SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૨૨૭ મહાવીર રાજગૃહમાં આવ્યા તથા દેશના દીધી. ત્યારબાદ સ્વકૃત કર્મના વેદનની ચર્ચા છે. જીવ જે કંઈ સુખ અથવા દુઃખનો અનુભવ કરે છે તે બધું સ્વકૃત જ હોય છે, નહિ. આ કથન દ્વારા ઇશ્વરાદિ કર્તૃત્વનું નિરસન થાય છે. પરકૃત દેવગતિ : જે અસંયમી છે અર્થાત્ ઉપર ઉપરથી સંયમના ઉગ્ર અનુષ્ઠાનોનું આચરણ કરે છે પરંતુ અંદરથી માત્ર માન-પૂજા-પ્રતિષ્ઠાના જ ઇચ્છુક છે તેઓ મરીને ઓછામાં ઓછું ભવનવાસી નામક દેવગતિમાં ઉત્પન્ન થાય છે અને વધુમાં વધુ ત્રૈવેયક નામે વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. જે સંયમની અધિકાંશ નિર્દોષ આરાધના કરે છે તેઓ ઓછામાં ઓછું સૌધર્મ નામક સ્વર્ગમાં અને વધુમાં વધુ સર્વાર્થસિદ્ધિ નામક વિમાનમાં દેવ બને છે. જેમણે સંયમની વિરાધના કરી હોય અર્થાત્ સંયમનું દૂષિત રીતે પાલન કર્યું હોય તેઓ ઓછામાં ઓછું ભવનવાસી દેવયોનિમાં અને વધુમાં વધુ સૌધર્મ દેવલોકમાં જન્મ ગ્રહણ કરે છે. જે શ્રાવકો અધિકાંશ નિર્દોષપણે ધર્મનું પાલન કરે છે તેઓ ઓછામાં ઓછું સૌધર્મ દેવલોકમાં અને વધુમાં વધુ અચ્યુત વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. જેમણે શ્રાવકધર્મનું દૂષિત રીતે પાલન કર્યું હોય તેઓ ઓછામાં ઓછું ભવનવાસી અને વધુમાં વધુ જ્યોતિષ્ક દેવ બને છે. જે જીવો અસંશી છે અર્થાત્ મનરહિત છે તેઓ પરવશતાને કારણે દુઃખ સહન કરી ભવનવાસી દેવ બને છે અથવા વાણવ્યંતરની ગતિ પ્રાપ્ત કરે છે. તાપસ લોકો અર્થાત્ જે જિનપ્રવચનનું પાલન કરનારા નથી તેઓ ઘોર તપને કારણે ઓછામાં ઓછું ભવનવાસી અને વધુમાં વધુ જ્યોતિષ્ક દેવોની ગતિ પ્રાપ્ત કરે છે. જે કાંદર્પિક છે અર્થાત્ બહુરૂપીપણા વગેરે દ્વારા બીજાઓને હસાવનારા છે તેઓ માત્ર બાહ્ય રૂપે જૈન સંયમની આરાધના કરી ઓછામાં ઓછું ભવનવાસી અને વધુમાં વધુ સૌધર્મ દેવ બને છે. ચરક અર્થાત્ જોરથી બૂમ પાડી ભિક્ષા મેળવનારા ત્રિદંડી, લંગોટધારી તથા પરિવ્રાજક અર્થાત્ કપિલમુનિના શિષ્યો ઓછામાં ઓછું ભવનવાસી દેવ થાય છે અને વધુમાં વધુ બ્રહ્મલોક નામના સ્વર્ગ સુધી પહોંચે છે. કિક્વિષિક અર્થાત્ બાહ્યપણે જૈન સંયમની આરાધના કરવા છતાં પણ જે જ્ઞાનનો, જ્ઞાનીનો, ધર્માચાર્યનો, સાધુઓનો અવર્ણવાદ એટલે કે નિંદા કરનારા છે તેઓ ઓછામાં ઓછું ભવનવાસી દેવ થાય છે અને વધુમાં વધુ લાંતક નામે સ્વર્ગ સુધી પહોંચે છે. જિનમાર્ગના અનુયાયી તિર્યંચો અર્થાત્ ગાય, બળદ, ઘોડા વગેરે ઓછામાં ઓછું ભવનવાસી દેવ રૂપે ઉત્પન્ન થાય છે અને વધુમાં વધુ લાંતકથી પણ આગળ આવેલા સહસ્રાર નામના સ્વર્ગ સુધી જાય છે. વૃત્તિકા૨ે બતાવ્યું છે કે તિર્યંચો પણ પોતાની મર્યાદાનુસાર શ્રાવકધર્મનું પાલન કરી શકે છે. આજીવિક અર્થાત્ આજીવિક મતના અનુયાયીઓ ઓછામાં ઓછું ભવનવાસી દેવો થાય છે અને વધુમાં વધુ સહસ્રારથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy