SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રત આ રીતે અક્ષરશ્રુત અને અનક્ષરદ્યુત આ બે અવાંતરભેદોની સાથે શ્રુતજ્ઞાનનો વ્યાપક વિચાર જૈન પરંપરામાં અતિ પ્રાચીન કાળથી થતો આવ્યો છે. આનો ઉલ્લેખ જ્ઞાનના સ્વરૂપનો વિચાર કરનારા સમસ્ત જૈન ગ્રંથોમાં આજ પણ મળે છે. સમ્યકશ્રુત અને મિથ્યાશ્રુત : ઉપર બતાવવામાં આવ્યું કે ભાષાસાપેક્ષ, અવ્યક્તધ્વનિસાપેક્ષ તથા સંકેતસાપેક્ષ સમસ્ત જ્ઞાન શ્રતની કોટિમાં આવે છે. તેમાં ખોટું જ્ઞાન, ચોરી શીખવાડનારું જ્ઞાન, અનાચારનું પોષક જ્ઞાન ઇત્યાદિ મુક્તિવિરોધી તથા આત્મવિકાસબાધક જ્ઞાન પણ સમાવિષ્ટ છે. સાંસારિક વ્યવહારની અપેક્ષાએ ભલે આ બધું જ્ઞાન “શ્રુત' કહેવાય પરંતુ જ્યાં આધ્યાત્મિક દૃષ્ટિની મુખ્યતા હોય તથા એ જ એક લક્ષ્યને દૃષ્ટિમાં રાખીને સમસ્ત પ્રકારના પ્રયત્નો કરવાની વારંવાર પ્રેરણા આપવામાં આવી હોય ત્યાં માત્ર તમાર્ગોપયોગી અક્ષરદ્યુત તથા અનક્ષશ્રુત જ શ્રુતજ્ઞાનની કોટિમાં સમાવિષ્ટ થઈ શકે છે. આ રીતે માર્ગને માટે તો જે વક્તા અથવા શ્રોતાની દૃષ્ટિ શમસંપન્ન હોય, સંવેગસંપન્ન હોય, નિર્વેદયુક્ત હોય, અનુકંપા અર્થાત્ કરુણાવૃત્તિથી પરિપૂર્ણ હોય તથા દેહભિન્ન આત્મામાં શ્રદ્ધાશીલ હોય તેનું જ જ્ઞાન ઉપયોગી સિદ્ધ થાય છે. આ તથ્ય સ્પષ્ટરૂપે સમજાવવા માટે નંદિસૂત્રકારે બતાવ્યું છે કે સમાદિયુક્ત વક્તા અથવા શ્રોતાનું અક્ષર-અનક્ષરરૂપ શ્રુત જ સમ્યક શ્રત હોય છે. શમાદરહિત વક્તા અથવા શ્રોતાનું તે જ શ્રુત મિથ્યાત કહેવાય છે. આ રીતે ઉક્ત શ્રુતના ફરી બે વિભાગ કરવામાં આવ્યા છે. પ્રસ્તુત શ્રુત-વિચારણામાં આત્મવિકાસોપયોગી શ્રુતને જ સમ્યફ શ્રુત કહેવામાં આવ્યું છે. આ વિચારણા સંપ્રદાયનિરપેક્ષ છે. આનું જ પરિણામ છે કે તથાકથિત જૈન સંપ્રદાયના ન હોવા છતાં પણ અનેક વ્યક્તિઓના વિષયમાં અહેવા અથવા સિદ્ધત્વનો નિર્દેશ જૈન આગમોમાં મળે છે. જૈન શાસ્ત્રોના દ્વિતીય અંગ સૂયગડ–સૂત્રકૃતાંગનાં તૃતીય અધ્યયનના ચતુર્થ ઉદ્દેશકની પ્રથમ ચાર ગાથાઓમાં વૈદિક પરંપરાના કેટલાક પ્રસિદ્ધ પુરુષોનાં નામ આપવામાં આવ્યાં છે અને તેમને મહાપુરુષ કહેવામાં આવ્યા છે. આટલું જ નહિ, તેઓએ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી એ પણ બતાવવામાં આવ્યું છે. આ ગાથાઓમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે તેઓ શીતળનો ઉપયોગ કરતા હતા અર્થાત્ ઠંડુ પાણી પીતા, સ્નાન કરતા, ઠંડા પાણીમાં ઊભા રહી સાધના પણ કરતા તથા ભોજનમાં બીજ અને હરિત અર્થાત્ લીલી-કાચી વનસ્પતિ પણ લેતા હતા. આ મહાપુરુષોના વિષયમાં મૂળ ગાથામાં આવતા “તમતપોધન' શબ્દની વ્યાખ્યા કરતાં વૃત્તિકારે લખ્યું છે કે તેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy