SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ તત્ત્વોનું સંમેલન છે. વેદ પછી બ્રાહ્મણકાળમાં તો દેવો ગૌણ બની ગયા અને યજ્ઞો જ મુખ્ય બની ગયા. પુરોહિતોએ યજ્ઞક્રિયાનું એટલું મહત્ત્વ વધાર્યું કે યજ્ઞ જો ઉચિત વિધિથી થાય તો દેવતા માટે એ અનિવાર્ય થઈ ગયું કે તેઓ પોતાની ઈચ્છા ન હોય તો પણ યજ્ઞને પરાધીન થઈ જાય. એક રીતે આ દેવો ઉપર માનવોનો વિજય હતો, પરંતુ એમાં પણ દોષ એ હતો કે માનવનો એક વર્ગ–બ્રાહ્મણવર્ગ જ યજ્ઞવિધિને પોતાના એકાધિપત્યમાં રાખવા લાગ્યો હતો. તે વર્ગની અનિવાર્યતા એટલી વધારી દેવામાં આવી હતી કે તેમના વિના અને તેમના દ્વારા કરવામાં આવેલા વૈદિક મંત્રપાઠ તથા વિધિવિધાન વિના યજ્ઞની સંપૂર્તિ થઈ જ શકતી નહિ. પરંતુ જૈન ધર્મમાં તેનાથી વિપરીત જોવા મળે છે. જે પણ ત્યાગ-તપસ્યાનો માર્ગ અપનાવે તે ભલે શૂદ્ર પણ કેમ ન હોય, ગુરુપદ પ્રાપ્ત કરી શકતો હતો અને માનવમાત્રનો સાચો માર્ગદર્શક પણ બનતો હતો. શૂદ્ર વેદપાઠ કરી જ શકતો નહિ પરંતુ જૈન શાસ્ત્રપાઠમાં તેના માટે કોઈ બાધા ન હતી. ધર્મમાર્ગમાં સ્ત્રી અને પુરુષનો સમાન અધિકાર હતો, બંનેય સાધના કરીને મોક્ષ પામી શકતા હતા. | વેદાધ્યયનમાં શબ્દનું મહત્ત્વ હતું, આથી વેદમંત્રોના પાઠની સુરક્ષા થઈ, સંસ્કૃત ભાષાને પવિત્ર માનવામાં આવી, તેને મહત્ત્વ મળ્યું. પરંતુ જૈનોમાં પદનું નહિ પદાર્થનું મહત્ત્વ હતું. આથી તેમનામાં ધર્મના મૌલિક સિદ્ધાંતોની સુરક્ષા થઈ પરંતુ શબ્દોની સુરક્ષા થઈ નહિ. પરિણામ સ્પષ્ટ હતું કે તેઓ સંસ્કૃતને નહિ પરંતુ લોકભાષા પ્રાકૃતને જ મહત્ત્વ આપી શક્તા. પ્રાકૃત પોતાની પ્રકૃતિ અનુસાર હંમેશા એકરૂપ રહી જ શકી નહિ, તે બદલાતી જ ગઈ, બદલાતી જ ગઈ. જ્યારે વૈદિક સંસ્કૃત તે જ રૂપમાં આજે વેદોમાં ઉપલબ્ધ છે. ઉપનિષદોની પહેલાંના સમયમાં વૈદિક ધર્મમાં બ્રાહ્મણોનું પ્રભુત્વ સ્પષ્ટરૂપે જણાઈ આવે છે, જ્યારે જ્યારથી જૈન ધર્મનો ઇતિહાસ જ્ઞાત છે ત્યારથી તેમાં બ્રાહ્મણ નહિ પરંતુ ક્ષત્રિય વર્ગને જ નેતા માનવામાં આવેલ છે. ઉપનિષદકાળમાં વૈદિક ધર્મમાં બ્રાહ્મણો સમક્ષ ક્ષત્રિયોએ પોતાનું મસ્તક ઉઠાવ્યું અને તે પણ વિદ્યાના ક્ષેત્રમાં. પરંતુ તે વિદ્યા વેદ ન હોતાં આત્મવિદ્યા હતી અને ઉપનિષદોમાં આત્મવિદ્યાનું જ પ્રાધાન્ય થઈ ગયું છે. એ વાત બ્રાહ્મણ વર્ગ ઉપર સ્પષ્ટરૂપે ક્ષત્રિયોનાં પ્રભુત્વની સૂચના આપે છે. વૈદિક અને જૈન ધર્મમાં આ રીતનો વિરોધ જોઈને આધુનિક પશ્ચિમના વિદ્વાનોએ પ્રારંભમાં એમ લખવાનું શરૂ કર્યું કે બૌદ્ધ ધર્મની જ માફક જૈન ધર્મ પણ વૈદિક ધર્મના વિરોધ માટે ઊભો થયેલો એક ક્રાંતિકારી નવો ધર્મ છે અથવા તે બૌદ્ધ ધર્મની એક શાખા માત્ર છે. પરંતુ જેમ જેમ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના મૌલિક સાહિત્યનું વિશેષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy