SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૨૩૯ ગોપાલક વિષયમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નિમ્નોક્ત છ દિશાચરો ગોશાલકને મળ્યા અને તેના સાથીરૂપે રહેવા લાગ્યાઃ શાન, કલંદ, કર્ણિકાર, અછિદ્ર, અગ્નિવેશ્યાયન અને ગોમાયુપુત્ર અર્જુન. આ દિશાચરો વિષયમાં ટીકાકાર કહે છે કે તેઓ ભગવાન મહાવીરના પથભ્રષ્ટ શિષ્યો હતા. ચૂર્ણિકારનું કથન છે કે આ છ દિશાચરો પાસત્થ અર્થાતુ પાર્શ્વનાથની પરંપરાના હતા. આવશ્યક ચૂર્ણિમાં જયાં મહાવીરના ચરિત્રનું વર્ણન છે ત્યાં ગોશાલકનું ચરિત્ર પણ આપવામાં આવ્યું છે. આ ચરિત્ર ખૂબ જ હાસ્યાસ્પદ અને વિલક્ષણ છે. વાયુકાય અને અગ્નિકાય: સોળમા શતકના પ્રથમ ઉદ્દેશકમાં બતાવવામાં આવ્યું છે કે અધિકરણી અર્થાત્ એરણ ઉપર હથોડો મારતાં વાયુકાય ઉત્પન્ન થાય છે. વાયુકાયના જીવો અન્ય પદાર્થોનો સંસ્પર્શ થવાથી જ મરે છે, સંસ્પર્શ વિના નહિ. સગડી (અંગારકારિકાઇંગાલ કારિયા)માં અગ્નિકાયના જીવો જધન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ રાત્રિ-દિવસ સુધી રહે છે. ત્યાં વાયુકાયિક જીવો પણ ઉત્પન્ન થાય છે અને રહે છે કેમ કે વાયુ વિના અગ્નિ પ્રજવલિત થતો નથી. જરા અને શોકઃ બીજા ઉદ્દેશકમાં જરા અને શોક વિષયક પ્રશ્નોત્તર છે. તેમાં બતાવવામાં આવ્યું છે કે જે જીવોને સ્થૂળ મન નથી હોતું તેમને શોક નથી હોતો પરંતુ જરા તો હોય જ છે. જે જીવોને સ્થળ મન હોય છે તેમને શોક પણ હોય છે અને જરા પણ. અહીં ભવનપતિ અને વૈમાનિક દેવોને પણ જરા અને શોક હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. એ રીતે જૈન આગમો અનુસાર દેવો પણ જરા અને શોકથી મુક્ત નથી. સાવદ્ય અને નિરવદ્ય ભાષાઃ દેવેન્દ્ર-દેવરાજ શક્ર સાવદ્ય ભાષા બોલે છે કે નિરવઘ તે પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીરે બતાવ્યું છે કે જ્યારે શક્ર “સુહુમાયું fઝૂહિતા' અર્થાત્ સૂક્ષ્મકાયને ઢાંકીને બોલે છે ત્યારે નિરવદ્ય-નિષ્પાપ ભાષા બોલે છે અને જ્યારે તે “સુહુમાયં ળિગૃદિતા' અર્થાત સૂક્ષ્મકાયને ઢાંક્યા વિના બોલે છે ત્યારે સાવદ્ય-સપાપ ભાષા બોલે છે. તાત્પર્ય એ છે કે હાથ અથવા વસ્ત્ર દ્વારા મુખ ઢાંકીને બોલનારાની ભાષા નિષ્પાપ અર્થાત નિર્દોષ હોય છે, જ્યારે મુખ ઢાંક્યા વિના બોલનારાની ભાષા સપાપ અર્થાત્ સદોષ હોય છે. આથી બોલવાની એક જૈન અભિમત મુજબની વિશિષ્ટ પદ્ધતિનો ખ્યાલ આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy