SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ અંગઆગમ કરું છું, ન જાણતો છતોના દેખતો છતો નહિ. આ રીતનો પ્રયોગ ભગવતીસૂત્રમાં પણ મળે છે “ને મે અંતે ! વેદિયા..... વિવિયા નવા પ્રતિ મા વા પામં વા उस्सासं वा निस्सासं वा जाणामो पासामो, जे इमे पुढविकाइया...एगिदिया जीवा एएसिणं મામં વા..નીતાનં વાન વામો ન પાસાનો' (શ. ૨, ૩. ૧)-દ્વીઢિયાદિક જીવો જે શ્વાસોચ્છવાસ વગેરે લે છે તે આપણે જાણીએ છીએ; જોઈએ છીએ પરંતુ એકેન્દ્રિય જીવો છે શ્વાસ વગેરે લે છે તે આપણે જાણતા નથી, જોતા નથી. જ્ઞાનના સ્વરૂપની પરિભાષા અનુસાર દર્શન સામાન્ય, ઉપયોગ સામાન્ય, બોધ અથવા નિરાકાર પ્રતીતિ છે, જ્યારે જ્ઞાન વિશેષ ઉપયોગ, વિશેષ બોધ અથવા સાકાર પ્રતીતિ છે. મન:પર્યાય-ઉપયોગ જ્ઞાનરૂપ જ માનવામાં આવે છે, દર્શનરૂપ નહિ, કારણ કે તેમાં વિશેષનો જ બોધ થાય છે, સામાન્યનો નહિ. એવું હોવા છતાં પણ નંદિસૂત્રમાં ઋજુમતિ અને વિપુલમતિ મન:પર્યાયજ્ઞાની માટે “નાખવું’ અને ‘પાસ’ બંને પદોનો પ્રયોગ થયો છે. જો “ગારૂ પદ માત્ર કેવળજ્ઞાનનું જ દ્યોતક હોય અને “પાસ” પદ માત્ર કેવળદર્શનનું જ પ્રતીક હોત તો મન:પર્યવજ્ઞાની માટે માત્ર “નાડુ પદનો જ પ્રયોગ કરવામાં આવત, “પાસ' પદનો નહિ. નંદીમાં આ વિષયક પાઠ આ પ્રમાણે છે - दव्वओ णं उज्जुमई णं अणंते अणंतपएसिए खंधे जाणइ पासइ, ते चेव विउलमई अब्भहियतराए विउलतराए...वितिमिरतराए जाणइ पासइ । खेत्तओ णं उज्जुमई जहन्नेणं....उक्कोसेणं मणोगए भावे जाणइ पासइ, तं चेव विउलमई विसुद्धतरं.....जाणइ पासइ । कालओ णं उज्जुमई जहन्नेणं....उक्कोसेणं पि जाणइ पासइ तं चेव विउलमई विसुद्धतरागं....जाणइ पासइ । भावओ णं उज्जुमई....जाणइ पासइ । तं चेव विउलमई विसुद्धतरागं जाणइ पासइ । આ રીતે શ્રુતજ્ઞાનીના સંબંધમાં પણ નંદિસૂત્રમાં “3ી ૩૧૩ત્તે સળંધ્યારું ના પાડું એવો પાઠ આવે છે. શ્રુતજ્ઞાન પણ જ્ઞાન જ છે, દર્શન નથી. છતાં પણ તેના માટે “ના” અને “પાસ; બંનેનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ બધું જોતાં એમ માનવું વધુ યોગ્ય છે કે “નાફ પરનો પ્રયોગ માત્ર એક ભાષાશૈલી છે. તેના આધારે જ્ઞાન અને દર્શનના ક્રમ-અક્રમનો વિચાર કરવો યુક્તિયુક્ત નથી. વસુપદઃ આચારાંગમાં વસુ, અણુવસુ, વસુમંત, દુવ્વસુ વગેરે વસુપદ વાળા શબ્દોનો પ્રયોગ થયો છે. “વસુ' શબ્દ અવેસ્તા, વેદ તથા ઉપનિષદોમાં પણ મળે છે. તેનાથી એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy