SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રકૃતાંગ ૧૭૯ પાઠ છે તે કોઈ કારણસર વિકૃત થયેલો જણાય છે. મારી દષ્ટિએ અહીં ‘પોત્તિ’ પાઠ હોવો જોઈએ. અમરકોશ તથા અભિધાનચિંતામણિમાં પોત્રી (પ્રાકૃત પોત્તિ) શબ્દ શૂકરના પર્યાયરૂપે સુપ્રસિદ્ધ છે. અથવા સંસ્કૃત પોત્ર (પ્રાકૃત પુત્ત) શબ્દ શૂકરના મુખનો સૂચક માનવામાં આવ્યો છે. જો એમ સમજવામાં આવે કે આ જ અર્થવાળો ‘પુત્ત’ શબ્દ આ ગાથામાં વપરાયો છે તો શૂકરનો અર્થ પણ સંગત બની જાય છે. આથી આ ‘પુત્તું’ પાઠને વિકૃત કરવાની જરૂરત રહેતી નથી. સંશોધક મહાનુભાવો આ વિષયમાં જરૂર વિચાર કરે. એ જ રીતે ઉક્ત ગાથામાં પ્રયુક્ત ‘મેહાવી’ (મેધાવી) શબ્દ ભગવાન બુદ્ધનો સૂચક છે. એ દૃષ્ટિએ એમ માનવું ઉપયુક્ત પ્રતીત થાય છે કે ઉક્ત ગાથામાં કર્મબંધની ચર્ચા કરતી વખતે બુદ્ધના શૂકરમાંસ-ભક્ષણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મારી આ પ્રરૂપણા ક્યાં સુધી સાચી છે તેનો નિર્ણય સંશોધનશીલ વિદ્વજ્જનો જ ક૨શે. ઉપર્યુક્ત ગાથાની પહેલાંની ત્રણ ગાથાઓમાં પણ બૌદ્ધસંમત કર્મબંધનનું જ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, હિંસાનો હેતુ : સૂત્રકૃતાંગના દ્વિતીય શ્રુતસ્કંધમાં આવતા આર્દ્રકીય નામક છઠ્ઠા અધ્યયનમાં આર્દ્રકુમાર નામક પ્રત્યેકબુદ્ધની સાથે થયેલ બૌદ્ધ સંપ્રદાયના વાદીઓના વાદવિવાદનો ઉલ્લેખ છે. તેમાં પણ કર્મબંધનનાં સ્વરૂપની જ ચર્ચા છે. બૌદ્ધ મતના સમર્થકો કહે છે કે માનસિક સંકલ્પ જ હિંસાનું કારણ છે. તલ અથવા સરસવના ખોળનો એક પિંડો પડ્યો હોય અને કોઈ તેને પુરુષ સમજી તેનો નાશ કરે તો અમારા મતે તે હિંસાના દોષથી ખરડાય છે. એ જ રીતે તુંબડાંને કુમાર સમજી તેનો નાશ કરનાર પણ હિંસાનો ભાગીદાર બને છે. તેનાથી વિપરીત પુરુષને ખોળ સમજી અને કુમારને તુંબડું સમજી તેનો નાશ કરનાર પ્રાણીવધનો ભાગીદાર થતો નથી. એટલું જ નહિ આ પ્રકારની બુદ્ધિથી પકાવેલ પુરુષનું અથવા કુમારનું માંસ બુદ્ધોના ભોજનને માટે માન્ય છે. એ રીતે પકાવેલા માંસ દ્વારા જે ઉપાસક પોતાના સંપ્રદાયના બે હજાર ભિક્ષુઓને ભોજન કરાવે છે તેઓ મહાન પુણ્યસ્કંધનું ઉપાર્જન કરે છે અને તે દ્વારા આરોપ્પ (આરોપ્ય) નામક દેવયોનિમાં જન્મ લે છે. બૌદ્ધ વાદીઓની આ માન્યતાનો પ્રતીકાર કરતાં આર્દ્રકુમાર કહે છે કે ખોળને પુરુષ સમજવો અથવા તુંબડાંને કુમાર સમજવો કે પુરુષને ખોળ સમજવો અથવા કુમારને તુંબડું સમજવાનું કેવી રીતે સંભવિત છે ? જેઓ એવું કહે છે અને તેવા કથનનો સ્વીકાર કરે છે તેઓ અસંયત છે, અનાર્ય છે, રક્તપાણિ છે. તેઓ ઔદ્દેશિક માંસનું ભક્ષણ કરનારા છે, જીહ્વાના સ્વાદમાં આસક્ત છે. સમસ્ત પ્રાણીઓની રક્ષા માટે જ્ઞાતપુત્ર મહાવીર તથા તેમના અનુયાયી ભિક્ષુઓ ઔદેશિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy