SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ અંગઆગમ મુનિઓનાં ઉપકરણો: આચારાંગમાં ભિક્ષુઓના વસ્ત્રોના ઉપયોગ તથા અનુપયોગ સંબંધી જે પાઠ છે તેમાં ક્યાંય પણ વૃત્તિકારનિર્દિષ્ટ જિનકલ્પ વગેરે ભેદોનો ઉલ્લેખ નથી, માત્ર ભિક્ષુની સાધનસામગ્રીનો નિર્દેશ છે. તેમાં અચલકતા અને સચેલકતાનું પ્રતિપાદન ભિક્ષુની પોતાની પરિસ્થિતિને દૃષ્ટિમાં રાખીને કરવામાં આવેલ છે. આ વિષયમાં કોઈ પણ પ્રકારની અનિવાર્યતાને સ્થાન નથી. આ માત્ર આત્મબળ કે દેહબળની તરતમતા પર આધારિત છે. જેનું આત્મબળ અથવા દેહબળ અપેક્ષાએ અલ્પ છે તેને પણ સૂત્રકારે સાધનાની પૂરતી તક આપી છે. સાથે સાથે જ એમ પણ કહ્યું છે કે અચેલક, ત્રિવસ્ત્રધારી, દ્વિવસ્ત્રધારી, એકવસ્ત્રધારી અને માત્ર લજ્જાનિવારણ માટે વસ્ત્રનો ઉપયોગ કરનાર આ બધા ભિક્ષુઓ સમાનરૂપે આદરણીય છે, એ બધા પ્રત્યે સમાનતાનો ભાવ રાખવો જોઈએ. સમત્તમેવ સમfમનાળિય. આમાંથી અમુક પ્રકારના મુનિઓ ઉત્તમ છે અથવા શ્રેષ્ઠ છે અને અમુક પ્રકારના હીન છે અથવા અધમ છે એવું ન સમજવું જોઈએ. અહીં એક વાત વિશેષ ઉલ્લેખનીય છે. પ્રથમ શ્રુતસ્કંધમાં મુનિઓના ઉપકરણ સંબંધી આવતા સમસ્ત ઉલ્લેખોમાં ક્યાંય પણ મુહપત્તી નામે ઉપકરણનો ઉલ્લેખ નથી. તેમાં માત્ર વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપુંછન, અવગ્રહ તથા કટાસનનું નામ છે : વલ્થ હિં વિંવતં પાપુંછ ના દંચ ડાઇi (૨, ), વલ્થ પડિહં ૐવતં પાયjછvi (૬, ૨), वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा (८, १), वत्थं वा पडिग्गहं वा कंबलं वा પાયjછvi વા (૮, ૨). ભગવતીસૂત્રમાં તથા અન્ય અંગસૂત્રોમાં જ્યાં જ્યાં દીક્ષા લેનારાઓનો અધિકાર આવે છે ત્યાં ત્યાં રજોહરણ તથા પાત્ર સિવાય કોઈ બીજા ઉપકરણનો ઉલ્લેખ જણાતો નથી. આ હકીકત પણ મુહપત્તી સંબંધમાં વિવાદ ઊભો કરનારી છે. ભગવતીસૂત્રમાં ‘ગૌતમ મુહપત્તીનું પ્રતિલેખન કરે છે એ પ્રકારનો ઉલ્લેખ આવે છે. એથી પ્રતીત થાય છે કે આચારાંગની રચના સમયે મુહપત્તીનો ભિક્ષુઓના ઉપકરણોમાં સમાવેશ થતો ન હતો, પરંતુ પછીથી તેનો ઉમેરો કરવામાં આવ્યો. મુહપત્તી બાંધવાનો ઉલ્લેખ તો ક્યાંય જોવા મળતો નથી. સંભવ છે કે બોલતી વખતે બીજા પર થુંક ન ઉડે તથા પુસ્તક પર પણ ઘૂંક ન પડે, એ દષ્ટિએ મુહપત્તીની શરૂઆત થઈ હોય. મોઢા પર મુહપત્તી બાંધી રાખવાનો રિવાજ તો ઘણા સમય પછી આવેલો છે. ૧. જૈન શાસનમાં ક્રિયાકાંડમાં પરિવર્તન કરનારા અને સ્થાનકવાસી પરંપરાના પ્રવર્તક પ્રધાન પુરુષ શ્રી લોકાશાહ પણ મુહપત્તી બાંધતા ન હતા. બાંધવાની પ્રથા પાછળથી આવી છે. જુઓ–ગુરુદેવશ્રી રત્નમુનિ સ્મૃતિગ્રંથમાં પં. દલસુખભાઈ માલવણિયાનો લેખ “લોકાશાહ અને તેમની વિચારધારા': Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy