________________
અંગઆગમ
વિદ્યમાન પ્રશ્નવ્યાકરણમાં ન તો ઉપર્યુક્ત વિષય છે કે ન ૪૫ અધ્યયનો. તેમાં હિંસાદિ પાંચ આસ્રવો તથા અહિંસાદિ પાંચ સંવરોનું દસ અધ્યયનોમાં નિરૂપણ છે. તાત્પર્ય એ છે કે જે પ્રશ્નવ્યાકરણનો બંને જૈન પરંપરાઓમાં ઉલ્લેખ છે તે વર્તમાનમાં ઉપલબ્ધ નથી. તેનો અર્થ એ થયો કે વિદ્યમાન પ્રશ્નવ્યાકરણ પછીથી થઈ જનાર કોઈ
ગીતાર્થ પુરુષની રચના છે. વૃત્તિકાર અભયદેવસૂરિ લખે છે કે આ સમયનો કોઈ અનધિકારી મનુષ્ય ચમત્કારી વિદ્યાઓનો દુરુપયોગ ન કરે એ દૃષ્ટિએ આ પ્રકારની બધી વિદ્યાઓ આ સૂત્રમાંથી કાઢી નાખી અને તેમનાં સ્થાને માત્ર આસ્રવ અને સંવરનો સમાવેશ કરી દેવામાં આવ્યો. અહીં એક વાત વિચારણીય છે કે જિન ભગવાન જ્યોતિષ વગેરે ચમત્કારિક વિદ્યાઓ અને એવા જ પ્રકારની અન્ય આરંભ-સમારંભપૂર્ણ વિદ્યાઓના નિરૂપણને દૂષિત પ્રવૃત્તિ બતાવે છે. આવી સ્થિતિમાં પ્રશ્નવ્યાકરણમાં ચમત્કારિક વિદ્યાઓનું નિરૂપણ જિન પ્રભુએ કેવી રીતે કર્યું હશે ? પ્રશ્નવ્યાકરણનો પ્રારંભ આ ગાથાથી થાય છે :
जंबू ! इणमो अहय-संवरविणिच्छयं पवयणस्स । नीसंदं वोच्छामि णिच्छयत्थं सुहासियत्थं महेसीहिं ॥ અર્થાત્ કે જંબૂ ! અહીં મહર્ષિપ્રણીત પ્રવચનસારરૂપ આશ્રવ અને સંવરનું નિરૂપણ કરીશ.
૨૬૮
ગાથામાં જંબૂનું નામ તો છે પરંતુ ‘મહર્ષિઓ દ્વારા સુભાષિત’ શબ્દો વડે એ સ્પષ્ટ પ્રતીત થાય છે કે આનું નિરૂપણ માત્ર સુધર્મા દ્વારા થયું નથી. આનાથી એ પણ સિદ્ધ થાય છે કે વિષયની દૃષ્ટિએ આ સૂત્ર આખું જ નવું બની ગયું છે કે જેના કર્તા કોઈ ગીતાર્થ પુરુષ હોઈ શકે.
અસત્યવાદી મત ઃ
સૂત્રકારે અસત્યભાષકના રૂપમાં નીચેના મતોના નામો ઉલ્લેખ કર્યો છે ઃ
:
૧. નાસ્તિકવાદી અથવા વામલોકવાદી—ચાર્વાક
૨. પંચસ્કન્ધવાદી—બૌદ્ધ
૩. મનોજીવવાદી—મનને જીવ માનનારા
૪. વાયુજીવવાદી—પ્રાણવાયુને જીવ માનનારા
૫. ઇંડામાંથી જગતની ઉત્પત્તિ માનનારા
૬. લોકને સ્વયંભૂકૃત માનનારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org