SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ દ્વિતીય શ્રુતસ્કંધની ચૂલિકાઓ : આચારાંગનો દ્વિતીય શ્રુતસ્કંધ પાંચ ચૂલિકાઓમાં વિભક્ત છે. તેમાંથી પ્રથમ ચાર ચૂલિકાઓ તો આચારાંગમાં જ છે, પરંતુ પાંચમી ચૂલિકા વિશેષ વિસ્તૃત હોવાને કારણે આચારાંગથી જુદી કરવામાં આવી છે જે નિશીથસૂત્ર નામે એક અલગ ગ્રંથ સ્વરૂપે મળે છે. નંદિસૂત્રકારે કાલિકસૂત્રોની ગણનામાં ‘નિસીહ’ નામે જે શાસ્ત્રનો ઉલ્લેખ કર્યો છે તે આચારાગ્ર – આચારચૂલિકાનું આ જ પ્રકરણ સંભવે છે. તેનું બીજું નામ આચારકલ્પ અથવા આચારપ્રકલ્પ પણ છે, જેનો ઉલ્લેખ નિર્યુક્તિ, સ્થાનાંગ અને સમવાયાંગમાં મળે છે. અંગઆગમ ૭. આચારાગ્રની ચાર ચૂલિકાઓમાંથી પ્રથમ ચૂલિકાના સાત અધ્યયનો છે ઃ ૧.પિંડૈષણા, ૨. શયૈષણા, ૩. ઇર્યેષણા, ૪. ભાષાજાતૈષણા, ૫. વૌષણા, ૬. પાત્રૈષણા, ૭. અવગ્રહૈષણા. દ્વિતીય ચૂલિકાના પણ સાત અધ્યયનો છે ઃ ૧. સ્થાન, ૨. નિષીધિકા, ૩. ઉચ્ચારપ્રસવણ, ૪. શબ્દ, પ. રૂપ, ૬. પરક્રિયા, અન્યોન્યક્રિયા. તૃતીય ચૂલિકામાં ભાવના નામક એક જ અધ્યયન છે. ચતુર્થ ચૂલિકામાં પણ એક જ અધ્યયન છે જેનું નામ વિમુક્તિ છે. આ રીતે ચારેય ચૂલિકાઓમાં મળી કુલ સોળ અધ્યયનો છે. આ અધ્યયનોનાં નામોની યોજના તદંતર્ગત વિષયો ધ્યાનમાં રાખીને નિર્યુક્તિકારે કરેલ જણાય છે. પિંડૈષણા વગેરે સમસ્ત નામોનું વિવેચન નિર્યુક્તિકારે નિક્ષેપપદ્ધતિ વડે કર્યું છે. પિંડનો અર્થ છે આહાર, શય્યાનો અર્થ છે નિવાસસ્થાન, ઇર્યાનો અર્થ છે ગમનાગમન પ્રવૃત્તિ, ભાષાજાતનો અર્થ છે ભાષાસમૂહ, અવગ્રહનો અર્થ છે ગમનાગમનની સ્થાનમર્યાદા. વસ્ત્ર, પાત્ર, સ્થાન, શબ્દ અને રૂપનો તે જ અર્થ છે જે સામાન્યપણે પ્રચલિત છે. નિષીધિકા અર્થાત્ સ્વાધ્યાય અને ધ્યાન કરવાનું સ્થાન, ઉચ્ચારપ્રસવણ અર્થાત્ દીર્ઘશંકા અને લઘુશંકા, પરક્રિયા અર્થાત્ બીજાઓ દ્વારા કરવામાં આવતી સેવાક્રિયા, અન્યોન્ય ક્રિયા અર્થાત્ પરસ્પર કરવામાં આવતી અનુચિત ક્રિયા, ભાવના અર્થાત્ ચિંતન, વિમુક્તિ અર્થાત્ વીતરાગતા. ૧. મૂળમાં સેા કે સિજ્જા શબ્દ છે. તેનું સંસ્કૃત રૂપ ‘સદ્યા’ માનવું વિશેષ ઉચિત જણાશે. નિષદ્યા અને સઘા એ બંને સમાનાર્થક શબ્દો છે તથા સદન, સદ્મ વગેરે શબ્દો વસતિનિવાસ-સ્થાનના સૂચક છે પરંતુ પ્રાચીન લોકોએ સેજ્જા કે સિજ્જાનું સંસ્કૃત રૂપ ‘શય્યા’ સ્વીકાર્યું છે. હેમચંદ્ર જેવા પ્રખર પ્રતિભાશાળી વૈયાકરણે પણ ‘શય્યા’નું ‘સેજ્જા’ બનાવવાનો નિયમ આપ્યો છે. સદન, સદ્મ અને સદા એ બધા પર્યાયવાચી શબ્દો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy