SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ અંગઆગમ તે એટલે સુધી કે મૃગાવતીને પોતાને પણ મોઢા પર કપડું બાંધવું પડ્યું હતું. જ્યારે ગૌતમ તેને જોવા ગયા તો તેમણે પણ મોઢા પર કપડું બાંધવું પડ્યું. મૃગાપુત્રના વર્ણનમાં એક ભયંકર દુઃખી માનવનું ચિત્ર ઉપસ્થિત કરવામાં આવ્યું છે. દુઃખવિપાકનું આ એક રોમાંચકારી દષ્ટાંત છે. ગૌતમે ભગવાન મહાવીરને પૂછ્યું કે મૃગાપુત્રને આવી વેદના થવાનું કારણ શું? ઉત્તરમાં ભગવાને તેના પૂર્વભવની કથા કહી. આ કથા આ પ્રમાણે છે : ભારતવર્ષમાં શદ્વારનગરની પાસે વિજયવર્ધમાન નામે એક ખેટ–મોટું ગામ હતું. આ ગામને અધીન પાંચસો નાના નાના ગામો હતાં. આ ગામમાં એક્કાઈ નામે રાઠોડ–રઉડ–રાષ્ટ્રકૂટ (રાજ દ્વારા નિયુક્ત શાસન-સંચાલક) હતો. તે અતિ અધાર્મિક અને ક્રૂર હતો. તેણે તે ગામો પર અનેક પ્રકારના કરવેરા નાખ્યા હતા. તે લોકોની ન્યાયયુક્ત વાત પણ સાંભળવા માટે તૈયાર ન હતો. તે એકવાર બિમાર પડ્યો. તેને શ્વાસ, કાસ, જ્વર, દાહ, કુક્ષિશૂળ, ભગંદર, હરસ, અજીર્ણ, દષ્ટિશૂળ, મસ્તકશૂળ, અરુચિ, નેત્રવેદના, કર્ણવેદના, કંડૂ, જલોદર અને કુષ્ટ–આ જાતના સોળ રોગો એકીસાથે થયા. ઉપચાર માટે વૈદ્ય, વૈદ્યપુત્ર, જ્ઞાતા, જ્ઞાતાપુત્ર, ચિકિત્સક, ચિકિત્સકપુત્ર વગેરે વિવિધ ઉપચારકો પોતાનાં સાધનો અને ઉપકરણોથી સજ્જ થઈ તેની પાસે આવ્યા. તેઓએ અનેક ઉપાયો કર્યા પરંતુ રાઠોડનો એક પણ રોગ શાંત ન થયો. તે અઢીસો વર્ષની ઉંમરમાં મૃત્યુ પ્રાપ્ત કરી નરકમાં ગયો અને ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી મૃગાપુત્ર થયો. મૃગાપુત્ર ગર્ભમાં આવતાં જ મૃગાદેવી પોતાના પતિને અપ્રિય થવા લાગી. મૃગાદેવીએ ગર્ભનાશના અનેક ઉપાયો કર્યા. તે માટે તેણે અનેક પ્રકારની હાનિકારક ઔષધિઓ પણ લીધી પણ કંઈ પરિણામ ન આવ્યું. અંતે મૃગાપુત્રનો જન્મ થયો. જન્મ થતાં જ મૃગાદેવીએ તેને ગામની બહાર ફેંકાવી દીધો પરંતુ પતિએ સમજાવવાથી ફરી પોતાની પાસે લાવી તેનું પાલન-પોષણ કર્યું. ગૌતમે ભગવાનને પૂછ્યું કે આ મૃગાપુત્ર મરીને ક્યાં જશે? ભગવાને બતાવ્યું કે સિંહ વગેરેના અનેક ભવો ગ્રહણ કર્યા પછી સુપ્રતિષ્ઠપુરમાં ગૌ રૂપે જન્મ લેશે અને ત્યાં ગંગાકિનારે માટીમાં દબાઈ મર્યા પછી તે જનગરમાં એક શેઠનો પુત્ર થશે. ત્યારપછી સૌધર્મ દેવલોકમાં દેવરૂપે જન્મગ્રહણ કરી મહાવિદેહમાં સિદ્ધિ પ્રાપ્ત કરશે. કામધ્વજા અને ઉતિકઃ દ્વિતીય કથાનું સ્થાન વાણિજ્યગ્રામ (વર્તમાન બનિયાગાંવ, જે વૈશાલીની પાસે છે), રાજા મિત્ર અને રાણી શ્રી છે. કથાની મુખ્ય નાયિકા કામઝયા-કામધ્વજા ગણિકા છે. તે ૭૨ કળાઓ, ૬૪ ગણિકા-ગુણો, ૨૮ અન્ય ગુણો, ૨૧ રતિગુણો, ૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy