SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ અંગઆગમ બ્રહ્મ શબ્દનો બ્રાહ્મણ અર્થ વિવક્ષિત છે. મૂળમાં તો બ્રહ્મ શબ્દ બ્રહ્મચર્યનો જ વાચક છે. બ્રહ્મચર્ય સંયમરૂપ છે આથી બ્રહ્મ શબ્દ સત્તર પ્રકારના સંયમનો સૂચક પણ છે. આનું સમર્થન સ્વયં નિર્યુક્તિકારે (૨૮મી ગાથામાં) કર્યું છે. આમ હોવા છતાં પણ સ્થાપનાથી બ્રહ્મનું સ્વરૂપ સમજાવતાં નિર્યુક્તિકારે યજ્ઞોપવીતાદિયુક્ત અને બ્રાહ્મણગુણવર્જિત જાતિબ્રાહ્મણને પણ સ્થાપનાથી બ્રહ્મ કેમ કહ્યો? કોઈ બીજાને અર્થાત્ ક્ષત્રિય, વૈશ્ય અથવા શૂદ્રને સ્થાપનાથી બ્રહ્મ કેમ ન કહ્યો? આનું સમાધાન એ છે કે જે કાળે આચારાંગની યોજના થઈ તે કાળ ભગવાન મહાવીર અને સુધર્માનો હતો. તે કાળમાં બ્રહ્મચર્ય ધારણ કરનારા મોટા ભાગે બ્રાહ્મણો હતા. કોઈ સમયે બ્રાહ્મણો વાસ્તવિક અર્થમાં બ્રહ્મચારી હતા, પરંતુ જે કાળની આ સૂત્રયોજના છે તે કાળમાં બ્રાહ્મણો પોતાના બ્રાહ્મણધર્મથી અર્થાત્ બ્રાહ્મણના યથાર્થ આચારથી ટ્યુત થઈ ગયા હતા. છતાં પણ બ્રાહ્મણ જાતિના બાહ્ય ચિહ્નો ધારણ કરવાને કારણે તેમને બ્રાહ્મણ જ માનવામાં આવતા હતા. આ રીતે તે સમયે ગુણ નહિ પરંતુ જાતિ જ બ્રાહ્મણત્વનું પ્રતીક મનાવા લાગી હતી. સુત્તનિપાતના બ્રાહ્મણધમિકસુત્ત (ચૂલવગ્ન, સૂ. ૭)માં ભગવાન બુદ્ધે આ વિષયમાં સુંદર ચર્ચા કરી છે. તેનો સાર નીચે આપવામાં આવ્યો છે - શ્રાવસ્તી નગરીમાં જેતવનસ્થિત અનાથપિડિકના ઉદ્યાનમાં આવીને ઉતરેલા ભગવાન બુદ્ધને કોશલ દેશના કેટલાક વૃદ્ધ અને કુલીન બ્રાહ્મણોએ આવીને પ્રશ્ન કર્યો-“હે ગૌતમ! શું આજકાલના બ્રાહ્મણો પ્રાચીન બ્રાહ્મણોના બ્રાહ્મણધર્મ અનુસાર આચરણ કરતાં દેખાય છે?” બુદ્ધ જવાબ આપ્યો-“હે બ્રાહ્મણો! આજકાલના બ્રાહ્મણો પ્રાચીન બ્રાહ્મણોના બ્રાહ્મણધર્મ અનુસાર આચરણ કરતાં દેખાતા નથી.” બ્રાહ્મણો કહેવા લાગ્યા–“હે ગૌતમ ! પ્રાચીન બ્રાહ્મણધર્મ શું છે તે અમને બતાવો.” બુદ્ધ કહ્યું-“પ્રાચીન બ્રાહ્મણ ઋષિઓ સંયતાત્મા અને તપસ્વી હતા. તેઓ પાંચ ઈન્દ્રિયોના વિષયને ત્યાગીને આત્મચિંતન કરતા. તેમની પાસે પશુઓ ન હતા, ધન ન હતું. સ્વાધ્યાય જ તેમનું ધન હતું. તેઓ બ્રાહ્મનિધિનું પાલન કરતા. લોકો તેમના માટે શ્રદ્ધાપૂર્વક ભોજન બનાવી દ્વાર ઉપર તૈયાર રાખતા અને તેમને આપવાનું ઉચિત સમજતા. તેઓ અવદ્ય હતા અને તેમના માટે કોઈ પણ કુટુંબમાં અવરજવરની કોઈ રોકટોક ન હતી. તેઓ અડતાલીસ વર્ષ સુધી કૌમાર બ્રહ્મચર્યનું પાલન કરતા અને પ્રજ્ઞા તથા શીલનું સંપાદન કરતા. ઋતુકાળ સિવાય તેઓ પોતાની પ્રિય સ્ત્રીનો સહવાસ પણ સ્વીકારતા નહિ. તેઓ બ્રહ્મચર્ય, શીલ, આર્જવ, માર્દવ, તપ, સમાધિ, અહિંસા અને શાંતિની સ્તુતિ કરતા. તે સમયે સુકુમાર, ઉન્નતસ્કંધ, તેજસ્વી અને યશસ્વી બ્રાહ્મણો સ્વધર્માનુસાર આચરણ કરતા તથા કૃત્ય-અકૃત્ય વિષયમાં સદા દક્ષ રહેતા. તેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy