SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૪) होता हुआ माना गया है। उसके अनुसार अंगज्ञान ने कभी भी सार्वजनिक रूप नहीं તિયા !” – પીઠિકા, પૃ. ૫૪૩. અહીં પંડિતજીનું તાત્પર્ય બરાબર સમજાતું નથી. ગુરુ પોતાના એક જ શિષ્યને ભણાવતા હતા અને પછી પાછા તે ગુરુ બની પોતાના શિષ્યને – આ પ્રકારની પરંપરા દિગંબરોમાં ચાલી છે–શું પંડિતજીનો આવો અભિપ્રાય છે? જો ગુરુ અનેક શિષ્યોને ભણાવતા હશે તો તો અંગજ્ઞાન શ્વેતાંબરોની માફક સાર્વજનિક બની જશે અને જો એવો અભિપ્રાય હોય કે એક જ શિષ્યને, તો શાસ્ત્રવિરોધ પંડિતજીના ધ્યાનની બહાર ગયેલ છે–એમ કહેવું પડે છે. પખંડાગમની ધવલામાં પરિપાટી અને અપરિપાટીથી સકલ શ્રુતના પારગામીનો ઉલ્લેખ છે. તેમાં અપરિપાટીથી– પરિવારવા પુખ સુદ્રપાર' સંજ્ઞહિસ્સા” (ધવલા, પૃ. ૬૫)નો ઉલ્લેખ છે તેનું સ્પષ્ટીકરણ પંડિતજી કઈ રીતે કરશે? અમને તો એમ સમજાય છે કે યુગપ્રધાન કે વંશપરંપરામાં જે ક્રમપૂર્વક આચાર્યો-ગણધરો થયા અર્થાત્ ગણનાયકો થયા તેમનો ઉલ્લેખ પરિપાટીક્રમે સમજવો જોઈએ અને ગણના મુખ્ય આચાર્ય ઉપરાંત જે શ્રતધરો હતા તેઓ પરિપાટીક્રમ સાથે સંબદ્ધ ન હોવાથી અપરિપાટીમાં ગણવામાં આવ્યા. આમ અપરિપાટીમાં હજારોની સંખ્યામાં સકળ શ્રતધરો હતા. તો આ અંગશ્રુત શ્વેતાંબરોની માફક દિગંબરોમાં પણ સાર્વજનિક હતું જ એમ માનવું પડે. અહીં એ પણ સ્પષ્ટ કરી દેવું જરૂરી છે કે જયધવલામાં એ સ્પષ્ટ લખ્યું છે કે સુધર્માએ માત્ર એક જંબૂને જ નહિ પરંતુ પોતાના અનેક શિષ્યોને અંગોની વાચના આપી હતી- “તદ્દવસે વેવ સુહમ્મરિયો ગંબ્સાનિયામળવાપમારિયાનું વળવુવાનો ધારૂક્ષ વતી નાવો ” – જયધવલા, પૃ. ૮૪. અહીં સ્પષ્ટરૂપે જંબૂએ પોતાના શિષ્ય એવા એક નહિ પરંતુ અનેક આચાર્યોને દ્વાદશાંગ ભણાવેલ છે–એવો ઉલ્લેખ છે. આ પરથી શું આપણે કલ્પના ન કરી શકીએ કે સંઘમાં શ્રતધરોની સંખ્યા ઘણી મોટી રહેતી? આવી સ્થિતિમાં શ્વેતાંબર-દિગંબરોમાં જે વિષયમાં ક્યારેય તફાવત રહ્યો નથી તે વિષયમાં તફાવતની કલ્પના કરવી ઉચિત નથી. પ્રાચીન પરંપરા અનુસાર શ્વેતાંબર અને દિગંબર બંનેમાં આ જ માન્યતા ફલિત થાય છે કે બધા ગણધરો સૂત્રરચના કરે છે અને પોતાના અનેક શિષ્યોને તેની વાચના આપે છે. એક વાત એવી પણ છે કે અંગજ્ઞાન શ્વેતાંબરોમાં સાર્વજનિક થઈ ગયું અને દિગંબરોમાં નહિ–તેનાથી પંડિતજીનું વિશેષ તાત્પર્ય શું એવું છે કે માત્ર દિગંબર પરંપરામાં જ ગુરુ-શિષ્ય પરંપરાથી જ અંગજ્ઞાન પ્રવાહિત થયું છે અને શ્વેતાંબરોમાં નહિ? જો એવું જ તેમનું મંતવ્ય હોય, જે તેમના આગળ ઉદ્ધત કરેલાં અવતરણથી સ્પષ્ટ છે, તો તેમનું આમ કહેવું પણ ઉચિત જણાતું નથી. અમે આચાર્ય જિનભદ્રના અવતરણો દ્વારા એ સ્પષ્ટ કર્યું જ છે કે તેમના સમય સુધી આ જ પરંપરા હતી કે શિષ્યને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy