SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ અંગઆગમ આવ્યા અને વણકરવાસમાં ઉતર્યા ત્યારે ત્યાં જ તેમની પાસે જ મંખલિપુત્ર ગોશાલક પણ ઉતર્યો હતો. આ પરથી જણાય છે કે મંખ ભિક્ષુઓની પરંપરા મહાવીરના દીક્ષિત થયા પૂર્વે પણ વિદ્યમાન હતી. મહાવીર દીક્ષિત થયા પછી બાર વર્ષ સુધી કઠોર તપ સાધના કરતા રહ્યા. તે પછી અર્થાત્ બેંતાલીસ વર્ષની ઉંમરે વીતરાગ બન્યા-કેવલી બન્યા. ત્યારપછી ફરતા ફરતા ચૌદ વર્ષે શ્રાવસ્તી નગરીમાં આવ્યા. તે જ સમયે મંખલિપુત્ર ગોશાલક પણ ફરતો ફરતો ત્યાં આવી પહોંચ્યો. આ રીતે ગોશાલકનો ભગવાન મહાવીર સાથે છપ્પન વર્ષની ઉંમરે ફરી મેળાપ થયો. આ શતકમાં એમ પણ બતાવવામાં આવ્યું છે કે કેવલી થયા પૂર્વે મહાવીરના ચમત્કારિક પ્રભાવથી આકર્ષિત થઈને જયારે ગોશાલકે તેમને પોતાના શિષ્યરૂપે સ્વીકારવા માટે પ્રાર્થના કરી ત્યારે તેઓ મૌન રહ્યા. ત્યારબાદ જ્યારે મહાવીર ફરતા ફરતા કોલ્લાક સંનિવેશમાં પહોંચ્યા ત્યારે ફરી તે તેમને શોધતો શોધતો ત્યાં જઈ પહોંચ્યો અને તેમની પાસે ફરી પોતાને તેમનો શિષ્ય બનાવવા માટે પ્રાર્થના કરી. આ વખતે મહાવીરે તેની પ્રાર્થના સ્વીકારી. ત્યારબાદ તે બંને છ વર્ષ સુધી સાથે ફરતા રહ્યા. તે વખતે એક પ્રસંગે ગોશાલકે મહાવીર પાસે શીતલેશ્યા હોવાની વાત જાણી અને તેજલેશ્યા વિષયમાં પણ જાણકારી મેળવી. તેણે મહાવીરને તેજલેશ્યા મેળવવા માટેનો ઉપાય પૂછ્યો. મહાવીર પાસેથી તે વિશેની વિધિ જાણી તેણે તે લબ્ધિ મેળવી. ત્યારબાદ તે મહાવીરથી જુદો થઈ વિચરવા લાગ્યો. મંખલિપુત્ર ગોશાલ જ્યારે શ્રાવસ્તીમાં પોતાની અનન્ય ઉપાસિકા હાલાહલા કુંભારણને ત્યાં ઉતર્યો હતો ત્યારે તેનો દીક્ષાપર્યાય ચોવીસ વર્ષનો હતો. આ દીક્ષાપર્યાય કયો સમજવો જોઈએ? તે સંબંધી મૂળસૂત્રમાં કોઈ સ્પષ્ટીકરણ નથી. સંભવ છે કે આ દીક્ષાપર્યાય મહાવીરથી જુદો થયા પછી જ્યારે તેણે પોતાના નવા મતનો પ્રચાર શરૂ કર્યો હતો ત્યારનો હોય. આ દીક્ષાપર્યાયની સ્પષ્ટતા વિષયમાં પં. કલ્યાણવિજયજી કૃત “શ્રમણ ભગવાન મહાવીર' જોવું જરૂરી છે. એમ જણાય છે કે ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમને આ મંખ પરંપરા અને મખલિપુત્ર ગોશાલકનો ખાસ પરિચય ન હતો. એટલા માટે તેઓ ભગવાન મહાવીરને મખલિપુત્રનો અથથી ઇતિ સુધીનો વૃત્તાંત કહેવાની વિનંતી કરે છે. તે સમયે નિયતિવાદી ગોશાલક જિન, કેવલી અને અહત રૂપે પ્રસિદ્ધ હતો. તે આજીવિક પરંપરાનો મુખ્ય આચાર્ય હતો. તેનો શિષ્ય પરિવાર તથા ઉપાસકવર્ગ પણ વિશાળ હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy