SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ અંગઆગમ ઔપપાતિક વગેરે આવે છે. આથી પ્રતીત થાય છે કે આ સમય સુધી ઉપાંગોનો વર્તમાન ક્રમ નિશ્ચિત થયો ન હતો. ૮૨ નંદિસૂત્રમાં નિર્દિષ્ટ અંગબાહ્ય, કાલિક અને ઉત્કાલિક શાસ્રોમાં વર્તમાનકાળે પ્રચલિત ઉપાંગરૂપ સમસ્ત ગ્રંથોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલાંક ઉપાંગો કાલિક શ્રુતાંતર્ગત છે અને કેટલાક ઉત્કાલિક શ્રુતાંતર્ગત. ઉપાંગોના ક્રમના વિષયમાં વિચાર કરતાં જણાય છે કે આ ક્રમ અંગોના ક્રમ સાથે સંબદ્ધ નથી. જે વિષય અંગમાં હોય તેની સાથે સંબંધિત વિષય તેના ઉપાંગમાં પણ હોય તો તે અંગ અને ઉપાંગનો પરસ્પરનો સંબંધ ઘટી શકે છે. પરંતુ વાત એમ નથી. છઠ્ઠા અંગ જ્ઞાતાધર્મકથાનું ઉપાંગ જમ્બુદ્રીપપ્રજ્ઞપ્તિ ગણવામાં આવે છે અને સાતમા અંગ ઉપાસકદશાનું ઉપાંગ ચંદ્રપ્રજ્ઞપ્તિ કહેવાય છે, જ્યારે તેમના વિષયોમાં કોઈ સમાનતા કે સામંજસ્ય નથી. આ જ વાત અન્ય અંગોપાંગોના વિષયમાં પણ કહી શકાય. આ રીતે બાર અંગોનું તેમના ઉપાંગો સાથે કોઈ વિષયસામ્ય પ્રતીત થતું નથી. એક વાત એવી પણ છે કે ઉપાંગ અને અંગબાહ્ય આ બે શબ્દોના અર્થમાં ઘણું અંતર છે. અંગબાહ્ય શબ્દથી એવો આભાસ થાય છે કે આ સૂત્રોનો સંબંધ અંગો સાથે નથી અથવા અતિ અલ્પ છે, જ્યારે ઉપાંગ શબ્દ અંગોની સાથે સીધો સંબદ્ધ છે. એવું જણાય છે કે અંગબાહ્યોની પ્રતિષ્ઠા વધારવા માટે અથવા તો અંગોની સમકક્ષ તેમના પ્રામાણ્યસ્થાપનની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને કોઈ ગીતાર્થે તેમને ઉપાંગ નામે સંબોધિત કરવાનું શરૂ કર્યું હશે. બીજી વાત એ છે કે અંગોની સાથે સંબંધ રાખનારા દશવૈકાલિક, ઉત્તરાધ્યયન વગેરે સૂત્રોને ઉપાંગોમાં ન રાખતાં ઔપપાતિક વડે ઉપાંગોની શરૂઆત કરવાનું કોઈ કારણ પણ આપવામાં આવ્યું નથી. સંભવિત છે કે દશવૈકાલિક વગેરે વિશેષ પ્રાચીન હોવાને કારણે અંગબાહ્ય હોવા છતાં પણ પ્રામાણ્યયુક્ત ગણાતાં હોય અને ઔપપાતિક વગેરેના વિષયમાં આ બારામાં કોઈ વિવાદ ઊભો થયો હોય અને એટલા માટે તેમને ઉપાંગના રૂપમાં ગણવાનું શરૂ થયું હોય. એક વાત એવી પણ છે કે ઔપપાતિક, રાજપ્રશ્નીય, જીવાભિગમ, પ્રજ્ઞાપના વગેરે ગ્રંથો દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની સામે હતા અને એટલા માટે તેઓએ અંગસૂત્રોમાં જ્યાં ત્યાં ‘ના તવવારૂપ, ના પત્રવળાપ, ના નીવામિમ્' ઇત્યાદિ પાઠ આપ્યો છે. આમ હોવા છતાં પણ ‘ના વવાડ્કડવાં, ગદ્દા પત્રવળાડવાંનેે’ આ રીતે ‘ઉપાંગ’ શબ્દયુક્ત કોઈ પાઠ મળતો નથી. આથી અનુમાન થઈ શકે છે કે કદાચ દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની પછી જ આ ગ્રંથોને ઉપાંગ કહેવાનો પ્રયત્ન થયો હોય. શ્રુતનો આ સામાન્ય પરિચય પ્રસ્તુત પ્રયોજન માટે પર્યાપ્ત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy