SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) આ રચના ગણધરોએ પોતાના મનથી નહિ પરંતુ ભગવાન મહાવીરના ઉપદેશના આધારે કરી છે, આથી આ આગમોને પ્રમાણ માનવામાં આવે છે. ત્રીજી વાત જે ધ્યાન દેવાની છે તે એ છે કે આ દ્વાદશ ગ્રંથોને “અંગ' કહેવામાં આવે છે. આ જ દ્વાદશ અંગોનો એક વર્ગ છે જેનો ગણિપિટકનામથી પરિચય આપવામાં આવ્યો છે. ગણિપિટકમાં આ બાર ઉપરાંત અન્ય આગમગ્રંથોનો ઉલ્લેખ નથી. એ પરથી એમ પણ સૂચિત થાય છે કે મૂળ રૂપે આગમો આ જ હતાં અને તેમની જ રચના ગણધરોએ કરી હતી. “ગણિપિટક’ શબ્દ દ્વાદશ અંગોના સમુચ્ચયને માટે તો પ્રયુક્ત થયો જ છે પરંતુ તે પ્રત્યેકને માટે પણ પ્રયુક્ત થતો હશે એવું સમવાયાંગના એક ઉલ્લેખ પરથી પ્રતીત થાય છે – ““તિË fપડ મારવૂતિયા વMા સત્તાવણં મમ્ફયના પત્તા તં નહીં-માયારે સૂર્યદેવને '” (સમવાય પ૭મો). અર્થાત્ આચાર વગેરે પ્રત્યેકની જેમ અંગ સંજ્ઞા છે તેવી જ રીતે પ્રત્યેકની “ગણિપિટક" એવી પણ સંજ્ઞા હતી એવું અનુમાન કરી શકાય છે. વૈદિક સાહિત્યમાં “અંગ” (વેદાંગ) સંજ્ઞા સંહિતાઓ, જે મુખ્ય વેદ હતા, તેમનાથી જુદા કેટલાક ગ્રંથો માટે પ્રયુક્ત છે. અને ત્યાં “અંગ”નું તાત્પર્ય છે–વેદોના અધ્યયનમાં સહાયભૂત વિવિધ વિદ્યાઓના ગ્રંથો. અર્થાત વૈદિક વાદ્યયમાં “અંગ'નો તાત્પર્યાર્થ મૌલિક નહિ પણ ગૌણ ગ્રંથો એવો છે. જૈનોમાં “અંગ” શબ્દનું આ તાત્પર્ય નથી. આચાર આદિ અંગગ્રંથો કોઈના સહાયક કે ગૌણ ગ્રંથો નથી પરંતુ આ જ બાર ગ્રંથોથી બનનાર એક વર્ગના એકમ હોવાથી “અંગ” કહેવામાં આવ્યા છે એમાં સંદેહ નથી. આમાંથી આગળ જતાં શ્રુતપુરુષની કલ્પના કરવામાં આવી અને આ દ્વાદશ અંગોને તે શ્રુતપુરુષના અંગરૂપ માનવામાં આવ્યા. અધિકાંશ જૈન તીર્થકરોની પરંપરા પૌરાણિક હોવા છતાં પણ ઉપલબ્ધ સમગ્ર જૈન સાહિત્યનો જે આદિસ્રોત સમજવામાં આવે છે તે જૈનાગમ રૂપ અંગસાહિત્ય વેદ જેટલું પ્રાચીન નથી, તે માન્ય હકીકત છે. છતાં પણ તેને બૌદ્ધ પિટકનું સમકાલીન તો માની શકાય. 9. Doctrine of the Jainas, p. 73. ૨. નંદીચૂર્ણિ, પૃ. ૪૭, કાપડિયા-કેનોનિકલ લિટરેચર, પૃ. ૨૧. ૩. “ સાહિત્ય નૈનસાહિત્ય | સમાનીન હી હૈ”—એવું ૫. કૈલાશચંદ્ર જ્યારે લખે છે ત્યારે તેનો અર્થ આ જ થઈ શકે છે. જુઓ – જૈન સા. ઇ. પૂર્વપીઠિકા, પૃ. ૧૭૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy