SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) તો જૈનોના આરાધ્યોમાં આ વૃત્તિઓનો અભાવ જ છે. વૈદિકોના આ દેવોની પૂજ્યતા કોઈ આધ્યાત્મિક શક્તિના કારણે નહિ પરંતુ વિવિધ પ્રકારના અનુગ્રહ અને નિગ્રહની શક્તિના કારણે છે, જ્યારે જૈનોના આરાધ્યો આવી કોઈ શક્તિના કા૨ણે પૂજ્ય નથી પરંતુ વીતરાગતાના કારણે આરાધ્ય છે. આરાધકમાં વીતરાગ પ્રત્યે જે આદર છે તે તેને તેમની પૂજા માટે પ્રેરિત કરે છે, જ્યારે વૈદિક દેવોનો ડર આરાધકના યજ્ઞનું કારણ છે. વૈદિકોમાં ભૂદેવોની માન્યતા તો હતી, પરંતુ તેઓ કાળક્રમે સ્વાર્થી બની ગયા હતા. તેમને પોતાના પુરોહિતપણાની રક્ષા કરવાની હતી. પરંતુ જૈનોના ભૂદેવ વીતરાગ માનવો છે. તેમને યજ્ઞાદિ કરીને કમાણીનું કોઈ સાધન ઊભું કરવાનું ન હતું.ધાર્મિક કર્મકાંડમાં વૈદિકોમાં યજ્ઞ મુખ્ય હતો જે અધિકાંશ હિંસા કે પશુ-વધ વિના પૂર્ણ થતો નહિ. જ્યારે જૈન ધર્મમાં ક્રિયાકાંડ તપસ્યારૂપ છે—અનશન અને ધ્યાનરૂપ છે, જેમાં હિંસાનું નામ નથી. આ વૈદિક યજ્ઞો દેવોને પ્રસન્ન કરવા માટે કરવામાં આવતા જ્યારે જૈનોમાં પોતાના આત્માના ઉત્કર્ષ માટે જ ધાર્મિક અનુષ્ઠાન થતાં. તેમાં કોઈ દેવને પ્રસન્ન કરવાની વાતને કંઈ સ્થાન ન હતું. તેમના દેવો તો વીતરાગ હતા, જે પ્રસન્ન પણ ન થતા અને અપ્રસન્ન પણ ન થતા. તેઓ તો માત્ર અનુકરણીયના રૂપમાં આરાધ્ય હતા. વૈદિકોએ વિવિધ પ્રકારના ઇન્દ્રાદિ દેવોની કલ્પના કરી હતી, જે ત્રણેય લોકમાં હતા અને તેમનો વર્ગ મનુષ્યવર્ગથી જુદો હતો અને મનુષ્ય માટે તેઓ આરાધ્ય હતા. પરંતુ જૈનોએ જે એક વર્ગના રૂપમાં દેવો માન્યા છે તેઓ માનવવર્ગથી જુદા વર્ગના હોવા છતાં પણ તેમનો તે વર્ગ સહુ મનુષ્યો માટે આરાધ્ય કોટિમાં નથી. મનુષ્ય દેવોની પૂજા ભૌતિક ઉન્નતિ માટે ભલે કરે પરંતુ આત્મિક ઉન્નતિ માટે તો તેનાથી કોઈ લાભ નથી એવું મંતવ્ય જૈન ધર્મનું છે. આથી એવા જ વીતરાગ મનુષ્યોને જૈન ધર્મે માન્યા કે જે દેવોના પણ આરાધ્ય છે. દેવો પણ તે મનુષ્યોની સેવા કરે છે. સારાંશ એ છે કે દેવો નહિ પરંતુ માનવની પ્રતિષ્ઠા વધારવામાં જૈન ધર્મ અગ્રણી છે. દેવ કે ઇશ્વર આ વિશ્વનો નિર્માતા કે નિયંતા છે એવી કલ્પના વૈદિકોની જોવા મળે છે. તેના સ્થાને જૈનોનો સિદ્ધાંત છે કે સૃષ્ટિ તો અનાદિકાળથી ચાલી આવે છે, તેનું નિયંત્રણ કે સર્જન પ્રાણીઓનાં કર્મથી થાય છે, બીજા કોઈ કારણે નહિ. વિશ્વના મૂળમાં કોઈ એક જ તત્ત્વ હોવું જરૂરી છે—એ વિષયમાં વૈદિક નિષ્ઠાને જોવામાં આવે તો તે વિવિધ પ્રકારની છે. અર્થાત્ તે એક તત્ત્વ કયું છે એ વિષયમાં વિવિધ મતો છે, પરંતુ એ બધા મતો એ વાતમાં તો એકમત છે કે વિશ્વના મૂળમાં કોઈ એક જ તત્ત્વ હતું. આ વિષયમાં જૈનોનું સ્પષ્ટ મંતવ્ય છે કે વિશ્વના મૂળમાં કોઈ એક તત્ત્વ નહિ પરંતુ તે તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy