SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય : આચારાંગ ૧૫૯ એમ કહે કે હે શ્રમણો ! આ ગામ તો ઘણું નાનું છે અથવા ઘરે ઘરે સૂતક લાગેલું છે એટલે તમે લોકો આજુબાજુના અમુક ગામમાં ભિક્ષા માટે જાવ. ત્યાં અમારા અમુક સંબંધીઓ રહે છે. તમને તેમને ત્યાંથી દૂધ, દહીં, માખણ, ઘી, ગોળ, તેલ, મધ, મદ્ય, માંસ, જલેબી, શ્રીખંડ, પૂરી વગેરે બધું મળશે. તમને જે પસંદ હોય તે લઈ લેજો. ખાઈ પી પાત્રો સાફ કરી પાછા અહીં આવી જજો. સૂત્રકાર કહે છે કે ભિક્ષુએ આ રીતે ભિક્ષા મેળવવી ન જોઈએ. અહીં જે ખાદ્ય પદાર્થોનાં નામો ગણાવવામાં આવ્યાં છે તેમાં માખણ, મધ, મઘ, અને માંસનો સમાવેશ થાય છે. આથી જણાય છે કે પ્રાચીન સમયમાં કેટલાક ભિક્ષુઓ માખણ વગેરે લેતાં હશે. અહીં માખણ, મધ, મદ્ય અને માંસ શબ્દનો બીજો કોઈ અર્થ નથી. વૃત્તિકાર પોતે જ એ બાબતમાં સ્પષ્ટીકરણ કરતાં કહે છે કે કોઈ ભિક્ષુ અતિ પ્રમાદી હોય, ખાવાપીવાનો બહુ લાલચુ હોય તો તે મધ, મદ્ય અને માંસ લઈ પણ શકે છે ઃ અથવા ઋશ્ચિત્ ગતિપ્રમાવાવષ્ટબ્ધ અત્યન્તįખુતયા મધુ-મદ્ય-માંસાનિ અપિ આયેત્ ગત: તનુપાવનમ્ (આચારાંગ-વૃત્તિ, પૃ. ૩૦૩). વૃત્તિકારે આનું અપવાદસૂત્રના રૂપમાં પણ વ્યાખ્યાન કર્યું છે. મૂળ પાઠનો સંદર્ભ જોતાં આ ઉત્સર્ગસૂત્ર જ જણાય છે, અપવાદસૂત્ર નહિ. સમ્મિલિત સામગ્રી : ભિક્ષા માટે જતાં રસ્તામાં ખાઈ, ગઢ વગેરે આવે તો તેમને ઓળંગીને આગળ ન જાય. એ જ રીતે માર્ગમાં ઉન્મત્ત સાંઢ, પાડો, ઘોડો, મનુષ્ય વગેરે હોય તો તે બાજુથી ન જાય. ભિક્ષા માટે ગયેલ જૈન ભિક્ષુ વગેરેને ભિક્ષા આપનાર ગૃહપતિ જો એમ કહે કે હે આયુષ્યમાન શ્રમણો ! હું હાલ ખાસ કામમાં રોકાયેલો છું. મેં આ બધી ભોજનસામગ્રી આપ સૌને આપી દીધી છે. તે આપ બધા ખાઈ લો અથવા અંદરોઅંદર વહેંચી લો. આવી સ્થિતિમાં તે ભોજનસામગ્રી જૈન ભિક્ષુ ન સ્વીકારે. કદાચ કારણવશ આવી સામગ્રી સ્વીકારવી પડે તો એવું ના સમજે કે દાતાએ આ બધી સામગ્રી મને એકલાને જ આપી છે અથવા મારા માટે જ પૂરતી છે. તેને આપસમાં વહેંચતી વખતે અથવા સાથે મળી ખાતી વખતે કોઈ પણ પ્રકારનો પક્ષપાત અથવા ચાલાકી ન કરે. ભિક્ષાગ્રહણનો આ નિયમ ઔત્સર્ગિક નથી પરંતુ આપવાદિક છે. વૃત્તિકા૨ અનુસાર અમુક પ્રકારના ભિક્ષુઓ માટે જ આ નિયમ છે, બધા માટે નહિ. ગ્રાહ્ય જળ : ભિક્ષુ માટે ગ્રાહ્ય પાણીના પ્રકારો આ છે : ઉત્સ્વદિમ—પીસેલી વસ્તુને ભીંજવીને રાખેલું પાણી, સંસ્વેદિમતલ વગેરે વગર પીસેલી વસ્તુઓને ધોઈને રાખેલું પાણી, તંદુલોદક—ચોખાનું ધોવણ, તિલોદક–તલનું ધોવણ, તુષોદકન્તુષનું ધોવણ, યવોદક– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy