SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ જૈન શ્વેત આ રીતે વિશુદ્ધ રીતિથી સંચિત શ્રુતસંપત્તિ ગુરુ પોતાના શિષ્યોને સોંપતા તથા શિષ્યો ફરી પોતાની પરંપરાના પ્રશિષ્યોને સોંપતા. આ રીતે શ્રુતની પરંપરા ભગવાન મહાવીરના નિર્વાણ પછી લગભગ એક હજાર વર્ષ સુધી નિરંતર પ્રવાહના રૂપમાં ચાલતી રહી. મહાવીર-નિર્વાણના લગભગ એક હજાર પછી અર્થાત્ વિક્રમની ચોથી-પાંચમી શતાબ્દીમાં જ્યારે વલભીમાં આગમોને પુસ્તકારૂઢ કરવામાં આવ્યાં ત્યારથી કંઠાગ્રપ્રથા ધીરે-ધીરે ઓછી થવા લાગી અને હવે તો તે બિલકુલ મંદ થઈ ગઈ છે. જે કાળે કંઠાગ્ર પૂર્વ શાસ્ત્રોને યાદ રાખવાની પ્રથા ચાલુ હતી તે કાળે આ કાર્યને સુવ્યવસ્થિત તથા અવિસંવાદી રૂપે સંપન્ન કરવા માટે એક વિશિષ્ટ તથા આદરણીય વર્ગ વિદ્યમાન હતો જે ઉપાધ્યાયના રૂપમાં ઓળખાતો હતો. જૈન પરંપરામાં અરિહંત વગેરે પાંચ પરમેષ્ઠી માનવામાં આવે છે. તેમાં આ વર્ગનું ચોથું સ્થાન છે. આ રીતે સંધમાં આ વર્ગની વિશેષ પ્રતિષ્ઠા છે. ધર્મશાસ્ત્રો શરૂઆતમાં લખવામાં આવ્યાં ન હતાં પરંતુ કંઠાગ્ર હતાં તથા સ્મૃતિ વડે સુરક્ષિત રાખવામાં આવતાં હતાં, આ તથ્ય પ્રમાણિત કરવા માટે શાસ્ત્રો માટે વર્તમાનકાળે પ્રયોજાતા શ્રુતિ, સ્મૃતિ તથા શ્રુત શબ્દો પૂરતા છે. વિદ્વજ્જગત જાણે છે કે બ્રાહ્મણ પરંપરાના મુખ્ય પ્રાચીન શાસ્ત્રોનું નામ શ્રુતિ છે અને તે પછીના શાસ્ત્રોનું નામ સ્મૃતિ છે. શ્રુતિ અને સ્મૃતિ – આ બંને શબ્દો રૂઢ નથી પરંતુ યૌગિક છે અને સર્વથા અન્વર્થક છે. જૈન પરંપરાના મુખ્ય પ્રાચીન શાસ્ત્રોનું નામ શ્રુત છે. શ્રુતિ તથા સ્મૃતિની માફક જ શ્રુત શબ્દ પણ યૌગિક છે. આથી આ નામોવાળા શાસ્ત્રો સાંભળી સાંભળીને સુરક્ષિત રાખવામાં આવ્યા છે, એવું સ્પષ્ટપણે ફલિત થાય છે. આચારાંગ વગેરે સૂત્રો ‘સુર્ય મે’ વગેરે વાક્યોથી શરૂ થાય છે. આનો અર્થ એ જ છે કે શાસ્ત્રો સાંભળેલાં છે અને સાંભળતાં સાંભળતાં ચાલતાં આવ્યાં છે. પ્રાચીન જૈન આચાર્યોએ શ્રુતજ્ઞાનનું જે સ્વરૂપ બતાવ્યું છે તથા તેના વિભાગો કર્યા છે તેના મૂળમાં પણ આ ‘સુર્ય’ શબ્દ રહેલો છે, એમ માનવામાં કોઈ વાંધો નથી. વૈદિક પરંપરામાં વેદો સિવાય અન્ય કોઈ પણ ગ્રંથને માટે શ્રુતિ શબ્દનો પ્રયોગ થયો નથી, જ્યારે જૈન પરંપરામાં સમસ્ત શાસ્ત્રો માટે, પછી ભલે તે પ્રાચીન હોય કે અર્વાચીન, શ્રુત શબ્દનો પ્રયોગ પ્રચલિત છે. આ રીતે શ્રુત શબ્દ મૂળમાં યૌગિક હોવા છતાં પણ હવે રૂઢ બની ગયો છે. પહેલાં જેમ કહેવામાં આવ્યું છે તેમ, હજારો વર્ષ પૂર્વે પણ ધર્મોપદેશકોને લિપીઓ તથા લેખન-સાધનોનું જ્ઞાન હતું. તેઓ લેખનકળામાં નિપુણ પણ હતા. આમ હોવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy