SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ અંગઆગમ છતાં જે જૈન ધર્મશાસ્ત્રોને સુવ્યવસ્થિત રાખવાની વ્યવસ્થા કરનારા હતા અર્થાત્ જૈન શાસ્ત્રોમાં કાનો-માત્રા જેટલું પણ પરિવર્તન ન થાય તેનું સતત ધ્યાન રાખનારા મહાનુભાવો હતા, તેમણે આ શાસ્ત્રોને સાંભળી સાંભળી યાદ રાખવાનો મહાન માનસિક ભાર કેવી રીતે ઉપાડ્યો હશે? અતિ પ્રાચીન કાળથી ચાલી આવનારી જૈન શ્રમણોની ચર્યા, સાધના અને પરિસ્થિતિનો વિચાર કરવાથી આ પ્રશ્નનું સમાધાન આપમેળે થઈ જાય છે. જૈન શ્રમણો અને શાસ્ત્રલેખનઃ જૈન મુનિઓની મન, વચન અને કાયા વડે હિંસા ન કરવી, ન કરાવવી તથા કરનારનું અનુમોદન ન કરવું એવી પ્રતિજ્ઞા હોય છે. પ્રાચીન જૈન મુનિઓ આ પ્રતિજ્ઞાનું અક્ષરશઃ પાલન કરવાનો પ્રયત્ન કરતા. જે મેળવવામાં હિંસાની જરા પણ સંભાવના રહેલી હોય તેવી વસ્તુઓને તેઓ સ્વીકારતા નહિ. આચારાંગ વગેરે ઉપલબ્ધ સૂત્રો જોતાં તેમની આ ચર્યા સ્પષ્ટપણે માલુમ પડે છે. બૌદ્ધ ગ્રંથો પણ તેમના માટે રીપતપસી’ (દીર્ઘતપસ્વી) શબ્દનો પ્રયોગ કરે છે. આ રીતે અત્યંત કઠોર આચાર-પાલનને કારણે આ શ્રમણો ધર્મરક્ષાના નામે પણ પોતાની ચર્યામાં અપવાદની આકાંક્ષા રાખનારા ન હતા. આ જ કારણ છે કે તેઓએ હિંસા તથા પરિગ્રહની સંભાવનાવાળી લેખનપવૃત્તિ અપનાવી નહિ. જો કે ધર્મપ્રચાર તેઓને ઈષ્ટ હતો, પરંતુ તે માત્ર આચરણ અને ઉપદેશ દ્વારા જ. હિંસા તથા પરિગ્રહની સંભાવનાને કારણે વ્યક્તિગત નિર્વાણના અભિલાષી આ નિઃસ્પૃહ મુમુક્ષુઓએ શાસ્ત્ર-લેખનની પ્રવૃત્તિની ઉપેક્ષા કરી. તેઓની આ અહિંસાપરાયણતાનું પ્રતિબિંબ બૃહત્કલ્પ નામના છેદસૂત્રમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થયું છે. તેમાં સ્પષ્ટ વિધાન છે કે પુસ્તક પાસે રાખનારો શ્રમણ પ્રાયશ્ચિત્તનો ભાગી બને છે (બૃહત્કલ્પ, ગા. ૩૮૨૧-૩૮૩૧, પૃ. ૧૦પ૪-૧૦૫૭). આ ઉલ્લેખથી એ પણ સિદ્ધ થાય છે કે કેટલાક સાધુઓ પુસ્તકો રાખતા પણ હશે. આથી એમ કહી શકાતું નથી કે ભગવાન મહાવીરની પછી હજાર વર્ષ સુધી કોઈ પણ આગમગ્રંથ પુસ્તકરૂપે લખાયો જ ન હોય. હા, એમ કહી શકાય કે પુસ્તકલેખનની પ્રવૃત્તિ વિધાનરૂપે સ્વીકૃત ન હતી. અહિંસાના આચારને રૂઢ સ્વરૂપે પાળનારા પુસ્તકો નહિ લખતા હોય, પરંતુ જેમને જ્ઞાન ઉપર વિશેષ પ્રેમ હોય તેઓ પુસ્તકો અવશ્ય રાખતા હશે. આવું માનવાથી જ અંગ ઉપરાંતના સમગ્ર વિશાળ સાહિત્યની રચના સંભવિત થઈ શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy