SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ અંગઆગમ ‘નિયા’ની જગ્યાએ ‘નિજાય’ અથવા ‘નિયાય’ પાઠાંતરો પણ છે. વૃત્તિકાર લખે છે : 'पाठान्तरं वा निकायप्रतिपन्नः - निर्गतः कायः औदारिकादि यस्मात् यस्मिन् वा सति स निकायो मोक्षः तं प्रतिपन्नः निकायप्रतिपन्नः तत्कारणस्य सम्यग्दर्शनादेः स्वशक्त्याऽनुष्ठानात्' (આચારાંગવૃત્તિ, પૃ. ૩૮) અર્થાત્ જેમાંથી ઔદારિક આદિ શરીરો નીકળી ગયાં છે અથવા જેની ઉપસ્થિતિમાં ઔદારિક આદિ શરીરો નીકળી ગયાં છે તે નિકાય અર્થાત્ મોક્ષ છે. જેણે મોક્ષની સાધના સ્વીકારી છે તે “નિયપ્રતિપત્ર’ છે. ચૂર્ણિકારે પાઠાંતર ન આપતાં માત્ર ‘નિાય’ પાઠ જ સ્વીકાર્યો છે અને તેનો અર્થ આ પ્રમાણે કર્યો છે : 'णिकाओ णाम देसप्पदेसबहुत्तं णिकायं पडिवज्जति जहा आऊजीवा अहवा णिकायं ખિજ્યં મોતું મળ્યું પહિવત્રો' (આચારાંગચૂર્ણિ, પૃ. ૨૫) અર્થાત્ ણિકાયનો અર્થ છે દેશપ્રદેશ-બહુત્વ. જે અર્થમાં જૈન પ્રવચનમાં ‘અસ્થિાય’– અસ્તિકાય શબ્દ પ્રચલિત છે તે જ અર્થમાં ‘નિકાય’ શબ્દ પણ સ્વીકૃત છે, એવું ચૂર્ણિકારનું કથન છે. જેણે પાણીને નિકાયરૂપ-જીવરૂપ સ્વીકાર કરેલ છે તે નિકાયપ્રતિપન્ન છે. અથવા નિકાયનો અર્થ છે મોક્ષ. વૃત્તિકારે માત્ર મોક્ષ અર્થને સ્વીકારી ‘નિયાગ’ અથવા ‘નિકાય’ શબ્દનું વિવેચન કર્યું છે. ૧૪૬ ‘મહાવી’િ અને ‘મહાગીન' શબ્દોની વ્યાખ્યા કરતાં ચૂર્ણિકા૨ તથા વૃત્તિકાર બંનેએ આ શબ્દોને મોક્ષમાર્ગના સૂચક અથવા મોક્ષના સાધનરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-તપ વગેરેના સૂચક બતાવ્યા છે. મહાવીહિ અર્થાત્ મહાવીથિ અને મહાજાણ અર્થાત્ મહાયાન. ‘મહાવીદિ’ શબ્દ સૂત્રકૃતાંગના વૈતાલીય નામના બીજા અધ્યયનના પ્રથમ ઉદ્દેશકની એકવીસમી ગાથામાં પણ આવે છે ‘પળયા વીર મહાવીહિં સિદ્ધિપદં’ વગેરે. અહીં ‘મહાવીદૃિ’નો અર્થ ‘મહામાનું’ બતાવવામાં આવ્યો છે અને તેને ‘સિદ્ધિપહ' અર્થાત્ ‘સિદ્ધિપથ’ના વિશેષણ રૂપે સ્વીકારવામાં આવેલ છે. એ રીતે આચારાંગમાં પ્રયુક્ત ‘મહાવી’િ· શબ્દનો જે અર્થ છે તે જ સૂત્રકૃતાંગમાં પ્રયુક્ત ‘મહાવૌદ્દિ’ શબ્દનો પણ છે. ‘મહાનાળ’-‘મહાયાન’ શબ્દ જે જૈન પરંપરામાં મોક્ષમાર્ગનો સૂચક છે, બૌદ્ધદર્શનના એક ભેદરૂપે પણ પ્રચલિત છે. પ્રાચીન બૌદ્ધ પરંપરાનું નામ હીનયાન છે અને પછીની નવી બૌદ્ધ પરંપરાનું નામ મહાયાન છે. પ્રસ્તુત સૂત્રમાં ‘વી૨’ અને ‘મહાવીર’નો પ્રયોગ વારંવાર આવે છે. આ બંને શબ્દો વ્યાપક અર્થમાં પણ સમજી શકાય છે અને વિશેષ નામના રૂપમાં પણ. જે સંયમની સાધનામાં શૂર છે તે વીર અથવા મહાવીર છે. જૈન ધર્મના અંતિમ તીર્થંકરનું મૂળ નામ તો વર્ધમાન છે પરંતુ પોતાની સાધનાની શૂરતાને કારણે તેમને વીર અથવા મહાવીર કહેવાય છે. વીર અને મહાવીર શબ્દોનો અર્થ આ બંને રૂપે સમજી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy