SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ એકાદશ પ્રકરણ પ્રશ્નવ્યાકરણ પણ્ડાવાગરણ અથવા પ્રશ્નવ્યાકરણ' દસમુ અંગ છે. તેનો જે પરિચય અચેલક પરંપરાના રાજવાર્તિક વગેરે ગ્રંથો અને સચેલક પરંપરાનાં સ્થાનાંગ વગેરે સૂત્રોમાં મળે છે, ઉપલબ્ધ પ્રશ્નવ્યાકરણ તેનાથી સર્વથા જુદું છે. સ્થાનાંગમાં પ્રશ્નવ્યાકરણનાં દસ અધ્યયનોનો ઉલ્લેખ છે : ઉપમા, સંખ્યા, ઋષિભાષિત, આચાર્યભાષિત, મહાવીરભાષિત, ક્ષોભકપ્રશ્ન, કોમલપ્રશ્ન, અદ્દાગપ્રશ્ન, અંગુષ્ઠપ્રશ્ન અને બાહુપ્રશ્ન. સમવાયાંગમાં બતાવવામાં આવ્યું છે કે પ્રશ્નવ્યાકરણમાં ૧૦૮ પ્રશ્નો, ૧૦૮ અપ્રશ્નો અને ૧૦૮ પ્રશ્નાપ્રશ્નો છે જે મંત્રવિદ્યા તથા અંગુષ્ઠપ્રશ્ન, બાહુપ્રશ્ન, દર્પણપ્રશ્ન વગેરે વિદ્યાઓ સંબંધી છે. તેનાં ૪૫ અધ્યયનો છે. નંદિસૂત્રમાં પણ એ જ બતાવવામાં આવ્યું છે કે પ્રશ્નવ્યાકરણમાં ૧૦૮ પ્રશ્નો, ૧૦૮ અપ્રશ્નો અને ૧૦૮ પ્રશ્નાપ્રશ્નો છે; અંગુષ્ઠપ્રશ્ન, બાહુપ્રશ્ન, દર્પણપ્રશ્ન વગેરે વિચિત્ર વિદ્યાઓનું વર્ણન છે; નાગકુમારો અને સુવર્ણકુમારોની સંગતિના દિવ્ય સંવાદો છે; ૪૫ અધ્યયનો છે. ૧. (અ) અભયદેવવિહિત વૃત્તિસહિત – આગમોદય સમિતિ, મુંબઈ, ઈ. સ. ૧૯૧૯; ધનપતસિંહ, કલકત્તા, ઈ.સ.૧૮૭૬. (આ) જ્ઞાનવિમલવિરચિત વૃત્તિસહિત—મુક્તિવિમલ જૈન ગ્રંથમાળા, અમદાવાદ, વિ.સં. ૧૯૯૫. (ઇ) હિંદી ટીકાસહિત—મુનિ હસ્તિમલ, હસ્તિમલ્લ સુરાણા, પાલી, ઈ.સ.૧૯૫૦. (ઈ) સંસ્કૃત વ્યાખ્યા અને તેના હિંદી-ગુજરાતી અનુવાદ સાથે—મુનિ ઘાસીલાલ, જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ.૧૯૬૨. (ઉ) હિંદી અનુવાદ સહિત—અમોલક ઋષિ, હૈદરાબાદ, વી.સં. ૨૪૪૬; ઘેવરચન્દ્ર બાંઠિયા, સેઠિયા જૈન પારમાર્થિક સંસ્થા, બીકાનેર, વિ.સં. ૨૦૦૯. Jain Education International (ઊ) ગુજરાતી અનુવાદ–મુનિ છોટાલાલ, લાધાજી સ્વામી પુસ્તકાલય, લીંબડી, ઈ.સ. ૧૯૩૯. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy