SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ અંગઆગમ ક્ષમાશ્રમણે ક્ષીણ થતાં જતાં શ્રુત-સાહિત્યને સુરક્ષિત રાખવા માટે કેવી રીતે પુસ્તકારૂઢ કરવાનો પ્રયત્ન કર્યો તે જ રીતે સર્વથા અચેલક અર્થાત્ શરીર તથા પીંછ અને કમંડળ સિવાય બીજા બધા બાહ્ય પરિગ્રહને ચારિત્રની વિરાધના સમજનારા મુનિઓએ પણ પખંડાગમ વગેરે સાહિત્યને સુરક્ષિત રાખવા માટેનો પ્રયત્ન શરૂ કર્યો. એમ કહેવામાં આવે છે કે આચાર્ય ધરસેન સોરઠ (સૌરાષ્ટ્ર) પ્રદેશમાં આવેલ ગિરનારની ચંદ્રગુફામાં રહેતા હતા. તેઓ અષ્ટાંગ મહાનિમિત્તશાસ્ત્રમાં પારંગત હતા. તેમને એમ લાગ્યું કે હવે શ્રુત-સાહિત્યનો વિચ્છેદ થઈ જાય તેવો ભયંકર સમય આવી પહોંચ્યો છે. આ જાણીને ભયભીત થયેલા પ્રવચનપ્રેમી ધરસેને દક્ષિણ પ્રદેશમાં વિચરતા મહિમા નગરીમાં એકત્રિત થયેલા આચાર્યોને એક પત્ર લખી મોકલ્યો. પત્ર વાંચીને આચાર્યોએ આંધ્ર પ્રદેશના બેન્નાતટ નગરના વિશેષ બુદ્ધિમાન બે શિષ્યોને આચાર્ય ધરસેન પાસે મોકલી આપ્યા. આવેલા શિષ્યોની પરીક્ષા કર્યા પછી તેમને ધરસેને પોતાની વિદ્યા અર્થાત્ શ્રુત-સાહિત્ય ભણાવવાનું શરૂ કર્યું. ભણતાં-ભણતાં અષાઢ શુક્લ એકાદશીનો દિવસ આવી પહોંચ્યો. આ દિવસે બરાબર બપોરે તેમનું અધ્યયન પૂરું થયું. આચાર્ય બંને શિષ્યો પર બહુ પ્રસન્ન થયા અને તેમાંના એકનું નામ ભૂતબલી અને બીજાનું નામ પુષ્પદંત રાખ્યું. તે પછી બંને શિષ્યોને પાછા મોકલ્યા. તેમણે સોરઠથી પાછા જતાં અંકલેસર (અંકુલેશ્વર અથવા અંકલેશ્વર) નામક ગામમાં ચાતુર્માસ કર્યો. ત્યાર પછી આચાર્ય પુષ્પદંત વનવાસ માટે ગયા અને આચાર્ય ભૂતબલી દ્રમિલ (દ્રવિડ)માં ગયા. આચાર્ય પુષ્પદંતે જિનપાલિત નામના શિષ્યને દીક્ષા આપી. પછી વીસ સૂત્રોની રચના કરી તથા જિનપાલિતને ભણાવી તેને દ્રવિડ દેશમાં આચાર્ય ભૂતબલી પાસે મોકલ્યો. આચાર્ય પુષ્પદંત અલ્પાયુ છે તથા મહાકર્મ-પ્રકૃતિ પ્રાભૃત સંબંધી જે કંઈ શ્રુત-સાહિત્ય છે તે તેમના મૃત્યુ બાદ રહેશે નહિતેમ જાણીને આચાર્યભૂતબલીએદ્રવ્યપ્રમાણાનુયોગને પ્રારંભમાં રાખી ષટ્રખંડાગમની રચના કરી. આ ખંડસિદ્ધાંતશ્રુતના કર્તારૂપે આચાર્ય ભૂતબલી તથા પુષ્પદંત બંનેને માનવામાં આવે છે. આ કથાનકમાં સોરઠ પ્રદેશનો ઉલ્લેખ આવે છે. શ્રી દેવર્ધિગણિની ગ્રંથલેખન-પ્રવૃત્તિનો સંબંધ પણ સોરઠ પ્રદેશની જ વલભી નગરી સાથે છે. જ્યારે વિક્રમની તેરમી શતાબ્દીમાં આચાર્ય અભયદેવે અંગગ્રંથો પર વૃત્તિઓની રચના કરી ત્યારે કેટલાક શ્રમણો તેમના આ કાર્ય સાથે અસહમત હતા, આ વાત અભયદેવના પ્રબંધમાં સ્પષ્ટપણે ઉલિખિત છે. ૧. બૃહટ્ટિપ્પનિકામાં “નિઝામૃતમ્ વીરન્ ૬૦૦ ધારસેમ્' આ રીતનો ઉલ્લેખ મળે છે. આ બંને ધરસેન એક જ છે કે જુદા જુદા, તે વિશે જોઈ માહિતી મળતી નથી. ૨. પખંડાગમ, પ્રથમ ભાગ, પૃ. ૬૭-૭૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy