SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫) જંબૂદીવપન્નત્તિ, ચંદપન્નત્તિ. ત્રણ પન્નત્તિઓના વિષયમાં ઉલ્લેખ છે કે ‘તો પન્નત્તિઓ જાતિમાઓ સંષટ્ટ ૨ ઝીર' (પૃ. ૩૨). તાત્પર્ય એવું જણાય છે કે આ ત્રણેની તે તે અંગની વાચનાની સાથે પણ વાચના કરી શકાય છે. બાકીના પાંચ અંગો માટે લખ્યું છે કે ‘સેક્ષાળ પંચદ્દમંશાનું મયંતરેળ નિયાવલિયા મુયવસ્તુંધો વંñ ।' (પૃ. ૩૨). આ નિરયાવલિયાના પાંચ વર્ગો છે—નિરયાવલિયા, કપ્પવર્ડિસિયા, પુલ્ફિયા, પુચૂલિયા અને વીદસા. ત્યારબાદ ‘ડ્વાળિ પન્ના' (પૃ.૩૨) એવા ઉલ્લેખ સાથે નંદી, અનુયોગદ્વાર, દેવિન્દત્યઅ, તંદુલવિયાલિઅ, ચંદાવેય, આઉરપચ્ચક્ખાણ અને ગણિવિજ્જાનો ઉલ્લેખ કરીને ‘વમાડ્યા’ લખ્યું છે. આ ઉલ્લેખ પરથી એમ સિદ્ધ થાય છે કે પ્રકીર્ણકોમાં ઉલ્લિખિત ઉપરાંતનાં બીજાં પણ હતાં. અહીં એ પણ ધ્યાન આપવા જેવી વાત છે કે નંદી અને અનુયોગદ્વારને સાંપ્રતકાળે પ્રકીર્ણકથી જુદા ગણવામાં આવે છે પરંતુ અહીં તેમનો સમાવેશ પ્રકીર્ણકમાં છે. આ પ્રકરણના અંતમાં ‘વાહિરોવિહિક્ષમત્તો' એવું લખ્યું છે તેનાથી એ પણ જાણવા મળે છે કે ઉપાંગ અને પ્રકીર્ણક બંનેની સામાન્ય સંજ્ઞા કે વર્ગ અંગબાહ્ય હતો. તે પછી ભગવતીની વાચનાનો પ્રસંગ ઉઠાવાયો છે. એ વાત ભગવતીનું મહત્ત્વ સૂચિત કરે છે. ભગવતી પછી મહાનિસીહનો ઉલ્લેખ છે અને તેનો ઉલ્લેખ નિસીહાદિ છેદગ્રંથો સાથે નથી—એથી સૂચિત થાય છે કે તે પછીની રચના છે. મતાંતર આપ્યા પછી અંતમાં એક ગાથા આપવામાં આવી છે જેના વડે સૂચના મળે છે કે કયા અંગનું ઉપાંગ કયું છે— "उ०रा०जी० पन्नवणा सू० जं०चं०नि०क०क०पु०पु०वह्निदसनामा | आयाराइउवंगा नायव्वा आणुपुव्वीए – સુખબોધા સામાચારી, પૃ. ૩૪. શ્રીચંદ્રના આ વિવરણ પરથી એટલું તો ફલિત થાય છે કે તેમનાં સમય સુધી અંગ, ઉપાંગ, પ્રકીર્ણક એટલા નામો તો નિશ્ચિત થઈ ચૂક્યા હતાં. ઉપાંગોમાં પણ કયા ગ્રંથો સમાવિષ્ટ છે તે પણ નિશ્ચિત થઈ ચૂક્યું હતું, જે સાંપ્રતકાળે પણ તેમ જ છે. પ્રકીર્ણકવર્ગમાં નંદી-અનુયોગદ્વાર સામેલ હતા જે પાછળ જતાં જુદા થઈ ગયાં. મૂલસંજ્ઞા કોઈની પણ નથી મળતી જે આગળ જતાં આવશ્યકાદિને મળી છે. יון જિનપ્રભે પોતાના ‘સિદ્ધાન્તાગમસ્તવ’માં આગમોનું નામપૂર્વક સ્તવન કર્યું છે પરંતુ વર્ગીકરણ કર્યું નથી. તેમનો સ્તવનક્રમ આ પ્રમાણે છે—આવશ્યક, વિશેષાવશ્યક, દસવૈકાલિક, ઓથનિર્યુક્તિ, પિંડનિર્યુક્તિ, નંદી, અનુયોગદ્વાર, ઉત્તરાધ્યયન, ઋષિભાષિત, આચારાંગ વગેરે અગિયાર અંગો (આમાંના કેટલાંકને અંગ સંજ્ઞા આપવામાં આવી છે), ઔપપાતિક વગેરે ૧૨ (આમાં કોઈને પણ ઉપાંગ કહેવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy