાષા સપાપ અર્થાત્ સદોષ હોય છે. આથી બોલવાની એક જૈન અભિમત મુજબની વિશિષ્ટ પદ્ધતિનો ખ્યાલ આવે છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ અંગઆગમ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ દેવોઃ પાંચમા ઉદ્દેશકમાં ઉલ્લયતીર નામે નગરના એક જંબૂ નામે ચૈત્યમાં ભગવાન મહાવીરના આગમનનો ઉલ્લેખ છે. આ પ્રકરણમાં ભગવાને શક્રેન્દ્રના પ્રશ્નના ઉત્તરમાં બતાવ્યું છે કે મહાદ્ધિસંપન્ન યાવતું મહાસુખસંપન્ન દેવ પણ બાહ્ય પગલો ગ્રહણ કર્યા વિના આવવું-જવું, બોલવું, આંખ ખોલવી, આંખ બંધ કરવી, અંગોનો સંકોચ કરવો અને ફેલાવવાં તથા વિષયભોગ કરવો વગેરેમાં સમર્થ થતો નથી. બાહ્ય પુદ્ગલો ગ્રહણ કરીને જ તે આ બધાં કાર્યો કરી શકે છે. ત્યારબાદ મહાશુક્રકલ્પ નામક સ્વર્ગમાં રહેનારા બે દેવોના વિવાદનું વર્ણન છે: એક દેવ સમ્યગ્દષ્ટિ છે અને બીજો મિથ્યાષ્ટિ. આ વિવાદમાં સમ્યગ્દષ્ટિ અર્થાત જૈન દેવે મિથ્યાષ્ટિ અર્થાત્ અજૈન દેવને પરાજિત કર્યો. વિવાદનો વિષય પુગલ-પરિણામ હોવાનું કહેવામાં આવેલ છે. આથી જણાઈ આવે છે કે સ્વર્ગવાસી દેવો પણ પુદ્ગલ-પરિણામ વગેરેની ચર્ચા કરે છે. સમ્યગ્દષ્ટિ દેવનું નામ ગંગદત્ત બતાવવામાં આવ્યું છે. તે તેના પૂર્વજન્મનું નામ છે. દેવ થયા પછી પણ પૂર્વજન્મનું જ નામ ચાલે છે એવી જૈન પરંપરાની માન્યતા છે. પ્રસ્તુત પ્રકરણમાં ગંગદત્ત દેવનો પૂર્વજન્મ માનતાં કહેવામાં આવ્યું છે કે તે હસ્તિનાપુરનિવાસી એક ગૃહસ્થ હતો અને તીર્થંકર મુનિસુવ્રત પાસે દીક્ષિત થયો હતો. સ્વપ્રઃ છઠ્ઠા ઉદ્દેશકમાં સ્વમસંબંધી ચર્ચા છે. ભગવાન કહે છે કે એક સ્વપ્ર યથાર્થ હોય છે અર્થાત જેવું સ્વપ્ર જોયું હોય તેવું જ ફળ મળે છે. બીજું સ્વપ્ર અતિ વિસ્તારયુક્ત હોય છે તે યથાર્થ હોય પણ અને નહિ પણ. ત્રીજુંચિંતાસ્વપ્ર હોય છે અર્થાત જાગૃત અવસ્થાની ચિતા સ્વમરૂપે પ્રગટ થાય છે. ચોથું વિપરીત સ્વપ્ર હોય છે અર્થાત્ જેવું સ્વપ્ર જોયું હોય તેનાથી વિપરીત ફળ મળે છે. પાંચમું અવ્યક્ત સ્વપ્ર હોય છે અર્થાત્ સ્વપ્રદર્શનમાં અસ્પષ્ટતા હોય છે. આગળ જતાં બતાવવામાં આવ્યું છે કે બરાબર સૂતેલો માણસ કે જાગતો માણસ સ્વપ્ર જોઈ શકતો નથી, પરંતુ કંઈક અંશે સૂતેલો અને કંઈક અંશે જાગતો માણસ જ સ્વપ્ર જોઈ શકે છે. સંવૃત, અસંવૃત અને સંવૃતાસંવૃત એ ત્રણે જીવો વપ્ર જુએ છે. તેમાંથી સંવૃતનું સ્વપ્ર યથાર્થ જ હોય છે. અસંવૃત કે સંવૃતાસંવૃતનું સ્વમ યથાર્થ પણ હોઈ શકે છે અને અયથાર્થ પણ. સાધારણ સ્વપ્રો ૪૨ પ્રકારનાં છે અને મહાસ્વપ્રો ૩૦ પ્રકારનાં છે. એ રીતે બધાં મળી ૭૨ પ્રકારનાં સ્વપ્રો હોય છે. જ્યારે તીર્થંકરનો જીવ માતાના ગર્ભમાં આવે છે ત્યારે માતા ૧૪ મહાસ્વપ્રો જોઈને જાગે છે. એ જ રીતે ચક્રવર્તીની માતાના વિષયમાં પણ સમજવું જોઈએ. વાસુદેવની માતા ૭, બળદેવની માતા ૪ અને માંડલિક રાજાની માતા ૧ સ્વપ્ર જોઈને લાગે છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ શ્રમણ ભગવાન મહાવીરે છદ્મસ્થ અવસ્થામાં એક રાત્રિના અંતિમ પ્રહરમાં ૧૦ મહાસ્વપ્રો જોયાં હતાં. પ્રસ્તુત ઉદ્દેશકમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે સ્ત્રી અથવા પુરુષ અમુક સ્વપ્ર જુએ તો તેને અમુક ફળ મળે છે. આ ચર્ચા પરથી એ જણાઈ આવે છે કે જૈન અંગશાસ્ત્રોમાં સ્વપ્રવિદ્યાને પણ ખાસ્સું સ્થાન મળ્યું છે. કોણિકનો મુખ્ય હાથી સત્તરમા શતકના પ્રથમ ઉદ્દેશકની શરૂઆતમાં રાજા કોણિકના મુખ્ય હાથી વિષયમાં ચર્ચા છે. આ ચર્ચામાં મૂળ પ્રશ્ન એવો છે કે આ હાથી પૂર્વભવમાં ક્યાં હતો અને મરીને ક્યાં જશે ? જવાબમાં કહેવામાં આવ્યું છે કે આ હાથી પૂર્વભવમાં અસુરદેવ હતો અને મરીને નરકમાં જશે અને ત્યાંથી મહાવિદેહ વર્ષમાં જઈને નિર્વાણ પ્રાપ્ત કરશે. રાજા કોણિકનો મુખ્ય હાથી કેટલો ભાગ્યશાળી કે તેની ચર્ચા ભગવાન મહાવીરના મુખે થઈ છે. ત્યારબાદ આ જ પ્રકારના બીજા હાથી ભૂતાનંદની ચર્ચા છે. ત્યારબાદ તાડના વૃક્ષ પર ચડી તેને હલાવનાર અને ફળો નીચે પાડનારને કેટલી ક્રિયાઓ લાગે તેની ચર્ચા છે. ત્યારબાદ પણ સામાન્ય વૃક્ષ સંબંધી આ જ પ્રકારની ચર્ચા છે. ત્યારબાદ ઇન્દ્રિય, યોગ, શરીર વગેરે વિષયોની ચર્ચા છે. કંપઃ ૨૪૧ ત્રીજા ઉદ્દેશકમાં શૈલેશી અર્થાત્ શિલેશ—મેરુ સમાન અકંપ સ્થિતિ પ્રાપ્ત કરનાર અનગાર કેવો હોય છે તેની ચર્ચા છે. આ પ્રસંગે કંપનાં પાંચ પ્રકારો બતાવવામાં આવ્યાં છે : દ્રવ્યકંપ, ક્ષેત્રકંપ, કાલકંપ, ભાવકંપ અને ભયકંપ. તે પછી ‘ચલના’ની ચર્ચા છે. અંતમાં એમ બતાવવામાં આવ્યું છે કે સંવેગ, નિર્વેદ, શુશ્રુષા, આલોચના, અપ્રતિબદ્ધતા, કષાયપ્રત્યાખ્યાન વગેરે નિર્વાણફળ ઉત્પન્ન કરે છે. નરકસ્થ અને સ્વર્ગસ્થ પૃથ્વીકાયિક આદિ જીવો ઃ છઠ્ઠા ઉદ્દેશકમાં નરકસ્થ, પૃથ્વીકાયિક જીવોની સૌધર્મ વગેરે દેવલોકમાં ઉત્પત્તિ થવાના વિષયમાં ચર્ચા છે. સાતમામાં સ્વર્ગસ્થ પૃથ્વીકાયિક જીવોની નરકમાં ઉત્પત્તિ થવાના વિષયમાં વિચારણા છે. આઠમા અને નવમામાં એ જ પ્રકારની ચર્ચા અપ્સાયિક જીવો વિષયે છે. આનાથી જણાય છે કે સ્વર્ગ અને નરકમાં પણ પાણી હોય છે. પ્રથમતા-અપ્રથમતા ઃ અઢારમા શતકમાં નીચે લખેલા દસ ઉદ્દેશકો છે ઃ ૧. પ્રથમ, ૨. વિશાખ, ૩. માકંદી, ૪. પ્રાણાતિપાત, ૫. અસુર, ૬. ફણિત, ૭. કેવલી, ૮. અનગાર, ૯. ભવદ્રવ્ય, ૧૦. સોમિલ. પ્રથમ ઉદ્દેશકમાં જીવના જીવત્વની પ્રથમતા-અપ્રથમતાની Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ચર્ચા છે. આ જ રીતે જીવના સિદ્ધત્વ વગેરેનો વિચાર કરવામાં આવ્યો છે. કાર્તિક શેઠ : અંગઆગમ બીજા ઉદ્દેશકમાં બતાવવામાં આવ્યું છે કે વિશાખા નગરીના બહુપુત્રિક ચૈત્યમાં ભગવાન મહાવીર આવે છે. ત્યાં તેમને એમ પૂછવામાં આવે છે કે દેવેન્દ્ર-દેવરાજ શક્ર પૂર્વભવમાં કોણ હતો ? તેને શક્રનું પદ કેવી રીતે મળ્યું ? તેના ઉત્તરમાં હસ્તિનાપુરનિવાસી શેઠ કાર્તિકનો સંપૂર્ણ જીવનવૃત્તાંત બતાવવામાં આવેલ છે. તેણે શ્રાવકની અગિયાર પ્રતિમાઓનું પાલન કરી દીક્ષા સ્વીકારી મૃત્યુ પછી શક્રપદ—ઇન્દ્રપદ મેળવ્યું હતું. આ ઘટના મુનિસુવ્રત તીર્થંકરના સમયની છે. માકંદી અનગાર ઃ ત્રીજા ઉદ્દેશકમાં ભગવાનના શિષ્ય સરળ સ્વભાવવાળા માકંદિકપુત્ર અથવા માકંદી અનગાર દ્વારા પૂછાયેલા કેટલાક પ્રશ્નોના ઉત્તરો છે. માકંદી અનગારે પોતાના અમુક વિચારો અન્ય જૈન શ્રમણો પાસે રજૂ કર્યા જે તે લોકોએ સ્વીકાર્યા નહિ. આ બાબતમાં ભગવાન મહાવીરે તેમને બતાવ્યું કે માકંદી અનગારના વિચારો બરાબર સાચા છે. યુગ્મ ઃ ચોથા ઉદ્દેશકમાં ગૌતમે યુગ્મની ચર્ચા કરી છે. યુગ્મ ચાર છે ઃ કૃતયુગ્મ, વ્યોજ, દ્વાપર અને કલ્યોજ. યુગ્મ અને યુગમાં અર્થની દૃષ્ટિએ કોઈ અંતર નથી. વૈદિક પરંપરામાં કૃતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ—આ ચાર યુગો પ્રસિદ્ધ છે. ઉપર્યુક્ત ચાર યુગ્મોની કલ્પનાનો આધાર આ જ ચાર યુગો જણાય છે. જે રાશિમાંથી ચાર ચાર કાઢતાં અંતે ચાર બાકી રહે તે રાશિ કૃતયુગ્મ કહેવાય છે. જે રાશિમાંથી ચાર ચાર કાઢતાં અંતમાં ત્રણ બચે તે રાશિને જ્યોજ કહે છે. જે રાશિમાંથી ચાર ચાર કાઢતાં બે બાકી રહે તેને દ્વાપર અને એક બાકી રહે તેને કલ્યોજ કહે છે. પુદ્ગલ ઃ છઠ્ઠા ઉદ્દેશકમાં ફણિત અર્થાત્ પ્રવાહિત (પાતળો) ગોળ, ભ્રમર, પોપટ, મજીઠ, હળદર, શંખ, કુષ્ઠ, મયદ, લીમડો, સૂંઠ, કોટ, આમલી, સાકર, વજ, માખણ, લોઢું, પત્ર, બરફ, અગ્નિ, તેલ વગેરેના રંગ, રસ, ગંધ અને સ્પર્શની ચર્ચા છે. આ બધા વ્યાવહારિક નયની અપેક્ષાએ મધુરતા અથવા કટુતા વગેરે યુક્ત છે. પરંતુ નૈશ્ચયિક નયની દૃષ્ટિએ પાંચેય રંગ, પાંચેય રસ, બંને ગંધ અને આઠેય સ્પર્શથી યુક્ત છે. પરમાણુ-પુદ્ગલમાં એક રંગ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ છે. એ જ રીતે દ્વિપ્રદેશિક, ત્રિપ્રદેશિક, ચતુષ્પદેશિક, પંચપ્રદેશિક વગેરે પુદ્ગલો વિષયમાં ચર્ચા છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૨૪૩ મદ્રુક શ્રમણોપાસકઃ સાતમા ઉદેશકમાં બતાવવામાં આવ્યું છે કે રાજગૃહનગરના ગુણશિલક ચૈત્યની આજુબાજુ કાલોદાયી, શૈલોદાયી વગેરે અન્યતીર્થિકો રહેતા હતાં. તેઓએ મદ્રુક નામે શ્રમણોપાસકને પોતાના ધર્માચાર્ય ભગવાન મહાવીરને વંદન કરવા જતો જોયો અને તેને રસ્તામાં રોકી પૂછયું કે તારા ધર્માચાર્ય ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય આ પાંચ અસ્તિકાયોની પ્રરૂપણા કરે છે, તે કેવી રીતે? જવાબમાં મદ્દકે કહ્યું કે જે વસ્તુ કાર્ય કરતી હોય તેને કાર્ય દ્વારા જાણી શકાય છે તથા જે વસ્તુ તેવી ન હોય તેને આપણે જાણી શકતા નથી. આ રીતે ધર્માસ્તિકાય વગેરે પાંચ અસ્તિકાયોને હું જાણતો નથી આથી જોઈ શકતો નથી. આ સાંભળી તે અન્યતીર્થિકોએ કહ્યું કે અરે મક્ક ! તું કેવો શ્રમણોપાસક છે કે આ પાંચ અસ્તિકાયોને પણ જાણતો નથી? મદ્રુકે તેમને સમજાવ્યું કે જેવી રીતે વાયુના સ્પર્શનો અનુભવ કરવા છતાં પણ આપણે તેના રૂપને જોઈ નથી શકતા, સુગંધ અથવા દુર્ગધને સૂંઘતા હોવા છતાં તેના પરમાણુઓને જોઈ નથી શકતા, અરણિના લાકડામાં છૂપાયેલા અગ્નિને જાણતા હોવા છતાં આંખોથી જોઈ નથી શકતા, સમુદ્રની પેલે પાર રહેલા અનેક પદાર્થોને જોવામાં સમર્થ નથી થતા તે જ રીતે છદ્મસ્થ મનુષ્ય પંચાસ્તિકાયને જોઈ શકતો નથી. એનો અર્થ એવો કદાપિ ન થઈ શકે કે તેમનું અસ્તિત્વ જ નથી. આ સાંભળી કાલોદાયી વગેરે ચૂપ થઈ ગયા. ભગવાન મહાવીરે શ્રમણો સમક્ષ મદ્રુક શ્રમણોપાસકના આ કાર્યની ખૂબ પ્રસંશા કરી. પુગલ-જ્ઞાન: આઠમા ઉદેશકમાં એમ બતાવવામાં આવ્યું છે કે સાવધાનીપૂર્વક ચાલતા ભાવિતાત્મા અનગારના પગ નીચે ચગદાઈને મરઘીનું બચ્ચું, બતકનું બચ્ચું અથવા કીડી કે નાનું જીવડું મરી જાય તો તેને ઇર્યાપથિકી ક્રિયા લાગે છે, સાંપરાયિકી ક્રિયા નહિ. આ ઉદ્દેશકમાં એ વિષયની પણ ચર્ચા છે કે છદ્મસ્થ પરમાણુ-પુગલને જાણે અને જુએ છે અથવા નહિ? તેના ઉત્તરમાં ભગવાને બતાવ્યું છે કે કોઈ છદ્મસ્થ પરમાણુપુદ્ગલને જાણે છે પરંતુ જોતો નથી, કોઈ જાણતો પણ નથી અને જોતો પણ નથી. આ રીતે દ્વિપ્રાદેશિક સ્કંધથી માંડી અસંખેય પ્રાદેશિક સ્કંધ સુધી સમજવું જોઈએ. અનંત પ્રાદેશિક સ્કંધને કોઈ જાણે છે પરંતુ જોતો નથી, કોઈ જાણતો નથી પરંતુ જુએ છે તથા કોઈ જાણતો પણ નથી અને જોતો પણ નથી. આ જાતની ચર્ચા અવધિજ્ઞાની તથા કેવલી વિશે પણ કરવામાં આવી છે. અહીં જાણવા અને જોવાનો શો અર્થ છે, તે ૧. કષાયજન્ય પ્રવૃત્તિ વડે સાંપરાયિક કર્મનો બંધ થાય છે જેનાથી ભવભ્રમણ કરવું પડે છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ અંગઆગમ બાબતમાં પહેલાં જ્ઞાન-દર્શનની ચર્ચા પ્રસંગે પર્યાપ્ત પ્રકાશ પાડવામાં આવેલ છે. યાપનીયઃ દસમા ઉદેશકમાં વાણિયગ્રામ નગરના નિવાસી સોમિલ બ્રાહ્મણના કેટલાક પ્રશ્નોના જવાબ આપતાં ભગવાન મહાવીરે જવણિજ્જ યાપનીય, જરા યાત્રા, અવ્યાબાહ–અવ્યાબાધ, ફાસ્યવિહાર–પ્રાસુકવિહાર વગેરે શબ્દોનું વિવેચન કર્યું છે. દિગંબર સંપ્રદાયમાં યાપનીય નામે એક સંઘ છે જેના વડા આચાર્ય શાકટાયન હતા. પ્રસ્તુત ઉદ્દેશકમાં આવતા “જવણિજ્જ' શબ્દ સાથે આ યાપનીય સંઘનો સંબંધ છે. વિચાર કરતાં એમ જણાય છે કે “જવણિજ્જ'નું “યમનીય' રૂપ વધુ અર્થયુક્ત અને સંગત છે, જેનો સંબંધ પાંચ યમો સાથે સ્થાપિત થાય છે. આ પ્રકારનો કોઈ અર્થ “યાપનીય' શબ્દમાંથી નીકળતો નથી. વિદ્વાનોએ આ વિશે વધુ વિચાર કરવાની આવશ્યકતા છે. જો કે વર્તમાનકાળે આ શબ્દ કંઈક નવો અને અપરિચિત જેવો લાગે છે પરંતુ ખારવેલના શિલાલેખમાં “જવણિજ્જ શબ્દનો પ્રયોગ થયો છે, જેનાથી તેની પ્રાચીનતા અને પ્રચલિતતા સિદ્ધ થાય છે. માસઃ સોમિલે પૂછેલા પ્રશ્નોના સંતોષજનક ઉત્તરો મળતાં તે ભગવાનનો શ્રમણોપાસક બની ગયો. આ પ્રસંગે “માસનું વિવેચન કરતાં જે મહિનાઓનાં નામો ગણાવવામાં આવ્યાં છે તે શ્રાવણથી શરૂ કરી અષાઢ સુધીમાં સમાપ્ત કરવામાં આવ્યા છે. આથી જણાય છે કે તે સમયે શ્રાવણને પ્રથમ માસ માનવામાં આવતો હશે અને અષાઢને અંતિમ માસ. વિવિધઃ ઓગણીસમા શતકમાં દસ ઉદેશકો છે : લેશ્યા, ગર્ભ, પૃથ્વી, મહાગ્ગવ, ચરમ, દ્વિીપ, ભવનાવાસ, નિવૃત્તિ, કરણ અને વાણવ્યંતર. વીસમા શતકમાં પણ દસ ઉદ્દેશકો છે : હીન્દ્રિય, આકાશ, પ્રાણવધ, ઉપચય, પરમાણુ, અંતર, બંધ, ભૂમિ, ચરણ અને સોપક્રમ જીવ. પ્રથમ ઉદ્દેશકમાં બે ઇન્દ્રિયોવાળા જીવોની ચર્ચા છે. બીજામાં આકાશ વિષયક, ત્રીજામાં હિંસા-અહિંસા, સત્ય-અસત્ય વગેરે વિષયક, ચોથામાં ઇન્દ્રિયોપચયવિષયક, પાંચમામાં પરમાણુપુદ્ગલ વિષયક, છઠ્ઠામાં બે નરકો અને બે સ્વર્ગો વચ્ચે રહેલ પૃથ્વીકાયિક વગેરે વિષયક તથા સાતમામાં બંધવિષયક ચર્ચા છે. આઠમામાં કર્મભૂમિસંબંધી વિવેચન છે. તેમાં વર્તમાન અવસર્પિણીના બધા તીર્થંકરોનાં નામો ગણાવવામાં આવ્યાં છે. છઠ્ઠા તીર્થંકરનું નામ પદ્મપ્રભને બદલે સુપ્રભ બતાવવામાં આવ્યું છે. તેમાં એ પણ બતાવવામાં Page #279 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૨૪૫ આવ્યું છે કે કાલિક શ્રુતનો વિચ્છેદ ક્યારે થયો અને દૃષ્ટિવાદનો વિચ્છેદ ક્યારે થયો. સાથે સાથે એ પણ બતાવવામાં આવ્યું છે કે ભગવાન વર્ધમાન–મહાવીરનું તીર્થ કેટલા સમય સુધી ચાલશે. ઉગ્રકુલ, ભોગકુલ, રાજન્યકુલ, ઈક્વાકુકુલ, જ્ઞાતકુલ અને કૌરવકુલની વ્યક્તિઓ આ ધર્મમાં પ્રવેશ કરે છે તથા તેમાંથી કેટલાક મુક્તિ પણ પ્રાપ્ત કરે છે. અહીં ક્ષત્રિયોના માત્ર છ કુળોનો જ નિર્દેશ છે. આથી એમ જણાય છે કે આ છ કુળો તે સમયે વિશેષ ઉત્કૃષ્ટ ગણાતા હશે. નવમા ઉદ્દેશકમાં ચારણ મુનિઓની ચર્ચા છે. ચારણ મુનિઓ બે પ્રકારના છે : વિદ્યાચારણ અને જંઘાચારણ. ઉગ્ર તપથી પ્રાપ્ત થનારી આકાશગામિની વિદ્યાનું નામ વિદ્યાચારણલબ્ધિ છે. જંઘાચારણ પણ એક પ્રકારની લબ્ધિ છે જે તેવા જ પ્રકારના તપથી પ્રાપ્ત થાય છે. આ લબ્ધિઓ મેળવેલા મુનિઓ આકાશમાં ઊડીને ઘણે દૂર સુધી જઈ શકે છે. દસમા ઉદ્દેશકમાં એમ બતાવવામાં આવ્યું છે કે કેટલાક જીવોનું આયુષ્ય આઘાતજનક વિજ્ઞથી તૂટી જાય છે જ્યારે કેટલાકનું આ પ્રકારના વિપ્નો આવવા છતાં પણ તૂટતું નથી. એકવીસમા, બાવીસમા અને ત્રેવીસમા શતકમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ અને વૃક્ષો વિશે ચર્ચા છે. ચોવીસમા શતકમાં ચોવીસ ઉદ્દેશકો છે. તે બધામાં ઉપપાત, પરિમાણ, સંઘયણ, ઊંચાઈ, સંસ્થાન, વેશ્યા, દષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, યોગ, ઉપયોગ, સંજ્ઞા, કષાય, ઇન્દ્રિય, સમુઘાત, વેદના, વેદ, આયુષ્ય, અધ્યવસાય, અનુબંધ અને કાલસંવેદ્ય પદો દ્વારા સમસ્ત પ્રકારના જીવોનો વિચાર કરવામાં આવ્યો છે. પચીસમા શતકમાં લેશ્યા, દ્રવ્ય, સંસ્થાન, યુગ્મ, પર્યવ, નિગ્રંથ, શ્રમણ, ઓઘ, ભવ્ય, અભવ્ય, સમ્યસ્વી અને મિથ્યાત્વી નામક બાર ઉદ્દેશકો છે. તે બધામાં પણ જીવોનાં વિવિધ સ્વરૂપ વિષયક ચર્ચા છે. નિગ્રંથ નામે છઠ્ઠા ઉદ્દેશકમાં નીચેના ૩૬ પદો દ્વારા નિગ્રંથોના વિષયમાં વિચાર કરવામાં આવ્યો છે : ૧. પ્રજ્ઞાપના, ૨. વેદ, ૩. રાગ, ૪. કલ્પ, ૫. ચારિત્ર, ૬. પ્રતિસેવના, ૭. જ્ઞાન, ૮. તીર્થ, ૯. લિંગ, ૧૦. શરીર, ૧૧. ક્ષેત્ર, ૧૨. કાળ, ૧૩. ગતિ, ૧૪. સંયમ, ૧૫. નિકર્ષ-નિગાસ અથવા સંનિગાસ-સંનિકર્ષ, ૧૬. યોગ, ૧૭. ઉપયોગ, ૧૮. કષાય, ૧૯. વેશ્યા, ૨૦. પરિણામ, ૨૧. બંધ, ૨૨. વેદન, ૨૩. ઉદીરણા, ૨૪. ઉપસંપદાહાનિ, ૨૫. સંજ્ઞા, ૨૬. આહાર, ૨૭. ભવ, ૨૮. આકર્ષ, ૨૯. કાલ, ૩૦. અંતર, ૩૧. સમુદ્રઘાત, ૩૨. ક્ષેત્ર, ૩૩. સ્પર્શના, ૩૪. ભાવ, ૩૫. પરિમાણ અને ૩૬. અલ્પબદુત્વ. અહીં નિગ્રંથોના પુલાક, બકુશ, કુશીલ, નિગ્રંથ અને સ્નાતક એવા પાંચ ભેદ આપી પ્રત્યેક ભેદનો ઉપર્યુક્ત ૩૬ પદો દ્વારા વિચાર કરવામાં આવ્યો છે. અહીં એમ બતાવવામાં આવ્યું છે કે બકુશ અને કુશીલ કોઈ અપેક્ષાએ જિનકલ્પી પણ Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ અંગઆગમ હોય છે. નિગ્રંથ તથા સ્નાતક કલ્પાતીત હોય છે. આ ઉદ્દેશ્યમાં દસ પ્રકારની સામાચારી તથા દસ પ્રકારના પ્રાયશ્ચિત્તોનાં નામો ગણાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત જૈન પરિભાષામાં પ્રચલિત અન્ય અનેક તથ્યોનું આમાં નિરૂપણ થયું છે. છવ્વીસમા શતકમાં પણ આ જ પ્રકારનાં કેટલાંક પદો દ્વારા જીવોનાં બદ્ધત્વ વિષયમાં ચર્ચા કરવામાં આવી છે. આ શતકનું નામ બંધશતક છે. સત્યાવીસમા શતકમાં પાપકર્મ વિશે ચર્ચા છે. આ શતકનું નામ કરિંતુ શતક છે. આમાં અગિયાર ઉદેશકો છે. અઠ્યાવીસમા શતકમાં કર્મોપાર્જન વિષયમાં વિચાર કરવામાં આવ્યો છે. આ શતકનું નામ કર્મસમર્જન છે. ઓગણત્રીસમા શતકમાં કર્મયોગના પ્રારંભ અને અંતનો વિચાર છે. આ શતકનું નામ કર્મપ્રસ્થાપન છે. ત્રીસમા શતકમાં ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદીની અપેક્ષાએ સઘળા જીવોનો વિચાર કરવામાં આવ્યો છે. જે જીવો શુક્લલેશ્યાવાળા હોય છે તે ચાર પ્રકારના છે. લેશ્યારહિત જીવ માત્ર ક્રિયાવાદી છે. કૃષ્ણલેશ્યાવાળા જીવો ક્રિયાવાદી સિવાય ત્રણ પ્રકારના છે. નારકી ચારેય પ્રકારના છે. પૃથ્વીકાયિકો માત્ર ક્રિયાવાદી અને અજ્ઞાનવાદી છે. આ રીતે બધા એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયના વિષયમાં સમજવું જોઈએ. મનુષ્ય અને દેવો ચાર પ્રકારના છે. એ ચારેય વાદી ભવસિદ્ધિક છે અથવા અભવસિદ્ધિક તેની પણ ચર્ચા કરવામાં આવી છે. આ શતકમાં અગિયાર ઉદ્દેશકો છે. આનું નામ સમવસરણ શતક છે. એકત્રીસમા શતકમાં વળી યુગ્મની ચર્ચા છે, તે જુદી રીતે છે. આ શતકનું નામ ઉપપાતશતક છે. તેમાં ૨૮ ઉદ્દેશકો છે. બત્રીસમા શતકમાં પણ આ જ પ્રકારની ચર્ચા છે. આ ચર્ચા ઉદ્વર્તના સંબંધી છે. એટલા માટે આ શતકનું નામ ઉદ્વર્તના શતક છે. આમાં પણ ૨૮ ઉદ્દેશકો છે. તેત્રીસમા શતકમાં એકેન્દ્રિય જીવો વિષયે વિવિધ પ્રકારની ચર્ચા છે. આ શતકમાં ઉદ્દેશકો નથી પરંતુ બીજા બાર શતકો (ઉપશતકો) છે. આ આ શતકની વિશેષતા છે. ચોત્રીસમા શતકમાં પણ આ જ પ્રકારની ચર્ચા અને અવાંતરશતકો છે. પાંત્રીસમા શતકમાં કૃતયુગ્મ વગેરેની વિભિન્ન ભંગપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. આ ચર્ચા એકેન્દ્રિય જીવો સંબંધે છે. છત્રીસમા શતકમાં આ જ પ્રકારની ચર્ચા દ્રીન્દ્રિય જીવો સંબંધી છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૨૪૭ આ જ રીતે સાડત્રીસમા, આડત્રીસમા, ઓગણચાલીસમા અને ચાલીસમા શતકમાં ક્રમશઃ ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવો વિશે ચર્ચા છે. એકતાલીસમા શતકમાં યુગ્મની અપેક્ષાએ જીવોની વિવિધ પ્રવૃત્તિઓ વિષયમાં ચર્ચા કરવામાં આવી છે. આ શતકમાં ૧૯૬ ઉદ્દેશકો છે. આનું નામ રાશિયુગ્મ શતક છે. આ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિનું છેલ્લું શતક છે. ઉપસંહાર : આ અંગમાં કેટલીક વાતો વારંવાર આવે છે. તેનું કારણ સ્થાનભેદ, પ્રશ્નકર્તાભેદ તથા કાર્યભેદ છે. કેટલીક વાતો એવી પણ છે કે જે સમજમાં જ આવતી નથી. તે વિષયમાં વૃત્તિકારે પણ વિશેષ સ્પષ્ટીકરણ કર્યું નથી. આ અંગ પર ચૂર્ણિ, અવસૂરિકા તથા લઘુટીકા પણ મળે છે. ચૂર્ણિ તથા અવસૂરિકા અપ્રકાશિત છે. ગ્રંથના અંતમાં એક ગાથા દ્વારા ગુણવિશાલ સંઘનું સ્મરણ કરવામાં આવ્યું છે તથા શ્રુતદેવતાની સ્તુતિ કરવામાં આવી છે. તે પછી સૂત્રના અધ્યયનના ઉદ્દેશોને ધ્યાનમાં રાખી સમયનો નિર્દેશ કરવામાં આવ્યો છે. અંતમાં ગૌતમ વગેરે ગણધરોને નમસ્કાર ક૨વામાં આવ્યા છે. વૃત્તિકા૨ના કથન અનુસાર આનો સંબંધ પ્રતિલિપિકાર સાથે છે. છેલ્લે છેલ્લે શાંતિકર શ્રુતદેવતાનું સ્મરણ કરવામાં આવ્યું છે. સાથે જ કુંભધર, બ્રહ્મશાંતિયક્ષ, વૈરોટ્યા વિદ્યાદેવી તથા અંતહુંડી નામક દેવીને યાદ કરવામાં આવેલ છે. પ્રતિલિપિકારે નિર્વિઘ્ન માટે આ બધાની પ્રાર્થના કરી છે. આમાંથી અંતહુંડી નામ વિષયમાં કંઈ જાણ થતી નથી. Page #282 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ પ્રકરણ જ્ઞાતાધર્મકથા જ્ઞાતાધર્મકથા નો ઉપોદઘાત વિપાકસૂત્રના ઉપોદ્રઘાત જેવો જ છે. તેમાં સુધર્માસ્વામીના “શોર્યાસી તેયંતી વરVIળવતે વોલપુત્રી વગેરે અનેક વિશેષણો મળે છે. અહીં વિદફ્તી’ ક્રિયાપદનો તૃતીય પુરુષમાં પ્રયોગ થયો છે. સુધર્માસ્વામીના વર્ણન પછી જંબૂસ્વામીનું વર્ણન આવે છે તેમાં પણ “ઘોરતવસ્સી' વગેરે અનેક વિશેષણોનો ઉપયોગ થયો છે. અહીં પણ ક્રિયાપદનો પ્રયોગ ત્રીજા પુરુષમાં જ થયો છે. આથી પ્રતીત થાય છે કે આ ઉપોદઘાત પણ સુધર્મા અને જંબૂસિવાયના કોઈ બીજા ગીતાર્થ મહાનુભાવે લખ્યો છે. પ્રસ્તુત અંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં જ્ઞાતરૂપ—ઉદાહરણરૂપ ૧૯ અધ્યયનો છે અને દ્વિતીય શ્રુતસ્કંધમાં ધર્મકથાઓના દસ વર્ગો છે. આ વર્ગોમાં ચમર, બલિ, ચંદ્ર, સૂર્ય, શક્રેન્દ્ર, ઇશાનેન્દ્ર વગેરેની પટરાણીઓના પૂર્વભવની કથાઓ છે. આ પટરાણીઓ પોતાના પૂર્વભવમાં પણ સ્ત્રીઓ હતી. તેમનાં જે નામો અહીં આપવામાં આવ્યા છે તે બધા પૂર્વભવનાં જ નામો છે. આ રીતે તેમના મનુષ્યભવનાં જ નામો દેવલોકમાં ચાલે છે. ૧. (અ) અભયદેવકૃતવૃત્તિ સહિત–આગમોદય સમિતિ, મુંબઈ, ઈ. સ. ૧૯૧૬; આગમ-સંગ્રહ, કલકત્તા, ઈ.સ.૧૮૭૬; સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ, મુંબઈ, ઈ. સ.૧૯૫૧-૫૨. (આ) ગુજરાતી છાયાનુવાદ–પૂંજાભાઈ જૈન ગ્રંથમાલા, અમદાવાદ, ઈ. સ.૧૯૩૧. (ઇ) હિંદી અનુવાદ-મુનિ પ્યારચંદ, જૈનોદય પુસ્તક પ્રકાશન સમિતિ, રતલામ, વિ.સં. ૧૯૯૫. (ઈ) સંસ્કૃત વ્યાખ્યા અને તેના હિન્દી-ગુજરાતી અનુવાદ સાથે-મુનિ ઘાસીલાલ, જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ.૧૯૬૩. () હિંદી અનુવાદસહિત-અમોલક ઋષિ, હૈદરાબાદ, વિ.સં.૨૪૪૬. () ગુજરાતી અનુવાદ સહિત (અધ્યયન ૧-૮)–જેઠાલાલ, જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, વિ.સં. ૧૯૮૫. Page #283 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતાધર્મકથા પ્રથમ અધ્યાય ‘ઉક્ખિત્તણાય'માં અનેક વિશિષ્ટ શબ્દો આવ્યા છે–રાજગૃહ, જવણિયા (યવનિકા—પડદો), અઢારસ સેણીપસેણીઓ, યાગ, ગણનાયક, બોંતેર કળા, અઢારસ વિહિપ્પગારદેસીભાસા, ઉગ્ર, ભોગ, રાજન્ય, મલ્લકી, લેચ્છકી— લિચ્છવી, કુત્તિયાવણ, વિપુલપર્વત ઇત્યાદિ. આ શબ્દો પરથી તત્કાલીન સામાજિક પરિસ્થિતિઓની જાણ થાય છે. કારાગાર : પ્રથમ શ્રુતસ્કંધના દ્વિતીય અધ્યયનમાં કારાગારનું વિસ્તૃત વર્ણન છે. તેમાં કારાગારની ભયંકર યાતનાઓનું પણ વર્ણન કરાયું છે. આ કથામાં એ પણ બતાવવામાં આવ્યું છે કે આજની જેમ તે સમયના મા-બાપો પણ બાળકોને ઘરેણાં પહેરાવી બહાર મોકલતાં જેથી તેમની હત્યા સુદ્ધાં થઈ જતી. રાજ્યના નાનકડા ગુનામાં ફસાતાં શેઠને પણ જેલવાસ ભોગવવો પડતો હતો, એ વાત આ કથામાં સ્પષ્ટ બતાવવામાં આવી છે. આમાં એ પણ બતાવાયું છે કે પુત્રપ્રાપ્તિ માટે માતાઓ કેવી રીતે વિવિધ દેવોની માનતાઓ રાખતી. આ કથાથી એ જાણવા મળે છે કે જેલમાં ભોજન ઘરેથી લઈ જવા દેવામાં આવતું હતું. ભોજન ભરી જવાના સાધનનું નામ ભોજનપિટક છે. વૃત્તિકારના કથન અનુસાર તે વાંસનું બનેલું હોય છે. આ ભોજનપિટકને મહોર—છાપ મારીને અને નિશાની કરીને જેલમાં મોકલવામાં આવતું. ભોજનપિટક સાથે પાણીનો ઘડો પણ મોકલવામાં આવતો. જેલમાંથી છૂટ્યા પછી શેઠ આલંકારિક સભામાં જઈ હજામત કરાવી સજ્જ થાય છે. એમ લાગે છે કે તે સમયે જેલમાં હજામત કરાવવાની સગવડ નહિ હોય. હજામની દુકાન માટે પ્રસ્તુત કથામાં ‘આલંકારિક સભા’ શબ્દનો પ્રયોગ થયો છે. આ કથા રૂપક અથવા દૃષ્ટાંતરૂપે છે. આમાં શેઠને તેના પુત્રના મારનાર ચોરની સાથે બાંધવામાં આવે છે. શેઠ આત્મારૂપ છે અને ચોર દેહરૂપ છે. શત્રુરૂપ ચોરની સહાયતા મેળવવા માટે શેઠ તેને ખાવા-પીવાનું આપે છે. આ રીતે શરીરને સહાયક સમજી તેનું પોષણ કરવું તે પ્રસ્તુત કથાનકનો સાર છે. આ વિષયની વધુ સમીક્ષા મેં મારા પુસ્તક ‘ભગવાન મહાવીરની ધર્મકથાઓ'મા કરી છે. તૃતીય અંડ—ઈંડું નામે તથા ચતુર્થ કૂર્મ નામે અધ્યયનમાં આવતા વિશેષ શબ્દો છે–મયૂરપોષક, મયંગતીર–મૃતગંગા વગેરે. આ બંને અધ્યયનો મુમુક્ષુઓ માટે બોધદાયક છે. ૨૪૯ શૈલક મુનિ ઃ પાંચમા અધ્યયનમાં શૈલક નામના એક મુનિની કથા આવે છે. શૈલક બીમાર પડે છે. તેને સ્વસ્થ કરવા માટે વૈદ્ય ઔષધીરૂપે દારુ પીવાની ભલામણ કરે છે. તે મુનિ દારુ Page #284 -------------------------------------------------------------------------- ________________ અંગઆગમ તથા બીજી જાતના સ્વાસ્થ્યપ્રદ ભોજનનો ઉપયોગ કરી સ્વસ્થ બને છે. સ્વસ્થ થયા પછી તે રસમાં આસક્ત થઈ દારુ વગેરેનો ત્યાગ કરતો નથી. આ જોઈ પંથક નામનો તેનો શિષ્ય વિનયપૂર્વક તેને ફરી માર્ગ પર લાવે છે અને શૈલક મુનિ ફરી સદાચારસંપન્ન તથા તપસ્વી બની જાય છે. જે રીતે પંથકે પોતાના ગુરુને જાગૃત કર્યા તે રીતના વિનયની વર્તમાનકાળે પણ ક્યારેક ક્યારેક જરૂર પડે છે. ૨૫૦ આ અધ્યયનમાં ષષ્ટિતંત્ર, રૈવતક પર્વત વગેરે વિશિષ્ટ શબ્દો આવ્યા છે. શુક પરિવ્રાજક : આ જ અધ્યયનમાં એક શુક પરિવ્રાજકની કથા આવે છે. તે પોતાના ધર્મને શૌચપ્રધાન માને છે. તે પરિવ્રાજક સૌગંધિકા નગરીનો નિવાસી છે. આ નગરીમાં તેનો મઠ છે. તે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદનો જ્ઞાતા છે, ષષ્ટિતંત્રમાં કુશળ છે, સાંખ્યમતમાં નિપુણ છે, પાંચ યમ અને પાંચ નિયમયુક્ત દસ પ્રકારના શૌચમૂલક ધર્મનું નિરૂપણ કરનાર છે, દાનધર્મ, શૌચધર્મ અને તીર્થાભિષેક સમજાવનાર છે, ધાતુરક્ત વસ્ત્ર પહેરે છે. તેનાં ઉપકરણો આવાં છે : ત્રિદંડ, કુંડિકા, છત્ર, કોટિકા, કમંડળ, રુદ્રાક્ષમાળા, મૃત્તિકાભાજન, ત્રિકાદિકા, અંકુશ, પવિત્રક–તાંબાની વીંટી, કેસરી–પ્રમાર્જન માટે વસનો ટૂકડો. તે સાંખ્યના સિદ્ધાંતોનું પ્રતિપાદન કરે છે. સુદર્શન નામે કોઈ ગૃહસ્થ તેનો અનુયાયી હતો જે જૈન તીર્થંકરના પરિચયમાં આવી જૈન બની ગયો હતો. તેને ફરી પોતાના મતમાં લાવવા માટે શુક તેની પાસે જાય છે. વૃત્તિકારે આ શુકને વ્યાસનો પુત્ર કહ્યો છે. શુક કહે છે કે શૌચ બે પ્રકારનો છે ઃ દ્રવ્યશૌચ અને ભાવશૌચ. પાણી અને માટીથી થના૨ શૌચ દ્રવ્યશૌચ છે તથા દર્ભ અને મંત્ર દ્વારા થનાર શૌચ ભાવશૌચ છે. જે અપવિત્ર હોય છે તે શુદ્ધ માટી અને જળથી પવિત્ર બની જાય છે. જીવ જલાભિષેક કરવાથી સ્વર્ગમાં જાય છે. આ રીતે પ્રસ્તુત કથામાં વૈદિક કર્મકાંડનો સહેજ પરિચય મળે છે. જ્યારે શુકને જાણવા મળ્યું કે સુદર્શન કોઈ અન્યમતનો અનુયાયી થઈ ગયો છે ત્યારે તેણે સુદર્શનને પૂછ્યું કે આપણે તારા ધર્માચાર્ય પાસે જઈએ અને તેને કેટલાક પ્રશ્નો પૂછીએ. જો તે તેના બરાબર જવાબ આપશે તો હું તેનો શિષ્ય થઈ જઈશ. સુદર્શનના ધર્માચાર્યે શુક દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના સાચા જવાબો આપ્યા. શુક પોતાની શરત અનુસાર જૈનાચાર્યનો શિષ્ય બની ગયો. તેણે પોતાના પહેલાંના ઉપકરણોનો ત્યાગ કરી ચોટી ખેંચી કાઢી. તે પુંડરીક પર્વત પર જઈ અનશન કરી સિદ્ધ થયો. મૂલસૂત્રમાં પુંડરીક પર્વતની વિશિષ્ટ સ્થિતિ વિશે કોઈ ઉલ્લેખ નથી. વૃત્તિકારે Page #285 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતાધર્મકથા ' ૨૫૧ તેને શત્રુંજય પર્વત કહ્યો છે. પ્રસ્તુત પ્રકરણમાં જૈન સાધુના પાંચ મહાવ્રત વગેરે આચાર અને જૈન ગૃહસ્થના અણુવ્રત વગેરે આચારને વિનય કહેલ છે. વિનયપિટક વગેરે બૌદ્ધ ગ્રંથોમાં વિનય શબ્દનો આ જ અર્થમાં પ્રયોગ થયો છે. શુકપરિવ્રાજકની કથામાં યાપનીય, સરિસવય, કુલત્ય, માસ વગેરે દ્વિઅર્થી શબ્દોની પણ અત્યંત રોચક ચર્ચા મળે છે. થાવસ્યા સાર્થવાહીઃ પ્રસ્તુત પાંચમા અધ્યયનની આ કથામાં થાવસ્યા નામની એક સાર્થવાહીની કથા આવે છે. તે લૌકિક અને રાજકીય વ્યવહાર તથા વ્યાપાર વગેરેમાં કુશળ હતી. આ પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે કેટલીક સ્ત્રીઓ પણ પુરુષની માફક જ વ્યાપારિક અને વ્યવસાયિક કુશળતા ધરાવતી હતી. આ ગ્રંથમાં આવતી રોહિણીની કથા પણ આ કથનની પુષ્ટિ કરે છે. આ કથામાં કૃષ્ણના રાજ્યની સીમા વૈતાઢ્ય પર્વતના છેડા સુધી બતાવવામાં આવી છે. આ વૈતાઢ્ય પર્વત કયો છે અને ક્યાં આવેલો છે? એ વિશે અનુસંધાનની જરૂર છે. છઠ્ઠા અધ્યયનનું નામ “તુંબ છે. તુંબની કથા બોધદાયક છે. સાતમા અધ્યયનમાં જેવી રોહિણીની કથા આવે છે તેવી જ કથા બાઈબલના નવા કરારમાં મથુકી અને ભૂકના સંવાદમાં પણ મળે છે અને આઠમા અધ્યયનમાં આવેલી રોહિણી અને મલ્લિની કથામાં સ્ત્રી જાતિ પ્રત્યે વિશેષ આદર તથા તેમનાં સામર્થ્ય, ચાતુર્ય વગેરે ઉત્તમોત્તમ ગુણોનું પણ વર્ણન છે. ચોખા પરિવ્રાજિકાઃ આઠમા અધ્યયનના મલ્લિના કથાનકમાં ચોખા નામની એક સાંખ્યમતની અનુયાયી પરિવ્રાજિકાનું વર્ણન આવે છે. આ પરિવ્રાજિકા વેદ વગેરે શાસ્ત્રોમાં નિપુણ હતી. તેની કેટલીક શિષ્યાઓ પણ હતી. તેમને રહેવાને માટે મઠ હતો. ચીન અને ચીનાઓઃ મલ્લિ અધ્યયનમાં “ચીણચિમિઢવંકભ...નાસં” આ વાક્ય દ્વારા કરવામાં આવેલા પિશાચના વર્ણનપ્રસંગે અનેકવાર “ચીન' શબ્દનો પ્રયોગ થયો છે. આ પ્રયોગ બેઠેલા નાક સંદર્ભમાં કરવામાં આવ્યો છે. આનાથી એ કલ્પના કરી શકાય છે કે કથાના સમયે ચીની લોકો આ દેશમાં આવી પહોંચ્યા હશે. ડૂબતી નૌકા: નવમા અધ્યયનમાં આવતી માકંદીની કથામાં નૌકાનું વિસ્તૃત વર્ણન છે. તેમાં Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ અંગઆગમ નૌકાસંબંધી બધી સાધનસામગ્રીનો વિસ્તારથી પરિચય આપવામાં આવ્યો છે. આ નવમા અધ્યયનમાં સમુદ્રમાં ડૂબતી નાવનું જે વર્ણન છે તે કાદંબરી જેવા ગ્રંથમાં મળતા ડૂબતી નાવના વર્ણન સાથે ઘણુંબધું મળતું આવે છે. આ વર્ણન કાવ્યશૈલીનો સુંદર નમૂનો છે. દસમા તથા અગિયારમા અધ્યયનની કથાઓ ઉપદેશપ્રદ છે. ઉદકજ્ઞાત: બારમા અધ્યયન ઉદકજ્ઞાતમાં ગટરના ગંદા પાણીને સાફ કરવાની પદ્ધતિ બતાવવામાં આવી છે. આ પદ્ધતિ હાલની ફિલ્ટર પદ્ધતિ સાથે મળતી આવે છે. આ કથાનકનો આશય એવો છે કે પુગલના અશુદ્ધ પરિણામોની ધૃણા કરવાની જરૂર નથી. તેરમા અધ્યયનમાં નંદ મણિયારની કથા આવે છે. તેમાં લોકોના આરામ માટે નંદ મણિયારે પુષ્કરિણી–વાવ બનાવી તેની અત્યંત રોચક કથા છે અને સાથે સાથે ચાર બગીચા બનાવી તેમાંથી એક બગીચામાં ચિત્રસભા અને લોકોનો શ્રમ દૂર કરવા માટે સંગીતશાળા તથા બીજામાં જલયંત્રો-ફુવારાથી શોભતી પાકશાળા, ત્રીજા બગીચામાં એક મોટું ઔષધાલય અને ચોથા બગીચામાં સામાન્ય જનતા માટે એક આલંકારિક સભા બનાવવામાં આવી હતી. આ કથામાં રોગોના નામો તથા તેમના ઉપચાર માટે વિવિધ પ્રકારના આયુર્વેદિક ઉપાયો પણ સૂચવવામાં આવ્યા છે. - ચૌદમા તેયલિ અમાત્યના અધ્યયનમાં જે વાતો મળે છે તે આવશ્યકચૂર્ણિમાં પણ બતાવવામાં આવી છે. વિવિધ મતાનુયાયીઓઃ નંદીફલ નામના પંદરમા અધ્યયનમાં એક સંઘની સાથે વિવિધ મતવાળાઓના પ્રવાસનો ઉલ્લેખ છે. તે મતવાળાઓના નામો આ પ્રમાણે છે : ચરક–ત્રિદંડી અથવા કચ્છધારી-કૌપીનધારીતાપસ. ચીરિક–શેરીમાં પડેલા ચીંથરાઓમાંથી કપડાં બનાવી પહેરનાર સંન્યાસી. ચર્મખંડિક-ચામડાંના વસ્ત્રો પહેરનાર અથવા ચામડાંના ઉપકરણો રાખનાર સંન્યાસી. ભિÚડ–ભિક્ષુક અથવા બૌદ્ધભિક્ષુક. પંડુરંગ–શિવભક્ત અર્થાત શરીર પર ભસ્મ લગાડનારા. Page #287 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતાધર્મકથા ગૌતમ—પોતાની સાથે બળદ રાખનારા ભિક્ષુ. ગોવ્રતી—રઘુવંશમાં વર્ણિત રાજા દિલીપની માફક ગોવ્રત રાખનાર. ગૃહધર્મી—ગૃહસ્થાશ્રમને જ શ્રેષ્ઠ માનનાર. ધર્મચિંતક—ધર્મશાસ્ત્રનું અધ્યયન કરનાર. અવિરુદ્ધ—કોઈના ય પ્રત્યે વિરોધભાવ ન રાખનાર અર્થાત્ વિનયવાદી. વિરુદ્ધ–પરલોકનો વિરોધ કરનાર અથવા બધા મતોનો વિરોધ કરનાર. વૃદ્ધ—વૃદ્ધાવસ્થામાં સંન્યાસ લેવામાં વિશ્વાસ રાખનાર. શ્રાવક—ધર્મનું શ્રવણ કરનાર. રક્તપટ-રક્તવસ્ત્રધારી પરિવ્રાજક. અહીં જે અર્થ આપવામાં આવ્યા છે તે આ કથાસૂત્રની વૃત્તિ અનુસાર છે. આ વિષયમાં વધુ શોધખોળની જરૂર હોઈ શકે છે. દયાળુ મુનિઃ ૨૫૩ સોળમા ‘અવરકંકા’ નામે અધ્યયનમાં એક બ્રાહ્મણી દ્વારા જૈન મુનિને કડવી તુંબડીનું શાક આપવાની ઘટના છે. આમાં બ્રાહ્મણ અને શ્રમણનો વિરોધ જ કામ કરે છે. આ ઘટના પરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે આ વિરોધનાં મૂળ કેટલાં ઊંડા છે. મુનિ કીડીઓ પર દયા લાવી તે કડવું શાક જમીન પર ન નાખતાં પોતે જ ખાઈ જાય છે અને પરિણામે મૃત્યુ પામે છે. આ અધ્યયનમાં વર્ણવેલ પારિષ્ઠાપનિકાસમિતિનું સ્વરૂપ વિશેષ વિચારણીય છે. પાંડવ-પ્રકરણ : પ્રસ્તુત કથામાં સુકુમાલિકા નામે એક એવી કન્યાની વાત આવે છે કે જેનાં શરીરનો સ્પર્શ સ્વાભાવિકપણે દાહક હતો. તેમાં એક વિવાહ કર્યા પછી જમાઈ જીવતો હોવા છતાં કન્યાના બીજા વિવાહ કરવાની પદ્ધતિનો ઉલ્લેખ છે. તેમાં દ્રૌપદીના પાંચ પતિ કેવી રીતે થયા તેની વિચિત્ર કથા છે. મહાભારતમાં પણ વ્યાસમુનિ વડે કહેવાયેલી આ પ્રકારની બીજી બે કથાઓનો ઉલ્લેખ છે. અહીં નારદનો પણ ઉલ્લેખ છે. તેમને કલહ-વિશારદ રૂપે ચિત્રિત કરવામાં આવ્યા છે. તેમાં લોકપ્રચલિત કથા કૂપમંડૂકનો પણ દૃષ્ટાંતરૂપે ઉપયોગ કરવામાં આવ્યો છે. પાંડવો કૃષ્ણના બળની પરીક્ષા કેવી રીતે કરે છે, તેનો એક નમૂનો પ્રસ્તુત ગ્રંથમાં મળે છે. કથાકાર દ્રૌપદીનો પૂર્વભવ બતાવતાં કહે છે કે તે પોતાના પૂર્વજન્મમાં સ્વચ્છંદ જૈન સાધ્વી હતી તથા કામેચ્છા વડે ઘેરાયેલી Page #288 -------------------------------------------------------------------------- ________________ અંગઆગમ હતી. તેને અસ્નાનના કઠોર નિયમ પ્રત્યે ધૃણા હતી. તે વારંવાર પોતાના હાથપગ વગેરે અંગો ધોયા કરતી તથા પાણી છાંટ્યા વિના ક્યાંય બેસતી સૂતી પણ નહિ. આ સાધ્વી મરીને દ્રૌપદી બની. તેના પૂર્વના કામસંકલ્પને કારણે તેને પાંચ પતિ મળ્યા. આ કથામાં કૃષ્ણના નરસિંહરૂપનો પણ ઉલ્લેખ છે. આનાથી માલૂમ થાય છે કે નરસિંહાવતારની કથા કેટલી લોકવ્યાપક બની ગઈ હતી. આ કથામાં એવો પણ ઉલ્લેખ છે કે કૃષ્ણે નારાજ થઈ પાંડવોને દેશનિકાલ કર્યા હતા. પાંડવોએ નિર્વાસિત અવસ્થામાં પાંડુમથુરા વસાવી કે જે વર્તમાનમાં દક્ષિણમાં મદુરા નામે પ્રસિદ્ધ છે. આ કથામાં શત્રુંજય કથા ઉજ્જૈયત ગિરનાર પર્વતનો પણ ઉલ્લેખ એક સાધારણ પર્વતરૂપે થયેલ છે. શત્રુંજય પર્વત હસ્તકલ્પ નગરની પાસે આવેલ બતાવવામાં આવેલ છે. વર્તમાન ‘હાથપ’ હસ્તકલ્પનું જ પરિવર્તિત રૂપ જણાય છે. શિલાલેખોમાં આને ‘હસ્તવપ્ર’ કહેવામાં આવ્યું છે. આઇણ—આજઞ—આજન્ય—ઉત્તમ ઘોડો—ની કથા જેમાં આવે છે તે સત્તરમા અધ્યયનમાં મસ્કંડિકા, પુષ્પોત્તર અને પદ્મોત્તર નામની ત્રણ પ્રકારની સાકરની ચર્ચા ક૨વામાં આવી છે તથા તેના પ્રલોભનમાં ફસાનારાઓની કેવી દુર્દશા થાય છે એ જ બતાવવાનો આ કથાનો આશય છે. ૨૫૪ સુંસુમા ઃ સુંસુમા નામના અઢારમા અધ્યયનમાં અસાધારણ પરિસ્થિતિ ઉપસ્થિત થતાં જેવી રીતે માતાપિતા પોતાના સંતાનના મૃત શરીરનું માંસ ખાઈને જીવનરક્ષા કરી શકે છે એવી જ રીતે ષટ્કાયના રક્ષક અને જીવમાત્રના માતાપિતા જેવા જૈન શ્રમણશ્રમણીઓ અસાધારણ પરિસ્થિતિમાં જ આહારનો ઉપભોગ કરે છે. તેમના માટે આહાર પોતાના સંતાનનાં મૃત શરીરનાં માંસ જેવો છે. તેમણે રસાસ્વાદનની દૃષ્ટિથી નહિ પરંતુ સંયમસાધનરૂપ શરીરની રક્ષા નિમિત્તે જ અસહ્ય ક્ષુધા-વેદના થાય ત્યારે જ આહાર ગ્રહણ ક૨વો જોઈએ, એવો ઉપદેશ છે. બૌદ્ધ ગ્રંથ સંયુત્તનિકાયમાં આ જ પ્રકારની કથા આ જ આશયથી ભગવાન બુદ્ધે કહી છે. વિશુદ્ધિમાર્ગ તથા શિક્ષાસમુચ્ચયમાં પણ આ જ કથા અનુસાર આહારનો ઉદ્દેશ્ય બતાવવામાં આવેલ છે. સ્મૃતિચંદ્રિકામાં પણ બતાવવામાં આવ્યું છે કે મનુસ્મૃતિમાં વર્ણિત ત્યાગીઓ સંબંધી આહાર-વિધાન આ જ પ્રકારનું છે. આ રીતે પ્રસ્તુત કથાગ્રંથની મુખ્ય તથા અવાંતર કથાઓમાં પણ અનેક ઘટનાઓ, વિવિધ શબ્દો અને વિભિન્ન વર્ણનો વડે પ્રાચીનકાળની અનેક વાતોની જાણ થાય છે. આ કથાઓનો તુલનાત્મક અભ્યાસ કરવાથી સંસ્કૃતિ અને ઇતિહાસ સંબંધી અનેક તથ્યોનો પત્તો મેળવી શકાય છે. . Page #289 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ પ્રકરણ ઉપાસકદશા સાતમા અંગ ઉપાસકદશામાં ભગવાન મહાવીરના દસ ઉપાસકો-શ્રાવકોની કથાઓ છે. “દશા' શબ્દ દસ સંખ્યા અને અવસ્થા બંનેનો સૂચક છે. ઉપાસકદશામાં ઉપાસકોની કથાઓ દસ જ છે આથી દસ સંખ્યાવાચક અર્થ ઉપયુક્ત છે. એ જ રીતે ઉપાસકોની અવસ્થાનું વર્ણન કરવાને કારણે અવસ્થાવાચી અર્થ પણ ઉપયુક્ત જ છે. આ અંગનો ઉપોદુધાત પણ વિપાકની જેવો જ છે આથી એમ કહી શકાય કે એટલો ઉપોદ્ધાતનો અંશ પછીથી જોડવામાં આવેલ છે. સ્થાનાંગમાં ઉપાસકદશાંગના દસ અધ્યયનોનાં નામો આ પ્રમાણે બતાવવામાં આવ્યાં છે : આનંદ, કામદેવ, ચૂલણિપિતા, સુરાદેવ, ચુલ્લશતક, કુંડકોલિક, સદાલપુર, મહાશતક, નંદિનીપિતા અને સાતિયાપિયા – સાલેયિકાપિતા. દસમું નામ ઉપાસકદશાંગમાં સાલિદીપિયા છે જ્યારે સ્થાનાંગમાં સાલતિયાપિયા અથવા સાલેયિકાપિતા છે. કેટલીક પ્રાચીન હસ્તપ્રતોમાં સંતિયાપિયા, લત્તિયપિયા, લતિણીપિયા, લેતિયાપિયા વગેરે નામો પણ મળે છે. એ જ રીતે નંદિણીપિયાને બદલે લલિતકપિયા તથા સાલેઇણીપિયા નામો પણ આવે છે. આ રીતે આ નામોમાં ખાસ્સી હેરફેર થઈ ગઈ છે. સમવાયાંગમાં અધ્યયનોની જ સંખ્યા આપી છે, નામોની સૂચના નથી. એ જ રીતે નંદીસૂત્રમાં પણ અધ્યયન-સંખ્યાનો જ ઉલ્લેખ છે, નામોનો નહિ. ૧. (અ) અભયદેવકૃત ટીકાસહિત–આગમોદય સમિતિ, મુંબઈ, ઈ.સ. ૧૯૨૦; ધનપતસિંહ, કલકત્તા, ઈ.સ. ૧૮૭૬. (આ) પ્રસ્તાવના વગેરે સાથે–પી.એલ.વૈદ્ય, પૂના, ઈ.સ. ૧૯૩૦. (ઇ) અંગ્રેજી અનુવાદ વગેરે સાથે-Hoernle, Bibliothera Indica, Calcutta, 1885-1888. (ઈ) ગુજરાતી છાયાનુવાદ–પૂંજાભાઈ જૈન ગ્રંથમાલા, અમદાવાદ, ઈ.સ. ૧૯૩૧. (ઉ) સંસ્કૃત વ્યાખ્યા તથા તેના હિંદી-ગુજરાતી અનુવાદ સાથે-મુનિ ઘાસીલાલ, જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ. ૧૯૬ ૧. અભયદેવકૃત ટીકાના ગુજરાતી અનુવાદ સાથે–ભગવાનદાસ હર્ષચન્દ્ર, અમદાવાદ, વિ.સં. ૧૯૯૨. (8) હિંદી અનુવાદ સહિત–અમોલક ઋષિ, હૈદરાબાદ, વી.સં. ૨૪૪૬. Page #290 -------------------------------------------------------------------------- ________________ રપ૬ અંગઆગમ આ અંગનો સટિપ્પણ અનુવાદ પ્રકાશિત થયો છે. ટિપ્પણો પ્રસ્તુત લેખક દ્વારા જ લખવામાં આવેલ છે આથી અહીં તે વિષયે વિશેષ વિવેચન અનપેક્ષિત છે. મર્યાદા-નિર્ધારણઃ પ્રસ્તુત સૂત્રમાં આવતી કથાઓમાં બધા શ્રાવકો પોતાનાં ખાનપાન, ભોગપભોગ તથા વ્યવસાયની મર્યાદા નિર્ધારિત કરે છે. તેમણે ધનની જે મર્યાદા સ્વીકારી છે તે ઘણી મોટી જણાય છે. ખાનપાનની મર્યાદા અનુરૂપ જ સંપત્તિની મર્યાદાઓ હોવી જોઈએ. આ શ્રાવકો વ્યાપાર, કૃષિ, વ્યાજનો ધંધો અને અન્ય પ્રકારના વ્યવસાયો કરતા રહે છે. આવું કરવાથી ધન વધતું જ જવું જોઈએ. આ વધેલા ધનના ઉપયોગના વિષયમાં સૂત્રમાં કોઈ પણ પ્રકારનો વિશેષ ઉલ્લેખ નથી. ઉદાહરણ રૂપે ગાયોની મર્યાદા દસ હજાર અથવા એથી અધિક રાખી છે. હવે આ ગાયોના નવા નવા વાછડા વાછડીઓ થતાં તેમનું શું થશે? નિર્ધારિત સંખ્યામાં વૃદ્ધિ થવાથી વ્રતભંગ થશે કે નહિ? વ્રતભંગની સ્થિતિ પેદા થતાં વધી ગયેલી સંપત્તિનો શું ઉપયોગ થશે? આનંદ શ્રાવકના કુટુંબમાં તેની પત્ની અને એક પુત્ર હતો. આ રીતે તેઓ ત્રણ માણસો હતા. આનંદની સંપત્તિની જે મર્યાદા રખાઈ તે આ પ્રમાણે છે : હિરણ્યની ચાર કોટિ મુદ્રાઓ નિધાનમાં સુરક્ષિત; ચાર કોટિ વૃદ્ધિ માટે ગિરવી મુકવા માટે; અને ચાર કોટિ વ્યાપાર માટે; દસ-દસ હજાર ગાયોના ચાર વ્રજ; પાંચસો હળ વડે ખેડાય તેટલી જમીન; દેશાંતરગામી પાંચસો શકટ અને તેટલાં જ અનાજ વગેરે લાવવા માટેના; ચાર યાનપાત્ર-નૌકા દેશાંતરગામી અને ચાર જ નૌકા ઘરના ઉપયોગ માટે. તેણે ખાનપાનની જે મર્યાદા રાખી તે સાધારણ છે. વર્તમાન સમયમાં પણ શ્રાવકો ખાન-પાનના અમુક નિયમો રાખવાની સાથે પોતાની પાસે અત્યધિક પરિગ્રહ અને ધનસંપત્તિ રાખે છે. કેટલાક લોકો પરિગ્રહની મર્યાદા કર્યા પછી ધનની વૃદ્ધિ થતાં તેને પોતાની માલિકીમાં ન રાખતા સ્ત્રી-પુત્રાદિકના નામે ચડાવી દે છે. આ રીતે નાની મોટી ચીજોનો તો ત્યાગ થતો રહે છે પરંતુ મહાદોષમૂલક ધનસંચયનું કામ બંધ થતું નથી. વિનકારી દેવઃ સૂત્રમાં શ્રાવકોની સાધનામાં વિઘ્ન ઉત્પન્ન કરનારા ભૂત-પિશાચોનું ભયંકર વર્ણન છે. જયારે આ ભૂત-પિશાચો વિપ્ન પેદા કરવા આવે છે ત્યારે માત્ર શ્રાવક જ તેમને જોઈ શકે છે, ઘરના અન્ય લોકો નહિ. એમ કેમ? શું એમ ન કહી શકાય કે આ બધી તે શ્રાવકોની માત્ર મનોવિકૃતિ છે? આ બાબતમાં વિશેષ મનોવૈજ્ઞાનિક અનુસંધાનની આવશ્યકતા છે. વૈદિક તથા બૌદ્ધ પરંપરામાં પણ આ પ્રકારના વિજ્ઞકારી દેવો-દાનવો Page #291 -------------------------------------------------------------------------- ________________ ઉપાસકદશા ૨૫૭ અને પિશાચોની કથાઓ મળે છે. માંસાહારિણી સ્ત્રી તથા નિયતિવાદી શ્રાવક આ અંગગ્રંથમાં એક શ્રાવકની માંસાહારિણી સ્ત્રીનું વર્ણન છે. આ શ્રાવકને તેર પત્નીઓ હતી. તેરમી માંસાહારિણી પત્ની રેવતીએ પોતાની બારેય શોક્યોની હત્યા કરી નાખી હતી. તે પોતાના પિયરમાંથી ગાયના વાછડાઓનું માંસ મંગાવીને ખાધા કરતી. આ સૂત્રમાં એક કુંભાર શ્રાવકનું પણ વર્ણન છે જે સંખલિપુત્ર ગોશાલકનો અનુયાયી હતો. પછી ભગવાન મહાવીરે તેને યુક્તિપૂર્વક પોતાનો અનુયાયી બનાવી દીધો હતો. આ ગ્રંથમાં કેટલાક હિંસાપ્રધાન ધંધાઓનો શ્રાવકો માટે નિષેધ કરવામાં આવ્યો છે, જેવા કે શસ્ત્રો બનાવવાં, શસ્ત્રો વેચવાં, વિષ વેચવું, વાળનો વ્યાપાર કરવો, ગુલામોનો વ્યાપાર કરવો વગેરે. આ બાબતમાં વિશેષ સમીક્ષા “ભગવાન મહાવીરના દશ ઉપાસકો” નામક પુસ્તકમાં આપેલા ઉપોદ્દાત અને ટિપ્પણોમાં જોઈ શકાય છે. આનંદનું અવધિજ્ઞાન: શ્રાવકને કેટલી હદ સુધીનું અવધિજ્ઞાન થઈ શકે છે તે વિષયમાં આનંદ અને ગૌતમની વચ્ચે ચર્ચા થાય છે. આનંદ શ્રાવક કહે છે કે મારી વાત બરાબર છે જયારે ગૌતમ ગણધર કહે છે કે તારું કથન મિથ્યા છે. આનંદ ગૌતમની વાત માનવા માટે તૈયાર થતો નથી. ગૌતમ ભગવાન મહાવીર પાસે આવી આનું સ્પષ્ટીકરણ મેળવે છે અને ભગવાન મહાવીરની આજ્ઞાથી આનંદ પાસે જઈને પોતાની ભૂલ સ્વીકારી તેની પાસે ક્ષમાયાચના કરે છે. આનાથી ગૌતમની વિનીતતા અને ઋજુતા તથા આનંદની નિર્ભીકતા અને સત્યતા પ્રગટ થાય છે. ઉપસંહાર: વિદ્યમાન અંગસૂત્રો અને અન્ય આગમોમાં પ્રધાનપણે શ્રમણ-શ્રમણીઓના આચાર વગેરેનું નિરૂપણ જ જોવા મળે છે. ઉપાસકદશાંગ જ એક એવું સૂત્ર છે જેમાં ગૃહસ્થધર્મ સંબંધી વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો છે. આનાથી શ્રાવક અર્થાત્ શ્રમણોપાસકના મૂળ આચાર અને અનુષ્ઠાનની કેટલીક જાણ થઈ શકે છે. શ્રમણશ્રમણીઓના આચાર અનુષ્ઠાનની જ માફક શ્રાવક-શ્રાવિકાના આચાર-અનુષ્ઠાનનું નિરૂપણ પણ અનિવાર્ય છે કેમ કે આ ચારેય સંઘના સમાન સ્તંભો છે. વાસ્તવમાં શ્રમણ-શ્રમણીઓની વિદ્યમાનતાનો આધાર પણ એક દષ્ટિએ શ્રાવક-શ્રાવિકાઓ જ છે. શ્રાવક-સંસ્થાના આધાર વિના શ્રમણ-સંસ્થાનું ટકવું સંભવિત નથી. શ્રાવકધર્મની ભીંત જેટલી વધુ સદાચાર અને ન્યાયનીતિ પર પ્રતિષ્ઠિત થશે, શ્રમણધર્મનો પાયો Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ અંગઆગમ એટલો જ અધિક મજબૂત બનશે. આ વિચારથી શ્રાવક શ્રાવિકાઓના જીવનવ્યવહારની વ્યવસ્થા આમાં કરવામાં આવી છે. ગૃહસ્થકર્મોને માત્ર આરંભ-સમારંભકારી કહી દેવાથી કામ નથી ચાલતું પરંતુ ગૃહસ્થ ધર્મમાં સદાચાર અને વિચારની પ્રતિષ્ઠા કરવી એ તેનો ઉદેશ્ય છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ નવમ પ્રકરણ અન્નકૃતદશા આઠમુ અંગ અંતગડદસા છે. તેનું સંસ્કૃત રૂપ અંતકૃતદશા અથવા અંતકૃદશા છે. અંતકૃત અર્થાત્ સંસારનો અંત કરનાર. જેમણે પોતાના સંસાર અર્થાત્ ભવચક્રજન્મ-મરણનો અંત કર્યો છે એટલે કે જે ફરીથી જન્મ-મરણના ચક્રમાં ફસાવાના નથી તેવા આત્માઓનું વર્ણન અંતકૃતદશામાં મળે છે. તેનો ઉપોદ્દાત પણ વિપાકસૂત્રની જેવો જ છે. દિગંબર પરંપરાના રાજવાર્તિક વગેરે ગ્રંથોમાં અંતકતોનાં જે નામો મળે છે તે સ્થાનાંગમાં ઉલ્લિખિત નામો સાથે અધિકાંશપણે મળતાં આવે છે. સ્થાનાંગમાં નીચેના દસ નામોનો નિર્દેશ છે : નમી, માતંગ, સોમિલ, રામગુપ્ત, સુદર્શન, જમાલી, ભગાલી, કિંકમ, પલ્લતતિય અને ફાલ અંબાપુત્ર. સમવાયાંગમાં અંતકૃતદશાના દસ અધ્યયનો અને સાત વર્ગો કહેવામાં આવ્યા છે. નામોનો ઉલ્લેખ નથી. નંદીસૂત્રમાં આ અંગના દસ અધ્યયનો અને આઠ વર્ગો બતાવવામાં આવ્યા છે. નામોનો ઉલ્લેખ તેમાં પણ નથી. ૧. (અ) અભયદેવવિહિત વૃત્તિસહિત–આગમોદય સમિતિ, મુંબઈ, ઈ. સ. ૧૯૨૦; ધનપતસિંહ, કલકત્તા, ઈ.સ.૧૮૭પ. (આ) પ્રસ્તાવના વગેરે સાથે–પી.એલ.વૈદ્ય, પૂના, ઈ.સ.૧૯૩૨. (ઇ) અંગ્રેજી અનુવાદ-L. D. Barnett, 1907. (ઈ) અભયદેવવિહિત વૃત્તિના ગુજરાતી અનુવાદ સાથે – જૈન ધર્મપ્રસારક સભા, ભાવનગર, વિ.સં. ૧૯૯૦. સંસ્કૃત વ્યાખ્યા અને તેના હિંદી-ગુજરાતી અનુવાદ સાથે-મુનિ ઘાસીલાલ, જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ.૧૯૫૮. હિંદી અનુવાદ સહિત-અમોલક ઋષિ, હૈદરાબાદ, વી.સં. ૨૪૪૬. (8) ગુજરાતી છાયાનુવાદ–ગોપાળદાસ જીવાભાઈ પટેલ, જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ, અમદાવાદ, ઈ.સ.૧૯૪૦. (9) Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ અંગઆગમ વર્તમાનકાળે ઉપલબ્ધ અંતકૃતદશામાં ન તો દસ અધ્યયન છે કે ન ઉપર્યુક્ત નામોવાળા અંતકૃતોનું વર્ણન છે. તેમાં નંદીના નિર્દેશ અનુસાર આઠ વર્ગો છે, સમવાયના ઉલ્લેખ અનુસાર સાત વર્ગ નહિ. ઉપલબ્ધ અંતકૃતદશાના પ્રથમ વર્ગમાં નીચેનાં દસ અધ્યયનો છે - ગૌતમ, સમુદ્ર, સાગર, ગંભીર, થિમિય, અયલ, કંપિલ, અક્ષોભ, પરોણઈ અને વિષ્ણુ. દ્વારકા વર્ણન: પ્રથમ વર્ગમાં દ્વારકાનું વર્ણન છે. આ નગરીનું નિર્માણ ધનપતિની યોજના અનુસાર કરવામાં આવ્યું હતું. તે કયા પ્રદેશમાં હતી તેનો સૂત્રમાં કોઈ ઉલ્લેખ નથી. દ્વારકાની ઉત્તર-પૂર્વમાં રૈવતક પર્વત, નંદનવન અને સુરપ્રિય યક્ષાયતન હોવાનો ઉલ્લેખ છે. રાજાનું નામ કૃષ્ણ વાસુદેવ બતાવવામાં આવ્યું છે. કૃષ્ણને અધીન સમુદ્રવિજય વગેરે દસ દશાર્ણ, બલદેવ વગેરે પાંચ મહાવીરો, પ્રદ્યુમ્ન વગેરે સાડાત્રણ કરોડ કુમારો, શાંબ વગેરે સાઠ હજાર દુર્દાન્ત યોદ્ધાઓ, ઉગ્રસેન વગેરે સોળ હજાર રાજાઓ, રુક્મિણી વગેરે સોળ હજાર દેવીઓ-રાણીઓ, અનંગસેના વગેરે હજારો ગણિકાઓ અને અન્ય અનેક લોકો હતા. અહીં દ્વારકામાં રહેનારા અંધકવૃષ્ણિ રાજાનો પણ ઉલ્લેખ આવે છે. અંધકવૃષ્ણિના ગૌતમ વગેરે દસ પુત્રો સંયમ ગ્રહણ કરીને, તેનું પૂર્ણપણે પાલન કરીને, સામાયિક વગેરે અગિયાર અંગોનું અધ્યયન કરીને, અંતકૃત અર્થાત મુક્ત બન્યા હતા. આ દસે મુનિઓ શત્રુંજય પર્વત પર સિદ્ધ થયા. દ્વિતીય વર્ગમાં આ જ પ્રકારના અન્ય દસ નામો છે. ગજસુકુમાલઃ તૃતીય વર્ગમાં તેર નામો છે. નગર ભક્િલપુર છે. ગૃહપતિનું નામ નાગ અને તેની પત્નીનું નામ સુલસા છે. આમાં સામાયિક વગેરે ચૌદ પૂર્વોનાં અધ્યયનનો ઉલ્લેખ છે. સિદ્ધિસ્થાન શત્રુંજય જ છે. આ તેર નામોમાં ગજસુકુમાલ મુનિનો પણ સમાવેશ થાય છે. કૃષ્ણના નાના ભાઈ ગજની કથા આ પ્રમાણે છે : છ મુનિઓ હતા. તે છએ સરખી આકૃતિવાળા, સરખી વયવાળા અને સરખા વર્ણવાળા હતા. તેઓ બે-બેની જોડીમાં દેવકીને ત્યાં ભિક્ષા લેવા ગયા. જ્યારે તેઓ એક વાર, બે વાર અને ત્રણ વાર આવ્યા ત્યારે દેવકીએ વિચાર્યું કે આ મુનિઓ વારંવાર કેમ આવે છે? તેનું સ્પષ્ટીકરણ કરતાં તે મુનિઓએ કહ્યું કે અમે વારંવાર નથી આવતા પરંતુ અમારા બધાની સમાન આકૃતિને કારણે તમને એવું જ લાગે છે. અમે છએ Page #295 -------------------------------------------------------------------------- ________________ અન્નકૃતદશા સુલસાના પુત્રો છીએ. મુનિઓની આ વાત સાંભળી દેવકીને કંઈક યાદ આવ્યું. તેને યાદ આવ્યું કે પોલાસપુર નામે ગામમાં અતિમુક્તક નામે કુમા૨શ્રમણે મને કહ્યું હતું કે તું બરાબર એકસરખા આઠ પુત્રોને જન્મ આપીશ. દેવકીએ વિચાર્યું કે તે મુનિનું કથન સાચું ન પડ્યું. તે આ વિષયના સ્પષ્ટીકરણ માટે તીર્થંકર અરિષ્ટનેમિ પાસે પહોંચી. અરિષ્ટનેમિએ બતાવ્યું કે અતિમુક્તકની વાત ખોટી નથી. એમ થયું કે સુલસાને મૃત બાળકો જન્મતાં હતાં. તેણે પુત્ર આપનાર હરિણેગમેસી દેવની આરાધના કરી. એટલે તેણે તારા જન્મેલા પુત્રો ઉપાડીને તેને સોંપી દીધા અને તેના મરેલાં બાળકો તારી પાસે લાવીને મૂકી દીધાં. આ રીતે આ છએ મુનિઓ વાસ્તવમાં તારા જ પુત્રો છે. આ · સાંભળી દેવકીના મનમાં વિચાર આવ્યો કે મેં કોઈ બાળકનું બાળપણ જોયું નથી. આથી હવે જો મારે એક પુત્ર થાય તો તેનું બાળપણ જોઉં. આ વિચારે દેવકી ભારે ચિંતામાં પડી ગઈ. એટલામાં કૃષ્ણ વાસુદેવ દેવકીને પ્રણામ કરવા આવ્યા. દેવકીએ કૃષ્ણને પોતાના મનની વાત બતાવી. કૃષ્ણે દેવકીને સાંત્વના આપતાં કહ્યું કે હું એવો પ્રયત્ન કરીશ કે મારે એક નાનો ભાઈ થાય. ત્યારબાદ કૃષ્ણે પૌષધશાળામાં જઈ ત્રણ ઉપવાસ કરી હરણેગમેસી દેવની આરાધના કરી અને તેની પાસે એક નાના ભાઈની માગણી કરી. દેવે કહ્યું કે તારે નાનો ભાઈ થશે અને તે નાની વયમાં જ દીક્ષિત થઈ સિદ્ધિ પ્રાપ્ત કરશે. ત્યારબાદ દેવકીને પુત્ર થયો. તેનું જ નામ ગજ અથવા ગજસુકુમાલ છે. ગજનો વિવાહ કરવાના ઉદ્દેશ્યથી કૃષ્ણે ચતુર્વેદજ્ઞ સોમિલ બ્રાહ્મણની સોમા નામક કન્યાને પોતાને ત્યાં લાવી રાખી. એટલામાં ભગવાન અરિષ્ટનેમિ દ્વારકાના સહસ્રાંબવન ઉદ્યાનમાં આવ્યા. તેમનો ઉપદેશ સાંભળીને માતા-પિતાની અનુમતિ મેળવીને ગજે દીક્ષા અંગીકાર કરી. સોમા કુંવારી જ રહી ગઈ. સોમિલે ક્રોધિત બની સ્મશાનમાં ધ્યાન કરતા મુનિ ગજસુકુમાલનાં મસ્તક પર માટી બાંધી ધધકતા અંગારા મૂક્યા. મુનિ શાંતભાવે મૃત્યુ પ્રાપ્ત કરી અંતકૃત બન્યા. આ કથામાં અનેક વાતો વિચારવાયોગ્ય છે, જેમ કે પુત્ર આપનાર હિરણેગમેસી દેવ, ક્ષાયિક સમ્યક્ત્વધારી કૃષ્ણ દ્વારા કરવામાં આવેલી તેની આરાધના અને તે પણ પૌષધશાળામાં, દેવકીના પુત્રોનું અપહરણ, અતિમુક્તક મુનિની ભવિષ્યવાણી, ભગવાન અરિષ્ટનેમિનું એતદ્વિષયક સ્પષ્ટીકરણ વગેરે. દયાશીલ કૃષ્ણ : તૃતીય વર્ગમાં કૃષ્ણ સંબંધી એક વિશિષ્ટ ઘટના આ પ્રમાણે છે : ૨૬૧ એક વાર વાસુદેવ કૃષ્ણ દળકટક સાથે ભગવાન અરિષ્ટનેમિને વંદન કરવા જઈ રહ્યા હતા. માર્ગમાં તેમણે એક વૃદ્ધ મનુષ્યને ઇંટોના ઢગલામાંથી એક એક ઇંટ ઉપાડી Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ અંગઆગમ લઈ જતો જોયો. આ જોઈ કૃષ્ણના હૃદયમાં દયા આવી. તેમણે પણ ઇંટો ઉઠાવવાનું શરૂ કર્યું. આ જોઈ સાથેના બધા લોકો પણ ઇંટો ઉપાડવા લાગ્યા. જોતજોતાંમાં જ બધી ઇંટો ઘરમાં પહોંચી ગઈ. આનાથી તે વૃદ્ધ મનુષ્યને રાહત મળી. વાસુદેવ કૃષ્ણનો આ વ્યવહાર અતિ સહાનુભૂતિપૂર્ણ મનોવૃત્તિનો નિર્દેશક છે. ચતુર્થ વર્ગમાં જાતિ વગેરે દસ મુનિઓની કથા છે. કૃષ્ણનું મૃત્યુ ઃ પાંચમા વર્ગમાં પદ્માવતી વગેરે દસ અંતકૃત સ્ત્રીઓની કથા છે. તેમાં દ્વારકાના વિનાશની ભવિષ્યવાણી ભગવાન અરિષ્ટનેમિના મુખે થઈ છે. કૃષ્ણના મૃત્યુની ભવિષ્યવાણી પણ અરિષ્ટનેમિ દ્વારા જ કરવામાં આવી છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે દક્ષિણ સમુદ્ર તરફ પાંડુમથુરા જતાં કોલંબી નામે વનમાં વડના વૃક્ષ નીચે જરાકુમાર દ્વારા છોડવામાં આવેલ બાણ ડાબા પગમાં વાગતાં કૃષ્ણનું મૃત્યુ થશે. આ કથામાં કૃષ્ણે એ પણ ઘોષણા કરી છે કે જે કોઈ દીક્ષા લેશે તેના કુટુંબીઓનું પાલન-પોષણ અને રક્ષણ હું કરીશ. ચોથા અને પાંચમા વર્ગના અંતકૃતો કૃષ્ણનાં જ કુટુંબીજનો હતા. અર્જુનમાળી અને યુવક સુદર્શન : છઠ્ઠા વર્ગમાં સોળ અધ્યયનો છે. તેમાં એક મુદ્ગરપાણિ યક્ષનું વિશિષ્ટ અધ્યયન છે. તેનો સાર આ પ્રમાણે છે : અર્જુન નામે એક માળી હતો. તે મુદ્ગરપાણિ યક્ષનો મોટો ભક્ત હતો. તે હંમેશા તેની પ્રતિમાની પૂજા અર્ચના કર્યા કરતો. તે પ્રતિમાના હાથમાં લોઢાનો એક મોટો મુદ્ગર હતો. એક વાર ભોગલોલુપ ગુંડાઓની ટોળીએ યક્ષના આ મંદિરમાં અર્જુનને બાંધીને તેની સ્ત્રીની સાથે અનાચારપૂર્ણ વર્તાવ કર્યો. તે સમયે અર્જુનમાળીએ તે યક્ષની બહુ પ્રાર્થના કરી અને પોતાને તથા પોતાની સ્ત્રીને તે ગુંડાઓથી બચાવવાની અત્યંત આગ્રહપૂર્ણ વિનંતી કરી પરંતુ કાષ્ઠપ્રતિમા કંઈ ન કરી શકી. તેથી તેણે માની લીધું કે આ કોઈ શક્તિશાળી યક્ષ નથી. આ તો માત્ર કાઇ છે. જ્યારે પેલા ગુંડાઓ ચાલ્યા ગયા અને અર્જુનમાળી મુક્ત બન્યો ત્યારે તેણે તે મૂર્તિના હાથમાંથી લોહમુગર લઈ લીધો અને તે માર્ગે પસાર થનારા સાત જણને રોજ મારવા લાગ્યો. આ ઘટના રાજગૃહનગરમાં બની. આ જોઈ ત્યાંના રાજા શ્રેણિકે એવી ઘોષણા કરી કે તે માર્ગે કોઈ વ્યક્તિ ન જાય, જશે અને માર્યો જશે તો તે અવસ્થામાં રાજાની કોઈ જવાબદારી રહેશે નહિ. સંયોગવશાત્ એ જ સમયે ભગવાન મહાવીરનું તે જ વનખંડમાં આગમન Page #297 -------------------------------------------------------------------------- ________________ અન્નકૃતદશા થયું. રાજગૃહની કોઈ પણ વ્યક્તિ, એટલે સુધી કે ત્યાંનો રાજા પણ અર્જુન માળીના ભયથી મહાવીરને વંદન કરવા જઈ ન શક્યો. પણ આ રાજગૃહમાં સુદર્શન નામે એક યુવક રહેતો હતો જે ભગવાન મહાવીરનો પરમ ભક્ત હતો. તે એકલો જ મહાવીરના વંદન માટે તે માર્ગે જવા નીકળ્યો. તેના માતા-પિતાએ તો ઘણી મનાઈ કરી પરંતુ તે માન્યો નહિ. તે મહાવીરનો સાધારણ ભક્ત ન હતો. તેને લાગ્યું કે ભગવાન મારા ગામ નજીક આવે અને હું મૃત્યુના ભયથી તેમને વંદન કરવા ન જાઉં તો મારી ભક્તિ જરૂર લજ્જાશે. આમ વિચારી સુદર્શન રવાના થયો. માર્ગમાં તેને અર્જુનમાળી મળ્યો. તે તેને મારવા માટે આગળ વધ્યો પરંતુ સુદર્શનની શાંત મુદ્રા જોઈ તેનો મિત્ર બની ગયો. ત્યારપછી બંને ભગવાન મહાવીર પાસે પહોંચ્યા. ભગવાનનો ઉપદેશ સાંભળી અર્જુનમાળી મુનિ બની ગયો. અંતમાં તેને સિદ્ધિ પ્રાપ્ત થઈ. આ કથામાં એક વાત સમજમાં નથી આવતી કે શ્રેણિકની પાસે રાજસત્તા અને સૈનિકબળ હોવા છતાં પણ તે અર્જુન માળીને લોકોને મારવામાંથી કેમ રોકી શક્યો નહિ? શ્રેણિક ભગવાન મહાવીરનો અસાધારણ ભક્ત કહેવાય છે. છતાં પણ તે તેમને વંદન કરવા ન ગયો. આખા નગરમાં ભગવાનનો સાચો ભક્ત એક સુદર્શન જ સાબિત થયો. સંભવ છે કે આ કથાનો ઉદેશ્ય એ જ બતાવવાનો હોય કે સાચી શ્રદ્ધા અને ભક્તિ કેટલી દુર્લભ છે! અન્ય અંતકૃતોઃ છઠ્ઠા વર્ગના પંદરમા અધ્યયનમાં અતિમુક્ત નામે ભગવાન મહાવીરના એક શિષ્યનું કથાનક છે. આ અધ્યયનમાં ગામના ચોક અથવા ક્રીડાસ્થળ માટે “ઈન્દ્રસ્થાન' શબ્દનો પ્રયોગ થયો છે. સાતમા વર્ગમાં તેર અધ્યયનો છે. તેમાં અંતકૃત સ્ત્રીઓનું વર્ણન છે. આઠમા વર્ગમાં દસ અધ્યયનો છે. આ અધ્યયનોમાં શ્રેણિકની કાલી વગેરે દસ ભાર્યાઓનું વર્ણન છે. આ વર્ગમાં પ્રત્યેક અંતકૃત-સાધ્વીના વિશિષ્ટ તપનો વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો છે. આથી તેમની તપસ્યાની ઉગ્રતાની જાણ થાય છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ દશમ પ્રકરણ અનુત્તરૌપપાતિકદશા બારમા સ્વર્ગની ઉપર નવ ચૈવેયક વિમાનો છે અને તેમની ઉપર વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધિ—એ પાંચ અનુત્તર વિમાનો છે. આ વિમાનો બધા વિમાનોમાં શ્રેષ્ઠ છે અર્થાત્ તેમનાથી શ્રેષ્ઠતર બીજા વિમાનો નથી. આથી તેમને અનુત્તરવિમાનો કહે છે. જે વ્યક્તિ પોતાના તપ અને સંયમ દ્વારા આ વિમાનોમાં ઉપપાત એટલે કે જન્મ લે છે તેમને અનુત્તરૌપપાતિક કહે છે. જે સૂત્રમાં આવી જાતના મનુષ્યોની દશા અર્થાત્ અવસ્થાનું વર્ણન છે તેનું નામ અનુત્તરૌપપાતિકદશા છે. સમવાયાંગમાં બતાવવામાં આવ્યું છે કે અનુત્તરૌપપાતિકદશા નવમુ અંગ છે. આ એક શ્રુતસ્કંધ રૂપ છે. આમાં ત્રણ વર્ગો અને દસ અધ્યયનો છે. નંદીસૂત્રમાં પણ એ પ્રમાણે જ બતાવવામાં આવ્યું છે. એમાં અધ્યયનોની સંખ્યાનો નિર્દેશ નથી. અનુત્તરૌપપાતિકના અંતે લખ્યું છે કે તેનો એક શ્રુતસ્કંધ છે, ત્રણ વર્ગો છે, ત્રણ ઉદ્દેશનકાળ છે અર્થાત્ ત્રણ દિવસમાં તેનું અધ્યયન પૂર્ણ થાય છે. પ્રથમ વર્ગમાં દસ ૧. (અ) અભયદેવવિહિત વૃત્તિસહિત—આગમોદય સમિતિ, સૂરત, ઈ.સ. ૧૯૨૦; ધનપતસિંહ, કલકત્તા, ઈ.સ.૧૮૭૫. (આ) પ્રસ્તાવના વગેરે સાથેપી.એલ.વૈદ્ય, પૂના, ઈ.સ.૧૯૩૨. (ઇ) અંગ્રેજી અનુવાદ–L. D. Barnett, 1907. (ઈ) મૂળ—જૈન આત્માનંદ સભા, ભાવનગર, ઈ.સ. ૧૯૨૧. (ઉ) અભયદેવવિહિત વૃત્તિના ગુજરાતી અનુવાદ સાથે – જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, વિ.સં. ૧૯૯૦. (ઊ) હિંદી ટીકા સહિત – મુનિ આત્મારામ, જૈન શાસ્ત્રમાલા કાર્યાલય, લાહોર, ઈ.સ.૧૯૩૬. (ઋ) સંસ્કૃત વ્યાખ્યા અને તેના હિંદી-ગુજરાતી અનુવાદ સાથે—મુનિ ઘાસીલાલ, જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ.૧૯૫૯, (એ) હિંદી અનુવાદ સહિત—અમોલક ઋષિ, હૈદરાબાદ, વી.સં. ૨૪૪૬. (ઐ) ગુજરાતી છાયાનુવાદ—ગોપાલદાસ જીવાભાઈ પટેલ, જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ, અમદાવાદ, ઈ.સ.૧૯૪૦. Page #299 -------------------------------------------------------------------------- ________________ અનુત્તરૌપપાતિકદશા ઉદ્દેશક અર્થાત્ અધ્યયનો છે, દ્વિતીયમાં તેર અને તૃતીયમાં દસ ઉદ્દેશક છે. આ રીતે આ સૂત્રમાં બધાં મળી તેત્રીસ અધ્યયનો થાય છે. સમવાયાંગ સૂત્રમાં આના ત્રણ વર્ગ, દસ અધ્યયનો અને દસ ઉદ્દેશનકાળ બતાવવામાં આવ્યા છે. નંદીસૂત્રમાં ત્રણ વર્ગ અને ત્રણ જ ઉદ્દેશનકાળ નિર્દિષ્ટ છે. આ રીતે આ સૂત્રોના ઉલ્લેખોમાં પરસ્પર ભેદ દેખાય છે. આ ભેદનું કારણ વાચનાભેદ હશે. - રાજવાર્તિક વગેરે અચેલક પરંપરાસંમત ગ્રંથોમાં પણ અનુત્તરૌપપાતિકદશાનો પરિચય મળે છે. તેમાં તેના ત્રણ વર્ગોનો કોઈ ઉલ્લેખ નથી. ઋષિદાસ વગેરે સંબંધી દસ અધ્યયનોનો નિર્દેશ છે. સ્થાનાંગમાં દસ અધ્યયનોનાં નામ આ પ્રમાણે છે :ઋષિદાસ, ધન્ય, સુનક્ષત્ર, કાર્તિક, સંસ્થાન, શાલિભદ્ર, આનંદ, તેતલી, દશાર્ણભદ્ર અને અતિમુક્તક. સ્થાનાંગ અને રાજવાર્તિકમાં જે નામોનો ઉલ્લેખ છે તેમાંથી કેટલાંક નામો ઉપલબ્ધ અનુત્તરૌપપાતિકમાં મળે છે. જેમ કે વારિષણ (રાજવાર્તિક) નામ પ્રથમ વર્ગમાં છે. એ જ રીતે ધન્ય, સુનક્ષત્ર તથા ઋષિદાસ (સ્થાનાંગ અને રાજવાર્તિક) નામો તૃતીય વર્ગમાં છે. અન્ય નામોની અનુપલબ્ધિનું કારણ વાચનાભેદ હોઈ શકે છે. ૨૬૫ ઉપલબ્ધ અનુત્તરૌપપાતિકદશા ત્રણ વર્ગોમાં વિભક્ત છે. પ્રથમ વર્ગમાં ૧૦ અધ્યયનો છે, દ્વિતીય વર્ગમાં ૧૩ અધ્યયનો છે અને તૃતીય વર્ગમાં ૧૦ અધ્યયનો છે. આ રીતે ત્રણેય વર્ગોની અધ્યયનસંખ્યા ૩૩ થાય છે. પ્રત્યેક અધ્યયનમાં એક એક મહાપુરુષનું જીવન વર્ણિત છે. જાલિ વગેરે રાજકુમારો ઃ પ્રથમ વર્ગમાં જાલિ, મયાલિ, ઉપજાલિ, પુરુષસેન, વા૨િષણ, દીર્ઘદંત, લષ્ટદંત, વેહલ્લ, વેહાયસ અને અભયકુમાર—આ દસ રાજકુમારોનું જીવન આપવામાં આવ્યું છે. આર્ય સુધર્માએ પોતાના શિષ્ય જંબૂને ઉક્ત દસ રાજકુમારોનાં જન્મ, નગર, માતાપિતા વગેરેનો વિસ્તૃત પરિચય કરાવીને તેમનાં ત્યાગ અને તપનું સુંદર રીતે વર્ણન કર્યું છે અને બતાવ્યું છે કે આ દસે રાજકુમારો મનુષ્યભવ પૂર્ણ કરીને કયા કયા અનુત્તરવિમાનોમાં ઉત્પન્ન થયા છે તથા દેવયોનિ પૂર્ણ થતાં ત્યાંથી ચ્યુત થઈને તેઓ ક્યાં જન્મ લેશે અને કેવી રીતે સિદ્ધ-બુદ્ધ-મુક્ત થશે. દીર્ઘસેન વગેરે રાજકુમારો ઃ દ્વિતીય વર્ગમાં દીર્ઘસેન, મહાસેન, લષ્ટદંત, ગૂઢદંત, શુદ્ધદંત, હલ્લ, ક્રુમ, દુમસેન, મહાદુમસેન, સિંહ, સિંહસેન, મહાસિંહસેન અને પુષ્પસેન—આ તેર રાજકુમારોનાં જીવનનું વર્ણન જાલિકુમારનાં જીવનની જ માફક સંક્ષેપમાં ક૨વામાં આવ્યું છે. તેઓ Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ અંગઆગમ પણ પોતાની તપ-સાધના દ્વારા પાંચ અનુત્તરવિમાનોમાં ગયા છે. ત્યાંથી શ્રુત થઈ મનુષ્યજન્મ પામી સિદ્ધ-બુદ્ધ-મુક્ત થશે. ધન્યકુમાર: તૃતીય વર્ગમાં ધન્યકુમાર, સુનક્ષત્રકુમાર, ઋષિદાસ, પેલ્લક, રામપુત્ર, ચન્દ્રિકા, પૃષ્ટિમાતૃક, પેઢાલપુત્ર, પોટ્ટિલ્સ અને વેહલ્લ–આ દસ કુમારોનાં ભોગમય અને તપોમય જીવનનું સુંદર ચિત્રણ કરવામાં આવ્યું છે. આમાંથી ધન્યકુમારનું વર્ણન વિશેષ વિસ્તૃત છે. ધન્યકુમાર કાકંદી નગરીની ભદ્રા સાર્થવાહીનો પુત્ર હતો. ભદ્રા પાસે અપરિમિત ધન તથા અપરિમિત ભોગવિલાસનાં સાધનો હતા. તેણે પોતાના સુયોગ્ય પુત્રનું લાલન પાલન ઘણાં ઊંચા સ્તરે કર્યું હતું. ધન્યકુમાર ભોગવિલાસની સામગ્રીમાં ડૂબી ચૂક્યો હતો. એક દિવસ ભગવાન મહાવીરની દિવ્ય વાણી સાંભળી તેના મનમાં વૈરાગ્યની ભાવના જાગ્રત થઈ અને તે અનુસાર તે પોતાના વિપુલ વૈભવનો ત્યાગ કરી મુનિ બની ગયો. મુનિ બન્યા પછી ધન્ય જે તપસ્યા કરી તે અદ્દભુત અને અનુપમ છે. તપોમય જીવનનું આટલું સુંદર સર્વાગીણ વર્ણન શ્રમણ સાહિત્યમાં તો શું, સંપૂર્ણ ભારતીય સાહિત્યમાં અન્યત્ર દૃષ્ટિગોચર થતું નથી. મહાકવિ કાલિદાસે પોતાના ગ્રંથ કુમારસંભવમાં પાર્વતીની તપસ્યાનું જે વર્ણન આપ્યું છે તે મહત્ત્વપૂર્ણ હોવા છતાં પણ ધન્યમુનિની તપસ્યાના વર્ણનની સમકક્ષ નથી તેનાથી અલગ જ પ્રકારનું છે. ધન્યમુનિ પોતાનું આયુષ્ય પૂર્ણ કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી ચુત થઈ મનુષ્યજન્મ પામી તપ-સાધના દ્વારા સિદ્ધ-બુદ્ધ-મુક્ત થશે. Page #301 -------------------------------------------------------------------------- ________________ એકાદશ પ્રકરણ પ્રશ્નવ્યાકરણ પણ્ડાવાગરણ અથવા પ્રશ્નવ્યાકરણ' દસમુ અંગ છે. તેનો જે પરિચય અચેલક પરંપરાના રાજવાર્તિક વગેરે ગ્રંથો અને સચેલક પરંપરાનાં સ્થાનાંગ વગેરે સૂત્રોમાં મળે છે, ઉપલબ્ધ પ્રશ્નવ્યાકરણ તેનાથી સર્વથા જુદું છે. સ્થાનાંગમાં પ્રશ્નવ્યાકરણનાં દસ અધ્યયનોનો ઉલ્લેખ છે : ઉપમા, સંખ્યા, ઋષિભાષિત, આચાર્યભાષિત, મહાવીરભાષિત, ક્ષોભકપ્રશ્ન, કોમલપ્રશ્ન, અદ્દાગપ્રશ્ન, અંગુષ્ઠપ્રશ્ન અને બાહુપ્રશ્ન. સમવાયાંગમાં બતાવવામાં આવ્યું છે કે પ્રશ્નવ્યાકરણમાં ૧૦૮ પ્રશ્નો, ૧૦૮ અપ્રશ્નો અને ૧૦૮ પ્રશ્નાપ્રશ્નો છે જે મંત્રવિદ્યા તથા અંગુષ્ઠપ્રશ્ન, બાહુપ્રશ્ન, દર્પણપ્રશ્ન વગેરે વિદ્યાઓ સંબંધી છે. તેનાં ૪૫ અધ્યયનો છે. નંદિસૂત્રમાં પણ એ જ બતાવવામાં આવ્યું છે કે પ્રશ્નવ્યાકરણમાં ૧૦૮ પ્રશ્નો, ૧૦૮ અપ્રશ્નો અને ૧૦૮ પ્રશ્નાપ્રશ્નો છે; અંગુષ્ઠપ્રશ્ન, બાહુપ્રશ્ન, દર્પણપ્રશ્ન વગેરે વિચિત્ર વિદ્યાઓનું વર્ણન છે; નાગકુમારો અને સુવર્ણકુમારોની સંગતિના દિવ્ય સંવાદો છે; ૪૫ અધ્યયનો છે. ૧. (અ) અભયદેવવિહિત વૃત્તિસહિત – આગમોદય સમિતિ, મુંબઈ, ઈ. સ. ૧૯૧૯; ધનપતસિંહ, કલકત્તા, ઈ.સ.૧૮૭૬. (આ) જ્ઞાનવિમલવિરચિત વૃત્તિસહિત—મુક્તિવિમલ જૈન ગ્રંથમાળા, અમદાવાદ, વિ.સં. ૧૯૯૫. (ઇ) હિંદી ટીકાસહિત—મુનિ હસ્તિમલ, હસ્તિમલ્લ સુરાણા, પાલી, ઈ.સ.૧૯૫૦. (ઈ) સંસ્કૃત વ્યાખ્યા અને તેના હિંદી-ગુજરાતી અનુવાદ સાથે—મુનિ ઘાસીલાલ, જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ.૧૯૬૨. (ઉ) હિંદી અનુવાદ સહિત—અમોલક ઋષિ, હૈદરાબાદ, વી.સં. ૨૪૪૬; ઘેવરચન્દ્ર બાંઠિયા, સેઠિયા જૈન પારમાર્થિક સંસ્થા, બીકાનેર, વિ.સં. ૨૦૦૯. (ઊ) ગુજરાતી અનુવાદ–મુનિ છોટાલાલ, લાધાજી સ્વામી પુસ્તકાલય, લીંબડી, ઈ.સ. ૧૯૩૯. Page #302 -------------------------------------------------------------------------- ________________ અંગઆગમ વિદ્યમાન પ્રશ્નવ્યાકરણમાં ન તો ઉપર્યુક્ત વિષય છે કે ન ૪૫ અધ્યયનો. તેમાં હિંસાદિ પાંચ આસ્રવો તથા અહિંસાદિ પાંચ સંવરોનું દસ અધ્યયનોમાં નિરૂપણ છે. તાત્પર્ય એ છે કે જે પ્રશ્નવ્યાકરણનો બંને જૈન પરંપરાઓમાં ઉલ્લેખ છે તે વર્તમાનમાં ઉપલબ્ધ નથી. તેનો અર્થ એ થયો કે વિદ્યમાન પ્રશ્નવ્યાકરણ પછીથી થઈ જનાર કોઈ ગીતાર્થ પુરુષની રચના છે. વૃત્તિકાર અભયદેવસૂરિ લખે છે કે આ સમયનો કોઈ અનધિકારી મનુષ્ય ચમત્કારી વિદ્યાઓનો દુરુપયોગ ન કરે એ દૃષ્ટિએ આ પ્રકારની બધી વિદ્યાઓ આ સૂત્રમાંથી કાઢી નાખી અને તેમનાં સ્થાને માત્ર આસ્રવ અને સંવરનો સમાવેશ કરી દેવામાં આવ્યો. અહીં એક વાત વિચારણીય છે કે જિન ભગવાન જ્યોતિષ વગેરે ચમત્કારિક વિદ્યાઓ અને એવા જ પ્રકારની અન્ય આરંભ-સમારંભપૂર્ણ વિદ્યાઓના નિરૂપણને દૂષિત પ્રવૃત્તિ બતાવે છે. આવી સ્થિતિમાં પ્રશ્નવ્યાકરણમાં ચમત્કારિક વિદ્યાઓનું નિરૂપણ જિન પ્રભુએ કેવી રીતે કર્યું હશે ? પ્રશ્નવ્યાકરણનો પ્રારંભ આ ગાથાથી થાય છે : जंबू ! इणमो अहय-संवरविणिच्छयं पवयणस्स । नीसंदं वोच्छामि णिच्छयत्थं सुहासियत्थं महेसीहिं ॥ અર્થાત્ કે જંબૂ ! અહીં મહર્ષિપ્રણીત પ્રવચનસારરૂપ આશ્રવ અને સંવરનું નિરૂપણ કરીશ. ૨૬૮ ગાથામાં જંબૂનું નામ તો છે પરંતુ ‘મહર્ષિઓ દ્વારા સુભાષિત’ શબ્દો વડે એ સ્પષ્ટ પ્રતીત થાય છે કે આનું નિરૂપણ માત્ર સુધર્મા દ્વારા થયું નથી. આનાથી એ પણ સિદ્ધ થાય છે કે વિષયની દૃષ્ટિએ આ સૂત્ર આખું જ નવું બની ગયું છે કે જેના કર્તા કોઈ ગીતાર્થ પુરુષ હોઈ શકે. અસત્યવાદી મત ઃ સૂત્રકારે અસત્યભાષકના રૂપમાં નીચેના મતોના નામો ઉલ્લેખ કર્યો છે ઃ : ૧. નાસ્તિકવાદી અથવા વામલોકવાદી—ચાર્વાક ૨. પંચસ્કન્ધવાદી—બૌદ્ધ ૩. મનોજીવવાદી—મનને જીવ માનનારા ૪. વાયુજીવવાદી—પ્રાણવાયુને જીવ માનનારા ૫. ઇંડામાંથી જગતની ઉત્પત્તિ માનનારા ૬. લોકને સ્વયંભૂકૃત માનનારા Page #303 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નવ્યાકરણ ૨૬૯ ૭. જગતને પ્રજાપતિનિમિત માનનારા ૮. જગતને ઇશ્વરકૃત માનનારા ૯. આખા જગતને વિષ્ણમય માનનારા ૧૦. આત્માને એક, અકર્તા, વેદક, નિત્ય, નિષ્ક્રિય, નિર્ગુણ, નિર્લિપ્ત માનનારા ૧૧. જગતને યાદચ્છિક માનનારા ૧૨. જગતને સ્વભાવજન્ય માનનારા ૧૩. જગતને દેવકૃત માનનારા ૧૪. નિયતિવાદી–આજીવક હિંસાદિ આગ્નવોઃ આ ઉપરાંત સંસારમાં જે જે પ્રકારનું અસત્ય વ્યવહારમાં, કુટુંબમાં, સમાજમાં, દેશમાં કે સંપૂર્ણ વિશ્વમાં પ્રચલિત છે તેનું વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે. એ જ રીતે હિંસા, ચૌર્ય, અબ્રહ્મચર્ય અને પરિગ્રહનાં સ્વરૂપ તથા દૂષણોનું ખૂબ લાંબુ વર્ણન કરવામાં આવ્યું છે. હિંસાનું વર્ણન કરતી વેળાએ વેદિકા, વિહાર, સૂપ, લેણ, ચૈત્ય, દેવકુલ, આયતન વગેરેના નિર્માણમાં થનારી હિંસાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. વૃત્તિકારે વિહાર વગેરેનો અર્થ આ પ્રમાણે આપ્યો છે : વિહાર અર્થાત્ બૌદ્ધ વિહાર, લેણ અર્થાતુ પર્વતમાં કોતરીને બનાવવામાં આવેલું ઘર, ચૈત્ય અર્થાતુ પ્રતિમા, દેવકુલ અર્થાત્ શિખરયુક્ત દેવપ્રાસાદ. જે લોકો ચૈત્ય, મંદિર વગેરે બનાવવામાં થનારી હિંસાને ગણતરીમાં નથી લેતા તેમના માટે આ સૂત્રનો મૂળ પાઠતથા વૃત્તિકારનું વિવેચન એક પડકાર છે. આ પ્રકરણમાં વૈદિક હિંસાનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે અને ધર્મના નામે થનારી હિંસાનો ઉલ્લેખ કરવાનું પણ સૂત્રકાર ભૂલ્યા નથી. આ ઉપરાંત જગતમાં ચાલતી સમસ્ત પ્રકારની હિંસાપ્રવૃત્તિનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. હિંસાના સંદર્ભમાં વિવિધ પ્રકારના મકાનોના વિભિન્ન ભાગોના નામોનો, વાહનોના નામોનો, ખેતીના સાધનોના નામોનો તથા એ જ પ્રકારના હિંસાના અનેક નિમિત્તોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ જ પ્રસંગમાં અનાર્ય–પ્લેચ્છ જાતિના નામોની પણ સૂચિ આપવામાં આવી છે. અસત્યના પ્રકરણમાં હિંસાત્મક અનેક પ્રકારની ભાષા બોલવાનો નિષેધ કરવામાં આવ્યો છે. ચૌર્યનું વિવેચન કરતાં સંસારમાં વિભિન્ન પ્રસંગે થનારી વિવિધ ચોરીઓનું Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૭) અંગઆગમ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. અબ્રહ્મચર્યનું વિવેચન કરતાં સર્વ પ્રકારના ભોગપરાયણ લોકો, દેવો, દેવીઓ. ચક્રવર્તીઓ, વાસુદેવો, માંડલિક રાજાઓ અને એ જ જાતના અન્ય વ્યક્તિઓના ભોગોનું વર્ણન કરવામાં આવ્યું છે. સાથોસાથ શરીરનું સૌંદર્ય, સ્ત્રીના સ્વભાવ તથા વિવિધ પ્રકારના કાયોપચારનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સ્ત્રીઓ નિમિત્તે થનારાં વિવિધ યુદ્ધોનો પણ ઉલ્લેખ કરાયો છે. વૃત્તિકારે એ વિષયની વ્યાખ્યામાં સીતા, દ્રૌપદી, રુક્મિણી, પદ્માવતી, તારા, રક્તસુભદ્રા, અહલ્યા (અહિત્રિકા), સુવર્ણગુલિકા, રોહિણી, કિન્નરી, સુરૂપા અને વિદ્યુમ્નતિની કથા જૈન પરંપરા અનુસાર ઉદ્ધત કરી છે. પાંચમા આસ્રવ પરિગ્રહના વિવેચનમાં જગતમાં જેટલા પ્રકારના પરિગ્રહો હોય છે અથવા નજરે પડે છે તેમનું સવિસ્તાર નિરૂપણ કરવામાં આવ્યું છે. પરિગ્રહના નીચે મુજબના પર્યાયો બતાવવામાં આવ્યા છે : સંચય, ઉપચય, નિધાન, પિંડ, મહેચ્છા, ઉપકરણ, સંરક્ષણ, સંસ્તવ, આસક્તિ. આ નામોમાં સમસ્ત પ્રકારના પરિગ્રહોનો સમાવેશ છે. અહિંસાદિ સંવરઃ પ્રથમ સંવર અહિંસાના પ્રકરણમાં વિવિધ વ્યક્તિઓ દ્વારા આરાધ્ય વિવિધ પ્રકારની અહિંસાનું વિવેચન છે. તેમાં અહિંસાના પોષક વિભિન્ન અનુષ્ઠાનોનું પણ નિરૂપણ છે. સત્યરૂપ દ્વિતીય સંવરના પ્રકરણમાં વિવિધ પ્રકારના સત્યોનું વર્ણન છે. તેમાં વ્યાકરણસંમત વચનને પણ અમુક અપેક્ષાએ સત્ય કહેવામાં આવેલ છે તથા બોલતી વેળાએ વ્યાકરણના નિયમો તથા ઉચ્ચારણની શુદ્ધતાનું ધ્યાન રાખવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. પ્રસ્તુત પ્રકરણમાં નિમ્નલિખિત સત્યોનું નિરૂપણ કરવામાં આવ્યું છે : જનપદસત્ય, સંમતસત્ય, સ્થાપના સત્ય, નામસત્ય, રૂપસત્ય, પ્રતીતિસત્ય, વ્યવહારસત્ય, ભાવસત્ય, યોગસત્ય અને ઉપમા સત્ય. જનપદસત્ય અર્થાત તે તે દેશની ભાષાના શબ્દોમાં રહેલું સત્ય. સંમતસત્ય અર્થાત કવિઓ દ્વારા અભિપ્રેત સત્ય. સ્થાપના સત્ય અર્થાત્ ચિત્રોમાં રહેલું વ્યાવહારિક સત્ય. નામસત્ય અર્થાત્ કુલવર્ધન આદિ વિશેષ નામ. રૂપસત્ય અર્થાત્ વેશ વગેરે દ્વારા ઓળખાણ. પ્રતીતિસત્ય એટલે નાના-મોટાના વ્યવહારસૂચક વચનો. વ્યવહારસત્ય અર્થાત્ લાક્ષણિક ભાષા. ભાવસત્ય એટલે પ્રધાનતાના આધારે વ્યવહાર, જેમ કે અનેક રંગવાળી હોવા છતાં પણ વસ્તુને એક મુખ્ય રંગ દ્વારા ઓળખવી. યોગસત્ય અર્થાત્ સંબંધથી વ્યવહત સત્ય, જેમ કે છત્રધારી વગેરે. ઉપમાસત્ય અર્થાત્ સમાનતાના આધારે Page #305 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્યાકરણ ૨૭૧ નિર્દિષ્ટ સત્ય, જેમ કે સમુદ્ર સમાન તળાવ, ચંદ્ર સમાન મુખ વગેરે. અચૌર્યસંબંધી પ્રકરણમાં અચૌર્ય સંબંધિત સમસ્ત અનુષ્ઠાનોનું વર્ણન છે. તેમાં અસ્તેયની ધૂળથી માંડી સૂક્ષ્મતમ સુધીની વ્યાખ્યા કરવામાં આવી છે. બ્રહ્મચર્યસંબંધી પ્રકરણમાં બ્રહ્મચર્યનું નિરૂપણ, તે સંબંધી અનુષ્ઠાનોનું વર્ણન અને તેની સાધના કરનારાઓનું પ્રરૂપણ કરવામાં આવ્યું છે. સાથોસાથ જ અનાચરણની દૃષ્ટિએ બ્રહ્મચર્યવિરોધી પ્રવૃત્તિઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અંતિમ પ્રકરણ અપરિગ્રહ સંબંધી છે. તેમાં અપરિગ્રહવૃત્તિનાં સ્વરૂપ, તદ્વિષયક અનુષ્ઠાનો અને અપરિગ્રહવ્રતધારીઓનાં સ્વરૂપનું નિરૂપણ છે. આ રીતે પ્રસ્તુત સૂત્રમાં પાંચ આગ્નવો તથા પાંચ સંવરોનું નિરૂપણ છે. આમાં મહાવ્રતોની સમસ્ત ભાવનાઓનું પણ નિરૂપણ છે. ભાષા સમાસયુક્ત છે જેથી તરત સમજમાં આવતી નથી. વૃત્તિકારે પ્રારંભમાં જ લખ્યું છે કે આ ગ્રંથના પ્રાયઃ કૂટ પુસ્તકો (પ્રતિઓ) ઉપલબ્ધ છે, આપણે અજ્ઞાની છીએ અને આ શાસ્ત્ર ગંભીર છે. આથી વિચારપૂર્વક અર્થની યોજના કરવી જોઈએ. સહુના અંતે તેમણે એ પણ લખ્યું છે કે જેમની પાસે પરંપરા નથી તેવા અમારા જેવા લોકો માટે આ શાસ્ત્રનો અર્થ સમજવો મુશ્કેલ છે. આથી અહીં અમે જે અર્થ આપ્યો છે તે જ બરાબર છે એવી વાત નથી. વૃત્તિકારના આ કથનથી જણાઈ આવે છે કે આગમોની આમ્નાય એટલે કે પરંપરાગત વિચારસરણી ખંડિત બની ચૂકી હતી તૂટી ચૂકી હતી. પ્રતિઓ પણ પ્રાયઃ વિશ્વસનીય ન હતી. આથી વિચારકોએ જાણી સમજી શાસ્ત્રોનો અર્થ કરવો જોઈએ. તત્ત્વાર્થરાજવાર્તિક (પૃ. ૭૩-૭૪)માં કહેવામાં આવ્યું છે કે આક્ષેપવિશેષ દ્વારા હેતુનયાશ્રિત પ્રશ્નોનાં વ્યાકરણનું નામ પ્રશ્નવ્યાકરણ છે. તેમાં લૌકિક તથા વૈદિક અર્થોનો નિર્ણય છે. આ વિષયનિરૂપણમાં હિંસા, અસત્ય વગેરે આગ્નવોનો તથા અહિંસા, સત્ય વગેરે સંવરોનો સમાવેશ હોવાનું સંભાવિત પ્રતીત થાય છે. તાત્પર્ય એ છે કે અંગુષ્ઠપ્રશ્ન, દર્પણપ્રશ્ન વગેરેનો વિચાર પ્રશ્નવ્યાકરણમાં છે એવી વાત રાજવાર્તિકકારે નથી લખી પરંતુ ધવલાટીકામાં નષ્ટપ્રશ્ન, મુષ્ટિપ્રશ્ન ઈત્યાદિનો વિચાર પ્રશ્નવ્યાકરણમાં છે તેવું બતાવવામાં આવ્યું છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશ પ્રકરણ વિપાકસૂત્ર વિપાકસૂત્રના પ્રારંભમાં જ ભગવાન મહાવીરના શિષ્ય સુધર્માસ્વામી અને તેમના શિષ્ય જંબૂસ્વામીનો વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો છે. સાથે સાથે જ એવો પ્રશ્ન કરવામાં આવ્યો છે કે ભગવાન મહાવીરે દસમા અંગ પ્રશ્નવ્યાકરણમાં અમુક અમુક વાતો બતાવી છે તો આ અગિયારમા અંગ વિપાકસૂત્રમાં કઈ કઈ વાતો બતાવી છે? તેનો ઉત્તર આપતાં સુધર્માસ્વામી કહે છે કે ભગવાન મહાવીરે આ શ્રુતના બે શ્રુતસ્કંધ બતાવ્યા છે. એક દુઃખવિપાક અને બીજો સુખવિપાક. દુઃખવિપાકનાં દસ પ્રકરણો છે. એ જ રીતે સુખવિપાકનાં પણ દસ પ્રકરણો છે. અહીં આ બધાં પ્રકરણોનાં નામો પણ બતાવ્યાં છે. તેમાં આવતી કથાઓનાં અધ્યયનથી તત્કાલીન સામાજિક પરિસ્થિતિ, રીતિરિવાજ, જીવનવ્યવસ્થા વગેરેની જાણ થાય છે. પ્રારંભમાં આવતું સુધર્મા અને જંબૂનું વર્ણન આ બંને મહાનુભાવો સિવાયના કોઈ ત્રીજા જ પુરુષે લખેલું જણાય છે. તેનાથી એમ ફલિત થાય છે કે આ ઉપોદુધાત અંશના કર્તા ન તો સુધર્મા છે કે ન જેબૂ. આ બંને સિવાયના કોઈ ત્રીજી જ વ્યક્તિ તેની કર્તા છે. ૧. (અ) અભયદેવ કૃત વૃત્તિ સહિત – આગમોદય સમિતિ, મુંબઈ, ઈ. સ. ૧૯૨૦; ધનપતસિંહ, કલકત્તા, ઈ.સ.૧૮૭૬; મુક્તિકમલ જૈન મોહનમાલા, વડોદરા, ઈ.સ.૧૯૨૦. (આ) પ્રસ્તાવના વગેરે સાથે–પી.એલ. વૈદ્ય, પૂના, ઈ.સ.૧૯૩૩. (ઇ) ગુજરાતી અનુવાદ સહિત–જૈન ધર્મપ્રસારક સભા, ભાવનગર, વિ.સં.૧૯૮૭. (ઈ) હિંદી અનુવાદ સહિત –મુનિ આનંદસાગર, હિંદી જૈનાગમ પ્રકાશક સુમતિ કાર્યાલય, કોટા, ઈ.સ. ૧૯૩૫; અમોલક ઋષિ, હૈદરાબાદ, વી.સં. ૨૪૪૬. (ઉ) હિંદી ટીકા સહિત – જ્ઞાનમુનિ, જૈન શાસ્ત્રમાલા કાર્યાલય, લુધિયાણા, વિ. સં. ૨૦૧૦. (ઉ) સંસ્કૃત વ્યાખ્યા અને તેના હિંદી-ગુજરાતી અનુવાદ સાથે-મુનિ ઘાસીલાલ, જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ. ૧૯૫૯. (8) ગુજરાતી છાયાનુવાદ–ગોપાળદાસ જીવાભાઈ પટેલ, જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ, અમદાવાદ, ઈ.સ.૧૯૪૦. Page #307 -------------------------------------------------------------------------- ________________ વિપાકસૂત્ર ૨૭૩ પ્રત્યેક કથાના પ્રારંભમાં સર્વપ્રથમ કથા કહેવાનાં સ્થાનનું નામ, પછી ત્યાંના રાજા-રાણીનું નામ, ત્યારબાદ કથાના મુખ્ય પાત્રનાં સ્થાન વગેરેનો પરિચય આપવાનો રિવાજ પૂર્વપરંપરાથી ચાલ્યો આવે છે. આ રિવાજ અનુસાર પ્રસ્તુત કથાયોજક પ્રારંભમાં આ બધી વાતોનો પરિચય આપે છે. મૃગાપુત્રઃ દુઃખવિપાકની પ્રથમ કથા ચંપા નગરીના પૂર્ણભદ્ર નામક ચેત્યમાં કહેવામાં આવી છે. કથાના મુખ્ય પાત્રનું સ્થાન મિયગ્ગામ-મૃગગ્રામ છે. રાણીનું નામ મૃગાદેવી અને પુત્રનું નામ મૃગાપુત્ર છે. મૃગગ્રામ ચંપાની આજુબાજુ ક્યાંક હોઈ શકે છે. તેની પાસે ચંદનપાદપ નામનું ઉદ્યાન હોવાનો ઉલ્લેખ છે. તે પરથી અનુમાન કરી શકાય કે અહીં ચંદનના વૃક્ષો વધુ થતાં હશે. કથા શરૂ થતાં પૂર્વે ભગવાન મહાવીરની દેશનાનું વર્ણન આવે છે. જ્યાં મહાવીર ઉપદેશ આપે છે ત્યાં લોકોના ટોળાં ને ટોળાં આવવા લાગે છે. આ સમયે એક જન્માંધ પુરુષ પોતાના સાથીની સાથે ક્યાંક જઈ રહ્યો હતો. તે ચારે બાજુ થઈ રહેલા શોરબકોરને જાણીને પોતાના સાથીને પૂછે છે કે આજે અહીં આ શું હલચલ છે? આટલા બધા લોકો કેમ ઉમટી પડ્યા છે? શું ગામમાં ઈન્દ્ર, સ્કંદ, નાગ, મુકુંદ, રુદ્ર, શિવ, કુબેર, યક્ષ, ભૂત, નદી, ગુફા, કૂપ, સરોવર, સમુદ્ર, તળાવ, વૃક્ષ, ચૈત્ય અથવા પર્વતનો ઉત્સવ શરૂ થયો છે? સાથી પાસેથી મહાવીરના આગમનની વાત જાણી એ પણ દેશના સાંભળવા જાય છે. મહાવીરના જયેષ્ઠ શિષ્ય ઇન્દ્રભૂતિ તે જન્માંધ પુરુષને જોઈને ભગવાનને પૂછે છે કે આવો કોઈ અન્ય જન્માંધ પુરુષ છે? છે તો તે ક્યાં છે? ભગવાન ઉત્તર આપે છે કે મૃગગ્રામમાં મૃગાપુત્ર નામે એક જન્માંધ જ નહિ પરંતુ જન્મમૂક અને જન્મબધિર રાજકુમાર છે જે માત્ર માંસપિંડ છે અર્થાતુ જેનાં શરીરમાં હાથ, પગ, આંખો, નાસિકા, કાન વગેરે અવયવો કે ઇન્દ્રિયોની આકૃતિ સુદ્ધાં નથી. આ સાંભળી દ્વાદશાંગવિદ્ અને ચતુનધર ઇન્દ્રભૂતિ કુતૂહલવશ તેને જોવા જાય છે અને ભોંયરામાં છુપાવી રાખેલા માંસપિંડરૂપ મૃગાપુત્રને પ્રત્યક્ષ જુએ છે. અહીં એક વાત વિશેષ જાણવાલાયક છે કે કોઈને એ ખબર ન પડે કે આવો છોકરો રાણી મૃગાદેવીનો છે એટલે તેને ભૂમિગૃહમાં છુપાવી રાખવામાં આવેલો હતો. રાણી પૂર્ણ માતૃવાત્સલ્યથી તેનું પાલન-પોષણ કરતી હતી. જ્યારે ગૌતમ ઇન્દ્રભૂતિ તે છોકરાને જોવા ગયા ત્યારે મૃગાદેવીએ આશ્ચર્યચકિત થઈ ગૌતમને પૂછ્યું કે આપને આ બાળકની જાણ કેવી રીતે થઈ? તેના ઉત્તરમાં ગૌતમે તેને પોતાના ધર્માચાર્ય ભગવાન મહાવીરના જ્ઞાનના અતિશયનો પરિચય કરાવ્યો. મૃગાપુત્રના શરીરમાંથી ખૂબ દુર્ગધ આવતી હતી અને Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ અંગઆગમ તે એટલે સુધી કે મૃગાવતીને પોતાને પણ મોઢા પર કપડું બાંધવું પડ્યું હતું. જ્યારે ગૌતમ તેને જોવા ગયા તો તેમણે પણ મોઢા પર કપડું બાંધવું પડ્યું. મૃગાપુત્રના વર્ણનમાં એક ભયંકર દુઃખી માનવનું ચિત્ર ઉપસ્થિત કરવામાં આવ્યું છે. દુઃખવિપાકનું આ એક રોમાંચકારી દષ્ટાંત છે. ગૌતમે ભગવાન મહાવીરને પૂછ્યું કે મૃગાપુત્રને આવી વેદના થવાનું કારણ શું? ઉત્તરમાં ભગવાને તેના પૂર્વભવની કથા કહી. આ કથા આ પ્રમાણે છે : ભારતવર્ષમાં શદ્વારનગરની પાસે વિજયવર્ધમાન નામે એક ખેટ–મોટું ગામ હતું. આ ગામને અધીન પાંચસો નાના નાના ગામો હતાં. આ ગામમાં એક્કાઈ નામે રાઠોડ–રઉડ–રાષ્ટ્રકૂટ (રાજ દ્વારા નિયુક્ત શાસન-સંચાલક) હતો. તે અતિ અધાર્મિક અને ક્રૂર હતો. તેણે તે ગામો પર અનેક પ્રકારના કરવેરા નાખ્યા હતા. તે લોકોની ન્યાયયુક્ત વાત પણ સાંભળવા માટે તૈયાર ન હતો. તે એકવાર બિમાર પડ્યો. તેને શ્વાસ, કાસ, જ્વર, દાહ, કુક્ષિશૂળ, ભગંદર, હરસ, અજીર્ણ, દષ્ટિશૂળ, મસ્તકશૂળ, અરુચિ, નેત્રવેદના, કર્ણવેદના, કંડૂ, જલોદર અને કુષ્ટ–આ જાતના સોળ રોગો એકીસાથે થયા. ઉપચાર માટે વૈદ્ય, વૈદ્યપુત્ર, જ્ઞાતા, જ્ઞાતાપુત્ર, ચિકિત્સક, ચિકિત્સકપુત્ર વગેરે વિવિધ ઉપચારકો પોતાનાં સાધનો અને ઉપકરણોથી સજ્જ થઈ તેની પાસે આવ્યા. તેઓએ અનેક ઉપાયો કર્યા પરંતુ રાઠોડનો એક પણ રોગ શાંત ન થયો. તે અઢીસો વર્ષની ઉંમરમાં મૃત્યુ પ્રાપ્ત કરી નરકમાં ગયો અને ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી મૃગાપુત્ર થયો. મૃગાપુત્ર ગર્ભમાં આવતાં જ મૃગાદેવી પોતાના પતિને અપ્રિય થવા લાગી. મૃગાદેવીએ ગર્ભનાશના અનેક ઉપાયો કર્યા. તે માટે તેણે અનેક પ્રકારની હાનિકારક ઔષધિઓ પણ લીધી પણ કંઈ પરિણામ ન આવ્યું. અંતે મૃગાપુત્રનો જન્મ થયો. જન્મ થતાં જ મૃગાદેવીએ તેને ગામની બહાર ફેંકાવી દીધો પરંતુ પતિએ સમજાવવાથી ફરી પોતાની પાસે લાવી તેનું પાલન-પોષણ કર્યું. ગૌતમે ભગવાનને પૂછ્યું કે આ મૃગાપુત્ર મરીને ક્યાં જશે? ભગવાને બતાવ્યું કે સિંહ વગેરેના અનેક ભવો ગ્રહણ કર્યા પછી સુપ્રતિષ્ઠપુરમાં ગૌ રૂપે જન્મ લેશે અને ત્યાં ગંગાકિનારે માટીમાં દબાઈ મર્યા પછી તે જનગરમાં એક શેઠનો પુત્ર થશે. ત્યારપછી સૌધર્મ દેવલોકમાં દેવરૂપે જન્મગ્રહણ કરી મહાવિદેહમાં સિદ્ધિ પ્રાપ્ત કરશે. કામધ્વજા અને ઉતિકઃ દ્વિતીય કથાનું સ્થાન વાણિજ્યગ્રામ (વર્તમાન બનિયાગાંવ, જે વૈશાલીની પાસે છે), રાજા મિત્ર અને રાણી શ્રી છે. કથાની મુખ્ય નાયિકા કામઝયા-કામધ્વજા ગણિકા છે. તે ૭૨ કળાઓ, ૬૪ ગણિકા-ગુણો, ૨૮ અન્ય ગુણો, ૨૧ રતિગુણો, ૩૨ Page #309 -------------------------------------------------------------------------- ________________ વિપાકસૂત્ર ૨૭૫ પુરુષોચિત કામોપચારો વગેરેમાં નિપુણ હતી; વિવિધ ભાષાઓ અને લિપિઓમાં કુશળ હતી; સંગીત, નાટ્ય, ગાંધર્વ વગેરે વિદ્યાઓમાં પ્રવીણ હતી. તેના ઘર પર ધ્વજ ફરકતો હતો. તેની ફી એક હજાર મુદ્રાઓની હતી. તેને રાજાએ છત્ર, ચામર વગેરે આપેલ હતાં. આ રીતે તે પ્રતિષ્ઠિત ગણિકા હતી. કામધ્વજા ગણિકાને અધીન હજારો ગણિકાઓ હતી. વિજયમિત્ર નામે એક શેઠનો પુત્ર ઉજિઝતક આ ગણિકા સાથે રહેવા લાગ્યો અને માનવીય કામ-ભોગો ભોગવવા લાગ્યો. આ ઉઝિક પૂર્વભવમાં હસ્તિનાપુરનિવાસી ભીમ નામના કૂટગ્રાહ (પ્રાણીઓને ફંદામાં ફસાવનાર)નો ગોત્રાસ નામક પુત્ર હતો. ઉઝિકનો પિતા વિજયમિત્ર વ્યાપાર માટે વિદેશ રવાના થયો. તે માર્ગમાં લવણસમુદ્રમાં ડૂબી ગયો. તેની ભાર્યા સુભદ્રા પણ આ દુર્ઘટનાના આઘાતથી મૃત્યુ પામી. ઉજિઝતક કામધ્વજા સાથે જ રહેતો હતો. તે પાકો શરાબી, જુગારી, ચોર અને વેશ્યાગામી બની ચૂક્યો હતો. દુર્ભાગ્યવશ એ જ સમયે મિત્ર રાજાની ભાર્યા શ્રીરાણીને યોનિશૂળ રોગ થયો. રાજાએ સંભોગ માટે કામધ્વજાને પોતાની ઉપપત્ની બનાવી તેના નિવાસેથી ઉજિઝતકને કાઢી મૂક્યો. રાજાની મનાઈ હોવા છતાં પણ એકવાર ઉઝિતક કામધ્વજાને ત્યાંથી પકડાઈ ગયો. રાજાના નોકરોએ તેને ખૂબ માર્યો, મારી મારી અધમૂઓ કરી નાખ્યો અને પ્રદર્શન માટે આખા ગામમાં ફેરવ્યો. મહાવીરના શિષ્ય ઇન્દ્રભૂતિએ તેને જોયો અને મહાવીરને પૂછ્યું કે આ ઉઝિક મરીને ક્યાં જશે? મહાવીરે મૃગાપુત્રની મરણોત્તર દુર્ગતિની માફક આની પણ દુર્ગતિ બતાવી અને કહ્યું કે અંતમાં તે મહાવિદેહમાં જન્મ લઈ મુક્ત થશે. ઉઝિતકની વેશ્યાગમનને કારણે આ ગતિ થઈ. અભગ્નસેનઃ ત્રીજી કથામાં અભગ્નસેન નામે ચોરનું વર્ણન છે. તે પૂર્વભવમાં અત્યંત પાપી, માંસાહારી તથા શરાબી હતો. સ્થાનનું નામ પુરિમતાલ (પ્રયાગ) બતાવવામાં આવ્યું છે. આનું ભવિષ્ય પણ મૃગાપુત્રની જેમ જ સમજવું જોઈએ. આ કથામાં ચોરી અને હિંસાના પરિણામોની ચર્ચા છે. શકટ: ચોથી કથા શબ્દનામના યુવાનની છે. આ કથા ઉજિઝતકની કથા સાથે લગભગ મળતી આવે છે. આમાં વેશ્યાનું નામ સુદર્શન તથા નગરીનું નામ સાહંજનીશાખાજની છે. બૃહસ્પતિદત્તઃ પાંચમી કથા બૃહસ્પતિદત્ત નામના પુરોહિત-પુત્રની છે. નગરીનું નામ કૌશામ્બી Page #310 -------------------------------------------------------------------------- ________________ અંગઆગમ (વર્તમાન કોસમ ગામ), રાજાનું નામ શતાનીક, રાણીનું નામ મૃગાવતી, કુમારનું નામ ઉદયન, કુમારવધૂનું નામ પદ્માવતી, પુરોહિતનું નામ સોમદત્ત અને પુરોહિતપુત્રનું નામ બૃહસ્પતિદત્ત છે. બૃહસ્પતિદત્ત પૂર્વજન્મમાં મહેશ્વરદત્ત નામે પુરોહિત હતો. તે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદમાં નિપુણ હતો. પોતાના રાજા જિતશત્રુની શાંતિ માટે તે પ્રતિદિન બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રના એક એક બાળકને પકડાવીને તેમનાં હૃદયના માંસપિંડ વડે શાંતિયજ્ઞ કરતો હતો. અષ્ટમી અને ચતુર્દશીના દિવસે બે બે બાળકોને પકડાવીને શાંતિયજ્ઞ કરતો હતો. એ રીતે ચાર મહિનામાં ચાર ચાર બાળકો, છ મહિનામાં આઠ આઠ બાળકો તથા વર્ષમાં સોળ સોળ બાળકોના હૃદયપિંડો દ્વારા શાંતિયજ્ઞ કરતો હતો. જે સમયે રાજા જિતશત્રુ યુદ્ધમાં જતો તે સમયે તેના વિજય માટે બ્રાહ્મણ વગેરે પ્રત્યેકનાં એકસો આઠ બાળકોના હૃદયપિંડો દ્વારા શાંતિયજ્ઞ કરતો હતો. પરિણામે રાજાનો વિજય થતો. મહેશ્વરદત્ત મરીને પુરોહિત સોમદત્તનો બૃહસ્પતિદત્ત નામે પુત્ર થયો. રાજપુત્ર ઉદયને તેને પોતાનો પુરોહિત બનાવ્યો. આ બંનેના પારસ્પરિક સંબંધને કારણે બૃહસ્પતિદત્ત અંતઃપુરમાં આવવા જવા લાગ્યો. એટલે સુધી કે તે ઉદયનની પત્ની પદ્માવતી સાથે કામક્રીડા કરવા લાગ્યો. જ્યારે ઉદયનને આ વાતની ખબર પડી ત્યારે તેણે બૃહસ્પતિદત્તની ખૂબ દુર્દશા કરી અને અંતે તેને મારી નખાવ્યો. ૨૭૬ આ કથામાં નરમેધ અને શત્રુઘ્ન-યજ્ઞનો નિર્દેશ છે. તે પરથી જણાય છે કે પ્રાચીનકાળમાં નરમેધ યજ્ઞો થતા અને રાજા પોતાની શાંતિ માટે નરહિંસક યજ્ઞો કરાવતા. આનાથી એ પણ જણાય છે કે બ્રાહ્મણો પતિત થઈને કેવાં કુકર્મો કરી શકે છે. નંદિવર્ધન : છઠ્ઠી કથા નંદિવર્ધનની છે. નગરી મથુરા, રાજા શ્રીદામ, રાણી બંધુશ્રી, કુમાર નંદિવર્ધન, અમાત્ય સુબંધુ અને આલંકારિક (વાળંદ) ચિત્ર છે. કુમા૨ નંદિવર્ધન પૂર્વભવમાં દુર્યોધન નામનો જેલર અથવા ફોજદાર હતો. તે અપરાધીઓને ભયંકર યાતનાઓ આપતો. આ યાતનાઓની તુલના નારકીય યાતનાઓ સાથે કરવામાં આવી છે. પ્રસ્તુત કથામાં આ યાતનાઓનું રોમાંચકારી વર્ણન છે. દુર્યોધન મરીને શ્રીદામનો પુત્ર નંદિવર્ધન બને છે. તેને પોતાના પિતાનું રાજ્ય શીઘ્રાતિશીઘ્ર પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય છે. આ ઇચ્છાની પૂર્તિ માટે તે આલંકારિક ચિત્રને હજામત કરાવતી વખતે અસ્ત્રાથી શ્રીદામનું ગળું કાપી નાખવા માટે કહે છે. ચિત્ર આ વાત શ્રીદામને કહી દે છે. શ્રીદામ નંદિવર્ધનને પકડાવીને દુર્દશાપૂર્વક મારી નખાવે છે. નંદિવર્ધનનો જીવ પણ અંતમાં મહાવિદેહમાં સિદ્ધ થશે. Page #311 -------------------------------------------------------------------------- ________________ વિપાકસૂત્ર ઉંબરદત્ત અને ધવંતરિ વૈદ્યઃ સાતમી કથા ઉંબરદત્તની છે. ગામનું નામ પાટલિખંડ, રાજાનું નામ સિદ્ધાર્થ, સાર્થવાહનું નામ સાગરદત્ત, તેની ભાર્યાનું નામ ગંગદત્તા અને તેના પુત્રનું નામ ઉંબરદત્ત છે. ઉંબરદત્ત પૂર્વભવમાં ધવંતરિ નામે વૈદ્ય હતો. ધવંતરિ અષ્ટાંગ આયુર્વેદનો જ્ઞાતા હતો : બાલચિકિત્સા, શાલાક્ય, શલ્ય ચિકિત્સા, કાયચિકિત્સા, વિષચિકિત્સા, ભૂતવિદ્યા, રસાયણ અને વાજીકરણ. તેનાં લઘુહસ્ત, શુભહસ્ત અને શિવહસ્ત વિશેષણો કુશળતાનાં સૂચક હતાં. તે અનેક પ્રકારના રોગીઓની ચિકિત્સા કરતો હતો. શ્રમણો તથા બ્રાહ્મણોની પરિચર્યા કરતો હતો. ઔષધિમાં વિવિધ પ્રકારનાં માંસનો ઉપયોગ કરવાને કારણે ધવંતરિ મરીને નરકમાં ગયો. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને સાગરદત્તનો પુત્ર ઉંબરદત્ત થયો. માતાએ ઉંબરદત્ત નામક યક્ષની માનતા કરવાને કારણે તેનું નામ પણ ઉંબરદત્ત રાખવામાં આવ્યું. તેનો પિતા વહાણ તૂટી જવાને કારણે સમુદ્રમાં ડૂબી મરી ગયો. માતા પણ મૃત્યુ પામી. ઉંબરદત્ત અનાથ થઈ ઘરે ઘરે ભીખ માગવા લાગ્યો. તેને અનેક રોગોએ ઘેરી લીધો. હાથ-પગની આંગળીઓ ખરી ગઈ. આખા શરીરમાંથી લોહી વહેવા લાગ્યું. ઉંબરદત્તને આવી હાલતમાં જોઈને ગૌતમે મહાવીરને પ્રશ્ન કર્યો. મહાવીરે તેના પૂર્વભવ અને આગામી ભવ પર પ્રકાશ પાડ્યો અને બતાવ્યું કે અંતમાં તે મહાવિદેહમાં મુક્ત થશે. શૌરિક માછીમારઃ આઠમી કથા શૌરિક નામના માછીમારની છે. શૌરિક ગળામાં માછલીનો કાંટો ફસાઈ જવાથી તીવ્ર વેદનાથી કરાંજી રહ્યો હતો. તે પૂર્વજન્મમાં કોઈ રાજાનો રસોયો હતો કે જે વિવિધ પ્રકારના પશુ-પક્ષીઓનું માંસ પકાવતો, માંસના વૈવિધ્યથી રાજારાણીને ખુશ રાખતો અને પોતે પણ માંસાહાર કરતો હતો. પરિણામે તે મરીને શૌરિક માછીમાર બન્યો. દેવદત્તા: નવમી કથા દેવદત્તા નામે સ્ત્રીની છે. તે કથા આ પ્રમાણે છે : સિંહસેન નામે રાજપુત્ર એક જ દિવસમાં પાંચસો કન્યાઓ સાથે વિવાહ કર્યા. દહેજમાં ખૂબ સંપત્તિ મળી. આ ભાર્યાઓમાંથી શ્યામા નામે સ્ત્રી પર રાજકુમાર વધુ આસક્ત હતો. બાકીની ૪૯૯ સ્ત્રીઓની તે સહેજ પણ પરવા કરતો નહિ. આ જોઈને ઉપેક્ષિત સ્ત્રીઓની માતાઓએ વિચાર્યું કે શસ્ત્રપ્રયોગ, વિષપ્રયોગ અથવા અગ્નિપ્રયોગ દ્વારા શ્યામાને ખતમ કરી નાખવામાં આવે તો આપણી કન્યાઓ સુખી થઈ જાય. આ વાત કોઈક રીતે શ્યામાને જાણવા મળી. તેણે રાજાને કહી દીધી. રાજાએ તે સ્ત્રીઓ Page #312 -------------------------------------------------------------------------- ________________ અંગઆગમ ૨૦૮ અને તેમની માતાઓને ભોજનના બહાને એક મહેલમાં એકઠી કરી મહેલને આગ લગાવી. બધી સ્ત્રીઓ સળગીને રાખ થઈ ગઈ. હત્યારો રાજા મરીને નરકમાં ગયો. ત્યાંનું આયુષ્ય સમાપ્ત કરી દેવદત્તા નામે સ્રી થયો. દેવદત્તાનો વિવાહ એક રાજપુત્ર સાથે થયો. રાજપુત્ર માતૃભક્ત હતો એથી વધુ સમય માતાની સેવામાં જ વ્યતીત કરતો હતો. પ્રાતઃકાળ ઉઠતાં જ રાજપુત્ર પુષ્પનંદી માતા શ્રીદેવીને પ્રણામ કરતો. ત્યારબાદ તેના શરીરે પોતાના હાથેથી તેલ વગેરેની માલિશ કરી તેને નવરાવતો અને ભોજન કરાવતો. ભોજન કર્યા પછી પોતાના ઓરડામાં તે સૂઈ જતી ત્યારે જ પુષ્પનંદી નિત્યકર્મથી નિવૃત્ત થઈ ભોજન કરતો. આથી દેવદત્તાના આનંદમાં વિઘ્ન થવા લાગ્યું. તે રાજમાતાની જીવનલીલા સમાપ્ત કરવાનો ઉપાય વિચારવા લાગી. એકવાર રાજમાતા મદ્યપાન કરી નિશ્ચિત બની સૂઈ ગઈ હતી ત્યારે દેવદત્તાએ તમ લોહશલાકા તેની ગુદામાં જો૨થી ઘુસાડી દીધી. રાજમાતાનું મૃત્યુ થયું. રાજાને દેવદત્તાના આ કુકર્મની જાણ થઈ ગઈ. તેણે તેને પકડાવી મૃત્યુદંડનો આદેશ આપ્યો. અંજૂ ઃ દસમી કથા અંજૂની છે. સ્થાનનું નામ વર્ધમાનપુર, રાજાનું નામ વિજય, સાર્થવાહનું નામ ધનદેવ, સાર્થવાહની પત્નીનું નામ પ્રિયંગુ અને સાર્થવાહપુત્રીનું નામ અંજૂ છે. અંજૂ પૂર્વભવમાં ગણિકા હતી. ગણિકાનું પાપમય જીવન સમાપ્ત કરી ધનદેવની પુત્રી જન્મી હતી. અંજૂના લગ્ન રાજા વિજય સાથે થયા. પૂર્વકૃત પાપકર્મોને કારણે અંજૂને યોનિથૂળ રોગ થયો. અનેક ઉપચાર કરવા છતાં રોગ શાંત ન થયો. ઉપર્યુક્ત કથામાં ઉલ્લિખિત પાત્રો ઐતિહાસિક છે કે નહિ તે કહી શકાતું નથી. સુખવિપાક : સુખવિપાક નામે દ્વિતીય શ્રુતસ્કંધમાં આવતી દસ કથાઓમાં પુણ્યનાં પરિણામની ચર્ચા છે. જે રીતે દુ:ખવિપાકની કથાઓમાં કોઈ અસત્યભાષીની તથા મહાપરિગ્રહીની કથા નથી આવતી તે જ રીતે સુખવિપાકની કથાઓમાં કોઈ સત્યભાષીની તથા ઐચ્છિક અલ્પ પરિગ્રહીની કથા નથી આવતી. આચારના આ પક્ષનું વિપાકસૂત્રમાં પ્રતિનિધિત્વ ન હોવું અવશ્ય વિચારણીય છે. વિપાકનો વિષય : આ સૂત્રના વિષયસંબંધમાં અચેલક પરંપરાના રાજવાર્તિક, ધવલા, જયધવલા અને અંગપણત્તિમાં બતાવવામાં આવ્યું છે કે આમાં દુઃખ અને સુખના વિપાક અર્થાત્ પરિણામનું વર્ણન છે. સચેલક પરંપરાનાં સમવાયાંગ તથા નંદીસૂત્રમાં પણ આ જ પ્રકારના વિપાકના વિષયનો પરિચય આપવામાં આવ્યો છે. આ રીતે વિપાકસૂત્રના Page #313 -------------------------------------------------------------------------- ________________ વિપાકસૂત્ર ૨૭૯ વિષય બાબતમાં બંને પરંપરાઓમાં કોઈ વૈષમ્ય નથી. નંદી અને સમવાયમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે અસત્ય અને પરિગ્રહવૃત્તિના પરિણામોની પણ આ સૂત્રમાં ચર્ચા કરવામાં આવી છે. ઉપલબ્ધ વિપાકમાં એતદ્વિષયક કોઈ કથા મળતી નથી. અધ્યયન-નામોઃ સ્થાનાંગમાં કર્મ-વિપાક (દુઃખવિપાક)નાં દસ અધ્યયનોનાં નામો આપવામાં આવ્યા છે : મૃગાપુત્ર, ગોત્રાસ, અંડ, શકટ, બ્રાહ્મણ, નંદિષેણ, શૌર્ય, ઉદુંબર, સહસોદાહ-આમરક અને કુમારલિચ્છવી. ઉપલબ્ધ વિપાકમાં મળતા કેટલાંક નામો આ નામોથી જુદાં છે. ગોત્રાસ નામ ઉઝિતકના અન્ય ભવનું નામ છે. અંડ નામ અભગ્નસેન દ્વારા પૂર્વભવમાં કરવામાં આવેલ ઈંડાના વ્યાપારનું સૂચક છે. બ્રાહ્મણ નામનો સંબંધ બૃહસ્પત્તિદત્ત પુરોહિત સાથે છે. મંદિરનું નામ નંદિવર્ધનના નામે પ્રયુક્ત થયું છે. સહસોદાહ-આમરકનો સંબંધરાજાની માતાને તપ્ત શલાકા વડે મારનારી દેવદત્તા સાથે જોડાયેલ જણાય છે. કુમાર લિચ્છવીના સ્થાને ઉપલબ્ધ નામ અંજૂ છે. અંજૂના પોતાના અંતિમ ભાવમાં કોઈ શેઠને ત્યાં પુત્રરૂપે અર્થાત્ કુમારરૂપે જન્મ ગ્રહણ કરવાની ઘટનાનો ઉલ્લેખ આવે છે. સંભવ છે કે આ ઘટનાને ધ્યાનમાં રાખી સ્થાનાંગમાં કુમાર લિચ્છવી નામનો પ્રયોગ કરવામાં આવ્યો છે. લિચ્છવી શબ્દનો સંબંધ લિચ્છવી નામના વંશવિશેષ સાથે છે. વૃત્તિકારે “લેચ્છઈનો અર્થ “લિપ્સ” અર્થાત્ “લાભ પ્રાપ્ત કરવાની વૃત્તિવાળો વણિક કર્યો છે. આ અર્થ બરાબર નથી. અહીં “લેચ્છનો અર્થ લિચ્છવી વંશ જ અભિપ્રેત છે. સ્થાનાંગના આ નામભેદનું કારણ વાચનાંતર માનવામાં આવે તો કોઈ અસંગતિ થશે નહિ. સ્થાનાંગકારે સુખવિપાકનાં દસ અધ્યયનોનાં નામોનો ઉલ્લેખ કર્યો નથી. Page #314 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ દૃષ્ટિવાદ બારમું અંગ દષ્ટિવાદ અનુપલબ્ધ છે આથી તેનો પરિચય કેવી રીતે આપી શકાય? નંદિસૂત્રમાં તેનો સાધારણ પરિચય આપવામાં આવ્યો છે, તે આ પ્રમાણે છે દષ્ટિવાદની વાચનાઓ પરિમિત અર્થાત અનેક છે, અનુયોગદ્વારો સંખેય છે, વેઢ (છંદવિશેષ) સંખેય છે, શ્લોકો સંખેય છે, પ્રતિપત્તિઓ (સમજાવવાનાં સાધનો) સંખેય છે, નિર્યુક્તિઓ સંખ્યય છે, સંગ્રહણીઓ સંખ્યય છે, અંગની અપેક્ષાએ આ બારમું અંગ છે, તેમાં એક શ્રુતસ્કંધ છે, સંખેય સહસ્ર પદો છે, અક્ષરો સંખ્યય છે, ગમો અને પર્યવો અનંત છે. તેમાં ત્રસ અને સ્થાવર જીવો, ધર્માસ્તિકાય વગેરે શાશ્વત પદાર્થો અને ક્રિયાજન્ય પદાર્થોનો પરિચય છે. એ રીતે જિનપ્રણીત સમસ્ત ભાવોનું નિરૂપણ આ બારમા અંગમાં મળે છે. જે મુમુક્ષુ આ અંગમાં બતાવેલી પદ્ધતિ અનુસાર આચરણ કરે છે તે જ્ઞાનના અભેદની અપેક્ષાએ દષ્ટિવાદરૂપ બની જાય છે–તેનો જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે. દષ્ટિવાદના પૂર્વ વગેરે ભવોના વિષયમાં પહેલાં પ્રકાશ પાડવામાં આવેલ છે (પૃ. ૪૪, ૪૮-૫૧). આ બારમું અંગ ભદ્રબાહુના સમયથી જ નષ્ટપ્રાયઃ છે. આથી તેના વિષયમાં સ્પષ્ટરૂપે કંઈ પણ જાણી શકાતું નથી. મલધારી હેમચન્દ્ર પોતાની વિશેષાવશ્યકની વૃત્તિમાં કેટલીક ભાષ્યગાથાઓ “પૂર્વગત’ બતાવી છે. તે સિવાય આના વિશે વિશેષ પરિચય મળતો નથી. Page #315 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ર અચેલક પરંપરાના પ્રાચીન ગ્રંથોમાં સચેલકસંમત અંગાદિગત અવતરણોનો ઉલ્લેખ જે રીતે વર્તમાન અંગસૂત્રો વગેરે આગમો સચેલક પરંપરાને માન્ય છે તે જ રીતે અચેલક પરંપરાને પણ માન્ય રહ્યાં છે, એમ સ્પષ્ટ પ્રતીત થાય છે. અચેલક પરંપરાનાં લઘુ પ્રતિક્રમણ સૂત્રના મૂળ પાઠમાં જ્ઞાતાસૂત્રના ઓગણીસ અધ્યયનો ગણાવ્યાં છે. એ જ રીતે સૂત્રકૃતાંગનાં ત્રેવીસ અને આચારપ્રકલ્પ (આચારાંગ)નાં અઠ્યાવીસ અધ્યયનોનાં નામ આપવામાં આવ્યાં છે. રાજવાર્તિક વગેરે ગ્રંથોમાં પણ અંગવિષયક ઉલ્લેખો મળે છે પરંતુ અમુક સૂત્રમાં આટલાં અધ્યયનો છે એવો ઉલ્લેખ તેમાં મળતો નથી. આ જાતનો સ્પષ્ટ ઉલ્લેખ અચેલક પરંપરાના લઘુ પ્રતિક્રમણ અને સચેલક પરંપરાનાં સ્થાનાંગ, સમવાયાંગ અને નંદિસૂત્રમાં મળે છે. આ રીતનો ઉલ્લેખ અચલક પરંપરાના પ્રસિદ્ધ ગ્રંથ પ્રતિક્રમણગ્રંથત્રયીની આચાર્ય પ્રભાચન્દ્ર કૃત વૃત્તિમાં વિસ્તારપૂર્વક મળે છે, જો કે આ નામો અને સચેલક પરંપરાસંમત નામોમાં ક્યાંક ક્યાંક અંતર છે, જે નગણ્ય છે. જ્ઞાતાસૂત્રનાં ઓગણીસ અધ્યયનોનાં નામો લઘુપ્રતિક્રમણ સૂત્રમાં આ પ્રમાણે ગણાવવામાં આવ્યાં છે : उक्कोडणाग कुम्म अंडय रोहिणि सिस्स तुंब संघादे । मादंगिम ल्लि चंदिन तावद्देवय तिकर तलाय२ किण्णे१३ ॥ १॥ सुसुकेय अवरकंके५ नंदीफल१६ उदगणाहर मंडुक्के१८ । एता य पुंडरीगो९ णाहज्झाणाणि उणवीसं ॥ २ ॥ સચેલક પરંપરામાં આ વિષયની સંગ્રહગાથાઓ આ પ્રમાણે છે :उक्खित्ते' णाए संघाडे अंडे' कुम्मे सेलए' । तुंबे य रोहिणी मल्ली मागंदी चंदिमा० इय ।। १॥ दावद्दवे१ उदगणाए१२ मंडुक्कर३ तेयली४ चेव । नंदिफले५ अवरकंका६ आयन्ने सुंसु८ पुंडरीया'९ ॥ २ ॥ Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ અંગઆગમ આ ગાથાઓ સવૃત્તિક આવશ્યક સૂત્ર (પૃ. ૬૫૩)ના પ્રતિક્રમણાધિકારમાં છે. સૂત્રકૃતાંગના ત્રેવીસ અધ્યયનોનાં નામો પ્રતિક્રમણગ્રંથત્રયીની વૃત્તિમાં આ પ્રમાણે છે : सम ए वेदालिज्जे एत्तो उवरसग्ग इत्थिपरिणामे। णरय तर वीरथु'दी कुसोल परिभासए वीरिए ॥ १ ॥ धम्मो य अग्ग मग्गेर समोवरसर णंतिकाल१३ गंथहिदे। आदा तदित्थगाथा'५ पुंडरीको किरियाठाणेय ॥ २ ॥ आहारय परिमाणे पच्चक्खाण अणगार गुणकित्ति । सुद अत्थ२२ णालंदे२३ सुद्दयउज्झाणाणि तेवीसं ॥ ३ ॥ આ ગાથાઓ સાથે બરાબર મળતો આવતો પાઠ ઉક્ત આવશ્યક સૂત્ર (પૃ. ૬૫૧ તથા ૬૫૮)માં આ પ્રમાણે છે: समए'वेया लीयं उवसग्ग परिण्ण थीप"रिण्णा य । निरयविभत्ती वीरत्थ ओ य कुसीलाणं परिहा सा ॥ १ ॥ वीरिय धम्म समाही मग्ग१ समोसरणं१२ अहतहं३ गंथो । जमईअं५ तह गाहा६ सोलसमं होइ अज्झयणं ॥२॥ पुंडरीय किरियट्ठाणं आहारप९ रिण्ण पच्चक्खा । णाकिरियाय अणगार१ अद्द२२ नालंद सोलसाइं तेवीसं ॥ ३ ॥ અચેલક પરંપરાના ગ્રંથ ભગવતીઆરાધના અથવા મૂલઆરાધનાની અપરાજિતસૂરિકૃત વિજયોદયા નામક વૃત્તિમાં આચારાંગ, દશવૈકાલિક, આવશ્યક, ઉત્તરાધ્યયન અને સૂત્રકૃતાંગના પાઠોનો ઉલ્લેખ કરી અહીં તહીં કેટલીક ચર્ચા કરવામાં આવી છે. તેમાં નિષેધsfi૩મ્' (પૃ. ૬૧૨) તેમ કહીને નિશીથસૂત્રનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલું જ નહિ, ભગવતીઆરાધનાની અનેક ગાથાઓ સચેલક પરંપરાના પન્ના–પ્રકીર્ણક વગેરે ગ્રંથોમાં અક્ષરશઃ મળે છે. આનાથી સ્પષ્ટ જણાઈ આવે છે કે પ્રાચીન સમયમાં અચેલક પરંપરા અને સચેલક પરંપરા વચ્ચે ઘણો સારો સંપર્ક હતો. તેમને એકબીજાનાં શાસ્ત્રોનું જ્ઞાન પણ હતું. તત્ત્વાર્થસૂત્રના “વિનયતિપુ વિરમઃ' (૪. ૨૬)ની વ્યાખ્યા કરતાં રાજવાર્તિકકાર ભટ્ટાકલંકે “પર્વ દિ વ્યાધ્યાપ્રજ્ઞસવંદપુ ૩$P એમ કહીને વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અર્થાત ભગવતીસૂત્રનો સ્પષ્ટ ૧. ઉદાહરણ માટે જુઓ–પૃ. ૨૭૭, ૩૦૭, ૩૫૩, ૬૦૯, ૬૧૧. Page #317 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ૨૮૩ ઉલ્લેખ કર્યો છે તેમ જ તેને પ્રમાણરૂપે સ્વીકાર્યું છે. ભટ્ટાકલંક નિર્દિષ્ટ આ વિષય વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના ૨૪મા શતકના ૨૨મા ઉદ્દેશકના ૧૬મા તેમ જ ૧૭મા પ્રશ્નોત્તરમાં મળે છે. ધવલાકાર વીરસેન ‘તોળો વાપવિટ્ટિો ત્તિ નિયાદપળત્તિવયળાવો’ (ષટ્ખંડાગમ, ૩, પૃ. ૩૫) એમ કહીને વ્યાખ્યાપ્રજ્ઞપ્તિનો પ્રમાણરૂપે ઉલ્લેખ કરે છે. આ વિષય વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના પ્રથમ શતકના છઠ્ઠા ઉદ્દેશકના ૨૨૪મા પ્રશ્નોત્તરમાં મળે છે. એ જ રીતે દશવૈકાલિક, અનુયોગદ્વાર, સ્થાનાંગ અને વિશેષાવશ્યકભાષ્ય સંબંધી અનેક સંદર્ભો અને અવતરણો ધવલા ટીકામાં મળે છે. આ વિશે વધુ જાણકારી તે તે ભાગના પરિશિષ્ટો જોવાથી મળી શકે છે. અચેલક પરંપરાના મૂલાચાર ગ્રંથના ષડાવશ્યકના સપ્તમ અધિકારમાં આવતી ૧૯૨મી ગાથાની વૃત્તિમાં આચાર્ય વસુનંદી સ્પષ્ટ લખે છે કે આ વિષયની વધુ જાણકારી આચારાંગમાંથી કરી લેવી જોઈએ ઃ આવારાકાત્ મતિ જ્ઞાતવ્યઃ । આ આચારાંગસૂત્ર તે જ છે જે વર્તમાન સમયમાં સચેલક પરંપરામાં વિદ્યમાન છે. મૂલાચારમાં એવી અનેક ગાથાઓ છે જે આવશ્યકનિર્યુક્તિની ગાથાઓ સાથે ઘણી મળતી આવે છે. તેમની વ્યાખ્યામાં પાછળથી થયેલ સંકુચિત પરંપરાભેદ અથવા પરસ્પર સંપર્કના અભાવને કારણે કેટલુંક અંતર જરૂર જણાય છે. આ રીતે અચેલક પરંપરાની સાહિત્યસામગ્રી જોવાથી સ્પષ્ટ માલૂમ પડે છે કે આ પરંપરામાં પણ અંગ વગેરે આગમોને સુપ્રતિષ્ઠિત સ્થાન મળેલું છે. આગ્રહનો અતિરેક થતાં વિપરીત પરિસ્થિતિનો જન્મ થયો અને પરસ્પરના સંપર્ક તથા સ્નેહનો હ્રાસ થતો ગયો. Page #318 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ આગમોનું પ્રકાશન અને સંશોધન એક સમય એવો હતો જ્યારે ધર્મગ્રંથો લખવાનો રિવાજ ન હતો. તે કાળે ધર્મપરાયણ આત્માર્થી લોકો ધર્મગ્રંથો કંઠસ્થ કરીને સુરક્ષિત રાખતા અને ઉપદેશ વડે તેમનો યથાશક્ય પ્રચાર કરવાનો પ્રયત્ન કરતા. શારીરિક અને સામાજિક પરિસ્થિતિમાં પરિવર્તન થતાં જૈન નિગ્રંથોએ અપવાદનો આશ્રય લઈને પણ આગમાદિ ગ્રંથોને તાડપત્ર વગેરે પર લિપિબદ્ધ કર્યા. આ રીતે લિખિત સાહિત્યની સુરક્ષા માટે ભારતમાં જૈનોએ જે પ્રયત્ન, પરિશ્રમ અને અર્થવ્યય કર્યો છે તે અજોડ છે. આવું હોવા છતાં પણ હસ્તલિખિત ગ્રંથો દ્વારા અધ્યયન-અધ્યાપન તથા પ્રચારકાર્ય જેટલું થવું જોઈએ તેટલું નથી થઈ શકતું. મુદ્રણયુગનો પ્રાદુર્ભાવ થતાં પ્રત્યેક ધર્મના આચાર્યો અને ગૃહસ્થો સાવધાન બન્યા અને પોતપોતાનું ધર્મસાહિત્ય છપાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તિબેટી પંડિતોએ મુદ્રણકળાનો આશ્રય લઈ પ્રાચીન સાહિત્યની સુરક્ષા કરી. વૈદિકો અને બૌદ્ધ લોકોએ પણ પોતપોતાના ધર્મગ્રંથો છપાવીને પ્રકાશિત કર્યા. જૈનાચાર્યો અને જૈન ગૃહસ્થોએ પોતાના આગમગ્રંથો પ્રકાશિત કરવાનો તે સમયે કોઈ પ્રયત્ન ન કર્યો. તેઓએ આગમપ્રકાશનમાં અનેક પ્રકારના ધાર્મિક વિઘ્નો જોયાં. કોઈ કહેતું કે છાપવાથી તો આગમોની આશાતના અર્થાતુ અપમાન થવા લાગશે. કોઈ કહેતું કે છાપવાથી તે સાહિત્ય ગમે તેના હાથમાં પહોંચશે જેથી તેનો દુરુપયોગ પણ થવા લાગશે. કોઈ કહેતું કે છાપવામાં આરંભ-સમારંભ હોવાને કારણે પાપ લાગશે. કોઈ કહેતું કે છાપવાથી તો શ્રાવકો પણ આગમ વાંચવા લાગશે જે ઉચિત નથી. આ રીતે વિવિધ દૃષ્ટિએ સમાજમાં આગમોના પ્રકાશન વિરુદ્ધ વાતાવરણ ઊભું થયું. આવું થવા છતાં પણ કેટલાક સાહસી અને પ્રગતિશીલ જૈન આગેવાનોએ આગમસાહિત્યના પ્રકાશનનો પ્રારંભ કર્યો. તે માટે તેમણે પરંપરાગત અનેક રૂઢિઓનો ભંગ કરવો પડ્યો. અજીમગંજ, બંગાળના બાબુ ધનપતિસિંહજીને આગમો મુદ્રિત કરવાનો વિચાર સહુપ્રથમ આવ્યો. તેમણે સમસ્ત આગમો ટબા સાથે પ્રકાશિત કર્યા. એમ સાંભળવામાં આવે છે કે તેમની પછી શ્રી વીરચંદ રાઘવજીને પ્રથમ સર્વધર્મ પરિષદમાં શિકાગો મોકલનારા વિજયાનંદસૂરિજીએ પણ આગમપ્રકાશનને ટેકો આપ્યો અને આ કાર્ય કરનારાઓને પ્રોત્સાહિત કર્યા. શેઠ ભીમસિંહ માણેકે પણ આગમપ્રકાશનની પ્રવૃત્તિ શરૂ કરી અને ટીકા તથા અનુવાદ સાથે એકાદ બે આગમો પ્રકાશિત કર્યા. વિદેશમાં Page #319 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ જર્મન વિદ્વાનોએ ‘સેક્રેડ બુક્સ ઓફ ધ ઈસ્ટ' ગ્રંથમાળા અંતર્ગત તથા અન્યરૂપે આચારાંગ, સૂત્રકૃતાંગ, નિશીથ, કલ્પસૂત્ર, ઉત્તરાધ્યયન વગેરે મૂળ અથવા અનુવાદરૂપે પ્રકાશિત કર્યાં. સ્થાનકવાસી પરંપરાના જીવરાજ ઘેલાભાઈ નામે ગૃહસ્થે જર્મન વિદ્વાનો દ્વારા મુદ્રિત રોમન લિપિના આગમો નાગરી લિપિમાં પ્રકાશિત કરાવ્યાં. તે પછી સ્વ. આનંદસાગરસૂરિજીએ આગમોદય સમિતિની સ્થાપના કરી એક પછી એક તમામ આગમો પ્રકાશિત કર્યાં. સૂરિજીનો પુરુષાર્થ અને પરિશ્રમ અભિનંદનીય હોવા છતાં પણ સાધનોની અલ્પતા અને સહયોગના અભાવને કારણે આ કામ જેટલું સારું થવું જોઈએ તેટલું સારું થયું નહિ. તે દરમિયાન પ્રસ્તુત લેખકે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ— ભગવતીસૂત્રના બે મોટા મોટા ભાગો મૂળ, ટીકા, અનુવાદ (મૂળ અને ટીકા બંનેનો) તથા ટિપ્પણીઓ સહિત શ્રી જિનાગમ પ્રકાશન સભાની સહાયતાથી પ્રકાશિત કર્યા. આ પ્રકાશનને કારણે જૈન સમાજમાં ભારે ઉહાપોહ થયો. ત્યારબાદ જૈન સંઘના અગ્રણી કુંવરજીભાઈ આણંદજીની અધ્યક્ષતામાં ચાલતી જૈન ધર્મ પ્રસારક સભાએ પણ કેટલાંક આગમોનું અનુવાદ સાથે પ્રકાશન કર્યું. આ રીતે આગમપ્રકાશનનો માર્ગ પ્રશસ્ત થતો ચાલ્યો. હવે તો ક્યાંય વિરોધનું નામ પણ દેખાતું નથી. આ બાજુ સ્થાનકવાસી મુનિ અમોલક ઋષિજીએ પણ હૈદરાબાદના એક જૈન આગેવાનની સહાયથી ૩૨ આગમો હિંદી અનુવાદ સાથે પ્રકાશિત કર્યાં. ઋષિજીએ આ માટે અત્યંત શ્રમ કર્યો જે પ્રશંસનીય છે, પરંતુ સંશોધનની ખામીના કારણે આ પ્રકાશનમાં અનેક સ્થળે ત્રુટિઓ રહી ગઈ છે. હવે તો તેરાપંથી મુનિઓ પણ આ કામમાં રસ લેવા લાગ્યા છે. પંજાબી મુનિ સ્વ. આત્મારામજી મહારાજે પણ અનુવાદસહિત કેટલાક આગમોનું પ્રકાશન કર્યું છે. મુનિ ફૂલચંદજી ‘ભિક્ષુ’એ ૩૨ આગમો બે ભાગમાં પ્રકાશિત કર્યાં છે. તેમાં ભિક્ષુજીએ અનેક પાઠો બદલી નાખ્યા છે. વયોવૃદ્ધ મુનિ ઘાસીલાલજીએ પણ આગમ-પ્રકાશનનું કાર્ય કર્યું છે. તેઓએ જૈન પરંપરાના આચાર-વિચારને બરાબર નહિ જાણનારા બ્રાહ્મણ પંડિતો દ્વારા આગમો પર વિવેચનો લખાવ્યાં છે. આથી તેમાં ઘણી અવ્યવસ્થા થઈ છે. ૨૮૫ આ તરફ આગમપ્રભાકર મુનિ પુણ્યવિજયજીએ આગમોના પ્રકાશનનું કાર્ય પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટીના નેજા નીચે શરૂ કર્યું છે. આ પ્રકાશન આધુનિક શૈલીએ ક૨વામાં આવશે. આમાં મૂળ પાઠ, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ તેમ જ વૃત્તિનો યથાવસર સમાવેશ કરવામાં આવશે. આવશ્યકતા અનુસાર પાઠાંતરો પણ આપવામાં આવશે. વિષયસૂચિ, શબ્દાનુક્રમણિકા, પરિશિષ્ટ, પ્રસ્તાવના વગેરે પણ રહેશે. આ રીતે આ પ્રકાશન નિઃશંકપણે આધુનિક પદ્ધતિનું એક શ્રેષ્ઠ પ્રકાશન બનશે તેવી અપેક્ષા અને આશા છે. મહાવીર જૈન વિદ્યાલય પણ મૂળ આગમોના પ્રકાશન માટે પ્રયત્નશીલ છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ Page #321 -------------------------------------------------------------------------- ________________ શબ્દ અંકકિલિપ અંકલેશ્વર અંકુલેશ્વર અંકુલેસર અંકુશ અંગ અંગપણત્તિ અંગસૂત્ર અંગિરસ અંગુતરનિકાય અંગુષ્ઠપ્રશ્ન અંગોછા અંજૂ અંડ ૮૫, ૮૮, ૯૦, ૧૦૦, ૧૦૯, ૧૭૧, ૨૭૮ ૧૪૧ અંગપૂંછ અંગપ્રવિષ્ટ ૬૪, ૭૯, ૮૧, ૨૧૫ અંગબાહ્ય ૬૪, ૮૧, ૮૨, ૨૧૫ અંગિરસ ૬૯ અંગરૂપ ८० અંગવિદ્યા ૨૦૨ ૧૦૬, ૧૨૫, ૨૧૧ ૬૯ ૧૭૩, ૨૧૪ ૨૬૭, ૨૭૧ ૧૪૧ ૨૭૮, ૨૭૯ ૨૪૯, ૨૭૯ ૧૮૦ ૧૮૦ ૮૦, ૯૧ ૮૭, ૯૧, ૯૨,૨૬૦ અંડકડ અંડકૃત અંતકૃત અંતકૃતદશા અ શબ્દાનુક્રમણિકા પૃષ્ઠ ૨૧૮, ૨૧૯ ૬૨ ૬૨ ૬૨ ૨૫૦ ૮૦, ૮૧, ૮૨, ૮૮, ૧૧૪, ૧૧૫, ૨૨૧ શબ્દ અંતકૃદ્દશમ્ અંતકૃદ્દશા અંતગડદસા અંતયડદસા અંતર અંતકુંડી અંધકવૃષ્ણિ અંબઇ અકર્મવીર્ય અલંક અકલ્પ્ય અકસ્માત અકસ્માતદંડ અક્રિયાવાદ અક્રિયાવાદી અક્ષર અક્ષરપૃષ્ઠિકા અક્ષરશ્રુત અક્ષોભ અગમિક અગહ અગસ્ત્યસિંહ અગ્નિ અગ્નિકાય પૃષ્ઠ ૮૮, ૮૯ ૮૫, ૮૭, ૮૮, ૮૯, ૯૫, ૯૭, ૨૨૦, ૨૫૯, ૨૬૦ ૮૯, ૯૧, ૨૫૯ ८८ ૨૪૪, ૨૪૫ ૨૪૭ ૨૬૦ ૧૩૨ ૧૯૦ ૮૫, ૮૮, ૨૨૩ ૧૭૧, ૧૭૨ ૧૪૪, ૧૪૫ ૨૦૦, ૨૦૨ ૮૮, ૧૯૨ ૧૩૭, ૧૪૪,’ ૧૭૦, ૧૯૩, ૨૪૬ ૨૧૯ ૨૧૮ ૬૪, ૬૫, ૬૭ ૨૬૦ ૬૪, ૭૯, ૮૦ ૨૩૦ ૧૦૦ ૨૨૫, ૨૪૩ ૨૩૯ Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ અંગઆગમ શબ્દ શબ્દ પૃષ્ઠ અગ્નિપ્રયોગ ૨૭૭ અણુવસુ ૧૪૮ અગ્નિવેશ્યાયન ૨૩૯ અણુવ્રત ૧૮૩, ૨૫૧ અગ્નિહોત્રીય ૨૩૫ અતિથિ ૧૫૭ અગ્નિહોમવાદી ૧૯૦ અતિમુક્ત ૨૬૩ અગ્ર ૧૭૧ અતિમુક્તક ૨૬૧, ૨૬૫ અગ્રપિંડ ૧૫૭ અWિકાય ૧૪૬ અઝબીજ ૨૦૨ અથર્વવેદ ૨૫૦, ૨૭૬ અગ્રાયણ ૯૮ અદંતધાવન ૨૩૧ અગ્રાયણીય ૮૮, ૯૬, ૯૮ અદત્તાદાન ૧૯૧ અચેલક ૬૧, ૬૨, ૮૪, ૮૫, ૮૬, અદત્તાદાનપ્રત્યયદંડ ૨૦૦, ૨૦૧ ૮૮, ૯૩, ૧૦૨, ૧૦૯ અદાગપ્રશ્ન ૨૬૭ અચલકતા ૯૯,૧૦૦, ૧૦૯, ૧૧૨, અધર્મક્રિયાસ્થાન ૨૦૦ ૧૧૩, ૧પર, ૨૭૮, ૨૮૧ અધર્માસ્તિકાય ૨૪૩ અચૌર્ય ૨૭૧ અધ્યવસાય ૧૦૫, ૨૪૫ અશ્રુત ૨૨૭, ૨૨૮ અધ્યાત્મપ્રત્યયદંડ ૨૦૦, ૨૦૧ અછત્ર ૨૩૧ અનંગ ૮૧, ૮૨ અછિદ્ર ૨૩૯ અનંગપ્રવિષ્ટ ૬૪, ૭૯ અજમાર્ગ ૧૯૨ અનંગસેના ૨૬૦ અજિતકેશકુંબલ ૧૯૯ અનંતજ્ઞાની ૧૫૩, ૧૮૮ અજીમગંજ ૨૮૪ અનંતચક્ષુ ૧૮૯ અજીર્ણ ૨૭૪ અનંતદર્શી ૧૮૯, ૧૯૮ અંજીવ ૧૭૦, ૨૨૯ અનંતશ્રુત ૬૪, ૭૩ અજ્ઞાન ૨૪૫ અનફરશ્રુત ૬૪, ૬૫, ૬૬, ૬૭ અજ્ઞાનવાદ ૮૮, ૧૭૫ અનગાર ૨૪૧, ૨૪૨ અજ્ઞાનવાદી ૧૩૭, ૧૭૦, ૧૯૩, અનગારગુણકીર્તિ ૧૭૧ ૨૪૬ અનગારશ્રુત ૧૯૮, ૨૦૪ અજ્ઞેયવાદ ૧૭૫ અનર્થદંડ ૨૦૦, ૨૦૨ અણગાર ૧૩૮ અનવદ્યા ૧૬૫ અણારિયા ૧૪૭ અનવદ્યાગી ૧૬૫ અણુત્તરોવવાયદસા અનાત્મવાદ ૧૯૯ ૯૨. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૭૬ 0 શબ્દાનુક્રમણિકા ૨૮૯ શબ્દ પૃષ્ઠ શબ્દ પૃષ્ઠ અનાત્મવાદી ૧૩૭ અપરિગ્રહ ૨૭૧ અનાથપિડિક ૧૩૦ અપર્યવસિત ૬૪, ૭૩ અનાદિક ૭૩ અપાન ૧૦૫ અનાદિકશ્રુત ૬૪ અપૌરુષેય ૭૪, ૭૫ અનારંભ ૧૮૧ અપ્રામાણ્ય અનાર્ય ૧૪૭, ૨૬૯ અબ્રહ્મચર્ય ૧૯૧, ૨૬૯, ૨૭૦ અનાર્યદશ ૨૦પ અગ્નિસેન ૨૭૫, ૨૭૯ અનુત્તર ૨૬૪ અભયકુમાર ૨૦૫, ૨૬૫ અનુત્તરવિમાન ૯૨, ૨૧૫, ૨૬૪ અભયદેવ ૬૨, ૬૩, ૯૦, અનુત્તરોપપાતિકદશમ્ ૮૫, ૮૮, ૮૯ ૧૭૪, ૨૧૧, ૨૧૨, અનુત્તરોપપાતિકદશા ૮૯, ૯૨ ૨૨૨,૨૬૮ અનુત્તરૌપપાતિક ૮૦, ૨૨૦ અભવસિદ્ધિક ૨૪૬ અનુત્તરૌપપાતિકદશા ૮૫, ૮૭, ૮૮, અભવ્ય ૨૪૫ ૯૨, ૯૫, ૯૭, અભિધર્મકોશ ૧૮૮ - ૨૬૪, ૨૬૫ અભિધાનચિંતામણિ ૧૭૯ અનુપાનહતા ૨૩૧ અભિનય ૧૦૫ અનુબંધ ૨૪૫ અત્યંગ ૧૬૧ અનુયોગગત ૯૩ અમરકોશ ૧૭૯, ૧૮૯ અનુયોગદ્વાર ૫૮, ૨૮૩ અમોલકઋષિ ૨૮૫ અનુયોગદ્વારવૃત્તિ ૧૦૦ અલ અનેકવાદી ૧૯૩ અયોગવ ૧૩૨ અનેકાંતવાદ અરબી ૨૧૯, ૨૩૭ અન્નઉન્થિયા ૧૦૪ અરિષ્ટનેમિ ૨૬૧, ૨૬૨ અન્યતીર્થિક ૨૨૪, ૨૪૩ અરુચિ ૨૭૪ અન્યમૂર્થિક ૧૦૪, ૧૭૦ અરુણમહાસાલ અન્યલિંગસિદ્ધ ૬૮ અર્જુન ૨૩૯ અન્યોન્યક્રિયા ૧૨૦, ૧૨૧ અર્જુનમાળી ૨૬૨, ૨૬૩ અપમાન ૧૮૪ અર્થ ૧૭૧ અપરાજિત ૨૬૪ અર્થદંડ ૨૦૦ અપરાજિતસૂરિ ૮૬, ૨૮૪ અર્થપદ ૧૦૦ ૨૬૦ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ અંગઆગમ ૬૯ ૧૩૬ શબ્દ પૃષ્ઠ શબ્દ પૃષ્ઠ અર્ધમાગધી ૧૦૩, ૨૩૭ અશાંત રાજય ૧૬૧ અર્વત્ ૭૦, ૧૬૬ અશોક ૧૭૩, ૨૧૮, ૨૧૯ અહિંદુ પાર્શ્વ ७८ અશ્વામિત્ર ૨૧૩ અહઋષિ અષાઢ ૨૧૩, ૨૪૪ અલંકારશાળા ૧૦૫ અષ્ટમભક્ત અલ્પપરિગ્રહી ૨૭૮ અષ્ટમી ૨૭૬ અલ્પબદુત્વ ૨૪૫ અષ્ટાંગનિમિત્ત ૨૦૨ અલ્પવયસ્કરાજય ૧૬૧ અષ્ટાંગમહાનિમિત્ત અલ્પવસ્ત્રધારી ૧૧૩ અસંજ્ઞી પંચેન્દ્રિય ૨૪૬ અલ્પવૃષ્ટિ ૨૨૧ અસત્ય ૧૦૫, ૨૪૪, ૨૬૮, ૨૬૯ અવગ્રહ ૧૫૨, ૧૬૩ અસત્યભાષક ૨૬૮ અવગ્રહપ્રતિમા ૧૧૨ અસત્યભાષી ૨૭૮ અવગ્રહૈષણા ૧૨૦, ૧૨૧, ૧૬૩ અસત્ય વચન ૧૯૧ અવચૂરિકા ૨૪૭ અસમનોજ્ઞ ૧૪૦ અવતારવાદ ૧૮૧ અસિતદેવલ ૬૮, ૬૯ અવધિજ્ઞાન ૬૩, ૧૫૩, ૨૫૭ અસુર ૨૪૧ અવધૂત ૧૧૭ અસુરકુમાર ૨૨૪ અવંધ્ય ૯૬, ૯૮ અસુરકુમારેન્દ્ર ૨૨૪ અવરકંકા ૨૫૩ અસ્તિકાય ૧૪૬, ૨૪૩ અવશ્યાન ૧૬૦ અસ્તિનાસ્તિપ્રવાદ ૮૮, ૯૬, ૯૮ અવસર્પિણી ૨૪૪ અસ્તેય ૨૭૧ અવસ્ત્ર - ૭૮ અસ્થિબહુલ ૧૬૦ અવિરુદ્ધ ૨૫૩ અસ્નાન ૧૮૪, ૨૩૧ અવેસ્તા ૫૮, ૭૩, ૭૪, ૧૩૪, અસ્પષ્ટતા ૧૭૧ ૧૪૮, ૧૪૯ અસ્યાદ્વાદ ૧૬ અવેસ્તા-ગાથા ૭૪, ૭૫ અહલ્યા ૨૭૦ અવ્યાકૃત ૧૦૫ અહિંસા ૧૦૫, ૧૩૦, ૨૪૪, અવ્યાબાધ ૨૪૪ ૨૬૮, ૨૬૯ અબ્રાબાહ ૨૪૪ અહિંસાધર્મ ૧૧૬ અશન ૧પ૬ અહિત્રિકા ૨૭૦ Page #325 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૨૯૧ ૫. ૧૨૨ શબ્દ શબ્દ પૃષ્ઠ આ આચારાંગ પ૯, ૬૦, ૭૦, ૮૦, આઇષ્ણ ૧૧૪, ૧૧૫, ૧૧૯, ૨૫૪ ૮૫, ૮૭, ૯૧, ૯૭, ૧૦૦, ૧૦૧, આંધ્રપ્રદેશ ૬૨ ૧૦૨, ૧૦૩, ૧૦૪, ૧૦૬, ૧૦૯, આકર ૧૫૮ ૧૧૦, ૧૧૧, ૧૨૨, ૧૨૩, ૧૨૯, આકરમહ ૧૫૭ ૧૩૦, ૧૩૩, ૧૩૬, ૧૩૭, ૧૩૯, આકર્ષ ૨૪૫ ૧૪૦, ૧૪૧, ૧૪૩, ૧૫૦, ૧૫૧, આકાશ, ૨૨૯, ૨૪૪ ૧૫૨, ૧૫૬, ૧૬પટિ., ૧૭૩, ૧૮૨, આકાશમાર્ગ ૧૯૨ ૧૯૫, ૨૮૧, ૨૮૨, ૨૮૩, ૨૮૫ આકાશાસ્તિકાય ૨૪૩ આચારાંગનિર્યુક્તિ ૧૦૩, ૧૧૫, આગમ - ૫૯ આગમ-ગ્રન્થ ૬૦. આચારાંગનિર્યુક્તિકાર ૯૯ આગમ-પ્રકાશન ૨૮૪ આચારાંગવૃત્તિ ૭૧, ૧૦૦, આગમપ્રભાકર ૨૮૫ ૧૦૨, ૧૨૨, ૧૪૬ આગમોદય સમિતિ ૬૯, ૨૮૫ આચારાંગવૃત્તિકાર ૯૯, ૧૪૫ આગર ૧૧૪, ૧૧૫ આચારાગ્ર ૧૧૧, ૧૨૦, આગાલ ૧૧૪, ૧૧૫ ૧૨૩ આચરિત ૧૧૯ આચાર્યભાષિત ૨૬૭ આચામ્સ ૧૬૦ આચાલ ૧૧૪, ૧૧૫ આચાર ૮૦, ૮૯, ૯૧, ૧૧૫, આશીર્ણ ૧૧૯ ૧૧૯ આજગ્ય ૨૫૪ આચારકલ્પ ૧૨૦ આજન્ય ૨૫૪ આચાર ચૂલિકા ૧૧૨, ૧૨૦ આજાતિ ૧૧૪, ૧૧૫ આચારદશા ૧૧૫ આજીવક ૨૦૬, ૨૬૯ આચારપાહુડ ८४ આજીવન બ્રહ્મચર્ય ૧૮૪ આચારપ્રકલ્પ ૧૨૦, ૧૫૬, આજીવિક ૧૦૪, ૧૩૮, ૨૮૧ ૧૫૭, ૧૭૩, ૧૭૪, ૧૮૪, ૨૨૭, આચારપ્રણાલી ૧૦૫ ૨૨૮, ૨૩૮ આચારશ્રુત ૧૯૮, ૨૦૪ આતુર ૧૪૫ આત્મપ્રવાદ ૮૮, ૯૬, ૯૮ આત્મવાદી ૧૪૪ Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ અંગઆગમ ૮૯ શબ્દ પૃષ્ઠ શબ્દ પૃષ્ઠ આત્મષષ્ઠવાદી ૧૯૮, ૧૯૯ આયારે આત્મા ૧૩૭, ૨૩૨, ૨૬૯ આયારો ૮૯ આત્મારામજી ૨૮૫ આયાવાઈ ૧૪૩ આત્મોપનિષદૂ ૧૩૭ ટિ. આયુર્વેદ ૨૭૭ આદર્શલિપિ ૨૧૮, ૨૧૯ આયુષ્ય ૧૦૫, ૨૪૫ આદાન ૧૯૧, ૧૯૬ આરંભ ૧૧૧, ૨૨૬ આદાનીય આરણ્યક ૭૭, ૧૦૧ આધત્તધિજ્જ ૧૯૫ આરનાલ ૧૬૦ આનંદ ૨૫૫, ૨૫૭, ૨૬૫ આરિય ૧૪૭ આનંદઘન ૭૧, ૧૨૯ આરિયાયણ ૬૯ આનંદ શ્રાવક ૨પ૬, ૨૫૭ આરોપ્પ ૧૭૯ આનંદસાગરસૂરિ ૨૮૫ આરોપ્ય ૧૭૯ આન્દોલનમાર્ગ ૧૯૨ આર્જવ ૧૩૦ આભિયોગિક ૨ ૨૮ આર્દ્ર ૨૦૫ આભૂષણ ૧૬૧ આર્તકીય ૧૭૯, ૧૯૮, ૨૦૫ આમગંધ ૧૪૯, ૧૫૦ આર્દ્રકુમાર ૧૭૯, ૨૦૫ આમગંધ સુત્ત ૧૨૩ આદ્રપુર ૨૦૫ આમરક ૨૭૯ આર્ય . ૧૪૭ આમલી ૨૪૨ આર્યવેદ ૧૫૧ આમોક્ષ ૧૧૪, ૧૧૫ આર્યા ૧૨૩ આમ્રપાનક ૧૬૦ આર્ષપ્રાકૃત ૧૦૩ આયતચક્ષુષ ૧૪૭ આહત પ્રવચન ૬૮ આયતન ૨૬૯ આહંતમત ૨૦૬ આયયચખુ ૧૪૭ આલંકારિક સભા ૨૪૯, ૨૫૨ આયરિસ ૧૧૪, ૧૧૫ આલંભ ૧૧૧ આયામ ૧૬૦ આલુઆ ૨૩૨ આયાર ૯૧, ૧૧૪, ૧૧૫ આલુક ૨૩૨ આયારઅંગ ૧૧૫ આલૂ ૨૩૨ આયારંગ ૧૧૫ આનંતિ ૧૧૫, ૧૧૭ આયારગોયર ૧૧૦ આવશ્યક ૫૮, ૨૧૫, ૨૮૨ Page #327 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૨૯૩ ૧૪૧ શબ્દ શબ્દ પૃષ્ઠક આવશ્યકચૂર્ણિ ૧૨૬, ર૩૯, ઇસ્લાક ૧૩૧ ૨પર ઈશ્વાકુકુલ ૧૫૭, ૨૪૫ આવશ્યક-નિર્યુક્તિ ૬૪, ૨૮૩ ઈસિગુત્ત ૨૧૨ આવશ્યકવૃત્તિ ૬૪, ૬૬, ૧૭૧ આવશ્યકવ્યતિરિક્ત ૨૧૫ ઈર્યા ૧૧૪ આવશ્યકસૂત્ર ૨૮૨ ઈર્યાપથ ૧૬૧ આશીર્વાદ ૧૯૬ ઈર્યાપથિકી ૨૪૩ આશુપ્રજ્ઞ ૧૪૭, ૧૮૮ ઈર્યાશદ્ધિ ૧૧૦ આશ્રમ ૧૫૮ ઈર્યેષણા ૧૨૦, ૧૨૧ આસક્તિ ૨૭૦ ઈશાદ્યષ્ટોત્તરશતોપનિષદ્ આસાસ ૧૧૪, ૧૧૫ ઈશાનેન્દ્ર ૨૪૮ આસિતદેવલ ૧૮૫ ઈશ્વર ૧૮૧ આસુપત્ર ૧૪૭, ૧૮૮ ઈશ્વરકારણવાદી ૧૯૯ આસ્તિક્ય ૭૩ ઈશ્વરકૃત ૨૬૯ આસ્ફાલનસુખ ૧૭૧ ઈશ્વરવાદી ૧૯૮ આસ્વ. ૧૫૦, ૧૫૧, ૧૭૦, ઈશ્વરાદિકર્તુત્વ ૨૨૭ ૧૭૨, ૨૬૮, ૨૭૦, ઇસિગુત્ત ૨૧૨ આહત્તહિય ૧૯૫ આહાર ૧૦૫, ૧૫૬, ૨૪૫ ઉબરદત્ત ૨૭૭ આહારપરિજ્ઞા ૧૯૮, ૨૦૨ ઉગ્ર ૧૩૨, ૨૪૯ આહારકપરિણામ ૧૭૧ ઉગ્નકુળ ૧૫૭, ૨૪૫ ઉગ્રસેન ૨૬૦ ઇંદ્ર ૧૦૫, ૧૫૩, ૨૨૪, ઉચ્ચકુળ ૧૫૭ ૨૩૬, ૨૭૩ ઉચ્ચત્તરિકા ૨૧૮ ઇંદ્રભૂતિ ૭૦, ૨૦૭, ૨૦૮, ૨૧૩, ઉચ્ચારમગ્નવણ ૧૨૦ ૨૨૪, ૨૩૩, ૨૩૮, ૨૭૩ ઉચ્ચારપ્રસ્રવણનિક્ષેપ ૧૬૩ ઇંદ્રમણ ૧૫૭ ઉચ્છેદવાદ ૧૯૯ ઇંદ્રસ્થાન ૨૬૩ ઉછૂષણ ૧૯૧ ઇંદ્રિય ૨૪૫ ઉજ્જયંત ૨૫૪ ઇંદ્રિયોપચય ૨૪૪ ઉજ્જુવાલિયા ૧૬૬ at £૪૬ ૪ Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ અંગઆગમ શબ્દ | પૃષ્ઠ શબ્દ પૃષ્ઠ ઉઝિતક ૨૭૪, ૨૭૫, ૨૭૯ ઉપચય ૨૪૪, ૨૭૦ ઉડુવાતિતગણ ૨૧૨ ઉપજાલિ - ૨૬૫ ઉત્કાલિક ૭૯, ૮૨, ૨૧૫ ઉપધાનશ્રુત ૧૧૨, ૧૧૫, ઉત્તરકૂલગ ૨૩૫ ૧૧૯, ૧૨૧, ૧૨૨, ૧૫૩ ઉત્તર-ક્ષત્રિયકુંડપુર ૧૬૫, ૧૬૬ ઉપનિષદ્ ૭૫, ૭૭, ૧૦૧, ૧૦૪, ઉત્તરબલિસ્સહ ૨૧૨ ૧૩૭, ૧૪૧, ૧૪૩, ૧૪૩, ૧૪૫, ઉત્તરબલિસ્સહગણ ૨૧૨ ૧૪૯ ઉત્તરાધ્યયન ૮૨, ૧૧૪, ઉપનિષદકાર ૧૪૩, ૨૮૨, ૨૮૫ ઉપપત્ની ૨૭૫ ઉત્થાન ૧૭૩ ઉપપાત ૯૨, ૨૪૫, ૨૪૬ ઉત્પાતવિદ્યા ૨૦ર ઉપમાસત્ય ૨૬૭, ૨૭૦ ઉત્પાદ ૯૬, ૯૮ ઉપયોગ ૨૪૫ ઉત્પાદપૂર્વ ८८ ઉપસંપદાહાનિ ૨૪૫ ઉત્સર્ગશુદ્ધિ ૧૧૦ ઉપસર્ગ ૧૭૧, ૧૮૪ ઉત્સવ ૧૫૭, ૨૭૩ ઉપસર્ગપરિજ્ઞા ૧૭૨, ૧૮૩ ઉસ્વેદિમ ૧૫૯ ઉપાંગ ઉદક ૧૩૮, ૨૦૬ ઉપાધ્યાય ઉદકજ્ઞાત ૨૫૨ ઉપાસક ૮૦, ૯૧, ૧૦૫, ૧૭૮ ઉદકશાળા ૨૦૭ ઉપાસકદશા ૮૨, ૮૭, ૮૮, ઉદય ૨૦૭ ૯૧, ૯૫, ૯૭, ૧૭૩, ૨૫૫ ઉદયગિરિ ૧૨૮ ઉપાસકદશાંગ ૨૫૫, ૨૫૭ ઉદયન ૨૭૬ ઉપાસકાધ્યયન ૮૮ ઉદય રાજપુત્ર ૨૭૬ ઉપાસકાધ્યયનદશા ઉદીરણા ૨૪૫ ઉમ્મગ ૨૩૫ ઉદુંબર ૨૭૯ ઉલ્લયતીર ૨૪) ઉદંડક ૨૩૫ ઉવહાણસુખ ૧૧૫ ઉદ્દેહગણ ૨૧ર ઉવહાણસુય ૧૧૯ ઉદ્યાન ૧૦૫ ઉવાસગદાસા ઉદ્વર્તના ૨૪૬ ઉવાસગદસાઓ ૮૯ ઉપકરણ ૧૧૧, ૧૩૬, ૧૫૨, ઉસ્મયણ ૧૯૧ ૧૫૮, ૨૭૦ ૮૧, ૮૨ ૮૯ ૯૧ Page #329 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૨૯૫ શબ્દ પૃષ્ઠ ઊ | પૃષ્ઠ શબ્દ ઓઝાજી ૨૪૫ રાયન દ ઊંચાઈ જ ઋગ્વદ ઔદ્દેશિક ઔપપાતિક ૧૦૪, ૧૦૫, ૧૩૧, ૧૪૯, ૨૫૦, ૨૭૬ ૧૪૮ ૧૨૮, ૧૩૧, ૧૩૨, ૨૩૨ ૨૬૫, ૨૬૬ ૬૮, ૧૯, ૭૦, ૧૮૫, ૨૬૭ ૧૮૦ ૮૧, ૮૨, ૧૭૩, ૧૯૦ ૨પર ઋજુમતિ ઋષભદેવ ઔષધાલય ઋષિદાસ ઋષિભાસિત કંપ એકદંડી એકવસ્ત્રધારી ૨૦૬ ૧૧૨, ૧૧૩, ૧૫૨ ૧૯૩ ૧૭૨ ૮૦ ૨૪૬ એકવાદી એકાત્મવાદી એકાદશાંગ એકેન્દ્રિય એક્કાઈ એડન એલોવચ્ચ એસિઅકુલ કંટકબહુલ ૧૬૦ ૨૭૪ ૧૫૦, ૧૬૦, ૨૩૨ કંદાહારી ૨૩૨, ૨૩૫ ૨૪૧ કિંપિલ્લ ૨૬૦ કેબલ ૧૫૨, ૧૬૩ કચ્છધારી ૨૫૨ કટાસન ૧૫ર કઠોપનિષદ્ર ૧૪૨ ટિ., ૭૮ટિ. કન્યા ૨૫૩ કપટ ૧૯૧ કપિલ ૭૦, ૭૫, ૭૬, ૧૬૭, ૨૨૭ કપિલદર્શન :૦૧ કપિલવચન ૭૨ કમ્પમાણવપુચ્છાસુત્ત ૧૪૫ કબીર ૧૨૯ કમંડળ ૨૩૪, ૨૫૦ કમ્મારગ્રામ ૧૬૬ કમ્માવાઈ ૧૪૩ કરણ. ૨૪૪ ૨૭૪ ૨૦૫ ૨૧૨ ૧૫૭ ઐતરેય બ્રાહ્મણ ઐરાવતી ૭૮ ટિ. ૨૨૦ ઓ ઓઘ ઓવંતર ઓજઆહાર ૨૪૫ ૧૮૯ ૨૦૨ Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ પૃષ્ઠ ૧૧૩ ૨૪૬ ૭૩ ૨૫૦ ૧૬૦ ૨૭૪ ૨૩૯ ૧૫૮ ૧૭૩, ૨૨૭ ૭૬, ૧૦૫, ૨૫૦ ૧૦૦ ૧૭૫ ૧૭૫ ૮૮, ૯૬, ૯૮ ૨૪૬ ૧૭૯, ૨૦૨ ૧૭૯ ૨૪૪ ૨૪૬ ૧૪૪, ૧૭૫ ૨૭૯ ૧૯૦ ૨૪૬ ૨૪૬ ૨૩૯ ૧૦૫, ૨૪૯, ૨૭૪ ૧૨૮ ૨૪૨ ૨૪૫ કલ્પસૂત્ર ૯૩, ૧૧૩, ૧૨૫, ૧૨૭, ૨૧૨, ૨૧૩, ૨૮૫ શબ્દ કરપાત્રી કરિંસુશતક કરુણા કરોટિકા કરોળિયા કર્ણવેદના કર્ણિકાર કર્બટ ફર્મ કર્મકાંડ કર્મગ્રંથ કર્મચય કર્મચયવાદ કર્મપ્રવાદ કર્મપ્રસ્થાપન કર્મબંધ કર્મબંધન કર્મભૂમિ કર્મયોગ કર્મવાદી કર્મવિપાક કર્મવીર્ય કર્મસમર્જન કર્મોપાર્જન કલંદ કળા કલિંગગત કલિયુગ કલ્પ શબ્દ કલ્પાતીત કલ્પાંતર કલ્પ્ય કલ્યાણ કલ્યાણવિજય કલ્યોજ કવલીકા આહાર કષાય કહાવલી કાંક્ષામોહનીય કાંજી કાંટા કાંદર્ષિક કાકંદી કાદંબરી કામયા કામઢિતગણ કામદેવ કામધ્વજા કામાવેશ કામોપચાર કામ્પિલ્ય કાયચિકિત્સા કાયશુદ્ધિ કારાગાર કાર્તિક કાર્તિકશેઠ કાલ કાલસંવેદ્ય અંગઆગમ પૃષ્ઠ ૨૪૬ ૨૨૮ ૧૭૧, ૧૭૨ ૮૮, ૯૮ ૨૩૮ ૨૪૨ ૨૦૨, ૨૦૩ ૨૪૫ ૧૨૬ ૨૨૮ ૧૬૦ ૧૬૦ ૨૨૭ ૨૧૨, ૨૬૬ ૧૦૨, ૨૫૨ ૨૭૪ ૨૧૨, ૨૧૩ ૨૫૫ ૨૭૪, ૨૭૫ ૧૭૦ ૨૭૫ ૨૨૧ ૨૭૭ ૧૦૯ ૨૪૯ ૨૪૨, ૨૬૫ ૨૪૨ ૨૪૫ ૨૪૫ Page #331 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૨૯૭ પૃષ્ઠ ૨૦૭ કાલી કુલધર્મ ૨૭૦ ૧૪૩ શબ્દ કાલાસવેસિયપુર ૨૩૦ કાલિક ૭૯, ૮૨, ૧૨૦, ૨૧૫ કાલિકશ્રુત ૨૪૫ કાલિદાસ ૨૬૬ ૨૬૩ કાલોદાયી ૧૦૪, ૨૪૩ કાશી ૨૨૧ કાશ્યપ ૧૯૬ કાશ્યપગોત્રીય ૧૬૪ કાસ ૨૭૪ કિંકમાં ૨૫૯ કિન્નરી કિરિયાવાઈ કિલ્વિષિક ૨૨૭ કિલકમાર્ગ ૧૯૨ કંડકોલિક ૨૫૫ કુંડકોલિયા ૧૭૩ કુંડલિ ૨૧૨ કંડિકા ૨૫૦ કુંડલા ૨૧૨ ૨૩૨ ૮૪, ૮૫ કુંભધર ૨૪૭ કુંભારણ ૧૭૩ કુંવરજીભાઈ આણંદજી ૨૮૫ કુફ્ફટક ૧૩૩ કુક્રક ૧૩૩ કુક્ષિશૂલ ૨૭૪ કુણાલ ૨૨૧ કુત્તિયાવણ ૨૪૯ શબ્દ પૃષ્ઠ કુબેર ૨૭૩ કુમારપુત્તિયા ૨૦૭ કુમારપુત્ર કુમારલિચ્છવી ૨૭૯ કુમારશ્રમણ ૨૬૧ કુમારસંભવ ૨૬૬ કુરાજા ૧૫૮ ૨૨૧ કુલથ ૨૫૧ ૧૯૧ કુલસ્થવિર ૨૧૮ ૨૪૫ કુશળ ૧૪૭, ૧૮૮ કુશીલ ૧૯૦, ૨૦૬, ૨૪૫ કુશીલપરિભાષા ૧૭૧ ૨૭૪ ૨૪૨ કૂટગ્રાહ ૨૭૫ ૨૭૩ કૂપમંડૂક ૨૫૩ કૂપમહ ૧૫૭ ૨૪૯ કુલધમગ ૨૩૫ કૃતયુગ ૨૪૨ કૃતયુગ્મ ૨૪૨, ૨૪૬ કૃષ્ણ ૭૫, ૭૬, ૧૮૪, ૧૮૯, ૨૫૧, ૨પ૩, ૨૫૪ કૃષ્ણમૃગ ૧૬૩ કૃષ્ણલેશ્યા ૨૪૬ કૃષ્ણ વાસુદેવ ૨૬૦, ૨૬૧ Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શબ્દ કેનોપનિષદ્ કેવલજ્ઞાન કેવલદર્શન કેવલી કેશલોચ કેશવ કૅશિકુમાર કેશી-ગૌતમીય કેશરી કોકાલિય કોજવ કોટ્ટાગકુળ કોઠ કોડિતગણ કોડિય કોણિક કોત્તિય કોમલપ્રશ્ન કોલ્લાક કોશલ કોસંબી કોસમ કૌરવકુલ કૌશાંબી કૌશેય ક્રિયાભેદ ક્રિયાવાદ ક્રિયાવાદી પૃષ્ઠ ૧૪૨ ૬૩, ૧૬૭, ૨૧૫ ૧૬૭ ૧૭૧ ૮૮, ૧૯૨ ૧૩૭, ૧૪૪, ૧૭૦, ૧૭૧, ૧૭૫, ૧૯૩, ૨૪૬ શબ્દ ક્રિયાવિશાલ ક્રિયાસ્થાન ૧૪૭, ૧૫૩, ૧૬૬, ૧૬૭, ૨૩૨, ૨૪૧ ૧૮૪, ૨૩૧ ૧૮૪ ૨૩૨ ૧૧૪ ક્ષત્રિયકુંડગ્રામ ૨૫૦ ક્ષત્રિયકુંડપુર ૧૮૮ ક્ષત્રિયકુળ ૧૬૩ ક્ષીરસમુદ્ર ૧૫૭ ૨૪૨ ૨૧૨ ૨૧૩ ૨૪૧ ૨૩૫ ૨૬૭ ૨૩૮ ૧૩૦, ૨૨૧ ૨૬૨ ૨૭૬ ૨૪૫ ૨૨૧, ૨૭૫ ૧૬૩ ક્રોધ ક્વીબતા ૧૭૧, ૧૭૨, ૧૯૮, ૨૦૦ ૧૯૧ ૧૭૧ ક્ષતૃક ૧૩૨ ક્ષત્રિય ૭૬, ૧૩૧, ૧૩૨, ૧૫૮, ૨૭૬ ૨૩૩ ૧૬૪ ૧૫૭ ૧૬૫ ૧૬૩ ૧૮૮, ૨૪૫ ૧૮૮ ૧૮૮ ૨૬૭ ૧૬૩ ૧૦૫ ક્ષુમા ક્ષેત્ર ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ ક્ષેત્રજ્ઞ ક્ષોભકપ્રશ્ન સૌમ ક્ષૌરશાળા ખંડિગિર ખંડસિદ્ધાન્તશ્રુત ખરશ્રાવિતા ખરોષ્ટ્રિકા ખરોષ્ઠિકા ખરોષ્ઠી ખાઈ ખાદિમ ખારવેલ ખેટ અંગઆગમ ખ પૃષ્ઠ ૮૮, ૯૬, ૯૮ ૧૨૮ ૬૨ ૨૧૮, ૨૧૯ ૨૧૮, ૨૧૯ ૨૧૯ ૨૧૯ ૧૫૯ ૧૫૬ ૧૨૮, ૨૪૪ ૨૭૪ Page #333 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૨૯૯ શબ્દ ખેડ પૃષ્ઠ ૭૯ ખેદજ્ઞ ખેયન્ન ખોંગ ખોમિય ખોરદેહ ખ્રિસ્તી ગંગ પૃષ્ઠ શબ્દ ૧૫૮ ગમ ૧૮૮ ગમન ૧૬૧ ૧૮૮ ગમિક ૭૯ ૨૨૦ ગમિકશ્રુત ६४ ૧૬૨ ગરુડ ૨૨૦ ૧૩૪ ગર્ભ ૨૨૦, ૨૪૫ ૨૩૭ ગર્ભધારણ ૨ ૨૦ ગહ ૨૩૦ ૨૧૩ ગાંગેય ૨૩૧ ૨૪૦ ગાંધર્વ ૧૮૨ ૨૭૭ ગાંધર્વલિપિ ૨૧૮, ૨૧૯ ૨૨૦ ગાંધાર ૨૧૯ ૧૫૭ ગાથા ૧૨૨, ૧૯૭ ૨૬૦ ગાથાપતિપુત્ર તરુણ ૬૯, ૮૭ ૨૬૦ ગિરનાર ૬૨, ૨૫૪ ૨૬૦, ૨૬૧ ગિરિમહ ૧૫૯ ગીતા ૭૫, ૧૩૬, ૧૮૧, ૨૩૬ ૧૨૮, ૨૧૩ ગુણશિલક ૨૨૪, ૨૪૩ ૧૨૫, ૨૪૭ ગુફા ૨૭૩ ૭૦ ગુરુનાનક ૧૨૯ ૧૯૧ ગૂજરાત વિદ્યાપીઠ ૨૧૦ ૨૪૯ ગૂઢદંત ૨૬૫ ૧૬૧ ગૃહધર્મી ૨૫૩ ૨૧૮ ગૃહપતિ ૧૩૨ ૧૦૫, ૨૭૪, ૨૭૮ ગૃહપતિ-ચૌર-વિમોક્ષણ-ન્યાય ૨૦૭ ૨૭૪ ગૃહસ્થ ૧૩૪ ગૃહસ્થધર્મ ૧૯૧, ૨પ૮ - ૨૧૮, ૨૧૯ ગૃહસ્થાશ્રમ ૧૩૫ ૮૦ ગોત્રાસ ૨૭૫, ૨૭૯ ૨૪૫ ગોદાસ ગંગદત્ત ગંગદત્તા ગંગા ગંડાગકુલ ગંભીર ગજ ગત્સુકમાલ ગઢ ગણ ગણધર ગણધરવાદ ગણધર્મ ગણનાયક ગણરાજય ગણસ્થવિર ગણિકા ગણિકા-ગુણ ગણિત ગણિતલિપિ ગણિપિટક ગતિ ૧પ૭ ? * ૨૧૨ Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ પૃષ્ઠ ૨૧૨ ૧૬૬ ૨૩૭ ૨૩૯ ૮૮, ૯૦, ૯૩, ૯૬, ૧૦૦, ૧૦૩, ૧૦૯ ગોપ્રતિ ૨૫૩ ગોશાલ ૧૦૪ ગોશાલક ૬૯, ૧૦૪, ૧૭૩, ૨૦૫, ૨૨૫, ૨૩૩, ૨૩૮, ૨૩૯, ૨૫૭ ગોષ્ઠામાહિલ ૨૧૩ શબ્દ ગોદાસગણ ગોદોહાસન ગોબહુલ બ્રાહ્મણ ગોમાયુપુત્ર અર્જુન ગોમ્મટસાર ગોસાલ ગોળ ૬૯ ૧૫૯, ૨૪૨ ગૌડપાદકારિકા ૧૪૨ ગૌતમ ૭૦, ૧૩૦, ૧૫૨, ૧૬૬, ૧૯૦, ૨૦૭, ૨૦૮, ૨૦૯, ૨૨૩, ૨૨૫, ૨૨૯, ૨૩૮, ૨૪૭, ૨૫૩,૨૫૭, ૨૬૦, ૨૭૪ ૧૯૦ ૧૯૫ ૧૮૯ ૧૫૯ ૧૯૧ ૨૧૮ ૨૨૮, ૨૬૧ ગૌવ્રતિક ગ્રંથ ગ્રંથાતીત ગ્રામ ગ્રામધર્મ ગ્રામસ્થવિર ત્રૈવેયક ધનવાત ધનોદિધ ધાસીલાલ ઘી થ ૨૨૦ ૨૨૦ ૨૮૫ ૧૫૯ શબ્દ ઘોડા ઘોરતવસ્તી ચંડિકા ચંડીદેવતા ચંદનપાદપ ચંદ્ર ચંદ્રગુફા ચંદ્રપ્રજ્ઞપ્તિ ચંદ્રિકા ચંપા ચક્રવર્તી ચતુરિન્દ્રિય ચતુર્થભક્ત ચતુર્દશપૂર્વધર ચતુર્દશી ચતુર્યામ ચતુર્વર્ણ ચમર ચમારકુળ ચરક ચરમ ચબિલ ચર્મખંડિક ચાંડાલ ચાતુર્યામ ચારણ ચારણગણ ચારિત્ર ચારિત્રધર્મ ચ અંગઆગમ પૃષ્ઠ ૨૫૪ ૨૪૮ ૧૩૮ ૧૯૦ ૨૭૩ ૧૦૫, ૨૪૮ દર ૮૨ ૨૬૬ ૨૨૧, ૨૭૩ ૨૪૦ ૨૪૬ ૧૩૬ ૭૨ ૨૭૬ ૧૧૧, ૧૮૯ ૧૩૧ ૨૩૬, ૨૪૮ ૧૫૭ ૧૩૮, ૨૨૭, ૨૫૨ ૨૪૪ ૨૩૪ ૨૫૨ ૧૩૨, ૧૫૭ ૭૮, ૧૧૧ ૨૪૫ ૨૧૨ ૨૪૫ ૧૯૧ Page #335 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૩૦૧ છદ્મસ્થ છાગ છાન્દોગ્ય છેદસૂત્ર છેદોપસ્થાપન જંગિયા જંઘાચારણ ૧૪૭ ૧૬૩ ૧૩૭ ૬૦ ૧૭૧ ૧૬૨, ૧૬૩ ૨૪૫ ૭૪ શબ્દ પૃષ્ઠ ચારિત્રાન્તર ૨૨૮ ચાર્વાક ૧૩૭, ૨૬૮ ચિકિત્સક ૨૭૪ ચિકિત્સકપુત્ર ૨૭૪ ચિકિત્સાશાસ્ત્ર ૯૨ ચિત્ર ૨૭૬ ચિત્રસભા ૨૫૨ ચિલણા ૨૨૪ ચીન ૨૫૧ ચીનાઓ ૨૫૧ ચીરિક ૨૫૨ ચુલ્લશતક ૨૫૫ ચૂર્ણિ ૮૧, ૨૪૭ ચૂર્ણિકાર ૧૨૨, ૧૭૩, ૧૭૫, ૧૮૬ ચૂલણિપિતા ૨પપ ચૂલવષ્ય ૧૩૦ ચૂલિકા ૮૮, ૧૧૧ ચેલવાસી ૨૩૫ ૨૪૦, ૨૬૯, ૨૭૩ ચૈત્યમહ ૧૫૭ ચૈત્યવાસી ૬૧, ૧૮૬ ચોખ્ખા ૨૫૧ ચોટી ૨૫૦ ચોરી ૧૦૫, ૨૭પ ચૌર્ય ૧૯૧, ૨૬૯ જંબૂ ૧૭૩, ૨૪૦, ૨૪૮, ૨૬૫, ૨૬૮, ૨૭૨ જંબૂદ્વીપ ૧૦૫, ૨૧૫ જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ ૮૨ જેબૂસ્વામી ૧૨૯, ૨૪૮, ૨૭૨ જણવ* ચૈત્ય ૨૭૦ જંભિયગ્રામ ૧૬૬ જગતી ૧૦૩, ૧૨૩ જગત્કર્તુત્વ : ૧૮૦ ૬૯ જનપદસત્ય જન્નઈ ૨૩૫ જન્મોત્સવ ૧૫૮ જમઈય ૧૯૬ જમતીત ૧૯૬ જમાલિ ૧૨૮, ૨૧૩, ૨૩૩, ૨૩૪ ૨૫૯ જયંત ૨૬૪ જયંતી ૨૨૪ જયધવલા ૮૫, ૯૦, ૯૮, ૧૦૦, ૧૦૯, ૧૭૧, ૧૭૨, ૨૭૮ જરા જમાલી છંદ છંદોનુશાસન છત્ર છત્ર માર્ગ ૮૦ ૧૯૭ ૨પ૦ ૧૯૨ , ૨૩૯ Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ અંગઆગમ ૨૨૨ જેલર જૈન શબ્દ પૃષ્ઠ જરાકુમાર ૨૬૨ જર્મન જલભક્ષી ૨૩૫ જલવાસી ૨૩૫ જલશૌચવાદી ૧૯૦ જલેબી ૧પ૯ જલોદર ૨૭૪ ૧૩૮, ૧૫૯, ૨૨૫ જળમાર્ગ ૧૬૨, ૧૯૨ જવણિજ્જ ૨૪૪ જવણિયા ૨૪૯ જસંસ ૧૬૪ જાંગમિક ૨૧૬ જાણઈ ૧૪૭ જાતિભોજન જાતિસ્થવિર ૨૧૮ જાલંધરગોત્રીયા ૧૬૪ જાલિ ૨૬૫ જિતશત્રુ ૨૭૬ જિન ૧૬૬, ૨૩૩ જિનકલ્પ ૧૫૨ જિનકલ્પી ૨૪૫ જિનપાલિત ૬૨ જિનભદ્રગણિ ૬૪, ૬૬, ૮૧, શબ્દ પૃષ્ઠ જીવાસ્તિકાય ૨૪૩ જેતવન ૧૩૦ જેલ ૧૦૫ ૨૭૬ ૬૭, ૧૮૮ જૈન આગમ ૬૯ જૈનધર્મ પ્રસારક સભા - ૨૮૫ જૈન-પરંપરા ૫૮, ૧૦૫, ૧૦૬ જૈનમુનિ ૬૦ જૈનશાસ્ત્ર ૭૮, ૨૧૯ જૈનશ્રમણ ૬૦ જૈનશ્રુત ૫૯, ૮૦ જૈનસંઘ જૈનસાહિત્ય સંશોધક જૈનસૂત્ર જયેષ્ઠા ૧૬૫ જયોતિષ ૮૦ જ્યોતિષ્ક ૨૨૭ જ્યોતિષ્કદેવ ૧૦૫, ૨૨૭ જવર ૨૭૪ ८४ ૧૨૪ ૧૨૭ જીવ ૧૦૫, ૧૧૬, ૧૭૦, ૨૨૬, ૨૨૭, ૨૨૯, ૨૩૨, ૨૪૧ જીવનિકાય જીવરાજ ઘેલાભાઈ ૨૮૫ જીવાભિગમ ૮૨, ૨૨૪ જ્ઞાત ૯૦ જ્ઞાતકુલ ૨૪૫ જ્ઞાતક્ષત્રિય ૧૬૪ જ્ઞાતખંડ ૧૨૩, ૧૬૫ જ્ઞાતધર્મકથા ૮૭, ૮૮, ૮૯, ૯૦, ૯૧, ૧૭૮ જ્ઞાતા ૨૭૪ જ્ઞાતાધર્મકથા ૮૦, ૮૨, ૯૦, ૯૫, ૯૭, ૧૭૮, ૨૪૮ Page #337 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૩૦૩ પૃષ્ઠ 5 ટા શબ્દ પૃષ્ઠ શબ્દ જ્ઞાતાપુત્ર ૨૭૪ તથાગત ૧૧૨, ૧૩૭, ૧૭૮ જ્ઞાતાસૂત્ર ૨૮૧ તથ્યવાદ ૯૩ જ્ઞાતૃકથા ૮૮, ૯૦ તદિત્યગાથા - ૧૭૧ જ્ઞાતૃધર્મકથા ૮૮, ૯૦ તપ ૧૧૭, ૧૩૦, ૧૮૬ જ્ઞાન ૬૩, ૧૪૧, ૧૭૧, ૧૭૨, તપસ્યા ૨૬૬ ૨૪૪, ૨૪૫ તપોધન ૬૭, ૬૮ જ્ઞાનપંચમી તરસ ૧૮૪ જ્ઞાનપ્રવાદ ૮૮, ૯૬, ૯૮ તળાવ ૨૭૩ જ્ઞાનવાદ ૧૭૫ તાપ ૧૮૪ જ્ઞાનાન્તર ૨ ૨૮ તાપસ ૧૦૫, ૧૫૦, ૧૫૭, જ્ઞાની ૧૯૪૭ ૨૨૮, ૨૩૫ તાપસધર્મ ૧પ૦ ટબા ૮૬, ૨૮૪ તામિલ ૨૩૫ ૧૮૪ તારા ૨૭૦ તારાયણ ઠાણું ૮૯ ઠાણ ૯૧, ૨૩૪ તારાયણરિસિ તિરીડવટ્ટ ૮૯ ૨૧૬ તિર્યંચ ૨૨૭ ડાંસ તિર્યંચાંગના ૧૧૮ તિલક લોકમાન્ય ૭૪. ણાયાધમ્મકહા ૮૯, ૯૧ તિલોદક ૧૫૯ ણાયાધમ્મકતાઓ ૮૯ | તિષ્ય તિષ્યગુપ્ત ૨૧૩ તંદુલાદક ૨૪૫ તચ્ચણિયા ૧૩૮ તીર્થંકર ૧૪૭, ૨૪૦, ૨૪૪ તજીવતચ્છરીરવાદી ૧૯૮, ૧૯૯ તીર્થાભિષેક ૨૫૦ તત્ત્વાર્થભાષ્ય ૮૧, ૮૯ તત્ત્વાર્થરાજવાર્તિક તુંબ ૨૫૧ ૬૬, ૮૮, ૨૭૧ તત્ત્વાર્થવૃત્તિ તુષોદક ૧૫૯ તત્ત્વાર્થવૃત્તિકાર ૮૧, ૧૭૧ ૧૬૨ તત્ત્વાર્થસૂત્ર ૮૮, ૨૮૨ તૃણવનસ્પતિકાય ૨૧૪ ૬૯ ૧૮૫ ઠાણે ૧૮૪ ૧૫૦ ૧૫૯ તીર્થ ૮૮ તૂલકડ Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ અંગઆગમ તૃષ્ણા ૨૪૨ ૨૦૮ ૧૪૭ ત્રિદંડ શબ્દ પૃષ્ઠ શબ્દ ૧૧૭ તેજોબિંદુઉપનિષદૂ ૧૪૧ દંડ ૨૩૪, ૨૩૫ તેજોવેશ્યા ૨૩૮ દિંડવ્યવસ્થા ૧૦૫ તેટલી ૨૬૫ દંતવક્સ ૧૮૯ તેયલિ ૨પર જિંતુમ્બલિયા ૨૩૫ તેરાપંથી ૨૮૫ દકિખણકૂલગ ૨૩૫ તેલ દક્ષિણ-બ્રાહ્મણકુંડપુર ૧૬૪ તૈત્તિરીયોપનિષદ્ ૧૪૩ દયાનંદ ૭૪ ત્રસ ૨૦૭, ૨૦૮, ૨૨૯ દર્પણપ્રશ્ન ૨૬૭, ૨૭૧ ત્રણભૂત દર્શન ૧૪૭, ૧૪૮ ત્રિકાલગ્રંથહિદ ૧૭૧ દર્શનશાસ્ત્ર ત્રિકાલજ્ઞ દર્શનાત્તર ૨૨૮ ત્રિકાઠિકા ૨૫૦ દલસુખ માલવણિયા ૧પ૨, ૨૫૦ ૧૯૩, ૨૧૦ ત્રિદંડી ૨૦૬, ૨૨૭, ૨પર દવનમાર્ગ ૧૯૨ ત્રિપિટક દશપૂર્વધર ૭ર ૧૭૭ દશરથ ૧૭૩ ત્રિવસ્ત્રધારી ૧૧૧, દશવૈકાલિક ૧૧૨, ૧પર - ૮૨, ૧૨૨, ત્રિશલા ૧૪૩, ૧૪૩, ૨૮૨, ૨૮૩ દશવૈકાલિકચૂર્ણિ ૧OO ત્રિખુભ ૧૦૩, ૧૨૩ દશવૈકાલિકનિર્યુક્તિ ૧૨૨ ત્રીન્દ્રિય ૨૪૬ દશવૈકાલિકવૃત્તિ ૮૬, ૧૦૦, ૧૨૨ ત્રેતાયુગ ૨૪૨ દશા ૯૧, ૨૫૫ ઐરાશિક ૧૭૪ દશાર્ણભદ્ર ૨૬૫ ોજ દસ દશાહ ૨૬૦ ત્વગાહારી ૨૩૫ દહીં ૧૫૯ દાન ૧૮૦ થંડિલ ૧૯૧ દાનધર્મ ૧૯૧, ૨૫૦ થાવગ્યા દાનામાં ૨૩૫ થિમિય ૨૬૦ દાસકુળ ૧પ૭ ઢાલિક ૧૬૪ ૨૪૨ ૨૫૧ Page #339 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૩૦૫ શબ્દ પૃષ્ઠ શબ્દ | પૃષ્ઠ દાસપ્રથા ૧૦૫ દૃષ્ટિવાદ ૭૯, ૮૦, ૮૫, ૮૮, ૯૨, દાહ ૨૭૪ ૯૩, ૯૬, ૨૪૫, ૨૮૦ દિગંબર ૭૧, ૮૪, ૧૭૪, ૧૮૪ દૃષ્ટિવિપર્યા દંડ ૨૦૦ દિઠ્ઠિવાએ ૮૯ દષ્ટિશૂળ --' ૨૭૪ દિવિાઓ ૮૯ દેવ ૧૦૫, ૧૮૨, ૨૦૨, દિવિાય ૨૨૬, ૨૩૯, ૨૪૬ દિશાચર ૧૦૪, ૨૩૯ દેવકી ૨૬૦, ૨૬૧ દિશામોક્ષક ૨૩૪, ૨૩૫ દેવકુલ ૨૬૯ દીક્ષા ૧૦૫, ૧૫ર દેવકૃત ૨૬૯ દીઘતપસ્સી ૬૦ દેવગતિ ૨૨૬ દીઘનિકાય ૧૦૧, ૧૩૯, દેવદત્તા ૨૭૭, ૨૭૮, ૨૭૯ ૧૭૩,૨૦૨ દેવભાષા ૨૩૭ દીપ ૨૩૪ દેવર્ધિગણિ - ૬૨, ૧૨૮, દીર્ઘતપસ્વી ૬૦ ૧૮૩, ૨૧૩ દીર્ઘદંત ૨૬૫ દેવર્ધિગણિક્ષમાશ્રમણ ૬૧, દીર્થશંકા ૧૨૧ ૮૨, ૧૨૬, ૧૨૭, ૧૨૮, ૨૧૩ દીર્ધસેન ૨૬૫ ૬૮ દીવાયણ ૬૯ દેવવાચક ૬૩, ૬૪, ૭૩, ૧૨૭ દીવાયણ મહારિસિ ૧૮૫ દેવાંગના ૨૭૮ દેવાનંદા ૧૬૪ દુઃખવિપાક ૨૭૨, ૨૭૪, દેવાસુર-સંગ્રામ ૧૦૫, ૨૩૬ ૨૭૮ દેવેન્દ્રસૂરિ ૧૦૦ દુઃખસ્કંધ ૧૭૬ ૨૨૭ દુખ્ખખંધ ૧૭૬ દેસીભાસા ૨૪૯ દુર્યોધન ૨૭૬ દોષોપકરિકા દુવ્વસુ ૧૪૮ દ્રમિલ ૧૨૬ દ્રવિડ ૧પ૯ દ્રવ્ય ૨૪૫ દૃષ્ટિ ૨૪૫ દ્રવ્યપ્રમાણાનુયોગ ૬૨ દૃષ્ટિપાત ૮૯ દ્રવ્યશ્રુત ૬૩, ૬૪ ૧૧૮ દુ:ખ દેશના ૨૧૮ દુષ્કાળ Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ અંગઆગમ દ્રૌપદી શબ્દ પૃષ્ઠ દ્રાવિડલિપિ ૨૧૮, ૨૧૯ દ્રમ ૨૬૫ તુમસેન ૨૬૫ દ્રોણમુખ ૧૫૮ રપ૩, ૨૫૪, ૨૭૦ દ્વાદશાંગ ૧૦૦ દ્વાદશાંગગણિપિટક ૭૨ દ્વાપર ૨૪૨ દ્વાપરયુગ દ્વારકા ૨૬૦, ૨૬૨ દ્વિરાજ્ય - ૧૬૧ કીન્દ્રિય ૨૪૪, ૨૪૬ દ્વીપ ૧૦૫, ૨૪૪ વૈપાયન ૬૮, ૬૯ શબ્દ ધર્મશાસ્ત્ર પ૯, ૬૦, ૬૧ ધર્મસંગ્રહ ૨૧૪ ધર્મહતુક પ્રવૃત્તિ ૨૦૦, ૨૦૧ ધર્માસ્તિકાય ૨૪૩ ધવલા ૮૫, ૯૦, ૯૩, ૯૭, ૧૦૦, ૧૭૧, ૧૭૩, ૨૭૧, ૨૭૮, ૨૮૩ ધવલાકાર ૨૮૩ ધીર ૧૪૭ ૧૧૫ ધૂત ૧૧૨, ૧૧૫, ૧૧૭, ૧૨૨ ૧૧૭ ધૂર્તીદાન ૧૯૨ ધૃતિમાન ૧૮૮, ૧૮૯ ૨૪૨ ધૂમ ધૂતવાદ ધનદેવ ધનપતસિંહ ધનપતિ ધન્ય ધન્યકુમાર ધન્વન્તરિ ધમ્મપદ ધરસેન ધર્મ ધર્મકથા ધર્મક્રિયા ધર્મક્રિયાસ્થાન ધર્મચક્રપ્રવર્તન ધર્મચિંતક ધર્મવાદ ૨૭૮ ૨૮૪ ૨૬૦ ૨૬૫ ૨૬૬ ૨૭૭ ૧૪૩, ૧૮૬ ૬૨, ૮૪ ૧૭૧, ૧૮૭, ૧૯૧ નંદનવન ૨૬૦ નંદમણિયાર ૨૫૨ નંદિચૂર્ણિ ૧૨૬ નંદિણીપિયા ૨૫૫ નંદિનીપિતા ૨૫૫ નંદિવર્ધન ૧૬૫, ૨૭૬, ૨૭૯ નંદિવૃત્તિ ૬૬, ૮૦, ૯૪, ૯૬ નંદિવૃત્તિકાર નંદિપેણ ૨૭૯ નંદિસૂત્ર ૬૩, ૭૩, ૮૧, ૮૨, ૮૭, ૮૯, ૧૧૦, ૧૧૧, ૧૧૫, ૧૨૩, ૧૨૫, ૧૨૭, ૧૪૮, ૨૧૪, ૨૫૫, ૨પ૯, ૨૬૪, ર૬૫, ૨૬૭, ૨૭૮, ૨૮૧ ૯૦ ૧૭૧ ૨૦૦ ૧૫૩ ૨૫૩ Page #341 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૩૦૭ નાણી ૯૦ શબ્દ શબ્દ પૃષ્ઠ નંદિસૂત્રકાર - ૬૭, ૭૧, ૭૨, નાગાર્જુનીય ૧૨૩, ૧૨૪, - ૭૩, ૮૧, ૧૨૦ ૧૮૦, ૧૮૨, ૨૦૪ નંદિસૂત્રવૃત્તિ નાગાર્જુનીયવાચન ૧૨૩, ૧૨૬, નંદી ૮૧, ૯૩, ૯૬, ૯૯, ૧૮૨, ૨૦૪ ૧૦૦, ૧૦૩, ૨૨૪, ૨૭૯ નાટક ૭૧ નંદીફલ ૨૫૨ ૧૪૭ નગર ૧૦૫, ૧૫૮, ૨૦૫ નાત ૯૦ નગરધર્મ ૧૯૧ નગરસ્થવિર ૨૧૮ નાથવાદિક ૧૮૬ નગ્નભાવ ૨૩૦ નામકરણોત્સવ ૧૫૮ નદી ૧૬૨, ૨૨૦, ૨૭૩ નામ સત્ય ૨૭) નદીમ ૧૫૭ નાય નમી ૨૫૯ નાયધમ્મકહા નમીવિદેહી ૬૮ નાયપુર ૧૮૩ નયાંતર ૨૨૮ નાયાધમ્મકહી ૮૯ નરક ૧૦૫, ૧૪૫, ૧૭૧, નાક ૨૦૨ ૧૮૭, ૨૪૧ નારકી ૨૪૬ નરકવિભક્તિ ૧૮૭ નારદ નરકાવાસ ૧૮૭ નારદપરિવ્રાજકોપનિષદ ૧૪૩ નરમેધ નારાયણ ૬૮ નરસિંહ ૨૫૪ ૧૮૫ નરસિંહ મહેતા નારાયણરિસિ ૧૨૯ નરસિંહાવતાર ૨૫૪ નારાયણોપનિષદ્, ૧૩૭ નરાંગના ૧૧૮ નારેન્દ્ર ૨૦૬ નવબ્રહ્મચર્ય ૧૧૧, ૧૧૫ નાલંદ ૨૦૬ નવ વર્ણતરો ૧૩૨ નાલંદા ૧૭૧, ૨૦૬, ૨૩૭ નવાંગીવૃત્તિકાર નાલંદીય ૧૯૮, ૨૦૬ નષ્ટપ્રશ્ન ૨૭૧ નાલિંદ ૨૦૬ નાગ ૧૦૫, ૧૮૨, ૨૬૦, ૨૭૩ નાલેન્દ્ર ૨૦૬ નાગકુમાર ૨૬૭ : નાવ ૧૬૨ નાગમહ ૧૫૭ નાસ્તિકવાદ - ૧૯૯ નાગાર્જુન ૧૨૬, ૧૮૩ નાસ્તિકવાદી ૨૫૩ ૨૭૬ ૨૬૮ Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શબ્દ નાહ નાહધમ્મકહા નાહસ ધમ્મકહા નિકર્ષ નિકાય નિકાયપ્રતિપન્ન નિગાસ નિત્યપિંડ નિધાન નિમજ્જગ નિમિત્તશાસ્ત્ર નિયતવાદી નિયતિવાદ નિયતિવાદી નિયમાંતર નિયાગ નિયાય નિરામગંધ નિરામિષ નિરાલંબ ઉપનિષદ નિરુક્ત નિગ્રંથ નિગ્રંથધર્મ નિગ્રંથસમાજ નિર્જરા નિર્ભય નિર્મિતવાદી નિર્યુક્તિ નિર્યુક્તિકાર પૃષ્ઠ 02 ૮૮, ૯૦ ૮૮, ૯૦ ૨૪૫ ૧૪૬ ૧૪૬ ૨૪૫ ૧૫૭ ૨૭૦ ૨૩૫ ૨૨૮ ૧૯૩ ૧૭૩, ૧૭૫ ૧૭૩, ૧૯૮, ૧૯૯, ૨૩૮, ૨૬૯ ૨૨૮ ૧૪૫, ૧૪૬ ૧૪૬ ૧૪૯, ૧૮૯ ૧૮૦ ૧૪૫ ૭૪ ૧૯૭, ૨૪૫, ૨૪૬ ૧૮૦ ૧૪૦ ૧૭૦ ૧૮૯ ૧૯૩ ૧૨૦ ૧૧૧, ૧૧૮, ૧૭૩, ૧૭૫, ૧૯૭ શબ્દ નિર્વાણ નિર્વિઘ્નઅધ્યયન નિવૃત્તિ નિર્વેદ નિશીથ નિશીથસૂત્ર નિષદ્યા નિષાદ નિષીધિકા નિસીહ નિહ્નવ નિહ્નવિકા નીચકુલ નિસીહ નૃત્ય નેત્રવેદના નૈગમ નૌકા નૌકારોહણ પઆરાઇઆ પએસી પંચભૂતવાદી પંચયામ પંચસ્કંધવાદી પંડિઅ પંડિત પંડિતવીર્ય પંડુરંગ પંથક અંગઆગમ પૃષ્ઠ ૧૦૫, ૧૩૭ ૧૭૧ ૨૪૪ ૭૩ ૯૯, ૧૫૬, ૨૮૫ ૧૨૦, ૨૮૨ ૧૨૦, ૧૬૧ ૧૩૨ ૧૨૧ ૧૨૦ ૧૨૮, ૨૧૩ ૨૧૮, ૨૧૯ ૧૫૭ ૧૨૦ ૧૦૫ ૨૭૪ ૧૫૮ ૧૬૨, ૨૫૧ ૧૬૨ ૧૨૦, ૨૧૯ ૨૩૨ ૧૯૯ ૭૮, ૧૧૧ ૨૬૮ ૧૪૭ ૧૪૭ ૧૯૦ ૨૫૨ ૨૫૦ Page #343 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૩૦૯ શબ્દ પૃષ્ઠ શબ્દ પૃષ્ઠ પકારાદિકા ૨૧૮ પરિણામ ૨૪૫ પક્ષીમાર્ગ ૧૯૨ પરિમાણ ૨૪૫ પટ્ટણ ૧૫૮ પરિવ્રાજક ૧૦૫, પટ્ટમાર્ગ ૧૯૯૨ ૧૫૮, ૨૨૭, ૨૨૮, ૨૩૫ પટ્ટાવલી ૧૨૮ પરિવ્રાજિકા ૧૫૮, ૨૫૧ પડિગહ ૨૩૩ પરિશિષ્ટપર્વ ૧૨૨, ૧૨૬ પણહાવાગરણ ૨૬૭ પરિશ્નવ ૧૫૦, ૧૫૧ પહાવાગરાણાઇં ૮૯, ૯૨ પરીષહ ૧૧૮ પહોત્તર - ૨૫૪ પર્યવ ૨૪૫ પત્ર ૧૬૦, ૨૪૨ પર્યાયસ્થવિર ૨૧૮ પદ ૧૦૦ પર્વત ૨૭૩ પદાર્થધર્મ ૧૯૧ પર્વબીજ ૨૦૨ પદ્મપ્રભ ૨૪૪ પલિઉંચણ ૧૯૧ પદ્માવતી - ૨૬૨, ૨૭૦, ૨૭૬ પલ્લતેતિય ૨૫૯ પન્નવણા ૨૨૪ પવિત્રક ૨૫૦ પયા ૨૮૨ પશ્ચિમદિશા ૧૮૩ પરક્રિયા ૧૨૦, ૧૨૧, ૧૬૪. પશ્યક ૧૪૭ પરમચખુ ૧૪૭ પસેણઈ ૨૬૦ પરમચક્ષુષ * ૧૪૭ પહારાઈઆ ૨૧૯ પરમત ૧૦૯, ૧૩૬, ૧૭૨ પાંચ મહાવ્રત ૨૫૧ પરમાણુ ૨૪૪ પાંચાલ ૨૨૧ પરમાણુપુગલ ૨૪૩, ૨૪૪ પાંડવ ૨૫૩ પરલોક ૧૦૫, ૧૩૮ પાંડુમથુરા ૨૫૪, ૨૬૨ પરલોકાભાવવાદી '૧૯૩ પાકશાળા ૨પર પરસમય . ૧૭૦, ૧૭૧ પાકિસૂત્ર ૮૯ પરાક્રમ ૧૯૦ પાખંડધર્મ ૧૯૧ પરિકર્મ ૮૫, ૮૮ પાખંડમત પરિકંચન ૧૯૧ પાટલિખંડ ૨૭૭ પરિગ્રહ ૧૦૬, ૧૮૧, ૧૯૧, પાટલિપુત્ર ( ૧૨૬,૧૮૩,૨૧૬ ૧૯૨, ૧૯૫, ૨૬૯, ૨૭૦, ૨૭૯ પાઠભેદ ૮૪, ૧૮૨ ૧૭૨ Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ અંગઆગમ ૬૯ શબ્દ પૃષ્ઠ શબ્દ પૃષ્ઠ પાઠાન્તર ૧૮૨ પાશ0 ૧૮૬ પાણિપાત્રી ૧૧૩ પાસના ૧૪૭ પાણી ૧૩૮ પાસઇ ૧૪૭ પાતંજલ યોગદર્શન ૯૨ પાસત્ય ૧૦૪, ૧૮૬, ૨૨૫ પાતંજલ યોગસૂત્ર ૧૬૭ પાસત્યા ૧૦૪ પાત્ર ૧૫૨, ૧૬૩, ૨૩૩ પાસાવચ્ચિા ૧૦૪ પાત્રધારી ૧૧૩ પિંગમાણપરિવાય પારૈષણા ૧૧૨, ૧૨૦, ૧૨૧, ૧૬૩ પિંડ ૨૭૦ પાદપુંછન ૧૫ર પિડેષણા ૧૧૨, ૧૨૦, ૧૨૧ પાદપ્રીંછન ૧૪૦. પિટક ૬૯, ૧૦૧, ૧૦૪, ૧૭૩ પાદ-વિહાર ૧૬૧ પિશાચ ૨૫૬ પાન ૧પ૬ ૧૪૧ પાપ ૧૭૦ પુંડરીક ૧૭૧, ૧૯૮ પાપકર્મ ૨૪૬ પુંડરીક પર્વત ૨૫૦ પાયપુંછણ ૧૪૦ પુસ્કામિતા ૧૭૧, ૧૭૨ પારસી ૭૫, ૧૩૪ પુગ્ગલપ...ત્તિ ૨૧૪ પારાશર ૬૮, ૧૩૨ પુણ્ય ૧૭૦ પારાસર ૧૮૫ પુણ્ય-પાપ ૧૭૨ પારિષ્ઠાપનિકાસમિતિ ૨૫૩ પુણ્યસ્કંધ ૧૭૯ પાર્વતી ૨૬૬ પુત્ત ૧૭૯ પાર્શ્વ ૬૯, ૭૮ યુગલ ૧૬૦, ૨૩૫, ૨૪૨ પાર્શ્વતીર્થ ૧૦૪ પુદ્ગલ-પરિણામ પાર્શ્વનાથ ૧૦૪, ૧૬૫, ૧૮૯, પુદ્ગલાસ્તિકાય ૨૪૩ ૧૯૯, ૨૦૮, ૨૨૪, ૨૨૫, ૨૩૧ પુનર્જન્મ પાર્શ્વસ્થ પુરણ ૨૩૫ પાર્શ્વપત્ય ૧૬૫, ૨૨૪, પુરાણ ૧૦૧, ૧૦૨, ૧૮૧ ૨૩૦, ૨૩૧ પુરાતત્ત્વ ૧૮૫ પાર્શ્વપત્રીય ૨૦૭ પુરિમતાલ ૨૭૫ પાવાયા ૧૦૪ પુરુષ ૧૮૭ પાશમાર્ગ ૧૯૨ પુરુષપરિજ્ઞા ૧૮૭ ૨૪૦ ૧૩૭ Page #345 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા શબ્દ પુરુષપ્રધાન પુરુષસૂક્ત પુરુષસેન પુરુષાદાનીય પુલાક પુલિંદ પુલિંદલિપિ પુષ્કરિણી પુષ્પદંત પુષ્પનંદી પુષ્પસેન પુષ્પાહારી પુષ્પોત્તર પૂંજાભાઈ જૈન ગ્રંથમાલા પૂજ્યપાદ પૂડલા પૂતના પૂરણ પૂરી પૂર્ણભદ્ર પૂર્વ પૂર્વો ૬૨ ૨૭૮ ૨૬૫ ૨૩૫ ૨૫૪ ૨૧૦ ૮૮, ૧૭૧ ૧૬૦ ૧૮૬ ૨૩૫ ૧૫૯ ૨૭૩ ૯૩, ૯૮, ૧૦૧, ૨૮૦ ૧૦૨ ૮૮, ૯૩, ૨૮૦ ૮૫ ૧૮૦, ૨૨૫, ૨૨૯, ૨૪૪ ૧૧૬ પૂર્વગત પૂર્વગત ગાથા પૃથ્વી પૃથ્વીકાય પૃથ્વીકાયિક સૃષ્ટિમાતૃક પેઢાલપુત્ત પૃષ્ઠ ૧૮૭ ૧૩૧ ૨૬૫ ૨૩૧ ૨૪૫ ૧૬૧ ૨૧૮, ૨૧૯ ૨૫૨ ૨૪૪, ૨૪૬ ૨૬૬ ૨૦૦, ૨૦૮, ૨૦૯ શબ્દ પેઢાલપુત્ર પેલ્લક પેશાબ પૈશાચી ભાષા પોઢિલ્લ પોત્તગ પોત્તિ પોત્તિઅ પોત્ર પોત્રી પોલાસપુર પૌરાણિકવાદ પ્રકીર્ણક પ્રક્ષેપ આહાર પ્રજાપતિનિર્મિત પ્રજ્ઞાપના પ્રતિકૂલશય્યા પ્રતિક્રમણગ્રન્થત્રયી પ્રતિક્રમણસૂત્ર પ્રતિક્રમણાધિકાર પ્રતિમા પ્રતિલેખન પ્રતિસેવના પ્રતીતિસત્ય પ્રત્યક્ષ પ્રત્યાખ્યાન ૧૭૧, ૨૮૧, ૨૮૨ ૮૬ ૨૮૨ ૨૩૬ ૧૫૨ ૨૪૫ ૨૭૦ ૬૩, ૬૪ ૮૮, ૯૬, ૯૮, ૧૦૧, ૨૦૩, ૨૦૦, ૨૩૦ ૧૯૮ ૯૬, ૯૮ પ્રત્યાખ્યાનક્રિયા પ્રત્યાખ્યાનપદ ૩૧૧ પૃષ્ઠ ૨૬૬ ૨૬૬ ૧૬૩ ૨૧૯ ૨૬૬ ૧૬૨ ૧૭૯ ૨૧૬, ૨૩૫ ૧૭૯ ૧૭૯ ૨૧ ૧૮૧ ૮૧, ૨૮૨ ૨૦૨ ૨૬૯ ૮૨, ૧૭૧, ૨૪૫ ૧૮૪ Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ અંગઆગમ શબ્દ પૃષ્ઠ શબ્દ પૃષ્ઠ પ્રથમ ૨૪૧ પ્રાસુકવિહાર ૨૪૪ પ્રથમાનુયોગ ८८ પ્રિયંગુ ૨૭૮ પ્રદ્યુમ્ન ૨૬૦ પ્રિયકારિણી ૧૬૪ પ્રધાન ૧૮૦ પ્રિયદર્શના ૧૬૫ પ્રભાચંદ્ર ૧૨૮, ૨૮૧ પ્રિયદર્શી રાજા અશોક પ્રભાચંદ્રીયવૃત્તિ ૮૬, ૧૭૧ પ્રભાવકચરિત ૧૨૮ ફણિત ૨૪૧, ૨૪૨ પ્રભુ ૧૮૦ ફલકમાર્ગ ૧૯૨ પ્રમાણપદ ૧૦૦ ફલાહારી ૨૩૫ પ્રમાણમાંતર ૨૨૮ ૧૬૦ પ્રયાગ ૨૭૫ ફારસી ૨૧૯ પ્રવચનાંતર ૨૨૮ ફાલઅંબાપુત્ર ૨૫૯ પ્રવ્રજજ્યા ૨૧૬ ફાસુયવિહાર ૨૪૪ પ્રશાસ્તાસ્થવિર ૨૧૮ ૧૬૦ પ્રશ્નપદ્ધતિ ૧૨૭ ફૂલચંદજી ભિક્ષુ” ૨૮૫ પ્રશ્નવ્યાકરણ ૬૮, ૮૦, ૮૭, ફોજદાર ૨૭૬ - ૮૯, ૯૨, ૯૫, ૨૬૭, ૨૬૮, ૨૭૧, ૨૭૨ બંધ ૧૭૯, ૨૪૪, ૨૪૫ પ્રાકૃત ૮૮, ૧૭૨ ૧૦૬ પ્રાકૃત વ્યાકરણ ૧૪૦ બંધશતક ૨૪૬ પ્રાણવધ ૨૪૪ બંધુશ્રી ૨૭૬ પ્રાણવાદ ૯૮ બંભઉત્ત ૧૮૦ પ્રાણાયુ ૯૬, ૯૮ બંભચેર ૧૨૯ પ્રાણાતિપાત ૨૪૧ બકુશ ૨૪૫ પ્રાણામાં ૨૩૫ બનિયાગાંવ ૨૭૪ પ્રાણાવાય ૮૮, ૯૮ બરફ ૨૪૨ પ્રામાણ્ય ૭૫, ૭૬ બર્બર ૧૬૧ પ્રાયશ્ચિત્ત ૨૪૬ બલદેવ ૨૪૦, ૨૬૦ પ્રાવનિકાન્તર ૨૨૮ બલિ ૨૪૮ પ્રાવાદુકા ૧૦૪ બળ ૧૭૩ બંધન Page #347 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા શબ્દ બહિષ્ક્રા બહુપુત્રિક બહુમૂલ્ય બાઈબલ બાબુ ધનપતિસિંહ પૃષ્ઠ ૧૯૧ ૨૪૨ ૨૧૬ ૨૫૧ ૨૮૪ ૨૭૭ ૧૯૦ ૧૮૫ ૬૮, ૬૯ ૨૬૭ ૧૭૩ ૧૯૨ ૨૩૫ ૨૩૫ બુક્કસ ૧૫૭ બુદ્ધ ૬૯, ૭૦, ૭૮, ૧૦૪, ૧૧૨, ૧૩૦, ૧૩૭, ૧૩૯, ૧૪૭, ૧૫૦, ૧૫૩, ૧૭૩, ૧૭૫, ૧૭૭, ૧૭૮, ૧૭૯, ૧૮૦, ૧૯૯, ૨૦૬ બુદ્ધવચન ૭૧, ૭૨, ૧૪૭, ૧૭૩, ૨૦૬ બાલચિકિત્સા બાલવીર્ય બાહુઅ બાહુક બાહુપ્રશ્ન બિંદુસાર બિલમાર્ગ બિલવાસી બીજાહારી બૃટ્ટિપનિકા બૃહત્કલ્પ બૃહદારણ્યક બૃહસ્પતિદત્ત બેન્નાતટ બોતેર કળાઓ બોક્કશાલિયકુલ બોક્કસ બોડિંગ ૬૨, ૮૦ ૬૦, ૬૧ ૬૯, ૧૪૨, ૧૪૪ ૨૭૫, ૨૭૯ ૬૨ ૭૧, ૨૪૭ ૧૫૭ ૧૩૩ ૧૮૫ શબ્દ બૌદ્ધ પૃષ્ઠ ૭૧, ૭૮, ૧૦૧, ૧૩૮, ૧૮૬, ૧૮૮, ૧૯૪, ૨૦૧, ૨૨૮ બૌદ્ધ ગ્રંથો ૬૦ બૌદ્ધદર્શન ૧૭૮ બૌદ્ધ પરંપરા ૧૩૬ બૌદ્ધપિટક ૬૯, ૭૭, ૧૦૩, ૧૫૦, ૧૭૨, ૨૦૬ ૧૩૯, ૨૦૫ ૧૪૪, ૧૭૬, ૧૭૯ ૨૬૯ ૧૩૮ ૧૭૯ ૧૨૯ ૧૦૪, ૧૨૩, બૌદ્ધભિક્ષુ બૌદ્ધમત બૌદ્ધવિહાર બૌદ્ધશ્રમણ બૌદ્ધ સંપ્રદાય બ્રહ્મ બ્રહ્મચર્ય બ્રહ્મચર્યવાસ બ્રહ્મચારી ૧૧૧, ૧૧૮, ૧૨૯, ૧૩૦, ૨૭૧ ૨૩૧ ૧૩૪ ૧૩૯ ૨૨૭ ૧૪૩ ૨૦૫, ૨૦૬ ૨૪૭ ૧૦૧, ૧૮૦ બ્રહ્મા બ્રાહ્મણ ૭૭, ૧૦૧, ૧૩૧, ૧૩૨, ૧૩૩, ૧૪૭, ૧૮૨, ૧૯૭, ૨૫૩, ૨૭૬, ૨૭૯ ૨૩૩ ૧૬૪ ૧૩૦ ૬૯ બ્રહ્મજાલસુત્ત બ્રહ્મલોક બ્રહ્મવિદ્યોપનિષદ્ બ્રહ્મવ્રતી બ્રહ્મશાન્તિયક્ષ બ્રાહ્મણકુRsગ્રામ બ્રાહ્મણકુંડપુર બ્રાહ્મણમ્મિકસુત્ત બ્રાહ્મણપરિવ્રાજક ૩૧૩ ૭૧, Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ અંગઆગમ ૨૨૮ ૧૬૨ ૨૪૫ બ્રાહ્મી ૨૧૮, ૨૨૪ શબ્દ પૃષ્ઠ બ્રાહ્મીલિપિ ૨૧૮, ૨૧૯, ભવ ૨૪૫ ૨૨૪ ભવદ્રવ્ય ૨૪૧ ભવનવાસી ૨૨૭ ભંગ ૧૬૩ ભવનાવાસ ૨૪૪ ભંગાંતર ભવસિદ્ધિક ૨૪૬ ભંગિય ભવસ્થ કેવળજ્ઞાન ૨૧૫ ભગંદર ૨૭૪ ભવ્ય ૨૪૫ ભગવે ૧૪૭ ભાંગિક ૨૧૬ ભગવતી ૮૭, ૮૮, ૨૨૨ ભાગવત ૧૮૮ ભગવતી-આરાધના ૨૮૨ ભારતવર્ષ ૨૭૪ ભગવતીસૂત્ર ૧૪૮, ૧૫૨, ભારદ્વાજ ૬૯, ૨૧૨ ૨૮૨, ૨૮૫ ભાવ ભગવદ્ગીતા ૧૪૧, ૧૮૮ ભાવના ૧૨૦, ૧૨૧, ૧૨૨, ભગવાન મહાવીરના દશ ઉપાસકો ૧૨૩,૧૬૪, ૧૬૬ ૨૫૭ ભાવશ્રુત ૬૩, ૬૪ ભગવાન મહાવીરની ધર્મકથાઓ ભાવસત્ય ૨૪૯ ભાષા ૧૬૨, ૧૯૨, ૨૩૭, ૨૩૯ ભગવાન ૧૪૭, ૧૮૩ ભાષાાત ૧૧૨, ૧૨૧, ભગાલી ૨૫૯ ભજન ૧૯૧ ભાષાનૈષણા ૧૨૦ ભટ્ટાકલંક ૮૪, ૨૨૩,૨૮૨, ૨૮૩ ભાષાપ્રયોગ ૧૬૨ ભદસ ૨૧૨ ભાષાવિચય ભક્િલપુર ૨૬૦ ભાષાવિજય ભદ્રબાહુ ૬૪, ૬૯, ૧૨૬, ૨૧૨, ભિક્ષા ૧૫૭, ૧૫૮ ૨૮૦ ભિક્ષાગ્રહણ ૨૩૧ ૨૩૭, ૨૬૬ ભિક્ષાવૃત્તિ ૧૮૪ ભદ્રાવુધમાણવપુચ્છાસુર ૧૪૫ ભિક્ષાશુદ્ધિ ભયણ ૧૯૧ ૧૯૭ ભરત ૧૩૨ ભિક્ષુચર્યા ૧૧૨ ભરતક્ષેત્ર ૨૨૦ ભિક્ષુણી ૧૬૨ ર ૯૩ ૯૩ ભદ્રા ૧૧૦ ભિક્ષુ Page #349 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૩૧૫ મંગલ શબ્દ પૃષ્ઠ શબ્દ પૃષ્ઠ ભિક્ષુસમય ૧૭૫ મંખલિ ૨૩૮ ભિખારી ૧૫૭ મંખલિપુત્ર ૬૯, ૨૨૪, ભિજીંડ ૨૫૨ ૨૩૭, ૨૩૮, ૨૫૭ ભીમ ૨૭૫ ૨૨૪ ભીમસિંહ માણેક ૨૮૪ મંત્રવિદ્યા ૨૬૭ ભીલા ૧૬૧, ૨૧૯ મંદિર ભૂકમ્પ ૨૨૦ મકાન ૧૬૧ ભૂખ ૧૮૪ મખલિપુત્ર ૧૦૪, ૨૩૭ ભૂત ૧૦૫, ૨૫૬, ૨૭૩ મગધ ૧૪૪, ૧૪૫, ૨૨૧ ભૂતબલી - ૬૨ મગધરાજ ૨૦૫ ભૂતમહ ૧૫૭ મચ્છડિકા ૨૫૪ ભૂતલિપિ ૨૧૮, ૨૧૯ મચ્છર ૧૮૪ ભૂતવાદ મજીઠ ૨૪૨ ભૂતવાદી ૧૭૨, ૧૯૮ મઝિમનિકાય ૧૦૧, ૧૦૩, ભૂતવિદ્યા ૨૭૭ ૧૩૭, ૧૪૮, ૧૭૩ ભૂતાન ૨૧૯ મબ ૧૫૮ ભૂતાનંદ હાથી ૨૪૧ મતાંતર ભૂતિપ્રજ્ઞ ૧૮૯ મતિજ્ઞાન ૬૩, ૬૪, ૬૬ ભૂમિ ૨૪૪ મતિમાન ૧૪૭ ભૂમિશયા ૨૩૧ મથુરા ૧૨૬, ૧૮૩, ૨૨૧, ભોગ ૨૪૯ ૨૫૪, ૨૭૬ ભોગકુલ ૧૫૭, ૨૪૫ મથુકી ૨૫૧ ભોગવતિકા ૨૧૮ મદિરાપાન ૧૦૫ ભોજન ૧૬૦ મદુરા. ૨૫૪ ભોજનપિટક ૨૪૯ મદ્ય ૧૫૮, ૧૫૯ ભોટ મદ્યપાન ૧૦૫ ભ્રમર ૨૪૨ મદ્રક ૨૪૩ મધ ૧૫૮, ૧પ૯ મઇમ ૧૪૭. મધુરાયણ ૬૯ મંખ ૨૩૭, ૨૩૮ મધ્યમપદ ૧૦૦ ૨૨૮ ૨૧૯ Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શબ્દ મન:પર્યાય મન:પર્યાયજ્ઞાન મનઃશુદ્ધિ મનસંચેતના મનુ મનુષ્ય મનુસ્મૃતિ મનોજીવવાદી મમત્વ મયંગતીર મયદ મયાલિ મયૂરપોષક મર્યાદા મલધારી હેમચંદ્ર મલયગિરિ મલ્લકી મલ્લિ મળમૂત્રવિસર્જન મસ્તકશૂળ મહર્ષિ મહાઅધ્યયન મહાકર્મપ્રકૃતિપ્રામૃત મહાકશ્યપ મહાગિરિ મહાજાણ મહાદુમસેન મહાધવલા મહાનદી પૃષ્ઠ ૧૪૮ ૬૩ ૧૦૯ ૨૦૩ ૧૩૫ ૨૦૨, ૨૪૬ ૧૩૩, ૧૩૫, ૧૩૬, ૧૬૨, ૨૫૪ મહામાર્ગ ૨૬૮ મહાયાન ૧૬૬ મહારથ ૨૪૯ મહાવંશ ૨૪૨ મહાવિદેહ ૨૬૫ ૨૪૯ ૨૨૭ ૨૮૦ ૬૬, ૧૧૫ ૨૪૯ ૨૫૧ ૧૬૩ ૨૭૪ ૧૮૦ ૧૯૮ ૬૨ 23 ૨૧૨ ૧૪૬ ૨૬૫ ૮૫ ૨૨૦ શબ્દ મહાનરક મહાપરિજ્ઞા મહાપરિણા મહાપરિન્ના મહાભારત મહાવીર-ચરિત મહાવીરચરિય મહાવીર જૈન વિદ્યાલય મહાવીરભાષિત મહાવીહિ મહાવૃષ્ટિ મહાવ્યુત્પત્તિ મહાવ્રત અંગઆગમ પૃષ્ઠ ૧૮૮ ૧૧૭, ૧૧૮ ૬૯, ૭૦, ૭૧, ૭૨, ૧૦૧, ૧૩૬, ૨૧૪, ૨૫૩ ૧૪૬ ૧૪૬, ૧૭૮ ૧૮૪ ૧૭૩ ૧૨૨, ૨૭૫ મહાવીથિ ૧૪૬ મહાવી૨ ૫૯, ૬૦, ૬૧, ૭૦, ૭૮, ૯૦, ૧૧૨, ૧૧૮, ૧૧૯, ૧૨૧, ૧૨૫, ૧૩૩, ૧૩૪, ૧૪૬, ૧૫૩, ૧૬૪, ૧૭૨, ૧૭૫, ૧૭૯,૧૮૮, ૧૯૬, ૨૦૧, ૨૦૮, ૨૦૯, ૨૧૨, ૨૧૫, ૨૨૪, ૨૨૭, ૨૩૧, ૨૩૩, ૨૩૪, ૨૩૬, ૨૩૭, ૨૩૯, ૨૪૨, ૨૪૪, ૨૫૫, ૨૫૭, ૨૭૨, ૨૭૩, ૨૭૫, ૨૭૭ ૧૬૪ ૨૩૭ ૨૮૫ ૨૬૭ ૧૪૬ ૨૨૧ ૨૧૪ ૧૨૧, ૧૮૩, ૨૫૧ ૧૧૫, ૧૧૭, ૧૧૮, ૧૧૯ ૧૧૫ Page #351 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા શબ્દ મહાશતક મહાશુક્રકલ્પ મહાસિંહસેન મહાસેન મહામ્રવ મહાસ્વપ્ર મહિમાનગરી પૃષ્ઠ ૨૫૫ ૨૪૦ ૨૬૫ ૨૬૫ ૨૪૪ ૨૪૦ ૬૨ ૨૨૦ ૨૦૦ ૨૭૬ ૨૨૦ ૨૪૦ માંસ ૧૫૮, ૧૫૯, ૧૭૭, ૧૭૮ ૧૭૮, ૧૭૯ ૧૫૦, ૧૭૮ ૧૫૦, ૨૭૭ ૨૪૨ ૨૪૧, ૨૪૨, ૨૫૧ ૧૫૮, ૧૫૯, ૨૪૨ ૧૩૨ ૧૬૦ ૨૭૭ ૨૧૨ ૨૪૦ ૧૪૨ ૬૯, ૨૫૯ મહી મહેચ્છા મહેશ્વરદત્ત મહોરગ માંડલિક માંસભક્ષણ માંસભોજન માંસાહાર માકંદિ પુત્ર માકંદી માખણ માગધ માછલી માછીમાર માણવગણ માંડલિકરાજા માંડૂક્યોપનિષદ્ માતંગ માથુરાયણ માથુરીવાચના માન 2′ ૮૫, ૧૨૬, ૧૨૮, ૨૦૪ ૧૯૧ શબ્દ માનતા માનપ્રત્યયદંડ માયા માયાપ્રત્યયદંડ માર માર્ગ માર્ગાન્તર માસ માસકલ્પી માહણ માહેશ્વરીલિપિ મિતવાદી મિત્ર મિત્ર રાજા મિત્રદોષપ્રત્યયદંડ મિથિલા મિથ્યાત્વી મિથ્યાદષ્ટિ મિથ્યાશ્રુત મિયગામ મિયલુન્દ્વય મિલિંદપગ્ય મીમાંસક મુંડકોપનિષદ્ મુંડભાવ મુકુંદ મુકુંદમહ મુક્તાત્મા મુદ્ગરપાણિ મુનિ ૩૧૭ પૃષ્ઠ ૧૦૫ ૨૦૦, ૨૦૧ ૧૮૦, ૧૯૧ ૨૦૦, ૨૦૧ ૧૪૫, ૧૮૦ ૧૭૧, ૧૯૨ ૨૨૮ ૨૪૪, ૨૫૧ ૧૫૮ ૧૩૧, ૧૪૭ ૨૧૮, ૨૧૯ ૧૯૩ ૨૭૪ ૨૭૫ ૨૦૦, ૨૦૧ ૨૨૧ ૨૪૫ ૭૧ ૬૪, ૬૭ ૨૭૩ ૨૩૫ ૧૩૮ ૭૩ ૧૪૫ ૨૩૧ ૨૭૩ ૧૫૭ ૧૦૫ ૨૬૨ ૧૪૭ Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ અંગઆગમ પૃષ્ઠ શબ્દ મુનિસુવ્રત મુષ્ટિપ્રશ્ન મુસલમાન મુહપત્તી મૂલ-આરાધના મૂલબીજ મૂલાચાર મૂલારાધના મૂલાહારી મૂળ મૃગગ્રામ મૃગલુબ્ધક મૃગાદેવી મૃગાપુત્ર મૃગાવતી મૃતગંગા મૃતભોજન મૃત્તિકાભાજન મૃત્યુ મૃષાપ્રત્યયદંડ મેધાવી મેયજ઼ગોત્રીય પૃષ્ઠ શબ્દ ૨૪૦, ૨૪ર ૨૭૧ યક્ષ ૨૩૭ યક્ષમ ૧પ૨, ૨૩૩ યક્ષા ૨૮૨ યજુર્વેદ ૨૦૨ યજ્ઞ ૨૮૩ યતિ ૮૬, ૨૮૨ યતિવૃષભ ૨૩૨, ૨૩૫ યતિ સમય ૧૦, ૨૩૨ યથાવત ૨૭૩ યમ ૨૩૫ યમકીય ૨૭૩ યમનીય ૨૭૩, ૨૭૪, ૨૭૯ યમુના ૨૭૪, ૨૭૬ યવનિકા ૨૪૯ થવોદક ૧૨૪ યશોદા ૨૫૦ યશોમતી ૧૮૨ યશોવિજય ૨૦૦ યાગ ૧૪૭, ૧૭૯ યાજ્ઞવક્ય ૨૦૭ યાત્રા ૨૪૧ યાદેશિક ૧૬૩ યથાતથ્ય ૧૪૭, ૧૭૯ યાપનીય ૧૮૯ યાવની ૧૭૦, ૨૩૬ થાવત્ત: ૧૭૨ યાસ્ક ૧૬૧, ૨૬૯ યુગ યુગલિક ૧૦૫, ૨૩૨, ૨૭૩ ૧પ૭ ૧૨૨ ૨૫૦, ૨૭૬ ૧૩૮, ૧૪૫ ૧૩૪ ८४ ૧૭૧ ૧૧૩ ૬૯, ૧૮૦, ૨૩૪ ૧૯૬ ૨૪૪ ૨૨૦ ૨૪૯ ૧૫૯ ૧૬૫ ૧૬૫ ૭૧, ૧૨૯ ૧૪૫, ૨૪૯ ૬૯, ૭૦ ૨૪૪ મે ૨૬૯ મેષ મહાવી મૈથુનવિરમણ ૧૯૫ ૨૪૪, ૨૫૧ ૨૧૮ ૧૧૫ ૭૪ મોક્ષ મોક્ષમાર્ગ પ્લેચ્છ ૨૪૨ ૨૩૨ Page #353 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા શબ્દ યુગ્મ યુદ્ધ યોગ યોગદૃષ્ટિસમુચ્ચય યોગશાસ્ત્ર યોગશાસ્ત્રપ્રકાશ યોગસત્ય યોગસૂત્ર યોનિળ રંડદેવતા રક્તપટ રક્તસુભદ્રા રજોહરણ રજ્જુમાર્ગ ઉડ રતિકલ્પ રતિગુણ રત્નમુનિસ્મૃતિગ્રંથ રમકડાં રસ રસાયણ રાક્ષસ રાગ ૧૯૦ ૨૫૩ ૨૦૦ ૧૫૨, ૨૧૬, ૨૩૩ ૧૯૨ ૨૭૪ ૧૨૨ રામગુપ્ત ૨૭૪ રામપુત્ર ૧૫૨ રામાયણ ૧૮૭ ૧૧૭ રાશિયુગ્મ ૨૭૭ રાષ્ટ્રકૂટ ૧૮૨ રાષ્ટ્રધર્મ ૨૪૫ રાજકુળ ૧૫૮ રાજગૃહ ૨૦૬, ૨૨૧, ૨૨૪, ૨૨૭, ૨૩૭, ૨૪૩, ૨૪૯, ૨૬૨, ૨૬૩ ૧૫૮, ૨૨૦ ૨૪૯ રાજધાની રાજન્ય પૃષ્ઠ ૨૪૨, ૨૪૫, ૨૪૬ ૧૦૫ ૨૪૫ 90 ૧૨૬ ૧૨૬ ૨૭૦ ૧૮૮ ૨૭૫, ૨૭૮ ૨ શબ્દ રાજન્યકુળ રાજપ્રશ્નીય રાજપ્રસેનકીય પૃષ્ઠ ૧૫૭, ૨૪૫ ૮૧, ૮૨ ૮૧ ૧૫૮ ૧૫૮ ૮૫, ૮૮, ૯૦, ૧૦૦, ૧૦૯, ૧૧૧, ૧૭૧, ૨૨૩, ૨૫૯, ૨૬૫, ૨૬૭, ૨૭૮, ૨૮૧ રાજવાર્તિકકાર ૮૫, ૨૭૧, ૨૮૨ ૧૫૮, ૧૮૨ ૧૬૧ ૧૦૫ ૨૭૪ ૧૮૩, ૧૮૯ ૧૧૧ રાજમૃત્ય રાજવંશ રાજવાર્તિક રાજા રાજા-રહિતરાજ્ય રાજ્યસંસ્થા રાઠોડ રાત્રિભોજન રાત્રિભોજનત્યાગ રાયપસેણઇજ્જ રાષ્ટ્રસ્થવિર રુક્મિણી રુદ્ર રુદ્રમહ રુદ્રાક્ષમાળા રસ રૂપ ૩૧૯ ૬૯, ૧૮૫, ૨૫૯ ૬૮, ૬૯, ૨૬૬ ૭૧, ૭૨ ૨૩૨ ૨૪૭ ૨.૭૪ ૧૯૧ ૨૧૮ ૨૬૦, ૨૦૦ ૧૦૫, ૨૭૩ ૧૫૭ ૨૫૦ ૧૬૩ ૧૨૦, ૧૨૧ Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ અંગઆગમ ૨૭૪ શબ્દ રૂપદર્શન રૂપસત્ય રેવતી રૈવતક રોગ રોગી રોમ આહાર રોહ અણગાર રોહગુપ્ત રોહણ રોહિણી લંતિયાપિયા લધુટીકા લઘુપ્રતિક્રમણ લઘુશંકા લતામાર્ગ લતિણીડિયા લરિયપિયા લબ્ધિ લલિતવિસ્તર લલિતાંકપિયા લવણ સમુદ્ર લદેત લાંતક લિંગ લિંગાંતર લિચ્છવી પૃષ્ઠ શબ્દ પૃષ્ઠ ૧૬૩ લીમડો ૨૪૨ ૨૭૦ લીલા ૧૮૧ ૨૫૭ લેખન-પદ્ધતિ ૨૧૮ ૨૫૦, ૨૬૦ લેચ્છઈ ૨૭૯ લેચ્છકી ૨૪૯ ૧૬૦ લેણ ૨૬૯ ૨૦૨ લેતિયાપિયા ૨૫૫ ૨૨૯ લેવા ૨૦૬, ૨૦૭ ૨૧૭ લેયા ૨૪૪, ૨૪૫, ૨૪૬ ૨૧૨ લોક ૧૮૧, ૨૨૯ ૨૫૧, ૨૭૦ લોકબિંદુસાર ૮૮, ૯૬, ૯૮ લોકવાદ ૧૮૧ ૨પપ લોકવાદી ૧૪૪ ૨૪૭ લોકવિજય ૧૧૧, ૧૧૫, ૨૮૧ ૧૧૬, ૧૨૨ ૧૨૧ લોકસાર ૧૧૭ ૧૯૨ લોકશાહ ૧૫૨ ૨૫૫ લોકશાહ અને તેમની વિચારધારા ૨૫૫ ૧૫૨ ૧૦૫ લોગવિજય ૧૧૫ ૧૫૩, ૨૧૯ લોગાવાઈ ૧૪૩ ૨૫૫ લોઢું ૨૪૨ ૧૦૫, ૨૭૫ લોભ ૧૯૧ લોભપ્રત્યયદંડ ૨૦૦, ૨૦૧ ૨૨૭ લોમાહાર ૨૦૨ ૨૪૫ ૨પ૧ ૨ ૨૮ ૨૪૯, ૨૭૯ વક્રતા ૧૯૧ ૨૭૯ વષ્પાવચ્ચ ૨૬૫ લિપ્સ ૨૧૩ Page #355 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા શબ્દ વચનશુદ્ધિ વજ વણકર કુળ વત્સ વનપર્વ વનવાસી વનસ્પતિ વનસ્પતિકાય વનીપક વરાહમિહિર વરિસવકહ્ વરુણ વર્ણ વર્ષાંતર વર્ણાભિલાષા વર્ધમાન વર્ધમાનપુર વર્ષાઋતુ વર્ષાવાસ વલભી વલ્કલ વલ્કવાસી ૬૯ ૬૯, ૨૩૪ ૧૩૧, ૧૩૨, ૧૩૩ ૧૩૨, ૧૩૩, ૧૪૬, ૧૪૭, ૧૬૪, ૧૮૮, ૨૪૫ ૧૫૧, ૬૯ ૨૭૮ ૧૬૧ ૧૬૧ ૫૯, ૬૨, ૧૨૬, ૧૮૩ ૧૨૭, ૧૨૯, ૨૩૪, ૨૩૫ ૨૩૫ વસુ વસુદેવહિંડી વસુનંદી વસુમંત વસ વસ્ત્રગ્રહણ વસ્ત્રધારણ પૃષ્ઠ ૧૦૯ ૨૪૨ ૧૫૭ ૨૨૧ ૨૧૪ ૧૩૪ ૧૦૫, ૨૨૫, ૨૪૫ ૨૨૫ ૧૫૭ ૧૭૪ ૧૪૮, ૧૪૯ ૧૦૨, ૧૫૧ ૨૮૩ ૧૪૮ ૧૫૨, ૧૬૨ ૧૬૨ ૧૬૨ શબ્દ પૃષ્ઠ વસૈષણા ૧૧૨, ૧૨૦, ૧૨૧, ૧૬૨ વાચકવંશ ૧૨૭ ૧૨૩, ૧૨૫, ૧૭૩ ૮૪ ૨૭૭ ૨૨૭, ૨૪૪ ૧૩૧ ૧૦૫ ૧૩૬ ૨૬૮ ૨૨૫ ૨૩૯ ૨૬૮ ૧૦૧ ૨૩૫ ૨૨૧ ૧૯૦ ૨૬૫ ૧૨૬, ૧૨૮ ૨૭૬ ૧૬૪, ૨૧૨ ૨૪૦ ૧૯૨ ૧૦૫ વાચના વાચનાભેદ વાજીકરણ વાણવ્યન્તર વાણિજ્ય વાદવિવાદ વાનપ્રસ્થ વામલોકવાદી વાયુ વાયુકાય વાયુજીવવાદી વાયુપુરાણ વાયુભક્ષી વારાણસી વારિભદ્રક વારિખેણ વાલભી વાચના વાળંદ વાસિષ્ઠગોત્રીય વાસુદેવ વાહનમાર્ગ વિકુર્વણાશક્તિ વિક્ખાપણત્તિ વિચિત્રચર્યા વિજય વિજયમિત્ર વિજયવર્ધમાન વિજયાનંદસૂરિ ૩૨૧ ८८ ૧૨૨ ૨૬૪, ૨૭૮ ૨૭૫ .૨૭૪ ૨૮૪ Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ અંગઆગમ ૮૯, ૯૫ $ $ $ $ ૨૫૩ શબ્દ પૃષ્ઠ શબ્દ પૃષ્ઠ વિજયોદયા ૨૮ર વિમોખ્ખ ૧૧૮ વિજ્ઞાનરૂપ ૨૦૨ વિમોક્ષ ૧૧૧, ૧૧૫, ૧૧૮ વિદેહ ૨૨૧ વિમોહ ૧૧૧, ૧૧૫, ૧૧૮, ૧૨૪ વિદેહદત્તા ૧૬૪ વિયાહપષ્ણત્તિ ૯૦, ૯૧, ૨૨૨ વિદ્યાચારણ ૨૪૫ વિયાહપત્તિ ૮૯ વિદ્યાનુપ્રવાદ ૮૮, ૯૬, ૯૮ વિરુદ્ધ ૨૫૩ વિદ્યાનુવાદ ૯૬, ૯૮ વિવાગપણત્તિ વિદ્યાભ્યાસ ૧૦૫ વિવાગસુઅ વિદ્યુમ્નતિ ૨૭૦ વિવાગસુત્ત વિનય ૧૭૧ વિવાયપત્તિ ૮૮, ૯૦ વિનયપિટક ૧૬૧, ૧૬૨, વિવાયસુઅ ૨૫૧ વિવાહ વિનયવાદ ૮૮ વિવાહપષ્ણત્તિ ૯૦, ૨૨૨ વિનયવાદી ૧૩૭, ૧૭૦, વિવાહપન્નત્તિ ૮૯ ૧૯૩, ૨૪૬ વિવાહપ્રજ્ઞપ્તિ ૨૨૨ વિનયશુદ્ધિ ૧૧૦ વિવાહ ૮૯ વિપાકપ્રજ્ઞપ્તિ ૮૮, ૯૦ વિશાખ ૨૪૧ વિપાકશ્રુત ૯૨, ૯૭ વિશાખા ૨૪૨ વિપાશ્રુતમ્ ૯૦ વિશાલા ૧૮૩ વિપાકસૂત્ર ૮૦, ૮૭, ૯૨, વિશુદ્ધિમાર્ગ ૨૫૪ ૯૫, ૨૪૮, ૨૭૨, ૨૭૮ વિશેષાવશ્યકભાષ્ય ૬૪, ૬૬, ૭૦, વિપુલપર્વત ૨૪૯ ૭૯, ૧૦૩, ૧૨૭, ૨૮૦, ૨૮૩ વિપુલમતિ ૧૪૯ વિશેષાવશ્યકભાષ્યકાર ૮૧, વિબાધપ્રજ્ઞપ્તિ ૯૦, ૨૨૨ ૯૯, ૧૬૫ વિબાહપષ્ણત્તિ ૯૦, ૨૨૨ વિષચિકિત્સા ૨૭૭ વિભજ્યવાદ વિષપ્રયોગ ૨૭૭ વિભ્રમ ૧૭૧ વિષ્ણુ ૧૮૦, ૨૬૦, ૨૬૯ ૨૩૬ વિષ્યકસેન ૧૮૯ વિમુક્તિ ૧૨૦, ૧૨૧, ૧૨૨, વિશુદ્ધિમગ્ન ૧૭૮, ૧૮૬ ૧૨૩, ૧૬૬ વિસ્તવાહિતગણ ૨૧૨, ૨૧૩ વિમાન Page #357 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા શબ્દ વિહાર વીતરાગ વીતરાગતા વીર વીરચંદ રાઘવજી વીરસેન વીરસ્તવ વીરસ્તુતિ વીર્ય વીર્યપ્રવાદ વીર્યાનુપ્રવાદ ૧૨૧ ૧૦૫, ૧૬૭ ૧૪૬, ૧૪૭, ૧૮૮ ૨૮૪ ૨૮૩ ૧૮૮ ૧૭૧, ૧૮૩, ૨૩૧ ૧૭૧, ૧૭૩, ૧૯૦ ૯૬, ૯૮ ૮૮, ૯૮ ૨૭૩ ૧૫૭ ૨૩૫ ૧૧૧, ૧૭૩, ૧૭૫ ૨૫૩ ૨૨૧ ૧૮૨ ૧૯૨ ૫૮, ૫૯, ૭૦, ૭૧, ૭૨, ૭૩, ૭૫, ૭૭, ૧૦૨, ૧૦૫, ૧૪૮, ૧૪૯, ૨૪૫ ૨૪૫ ૨૪૫ ૨૦૬ ૧૪૯ ૧૪૯ ૨૬૯ ૧૪૯ ૧૪૯ વૃક્ષ વૃક્ષમહ વૃક્ષમૂલિક વૃત્તિકાર વૃદ્ધ વૃષ્ટિ વેતાલિય વેત્રમાર્ગ વેદ વેદન વેદના વેદવાદી વેદવાન્ વેદવિત્ વેદિકા વેયવં વેયવી ૧૬૧, પૃષ્ઠ ૨૬૯ શબ્દ વેયાલિય વેલવાસી વેશભૂષા વેશ્યાગમન વેસવાડિઅ વેસિઅકુલ વેહલ્લ વેહાયસ વૈજયંત વૈયિકા વૈણવ વૈતાઢ્ય વૈતાલીય વૈદારિક વૈદિક વૈદિક પરંપરા વૈદિક સાહિત્ય વૈદેહ વૈદ્ય વૈદ્યપુત્ર વૈભવ વૈરોટ્યા વૈશાલિક વૈશાલી વૈશેષિક વૈશ્ય વૈશ્યકુળ વૈશ્રમણ વૈશ્વદેવ ૩૨૩ પૃષ્ઠ ૧૮૧ ૨૩૫ ૧૦૫ ૨૭૫ ૨૧૨ ૧૫૭ ૨૬૫, ૨૬૬ ૨૬૫ ૨૬૪ ૨૧૮ ૧૩૩ ૨૫૧ ૧૨૩, ૧૪૬, ૧૭૧, ૧૮૧, ૧૮૨ ૧૮૧, ૧૮૨ ૧૦૧, ૧૮૮ ૫૯, ૧૦૫ ૬૧ ૧૩૨ ૨૭૪ ૨૭૪ ૧૦૫, ૧૧૭ ૨૪૭ ૧૮૩ ૨૭૪ ૭૧ ૧૩૧, ૧૩૨, ૨૭૬ ૧૫૭ ૬૯, ૧૦૫, ૨૩૫ ૨૩૪ Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ અંગઆગમ ૨૭૭ ૧૦૫ શબ્દ પૃષ્ઠ શબ્દ પૃષ્ઠ વોહૂ ૧૪૯ શોપકરણ ૨૩૪ વ્યવસાય ૧૦૫, ૧૬૧ શરીર ૧૧૭, ૨૧૬, ૨૪૫ વ્યવહારધર્મ ૧૭૧ શલ્ય ચિકિત્સા વ્યવહારસત્ય ૨૭૦ શસ્ત્ર ૧૩૩, ૧૪૫ વ્યાકરણશાસ્ત્ર ૭૧ શસ્ત્રપરિજ્ઞા ૧૧૧, ૧૧૫, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૮૦, ૮૮, ૮૯, ૧૩૩, ૧૩૪, ૧૩૫, ૧૩૬ ૯૦, ૯૩, ૯૪, ૯૭, ૧૭૩, ૨૨૨, શસ્ત્રપ્રયોગ ૨૭૭ ૨૩૬, ૨૮૨, ૨૮૩, ૨૮૫ શાંબા ૨૬૦ વ્યાપાર શાકટાયન ૨૪૪ વ્યાવૃત્ત ૧૬૬ શાક્ય ૧૩૯, ૧૮૬ વ્યાસ ૧૮૦, ૨૫૦, ૨૫૩ શાક્યપુત્ર બુદ્ધ ૬૯, ૭૦ વ્યાસભાષ્ય ૧૮૮ શાખાંજની ૨૭૫ શાખામાર્ગ ૧૯૨ શંખ ૨ ૨૪ શાણ ૧૬૩ શકટ ૨૭૫, ૨૭૯ શાણક ૨૧૬ શકે ૨૩૭, ૨૩૯, ૨૪૨ શાન ૨૩૯ શક્રેન્દ્ર ૨૪૦, ૨૪૮ શાન્તિપર્વ શણ. ૧૬૩ શાન્તિયજ્ઞ ૨૭૬ શદ્વાર ૨૭૪ - શાલાક્ય ૨૭૭ શતાનીક ૨૭૬ શાલિભદ્ર ૨૬૫ શત્રુંજય ૨૫૧, ૨૫૪, ૨૬૦ શાસનદેવી ૧૨ ૨ શત્રુઘ્ન-યજ્ઞ શાસ્ત્રલેખન ૬૦ શબર ૧૬૦ શિક્ષાસમુચ્ચય ૧૭૮, ૨૫૪ શબ્દ ૬૩, ૧૨૦, ૧૨૧ શિકાગો ૨૮૪ શબ્દશ્રવણ ૧૬૩ શિલ્પ ૧૩૧ શમ - ૭૩ શિવ ૧૦૫, ૨૩૪, ૨૭૩ શયન ૧૧૭, ૧૬૧ શિવભદ્ર ૨૩૪ શયનાસનશુદ્ધિ ૧૧૦ શિવરાજર્ષિ ૨૩૪, ૨૩૫ શવ્યા ૧૧૨, ૧૨૦ શિશુપાલ ૧૮૪ શઐષણા ૧૨૦, ૧૨૧, ૧૬૦ શિષ્ય ૧૯૫ ૧૩૬ Page #359 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા ૩૨૫ શબ્દ શબ્દ પૃષ્ઠ શીતલેશ્યા ૨૩૮ શૌચધર્મ ૨૫૦ શીતોષ્ણીય ૧૧૫, ૧૧૬, શૌરસેની ૧૨૨ શૌરિક ૨૭૭ શીલ ૧૩૦ શૌર્ય ૨૭૯ શીલાંક ૧૦૦, ૧૦૨, ૧૧૫, શ્યામાં ૨૭૭ ૧૧૮, ૧૨૨, ૧૨૩, ૧૨૪, ૧૩૧ શ્યામાક ૧૬૬ શીલાંકદેવ ૧૧૮, ૧૭૪ શ્રમણ ૧૫૬, ૧૬૪, ૧૯૭, શીલાંકસૂરિ ૧૧૮, ૧૪૪ ૨૪૫, ૨૫૩, ૨૫૪ શીલાંકાચાર્ય ૭૧, ૧૭૫ શ્રમણચર્યા ૧૧૭ શુક ૨૫૦ શ્રમણધર્મ ૧૮૨, ૧૯૧ શુક્લલેશ્યા ૨૪૬ શ્રમણ ભગવાન મહાવીર ૨૩૮ શુદ્ધદંત ૨૬૫ શ્રમણ સંઘ ૮૪, ૧૨૬ શુબિંગ ૧૦૨, ૧૨૨, ૧૪૩ શ્રમણ સૂત્ર ૧૭૦ શ્કર ૧૭૮, ૧૭૯ શ્રમણી ૨૫૪ શૂકરમદ્દવ ૧૭૮ શ્રમણોપાસક ૨૫૭ શૂકરમાંસભક્ષણ ૧૭૮, ૧૭૯ શ્રાવક ૨૫૩, ૨૫૫, ૨૫૭ ૧૩૧, ૧૩૨, ૧૩૩, ૨૭૬ શ્રાવકધર્મ ૧૩૧, ૨૨૭ શૂરસેન ૨૨૧ શ્રાવણ ૨૪૪ શૃંખલા ૧૯૬ શ્રાવસ્તી ૧૩૦, ૧૭૩, ૨૨૧, ૨૩૮ શેતાન ૧૪૫ શ્રિયક શેષદ્રવ્યા ૨૦૭ ૨૭૪ શેષવતી ૧૬૫ શ્રીખંડ ૧૫૯ શૈક્ષ ૧૯૫ શ્રીદામ ૨૭૬ શૈલક ૨૪૯, ૨૫૦ શ્રીદેવી ૨૭૮ શૌલેશી ૨૪૧ શ્રીરાણી ૨૭૫ શૈલોદાયી ૨૪૩ શ્રત ૬૨, ૬૩, ૭૭, ૭૯, ૧૭૧ શૈવ ૧૮૬ શ્રુતજ્ઞાન પ૯, ૬૩, ૬૪, ૬૬, શવાલભક્ષી ૨૩૫ ૧૪૮, ૨૧૫ શોક ૨૩૯ શ્રુતજ્ઞાની ૧૩૩, ૧૩૪, ૧૩૬, ૨૫૦ ગ્રુતદેવતા ૨૪૭ ૧૨૨ શ્રી ૧૪૯ Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ૬ અંગઆગમ શબ્દ શ્રતધર્મ ૧૯૧ શ્રુતપંચમી શ્રુતપુરુષ ૮૦ શ્રુતસાગર ૧૭૧ શ્રુતસાગરકૃત વૃત્તિ ૮૮ શ્રુતસાહિત્ય - ૬૧, ૬૨ શ્રુતસ્થવિર ૨૧૮ શ્રુતિ ૫૯ શ્રેણિક ૨૦૫, ૨૦૬, ૨૨૪, ૨૬૩ શ્રેયાંસ ૧૬૪ શ્રેતમજ્ઞાનદર્શનધર ૧૮૩ શ્રેષ્ઠતમજ્ઞાની ૧૮૩ શ્રેષ્ઠતમદર્શી ૧૮૩ શ્લોક ૧૨૩ શ્લોકવાર્તિક ૧૦ શ્વપાક ૧૩૩. શ્વાસ ૨૭૪ શ્વાસોચ્છવાસ ૧૦૫, ૨૩૩ શ્વેતાંબર ૭૧, ૮૪, ૧૮૫ શબ્દ પૃષ્ઠ સંગીતિ ૧૨૬ સંગીતિકા ૧૭૩ સંગ્રહણી ૮૬, ૮૭ સંગ્રામ ૨૩૬ સંઘ ૨૪૭ સંઘધર્મ ૧૯૧ સંઘયણ. ૨૪૫ સંઘસ્થવિર ૨૧૮ સંચય ૨૭૦ સંજયબેલદ્ધિપુત્ર ૧૭૫ સંજ્ઞા ૨૪૫ સંજ્ઞા ૨૪૫ સંજ્ઞી પંચેન્દ્રિય ૨૪૭ સંતાન ૨૫૪ સંનિક ૨૪૫ સંનિગાસ ૨૪૫ સંનિવેશ ૧૫૮ સંપખાલગ ૨૩૫ સંન્યાસ ૧૩૬ સંન્યાસોપનિષદ ૧૪૩ સંમજગ ૨૩૫ સંમતસત્ય ૨૭૦ સંયમ ૨૩૦, ૨૪૫ સંયમધર્મ ૧૮૧ સંયુત્તનિકાય ૧૦૧, ૧૭૩, ૧૭૭, ૧૭૮, ૨૫૪ સંરક્ષણ ૨૭૦ સંવર ૧૭૦, ૨૩૦, ૨૬૮, ૨૭૦ સંવેગ ૭૩ સંશયવાદ ૧૭પ ષકાય પખંડાગમ પડાવશ્યક ષષ્ઠત ષષ્ઠિતસ્ત્ર ૨૫૪ ૬૨, ૮૫ ૨૮૩ ૨૩૪ ૨પ૦ સંકલિકા સંખડિ સંખધમગ સંગીતશાળા ૧૯૬ ૧૫૭, ૧૫૮ ૨૩૫ ૨૫૨ Page #361 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા શબ્દ સંસ્કૃત સંસ્તવ સંસ્થાન સંર્વેદિમ સકથા સચેલક સચેલકતા સત્કાર સત્કાર્યવાદ સત્યપરિણા સત્યપરિક્ષા ૬૧, ૮૪, ૮૬, ૯૦, ૯૪, ૯૯, ૧૦૦, ૧૦૨, ૧૧૦, ૨૭૮, ૨૮૧ સત્ય સત્યપ્રવાદ સત્યભાષી ૧૧૩, ૧૫૨ ૧૧૭ ૧૩૭ ૧૧૫ ૧૩૩ ૧૦૫, ૨૪૪ ૮૮, ૯૬, ૯૮ ૨૭૦૮ ૧૧૭, ૧૨૦ ૧૨૦ ૧૭૩ ૨૫૫ ૧૨૦ ૬૪, ૭૩ ૧૪૦ ૧૭૧, ૧૭૨ સમવસરણ ૧૦૫, ૧૪૪, ૧૭૧, ૧૭૫, ૧૯૩, ૧૯૪, ૨૪૬ સમવાએ ૮૯ સમવાઓ સમવાય સમવાયપાહુડ સદન સમ સદ્દાલપુત્ત સદાલપુત્ર સઘા સપર્યવસિત સમનોજ્ઞ સમય પૃષ્ઠ ૮૮ ૨૦૦ ૨૪૫, ૨૬૫ ૧૫૯ ૨૩૪ ૮૦, ૮૯, ૯૧, ૮૯ ૨૭૯ ૮૪ શબ્દ સમવાયવૃત્તિ સમવાયાંગ સમવાયાંગવૃત્તિ સમવાયાંગવૃત્તિકાર સમાજવ્યવસ્થા ૬૮, ૮૫, ૮૭, ૮૯, ૯૩, ૯૪, ૯૭, ૧૦૩, ૧૧૦, ૧૧૧, ૧૨૦, ૧૨૩, ૧૨૫, ૧૭૦, ૧૭૩, ૧૯૩, ૨૫૫, ૨૫૯, ૨૬૫, ૨૬૭, ૨૭૮, ૨૮૧ ૭૯, ૯૪, ૯૬ સમ્યક્ચારિત્ર સમ્યક્તપ સમ્યક્ત્વ સમ્યકત્વવાદ સમ્યક્ત્વી સભ્યશ્રુત સમ્યાન સમ્યગ્દર્શન ૩૨૭ સમાધિ સમુચ્છેદવાદી સમુદ્દાત ૨૪૫ સમુદ્ર ૧૦૫, ૨૨૯, ૨૬૦, ૨૭૩ સમુદ્રવિજય ૨૬૦ સમ્મત્ત ૧૧૫, ૧૧૬ ૧૧૭ સમ્યગ્દષ્ટિ સમ્યવાદ સયણ સયોગીભવસ્થ કેવળજ્ઞાન સરસ્ક સરયુ સરવણ પૃષ્ઠ ૧૭૪ 22 ૧૦૫ ૧૩૦, ૧૯૨ ૧૯૩ ૧૧૭ ૧૧૫, ૧૧૬ ૧૧૬ ૨૪૫ ૬૪, ૬૭ ૧૧૭ ૧૧૭ ૭૨ ' ૯૩ ૧૧૭ ૨૧૫ ૧૩૮ ૨૨૦ ૨૩૭ Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ અંગઆગેમ પૃષ્ઠ ૨૫૦, ૨૭૬ ૧૧૩, ૨૪૬ ૨૩૦ ૧૬૫ ૧૮) ૧૯૭ ૧૯૭ ૨૪૩ ૭૪ ૨૫૧ ૨પપ ૨૫૫ - શબ્દ પૃષ્ઠ' શબ્દ સરિસવય * ૨૫૧ સામવેદ સરોવર - ર૭૩ સામાચારી સરોવરમહ” ૧૫૭ સામાયિક ' સર્વજીવસુખાવહ • ૯૩ સામાયિક-ચારિત્ર સર્વજ્ઞ . ૭૩, ૧૪૭, ૧પ૩, ૧૬૬ સામિષ સર્વશતા ૧૬૭ સામુદ્ર છંદ સર્વદર્શી ૭૨, ૧૫૩. સામુદ્રકમ્ સર્વધર્મપરિષદ * ૨૮૪ સાંપરાયિકી સર્વભાવદર્શી ૧૬૬ સાયણ સર્વસતક્રિયા - ૧૭૧ સાર્થવાહી સર્વાર્થસિદ્ધ '૮૮, ૧૦૦, સોલતિયાપિયા ૨૨૭, ૨૬૪ સાલિદીપિયા સવસ્ત્ર ૭૮ સાલેઈણીપિયા સવ્વાસવ ૧૩૭, ૧૪૭ સાલેયિકાપિતા સહસાબવન - ૨૬૧ સાહંજની સહસોદાહ ૨૭૯ સિઓસણિજ્જ સહસ્રાર , ૨૨૭ સિંધુ સાંખ્યા છે : ૧૩૯, ૧૮૦ સિંહ સાંખ્યદર્શન ૭૫, ૭૬ સિંહસેન સાંખ્યમત ૧૭૪, ૨૫૦ સિક્કા સરકર - ૨૪૨ સિદ્ધસેનસૂરિ સાકેત સિદ્ધાર્થ સાગર - ૨૦ સિદ્ધિપથ સાગરત્ત સિદ્ધિપહ સાગરમ ૧૫૭ સિરિગુપ્ત સાણિયા ૧૬૨ સીતા સાતવાદી : . . ! સીમંધર સાતિપુત્ર દ૯ સંસમાં સાદિક શ્રત ૬૪, ૩૩ સુકથા સામગ્નફલસુત્ત ૧૯૯, ૨૦૨ સુકમાલિકા ૨૫૫ ર૭પ ૧૧૫, ૧૧૬ ૨૨૦ ૨૬૫ ૨૬૫, ૨૭૭ ' '૧૨૦ ૮૧ ૧૬૪, ૨૭૭ - ૧૪૬ ૧૪૬ ૨૧૨ - ૨૭૦ ૧૭૮, ૨૫૪ (૧૭૧ ૨૫૩ ! Page #363 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ શબ્દાનુક્રમણિકા ૩૨૯ શબ્દ પૃષ્ઠ શબ્દ પૃષ્ઠ સુખ ૨૭૮ સુરૂપા ૨૭) સુખવાદી ૧૯૩ સુલસા ૨૬૦, ૨૬૧ સુખવિપાક ૨૭૨, ૨૭૮ સુવર્ણકુમાર ૨૬૭ સુગત ૭૦, ૧૬૭ સુવર્ણગુલિકા ૨૭૦ સુર ૧૮૮ સુસ્થિત સુરગડ ૯૦, ૯૧ સુત્તનિપાત ૧૨૩, ૧૩૦. સુહસ્તી ૨૧૨, ૨૧૩ ૧૩૧, ૧૪૩, ૧૪૫, ૧૫૦, ૧૮૮ ૨૪૨ સુરપાહુડ ૮૪ સૂતગડ ૧૭૧ સુથારકુળ ૧પ૭ સૂત્ર પ૮, ૮૮ સુદર્શન ર૫૦, ૨૫૯, ૨૬૨, ૨૬૩ સૂત્રકૃત ૮૦, ૮૯, ૯૦, ૧૭૮ સુદર્શના ૧૬૫, ૨૭૫ સૂત્રકૃતમ્ . ૧૮૯ સુદયડ ૮૮, ૯૦, ૧૭૧ સૂત્રકૃતાંગ દ૭. ૬૮ ૮૫ ૧૧૩, ૧૨૫, ૧૨૬, ૮૭, ૯૪, ૯૭, ૧૦૨, ૧૦૪, ૧૨૯, ૧૭૩, ૨૧૩, ૨૪૮, ૨૬૫, ૧૦૬, ૧૨૯, ૧૪૩, ૧૪૮, ૧૪૬, ૨૬૮, ૨૭૨ સુધર્માસ્વામી ૧૨૯ ૧૭૦, ૧૭૧, ૧૭૯, ૨૩૧, ૨૮૧, સુનક્ષત્ર ૨૬૫ ૨૮૨, ૨૮૫ સુનક્ષત્રકુમાર ૨૬૬ સુદયડ ૮૮, ૯૦, ૧૭૧ ૨૨૦ સૂદયદ ૯૦, ૧૭૧ સુપાર્શ્વ સૂયગડ ૬૭, ૯૦, ૧૭૧ સુપ્રતિબદ્ધ સૂયગડે ‘૮૯ સુપ્રતિષ્ઠપુર ૨૭૪ સૂયગડો ૮૯ સુપ્રભ ૨૪૪ સૂરસેન સુબંધુ ૨૭૬ સૂર્ય ૧૦૫, ૧૫૩, ૨૨૪, ૨૪૮ સુબાલોપનિષદ્ ૧૪૧ સૂર્યગ્રહણ સુભદ્રા ૨૭૫ સુભાષિત સેક્રેડ બુક્સ ઓફ દ ઈસ્ટ ૨૮૫ સુરપ્રિય ૧૨૦ સુરાદેવ - ૨૫૫ સેણીપ્પસેણીઓ ૨૪૯ સુધર્મા સુપર્ણ ૧૬૪ ૨૧૩ ૨૨૧ ૧૦૫ ૧૫૪ ‘સૈજ્જા ૨૬૦. Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ અંગઆગમ ૮૯ ૨૭૬ ૨૮૩ શબ્દ પૃષ્ઠ શબ્દ સંસદવિયા ૨૦૭ સ્થાનકવાસી ૨૮૫ સોપક્રમજીવ ૨૪૪ સ્થાનપાહુડ ( ૮૪ સોમ સ્થાનમ્ સોમદત્ત સ્થાનાંગ ૬૮, ૮૫, ૯૪, ૯૭, સોમાં ૨૬૧ ૧૦૩, ૧૧૫, ૧૨૦, ૧૨૮, ૧૭૩, સોમિલ ૨૪૧, ૨૪૪, ૨પ૯, ૨૬૧ ૧૯૩, ૨૧૦, ૨૧૩, ૨૧૪, ૨૧૫, સોરઠ ૨૫૫, ૨૫૯, ૨૬૭, ૨૭૯, ૨૮૧, સોરિયાયણ સૌગંધિકા ૨૫૦ સ્થાનાંગસૂત્ર સૌધર્મ ૨૨૭, ૨૪૧ સ્થાપના સત્ય ૨૭૦ સૌરાષ્ટ્ર - ૬૨ સ્થાવર ૨૦૮, ૨૨૯ સ્કંદ ૧૦૫, ૨૩૫, ૨૭૩ સ્થિતપ્રજ્ઞતા ૧૦૫ સ્કંદમહ ૧૫૭ સ્થિતાત્મા ૧૮૮, ૧૮૯ સ્કંદિલાચાર્ય ૧૨૬ સ્થિરવાસ ૧૫૮ સ્કંધબીજ ૨૦૨ સ્થૂલભદ્ર ૧૨૨ સ્કંધવાદી ૧૭૨ સ્નાતક ૨૪૫, ૨૪૬ પ ૨૬૯ ૧૬૧ તૂપમહ ૧૫૭ સ્પર્શ આહાર ૨૦૨ સ્ત્રી ૧૮૬, ૧૮૭ સ્પર્શના સ્ત્રી-ત્યાગ ૧૩૧ સ્મૃતિ સ્ત્રી-પરિજ્ઞા ૧૮૬, ૧૮૭ મૃતિચંદ્રિકા ૨૫૪ સ્ત્રી-પરિણામ ૧૭૧, ૧૭૨ સ્યાદ્વાદ ૭૭, ૧૯૬ સ્ત્રી-સંસર્ગ ૧૧૮ સ્વજન ૧૧૭ સ્ત્રી-સહવાસ સ્વમ ૨૪૦ ૧૯૧ સ્વપ્રવિદ્યા ૨૦૨, ૨૪૧ સ્થલમાર્ગ - ૧૬૨ સ્વભાવજન્ય ૨૬૯ વિરાવલી ૧૨૭, ૨૧૨, સ્વમત ૧૦ ૨૧૩ સ્વયંભૂતિ ૨૬૮ સ્થાન ૮૦, ૯૧, ૧૨૦, ૧૨૧, સ્વર્ગ ૧૦૫, ૧૦૬, ૨૨૪, ૧૬૧ ૨૩૫, ૨૪૧ સ્નાન ૨૪૫ ૫૯ ૧૮૯ Page #365 -------------------------------------------------------------------------- ________________ શબ્દાનુક્રમણિકા શબ્દ સ્વસમય સ્વાદિમ હંસ હત્થિામ હત્યિનાગપુર હરસ હિરિગિર હરિણેગમેષી હરિણેગમેસી હરિભદ્ર હલાયુધ હલ્લ હળદર હસ્તકલ્પ હસ્તવપ્ર હસ્તિતાપસ હસ્તિનાપુર હસ્તિયામ હસ્તોત્તરા હાડકાં ૧૦૫ ૨૬૧ ૬૪, ૬૬, ૭૦, ૭૧, ૧૦૦, ૧૨૨, ૧૫૩, ૧૬૧, ૧૭૧ હરિભદ્રસૂરિ ૭૦, ૭૧, ૮૧ હિરવંશકુલ ૧૫૭ હરિશ્ચન્દ્ર ૧૨૭ ૧૭૪ ૨૬૫ ૨૪૨ ૨૫૪ ૨૫૪ ૨૦૫, ૨૦૬, ૨૩૫ હાથપ હારિત હાલા પૃષ્ઠ ૧૭૦ ૧૫૬ ૧૪૯ - ૨૦૦ ૨૩૪ ૨૭૪ 2′ ૨૨૧, ૨૪૦, ૨૪૨, ૨૭૫ ૨૦૭ ૧૬૪ ૧૬૦ ૨૫૪ ૨૧૨ ૧૭૩ શબ્દ હાલાહલા હિંસા ૧૦૫, ૧૩૪, ૧૭૯, ૧૮૩, ૨૦૦, ૨૪૪, ૨૬૮, ૨૬૯, ૨૭૫ ૨૦૦ ૨૩૭ ૧૨૮ ૧૪૬ ૨૩૫ ૨૭૬ હેતુવાદ ૯૩ હેમચંદ્ર ૧૦૩, ૧૨૨, ૧૨૬, ૧૯૬ હેમંત હૈદરાબાદ ૧૬૧ ૨૮૫ હિંસાદંડ હિબ્રુ હિમવંત થેરાવલી હીનયાન હુંબ હૃદયપિંડ ૩૩૧ પૃષ્ઠ ૨૩૮ Page #366 -------------------------------------------------------------------------- ________________ સહાયક ગ્રંથોની સૂચિ અભિધર્મકોશસ્વ. શ્રી રાહુલ સાંકૃત્યાયન આચારાંગનિયુક્તિ—આગમોદય સમિતિ આચારાંગવૃત્તિઆત્મોપનિષદ્ આવશ્યકવૃત્તિ હરિભદ્ર—આગમોદય સમિતિ ઋગ્વેદ "" ઋષિભાષિત—આગમોદય સમિતિ ઐતરેયબ્રાહ્મણ કઠોપનિષદ્ કેનોપનિષદ્ ગાથાઓ પર નવો પ્રકાશ—સ્વ. કવિ ખબરદાર ગીતા જૈન સાહિત્ય સંશોધક-આચાર્યશ્રી જિનવિજયજી તત્ત્વાર્થભાષ્ય તૈત્તિરીયોપનિષદ્ નંદિવૃત્તિહરિભદ્ર-ઋષભદેવ કેસરીમલ નંદિવૃત્તિ—મલયગિરિ—આગમોદય સમિતિ નારાયણોપનિષદ્ પતેતપશેમાની (પારસી ધર્મના ‘ખોરદેહ-અવેસ્તા’ નામક ગ્રંથનું પ્રકરણ) —કાવશજી એદલજી કાંગા પાક્ષિકસૂત્ર—આગમોદય સમિતિ પ્રશ્નપદ્ધતિ—આત્માનંદ જૈન સભા, ભાવનગર બુદ્ધચર્યા–સ્વ. શ્રી રાહુલ સાંકૃત્યાયન બૃહદારણ્યક બ્રહ્મવિદ્યોપનિષદ્ મઝિમનિંકાય—નાલંદા પ્રકાશન Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ મનુસ્મૃતિ મહાવીરચરિયું—દેવચંદ લાલભાઈ મહાવીર-વાણી—સ્વામી આત્માનંદની પ્રસ્તાવના—મનસુખલાલ તારાચંદ માંડુક્યોપનિષદ્ મિલિંદપગ્સ મુંડકોપનિષદ્ યોગદૃષ્ટિસમુચ્ચયદેવચંદ લાલભાઈ લોકાશાહ ઔર ઉનકી વિચારણા (ગુરુદેવ રત્નમુનિ સ્મૃતિ-ગ્રંથ) – પં. દલસુખ માલવણિયા વાયુપુરાણ (પત્રાકાર) વિશેષાવશ્યકભાષ્યયશોવિજય જૈન ગ્રંથમાલા, બનારસ વૈદિક સંસ્કૃતિનો ઇતિહાસ (મરાઠી)શ્રી લક્ષ્મણશાસ્ત્રી જોશી ખંડાગમ અંગઆગમ સમવાયાંગવૃત્તિ—આગમોદય સમિતિ સૂત્રકૃતાંગનિયુક્તિ—આગમોદય સમિતિ સ્થાનાંગ-સમવાયાંગ—પં. દલસુખ માલવણિયા, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ હલાયુધકોશ Page #368 -------------------------------------------------------------------------- ________________ Page #369 -------------------------------------------------------------------------- ________________ (I) ગિરિરાજની ગોદમાં, નજરે નિહાળતાં, મનને હરી લેતા શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન-સમવસરણ મહામંદિરની આછેરી ઝલક જગતના તમામ ધર્મોમાં જૈન ધર્મની એક મહત્તા એનાં ભવ્ય, અલૌકિક અને અધ્યાત્મભાવનાથી ભરપૂર તીર્થો છે. આ તીર્થો ભક્તની ભક્તિ, શ્રેષ્ઠીની દાનવીરતા, સાધકની ઉપાસના અને સાધુજનોની સમતાનો સંદેશ આપીને સંસારસમુદ્ર તરવા માટે જિનભક્તિનો ઉપદેશ આપે છે. સમગ્ર દેશમાં જ નહિ બલ્ક વિદેશોમાં અનેક જિનાલયો આવેલાં છે, પરંતુ આ બધા જિનાલયની યાત્રા કરીને પોતાની ભક્તિભાવનાને ધન્ય કરવાની પળ સહુને સાંપડતી નથી. ક્યારેક શારીરિક કે આર્થિક શક્તિ ન હોય, તો ક્યારેક સમય કે સગવડનો અભાવ હોય. આથી જ પાલિતાણામાં આવેલા શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન અને શ્રી સમવસરણ મહામંદિરમાં એક સાથે અનેક તીર્થોનાં દર્શન અને ભાવપૂજનનો લાભ મળે છે. જાણે તીર્થોનું સંગમસ્થાન જ જોઈ લો ! ગિરિવર દર્શન વિરલા પાવે આ સંગમસ્થાન તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજ ચડતાં જ જમણી બાજુ આવેલું છે. દેશ અને વિદેશના ખૂણે ખૂણેથી પ્રત્યેક જૈન તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની યાત્રા કરવાની સદૈવ ઝંખના રાખતો હોય છે. આથી જ શ્રી ૧૦૮ તીર્થદર્શન ભવન પાલિતાણામાં નિર્માણ કરવામાં આવ્યું, જેથી સિદ્ધગિરિની યાત્રાએ આવનાર યાત્રાળુને અનોખો તીર્થદર્શન, વંદન અને પૂજનનો ધર્મમય સુયોગ સાંપડે છે. નિમિત્તમાત્રમ્ - આની રચનાનું નિમિત્ત સુરત દેસાઈ પોળના શ્રી સુવિધિનાથ જિનમંદિરમાં શ્રી દેસાઈ પોળ પેઢીના સંસ્થાપક ધર્મનિષ્ઠ ડાહ્યાભાઈ (કીકાભાઈ) રતનચંદ કિનારીવાળાએ તૈયાર કરાવેલ શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન બન્યું. અહીં પ્રાચીન તીર્થોના મૂળનાયકજીના ૩૬ X ૩૦ ઇંચની સાઇઝનાં ચિત્રો દીવાલ પર બિરાજમાન કરવામાં આવ્યાં. પરમપૂજય ધર્મરાજા આચાર્ય દેવ શ્રી વિજયકસૂરસૂરીશ્વરજી મહારાજ તથા પ.પૂ. પંન્યાસજી (હાલ આચાર્ય મ.સા.) શ્રી ચંદ્રોદયવિજયજી ગણિ મહારાજની નિશ્રામાં વિ. સં. ૨૦૨૪ના કારતક વદ૨ના રોજ એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યારબાદ ડાહ્યાભાઈએ ૧૦૮ તીર્થોનો એક પંટ્ટ બહાર પાડ્યો. પછી પોતાના દીક્ષા ગ્રહણના દિવસે જ વિ. સં. ૨૦૨૬ પોષ સુદ ૧૧ના ૧૦૮ તીર્થદર્શનાવલિ નામક એક આલબમ પ્રકાશિત કર્યું. જેમાં ૧૦૮ તીર્થના મૂળનાયક, દેરાસર અને તેમનો ઇતિહાસ લેવામાં આવ્યો. Page #370 -------------------------------------------------------------------------- ________________ લોકઆદર પામેલ આનું નિમિત્ત જોઈને વિ. સ. ૨૦૨૮માં સુરેન્દ્રનગરમાં શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન અને શ્રી સમવસરણ મહામંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો. પૂજ્ય ધર્મરાજા ગુરુદેવશ્રીની ફુરણા થાય છે સાકાર શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન અને શ્રી સમવસરણ મહામંદિર, સરસ્વતી મંદિરની બાજુમાં (બાબુના દેરાસરની સામે) વીસ હજાર વાર 800 x ૪૫૦ ફૂટ લંબાઈ-પહોળાઈવાળી વિશાળ જમીન પર તૈયાર કરવામાં આવ્યું છે. ૨૫૦૦ વર્ષ પહેલાં તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર સ્વામી જેમાં બિરાજમાન હશે, એ સમવસરણ કેવું હશે ? જિનાગમો, સમવસરણસ્તવ આદિ પ્રાચીન સ્તવો, સ્તવનોમાં અને અન્યત્ર પણ સમવસરણ સંબંધી ઉલ્લેખ મળે છે તે જ રીતે કેટલાય શિલ્પીઓએ પોતાની કલા તેમજ આગવી સૂઝથી એની રચનાનો ખ્યાલ આપ્યો છે, તો કેટલાંય ચિત્રકારોએ એનાં ચિત્ર પણ બનાવ્યાં છે. પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજ પોતાના ધ્યાનમાં શ્રી સમવસરણનું ચિંતન કરતા હતા. આ સમયે ૧૦૮ જૈન તીર્થદર્શન ગોઠવવાની વિચારણા ચાલી રહી હતી. એવામાં એકાએક તેઓશ્રીને એક નૂતન વિચારરૃર્યો. એમણે વિચાર્યું કે સમવસરણ પણ બનાવવું અને તેમાં ૧૦૮ તીર્થો આવી જાય તેવી રમણીય રચના કરવી. એવી સરસ ગોઠવણી કરવી કે જેથી વર્તમાન ચોવીશી, ૧૦૮ પાર્શ્વનાથજી, ૧૦૮ તીર્થપટ્ટો તથા ૧૦૮ ચિત્રપટ્ટો વગેરે બધું જ આ સંગમમાં મહાસંગમ બની રહે... સમવસરણની સફળતાના સુકાની પૂજ્ય ગુરુ ભગવંતો પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજની શિલ્પ-સ્થાપત્ય સંબંધી સૂઝ-બૂઝના સહારા સાથેના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ પૂજ્ય તપસ્વી મુનિ શ્રી કુશલચંદ્રવિજયજી મ. સા.ની જહેમતથી આ કાર્ય સારી એવી સફળતાને પામ્યું. તેમજ આ તીર્થધામના ઉત્થાનમાં માર્ગદર્શન પૂજ્યાચાર્ય મહારાજ તથા તેઓશ્રીના ગુરુબંધુ પ. પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા., પ.પૂ.આચાર્ય શ્રી વિજય જયચંદ્રસૂરીશ્વરજી મ.સા., પ.પૂ.પં. શ્રી પ્રમોદચંદ્રવિજયજીગણી મ.સા., પ.પૂ.પં. શ્રી અજિતચંદ્રવિજયજી ગણિ મ.સા., પ.પૂ.પં. શ્રી વિનીતચંદ્રવિજયજી ગણિ મ.સા., પ.પૂ.પં. શ્રી હ્રીંકારચંદ્રવિજયજી ગણિ મ.સા., પ.પૂ.પં. શ્રી પુષ્પચંદ્રવિજયજી ગણિ, પં. શ્રી સોમચંદ્ર વિ.મ., પ.પૂ. મુનિશ્રી અમરચંદ્ર વિ.મ., પ.પૂ. મુનિ કૈલાસચંદ્ર વિ.મ., પૂ. મુનિ શ્રી રાજચંદ્ર વિ. મ. આદિ ધર્મરાજા પૂજ્ય ગુરુદેવના શિષ્ય-પ્રશિષ્ય સમુદાયનો અથાક પ્રયત્ન પણ નિમિત્તરૂપ બનેલ છે. Page #371 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમાં અજોડ શ્રી સમવસરણ મહામંદિર શ્રી સમવસરણ મહામંદિર જોનારને પ્રથમ નજરે જ જાણે આકાશમાંથી ઊતરી આવ્યું હોય તેવું લાગે છે. જેમાં શ્રી પાર્શ્વનાથજી ૧૦૮, તીર્થપટ્ટો ૧૦૮ અને ચિત્રપટ્ટો પણ ૧૦૮ છે. તેની ઊંચાઈ પણ ૧૦૮ ફૂટની રાખી છે. મહા મંદિરમાં પ્રવેશતાં શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજી ધર્મોદ્યાન આવે છે. સુંદર કારીગરીથી શોભતું આકર્ષક આ પ્રવેશદ્વાર દૂરથી જ યાત્રાળુનાં મનને મોહી લે છે. તેની બન્ને બાજુ નીકળતી પથ્થરમાંથી કંડારેલ ચક્રોની ચક્રાવલિ અને તેની ઉપર પથ્થરમાં જ અંકિત અક્ષરોની અભુતતા દ્વારની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. દ્વારની અંદરના ભાગમાં એક તરફ પરબ અને બીજી બાજુ વિશ્રાંતિગૃહનું સુંદર આયોજન વિચારેલ છે. હાલ યાત્રિકો માટે ઠંડા અને ઉકાળેલા પાણીની પરબ પણ રાખેલી છે. લીલા-ગુલાબી કમળોની પંક્તિ સમવસરણની આસપાસ પથરાયેલ કમળો જેવી લાગે છે. મુખ્ય દરવાજામાં પ્રવેશતાં જ જમણા હાથે એક અજોડ અને અદ્વિતીય મંદિરના દર્શન થાય છે. ત્રણ ગઢ રૂપે તેની રચના થઈ છે. શાસ્ત્રીય રીતે તૈયાર કરેલ ચારે દિશાના બાર દરવાજા, સુંદર કમાનો, દ્વારપાળો, બારે પર્ષદા, ચૈત્યવૃક્ષ અને અશોકવૃક્ષ નજરે ચઢ્યા વગર રહેતાં નથી અને તેથી જ આજે શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન અને શ્રી સમવસરણ મહામંદિર વિશ્વમાં એની ભવ્યતા, પવિત્રતા અને મહત્તાથી ખ્યાતનામ બન્યું છે. અહીં માત્ર-જિનાલય જ નહિ પરંતુ જૈન ખગોળ, ભૂગોળ અને જૈન ઇતિહાસની માર્મિક ઝાંખી થતી હોવાથી જ આને મહામંદિર કહેવામાં આવે છે. પ્રભુદર્શનથી મન પાવન બને છે મુખ્ય દ્વારના ઉંબરમાં પગ મૂકતાં જ ક્યાં પહેલા દર્શન કરવા જવું? તે વિચારમાં મુગ્ધ બનેલ (મુંઝાતો) ભાવિક શ્રી આદિનાથદાદાની ભવ્યમૂર્તિના દર્શનથી તે તરફ જતી જાજ્વલ્યમાન આરસની પગથાર દ્વારા અંદરના દરવાજે પહોંચી જાય છે અને પહોંચતા જ આંખ ઠરી જાય છે. અહો કેટલો વિશાળ ડોમ ! તેમજ નાંખી નજરે નીરખી ન શકાય એટલો ઊંચો માણેકસ્થંભ. આ મહામંદિરની વિશ્વભરમાં સૌથી મોટી એ જ વિશિષ્ટતા છે કે ૪૨ ફૂટ ઊંચો અને ૭૦ ફૂટ પહોળો ગોળ ઘુમ્મટ(ડોમ) પથ્થરથી જ તૈયાર થયેલ છે. વીંટી જેવા આ વર્તુળાકારમાં ૪૨ ફૂટ ઊંચો અને ૧૬ ફૂટ પહોળો અષ્ટમંગલથી તેમજ છેક ટોચ ઉપર ઊંધા કમળની પાંખડીઓથી સુશોભિત માણેકથંભ રત્નની જેમ દીપી ઊઠે છે. માણેકસ્થંભની ચારે દિશામાં વર્તમાન ચોવીસ તીર્થંકરોની ભાવોલ્લાસ જગાડતી ૨૪ મૂર્તિઓ બિરાજમાન છે. આ ચોવીસમાંથી ચારે બાજુના મૂળનાયક તીર્થંકર શ્રી આદિનાથજી, શ્રી શાંતિનાથજી, શ્રી નેમિનાથજી, શ્રી પાર્શ્વનાથજીની ૪૧-૪૧ Page #372 -------------------------------------------------------------------------- ________________ (IV). ઇંચની આધ્યાત્મિક ચેતનાને જાગ્રત કરતી પ્રતિમાઓ સુંદર પવાસણ ઉપર બિરાજમાન છે. તેમજ ડોમની ગોળાઈમાં ચારે દિશામાં કુલ ૨૭-૨૭ના વિભાગમાં, જુદાં જુદાં નામોથી વર્તમાનમાં પ્રસિદ્ધ કુલ ૧૦૮ શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિઓ થાંભલા વિનાની, ઝૂલતી કમાનો ઉપર રહેલ ઘુમ્મટવાળી જુદીજુદી મીની (નાનીશી) દેવકુલિકામાં પ્રતિષ્ઠિત કરેલ છે. દરેક પ્રભુની પલાઠીમાં શ્રી સમવસરણ મંદિરના પ્રતીક સહિત લાંછનો કળામયતાથી કોતરવામાં આવેલ છે. આ રીતે એક સાથે થતા ૨૪+ ૧૦૮ =૧૩૨ પ્રભુના દર્શનથી જીવન-મન પાવન બની જાય છે. આ છે મહામંદિરનું આંતરદર્શન પ્રભુદર્શનથી પાવન પથિક પ્રાણપ્યારાં એવા ઐતિહાસિક તીર્થોનાં દર્શન કરવા બહાર આવે છે. જયાં સામેની ગોળાઈમાં ૨૭-૨૭ના ૪ વિભાગમાં ભારતભરનાં ૧૦૮ તીર્થનાં જિનાલયો, તેના મૂળનાયક ભગવાન, તેનો ઈતિહાસ અને પરિચય સાથે, જે તે તીર્થોમાં જઈને લીધેલ આબેહૂબ તસ્વીરો આધુનિક લેમિનેશન પદ્ધતિથી આરસ પર મૂકવામાં આવેલ છે. શ્રી ગિરિરિજથી શરૂ કરી રાજ્યવાર ગોઠવેલ ૧૦૮ તીર્થપટ્ટોના દર્શનથી દર્શક જાણે તે તીર્થોની યાત્રા કર્યાનો સંતોષ અનુભવે છે. તે તીર્થપટ્ટોની સામેની ગોળાઈમાં પ્રભુ શ્રીવીરના સમયથી આજદિન સુધીમાં થયેલાં. ધર્મ-સંઘ-દેશ અને સમાજ માટે પોતાનું આગવું સમર્પણ કરનાર પુણવંત એવા ૨૭ સાધુ, ૨૭ સાધ્વીજી, ૨૭ શ્રાવક અને ૨૭ શ્રાવિકાનાં ચિત્રો પણ આરસ ઉપર લેમિનેશન કરી મૂકવામાં આવ્યાં છે. અત્યારે પણ ઇતિહાસનાં પાનાં ઉકેલતાં જાણવા મળેલ ઐતિહાસિક હકીક્તો દ્વારા આ ચિત્રો જે રીતે બેનમૂન તૈયાર કરેલાં છે, તે જોતાં લાગે છે કે આ ચિત્રપટ્ટો લાગવાથી આ મહામંદિરની દર્શનીયતા/ઐતિહાસિક્તાનો ઘણો જ વધારો થયો છે અને સાથે સાથે જૈન ઇતિહાસમાં એક સુવર્ણપૃષ્ઠનો ઉમેરો થયો છે. મહામંદિરમાં શિલ્યની સાથે સાહિત્યનું ગઠન સમવસરણ મંદિરના અંદરના ચાર દરવાજા ઉપર તીર્થંકર પ્રભુના ચાર વિશિષ્ટ વિશેષણોને દર્શાવતા - (૧) મહામાયણ; (૨) મહાગોપ; (૩) મહાસાર્થવાહ; (૪) મહાનિર્ધામકનાં દશ્યો કલાત્મક રીતે કંડાર્યા છે. વળી ચારે દિશાના ચાર મુખ્ય દરવાજાની આજુબાજુના બે-બે બ્લૉક (રૂમ) કુલ આઠ બ્લૉક સુંદર નકશીકામનાં દ્વારોથી શણગાર્યા છે. પહેલા-બીજા દ્વારમાં ૧૬ વિદ્યાદેવીના, ત્રીજા દ્વારમાં શુભ શુકન, ચોથા દ્વારમાં ચાર શરણ, ચાર સાધન અને ચાર પ્રકારનાં દાનના; પાંચમા-છઠ્ઠા દ્વારમાં નવકાર-વજપંજરની વિવિધ મુદ્રાના અને નવકારના પદોનાં પ્રતીકો, સાતમા દ્વારમાં આઠ પ્રતિહાર્ય અને આઠમા દ્વારમાં અષ્ટમંગલના Page #373 -------------------------------------------------------------------------- ________________ (V) પ્રતીકો ઝીણવટભરી દૃષ્ટિએ જોતાં નજરે ચઢે છે. આઠે બ્લોકમાં પહેલામાં હમણાં વહીવટી ઑફીસ છે, બીજામાં ગુરુગણ પ્રદર્શિત કરતું ભવ્ય ગુરુમંદિ૨ - શ્રી ગૌતમ સ્વામીજી, પૂજ્ય શાસનસમ્રાટ્, પૂજ્ય શ્રી વિજ્ઞાનસૂરિજી મ.સા, પૂજ્ય ધર્મરાજા ગુરુદેવની ગુરુ પ્રતિમા તથા મા ચક્કેસરી ને મા પદ્માવતીની મૂર્તિઓથી દીપે છે. જ્યારે બાકીના બીજા બ્લૉકમાં અતીત, અનાગત ને વર્તમાન ચોવીશીનો ખ્યાલ પણ આપવામાં આવશે. શાશ્વતા તીર્થંકરોના પરિચય ચિત્રોની સાથે ૬૩ શલાકા પુરુષ, ૪૫ આગમની પાંચ વાચના, અઢી દ્વીપ, ઉત્સર્પિણી - અવસર્પિણી કાળપાંચમા-છઠ્ઠા આરાની તેમજ શ્રી વીરપાટ પરંપરાની સમજ આપતાં ચિત્રો વગેરે મૂકવામાં આવશે. મહામંદિરનું હૃદયંગમ બહારનું ભવ્યદર્શન, સદેહે વિચરતા ભાવ જિનેશ્વર ભગવંતની લોકોત્તર પુણ્યાઇનો ખ્યાલ શ્રી સમવસરણ મહામંદિરના અંદરના વિભાગોના દર્શનથી પ્રભાવિત પુણ્યાત્મા ઉપર બિરાજમાન પ્રભુ શ્રીવીરને વંદન કરવા ઉત્કટ બની બહાર આવે છે. ત્યાં ચારે મુખ્ય દરવાજા ઉપર તીર્થંકર પ્રભુનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને નિર્વાણ કલ્યાણકનાં કંડારેલા દશ્યોને, નીકળતાં જમણી બાજુએ પથ્થરમાંથી બનાવેલ, સાક્ષાત્ જેવી લાગતી ગાડામાં રહેલ ઊંચી ઇન્દ્રધ્વજાને, વિશાળ ભીંતો ઉપ૨ પથ્થ૨માં કંડારેલ રાજા દશાર્ણભદ્ર ને ઇન્દ્ર મહારાજાની પ્રભુવીરના ચરણોમાં આત્મસમર્પણ ભાવ પ્રકટ કરતા પટ્ટને, પ્રદક્ષિણાકારે આગળ વધતાં પાછળના ભાગમાં શ્રી નેમિનાથ પ્રભુ ને કૃષ્ણ મહારાજા ; શ્રી પાર્શ્વનાથજી, શ્રી આદિનાથજી પ્રભુ ને પ્રુરુદેવા માતાજીના પટ્ટને તેમજ શ્રી પ્રભુવીર પ્રત્યે સંપૂર્ણ સમર્પિતતા પ્રકટ કરતા શ્રેણિક મહારાજની ભક્તિનાં દૃશ્યોને તેમજ નાની નાની વાડીઓને જોઈ પ્રસન્ન બને છે. જ્યારે યાત્રિકને પૂજા-ભક્તિ કરવા માટે જરૂરિયાતવાળું સાધન જોઈએ, તે માટે ડાબી બાજુએ રહેલ ભક્તિભવન તરફ નજર જાય છે, જ્યાં આધુનિક સોલાર મશીન દ્વારા યાત્રિક માટે ગરમ-ઠંડા પાણીની સુંદર વ્યવસ્થા છે અને પ્રભુની પ્રક્ષાલ પૂજા માટે જરૂરી પાણીનો સંચય સમવસરણની અંદર રહેલ ટાંકામાં તેમજ નવા તૈયાર થયેલ કુંડમાં થાય છે. યાત્રાળુની આ બધી વ્યવસ્થા જોઈ સમવસરણ ઉપર જવા માટે પગથિયાં ચઢતાં નાના નાના પત્થરનાં કુંભો, કાંગરા, સુંદર તોરણ-કમાનોવાળા ચારે તરફના બારે દરવાજા, પહેલા ગઢમાં પથ્થરમાં કંડારેલા વિવિધ વાહનો, બીજા ગઢમાં વિભિન્ન પશુ-પક્ષીઓ, ત્રીજા ગઢમાં સાધુ-સાધ્વી-મનુષ્ય-સ્ત્રી-દેવ-દેવીઓની બારે પર્ષદાને નિહાળતો, તો ક્યારેક વિશિષ્ટ થાંભલીએ ટેકણ ઉપર ટેકો લેતો, ધીમે ધીમે ૧૦૮ પગથિયાં ચઢી ઉપર પહોંચે છે. જ્યાં સુંદર પવાસણ ઉ૫૨ શ્રી મહાવીર સ્વામીજીની સાત હાથની કાયાને લક્ષમાં રાખીને પદ્માસને બેઠેલ ૬૧ ઇંચની પ્રતિમા અષ્ટપ્રતિહાર્ય સહિત Page #374 -------------------------------------------------------------------------- ________________ (VI) ચારે દિશામાં બિરાજમાન છે. ઉપર માત્ર પથ્થરથી જ નિર્માણ કરેલ અશોકવૃક્ષ અને ચૈત્યવૃક્ષનું સુંદર ડાળી પાંદડાં સાથે નિર્માણ કર્યું છે. ૨૭ ફૂટ ઊંચા અને ૩૭ ફૂટનો વ્યાપ ધરાવતા આ વૃક્ષનું વજન અંદાજે ૫૦૦ ટન છે. તે બધું વજન વૃક્ષની વડવાઈ જેવા દેખાતા તોતિંગ થાંભલા ઉપર પથરાઈ ગયેલું છે. પાંગરતા પરોઢિયે/પ્રભાતે પરમાત્માના પૂજકને અહીં અનુપમ આત્મિક આલાદ અવનવા અનુભવ થાય છે. આ રીતે શ્રી સમવસરણ એ માત્ર મંદિર નહિ, બલ્બ મહામંદિર છે, જેમાં જિનશાસનની ધાર્મિક અને આધ્યાત્મિક ભવ્યતા, શિલ્પ અને રંગરેખામાં ગુંજી ઊઠે છે. શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ ટ્રસ્ટી મંડળ તથા પુસ્તક પ્રાપ્તિસ્થાન (૧) શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ફોન નં.૦૨૮૪૮-૨૪૯૨, ૨૫૬૧ શ્રી સમવસરણ મહામંદિર, તળેટી રોડ, પાલિતાણા - ૩૬૪૨૭૦ (૨) શ્રી મહેન્દ્રભાઈ ખૂબચંદ શાહ C/o રતનચંદ જોરાજી એન્ડ કું., ગોડીજી બિલ્ડીંગ નં. ૧, કિકા સ્ટ્રીટ, પાયધુની, મુંબઈ-૪૦૦ ૦૦૨. (૩) શ્રી કાંતિલાલ રતિલાલ શાહ સરદાર સોસાયટી બંગલો, સુરેન્દ્રનગર - ૩૬૦૦૦૧. (૪) શ્રી અશ્વિનભાઈ શાંતિલાલ સંઘવી કાયસ્થ મહોલ્લો, ગોપીપુરા, સુરત. (૫) શ્રી અનિલભાઈ શાંતિલાલ ગાંધી ૧૧૦, મહાકાન્ત બિલ્ડિંગ, વી.એસ.હોસ્પિટલ સામે, આશ્રમ રોડ, અમદાવાદ - ૩૮૦૦૦૬. (૬) શ્રી મહેન્દ્રભાઈ ચંદુલાલ વખારિયા C/o વખારિયા બ્રધર્સ, જવાહરચોક, સુરેન્દ્રનગર - ૩૬૩૦૦૧. (૭) શ્રી હર્ષદરાય પ્રેમચંદ શાહ C/o ધર્મેન્દ્રવાસણ ભંડાર, મહાત્મા ગાંધી રોડ, ભાવનગર - ૩૬૪૦૦૧. (૮) શ્રી હર્ષદરાય ચુનીલાલ ભારત ટ્રેડીંગ કંપની, ૧૧૧, ટનટનપુરા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૯. Page #375 -------------------------------------------------------------------------- ________________ (VII) (૯) શ્રી મુકેશભાઈ જમનાદાસ શાહ ૩૬, સંપતરાવ સોસાયટી, અલકાપુરી, વડોદરા. (૧૦) શ્રી રમેશભાઈ ગાઠાણી ૨, સ્વીનગર બંગલોજ, સેટેલાઈટ રોડ, સોમેશ્વર જૈન મંદિર સામે, અમદાવાદ-૩૮૦૦૧૫ (૧૧) શ્રી કિરીટભાઈ ચુનીલાલ શાહ સી-૨૭, વસુંધરા એપાર્ટમેન્ટ, ત્રીજે માળે, કૃષ્ણનગર, ભાવનગર. નીચેના પુસ્તક વિક્રેતાઓ પાસેથી પણ શ્રી જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ પ્રકાશિત પુસ્તકો પ્રાપ્ત થશે. (૧) સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના, રતનપોળ, અમદાવાદ-૧ (૨) પાર્થ પ્રકાશન ઝવેરીવાડ નાકા, રીલીફ રોડ, અમદાવાદ-૧ (૩) નવભારત સાહિત્યમંદિર શ્રી મહાવીર સ્વામી દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૧ (૪) નવભારત સાહિત્યમંદિર ૧૩૪, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૨ (૫) સેવંતીલાલ વી. જૈન ૨૦, મહાજન ગલી, પહેલે માળે, ઝવેરી બજાર, મુંબઈ-૪૦૦૦૦૨ (૬) શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ જ્ઞાનમંદિર મેઇન રોડ, ગોપીપુરા, સુરત. Page #376 -------------------------------------------------------------------------- ________________ (VIII) શ્રીનેમિ-વિજ્ઞાન-કસ્તૂરજ્ઞાનમંદિર, સુરત તથા શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ટ્રસ્ટ-પાલીતાણા પ્રકાશિત ગ્રંથોની યાદી ક્રમ ગ્રંથનું નામ ભાષા પ્રકાશન-વર્ષ ૧. અભિધાન ચિંતામણિ કોશ (ચંદ્રોદયટીકા) પ્રથમવૃત્તિ ૨૦૧૩ દ્વિતીયાવૃત્તિ ૨૦૨૯ ૨. અહિંન્યૂજન-પૌષ્ટિક વિધાન ૩. અજિત-વિનીત સ્વાધ્યાય સંગ્રહ ગુજરાતી ૪. આરામસોહાકા પ્રાકૃત ૫. આત્મદર્પણ ગુજરાતી ૨૦૫૫ ૬. કરુણરસ કદંબક પાઇઅ તથા સંસ્કૃત પ્રાકૃત-સંસ્કૃત ૧૯૯૭ ૭. કર્મપ્રકૃતિ-ભાગ-૧ ગુજરાતી ૮. કર્મપ્રકૃતિ-ભાગ-૨ ગુજરાતી E. Glory of Jairasm અંગ્રેજી ૧૦. ગાગરમાં સાગર ગુજરાતી ૨૦૫૪ ૧૧. ચતુર્વિશતિ જિન સ્તવવૃત્તિ ૨૦૧૩ ૧૨. ચાલો ચોવીશી જુહારીએ ગુજરાતી ૧૩. જિનશાસનની કીર્તિગાથા હિંદી ૨૦૫૪ ૧૪. જિનશાસનની કીર્તિગાથા ગુજરાતી ૨૦૫૪ ૧૫. જિનશાસનની બલિહારી ગુજરાતી ૧૬. જૈન દર્શન સિદ્ધાંતો અને પરિચય ભાગ-૧ ગુજરાતી ૧૭. જૈન દર્શન સિદ્ધાંતો અને પરિચય ભાગ-૨ ગુજરાતી ૨૦૪૪ ૧૮. જૈન ધર્મ કે મૂલતત્ત્વ - ભાગ-૧ હિંદી ૨૦૪૪ ૧૯. જૈન ધર્મ કે મૂલતત્ત્વ - ભાગ-૨ હિંદી ૨૦. જૈન દર્શનનું તુલનાત્મક દિગ્દર્શન ગુજરાતી ૨૦૨૪ ૨૧. તીર્થાધિરાજને ચરણે – પ્રથમવૃત્તિ ગુજરાતી ૨૦૨૨ ૨૨. તીર્થાધિરાજને ચરણે – દ્વિતીયાવૃત્તિ ગુજરાતી ૨૦૨૪ ૨૩. નિત્ય સ્મરણિકા ગુજરાતી ૨૦૩૨ ૨૪. પચ્ચ નમસ્કાર સ્તવવૃત્તિ ૨૦૦૪ ૨૦૪૪ ૨૦૪૪ સંસ્કૃત Page #377 -------------------------------------------------------------------------- ________________ (IX) ૨૫. પાઇઅ વિજ્ઞાણ કહા ભાગ-૧- પ્રથમવૃત્તિ પ્રાકૃત ૨૦૧૩ દ્વિતીયાવૃત્તિ પ્રાકૃત ૨૦૨૪ ૨૬. પાઈઅ વિજ્ઞાણ કહા ભાગ-૨-પ્રથમવૃત્તિ પ્રાકૃત ૨૦૨૭ દ્વિતીયાવૃત્તિ પ્રાકૃત ૨૭. પાઇઅ વિજ્ઞાણ ગાતા પ્રાકૃત-સંસ્કૃત ૨૦૪૬ ગુજરાતી સાથે ૨૮. પ્રાકૃત રૂપમાલા પ્રાકૃત-ગુજરાતી ૧૯૮૨ ૨૯. પ્રાકૃત વિજ્ઞાન પાઠમાલા-પ્રથમવૃત્તિ પ્રાકૃત-ગુજરાતી ૧૯૯૬ દ્વિતીયાવૃત્તિ પ્રાકૃત-ગુજરાતી ૨૦૦૪ તૃતીયાવૃત્તિ પ્રાકૃત-ગુજરાતી ૨૦૧૯ ચર્તુથ્યાવૃત્તિ પ્રાકૃત-ગુજરાતી ૨૦૪૪ ૩૦. પ્રાકૃત માર્ગદર્શિકા પ્રાકૃત-ગુજરાતી ૨૦૪૭ ૩૧. પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ભાગ-૧ પ્રથમવૃત્તિ ગુજરાતી ૨૦૨૪ દ્વિતીયાવૃત્તિ ગુજરાતી ૨૦૩૨ ૩૨. પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ભાગ-૨ પ્રથમવૃતિ ગુજરાતી ૨૦૧૪ દ્વિતીયાવૃત્તિ ગુજરાતી ૩૩. પ્રતિષ્ઠાકલ્પ-અંજનશલાકાવિધિ (જૂની) પ્રથમવૃત્તિ ૨૦૪૨ ૩૪. પ્રીતિની રીતિ ગુજરાતી ૨૦૪૭ ૩૫. પિસ્તાલીસ આગમની સંક્ષિપ્ત રૂપરેખા ગુજરાતી ૨૦૧૦ ૩૬. પંડિઅ ધણવાલકહા સંસ્કૃત ૧૯૯૮ ૩૭. મહોપાધ્યાય ભાનુચંદ્ર ગણિચરિતમ્ સંસ્કૃત ૧૯૯૮ ૩૮. મેરુ શિખર નવરાવે ગુજરાતી ૨૦૫૪ ૩૯. વિનય સૌરભ ગુજરાતી ૨૦૧૮ ૪૦. સચિત્ર સરસ્વતી પ્રાસાદ ગુજ-સંસ્કૃત ૨૦૫૫ ૪૧. શ્રાવક ધર્મ વિધાન ગુજરાતી ૨૦૦૪ ૪૨. સિરિજંબૂસામાચરિયું સંસ્કૃત ૨૦૦૪ ૪૩. સિરિ વિજયચંદકેવલી ચરિયું સંસ્કૃત ૨૦૦૭ ૪૪. સિરિ ઉસહણાચરિયું પ્રાકૃત ૨૦૨૫ ૪૫. સિરિચંદ રાયચરિય પ્રાકૃત ૨૦૨૭ ૪૬. સિરિચંદરાયચરિયું ગુર્જરાનુવાદ ગુજરાતી ૨૦૩૮ ૪૭. સિરિસિંહણાચરિયું ગુર્જરાનુવાદ ગુજરાતી ૨૦૩૩ ૨૦૩૨ Page #378 -------------------------------------------------------------------------- ________________ (X) ૪૮. શ્રીપાલચરિત્રમ્ (સંક્ષિપ્ત) ધર્મોપદેશ ૪૯. શ્રી જિન સ્તોત્ર કોશઃ ૫૦. શ્રી વીતરાગ સ્તોત્રાદિ સચ્ચયઃ ૫૧. શ્રી સ્થંભન પાર્શ્વનાથ માહાત્મ્ય ૫૨. શ્રી ઉપદ્યાન તપ માર્ગદર્શિકા ૫૩. શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શનાવલી ૫૪. શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શનાવલી ૫૫. સુરત તીર્થ વંદુ કરજોડ ૫૬. સૂર્ય સહસ્રનામમાલા ૫૭. સૂર્યપૂંજ (પુંજ) ૫૮. સંખિત્ત તરંગવઇ કહા (તરંગલોલા) ૫૯. સંક્ષિપ્ત પ્રાકૃત રૂપમાલા ૬૦. સંસ્કૃત મંદિરાંત પ્રવેશિકા (બીજી બુક) ૬૧. હરિયાલી સંચય ૬૨. હૈમ નૂતન લઘુપ્રક્રિયા ૬૩. જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર સંસ્કૃત સંસ્કૃત સંસ્કૃત ગુજરાતી ગુજરાતી ગુજ-અંગ્રેજી ગુજ-હિંદી ગુજરાતી સંસ્કૃત ગુજરાતી પ્રાકૃત પ્રાકૃત ગુજરાતી ગુજરાતી પ્રાપ્તિસ્થાન શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ જ્ઞાનમંદિર મેઇન રોડ, ગોપીપુરા, સુરત-૧ ૨૦૦૮ ૧૯૯૬ ૨૦૨૩ ૨૦૫૨ ૨૦૫૨ ૨૦૫૪ ૨૦૫૩ ૨૦૦૦ ૨૦૦૫ ૨૦૨૫ ૨૦૨૫ Page #379 -------------------------------------------------------------------------- ________________ (XI) શ્રીનેમિ-વિજ્ઞાન-કસૂરસૂરિ ગ્રંથશ્રેણી ક્રમ ગ્રંથનું નામ ૧. પ્રાકૃત વિજ્ઞાન બાળ પોથી - ૧ ૨. પ્રાકૃત વિજ્ઞાન બાળ પોથી - ૨ ૩. પ્રાકૃત વિજ્ઞાન બાળ પોથી - ૩ ૪. પ્રાકૃત વિજ્ઞાન બાળ પોથી - ૪ ૫. શ્રી વિશ સ્થાનક તપ આરાધના વિધિ ૬. શ્રી વીશ સ્થાનક તપ (કથાઓ સહિત) ૭. શ્રી વીશ સ્થાનકની કથાઓ ૮. વંદુ જિન ચોવીશ ૯. ભક્તિ વૈભવ ૧૦. પ્રાકૃત વિજ્ઞાન સંક્ષેપ ૧૧. હે જીવ! જાગીશ ૧૨. પ્રતિષ્ઠા કલ્પ-અંજનશલાકા-પ્રતિષ્ઠાવિધિ (દ્વિતીયાવૃત્તિ) ૧૩. દશવૈકાલિકસૂત્રમ્ (તિલકાચાર્યકૃત વૃત્તિ) ૧૪. કર્મપ્રકૃતિ ભાગ-૩ ૧૫. મૌન એકાદશી પર્વ ૧૬. અભિધાન ચિન્તામણિ નામમાલા (વ્યુત્પત્તિરત્નાકરટીકા) ૧૭. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૧ - અંગ આગમ ૧૮. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૨ - અંગબાહ્ય આગમો ૧૯. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૩- આગમિક વ્યાખ્યાઓ ૨૦. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૪ – કર્મ સાહિત્ય-આગમિક પ્રકરણ ૨૧. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૫ – લાક્ષણિક સાહિત્ય ૨૨. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૬ - કાવ્ય સાહિત્ય ૨૩. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૭ – કન્નડતામિલ, મરાઠી ૨૪. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૮ - અપભ્રંશ સાહિત્ય ૨૫. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૯ - અવશિષ્ટ જૈન સાહિત્ય Page #380 -------------------------------------------------------------------------- ________________ (XII) ઋણ સ્વીકાર અમો આભારી છીએ પરમપૂજય આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયસોમચંદ્રસૂરિજી મહારાજ તથા અન્ય મુનિ ભંગવતોના. ભાગ-૧ અંગઆગમના પ્રકાશનમાં આર્થિક સહયોગ આપવા બદલ શ્રી નવજીવન જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મુંબઈના. આ પ્રકાશનના આર્થિક સહયોગમાં ફાળો આપનાર અનેક સંસ્થાઓ તથા દાતાશ્રીઓના. શ્રી પાર્શ્વનાથ જૈન શોધ સંસ્થાન, વારાણસીના તથા તેના પૂર્વ નિયામક ડૉ. સાગરમલજી જૈનના. ગુજરાતી આવૃતિના માનદ્ સંપાદકો ડૉ. નગીનભાઈ શાહ તથા ડો. રમણીકભાઈ શાહના. ઉત્તમ છાપકામ માટે લેસર ઈબ્રેશન્સવાળા શ્રી મયંક શાહ તથા માણિભદ્ર પ્રિન્ટર્સવાળા શ્રી કનુભાઈ ભાવસાર અને સુંદર સચિત્ર ટાઈટલ ડિઝાઈન માટે કીંગ ઈમેજ પ્રા. લિ. ના ડાયરેક્ટર શ્રી જીવણભાઈના વડોદરિયાના. લિ. શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ. Page #381 -------------------------------------------------------------------------- ________________ मककमानाडकमानानानादरसनिासयमा कार्मामिधरना यागनाधानवान्मानपशिनावतामापदनिधिसमानिायवधायनामा ननवयानपारिवंटामविगानाधनषाविाववादवानवधान मन्चपनिाकामयानुदिनावटीचार्यवाँयायधनायायनामयता मिहाया बनधित यघाधि यः नसामग्रामपाकमनवकमानाविमानिकविमानश्चीमाार्यसममा मिधिमाकायनांगमायनशानचालायनकेनपावतातीनमस्ति नाणदावानाजलकलापकाविवादायारणमाञ्चनमासविद्यापय बावन्नामवणमंगावधानामाविकाथामिनबसनायामक गाव पायसमजूममखासामविधायमानलवणावतायामापसासुगायकल 4141 पावापासमामदनरवामिनावचिनाबंदालविकासमाधिनमड मिनिमानिानाज्ञपनिमानियाजिनीवाचवानाबायवायूवेडालियन नाइखानादयामिवामासिवसुखाचलीज्ञानिमणिणिमयानखाय. डानम्यामडनाशादासणाविधासकियामासकशायासह नासवमाकाद्याद्वात्रिंशाहदिरमामालिनमालवणसंसारात पार्विस पुटरामक नानिखार सुखता प्पटारका वामानबनानाडालायाचनालाबानानटनटनटाचारमानानकता मानजितानिकांदवनामवमान मिाकाबदामामझानाडासदा वाट्वामीनसंचमहायानबहधाशक्तिमामनिनामुक्तचापाकगिना विमडमनामाचाऊमाधवमघवनाशासाोयकम्मानिति एक यिमन अमाय मासिकमायोचिनिकामनाकशिसम्माक्षिणामिवायपकानांगरवारसष्टि चावनमामिमाविममनसाककणारमशालिनोकिलकाधिमा भवादछिनाझपदासानीमावादावमासमेवमाश्सीजाशनलिजा याशा मिडियायननंमममीयतविद्यमावायभामटनंददायदेशसंख्या मंडलाउजयाशिस्वासस्वकारद्यारवायनामिकापश्सयमन्कायनयानर बँटामथिया।इमानिसल्यवपञ्चाकानिायकचनुनघालामानायलाचयाना। साट्यावयवदोगनाकालाडादादायसिसवासुदेशवालयशपाजणआमा भूदानारणातलछानटातायानसरकनाकाबायावासादावा किंवा गावमहाचमारनच्छाकामाटाजमानियालामजाविषिश्यान्मयादि मि नया For the personal USERS S anemarate Page #382 -------------------------------------------------------------------------- ________________ विविवद्यालयटोसाडिवामियाजदमावअनिविविनावलिहायकमायधिष्णा माधिनासायसिवनितासामधानानासारामारथाचकपाबनायनारासब मानवाइकारानाकानवाधिजगालादताडनाश्यत्सुकासिवान वंगमानश्चयो विषयायामासासगणयनीयानिवासरताकामिन यसनाभिकमानातिकमानानानादरसानासययाकामानिध्ययनदव शिकायागिमायानगन्मानेपनिनायनामापनिार्थवसानिविधायनासुध साधासजननचहानशरिवेकानमावशीनाघनवाध्विगायनादवामखाना न्यनमनिलामपनिाकतवानदिनीयवटचायवाश्यासुबनायायनामयात्र SAN ममयावधमामयामुपाकमनवकमानाचमानिकविमानधामादर्यप्रसमस अन्यायमधिमाकार्यनीगाकडेनमानकालाय पी कनयविकानाम्नर्मा किशमणिदीपावलाकलापकाविवाहायारामपञ्चानबासविधापय निादावनामरामनामशानशासायिकाचयाशिमिसर्वसनखयामकवावह पापदावायममममरवाजनिविधीयामामलवणायनारामायनाचायला म मालाडल्यपूचीवापाससामनास्वामिनावस्खचिनाबंदाधिकानुकाथेनमेंड किशनावारूवामानामचनिाताशयनियानिपानिधीवाश्वानायसायद्यालयतम। सायनसचानाईवानदिद्यानिवामासिवयाचजीविनिमरिणामणिमयानिमाय मानधनाजानघासनावदादासणार्चिपोसडदकिणयामागकझायासन सुनायवाहनानुवर्णकाद्यावाविवाहथिरममामालिनजागरणसंसारात मलsuesवामानवमानाडासायचमाकलांगनानटनटनटावावमकीनानकमा कामम्मानजितानकादवनामवमानसमिक्षकाबयामामझानाहावकणंसुदा मुलगाइनवाइवाजोनवमहानिहाशकिमामंनिनावावरणाविना नविदनााविमहमनामनगाऊमाधुरखमद्यवसाचसामायकम्माशिजसवैनि शा S বিৰঞ্জী चयनि नस्वमासिकमाइयाँवनिकजननामभिसम्माक्षिणामिपममारवाशा कचिवनमौसिमानाधिममनमोककलायमशालिनीकमकामझाविमस वभिश्वविडिलासवासानमिलवादावबामसेझममाझाना स्यकलाकामिडियादयाननमममायनेविसमायामकुयशामदनदादेनमें मिकमंडलायुडायलिशिवाघस्वकारशावापनाक्षिकसत्रमन्कादायनया Education Internationes For Rente & Personal Use Oy www.lainelibre मारायशियार्मिकस्यजपचकतिपयजनघालापमानायनापामा Page #383 -------------------------------------------------------------------------- ________________ इलानालामा नाम निकमा निमालयिष् या गिला किनार नीजनकानिनिमीय रा सिहायक मानावारूपमिनिमा जनप्रिय युवाकान्मा यधाशिनियानि ॥१८०॥ नि या प्रयाप्रियाम्॥३४ नगारखानाक नामाद्यावदिननः कञ्चानाशाहर नीराजननिकिता काननःसुमन पराजितान्मनः विवादम राम काकः॥ ममाद मानिसमा वासि ताकि घटाकर दिनी नद्या एकीकरणमा मार विज्ञास्वायडिया सिमाव विकल ०१ निः॥निदृष्टिवि नानामिया ॥ कालिनानामित्र मनाला मे विशालकिसन्याशमाया नपाननाधोना ज्यागामोनिका दागारा For Private आद्या हानिशा फल २०७ वाद्यमानयमानाडोल सम्मान रेजिनानिकावना वाम विविमना नस्वममिकता विकि ऋचाचनसमसाम भिमदास व्यकथा मिडियायनन म मिकमेडलोयाशिवा माययैवायमधियानि तमासा ||२५वाना करी दादी नारगोल छानिय निकाशा विमानक अादते ॥५४यदणासिवनासि दानव थोर मातीचारिय मामीमविगतमा विका पिसाखाडीवानानविमान या दानापापिविका इर्यमासादालयादव काम॥वलावालयमा गनादर्मिदल लालाव कायनाश्वन जायनाचिगमय संगम लिपटाचा मि साधितान्यष्यसि यनिताय च खा सावकाराmamiha Page #384 -------------------------------------------------------------------------- ________________ શ્રી 108 જૈન તીર્થ દર્શન ભવન-સમવસરણ મહામંદિર - પાલીતાણા