SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રુત આ વસ્તુ જોતાં એ નથી કહી શકાતું કે જ્યારે ગ્રંથલેખનની પ્રવૃત્તિનો પ્રારંભ થયો હશે ત્યારે તત્કાલીન સમસ્ત જૈન પરંપરાની તે કાર્યમાં સહમતિ રહી હશે. છતાં પણ જેમણે અપવાદ-માર્ગનું આલંબન લઈને પણ ગ્રંથલેખન દ્વારા ધર્મ-વચનોને સુરક્ષિત રાખવાનું પવિત્રતમ કાર્ય કર્યું છે તેમનો આપણા પર – ખાસ કરીને સંશોધકો પર મહાન ઉપકાર થયો છે. શ્રુતજ્ઞાન : જૈન પરંપરામાં પ્રચલિત “શ્રત’ શબ્દ માત્ર જૈન શાસ્ત્રોને માટે જ રૂઢ નથી. શાસ્ત્રો ઉપરાંત “શ્રત’ શબ્દમાં લિપિઓનો પણ સમાવેશ થાય છે. “શ્રુત’નાં જેટલાં પણ કારણો અર્થાત્ નિમિત્ત-કારણો છે, તે બધાં “શ્રુતમાં સમાવિષ્ટ થાય છે. જ્ઞાનરૂપ કોઈપણ વિચાર ભાવશ્રુત કહેવાય છે. આ માત્ર આત્મગુણ હોવાને કારણે હંમેશા અમૂર્ત હોય છે. વિચારને પ્રકાશિત કરવાનું નિમિત્ત-કારણ શબ્દ છે, આથી તે પણ નિમિત્તનૈમિત્તિકના કથંચિત્ અભેદની અપેક્ષાએ “શ્રુત' કહેવાય છે. શબ્દ મૂર્ત હોય છે. તેને જૈન પરિભાષામાં ‘દ્રવ્યશ્રુત' કહે છે. શબ્દની જ માફક ભાવસૃતને સુરક્ષિત તથા સ્થાયી રાખવા માટે જે પણ નિમિત્ત અર્થાત્ કારણ હોય તે બધાં ‘દ્રવ્યશ્રુત' કહેવાય છે. આમાં સમસ્ત લિપિઓનો સમાવેશ થાય છે. તદુપરાંત કાગળ, શાહી, લેખણ વગેરેને પણ પરંપરાની અપેક્ષાએ “શ્રુત કહી શકાય છે. આ જ કારણ છે કે જ્ઞાનપંચમી અથવા શ્રુતપંચમીના દિવસે બધા જૈનો સામુહિક રૂપે એકઠા થઈને આ સાધનો તથા બધા પ્રકારનાં જૈન પુસ્તકોનું વિશાળ પ્રદર્શન કરે છે અને ઉત્સવ ઉજવે છે. દેવ-પ્રતિમાની માફક તેમની પાસે ઘીનો દીવો પ્રકટાવે છે અને વંદન, નમન, પૂજન વગેરે કરે છે. પ્રત્યેક શબ્દ ભલેને તે કોઈપણ પ્રકારનો હોય–વ્યક્ત હોય કે અવ્યક્ત- ‘દ્રવ્યશ્રુત'માં સમાવિષ્ટ થાય છે. પ્રત્યેક ભાવસૂચક સંકેત – જેમ કે છીંક, ખોંખારો વગેરે –નો પણ વ્યક્ત શબ્દની જેમ જ દ્રવ્યશ્રુતમાં સમાવેશ થાય છે. દ્રવ્યશ્રત અને ભાવભૃત વિષયમાં આચાર્ય દેવવાચકે સ્વરચિત નંદિસૂત્રમાં વિસ્તૃત અને સ્પષ્ટ ચર્ચા કરી છે. નંદિસૂત્રકારે જ્ઞાનના પાંચ પ્રકારો દર્શાવ્યા છેઃ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવળજ્ઞાન. જૈન પરંપરામાં “પ્રત્યક્ષ” શબ્દના બે અર્થ સ્વીકારાયેલા છે. પહેલો અક્ષ અર્થાત્ આત્મા. જે જ્ઞાન સીધું આત્મા દ્વારા જ થાય, જેમાં ઈન્દ્રિયો અથવા મનની સહાયની જરૂર ન પડે તે જ્ઞાન પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે. બીજો અક્ષ અર્થાત્ ઈન્દ્રિયો તથા મન. જે જ્ઞાન ઈન્દ્રિયો અને મનની સહાયથી ઉત્પન્ન થાય તે વ્યાવહારિક પ્રત્યક્ષ કહેવાય છે. ઉક્ત પાંચ જ્ઞાનોમાં અવધિ, મન:પર્યાય અને કેવળ એ ત્રણ પારમાર્થિક પ્રત્યક્ષ છે અને મતિ વ્યાવહારિક પ્રત્યક્ષ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy