SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) આમાં દશપૂર્વ કૃત ગ્રંથોનો ઉલ્લેખ નથી. ગણધરનો ઉલ્લેખ હોવાથી શ્રતકેવલીનો ઉલ્લેખ સૂચિત થાય છે. બીજી બાજુ કર્મ, મંત્ર, તંત્ર, નિમિત્ત આદિ વિદ્યાઓના વિષયમાં ઉલ્લેખ છે અને યોનિપાહુડનો નામપૂર્વક ઉલ્લેખ છે. કાવ્યોનું ચિંતન પણ મુનિઓ કરતા હતા એ પણ બતાવાયું છે. નિમિત્તને કેવલિસૂત્રનિબદ્ધ કહેવામાં આવ્યું છે. કુવલયમાલાના બીજા ઉલ્લેખથી એમ ફલિત થાય છે કે લેખકના મનમાં માત્ર આગમગ્રંથોનો જ ઉલ્લેખ કરવાનું અભિષ્ટ નથી. પ્રજ્ઞાપના વગેરે ત્રણ અંગબાહ્ય ગ્રંથોનો જે નામોલ્લેખ છે તે અંગબાહ્યોમાં તેમની વિશેષ પ્રતિષ્ઠાનો દ્યોતક છે. ધવલા જે તા. ૮-૧૦-૮૧૬ ઈ. સ.ના દિવસે સમાપ્ત થઈ હતી, તેનાથી પણ એ જ સિદ્ધ થાય છે કે તે કાળ સુધી આગમના અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ એવા બે વિભાગ હતા. પરંતુ સાંપ્રત કાળમાં શ્વેતાંબરોમાં આગમોનું જે વર્ગીકરણ પ્રસિદ્ધ છે તે ક્યારે શરૂ થયું, અથવા કોણે શરૂ કર્યું – એ જાણવાનું નિશ્ચિત સાધન ઉપલબ્ધ નથી. શ્રીચંદ્ર આચાર્ય (લેખનકાળ ઈ. સ. ૧૧૧૨થી પ્રારંભ) “સુખબોધા સામાચારી'ની રચના કરી છે. તેમાં તેમણે આગમના સ્વાધ્યાયની તપોવિધિનું જે વર્ણન કર્યું છે તેનાથી જાણવા મળે છે કે તેમના સમય સુધી અંગ અને ઉપાંગની વ્યવસ્થા અર્થાત્ અમુક અંગનું અમુક ઉપાંગ એવી વ્યવસ્થા બની ચૂકી હતી. પઠનક્રમમાં સર્વપ્રથમ આવશ્યકસૂત્ર, ત્યાર પછી દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન પછી આચાર વગેરે અંગો ભણવામાં આવતાં. બધા અંગો એક સાથે જ ક્રમથી ભણાવતાં હોય એવું પ્રતીત થતું નથી. પ્રથમ ચાર આચારાંગથી સમવાય સુધી ભણ્યા પછી નિસીહ, જીયકપ્પ, પંચકપ્પ, કપ્પ, વવહાર અને દસાર ભણવામાં આવતાં. નિસીહ વગેરેની છેદસંજ્ઞા હોવાનો અહીં ઉલ્લેખ નથી પરંતુ આ બધાને એક સાથે રાખ્યા છે તે વાત તેમના એક વર્ગની સૂચના તો આપે જ છે. આ છેદગ્રંથોના અધ્યયન પછી નાયધમ્મકહા (છઠ્ઠું અંગ), ઉવાસગદસા, અંતગડદસા, અણુત્તરોવવાયદસા, પણહાવાગરણ અને વિપાક – આ અંગોની વાચના થતી હતી. વિરાગ પછી એક પંક્તિમાં ભગવાઈનો ઉલ્લેખ છે પરંતુ તે પ્રક્ષિપ્ત હોય એવું લાગે છે કેમ કે ત્યાં કંઈ પણ વિવરણ આપ્યું નથી (પૃ. ૩૧). આનું વિશેષ વર્ણન આગળ જતાં “ળિગોણુ ય પંચમ વિવહિપન્નત્તિ' (પૃ. ૩૧) આવા શબ્દોથી શરૂ થાય છે. વિપાકની પછી ઉવાંગની વાચનાનો ઉલ્લેખ છે. તે આ પ્રમાણે છે – ઉવવાઈ, રાયપણઇય, જીવાભિગમ, પન્નવણા, સૂરપન્નત્તિ, ૧. ધવલા, પુસ્ત# ૧, પૃ. ૨૬. ૨. સુખબોધા સામાચારીમાં “નિસીહં સમત્ત એવો ઉલ્લેખ છે અને ત્યારપછી જીયકમ્પ વગેરેથી સંબંધિત પાઠના અંતમાં “#qવવારસાસુવિઘંધો સમૂત્તો' એવો ઉલ્લેખ છે. આથી જયકપ્પ અને પંચકમ્પની સ્થિતિ સંદિગ્ધ બને છે– પૃ. ૩૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy