SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬) આવ્યું નથી), મરણસમાધિ વગેરે ૧૩ (આમાંથી કોઈને પણ પ્રકીર્ણક કહ્યું નથી), નિશીથ, દશાશ્રુત, કલ્પ, વ્યવહાર, પંચકલ્પ, જીતકલ્પ, મહાનિશીથ—આટલાં નામો પછી નિર્યુક્તિ વગેરે ટીકાઓનું સ્તવન છે. ત્યારપછી દષ્ટિવાદ અને અન્ય કાલિક, ઉત્કાલિક ગ્રંથોની સ્તુતિ કરવામાં આવી છે. ત્યારપછી અંગવિદ્યા, વિશેષણવતી, સન્મતિ, નયચક્રવાલ, તત્ત્વાર્થ, જ્યોતિષ્કરેંડ, સિદ્ધપ્રાકૃત, વસુદેવહિંડી, કર્મપ્રકૃતિ વગેરે પ્રક૨ણ ગ્રંથોનો ઉલ્લેખ છે. આ સૂચિ પરથી એક વાત તો સિદ્ધ થાય છે કે ભલે જિનપ્રભે વર્ગોના નામ નથી આપ્યા પરંતુ તેમના સમય સુધી કયા ગ્રંથોનો કોની સાથે ઉલ્લેખ થવો જોઈએ એવો એક ક્રમ તો બની ગયો હશે. એટલા માટે આપણને મૂલસૂત્રો અને ચૂલિકાસૂત્રોના નામ એક સાથે જ મળે છે. આ જ વાત અંગ, ઉપાંગ, છેદ અને પ્રકીર્ણકને પણ લાગુ પડે છે. આચાર્ય ઉમાસ્વાતિ ભાષ્યમાં અંગની સાથે ઉપાંગ શબ્દનો નિર્દેશ કરે છે અને તેમને ઉપાંગ શબ્દથી અંગબાહ્ય ગ્રંથ અભિપ્રેત છે. આચાર્ય ઉમાસ્વાતિએ અંગબાહ્યની જે સૂચિ આપી છે તે પણ જિનપ્રભની સૂચિનું પૂર્વરૂપ છે. તેમાં પ્રથમ સામાયાકાદિ છ આવશ્યકોનો ઉલ્લેખ છે, ત્યારપછી ‘‘શનૈતિક, ઉત્તરાધ્યાયા:, વશા: જ્વવ્યવહારો, નિશીથ, કૃષિમાષિતાન્યેવાવિ’-આ જાતનો ઉલ્લેખ છે. આમાં જે આવશ્યકાદિ મૂલસૂત્રોનો તથા દશા આદિ છેદગ્રંથોનો એક સાથે નિર્દેશ છે, તે તેમના વર્ગીકરણની પૂર્વસૂચના આપે જ છે. ધવલામાં ૧૪ અંગબાહ્યોની જે ગણના કરવામાં આવી છે તેમાં પણ પ્રથમ છ આવશ્યકોનો નિર્દેશ છે, ત્યારપછી દશવૈકાલિક અને ઉત્તરાધ્યયનનો અને ત્યારપછી કપ્પવવહાર, કપ્પાકપ્પિય, મહાકપ્રિય, પુંડરીય, મહાપુંડરીય અને નિસીહનો નિર્દેશ છે. તેમાં માત્ર પુંડરીય, મહાપુંડરીયનો ઉલ્લેખ એવો છે જે નિસીહને અન્ય છેદોથી જુદું પાડે છે. નહિ તો આ પણ મૂળ અને છેદના વર્ગીકરણની સૂચના આપી જ રહેલ છે. આચાર્ય જિનપ્રભે ઈ.સ. ૧૩૦૬માં વિધિમાર્ગપ્રપા ગ્રંથની સમાપ્તિ કરી છે. તેમાં પણ (પૃ. ૪૮થી) તેમણે આગમોના સ્વાધ્યાયની તપોવિધિનું વર્ણન કર્યું છે. ક્રમથી નીચેના ૫૧ ગ્રંથોનો તેમાં ઉલ્લેખ છે—૧ આવશ્યકર,૨ દશવૈકાલિક, ૩ ઉત્તરાધ્યયન, ૪ આચારાંગ, ૫ સૂયગડાંગ, ૬ ઠાણાંગ, ૭ સમવાયાંગ, ૮ નિસીહ, ૯-૧૧ દસા “अन्यथा हि अनिबद्धमङ्गोपाङ्गशः समुद्रप्रतरणवद् दुरध्यवसेयं स्यात् -" तत्त्वार्थभाष्य, १. ૨૦. ૨. ‘‘મોહનિન્ગુત્તી આવયં વેવ ઝળુપવિટ્ટા''—વિધિમાńપ્રવા, પૃ. ૪૬. ૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy