SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ અંગઆગમ કરવામાં આવ્યો છે. ગીતામાં ‘સર્વારમ્ભપરિત્યાી' ને પંડિત કહેવામાં આવેલ છે અને બતાવવામાં આવ્યું છે કે જે સમસ્ત આરંભનો પરિત્યાગી છે તે ગુણાતીત છે. તેમાં દેહદમનની પણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને તપના બાહ્ય તથા આંતરિક સ્વરૂપ ઉપર પર્યાપ્ત પ્રકાશ પાડવામાં આવ્યો છે. જૈન પરંપરાના ત્યાગી મુનિઓના તપશ્ચરણની માફક કાયક્લેશરૂપ તપ સંબંધી પ્રરૂપણા વૈદિક પરંપરાને પણ અભીષ્ટ છે. એ જ રીતે જલશૌચ અર્થાત્ સ્નાન વગેરે રૂપ બાહ્ય શૌચનો ત્યાગ પણ વૈદિક પરંપરાને ઇષ્ટ છે. આચારાંગના પ્રથમ અને દ્વિતીય બંને શ્રુતસ્કંધોમાં આચાર-વિચારનું જે વર્ણન છે તે બધું મનુસ્મૃતિના છઠ્ઠા અધ્યાયમાં વર્ણવેલ વાનપ્રસ્થ અને સંન્યાસનાં સ્વરૂપની સાથે મળતું આવે છે. ભિક્ષાના નિયમો, કાયક્લેશ સહન કરવાની પદ્ધતિ, ઉપકરણ, વૃક્ષના મૂળ પાસે નિવાસ, ભૂમિશયન, એક વખત ભિક્ષાચર્યા, ભૂમિનું અવલોકન કરતાં કરતાં ગમન કરવાની પદ્ધતિ, ચતુર્થ ભક્ત, અષ્ટમ ભક્ત વગેરે અનેક નિયમોનું જૈન પરંપરાના ત્યાગી વર્ગના નિયમો સાથે સામ્ય છે. એ જ રીતે જૈન પરંપરાના નિયમોનું સામ્ય મહાભારતના શાન્તિપર્વમાં પ્રાપ્ત થતાં તપ અને ત્યાગના વર્ણનની સાથે પણ છે. બૌદ્ધ પરંપરાના નિયમોમાં આ પ્રકારની કઠોરતા અને દેહદમનનો મોટાભાગે અભાવ જણાઈ આવે છે. આચારાંગના પ્રથમ અધ્યયન શસ્ત્રપરિજ્ઞામાં સમગ્ર આચારાંગનો સાર આવી જાય છે આથી અહીં અન્ય અધ્યયનોનું વિસ્તારપૂર્વક વિવેચન ન કરતાં આચારાંગમાં આવતા પરમતોનો વિચાર કરવામાં આવશે. આચારાંગમાં ઉલ્લિખિત પરમતો ઃ આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધમાં જે પરમતોનો ઉલ્લેખ છે તે કોઈ વિશેષ નામપૂર્વક નહિ પરંતુ ‘ì’ અર્થાત્ ‘કેટલાક લોકો’ના રૂપમાં છે જેનું વિશેષ સ્પષ્ટીકરણ ચૂર્ણિ અથવા વૃત્તિમાં કરવામાં આવ્યું છે. પ્રારંભમાં જ અર્થાત્ પ્રથમ અધ્યયનના પ્રથમ વાક્યમાં જ એમ બતાવવામાં આવ્યું છે કે ‘દું પોતિ નો સન્ના મવ' એટલે કે આ સંસારમાં કેટલાક લોકોને એવું ભાન નથી હોતું કે હું પૂર્વમાંથી આવ્યો છું કે દક્ષિણમાંથી ૧. મનુસ્મૃતિ, અ- ૪, શ્લો ૨૦૧-૨. ૨. એજન, અ ૧૨, શ્લો- ૧૬; અ ૪, શ્લો- ૧૯. ૩. એજન, સર્વાત્મ્યપરિત્યાની મુખાતીત: સ ૩ન્વતે—અ ૧૪, શ્લો ૨૫. ૪. એજન, અ ૧૭, શ્લો ૫-૬, ૧૪, ૧૬-૭. ૫. જુઓ – શ્રી લક્ષ્મણશાસ્ત્રી જોશી લિખિત વૈદિક સંસ્કૃતિનો ઇતિહાસ (મરાઠી), પૃ.૧૭૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy