SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ અંગ ગ્રંથોનો અંતરંગ પરિચય: આચારાંગ ૧૫૧ અર્થમાં અને પરિશ્નવ શબ્દ “બંધનના નાશના હેતુ' એ અર્થમાં જૈન અને બૌદ્ધ પરિભાષામાં રૂઢ છે. આથી “માસવા....”નો અર્થ એ થયો કે જે આસ્રવો છે અર્થાત્ બંધનના હેતુઓ છે તે ઘણી વાર પરિગ્નવ અર્થાત બંધનના નાશના હેતુઓ બની જાય છે અને જે બંધનના નાશના હેતુઓ છે તે ઘણી વાર બંધનના હેતુઓ બની જાય છે. એ જ રીતે જે અનાગ્નવો છે અર્થાતુ બંધનના હેતુઓ નથી તે ઘણી વાર બંધનના હેતુઓ બની જાય છે અને જે બંધનના હેતુઓ છે તે ઘણીવાર બંધનના અહેતુઓ બની જાય છે. આ વાક્યોનો ગૂઢાર્થ “મન પર્વ મનુષ્યનાં છાપાં વન્ધ–મોક્ષયોઃ' સિદ્ધાંતના આધારે સમજી શકાય છે. બંધન અને મુક્તિનું કારણ મન જ છે. મનની વિચિત્રતાના કારણે જ જે હેતુ બંધનનું કારણ હોય છે તે જ મુક્તિનું પણ કારણ બની જાય છે. એ જ રીતે મુક્તિનો હેતુ બંધનનું કારણ પણ બની શકે છે. ઉદાહરણ રૂપે એક જ પુસ્તક કોઈને માટે જ્ઞાનાર્જનનું કારણ બને છે તો કોઈના માટે ક્લેશનું, અથવા કોઈ સમયે વિદ્યોપાર્જનનો હેતુ બને છે તો કોઈ સમયે કલહનો. તાત્પર્ય એ છે કે ચિત્તશુદ્ધિ અથવા અપ્રમત્તતાપૂર્વક કરવામાં આવનારી ક્રિયાઓ જ અનાગ્નવ અથવા પરિક્સવનું કારણ બને છે. અશુદ્ધ ચિત્ત અથવા પ્રમાદપૂર્વક કરવામાં આવેલી ક્રિયાઓ આગ્નવ અથવા અપરિગ્સવનું કારણ બને છે. વર્ષાભિલાષાઃ વMIણી નારખે વવ વ્યો' (આચારાંગ અ. ૫, ઉ. ૨, સૂ. ૧૫૫)નો અર્થ આ પ્રમાણે છે : વર્ણનો અભિલાષી લોકમાં કોઈનું પણ આલંબન ન કરે. વર્ણ અર્થાત પ્રશંસા, યશ, કીર્તિ. તેના આદેશી અર્થાતુ અભિલાષીએ સમગ્ર સંસારમાં કોઈની પણ હિંસા ન કરવી જોઈએ; કોઈનો પણ ભોગ ન લેવો જોઈએ. એ જ રીતે અસત્ય, ચૌર્ય વગેરેનું પણ આચરણ ન કરવું જોઈએ. આ એક અર્થ છે. બીજો અર્થ આ પ્રમાણે છે : સંસારમાં કીર્તિ અથવા પ્રશંસા માટે દેહદમન આદિની પ્રવૃત્તિ ના કરવી જોઈએ. ત્રીજો અર્થ આ પ્રમાણે છે : લોકમાં વર્ણ અર્થાત રૂપસૌંદર્ય માટે કોઈ પ્રકારના સંસ્કારો-સ્નાન વગેરેની પ્રવૃત્તિ ન કરવી જોઈએ. ઉપર્યુક્ત સૂત્રમાં મુમુક્ષુઓ માટે કોઈ પણ પ્રકારની હિંસા ન કરવાનું વિધાન છે. તેમાં કોઈ અપવાદનો ઉલ્લેખ કે નિર્દેશ નથી. છતાં પણ વૃત્તિકાર કહે છે કે પ્રવચનની પ્રભાવનાને માટે અર્થાત જૈનશાસનની કીર્તિને માટે કોઈ આ પ્રકારનો આરંભ–હિંસા કરી શકે છે પ્રવવનોદ્ધીવાર્થ તુ મારમ (આચારાંગવૃત્તિ, પૃ. ૧૯૨). વૃત્તિકારનું આ કથન ક્યાં સુધી યુક્તિસંગત છે, તે વિચારણીય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy