________________
સંપાદકીય
(ગુજરાતી આવૃત્તિ)
ભગવાન મહાવીરની ૨૬મી જન્મ શતાબ્દી પ્રસંગે શાસન-સમ્રાટ્ શ્રી નેમિવિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર ૫.પૂ આચાર્ય ભગવંત શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી સ્થપાયેલી પ્રસિદ્ધ જૈન સંસ્થા શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ દ્વારા જૈન સાહિત્ય વિષયક કોઈ વિશિષ્ટ પ્રકાશન કાર્ય હાથ ધરવાની ઇચ્છા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ ગાંધીએ વ્યક્ત કરી ત્યારે અમે તેમને શ્રી પાર્શ્વનાથ જૈન શોધ સંસ્થાન, વારાણસી દ્વારા ઇ.સ. ૧૯૬૬ થી ૧૯૮૧ દરમ્યાન હિન્દી ભાષામાં ૭ ભાગમાં લખાયેલ “જૈન સાહિત્ય કા બૃહદ્ ઇતિહાસ’' ના ગુજરાતી અનુવાદનું પ્રકાશન કરવાની સૂચના કરી. તેમણે પૂજય આચાર્યશ્રી સાથે મંત્રણા ક૨ી અનુવાદની યોજના બનાવી, ગુજરાતી આવૃત્તિના સંપાદન-અનુવાદનનું કાર્ય અમને સોંપ્યું.
ભારતનાં જ નહિ, જગતના પ્રાચીન ધર્મોમાં જૈન ધર્મનું પણ એક વિશિષ્ટ મહત્ત્વપૂર્ણ સ્થાન છે એ હવે વિશ્વભરના ધર્મ-દર્શનોના અભ્યાસીઓમાં સર્વસ્વીકૃત હકીકત બની ગઈ છે. અહિંસા, અનેકાન્ત અને અપરિગ્રહના પ્રણેતા ભગવાન મહાવીરના ઉપદેશની આજના યુગને જેટલી જરૂર છે તેટલી ક્યારેય ન હતી. આવા જૈન ધર્મને સમજવા માટે જરૂર છે જૈન ધર્મના સાહિત્યનો પરિચય કરવાની.
જૈનોનું સાહિત્ય એટલું વિશાળ છે કે કાળના થપેડાં ખાતાં ખાતાં ય જેટલું બચ્યું છે તે જગતના ધાર્મિક સાહિત્યમાં મહત્ત્વ ધરાવે તેટલું છે. આ સાહિત્યનો પરિચય આપવાનો – તેનો બૃહદ્ ઈતિહાસ લખવાનો – સંકલ્પ સ્વ. આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મ. અને પદ્મશ્રી પંડિત સુખલાલજી જેવાની પ્રેરણાથી કેટલાક ગુજરાતી અને હિંદીભાષી જૈન સાક્ષરો અને અગ્રણીઓએ આજથી ચાલીસેક વર્ષ પૂર્વે કર્યો અને આ ભગીરથ કાર્યની શરૂઆત થઈ. તેના પરિણામસ્વરૂપે હિંદી ભાષામાં ભાગ-૧થી ૭માં ‘જૈન સાહિત્ય કા બૃહદ્ ઈતિહાસ'' નામે ગ્રંથશ્રેણી પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન, વારાણસીથી પ્રકાશિત થઈ. તેના સંપાદક-ગણ અને લેખક-ગણમાં તત્કાલીન પ્રસિદ્ધ જૈન વિદ્વાનો પં. બેચરદાસ દોશી, પં. દલસુખભાઈ માલવણિયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org